ગુરુવાર, 31 માર્ચ, 2022

ફાગણ માસ ની અમાસ ક્યારે છે? | ક્યારે પિતૃ તર્પણ , સ્નાન દાન ક્યારેકરવું? | અમાસ ના દિવસે શું કરવું ? શું ના કરવું? | Falgun Amavasya 2022 Gujarati | Okhaharan

 ફાગણ માસ ની અમાસ ક્યારે છે? | ક્યારે પિતૃ તર્પણ , સ્નાન દાન ક્યારેકરવું? | અમાસ ના દિવસે શું કરવું ? શું ના કરવું? | Falgun Amavasya 2022 Gujarati | Okhaharan

Falgun-Amavasya-2022-Gujarati
Falgun-Amavasya-2022-Gujarati

 

શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખ માં આજે આપણે જાણીશું ફાગણ માસ ની અમાસ ક્યારે છે? ક્યારે પિતૃ તર્પણ કરવું? ક્યારે સ્નાન દાન કરવું? કયો શુભ સંયોગ બને આ વખતે અમાસ પર. અમાસ ના દિવસે શું કરવું? અમાસ ના દિવસે શું ના કરવું? 

અમાવસ્યા પર રાશિ મુજબ કરો આ વસ્તુઓનું દાન, મળશે અક્ષય પુણ્યનું ફળ અહી ક્લિક કરો.  


તિથિ એ ચંદ્ર ની કળા પર આધારિત હોય છે જયારે પૂર્ણ ચંદ્ર કળા હોય એટલે પૂનમ કહેવાય અને જ્યારે ચંદ્ર શૂન્ય કળા હોય એને અમાસ કહેવાય. અમાસ તિથિ પિતૃઓને આપણૅ છે. આ દિવસે લક્ષ્મીનારાયણ દેવ , શિવ પાવૅતી તથા હનુમાનજીના ની પણ પૂજા કરવા માં આવે છે.અમાસ તિથિ ના દિવસે પિતૃઓ વાયુવેગે તપણૅ આરોગવા આવે છે. આ દિવસે પિતૃઓ માટે જાપ ,તપ,  વ્રત , સ્નાન, અને દાન કરવાથી સુખ સમૃદ્ધિ  વધે છે.


આ વષૅ ફાગણ માસની અમાસ તિથિ ની વધ ધટ હોવાથી બે દિવસ રહેશે એટલે કે ૩૧ માચૅ અને ૧ એપ્રિલ. તિથિ માહિતી

અમાસ તિથિ ની શરૂઆત ૩૧ માચૅ બપોરે ૧૨:૨૨ મિનિટ

અમાસ તિથિ ની સમાપ્તિ ૧ એપ્રિલ સવારે ૧૧:૫૩ થાય છે

આમ બે દિવસ અમાસ રહેશે

પિતૃ તપણૅ માટે ૩૧ માચૅ બપોરે ૧૨:૨૨ પછી કરવું તથા ૧ એપ્રિલ સવારે ૧૧:૫૩ પહેલાં કરી શકાય છે.


સ્નાન મહિમા ૧ એપ્રિલ સવારે સૂર્યોદય પહેલાં જળ માં ગંગાજળ ઉમેરી કરવું.

 સવૅ પિતૃ અમાસ ની વ્રત કથા અહી ક્લિક કરો.   

 

૧ એપ્રિલ ના દિવસે સવારે સવૉથૅ સિદ્ધિ યોગ તથા અમૃતસિદ્રિ યોગ બને છે.  આ સમય કરેલ કામ અનેક ધણું ફળ આપે છે એ પછી જપ ,તપ, દાન કેમ ના હોય .


અમાસ ના દિવસે શું કરવું?

અમાસ ના દિવસે સવારે તાંબાના લોટામાં જળની સાથે લાલ ચંદન અને લાલ ફુલ વડે સૂયૅદેવ ને અઘ્ય આપણૅ કરો.


અમાસ ના પિતૃઓની શાંતિ માટે ગરીબ કે જરૂરિયાત મંદ લોકો ને દાન અથવા જમાડો.


અમાસ ના દિવસે સવારે અને સાંજે પીપળા ના વૃક્ષ ને જળ ચડાવો અને દિવો પ્રગટાવો.


અમાસ દિવસે સ્નાન દાન સાથે પિતૃઓના દેવતા ભગવાન વિષ્ણુ ની પૂજા કરો તથા શ્રીમદ ભાગવત ગીતા ના પાઠ કરો અને ૐ નમો ભગવતે વાસુદેવાય જાપ કરો.


સંધ્યા સમયે ધરમાં ગાયના ગોબર તથા ગુગળ ધી ઉમેરી ધુપ કરો.


અમાસ ના દિવસે શું ના કરવું?

અમાસ તિથિ ના દિવસે તમો વ્રત ના કરો તો કંઈ પણ નશીલા પદાર્થો નું કોઈ વસ્તુ નશો ના કરો.


અમાસ ના દિવસે બ્રહ્મચર્ય નું પાલન કરો.

અમાસ ના દિવસે કરો ભક્ત વલ્લભ ભટ્ટ રચિત આનંદ નો ગરબો ૧૧૮ છંદ સાથે અહી ક્લિક કરો.  

અમાસ ના દિવસે ધરમાં કે બહાર કોધ ના કરવો


અમાસ ના દિવસે મસ મંદિર નું સેવન ના કરવું


અમાસ ના દિવસે બીજા નું અન્ન ના ખાવ.


મિત્રો આ અમાસ તિથિ માહિતી, પુજન સમય તથા આ દિવસે શું કરવું ? શું ના કરવું? તેની માહિતી 


 દરરોજ સવારે કરો શિવજીના આ 5 મંત્ર  શિવજી ની કૃપા હંમેશ માટે રેહશે અહી ક્લિક કરો.

 ચૌદશ, અમાસ અને પુનમ ના દિવસે માં બહુચર નો બાલાષ્ટક પાઠ કરો ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

સંપૂર્ણ "શિવ માળા 108 મણકા" ગુજરાતી લખાણ સાથે

 

 શિવમહિમ્નઃ સ્તોત્રમ    

 

શિવ બાવની ગુજરાતી લખાણ સાથે  

 

જય શ્રી કૃષ્ણ  રુદ્રાભિષેક ,  લઘુરુદ્ર યજ્ઞ,મહારૂદ્રયજ્ઞ, ગૃહવાસ્તુ પુજન, નવગ્રહ શાંતિ , નવગ્રહ મંત્ર જાપ , કાલસપૅ દોષ , ચાંડાલ દોષ, અંગારક દોષ વગેરે જન્મ કુંડળી ના દરેક દોષોનું નિવારણ , નવચંડી યજ્ઞ, શતચંડી યજ્ઞ, પ્રાણપતિષ્ઠા વિધિ, કરનાર. તેમજ  આ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

 


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો