આસો માસની સંકષ્ટી ચતુર્થી કરવા ચોથ 9 કે 10 ઓક્ટોબર ઉપવાસ ક્યારે કરવો ? અને ચંદ્ર દશૅન નો સમય શુ છે ? | Asho Sankashti Chaturthi 2025 | Karva Chauth 2025 | Okhaharan
 |
| asho-sankashti-chaturthi-2025-karva-Chuth |
શ્રી ગણેશાય નમઃ સ્વાગત છે તમારૂ આપણા ગુજરાતી ભક્તિ લેખમાં. આજે લેખમાં જાણીશું આસો માસની સંકષ્ટી ચતુર્થી કયારે છે ? 9 કે 10 ઓક્ટોબર ઉપવાસ ક્યારે કરવો? આ દિવસે શ્રી ગણેશ ના ક્યા સ્વરૂપ નું પુજન કરવું ? અને ચંદ્ર દશૅન નો સમય શુ છે ? કેમ આ ચતુર્થી ખાસ છે તે બધું આજે આપણે જાણીશું
દરેક તિથિ દરેક વાર અલગ અલગ ભગવાન અને માતાજી અપણૅ છે જેમ સોમવાર મહાદેવ , એકાદશી તિથિ નારાયણ અષ્ટમી તિથિ માતાજી ને તેમ જ ચતુર્થી તિથિ એ વિધ્નહર્તા ભગવાન શ્રી ગણેશ ને અપણૅ છે એ પછી સુદ પક્ષની વિનાયક ચતુર્થી હોય કે વદ પક્ષની સંકષ્ટી ચતુર્થી હોય . તેમાં કેટલીક વખત વિનાયક ચતુર્થી મહત્વ વઘારે હોય તો કેટલીક વખત સંકષ્ટી ચતુર્થી મહત્વ વઘારે હોય . દર માસે બે ચતુર્થી આવે છે આમ દર માસે ની બે અને આ ત્રણ વર્ષે આવતા અધિક માસ ની બે એમ કુલ ૨૬ ચતુર્થી નો ઉલ્લેખ ગણેશ પુરાણમાં થયો છે.
દરેક મહિનામાં આવતી કૃષ્ણ પક્ષની ચતુર્થીને સંકષ્ટી ચતુર્થી તેમાં આ વષૅ ઓક્ટોબર મહિનાની ચતુર્થી શુક્રવાર તથા આસો માસની હોવાથી તેનુ માહાત્મ્ય અનેક ઘણુ વઘી જાય છે આ ચતુર્થી ને કરવા ચોથ સંકષ્ટી ચતુર્થી કહે છે. હિંદુ ધર્મમાં શ્રી ગણેશ ની સંકષ્ટી ચતુર્થી વ્રતને તમામ ઉત્તમ માનવામાં આવે છે. શ્રી ગણેશજી પ્રથમ ઉપાસક છે અને તે શુભતાના પ્રતીક પણ છે. ભગવાન ગણેશને માતા પાવૅતી અને મહાદેવ ના વરદાન થી પ્રથમ પૂજનીય દેવ માનવામાં આવે છે. ગણેશજીને વિઘ્નહર્તા દેવ પણ કહેવામાં આવે છે. આ દિવસે ગણપતિની પૂજા સાથે માતા ગૌરી , શંકર , કાર્તિકેય નું પુજન કરવાનું અનેક ધણું માહત્મ્ય છે અને ઉપવાસ કરવાથી જ્ઞાન અને ઐશ્વર્યની પ્રાપ્તિ થાય છે. સાથે રિદ્રિ સિદ્રિ નું પુજન દરેક કાયૅ માં સિદ્રિ પ્રાપ્ત થાય.
કોઈ પણ માસ ની વદ પક્ષની સંકષ્ટી ચતુર્થી નો ઉપવાસ પૂર્ણ શ્રદ્ધા અને સાચા હૃદયથી ભગવાનની પૂજા કરવાથી ભક્તોના તમામના પ્રકાર વિધ્નો દૂર કરી ભગવાન શ્રી ગણેશ સૌવ સારા વાના થાય છે . ધાર્મિક ગ્રંથો મુજબ ભગવાન શ્રી ગણેશની પૂજા કરવાથી જીવનમાં કીર્તિ, ધન, વૈભવ અને સારા સ્વાસ્થ્યની પ્રાપ્તિ થાય છે.
આ કરવા ચોથ ના દિવસે સ્ત્રીઓ શોળો શણગાર તૈયાર થઈ ભગવાન ની પુજન પછી ચંદ્ર દેવ ના પુજન કરી. મહિલાઓ સોળ શ્રૃંગાર કરીને ચંદ્રોદય પછી, વ્યક્તિ ચાળણીમાં પતિનું સ્વરૂપ જોઈને ઉપવાસ તોડે છે. પછી પોતાના પતિ હાથે જળ ગ્રહણ કરી ઉપવાસ છોડવાનો હોય છે.
આ વષૅ આસો માસ ની કરવા સંકષ્ટી ચતુર્થી
તિથિ પ્રારંભ 9 ઓક્ટોબર 2025 ગુરુવાર રાત્રે 10:53
તિથિ સમાપ્તી 10 ઓક્ટોબર 2025 શુક્રવાર રાત્રે 7:37
ચતુર્થી નો ઉપવાસ ચંદ્રદોય પ્રમાણે માટે
ચતુર્થી તિથિ નો ઉપવાસ 10 ઓક્ટોબર 2025 શુક્રવાર
પુજન નો શુભ સમય 6:33 થી 10:46
ચંદ્ર દશૅન સમય રાત્રે 8:30 મિનિટ છે.
કરવા ચોથ પુજન સમય સાંજે 5:41 થી 7:02 સુઘી
ચતુર્થી તિથિ ચંદ્રની પૂજા વિના અધૂરી માનવામાં આવે છે. માટે રાત્રીના ચંદ્રદય એ ચંદ્રદશૅન પછી ચંદ્ર દેવને ફુલ ચોખા વઘાવી જળ અપણૅ કરી ઉપવાસ છોડવો. આ ચતુર્થી ના દિવસે શ્રી ગણેશ ના ગણાઘ્યક્ષ સ્વરૂપ નું પુજન કરવામાં આવે છે.