શુક્રવાર, 4 માર્ચ, 2022

નિત્ય સવારે શ્રી લક્ષ્મીનારાયણ દેવ આ પાઠ કરવાથી તમામ પાપોમાંથી મુક્તિ થઈ વિષ્ણુ લોક પ્રાપ્તિ થાય છે | Shree Lakshmi Narayana Ashtakam Gujarati Lyrics | Okhaharan

 નિત્ય સવારે શ્રી લક્ષ્મીનારાયણ દેવ આ પાઠ કરવાથી તમામ પાપોમાંથી મુક્તિ થઈ વિષ્ણુ લોક પ્રાપ્તિ થાય છે | Shree Lakshmi Narayana Ashtakam Gujarati Lyrics | Okhaharan

Shree-Lakshmi-Narayana-Ashtakam-Gujarati-Lyrics
Shree-Lakshmi-Narayana-Ashtakam-Gujarati-Lyrics

 

શ્રી ગણેશાય નમઃ સ્વાગત છે તમારૂ આપણા ગુજરાતી ભક્તિ લેખમાં આજે આપણે જાણીશું શ્રીલક્ષ્મીનારાયણાષ્ટકમ્ નો મહિમા અને શ્રીલક્ષ્મીનારાયણાષ્ટકમ્ નો પાઠ ગુજરાતી લખાણ સાથે.

નારાયણ નો આ કવચ નો પાઠ કરવાથી તમામ પ્રકારના ભય માંથી મુક્તિ મળે છે અહી ક્લિક કરો.   

સૌથી પહેલા આપણે શ્રીલક્ષ્મીનારાયણાષ્ટકમ્ નો મહિમા જાણીયે.

 હું શ્રી લક્ષ્મીનારાયણ દેવ નું ધ્યાન કરીશ કે જેઓ બ્રહ્માંડ અને તેના જીવોના મૂળ છે, તેઓ પીડિત લોકોના દુઃખ નાશ કરે છે, તે ભગવાન અવિનાશી એવા ભગવાન લક્ષ્મીનારાયણનું દેવનું હું ધ્યાન કરીશ

જે ઉપાસકના દુઃખો નાશ કરે છે, એવા શ્રી લક્ષ્મીનારાયણ દેવ દયાનો સાગર છે, તે અચ્યુત ભગવાન છે જેમનાચરણ કમળમાં સમર્પિત થયેલા લોકો માટે સૌથી સુરક્ષિત સ્વર્ગ માને છે, એવા ભગવાન લક્ષ્મીનારાયણનું દેવનું હું ધ્યાન કરીશ

જે ઉપાસકના દુઃખ દૂર કરે છે, એવા શ્રી લક્ષ્મીનારાયણ દેવ તેમના ઉપાસકો માટે ખૂબ જ દયાળુ છે, ભક્તિના સાર છે ,સદ્ગુણોનું પ્રતીક છે, એવા ભગવાન લક્ષ્મીનારાયણનું દેવનું હું ધ્યાન કરીશ 


હું ઉપાસકના દુઃખો નિવારણ કરનાર એવા ભગવાન લક્ષ્મીનારાયણનું દેવનું હું ધ્યાન કરીશ કે જે સર્વ જીવોના સૌથી ભરોસાપાત્ર સાથી છે, દોષરહિત છે, એવા ભગવાન લક્ષ્મીનારાયણનું દેવનું હું ધ્યાન કરીશ

જેઓ દુઃખો નાશ કરે છે. એવા ભગવાન લક્ષ્મીનારાયણનું દેવનું જીવોની બુદ્ધિમાં વાસ કરે છે, તે બ્રહ્માંડ અને તેના જીવોના સ્ત્રોત છે, તે માનવ બુદ્ધિની બહાર છે, તે પ્રદાન કરનાર છે. ઉપાસકને પુષ્કળ વરદાન આપનાર, હું ઉપાસકના દુઃખ દૂર કરનાર ભગવાન લક્ષ્મીનારાયણનું દેવનું હું ધ્યાન કરીશ

જે શંખ અને ચક્રમાં સજ્જ દિવ્ય સ્વરૂપ છે, તે વિશ્વના સેનાપતિ છે, તે ખૂબ જ દયાળુ છે, ઉપાસકના દુઃખો નાશ કરનાર એવા ભગવાન લક્ષ્મીનારાયણનું દેવનું હું ધ્યાન કરીશ 

ગીતાજીમાં કહેલા શ્રી કૃષ્ણ ભગવાનના 108 નામ ગુજરાતી લખાણ સાથે 

જે ભવ્ય પીળા વસ્ત્રોમાં સજ્જ છે, તે વિષ્ણુ છે જેઓ આખા શરીર પર વિવિધ કિંમતી આભૂષણોથી સજ્જ છે, જેઓ ઉપાસકનાં દુઃખો નાશ કરે છે. એવા ભગવાન લક્ષ્મીનારાયણનું દેવનું હું ધ્યાન કરીશ


તેમના બંને હાથ અભ્ય અને વરદ હસ્ત મુદ્રામાં છે,  જે ઉપાસકના દુઃખો અને દુઃખોનું નિવારણ કરે છે, એવા ભગવાન લક્ષ્મીનારાયણનું દેવનું હું ધ્યાન કરીશ

જે કોઈ પણ સવારે લક્ષ્મી નારાયણ અષ્ટકમના મહિમાના શ્લોકોનું વાંચન કરશે અથવા સાંભળશે. તમામ પ્રકારના પાપોમાંથી મુક્ત થઈને ભગવાન વિષ્ણુના વાસને પ્રાપ્ત કરી,

હું ભગવાન રામને વારંવાર પ્રણામ કરીશ જે સમગ્ર જગતના પ્રિય છે, તેઓ નિર્મૂળ કરે છે. તે ઉપાસકના દુઃખ અને સંકટ હરે છે, તે ઉપાસકને પુષ્કળ સંપત્તિનો પ્રદાતા છે, હું ભગવાન ગોવિંદાને વારંવાર પ્રણામ કરીશ કે જેઓ ભક્તોના દુઃખ અને દુઃખ દૂર કરે છે, ભગવાન હરિ જે પરમાત્મા છે જે કૃષ્ણ અને વાસુદેવ તરીકે પણ છે.



શ્રીલક્ષ્મીનારાયણાષ્ટકમ્

આર્તાનાં દુઃખશમને દીક્ષિતં પ્રભુમવ્યયમ્ ।

અશેષજગદાધારં લક્ષ્મીનારાયણં ભજે ॥ ૧॥

અપારકરુણામ્ભોધિં આપદ્બાન્ધવમચ્યુતમ્ ।

અશેષદુઃખશાન્ત્યર્થં લક્ષ્મીનારાયણં ભજે ॥ ૨॥

એકવાર પાઠ કરો શ્રી દેવીકવચ ગુજરાતી ભાષાંતર સાથે  

ભક્તાનાં વત્સલં ભક્તિગમ્યં સર્વગુણાકરમ્ ।

અશેષદુઃખશાન્ત્યર્થં લક્ષ્મીનારાયણં ભજે ॥ ૩॥

સુહૃદં સર્વભૂતાનાં સર્વલક્ષણસંયુતમ્ ।

અશેષદુઃખશાન્ત્યર્થં લક્ષ્મીનારાયણં ભજે ॥ ૪॥

ચિદચિત્સર્વજન્તૂનાં આધારં વરદં પરમ્ ।

અશેષદુઃખશાન્ત્યર્થં લક્ષ્મીનારાયણં ભજે ॥ ૫॥


શઙ્ખચક્રધરં દેવં લોકનાથં દયાનિધિમ્ ।

અશેષદુઃખશાન્ત્યર્થં લક્ષ્મીનારાયણં ભજે ॥ ૬॥

પીતામ્બરધરં વિષ્ણું વિલસત્સૂત્રશોભિતમ્ ।

અશેષદુઃખશાન્ત્યર્થં લક્ષ્મીનારાયણં ભજે ॥ ૭॥

હસ્તેન દક્ષિણેન યજં અભયપ્રદમક્ષરમ્ ।

અશેષદુઃખશાન્ત્યર્થં લક્ષ્મીનારાયણં ભજે ॥ ૮॥


યઃ પઠેત્ પ્રાતરુત્થાય લક્ષ્મીનારાયણાષ્ટકમ્ ।

વિમુક્તસ્સર્વપાપેભ્યઃ વિષ્ણુલોકં સ ગચ્છતિ ॥

ઇતિ શ્રીલક્ષ્મીનારાયણાષ્ટકમ્ સમ્પૂર્ણમ્ ।

 

ગીતાજી નો આ સ્ત્રોત કરવાથી જ્ઞાન સિદ્ધિ મેળવી ને પરમ પદ પામે છે

એકાદશી ના કેટલાક નિમ્નલિખિત કયો ના કરવા જોઈએ તે વાંચવા અહીં ક્લિક કરો

શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય માહાત્મ્ય કથા | Geeta Adhyay   


 


In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission.

 

  જય શ્રી કૃષ્ણ  રુદ્રાભિષેક ,  લઘુરુદ્ર યજ્ઞ,મહારૂદ્રયજ્ઞ, ગૃહવાસ્તુ પુજન, નવગ્રહ શાંતિ , નવગ્રહ મંત્ર જાપ , કાલસપૅ દોષ , ચાંડાલ દોષ, અંગારક દોષ વગેરે જન્મ કુંડળી ના દરેક દોષોનું નિવારણ , નવચંડી યજ્ઞ, શતચંડી યજ્ઞ, પ્રાણપતિષ્ઠા વિધિ, કરનાર. તેમજ  આ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

 Krishna-chalisa-gujarati 

 


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો