અંગારકી વિનાયક ચતુથી આ એક પાઠ કરવાથી શ્રી ગણેશ સદૈવ ભક્તોના વિઘ્ન દુર કરી રક્ષા કરે છે | Ganesh Mangalacharan Gujarati Lyrics | Okhaharan
Ganesh-Mangalacharan-Gujarati-Lyrics |
શ્રી ગણેશાય નમઃ સ્વાગત છે તમારૂ આપણા ગુજરાતી ભક્તિ લેખમાં આજે મંગળવાર અને ચતુથી એક સંયોગ જે બને અંગારકી વિનાયક ચતુથી વિનાયક ચતુથીના દિવસે પાઠ કરીશું શ્રી ગણેશ મંગલાચરણ. આ પાઠ દરરોજ સવારે, મંગળવાર તથા ચતુથી ના દિવસે જરૂર કરો.
શ્રી ગણેશ મંગલાચરણ
વક્રતુંડ મહાકાય સૂયૅકોટિસમપ્રભ |
નિવિધ્નં કુરૂમે દેવ સવૅ કાયૅષુ સવૅદા||
અથૅ
હે વાંકી સૂંઢવાળા વિશાળ કાયાવાળા કરોડો સૂર્ય સમાન તેજસ્વી એ દેવ ગણપતિ તમે તમારા કાર્યોને સદાય વિઘ્ન રહિત બનાવો
વિધ્નેશ્ર્વરાય વરદાય સુરપ્રિયાય
લંબોદરાય સકલાય જગદ્રિતાય
નાગાનનાય શ્રુતિયજ્ઞ વિભૂષિતાય
ગૌરીસુતાય ગણનાથ નમો નમસ્તે
અથૅ
હે ભગવાન ગણપતિ આપ સર્વ સંકટો અને વિઘ્નો ના એક માત્ર શાસક છો એટલે જ તમે જે કોઈ તમારી આરાધના કરે છે તેને ઉત્પીડીત થવા દેતા નથી તમે તમારા ઉપાસકોને અભિષ્ટ વરદાન આપી કૃતાર્થ કરો છો. બધા જ દેવતા તમને પ્રિય છે અને બધા જ દેવતાઓને તમે પ્રિય છો આપ મોટા ઉદરવાળા એટલે લંબોદર અને ચોસઠ કળા ના નિષ્ણાત છો આપ સર્વદા જગતનું મંગલ કરવા તત્પર રહો છો આપ શ્રેષ્ઠ હાથીના મુખવાળા એટલે ગજવદન છો અને શ્રુત્યુક્ત યજ્ઞોને તમારા આભૂષણોની જેમ સ્વીકારી લો છો હે પાર્વતીનંદન હે ગણોના સ્વામી હું આપના ચરણોમાં વારંવાર પ્રણામ કરું છું
ગજાનનં ભૂતગણાદિ સેવિતં કપિત્થ જમ્બુફલચારૂ ભક્ષણમ્
ઉમાસુત શોકવિનાશકારકં નમામિ વિધ્નેશ્ર્વરપાદ પંકજમ્
અથૅ
જે હાથી સમાન મુખવાળા છે મનુષ્ય દેવોને ગણો જેમની સેવામાં તત્પર રહે છે કોઠા તથા જાંબુ ફળ જેમનું પ્રિય ભોજન છે પાર્વતીના પુત્ર છે તથા જે પ્રાણીઓના શોકનું કાયમ વિનાશ કરે છે તેવા વિધ્નેશ્ર્વર ભગવાન ગણપતિના ચરણકમળોમાં હું પ્રણામ કરું છું
એકદંતં મહાકાયં લંબોદર ગજાનનમ્
વિધ્નાશકરં દેવં હેરમ્બ પ્રણમામ્યહમ્
અથૅ
જે એક દાંતથી સુશોભિત છે વિશાળ શરીરવાળા છે લંબોદર છે ગજાનંદ છે તથા જે વિઘ્નોના વિનાશકતૉ છે એવા દિવ્ય ભગવાન હેરમ્બને હું પ્રણામ કરું છું
રક્ષ રક્ષ ગણાધ્યક્ષ રક્ષ ત્રૈલોકયરક્ષક
ભક્તાનામભંય કતૉ ત્રાતા ભવ ભવાણૅવાત્
અથૅ
હે ગણોના અધ્યક્ષ મારી રક્ષા કરો એ ત્રણે લોકના રક્ષક મારી રક્ષા કરો હે પ્રભુ તમે ભક્તોને અભય આપવાવાળા છો તો આ ભવસાગરથી મારી રક્ષા કરો
યન્મંગલં સવૅજનેષુ દેવ સયક્ષવિધાધરપન્નષુ
તસ્યેશ્ર્વરો મંગલમૂર્તિતા ત્વં ગતો યતો મંગલકૃત્ સ્વભક્તે
અથૅ
યક્ષો વિદ્યાધરો પન્નાગો અને સર્વ મનુષ્યોનું મંગલ કરનારા સાકાર મંગલમૂર્તિ રૂપ અને સર્વ મંગલોના નિધાન રૂપ હે મહાગણેશ આપ સદૈવ સ્વભક્તોનુ મંગલ જ કરો છો
બોલીયે શ્રી ગજાનંદ ગણપતિ મહારાજ ની જય
અંગારકી સંકષ્ટ ચતુર્થી વ્રત- કથા,મહાત્મય Youtube પર સાભળો
શ્રી ગણપતિ અથવૅશીષૅ પાઠ Youtube પર સાભળો ફકત 3 મિનિટમાજ
સરમતા સુખ પામીએ ગણપતિ ભજન Youtube પર સાભળો
લેખ સારો લાગ્યો હોય તો મિત્રો સાથે શેર કરો
દરરોજ આવા લેખ વાંચવા અમારો બોલ્ગ ફોલો કરો
અમારી સાથે સોસીયલ મીડિયા માં જોડાવો 👇👇👇