શુક્રવાર, 31 માર્ચ, 2023

ચૈત્ર માસની સુદ પક્ષની કામદા એકાદશી 1 કે 2 એપ્રિલ? ઉપવાસ ક્યારે કરવો? | Kamada Ekadashi 2023 Kayre Che | Okhaharan

ચૈત્ર માસની સુદ પક્ષની કામદા એકાદશી 1 કે 2 એપ્રિલ?  ઉપવાસ ક્યારે કરવો? | Kamada Ekadashi 2023 Kayre Che | Okhaharan 


kamada-ekadashi-2023-kayre-che
kamada-ekadashi-2023-kayre-che

શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખ માં આજે આપણે જાણીએ ચૈત્ર માસની સુદ પક્ષની કામદા એકાદશી 1 કે 2 એપ્રિલ?  ઉપવાસ ક્યારે કરવો? પારણા નો સમય શું છે અને કેમ આ એકાદશી ખાસ છે ? આ એકાદશી નું વ્રત કરવાથી શું ફળ મળે છે? 

ગીતાજી માં કહેલા શ્રી વિષ્ણુ ભગવાન ૧૦૮ નામ


ૐ નમો ભગવતે વાસુદેવાય


સનાતન ધર્મમાં વેદ અને પુરાણનું એકદશી આગવું મહત્વ દર્શાવેલ છે. ગ્રંથોમાં કામદા એકાદશીનું વિગતવાર વર્ણન કરવામાં આવ્યું છે. ચૈત્ર  માસ ની સુદ પક્ષમાં આવતી કામદા એકાદશી નું વ્રત કરવાથી સમસ્ત પાપ નષ્ટ થઈ જાય છે તથા કુયોનિ માંથી છુટી અને સ્વગૅ ની પ્રાપ્તિ કરાવનાર એકાદશી છે. ધાર્મિક માન્યતા અનુસાર આ એકાદશી ની તિથિ ના દિવસે ભગવાન વિષ્ણુને અપણૅ કરવાથી મનુષ્ય જાણે તપ, યજ્ઞ, દાન કર્યા છે તેમ માનવામાં આવે છે.    

 

શ્રી લક્ષ્મીનારાયણ દેવ આ પાઠ કરવાથી તમામ પાપોમાંથી મુક્તિ થઈ વિષ્ણુ લોક પ્રાપ્તિ થાય છે



હિન્દુ શાસ્ત્રોમાં શ્રી વિષ્ણું ભગવાનની કૃપા પ્રાપ્તિ માટે સૌથી ઉત્તમ વ્રત એકાદશી નું છે જે તિથિનું એક વિશેષ મહત્વ છે. ચૈત્ર  માસની સુદ પક્ષની  એકાદશી તિથિ ને કામદા એકાદશી કહેવાય છે. એકાદશી તિથિ દર માસમાં બે વાર આવે છે એક તો સુદ પક્ષ અને બીજી સુદ પક્ષ. એકાદશી ની તિથિ જગત ના પાલનહાર ભગવાન વિષ્ણુને સમર્પિત છે. તેમાં પણ ચૈત્ર  માસ ની આ કામદા એકાદશીના દિવસે અશરણોને શરણ આપનાર જગત ના પાલનહાર શ્રી વિષ્ણુ ભગવાન ના ચતુર્ભુજ સ્વરૂપ નું પુજન કરવામાં આવે છે. અથવા તેમના દશ અવતાર માંથી કોઈ પણ અવતાર નું પુજન કરવામાં આવે છે આ દિવસે અને રાત્રિનું જાગરણ માં ભગવાન ના ભજન કીર્તન કરવાનું હોય છે


ૐ નારાયણાય વિદ્મહે, વાસુદેવાય ધીમહી. તન્નો વિષ્ણુ પ્રચોદયાત્ ।


એકાદશીના ઉપવાસ કોણ કરી શકે કરી કેવી રીતે.

એકાદશી નું વ્રત ઉપવાસ વ્રત વૈષ્ણવ, શુદ્ધ, ક્ષત્રિય કે વેશ્ય પછી નાના મોટા કોઈ પણ આ વ્રત કરી શકે છે . એકાદશી જો કોઈ બીમાર વ્યક્તિ કોઈ રોગથી પીડાતો હોય , ઉમંરલાયક વ્યક્તિ વૃદ્ધાવસ્થા, નાના બાળક અથવા વ્યસ્ત વ્યક્તિ એટલે મજુરી વઘારે શ્રમ કરતા હોય તો એક જ વેળાનું વ્રત કરવું જોઈએ તેમાં ફળો ખાવા જોઈએ. જો આ પણ શક્ય ન હોય તો આ દિવસે ચોખા અને મીઠું ન ખાવા જોઈએ. ભગવાન વિષ્ણુ અથવા તમારા ઈષ્ટદેવની પૂજા કરો. 

એકાદશી ના કેટલાક નિમ્નલિખિત કયો ના કરવા જોઈએ


એકાદશીના દિવસે બીજું કોનું પુજન કરવાથી પુણ્ય ફળ મળે છે.

એકાદશી ના દિવસે વિષ્ણુ ભગવાન ના પુજન સાથે સાથે કામધેનુ ગાયમાતા ના, વૃંદા એટલે તુલસી માતા પીપળા વૃક્ષ , શિવલિંગ નું પુજન કરવામાં આવે છે આમ કરવાથી ગીતામાં શ્રી કૃષ્ણ ભગવાન ના કહેવા મુજબ કશું શેષ રહેતું નથી.

 

દર મારે બે એકાદશી અને ત્રણ વષે આવતા પુરુષોત્તમ માસની બે એમ 26 એકાદશી છે નો

ઉલ્લેખ આપણા હિન્દુ શાસ્ત્રો માં થયેલો છે. હવે આપણે જાણીએ ચૈત્ર માસની સુદ પક્ષની કામદા એકાદશી તિથિ માહિતી   


 આ વષે 2023 ની કામદા એકાદશીની શરૂઆત

શરૂઆત 1 એપ્રિલ 2023 શનિવાર સવારે 1:57 મિનિટ

એકાદશી તિથિ સમાપ્તિ 2 એપ્રિલ 2023 રવિવાર સવારે 4:19 મિનિટ

ઉપવાસ  સૂયૅદય શરૂ થતો કરવો જોઈએ માટે ઉપવાસ 1 એપ્રિલ 2023 શનિવાર કરવો

1 એપ્રિલ 2023 શનિવાર પુજન નો શુભ સમય સવારે 8:06 થી 9:38 સુધી છે

પારણા નો સમય 2 એપ્રિલ 2023 રવિવાર બપોરે 1:40 થી 4:14 સુધી નો છે.

 એકાદશી ની શ્રી જગત ના પાલનહાર વિષ્ણુ ભગવાન પુજન વિધી

ચૈત્ર માસની સુદ પક્ષની કામદા એકાદશીનું વ્રત પૂર્ણ શ્રદ્ધાથી કરવાથી મનુષ્ય શારિરીક માનસિક કષ્ટ હોય , જાણ્યે પાપ કાયૅ થયા હોય, ભાઈ બહેન ગરીબી અને દ્રારિદ્ર જીવન કાઠતા હોય તેમને આ વ્રત પૂર્ણ શ્રદ્ધા અને મન સ્વચ્છ રાખીને કરવાથી જીવનમાં સુખ શાંતિ સમૃદ્ધિ થાય છે.  આ એકાદશી નું વ્રત પૂણૅ શ્રદ્રા રાખીને કરવાથી સમસ્ત પાપ નષ્ટ થઈ જાય છે તથા કુયોનિ માંથી છુટી અને સ્વગૅ ની પ્રાપ્તિ કરાવનાર એકાદશી છે.

કામદા એકાદશી વ્રત કથા વાંચવા માત્રથી કુયોનિ માંથી મુક્તિ મળે છે.


 ગીતાજીમાં કહેલા શ્રી કૃષ્ણ ભગવાનના 108 નામ.

 

એકાદશી ના દિવસે ગીતાજી નો આ સ્ત્રોત કરવાથી જ્ઞાન સિદ્ધિ મેળવી ને પરમ પદ પામે છે

શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય માહાત્મ્ય કથા | Geeta Adhyay   

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

  

 """ શ્રી વિષ્ણ્વષ્ટકમ્   """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.   


દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી અહી ક્લિક કરો.  

 

શ્રી હનુમાન દાદા નો આ પાઠ ચુડેલ મેલી ડાકાણ જિન સામે રક્ષણ મળે છે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

 

 રાત્રે એકવાર "" શ્રી મહાલક્ષ્મી"" ની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો

 

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission.

 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

શનિવાર, 25 માર્ચ, 2023

ચૈત્ર માસમાં નિત્ય વાંચો "" ઓખાહરણ ભાગ 3 કડવાં -21 -30 "" | Okhaharan Part 3 Kadva 21 to 30 | Okhaharan In Gujarati |

 ચૈત્ર માસમાં નિત્ય વાંચો "" ઓખાહરણ ભાગ -21 -30  "" |  Okhaharan Part 3 Kadva 21 to 30 | Okhaharan In Gujarati |

 

okhaharan-part-3-kadva-21-to-30-okhaharan-in-Gujarati
okhaharan-part-3-kadva-21-to-30-okhaharan-in-Gujarati

 

 શ્રી ગણેશાય નમઃ સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખ માં આજે આપણે જાણીશું  ચૈત્ર માસમાં ઓખાહરણ વાંચવાથી તાવ તારીયો એકન તરીયો આવતો નથી  અંખડ સોભાગ્ય પ્રાપ્તિ નું વ્રત છે . આ કથા કવિ પ્રેમાનંદજી એ 93 કડવાં ના રૂપ મા છે જેમાં આપણે આજે 21-30 કડવાં વાછીશું.,.

   શ્રી "" દેવીકવચ "" ગુજરાતી ભાષાંતર સાથે 

              કડવું-૨૧  

ઓખા અને ચિત્રલેખા વચ્ચે વાતૉલાપ  

ચિત્રલેખા એણીપેર બોલી, સાંભળ સહિયર વાત;  

તારે કાજે નહિ પરણાવે, બાણ તારો તાત. (૧)  

 

તારે કાજે જો પરણાવે, છેદાયે રાયના હાથ;  

તારે કાજે નહિ પરણાવે, પ્રધાન મારો તાત. (૨)  

 

તાત કેરી આજ્ઞા લઈ, આવોને ઔખાય;  

વચન સાંભળ ઓખા વળતી, ત્યાંથી ચાલી જાય. (૩)  

 

તાત આપો આજ્ઞા તો, શંભુ પૂજવા જાઉં;  

બાણાસુર પ્રત્યે પુત્રીએ, વચન પ્રકાશી કહ્યું (૪)  

 

ઘેલી પુત્રી એમ ન કહીએ, બેસી રહો મંદિરમાંય;  

ઘર આવે મહાદેવજી, પૂજીને લાગો પાય. (૫)  

 

વચન સાંભળી ઓખા ચાલ્યાં, પોતે  તેણીવાર:  

ચિત્રલેખા સહિયર મહારી, ઉપાય કરવો સાર. (૬)

    

              કડવું-૨૨  

ઓખા ચિત્રાત્મક વણૅન  

ઓખા તારે શ્રવણે ઝબુકે ઝાલ રે,  

ઓખા તારા રાતા ગાલ રે;  

ઓખા તું ચાલે હંસની ચાલ રે,  

ચોળીને રંગે ઓખા તારા ચૂદંડી રે. (૧)  

 

ઓખા તારે બાંયે બાજુબંધ રે,  

ઓખા તારું મુખડું પુનમ ચંદ રે;  

ઓખા તારે મન ઉપજ્યો આનંદ રે,  

ઓખા તારે સાળુડે કસબી કોર રે (૨)  

 

ઓખા તારા શોભીતા શણગાર રે,  

ઓખા તારે પાવલે નેપુર વાગતા રે. (૩)  

   

              કડવું-૨૩  

 

સાખી  

 

હાંરે બેની તારે, વિછુવા કર કંકણ મુદ્રિકા ને હાર;  

એ પુરુષ વિના પહેરે પ્રેમદા, તેનો ધીક પડ્યો અવતાર. (૧)  

 

સેંથો ટીલડી રાખડી, નયને કાજળ કુમકુમ આડ;  

પુરુષ વિના કરે પ્રેમદા, તેનો ધીક પડ્યો અવતાર. (૨)  

 

(ચોપાઈ ચાલફેર)  

 

બાઈએ છોડી નાખ્યા હાર રે,  

આ તું લે તારો શણગાર રે;  

હું તો નહિ પામું ભરથાર રે,  

નહિ ઓઢું ઘાટડી રે. (૧)  

 

બાણાસુર મારો બાપ રે,  

મારા કોણ જનમનાં પાપ રે;  

મુને નહિ પરણાવે આપ,  

નહિ જોઉં વાટડી રે. (૨)  

 

              કડવું-૨૪  

ઓખા વિરહ વેદના  

વર વરવાને યોગ્ય થઈને, પ્રગટ્યાં સ્ત્રીનાં ચેનજી;  

ઓખા કહે છે ચિત્રલેખાને, વાત સાંભળ મારી બહેનજી,  

સહિયર શું કીજે હા હાં રે અંનિહા રે કે વિષ ધોળીધોળી પીજે

દાડલા કેમ લીજે મારી બેની રે,દોષ કર્મને દીજે;ટેક  

 

આજ મારે ભૂંડું જોબનિયું, મદ પૂરણ મારી કાયજી;  

પિતા તે પ્રીછે નહિ, મારો કુંવારો ભવ કેમ જાય રે. સહિયર. (૧)  

 

સાસરે નિત્ય જાય ને આવે, મુજ સમાણીજી;  

હું અપરાધણ હરખે પીડાણી, આંખે ભરું નિત્ય પાણી રે. સહિયર. (૨)  

 

એ રે દુઃખે હું દુબળી, અને અન્ન ઉદક ન ભાવેજી;  

આ વાસ રૂપી શૂળીએ સુતાં, નિદ્રા કઈપેરે આવે રે. સહિયર. (૩)  

 

જળ વિનાની વેલડી ને, પાત્ર વિના જેવું અન્ન રે;  

ભરથાર વિના ભામની, એ તો દોહલા કાઢે દન રે. સહિયર. (૪)  

 

ધન્ય હશે કામનીને, જેણે કંઠે કંઠ ગ્રહી રાખ્યો જી;  

હું અભાગણીએ પરણ્યા પિયુનો, અધર સુધારસ નવ ચાખ્યો રે. સહિયર. (૫)  

 

મરજાદા માટે માણસ કરે, આંખનો અણસારોજી;  

તે સુખ તો મેં સ્વપ્ને ન દીઠું, વ્યર્થ ગયો જન્મારોજી. સહિયર. (૬)  

 

સ્વામી કેરો સંગ નહિ શ્યામાને, એથી બીજું શું નરતું જી;  

હવે નવ રહી આશા પરણ્યા કેરી, મુજ જોબન જાયે ઝુરતું રે. સહિયર. (૭)  

 

બીજી વાત રુચે નહિ, મુજને ભરથાર ભોગમાં મનજી;  

આંહી પુરુષ આવે પરણું, નવ પૂછું જોશીને લગન રે. સહિયર. (૮)  

 

વચન રસિક કહેતાં તરુણી, ભારે આવે લટકતી ચાલેજી;  

પ્રેમ કટાક્ષે પિયુને બોલાવે, હૃદિયા ભીતર સાલે રે. સહિયર. (૯)  

 

સુખ દુઃખ કર્મે કર્યું છે, હું લેવાઈ મારે પાપેજી,  

બંધોગરી મારાં કર્મે કરી, શૂળીએ ચઢાવી મારા બાપે રે. સહિયર. (૧૦)  

 

મરકલડે મુખ મધુર વચને, મરજાદા નવ આણીજી;  

શાક, પાક પિયુને નવ પિરસ્યાં, આઘો પાલવ તાણી રે. સહિયર. (૧૧)  

 

અકળ ગતિ છે ગોવિંદજીની, શું ઉપજશે બેનીજી;  

ગોપાળને ગમતું થાશે, મનડું મારું રહે નહિ રે. સહિયર. (૧૨)  

  

   આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો.  

              કડવું-૨૫  

ઓખાને ચિત્રલેખા દ્વારા સલાહ  

ઓખાને કહે ચિત્રલેખા જો, તું તો સાંભળ બાળ સ્નેહી જો;

આપણે મોટાં મા-બાપનાં છોરું જો, કેમ કહીએ કાળું કે ગોરું જો. ૧.

 

બેની લાંછન લાગે કુળમાં જો, પ્રતિષ્ઠા જાય એક પળમાં જો;

અમે તો તમ પાસે ન રહીએ જો, જઈ બાણાસુરને કહીએ જો. ૨.

 

વાત બાણાસુર રાય જાણે જો, આપણા બેનો અંતજ આણે જો;

મને મેલી ગયો તારી પાસે જો, તારો બાપ રહ્યો વિશ્વાસે જો. ૩.

 

તુજમાં દીસે છે અપલક્ષણ જો; કોઈના કરવા દશૅન ઈચ્છે જો .  

બહેની છોકરવાદ ન કીજે જો, તારા બાપ થકી તો બીહીજે જો. ૪.

 

તને દેખું છું મદમાતી જો, નથી પેટભરી અન્ન ખાતી જો;

તારું વચન મુને નથી ગમતું જો, જોબનિયું હશે સહુને દમતું જો. ૫.

 

કામ વ્યાપે સર્વ અંગે જો., બહેની રહીએ પોતાના ઢંગે જો;

તું\'તો બેઠી નિહાળે પંથ જો, કારાગૃહમાં ક્યાંથી હશે કંથ જો ? ૬.

 

તેં તો મુનિને આંખમાં ઘાલી જો, માથે છાણાં થાપી ચાલી જો;

હું પ્રીછે કામનું કારણ જો, બહેની રાખજે હૈયામાં ધારણ જો. ૭.

 

તું તો જુવે લોકમાં ઓઠાં જો, વામણું ક્યાંથી પામશે કોઠાં જો;

બેની ડગલાં ન ભરીએ લાંબા જો, ઉતાવળે ન પાકે આંબા જો. ૮.

 

આવ્યો ચઈતર માસ એમ કરતાં જો, પછી ઓખાવ્રત આચરતાં જો;

મારી ઓખાબાઈ સલુણાં જો, નિત્ય અન્ન જમે અલુણાં જો. ૯.

 

દીપક બાળે ને અવરિએ સુવે જો, માત ઉમિયાને આરાધે જો,

થયું પૂરણ વ્રત એક માસે જો, કોઇ જાણે નહિ એકાંતે જો. ૧૦.

 

(વલણ)  

 

આવાસ એક સ્થંભ વિષે, વ્રત કીધું ઓખાય રે;

સ્વપ્નામાં સંજોગ સ્વામીનો, ભટ પ્રેમાનંદ ગાય રે. ૧૧.  


   

              કડવું-૨૬  

ગોયૅ માં પૂજા  

 

બાઇ તું કુંવારી હું યે કુંવારી; સાંભળ સહિયર વાત;  

ગોર્યમાની પૂજા કરીએ, તો પામીશું નાથ. (૧).

 

કોણ માસે કોણ દહાડે, ગોર્યમાની પૂજા થાય;

મને કરી આપો પૂતળાં, પૂજું મોરી માય. (૨).

 

ફાગણ વદ બીજના દહાડે, કરવું રે સ્થાપન;  

ચૈતર સુદી ત્રીજના દહાડે, કરવું ઉત્થાપન. (૩).

 

ભોંય શય્યા પાથરી, સંદેસરાના ફૂલ;

પૂજી અરચી ઓખા માંગે, જે જે વસ્તુ અમૂલ્ય. (૪).

   

              કડવું-૨૭  

 

ગોર્યમા! માંગુ રે, મારા બાપનાં રાજ;  

માતા સદાય સોહાગણી (૧).

 

ગોર્યમા! માગું રે મારા ભાઇનાં રાજ;  

ભાભી તે હાથ હુલાવતી. (૨).

 

ગોર્યમા! માગું રે મારા સસરાનાં રાજ;  

સાસુને પ્રજા ઘણી. (૩).

 

ગોર્યમા! માગુ રે, દિયર જેઠનાં રાજ;  

દેરાણી જેઠાણીનાં જોડલાં. (૪).

 

ગોર્યમા! માગું રે, તમારી પાસ;

અખંડ હેવાતન ઘાટડી. (૫).

 

ગોર્યમા! માંગું રે, હું તો વારંવાર;  

ચાંલ્લો ચૂડોને રાખડી. (૬).

 

ગોર્યમા! માંગું રે, સરખાં સરખી જોડ;  

માથે મનગમતો ધણી. (૭).

 

  

  નવરાત્રી એકવાર રાત્રે સૂતા પહેલાં માં અંબા ની આ સ્તુતિ કરો જગત જનની પ્રસન્ન રહેશે

              કડવું-૨૮  

ઓખા ગોયૅમાને ઠપકો આપે છે.  

એક દહાડો ચિત્રલેખાને ઊંઘ આવી સાર;  

વાસી પુષ્પે કરતી પૂજા. ઓખા તો નિરધાર. ૧.

 

એટલે ચિત્રલેખા જાગીને જુવે તો, વાત બની વિપ્રિત;  

વાસી પુષ્પ ચઢાવ્યાં દીઠાં, થઈ રહી ભયભીત. ૨.

 

વાસી પુષ્પે પૂજા કીધી, નહિ પામે ભરથાર;

ભરથાર જો હું નહિ પામું, તું સાંભળ મોરી માય. ૩.

 

આ લે તારાં પૂતળાં, મારી પૂજે છે બલાય;  

ઉપર પાણી રેડીએ તો, આફુરાં ધોવાય. ૪.

 

ઊંચેથી પછાડીએ. ભાંગી ભૂકો ન થાય;

તું આ લે રે તારાં પૂતળાં, મારી પૂજે છે બલાય. ૫.

 

પંદર દહાડા પૂજા કીધી, બોલાવ્યા નહિ બોલે;  

તું તો બહેની કહેતી હતી જે, નહિ ગોર્યમા તોલે. ૬.

 

પકવાન પેંડા મેલિયે તો, કકડો કોઇ ન ખાય;

તું આ લે તારાં પૂતળાં, મારી પૂજે છે બલાય રે. ૭.  

   

              કડવું-૨૯  

શિવના લીજે વારણાં, જેને નેત્રે બળ્યો કામ;  

ત્રિપુરા દૈત્યને વિદારીઓ, હું તો કેમ મેલું શિવ નામ રે. ૧.

 

શિવ અખંડાનંદ જેણે ગંગાધારી શીશ;  

ભાગીરથ તપથી ઊઠ્યા, હું કેમ મેલું તે ઇશ. ૨.

 

શિવ ભોળો સુએ સમશાનમાં, ચોળે ત્યારે રાખ;  

માગે ભિક્ષા વ્રત, આપે તેને લાખ. ૩.  

     

              કડવું-૩૦  

ઉમિયાજીની મુલાકાતે ઓખા અને શિવજી જાય છે.  

 

હિમાચળનો ભાણે જ ભાઇ, ગણપતિ મારે વીર;

મહાદેવની પૂજા કરીએ, મન રાખીને ધીર. ૧.

 

ખેચરી ગતમાં ઓખા ચાલ્યાં, તેનો કહું વિસ્તાર;  

સ્નાન કરીને કામનીએ તો, સજ્યા સોળ શણગાર રે. ૨.

 

નેપુર વાજે વિંછવા ગાજે, ઝાંઝરનો ઝમકાર;  

નાગદમણી ઝુમણું ને, વળી ઉર એકાવળ હાર. ૩.

 

જડાવ ચુડલો ઝુલતી દામણી, દામણીએ ચકલીઓ ચાર;  

પગે પાવલાં નેપુર વાજે. ઘુઘરીનો ધમકાર. ૪.

 

વાળે વાળે મોતી પરોવ્યાં. મોતી સેરો સોળ;  

દરપણ લીધું હાથમાં ને, મુખે ભરિયા તંબોળ. ૫.

 

પકવાન થાળ મોતીએ ભરિયો, માંહે શ્રીફળ ફોફળ પાન;

આક ધંતુરો અગથીઓ, શંખાવલિ નિરવાણ. ૬.

 

આકાશમાર્ગે પક્ષિણી તે, વેગે ચાલી જાય;

ઇન્દ્ર કેરું વિમાન ચાલે, એવી તે શોભાય. ૭.

 

મહાદેવ ને પાર્વતી બેઠા, પાસા રમતા સાર;  

મહાદેવ કહે છે પાર્વતીને, ઓ આવી કોઇ નાર. ૮.  

 

શિવ કાંઇ ઘેલા થયા એ, બાણ તણી કુમાર;

હવે તું એમ જાણે છે, ને કરશે અંગીકાર. ૯.

 

પાર્વતીએ મન વિચાર્યું, હવે તો વંઠી વાત;  

મહાદેવજીને કામી જાણી, લોચને દીધો હાથ. ૧૦.  

 

ત્રીજું લોચન ઊઘાડ્યું, શંકરને લલાટ;  

પાસે આવી ઓખા દીઠી, લજ્યા પામ્યા તાત. ૧૧.

 

તેણે સમે ઓખા આવી, ઉમીયાને લાગી પાય;

આવડી ઉતાવળી થઈ આવી, નહિ પામે ભરથાર રે. ૧૨. 

 

  નવરાત્રી એકવાર પાઠ દેવી ક્ષમાપન અપરાઘ સ્ત્રોતમ ગુજરાતી અથૅ સહિત 

શ્રી હનુમાન દાદા નો "" વડવાનલ સ્ત્રોત ""  નો પાઠ 


ગીતાજી માં કહેલા શ્રી વિષ્ણુ ભગવાન ૧૦૮ નામ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

 

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

  

 """ શ્રી વિષ્ણ્વષ્ટકમ્   """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.   


દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી અહી ક્લિક કરો.  

 

શ્રી હનુમાન દાદા નો આ પાઠ ચુડેલ મેલી ડાકાણ જિન સામે રક્ષણ મળે છે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

 

 રાત્રે એકવાર "" શ્રી મહાલક્ષ્મી"" ની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો

 

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission.

 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

બુધવાર, 22 માર્ચ, 2023

ચૈત્ર માસમાં નિત્ય વાંચો "" ઓખાહરણ ભાગ -11 -20 "" | Okhaharan Part 11 to 20 | Okhaharan In Gujarati |

 ચૈત્ર માસમાં નિત્ય વાંચો "" ઓખાહરણ ભાગ -11 -20  "" |  Okhaharan Part 11 to 20 | Okhaharan In Gujarati |

okhaharan-part-11-to-20-okhaharan-in-Gujarati
okhaharan-part-11-to-20-okhaharan-in-Gujarati

    શ્રી ગણેશાય નમઃ સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખ માં આજે આપણે જાણીશું  ચૈત્ર માસમાં ઓખાહરણ વાંચવાથી તાવ તારીયો એકન તરીયો આવતો નથી  અંખડ સોભાગ્ય પ્રાપ્તિ નું વ્રત છે . આ કથા કવિ પ્રેમાનંદજી એ 93 કડવાં ના રૂપ મા છે જેમાં આપણે આજે 11-20 કડવાં વાછીશું.,.

શ્રી "" દેવીકવચ "" ગુજરાતી ભાષાંતર સાથે 

 

              કડવું-૧૧  

 

ઓખાને ઉમિયાજી એ આપેલ શાપ  

 

ઓખા ઓખા કહી ઉમિયાએ, સાદ કર્યા બે ચાર;  

ત્યારે ઓખા આવી ઊભી, નીસરીને ઓરડી બહાર. (૧)  

 

મરાવી ભાઈને, તું તો નાસી ગઈ;  

મહાદેવે ગણપતિને માર્યો, તે સુધા મને નવ કહી. (૨)  

 

તારું અંગ ગળજો, લુણે ગળજો કાય,  

દૈત્યના કુળમાં અવતરજે, એણી પેરે બોલ્યાં માય. (૩)  

 

ઓખાબાઈ થરથર ધ્રૂજ્યા, એ તો વાત અટંક;  

અપરાધ પાખે માતા મારી, આવડો શો દંડ ?. (૪)  

 

ઉમિયા કહે મેં શાપ દીધો, તે કેમ મિથ્યા થાય

દૈત્યકુળમાં અવતરજે, દેવ વરી કોઈ જાય . (૫)  

 

ચૈત્રના મહિનામાં બાઇ, તારો રે મહિમાય;  

ઓખાહરણ જે સાંભળે, મહારોગ થકી મૂકાય. (૬)  

 

ચૈત્રમાસના ત્રીસ દહાડા, અન્ન અલુણુ ખાય;  

ત્રીસ નહિ તો વળી પાંચ દહાડા. પાછલા કહેવાય. (૭)  

 

પાંચ દિવસ જો નવ પળે તો, ત્રણ દિવસ વિશેક;  

ત્રણ દિવસ નવ થાય તો, કરવો દિવસ એક. (૮)  

 

એ પ્રકારે વ્રત કરવું, સમગ સ્ત્રીજન;  

અલવણ ખાએ ને અવની સુવે, વળી એક ઉજ્વળ અન્ન. (૯)  

 

દેહ રક્ષણ દાન કરવું, લવણ કેરું જેહ;  

પાર્વતી કહે પુત્રીને, સૌભાગ્ય ભોગવે તેહ. (૧૦)  

 

વૈશાખ સુદી તૃતિયાને દિને, તું આવજે મુજ પાસ;

ગૌર્ય કરીને પુત્રી મારી, પૂરીશ મનની આશ. (૧૧)  

 

શુકદેવ કહે રાજા સુણો, અહીં થયો એહ પ્રકાર;

હવે બાણાસુરની શી ગત થઈ, તેનો કહું વિસ્તાર. (૧૨)  

 

વલણ—  

કહું વિસ્તાર એનો, સુણી રાજા નિરધાર રે;  

હવે બાણાસુર ત્યાં રાજ કરતો, શોણિતપુર મોઝાર રે. (૧૩)

 

                 કડવું-૧૨  

ચાડાલણીએ બાણાસુર વાંઝિયા પણાનુ ભાન કરાવ્યું  

 

રાય બાણાસુરને બારણે, વાળવા આવી રે ચંડાળણી;

નીત્ય પ્રત્યે રજ વાળતી કરતી ઝાકઝમાળ. બાણાસુરને બારણે. (૧)  

 

રાય મેડિયેથી હેઠો ઉતર્યો, થયો પ્રાતઃકાળ;  

મુખ આગળ આડી ધરી સાવરણી તે સાર. બાણાસુર (૨)  

 

રાય બાણાસુર વળતી વદે, મનમાં પામી દુઃખ;  

મુજને દેખીને કેમ ફેરવ્યું, અલી તારું રે મુખ. બાણાસુર૦. (૩)  

 

ત્યાં ચંડાળણી વળતી વદે, સાંભળીયે રાય;  

તમો ઊંચ અમો નીચ છું, મુખ કેમ દેખાડાય.? બાણાસુર. (૪)  

 

ત્યારે બાણાસુર વળતી વદે, સાંભળ રે ચંડાળણી;  

સાચું રે બોલને કામની, કરું બે કકડાય. બાણાસુર. (૫)  

 

ત્યારે ચંડાળણી; વળતી વદે, સાંભળો રાજન;  

સાચું બોલું જેવો ઘટે, તેવો દેજો દંડ. બાણાસુર૦. (૬)  

 

પ્રાતઃકાળે જોઇએ નહિ, વાંઝિયાનું વદન;

તમારે કાંઇ છોરું નથી, સાંભળો હો રાજન. બાણાસુર.(૭)  


   આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો.  

              કડવું-૧૩  

દસ પ્રકારના ના ચાંડાલ  

ચંડાળ તો કોઇ એક નથી રાય ! દશ વિધના કહેવાય;  

પહેલો ચંડાળ તેને કહીએ, નદી ઊતરી નવ નહાય. (૧)  

 

બીજો ચંડાળ તેને કહીએ, પુત્રીનું ધન ખાય;  

ત્રીજો ચંડાળ જેને કહીએ, દૂભે માતા પિતાય. (૨)  

 

ચોથો ચંડાળ તેને કહીએ, હરે પારકું ધન;  

પાંચમો ચંડાળ તેને કહીએ, જેનું મેલું મન. (૩)  

 

છઠ્ઠો ચંડાળ તેને કહીએ, કરમાયું વદન;  

સાતમો ચંડાળ તેને કહીએ, નહિ તનયા કે તન. (૪)  

 

આઠમો ચંડાળ તેને કહીએ, પરદારાશુ મન  

નવમો ચંડાળ તેને કહીએ, જે હણે તનયા કે તન (૫)  

 

દશમો ચંડાળ તેને કહીએ જે કર્મ ચંડાળ

આવા તો રાજા દસ છે કરમ ચંડાળ (૬)  

    

              કડવું-૧૪  

બાણાસુર ને શિવજી તેનો ભૂતકાળ જણાવે છે  

 

બળીઓ બાણાસુર રાય, પુત્રમાગવાને જાય;  

મહાદેવજીની પાસે આવી, બેઠો તપ કરવાય. (૧)  

 

એક હજાર હાથે તાળી પાડી, તવ રીઝ્યા શ્રી મહાદેવ;  

આપો ને આપો શિવજી, પુત્ર એક તતખેવ. (૨)  

 

ચિત્રકોપ લહિયાને તેડ્યા, કર્મ તણા જોનાર;  

પૂર્વે રાજા તું તો કહાવે, વૈશ્ય તણો અવતાર. (૩)  

 

તારા પેટે એક જ હતો, લાડકવાયો બાળ;  

ભોજન કરવા તું તો બેઠો, તે સાંભળને ભુપાળ. (૪)  

 

તુજ માં જમવા આવ્યો, વેગે તારો બાળ;  

માટી વાળા હાથ હતા, ખરડેલા બાળકનાં હતા તે વાર (૫)  

 

ત્યારે તુજને સંખ્યા આવી, હાંકી કાઢ્યો બાળ;  

બાળક ત્યારે થરથર ધ્રુજ્યો. સાંભળને ભુપાળ. (૬)  

 

બાળકને તો રીસ ચઢીને, નવ ગણ્યો કાંઇ તાત રે;  

તુજને પુત્ર વહાલો નથી, વાંઝિયો રહેજે જન્મ સાત રે. (૭)  

  

              કડવું-૧૫  

આકાશવાણી થઈ ઉમિયાજી એ પુત્રી આપી  

ઉમિયા વાણી બોલિયાં, તું સુણ બાણાસુર રાય;  

તારા મનમાં જો ગમે તને, આપું એક કન્યાય. (૧)  

 

ત્યારે બાણાસુર કહે, પુત્રી મારે કોટીક પુત્ર સમાન;  

મુજને ટાળે વાંઝિયો, આપો એ વરદાન. (૨)  

 

કોઇક દેશનો રાજા જોઇશ, રાખશે મારું નામ;  

પોષ માસથી પૂરણ માસે, પુરણ થશે કામ. (૩)  

 

વર પામી બળીઓ બાણાસુર, શોણિતપુરમાં જાય;  

બાણામતીને ગર્ભ રહ્યો છે, તેનો કહું મહિમાય. (૪)  

 

પોષ માસથી પુરણ માસે, પ્રગટ થઈ કન્યાય;  

વધામણિયા પરવરિયા, રાજસભામાં જાય. (૫)  

 

શાણા જોશી તેડિયા, તેની જન્મપત્રિકા થાય;  

વિદ્યાબળે કરી ગુરુજી બોલ્યા, પોતે તેણીવાર. (૬)  

 

પહેલી ઉમિયાજીના અંગથી, પ્રગટી છે કન્યાય;  

તેને નામે રાશી જોઇને, નામ ધરો ઓખાય. (૭)  

 

ગ્રહ વેળા શુભ લગ્નમાં, સંતાન પ્રગટી સાર;  

એથી તારા હાથનો, વેગે ઉતરશે ભાર. (૮)  

 

ત્યારે આકાશવાણી એવી થઈ, તું સાંભળને ભુપ નિરધાર;  

એ પુત્રી ઇચ્છાવર વરશે, કો કારણ રૂપકુમાર. (૯)  

 

જ્યારે પુત્રી પરણશે, વરતશે હાહાકાર;  

ભાર ઉતારશે તુજ હાથનો, તુજ જા માત્ર તેણીવાર (૧૦)  

 

તે માટે તેડી પ્રધાન, એણીપેર પુછે છે રાય;  

દેવ વચન મિથ્યા નવ થાય, તે માટે કરવો શો ઉપાય ? (૧૧)  

 

રચો માળિયા સુંદર સાર, તે માટે કરો ઉપાય;  

ઓખા અને ચિત્રલેખાને, મેલો મંદિર માળિયા માંય રે. (૧૨)  

  

  નવરાત્રી એકવાર રાત્રે સૂતા પહેલાં માં અંબા ની આ સ્તુતિ કરો જગત જનની પ્રસન્ન રહેશે

              કડવું-૧૬  

ચિત્રલેખા ની ઉત્પત્તિ ની કથા  

પરીક્ષિતે પ્રશ્ન કર્યો વિચારીજી, કેમ પ્રગટ થઇ બેઉ નારીજી;  

ઓખા ને ચિત્રલેખા કેમ ધર્યાં નામજી, કેઈ વિધિએ આવ્યાં અસુરને ધામજી. (૧)  

 

(ઢાળ)

ધામ આવ્યાં અસુરને, તેણે કામ સૌ દેવનાં કર્યાં;  

મને વિસ્તારીને વર્ણવો, એ કેવી રીતે અવતર્યાં. (૧)  

 

શુકદેવ કહે સુણ પરીક્ષિત, અભિમન્યુકુમાર;  

પ્રશ્ન પૂછ્યો મને તેનો, સંદેહ ખોઉં નિરધાર. (૨)  

 

એકવાર દેવ પાતાળે નાઠા, બાણાસુર તાપથી;  

ત્યારે વરુણ કેરા જગનમાં, કન્યા પ્રગટી આપથી. (૩)  

 

કન્યા કહે કેમ પ્રગટ કીધી, કહો અમ સરખું કામ;  

ત્યારે દેવ કહે દૈત્ય દુઃખ દે છે, બાણાસુર જેનું નામ. (૪)  

 

કન્યા કહે દુઃખ કાં ધરો, બાણાસુર આવશે પાતાળ;  

એના પિતાના ચરણ પૂજવા, નિત્ય જાય છે પાતાળ. (૫)  

 

ત્યારે મને પુત્રી કરીને સોંપજો, હું જઇશ એને ઘેર;  

સાંકડી સગાઇએ સુતા થઇને, કરાવું ભુજનીપેર. (૬)  

 

તેણે સમે પાતાળ આવ્યો, બાણાસુર રાજન,  

તેને દેવે દીકરી આપી, પ્રસન્ન થઈને મન. (૭)  

 

પ્રધાન કહે સ્વામી સાંભળીએ, આપો મુજને બાળ;  

કન્યાદાન કુંવરીને દઉં તો, ઉતરે શિરની ગાળ. (૮)  

 

ત્યારે રાજા કહે પ્રધાનને, આ પુત્રી મૂકું વન;  

કાલે તેડીને તું આવજે, જાણે નહિ કો જન. (૯)  

 

પ્રભાતે તે પ્રધાન આવ્યો, પુત્રી બેઠી જ્યાંય;  

પુત્રી તો સમાધી લઇ, હરિ ધ્યાન ધરે છે ત્યાંય. (૧૦)  

 

વાયુદ્વાર તેણે રુંધિયા, ને રુંધિયા શ્વાસોશ્વાસ;  

જમણા પગના અંગૂઠા પર, રહી છે  ખટમાસ. (૧૧)  

 

તે જોઈને પાછો વળ્યો, પછી પુર ભણી પ્રધાન;  

ખટમાસ પૂરણ તપ થયું, ત્યારે પધાર્યા ભગવાન. (૧૨)  

 

માગ્ય કહેતાં કન્યા કહે, મને કરો આજ્ઞા પ્રકાશ,  

ભૂત-ભવિષ્ય વર્તમાન જાણું, ને ઊડી ચઢું આકાશ. (૧૩)  

 

એટલે પ્રભુએ તેને પાંખ આપી. વર આપીને વળિયા હરિ;  

પ્રધાન આવ્યો પુર વિશે, તે કૌભાંડે પુત્રી કરી. (૧૪)  

 

વલણ-  

કુંવરી થઈ પ્રધાનની, તેનું પરાક્રમ કોઈ પ્રીછે નહિ;  

શુકદેવ કહે રાય સાંભળીએ ચિત્રલેખાની, ઉત્પત્તિ કહી. (૧૫)  


              કડવું-૧૭  

ઓખા ને ચિત્રલેખા મંદિર માળિયામાં  

(સાખી)  

 

ભાદરવે જે કરે હળોતરા, શત્રુ પાસે માગે શીખ;  

ને ઘેર પુત્રી લાડકવાયી, તેનાં મા બાપ માગે ભીખ. (૧)  

 

બાળે અગ્નિ બધું વન દહે, છળવડે પર્વત કોરાય;  

અબળા રૂઠી જે કરે, મણિધરે નવ કરાય. (૨)  

 

મણિધર નારીએ  ઋષિકુલ નથી નૃપ ને કમલા  

એટલા અંત ન લીજીએ, જો ઇચ્છીએ કુશળ;  

 

(રાગ:ઢાળ)  

 

નગર થકી એક જોજન, રાજાએ મહેલ રચાવ્યો સાર;  

ગોખ બારી ને અટારી, તેનો કહેતાં ન આવે પાર. (૧)  

 

મરકત મણિમોતીએ જડ્યાં, માંહે પીરોજાના પાટ;  

હયશાળા ગજશાળા જે, હીંચવા હીંડોળાખાટ. (૨)  

 

દિવસ માસ ને વરસ ગયાં, કન્યા મોટી થાય;  

ચિત્રલેખા સંગે રમતાં, ઉલટ અંગ ન માય. (૩)  

 

સવાલાખ જોદ્ધા રખવાળે, મેલ્યા છે રાજન;  

એમ કહેતાં ઓખાબાઈ ને, આવ્યું છે જોબન. (૪)  

 

તમે રાત્રે જાગો, દિવસે જાગો, નવ મીચો લોચન રે;  

ઓખા કેરા માળિયામાં, રખે સંચરે પવન રે. (૫)  

  

  નવરાત્રી એકવાર પાઠ દેવી ક્ષમાપન અપરાઘ સ્ત્રોતમ ગુજરાતી અથૅ સહિત

              કડવું-૧૮  

 

શોણિતપુર પાટણ ભલું, રાય બાણાસુરનું ગામ;  

ઓખા તેની પુત્રી કહીએ, કરતી ઉત્તમ કામ. (૧)  

 

ઘડી એકમાં લાવે સોગટાં, ઘડી એકમાં પાટ;  

નાના વિધની રમત રમે, ઘડી એક હીંડોળાખાટ. (૨)  

 

ઘડી એકમાં ઢીંગલા પોતિયાં, રમતની હોડાહોડ;  

હીંડોળે હીંચવાને કાજે, રેશમકેરી દોર. (૩)  

 

ઘમઘમઘમઘમ ઘુઘરા ગાજે, ઘુઘરડીનો ઘોર,  

નાનાવિધનું ગાણુંગાતાં, મધુરો નીકળે શોર. (૪)  

 

રમે જમે આનંદ કરે, પહેલા મંગળ ગાય રે;  

જોબનવંતી થઈ છે ઓખા, મંદિર માળિયા માંયરે. (૫)

     

              કડવું-૧૯  

ઓખા ચિત્રલેખા પોતાની જુવાની કહે છે.  

 

જોબનીયું વાધ્યું રે, ઓખા નાનડી રે લોલ;  

મારે જોબનીયાની જાય, બેની ઘડી ઘડી રે લોલ;  

તું તો સાંભળ સહિયર બેનડી રે લોલ,  

મારો મૂરખ પિતા કંઈ જોતો નથી રે લોલ....(૧)  

 

બોલી ઓખા વળતી વાણી, સાંભળ બેનડી રે લોલ;  

મારો જાય કન્યાકાળ, વર જોતો નથી રે લોલ,  

મારા જોબનીયા દહાડા ચાર છે રે લોલ.  

નાણે રે મળશે પણ ટાણે નહિ મળે રે લોલ....(૨)  

  

              કડવું-૨૦  

કન્યાના વિવાહ નું ફળ  

પાંચ વર્ષની પુત્રી, તો ગવરી રે કહેવાય;  

તેને કન્યાદાન દે તો, કોટી યજ્ઞફળ થાય. (૧)  

 

પણ પુત્રી કેરા પિતાને, સમજાવી કહો વાત,  

દેવવિવાહનું ફળ જેને, વર્ષ થયા છે સાત. (૨)  

 

પુત્રી કેરા પિતાને, કોઈ કહાવો રે વધાઈ ;,  

ગાંધર્વ વિવાહનું ફળ, જેને વર્ષ થયા છે નવ. (૩)  

 

એમ કરતાં વળી વચમાં, આવી પડે કાંઈ વાંક,  

મનુષ્યવિવાહનું ફળ જેને, અગિયારે આડો આંક. (૪)  

 

એમ કરતાં વરસ જાય ને, બાર પૂરા થાય;  

પુત્રીનું મુખ પિતા જુવે. બેસે બ્રહ્મહત્યાય રે. (૫)  

 

  


In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission.

 

એકાદશી ના દિવસે ગીતાજી નો આ સ્ત્રોત કર

વાથી જ્ઞાન સિદ્ધિ મેળવી ને પરમ પદ પામે છે


શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય માહાત્મ્ય કથા | Geeta Adhyay   


રાત્રે એકવાર શ્રી મહાલક્ષ્મીની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો

 

હનુમાનજી રામ નામથી શરૂ થતો સ્ત્રોત છે દરેક કામમાં રક્ષણ આપે 

 

વાંચો "" હનુમાનજી વડવાનલ સ્ત્રોત ""  

 


 

શ્રી લક્ષ્મીનારાયણ દેવ આ પાઠ કરવાથી તમામ પાપોમાંથી મુક્તિ થઈ વિષ્ણુ લોક પ્રાપ્તિ થાય છે  

 


 શુભ દિવસે શ્રી મહાલક્ષ્મી માં ના ૧૦૮ નામ જાપ 


  """ શ્રી વિષ્ણ્વષ્ટકમ્   """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.   


દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી અહી ક્લિક કરો.  

 

શ્રી હનુમાન દાદા નો આ પાઠ ચુડેલ મેલી ડાકાણ જિન સામે રક્ષણ મળે છે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

 

 રાત્રે એકવાર "" શ્રી મહાલક્ષ્મી"" ની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો

 

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission.

 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇