સોમવાર, 29 માર્ચ, 2021

હનુમાન જંજીરા ચાલીસા ગુજરાતી લખાણ સાથે | Hanuman Janjira Chalisa with GUjarati Lyrics | Okhaharan

દરરોજ કરો શ્રી હનુમાન દાદા નો આ પાઠ ચુડેલ મેલી ડાકાણ જિન સામે રક્ષણ મળે છે ગુજરાતી લખાણ સાથે - Hanumaji -Okhaharan -ShreeRam 

Janjira-Chalisa-Gujarati-Lyrics-Hanumanji
Janjira-Chalisa-Gujarati-Lyrics-Hanumanji

 


 

હનુમાન જંજીરા ચાલીસા
 શ્રી હનુમતે નમઃ |
( રાગ : હરિગીત છંદ )
ઉપાસના આરાધના ઔર સાધના કૈસે કરું ?
 ઉપદ્રવ ભૂતકા નિશદિન , કપિ ! ધ્યાન મેં કેસે ધરું ?
મૈં હું શરણમેં આપકે , શ્રદ્ધા હૈ હનુમત વીરમેં
ભૂતાવળી સબ બાંધ લો , લંગૂરકી જંજીરમેં
ભૂત પ્રેત પિસાચ જિન , ચૂડેલ મેલી ડાકિણી


સંતાપણી ઔર તાપણી , શિકોતરી ઔર શાકિણી
 કંતોળી અવગતિ વાસિની , ઝોડ ઝાંપડ ભંગણી
પ્રસૂતા મૃતવી ગર્ભ મૃતવી , વૈતરી ઔર બંગણી
મૈં હું શરણમેં આપકે , શ્રદ્ધા હૈ બજરંગ વીરમેં
ભૂતાવળી સબ બાંધ લો , લંગૂરકી જંજીરમેં


પથ કેડવી ઔર વેડવી , ઝડ ઝડી અડદા પૂતળી
અણજંપણી શીર કુટણી , ઔર અનુલક્ષી જક્ષણી
વનવૃક્ષી જક્ષી રાક્ષણી , ઔર અનુલક્ષી જક્ષણી
બાચકી બચકાં ભરી , ઔર બાલ માનવ ભક્ષિણી
મૈં હૂં શરણમેં આપકે , શ્રદ્ધા હૈ મહાબલવીરમેં
ભૂતાવળી સબ બાંધ લો , લંગૂરકી જંજીરમેં
મુઠિયું અરુ ચોટિયું , વળગાડિયું અરુ ચાડિયું
ધડાકિયું તાડુકિયું , ઓર તોરિયું . ભય ત્રાડિયું
અવધોળિયું અરુ ડોળિયું , શીર ધુણિયું અરુ કંપિયું
સુનમુનિયું ઓર ઘુનિયું , રુદનિયું અજંપિયું
 મૈં હૂં શરણમે આપકે , શ્રદ્ધા હે બલવંત વીરમેં
ભૂતાવળી સબ બાંધ લો , લંગૂરકી જંજીરમેં


ઝાંઝડ ઝપટિયું ઝોડિયું , અરુ બોટિયું અણ બોટિયું
ચિત્કારિયું રવમારિયું , આળોટિયું ઔર દોટિયું
પરછાંઈયું અરુ છાંઈયું , ગૃહવાસિયું ઉદાસિયું
અભાન હસતું રોતલું , પુકારિયું અરુ હાસિયું
 મૈં હું શરણમેં આપકે , શ્રદ્ધા હૈ આપ ખમીરમેં
ભૂતાવળી સબ બાંધ લો , લંગુરકી જંજીરમેં
કોઈ કામણી અરુ ટુપણી , વસિયું છકેલું તોરિયું 


પરમાદિયું બકવાદિયું , વસ્ત્રો વિહોણું જોરિયું
મૈં હૂં શરણમેં આપકે , શ્રદ્ધા હૈ મહાબલ વીરમેં
ભૂતાવળી સબ બાંધ લો , લંગૂરકી જંજીરમેં
પવિત્ર મનસે જો પઢે , યહ ચાલીસા કપિ જાપકા
તત્કાળ અનુભવ હોત હૈ , જપ જાપકા પ્રતાપકા 


રાશિ પનોતી રાહુ કેતુ , ગ્રહ શનિશ્ચર બલ અતિ
યહ ચાલીસાકા પાઠસે , સબ ભય હરે હનુમંત જતિ
કહતે હૈ ‘ કેશવલાલ ' , ગ્રામે સાયલા નિવાસજી
સદ્ગુગુરુ મેરા ખાખી મહાત્મા , નામ બલદેવ દાસજી
હે ગાંવ બારી ગુરુ દ્વારા , શ્રી રામજી મંદિર હૈ
ખખંબરીકા સિદ્ધ ધુણા , સરોવર કે તીરપે
 ( દોહરો )
નિશ્ચય ૫ઢના પાઠ કૌ , નિત્ય રટે નર નાર
ભય જંજીરા તોડ તે , રહે કપિ રક્ષણહાર
 શ્રી હનુમાન દાદાની જય

 

લેખ સારો લાગ્યો હોય તો મિત્રો સાથે શેર કરો અને  

  જય શ્રી રામ  જરૂર લખજો.

 

 દરરોજ આવા ભક્તિ લેખ વાંચવા અમારો બોલ્ગ ફોલો કરો 

અમારી સાથે સોસીયલ મીડિયા માં જોડાવો  👇👇👇

 

 

Hanumanji Stuti Gujarati

હનુમાનજી નો આ પાઠ કરવાથી નકારત્મક ઉર્જા સામે 

રક્ષણ મળે છે👇👇👇

bajrang baan gujarati
bajrang baan gujarati


HAnuman Chalisa Gujarati
Hanuman Chalisa Gujarati


દરરોજ સવારે હનુમાનજીના આ મંત્ર એક માળા કરો

 સવૅ કષ્ટ માંથી મુક્તિ મળે ગુજરાતી લખાણ સાથે 👇👇👇

hanuman mantra gujarati
hanuman mantra gujarati


હનુમાનજી રામ નામથી શરૂ થતો સ્ત્રોત છે .

દરેક કામમાં રક્ષણ આપે 👇👇👇

ram raksha stotra gujarati
ram raksha stotra gujarati

 

શનિવાર, 27 માર્ચ, 2021

તમે ઘણી તકલીફ માથી પસાર થતા હોવ તો જેમ કે બીમારી,ઘરમાં,ઘંઘામાં તકલીફ તો કરો નાનકડો હોલીકા દહનની રાખ કરો ઉપાય - Holika Dahan Upay- Okhaharan

તમે ઘણી તકલીફ માથી પસાર થતા હોવ તો જેમ કે બીમારી,ઘરમાં,ઘંઘામાં તકલીફ તો કરો નાનકડો હોલીકા દહનની રાખ કરો ઉપાય - Holika Dahan Upay- Okhaharan

holika-dahan-major-problems-slove-gujarati
holika-dahan-major-problems-slove-gujarati

 

હોળી  પૂજન સમય

આ વષૅ હોળી દશૅન 6 માર્ચ 2023 છે. પુજન સમય સાંજે ૬:૫૦ થી શરૂ કરીને સાંજે ૭:૩૦ સુધીનો શુભ સમય છે.

જ્યાં હોળી દહન થવાનુ છે તે સ્થાન પર પૂર્વ દિશા તરફ મોઢુ કરીને  રહે એ રીતે બેસો. સૌથી પહેલાં પ્રથમ પુજ્ય દેવ શ્રી ગણેશજી અને હનુમાનજી નું ધ્યાન ધરો ત્યારબાદ મા જગત જનની જંગદબા નું ધ્યાન ધરો શ્રી નારાયણ અને પરમ ભક્ત પ્રહલાદ નું ધ્યાન ધરો અને હોળી માતાનું ધ્યાન ધરો .

 

જો તમારા ઘરમાં,ઘંઘામાં કે કોઈ પણ આઘી વ્યીઘી કે કોઈ ગ્રહની અશુબ અસર હોય તો હોળી દહનની રાખને ઠંડુ પડી જાય પછી ઘરે લાવો નીચે રીતે અલગ અલગ સફળતા મેળવો 

 
  • તેને પાણીમાં ભળીને શિવલિંગ ચડાવો અને મહાદેવને પ્રાર્થના કરો. 
 
  • જો તમે લાંબા સમયથી ઘરમાં કોઈ ખરાબ સમય ચાલી રહ્યા છો અને હવે તમે તેનાથી છૂટકારો મેળવવા માંગો છો, તો પછી હોળીની રાખને ઘરે લાવો અને તેમાં રાઈ અને આખું મીઠું ચોરસ નાખીને તેને એક સાફ જગ્યાએ રાખો. ઘર. તેનાથી ઘરની અશુઘ્તા દૂર થશે. 

  • જો તમારુ દેવુ વઘારે હોય અને મુક્તિ માટે હોલિકા દહનની રાત્રે ભગવાન નરસિંહની પૂજા કરો અને નરસિંહ સ્તોત્રનો પાઠ કરો. ભગવાન વિષ્ણુના 10 સ્વરૂપોમાંથી એક છે નરસિંહ અવતાર. આ અવતાર દેવે તેને પિતા પાસેથી બચાવવા માટે ભક્ત પ્રહલાદનો જીવ બચાવા લીધો હતો. 

  • કોઈ બીમાર હોય તો એ વ્યક્તિના શરીર પર હોલિકા દહનની રાખ છાંટવી. તથા , તેને તેના સુવા ના પલંગ પર પણ છંટકાવ કરો, તેથી બીમાર વ્યક્તિને રાહત અનુભવાશે   
 
  • જો નોકરીમાં કોઈ પણ તકલીફ હોય જેમ કે પુરતો પગાર ના મળવો વગેરે તો ઘડિયાળની દિશામાં સાત વખત એક શ્રી ફળ ફેરવો અને તમારા મનપસંદ ઈચ્છા ને યાદ કરો અને મનમાં કામ પૂર્ણ થાય તે માટે પ્રાર્થના કરી અને આ શ્રી ફળ હોળીની અગ્નિમાં મુકો. 
 
  • જો તમે દરેક કાયૅમાં સફળતા હાંસલ કરવા માંગતા હો, તો હોલિકા દહન પછી, હોલિકા  આસપાસ ઉભેલા બઘાને તે જ જગ્યાએ સોપારી અને સોપારી પાન આપો. 
 
  • જો કુટુંબમાં કોઈ ખરાબ મેલી વિઘાનો પડછાયો હોય, તો પછી કંઈક પર નજર વીરી ને અને તે વસ્તુ હોલિકા દહનની અગ્નિમાં મૂકો. 
 
  • દાન કરવાથી પણ બધી મુશ્કેલીઓ દૂર થાય છે. હોલિકા દહન પછી ગરીબ-ગરીબ લોકોને તમારી ક્ષમતા પ્રમાણે કંઈપણ દાન કરો.

 

 

લેખ સારો લાગ્યો હોય તો મિત્રો સાથે શેર કરો અને  

 

જય શ્રી હોળીમાં જય જરૂર લખજો.

 

  દરરોજ આવા ભક્તિ લેખ વાંચવા અમારો બોલ્ગ ફોલો કરો

 

અમારી સાથે સોસીયલ મીડિયા માં જોડાવો  👇👇👇

 

 

 

Holika-Dahan-2021-Upay 

story-holika-dahan-2021-date

અગિયારસ પુનમ ના દિવસે ખાસ શ્રી કૃષ્ણ ચાલીસ ગુણ નો પાઠ ગુજરાતી લખાણ સાથે👇👇👇

 Krishna-chalisa-gujarati

  

ગુરુવારે કરો ગીતાજી માં કહેલા શ્રી વિષ્ણુ ભગવાન ૧૦૮ નામ ગુજરાતી લખાણ સાથે👇👇👇

 

હોળી દહન બાદ કરીલો આ કામ તમારા ધંધા રોજગાર અને અટકેલા કામો ચુટકી માં દુર થશે. -Holika Dahan Okhaharn -2021 

 હોળી દહન બાદ કરીલો આ કામ તમારા ધંધા રોજગાર અને અટકેલા કામો ચુટકી માં દુર થશે. -Holika Dahan Okhaharn -2021 

Holika-Dahan-2021-Upay
Holika-Dahan-2021-Upay

 

હોળી પ્રાગટય પૂજનઃસમય

આ વષૅ હોળી દશૅન 28 માર્ચ 2021 રવિવારે છે. પુજન સમય સાંજે ૬:૫૦ થી શરૂ કરીને સાંજે ૭:૩૦ સુધીનો શુભ સમય છે. 


જ્યાં હોળી દહન થવાનુ છે તે સ્થાન પર પૂર્વ દિશા તરફ મોઢુ કરીને  રહે એ રીતે બેસો. સૌથી પહેલાં પ્રથમ પુજ્ય દેવ શ્રી ગણેશજી અને હનુમાનજી નું ધ્યાન ધરો ત્યારબાદ મા જગત જનની જંગદબા નું ધ્યાન ધરો શ્રી નારાયણ અને પરમ ભક્ત પ્રહલાદ નું ધ્યાન ધરો અને હોળી માતાનું ધ્યાન ધરો .

  


હિન્દુ  માન્યતા અનુસાર હોળિકા અગ્નિમાં અસુરી શક્તિ , રાકાક્ષ અને અધમૅ નો નાશ પામી બળીને ખાક થઇ જાય છે. હાળિકાની અગ્નિ ધમૅ ની વિજય નું સુચક છે.  હોળી એ શ્રી વિષ્ણુભક્ત પરમ પ્રહલાદના મારવા માટે એક ષંડયંત્ર હતું જેમાં  તેને લઇને અગ્નિમાં બેઠી હતી અને તેને બળવાનુ હતુ તેમ છતાં તે ના બળીને હોળીકા એની ફોઈ બળી ને ખાખ થઈ ગઈ. હોળિકા દહનના દિવસે કરો ખાસ કામ જેથી તમારા બધા કાયૅ પુણ થાય.

હોળીના દહન ના બીજા દિવસે હોળીકાની રાખ ધરમા અથવા ધંધા ની જગ્યાએ લાવીને તેમાં થોડા પ્રમાણમાં નાની ઝીણી રાઇ અને આખુ સબરસ એટલે મીઠાની ગંગાડી મેળવીને તેને કોઇ વસ્તુ માં  રાખી લો. અને એને તમારા ધરની અથવા ઓફિસના પૂર્વ અથવા ઇશાન ખૂણામાં સુરક્ષિત જગ્યાએ રાખો. આ ઉપાયથી તમારા ધંધા અને ધરમાં કોઈ મેલી વિધ્યા ,  નજર દોષ અને ખરાબ ચાલી રહેલ સમયમાંથી મુક્તિ મળશે  તમારા બધા અટકેલા કાયૅ નિર્વિધ્ને પતશે.

 લેખ સારો લાગ્યો હોય તો મિત્રો સાથે શેર કરો અને  

 

જય શ્રી હોળીમાં જય જરૂર લખજો.

 

  દરરોજ આવા ભક્તિ લેખ વાંચવા અમારો બોલ્ગ ફોલો કરો

 

અમારી સાથે સોસીયલ મીડિયા માં જોડાવો  👇👇👇

 

 

story-holika-dahan-2021-date

અગિયારસ પુનમ ના દિવસે ખાસ શ્રી કૃષ્ણ ચાલીસ ગુણ નો પાઠ ગુજરાતી લખાણ સાથે👇👇👇

 Krishna-chalisa-gujarati

  

ગુરુવારે કરો ગીતાજી માં કહેલા શ્રી વિષ્ણુ ભગવાન ૧૦૮ નામ ગુજરાતી લખાણ સાથે👇👇👇

 

 

 એકાદશી ના દિવસે ખાસ કરો શ્રી વિષ્ણુ ભગવાન ના ચાલીસા ગુણ નો પાઠ ગુજરાતી લખાણ સાથે 👇👇👇

 

 

શુક્રવાર, 26 માર્ચ, 2021

શનિ પનોતી | પનોતી થી બચવા શું દાન કરવું? સંપૂર્ણ માહિતી ગુજરાતી લખાણ સાથે | Shanidev Panoti Mahiti - Okhaharan

શનિ પનોતી | પનોતી થી બચવા શું દાન કરવું? સંપૂર્ણ માહિતી ગુજરાતી લખાણ સાથે | Shanidev Panoti Mahiti - Okhaharan 

about-shanidev-panoti-in-gujarati
about-shanidev-panoti-in-gujarati

 

શનિ ગ્રહ નો પરિચય

શનિ ગ્રહ નો પરિચય સૂર્યની બીજી પત્ની છાયા નો પુત્ર શનિ છે ને એક રાશિમાં ભ્રમણ કરવા ત્રીસ મહિનાનો સમય લાગે છે નક્ષત્ર મંડળમાં તેને સેવકનું પદ પ્રાપ્ત છે અને માણસના અંતમૅનનો સ્વામી ગણવામાં આવે છે.


શનિદેવનો આ પાઠ કરવાથી ક્રુર પ્રભાવ સામે રક્ષણ મળે તથા શનિદેવ રક્ષા કરશે 


શનિની પનોતી વિશે 

અઢી વર્ષની નાની પનોતીની અસર ગોચર ગ્રહો માં જે જાતકની જન્મ રાશિથી કે નામ રાશિથી ચોથી કે આઠમે શનિ આવે ત્યારે તેને નાની પનોતી છે તેમ જાણવું.  આ પનોતી અઢી વર્ષની હોય છે આ પનોતી પીડાકારક દુઃખ આપનાર હોય છે જેને પનોતી આવતી  હોય તેને કૌટુંબિક કલેશ  થાય , માનસિક ટેન્શન વધે, શારીરિક પીડા ઉત્પન્ન થાય , અગ્નિ ભય થાય,  લોહાદિ શસ્ત્રનો ભય ઉભો થાય,  વેપાર-ધંધામાં હાનિ થાય,  આર્થિક સંકટ આવે આ સમય દરમ્યાન ૩૦ માસ સુધી શનિવાર કરવા તથા શનિના મંત્રનો જાપ અથવા વિદ્વાન બ્રાહ્મણ પાસે જાપ કરાવવા.


શની મોટી પનોતી

શની મોટી પનોતીનો સમય સાડા સાત વર્ષનો હોય છે તેથી તેને સાડાસાતી પણ કહેવામાં આવે છે જાતકની જન્મ રાશિથી ગોચર ગ્રહોમાં શનિ બારમે આવે તો મસ્તક,  શનિ પ્રથમ ભાગમાં આવે તો છાતી ને શનિ બીજો ભાવ માં આવે તો પગે પનોતી તેમ જાણવું. આ પનોતી પણ અનેક કષ્ટ તથા પીડાઓ આપે છે કુટુંબ વિવાદ વેપાર ધંધા નોકરી હાની , મૃત્યુ વિદેશવાસી ધનનાશ , અપયશ, મરણ વગેરે થાય છે આ પનોતી દરમિયાન પણ શનિ ના મંત્ર જાપ કરવા કે કરાવવા તથા ખાસ શ્રી રામભક્ત હનુમાનજીની ઉપાસના કરવી.


શનિવાર દિવસે આ 5 મંત્ર માંથી એક મંત્રની કરીલો અહી ક્લિક કરો.  


શનિનું દાન 

નડતા સની માટે નું દાન નીલમ કે નીલમણિ, તેલ ,અડદ , કાળું વસ્ત્ર , કાળા તલ , ભેંસ, જોડા , કસ્તુરી , સુવર્ણ, લોઢુ,  , કાળું પુષ્પ  આમાંથી યથાશક્તિ દાન કરવું મંત્ર જાપ કરવા તથા બ્રહ્મભોજન કરાવવું હનુમાનજીની ભક્તિ કરવી હતી શનિની અશુભ અસર ઓછી થાય છે.



 શનિ જંયતિ 12 રાશિ મુજબ મંત્રો ગુજરાતી લખાણ સાથે  અહી ક્લિક કરો.

 

શનિ જંયતિ 12 રાશિ મુજબ ઉપાય ગુજરાતી લખાણ સાથે  અહી ક્લિક કરો.  

 

 "" શ્રી શનિદેવ ચાલીસા "  ગુજરાતી લખાણ સાથે  અહી ક્લિક કરો.  

 

 "" શ્રી શનિદેવ 108 નામવલી"  ગુજરાતી લખાણ સાથે  અહી ક્લિક કરો.   

શનિ પનોતી | પનોતી થી બચવા શું દાન કરવું? સંપૂર્ણ માહિતી ગુજરાતી લખાણ સાથે  અહી ક્લિક કરો.  

 "" શ્રી શનિદેવ સ્તુતિ "" ક્રુર પ્રભાવ ઓછો થાય ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

 

 શ્રી ગણપતિના ""સિદ્રિદાયક મંત્રો"" એક અક્ષર થી સોળ અક્ષર મંત્રો અહી ક્લિક કરો. 

 

આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો. 

 

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

હનુમાન ચાલીસા ની 9 ચોપાઈનું પઠન 🙏 મળશે 100% ફળ અહી ક્લિક કરો.  

 

શ્રી મહાલક્ષ્મી નો આ પાઠ કરવાથી ગરીબ પણ કરોડપતિ બની જાય અહી ક્લિક કરો.      

 

 શુભ દિવસે શ્રી મહાલક્ષ્મી માં ના ૧૦૮ નામ જાપ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

 
Disclaimer: અહી ઉપરોક્ત કોઈપણ માહિતી અથવા આ કાયૅ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.આમાં Okhaharan.com તેની પુષ્ટિ કરતું નથી.

મંગળવાર, 23 માર્ચ, 2021

આમલકી એકાદશી વ્રત કથા વાંચવાથી એક હજાર ગૌદાની ના ફળ બરાબર ફળ મળે છે | Amalaki Ekadashi Vrat Katha Gujarati Ma | Okhaharan

આમલકી એકાદશી વ્રત કથા વાંચવાથી એક હજાર ગૌદાની ના ફળ બરાબર ફળ મળે છે |  Amalaki Ekadashi Vrat Katha Gujarati Ma |  Okhaharan

 

Amalaki-Ekadashi-Vrat-Katha-Gujarati
Amalaki-Ekadashi-Vrat-Katha-Gujarati
 

શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખ માં આજે આપણે જાણીએ ફાગણ સુદ પક્ષની એકાદશી આમલકી એકાદશી માધાતાજી તથા ઋષિ વશિષ્ટજી વ્રત કથા. આ એકાદશી નું વ્રત પૂણૅ શ્રદ્રા રાખીને કરવાથી સમસ્ત પાપ નષ્ટ થઈ જાય છે તથા આ વ્રત નું પુણ્ય એક હજાર ગૌ દાન ફળ બરાબર છે.

 આ વષે 2023 ની આમલકી એકાદશીની શરૂઆત 


શરૂઆત 02 માર્ચ 2023 ગુરુવારે સવારે 6:39 મિનિટ


એકાદશી તિથિ સમાપ્તિ 3 માર્ચ 2023 શુક્રવારે સવારે 9:01 મિનિટ


ઉપવાસ  સૂયૅદય શરૂ થતો કરવો જોઈએ માટે ઉપવાસ 3 માર્ચ 2023 શુક્રવારે કરવો


3 માર્ચ 2023 શુક્રવારે પુજન નો શુભ સમય સવારે 6:59 થી 11:23 સુધી છે
પારણા નો સમય 4 માર્ચ 2023 શનિવારે સવારે 6:44 થી 9:19 સુધી નો છે.


 

ફાગણ માસની શુક્લ પક્ષની એકાદશી


માંધાતાજી બોલ્યા : હે વશિષ્ટજી જો તમે મારા પર પ્રસન્ન છો તો એવા વ્રતની કથા કહો જેનાથી મારૂં કલ્યાણ થાય .

એકાદશી ના દિવસે નારાયણ નો આ કવચ નો પાઠ કરવાથી તમામ પ્રકારના ભય માંથી મુક્તિ મળે છે અહી ક્લિક કરો.  


Vishnu-Sahastra-Path-In-Gujarati-Lyrics 

 


મહષિ વશિષ્ઠ જી ને બોલ્યા : હે રાજન બધા વ્રતો માં ઉત્તમ અને અંતમાં મોક્ષ દેનાર આમલકી એકાદશી નું વણૅન કરૂં છું..


આ ફાગણ માસના શુક્લ પક્ષમાં થાય છે આ વ્રતના ફળથી સમસ્ત પાપ નષ્ટ થાય છે.આ વ્રતનું પુણ્ય એક હજાર ગૌદાના ફળ બરાબર છે. આ અંગે હું તમને એક પૌરાણિક કથા કહું છું. તે ધ્યાનપૂર્વક સાંભળો.


વૈદિક નામનું એક નગર હતું. એ નગરમાં બ્રાહ્મણ, વૈશ્ય, ક્ષત્રિય, શૂદ્ર ચારેય વણૅ આનંદપૂર્વક રહેતા હતા.નગરમા સદૈવ વેદ ધ્વનિ ગુજતો હતો.એ જગ્યાએ પાપી, દુરાચારી નાસ્તિક કોઈ ન હતું.એ નગરમાં ચૈત્રરથ નામનો ચંદ્રવંશી નામનો રાજા રાજ્ય કરતો હતા. એ રાજ્યમાં કોઈપણ દરિદ્ર તથા કંજૂસ ન હતા. બધા વિષ્ણુ ભક્ત હતા. ત્યાંના બધા નિવાસી વૃદ્ધ થી બાળક સુધી બધા એકાદશી નું વ્રત કરતા હતા.

xxx


એક સમયે ફાગણ માસના શુક્લ પક્ષની આમલા નામની એકાદશી આવી. એ દિવસે રાજા લઈને પ્રજા સુધી , વૃદ્ધ થી બાળક સુધી બધાને હષૅ સહિત એ એકાદશી નું વ્રત કર્યું. રાજા પોતાની પ્રજા સાથે મંદિરમાં આવી ને કુંભ સ્થાપના કરીને ધૂપ, નૈવેદ્ય, પંચરત્ન, ક્ષત્ર આદિથી ધાત્રીનુ પૂજન કરવા લાગ્યા તેઓ બધા ધાત્રીની આ પ્રકારની સ્તુતિ કરવા લાગ્યા. હે ધાત્રી તમે બ્રહ્મ સ્વરૂપ છો.તમે બ્રહ્માજી દ્રારા ઉત્પન્ન છો સમસ્ત પાપોને નષ્ટ કરનાર છો. તમને નમસ્કાર છે. હવે તમે મારો અધ્ય સ્વીકાર કરો.તમે શ્રી રામચંદ્રજી ના દ્રારા સન્માનિત છો. હું તમને પ્રાથના કરું છું. મારા સમસ્ત પાપોનું હરણ કરો..

શ્રી લક્ષ્મીનારાયણ દેવ આ પાઠ કરવાથી તમામ પાપોમાંથી મુક્તિ થઈ વિષ્ણુ લોક પ્રાપ્તિ થાય છે અહી ક્લિક કરો.  

  એ દેવાલયમા રાત્રિએ બધાંએ જાગરણ કર્યું. રાત્રિના એ સમયે એક શિકારી ત્યાં આવ્યો. તે મહાપાપી તથા દુરાચારી હતો. પોતાના કુટુંબ નું ભરણપોષણ તે જીવહિંસા થી કરતો હતો. તે ભૂખ તરસ થી અત્યંત વ્યાકુળ હતો. થોડું ભોજન મળવાની ઈચ્છા થી મંદિરના એક ખૂણામાં બેસી ગયો. તે જગ્યાએ બેસું ને વિષ્ણુ ભગવાનની કથા તથા એકાદશી માહાત્મ્ય સાંભળવા લાગ્યો.

xx


આ રીતે શિકારીએ આખી રાત અન્ય લોકોની સાથે જાગરણ કરી વિતાવી . પ્રાંત:કાળ થતાં બધા પોત પોતાના ધરે ગયાં. થોડો સમય વિતાવી તે શિકારીનું મુત્યુ થયું.તેનો આમલકી એકાદશી ના વ્રતનું અને જાગરણના પ્રભાવથી એક રાજાના ત્યાં જન્મ થયો.તેનુ નામ બસુરથ રાખ્યું. મોટો થયો ત્યારે તે ચતુરંગિણી સેના સહિત ધન ધાન્ય યુક્તિ થંઈને એક સહસ્ત્ર ગામોનું પાલન કરવા લાગ્યો. તે તેજના સૂર્ય સમાન કાંતિ માં ચંન્દ્ર સમાન હતો. તે અત્યંત ધાર્મિક , સત્યવાદી, કમૅવીર અને વિષ્ણુ ભક્ત હતો. તે પ્રજાનું સમાન ભાવથી પાલન કરતો હતો. તે સદૈવ યજ્ઞ કરતો હતો. દાન આપવું તેનું નિત્ય કતૅવ્ય હતું.

એકાદશી ની શ્રી જગત ના પાલનહાર વિષ્ણુ ભગવાન પુજન વિધી વાંચવા અહીં ક્લિક કરો


એક દિવસ રાજા શિકાર કરવા વનમાં ગયો. તે વનમાં રસ્તો ભુલી ગયો અને દિશાજ્ઞાન ન હોવાથી વનમાં વૃક્ષ નીચે સૂઈ ગયો. એ સમયે ડાકુ ત્યાં આવ્યા અને રાજાના એકલા જોઈને મારો મારો કહીને તૂટી પડ્યા. તે ડાકુઓ કહેવા લાગ્યા કે આ દુષ્ટ રાજાએ અમારા માતા પિતા પુત્ર પોત્ર આદિ સંબંધીઓને માર્યા છે તથા દેશનિકાલ કર્યો છે. તેથી આને અવશ્ય મારવો જોઈએ. આવું કહી ને ડાકુ રાજાને મારવા લાગ્યો અને તેના પર અશ્ત્ર શસ્ત્ર નો પ્રસાર કરવા લાગ્યો. તે અશ્ત્ર શસ્ત્ર રાજાના શરીર પર પડતાં જ નષ્ટ થઈ જતા હતા. રાજાને તે પુષ્પો સમાન લાગતા હતા.

 

 

 જ્યારે એ ડાકુઓના અશ્ત્ર શસ્ત્ર દ્રારા એમના પર પ્રહાર કરવા લાગ્યા. જેનાથી તેઓ મુચ્છિત થઈ ગયા.એ સમયે રાજાના શરીર માંથી દિવ્ય દેવી પ્રગટ થઈ. તે દેવી અત્યંત સુંદર વસ્ત્રો તથા આભૂષણો થી અલંકૃત હતી. તેની ભ્રમરો ત્રાસી હતી. આંખ માંથી લાલ લાલ અગ્નિ નીકળતો હતો. તે સમયે તે કાળના સમાન પ્રતીત થતી હતી. તે એ ડાકુઓને મારવા દોડી અને સમસ્ત ડાકુઓને મારી નાખ્યાં. જ્યારે રાજા જાગ્યા અને ડાકુઓને મરેલા જોઈને વિચારવા લાગ્યો કે : આ શત્રુઓને કોણે માર્યો? આ વનમાં મારૂં કોણ હિતેષી છે! જ્યારે રાજા આવો વિચાર કરતો હતો ત્યારે આકાશવાણી થઈ : હે રાજન આ સંસારમાં વિષ્ણુ ભગવાન સિવાય તારી કોણ રક્ષા કરી શકે છે.? રાજા પોતાના નગર માં પાછો ફર્યો અને સુખ પૂવૅક રાજ્ય કરવા લાગ્યો. મહષિ વશિષ્ઠજી બોલ્યા હે રાજન આ બધો આમલકી એકાદશી વ્રત નો પ્રભાવ હતો.


ગીતાજી માં કહેલા શ્રી વિષ્ણુ ભગવાન ૧૦૮ નામ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

 


ગીતાજીમાં કહેલા શ્રી કૃષ્ણ ભગવાનના 108 નામ ગુજરાતી લખાણ સાથે 

એકાદશી ના દિવસે ગીતાજી નો આ સ્ત્રોત કરવાથી જ્ઞાન સિદ્ધિ મેળવી ને પરમ પદ પામે છે

એકાદશી ના કેટલાક નિમ્નલિખિત કયો ના કરવા જોઈએ તે વાંચવા અહીં ક્લિક કરો

શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય માહાત્મ્ય કથા | Geeta Adhyay   



In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission.

 

  જય શ્રી કૃષ્ણ  રુદ્રાભિષેક ,  લઘુરુદ્ર યજ્ઞ,મહારૂદ્રયજ્ઞ, ગૃહવાસ્તુ પુજન, નવગ્રહ શાંતિ , નવગ્રહ મંત્ર જાપ , કાલસપૅ દોષ , ચાંડાલ દોષ, અંગારક દોષ વગેરે જન્મ કુંડળી ના દરેક દોષોનું નિવારણ , નવચંડી યજ્ઞ, શતચંડી યજ્ઞ, પ્રાણપતિષ્ઠા વિધિ, કરનાર. તેમજ  આ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇