બુધવાર, 7 એપ્રિલ, 2021

Today એકાદશી ના દિવસે બંને ખાસ યોગ કરો આ એક સરળ ખાસ ઉપાય જેનાથી ધન લાભજ લાભ - Ekadashi Upay- Okhaharan

Today એકાદશી ના દિવસે બંને ખાસ યોગ કરો આ એક સરળ ખાસ ઉપાય જેનાથી ધન લાભજ લાભ - Ekadashi Upay- Okhaharan

Ekadashi Upay,
Ekadashi Upay- Okhaharan


 શ્રી ગણેશાય નમઃ

આજ રોજ ફાગણ વદ એકાદશી એટલે પાપમોચિની એકાદશી  છે.

આ દિવસે જગત ના પાલન હાર ક્ષી હરિ શ્રી વિષ્ણુ ભગવાની પૂજા અને વ્રત-ઉપવાસ કરવામાં આવે છે.

બુધવાર વાર અને એકાદશી તિથિ નો ખાસ યોગ હોવાથી શ્રી વિષ્ણુજી સાથે શ્રી ગણેશજીની પણ વિધિવત અને મંત્રો સાથે પુજન કરો.

આ બંને ખાસ યોગમાં કરો આ શુભ કામ.


 

હિંદુશાસ્ત્ર પ્રમાણે  એક માસમાં  બે એકાદશી હોય છે.આ પ્રકારે 12 મહિનામાં કુલ 24 એકાદશી આવે છે. જે વર્ષે અધિકમાસ હોય છે, ત્યારે 2 વઘારાની એટલે 26 એકાદશી આવે છે.

દરેક એકાદશી નું મહત્ત્વ અલગ અલગ ઉલ્લેખવામાં આવ્યું છે. એકાદશીનું વ્રત કરવાથી ભગવાન વિષ્ણુની વિશેષ કૃપા મળે છે. 


ફાગણ મહિનાના વદ પક્ષની એકાદશી સમસ્ત પાપ ને નષ્ટ કરનારી છે. આ દિવસે યથા શકતિ પ્રમાણે દાન કરવું જોઇએ.

એકાદશીએ સવારે સૂયદય પહેલા સ્નાન આદી નિત્યક્રમ પરવારી ઘરના આવેલા મંદિરમાં ભગવાન શ્રી વિષ્ણુ અને શ્રી મહાલક્ષ્મીની પૂજા કરો.

ઘરના મંદિરમાં રહેલા દેવી-દેવતાઓની દરરોજ ની જેમ વિઘિવત પૂજા કરો.

સૌથી પહેલાં શ્રીગણેશની પૂજા કરો. તે પછી તમારી પાસે દક્ષિણાવર્તી શંખ અદંર કેસર મિશ્રિત દૂધ ભરો અને વિષ્ણુ-લક્ષ્મીનો અભિષેક કરો. સાથે મંત્ર નો જાપ કરો અને જો સમય હોય તો વિષ્ણુ સ્હસ્ત્ર નો પાઠ કરો

પૂજામાં ધૂપ-દીપ અગરબતી ફળ-ફૂલ, ગંગાજળ, વસ્ત્ર, અને પ્રસાદ સાથે પુજન ના સિકકા વગેરે વસ્તુઓ દેવી-દેવતાઓને ચઢાવો. ભોગ ધરાવો.

વિષ્ણુજીને ખાસ 11, 21, કે અનુકુળાતા પ્રમાણે તુલસીના પાન ચડાવો તથા પ્રસાદ ચઢાવો જોઇએ. કથા વાતૅ વાચો સાભળો ભગવાનની આરતી કરો.


જે લોકો એકાદશી વ્રત કરે છે, દિવસમાં ફળ નો આહાર લેવાનો હોય છે તેમણે આખો દિવસ અનાજનો અથવા રાઘેલા ચોખા ત્યાગ કરવો જોઇએ. 


રાતે ભગવાન વિષ્ણુ સામે અખડં એક દિવસ નો દીવો પ્રગટાવવો. ભગવાનના મંત્રનો,  વિષ્ણુ સ્હસ્ત્ર નો પાઠ , ભગવત ગીતા વગેરે પાઠ કરો જાપ કરવો. બીજા દિવસે કોઇ બ્રાહ્મણને અને મંદિર માં દાન-દક્ષિણા આપો. તે પછી ઉપવાસ છોડો.


બુધવાર અને એકાદશીના યોગમા આ શુભ કામ પણ કરવું જોઇએઃ-

 બુધવાર એ શ્રી ગણેશજી નો વાર છે માટે શ્રી ગણેશજી  ને દૂર્વાની 21 ગાંઠ ચઢાવો અને ૐ  ગં ગણપતયે નમઃ મંત્રનો જાપ 108વાર કરો.

ગણેશજીની પૂજા ગજાનંદ સ્વરૂપમાં કરવામાં આવે છે. એટલે કોઇ હાથીને શેરડી , ગોળ ખવડાવો. ગણેશજી સાથે જ રિદ્ધિ-સિદ્ધિની પણ પૂજા કરો. જેથી ઘરમાં સુખ-સમૃદ્ધિ વધે છે.

કોઇ વિષ્ણુ-લક્ષ્મી મંદિરમાં કેળા અને સિઝનલ ફળ તથા શ્રીફળ અને બદામ અર્પણ કરો. આનાથી આથિક તંગી દુર થશે. વિષ્ણુજીને પીળા વસ્ત્ર ચઢાવો.

 



  


In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission.

 

એકાદશી ના દિવસે ગીતાજી નો આ સ્ત્રોત કર

વાથી જ્ઞાન સિદ્ધિ મેળવી ને પરમ પદ પામે છે


શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય માહાત્મ્ય કથા | Geeta Adhyay   


રાત્રે એકવાર શ્રી મહાલક્ષ્મીની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો

 

હનુમાનજી રામ નામથી શરૂ થતો સ્ત્રોત છે દરેક કામમાં રક્ષણ આપે 

 

વાંચો "" હનુમાનજી વડવાનલ સ્ત્રોત ""  

 


શ્રી લક્ષ્મીનારાયણ દેવ આ પાઠ કરવાથી તમામ પાપોમાંથી મુક્તિ થઈ વિષ્ણુ લોક પ્રાપ્તિ થાય છે  

 


 શુભ દિવસે શ્રી મહાલક્ષ્મી માં ના ૧૦૮ નામ જાપ 


  """ શ્રી વિષ્ણ્વષ્ટકમ્   """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.   


દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી અહી ક્લિક કરો.  

 

શ્રી હનુમાન દાદા નો આ પાઠ ચુડેલ મેલી ડાકાણ જિન સામે રક્ષણ મળે છે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

 

 રાત્રે એકવાર "" શ્રી મહાલક્ષ્મી"" ની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો

 

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission.

 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇