સોમવાર, 28 ફેબ્રુઆરી, 2022

મહાશિવરાત્રી 72 વષૅ પછી બંને રહેલા પંચગ્રહ યુતીયોગ રાશિ મુજબ કરો શિવ અભિષેક અને મંત્ર | Mahashivratri Rashi Upay 2022 Gujarati | Okhaharan

મહાશિવરાત્રી 72 વષૅ પછી બંને રહેલા પંચગ્રહ યુતીયોગ રાશિ મુજબ કરો શિવ અભિષેક અને મંત્ર  | Mahashivratri Rashi Upay 2022 Gujarati | Okhaharan

Mahashivratri-Rashi-Upay-2022-Gujarati
Mahashivratri-Rashi-Upay-2022-Gujarati

 

 શ્રી ગણેશાય નમઃ સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખ માં આજે આપણે જાણીશું 72 વષૅ પછી મહાશિવરાત્રી બની રહેલા પાંચ ગ્રહ યુતી ના દિવસે રાશિ મુજબ શિવલિંગ પુજન. જેથી મહાદેવ પ્રસન્ન થાય અને આખુ વષૅ ઘનવષૉ રહે.

મહાશિવરાત્રી ક્યારે છે ? મહાશિવરાત્રી નું માહાત્મ્ય શું છે?  શું છે ચાર પ્રહર પુજન નો સમય અને આ સમય ક્યાં મંત્રો નો જાપ કરવા ? અહી ક્લિક કરો. 


મહાશિવરાત્રી 2022 ભગવાન શિવએ જન્મરાશિ કુડંળી ના માલિક છે . ભગવાન શિવને એમની , મુતિ કે શિવલિંગ સ્વરૂપમાં પુજાય છે. ખાસ કરીને શિવરાત્રી ની રીત્રી એ મહાદેવ અને માતા પાવૅતી ની પુજન થાય છે. મંદિરોમાં શિવલિંગ સ્વરૂપે પુજન થાય છે.


આ વષૅ મહાશિવરાત્રી 2022 તિથિ ના દિવસે પાચ ગ્રહો મંગળ, શનિ, બુધ, ચંદ્ર અને શુક્ર ગ્રહો મળીને મકર રાશિમાં પંચગ્રહી યોગ બનાવે છે.  મહાશિવરાત્રી પવૅ તિથિ 1લી માર્ચ 2022 સવારે 3-15 શરૂ થઈ 2 માર્ચ 2022 સવારે 3-45 સમાપ્ત થાય છે. આ પંચગ્રહી યોગ ખૂબ જ વિશેષ રહેવાનો છે. ચાલો જાણીએ કે તમારી રાશિ અનુસાર શિવ પુજન મંત્ર તથા કંઈ વસ્તુથી રીતે પુજન કરવું જેથી મહાદેવ પ્રસન્ન થાય અને આખુ વષૅ ઘનવષૉ રહે. ચાલો હવે જાણીયે રાશિ મુજભ ઉપાય

 

મેષઃ-  અ,લ,ઈ

રાશિ સ્વામી મંગળ

શુભ રંગ : લાલ

મહાશિવરાત્રી દિવસે આ રાશિના લોકો ભગવાન શિવની ગંગાજળમાં સાકર અને ગોળ ભેળવીને શિવલિંગનો અભિષેક કરો . ત્યારબાદ ગુલાલથી પૂજા કરો અને “ઓમ મમલેશ્વરાય નમઃ” મંત્રનો જાપ કરો,  ઓમ નમઃ શિવાયનો મંત્ર ની એક માળા જાપ કરો.


મહાશિવરાત્રી કરો શિવજીના આ 5 મંત્ર  શિવજી ની કૃપા હંમેશ માટે રેહશે અહી ક્લિક કરો.  

 વષૃભ રાશિ :- બ,વ,ઉ

રાશિ સ્વામી :- શુક્ર

શુભ રંગ :- સફેદ

મહાશિવરાત્રી દિવસે આ રાશિના લોકો શિવને દૂધ, દહીં , ઘી  નો અભિષેક કરવો જોઈએ. "ઓમ નાગેશ્વરાય નમઃ" તથા ઓમ નમઃ શિવાયનો મંત્ર ની એક માળા જાપ કરો. આર્થિક સંકટ દૂર થશે. નવી નોકરીની ઓફર મળી શકે છે.


મિથુન રાશિ :- ક,છ,ધ

રાશિ સ્વામી :- બુધ

શુભ રંગ : લીલો

મહાશિવરાત્રી દિવસે આ રાશિના લોકો ભગવાન શિવને ગંગા જળ અને શેરડીના રસથી અભિષેક કરવો થી અભિષેક કરવો જોઈએ અને મગ, ઘતુરો ચડાવોતેની સાથે "ઓમ ભૂતેશ્વરાય નમઃ" તથા ઓમ નમઃ શિવાયનો મંત્ર ની એક માળા જાપ કરો તમને માનસિક શાંતિ મળશે.


કકૅ રાશિ : ડ,હ

રાશિ સ્વામી :- ચંદ્ર

શુભ રંગ :- દુધીયો   

મહાશિવરાત્રી દિવસે આ રાશિના લોકો ભગવાન શિવને પંચામૃત દૂઘ, દહી, ઘી, મઘ , સાંકળ મિક્સ કરીને અભિષેક કરવો જોઈએ અને મહાદેવના ‘દ્વાદશ’ નામનું સ્મરણ તથા ઓમ નમઃ શિવાયનો મંત્ર ની એક માળા જાપ કરો  સુખ શાંતિ આવશે


મહાશિવરાત્રી ના દિવસે શિવજીના ૧૦૮ નામ જાપ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

સિંહ : મ, ટ

રાશિ સ્વામી : સૂર્ય

શુભ રંગ : નારંગી

મહાશિવરાત્રી દિવસે આ રાશિના લોકો શિવને મધ તથા પાણીમાં લાલ ચંદન મિક્સ કરીને અભિષેક કરો અને ઓમ નમઃ શિવાયનો મંત્ર ની એક માળા જાપ કરો. ઈચ્છાઓ પૂર્ણ થશે. નોકરી સંબંધિત સમસ્યાઓ દૂર થશે.


કન્યા : પ,ઠ,ણ

રાશિ સ્વામી :- બુધ

શુભ રંગ : લીલો

મહાશિવરાત્રી દિવસે આ રાશિના લોકો પાણીમાં દુર્વા અને ભાંગને દૂધ મિક્સ કરીને ભગવાન શિવનો અભિષેક કરવો જોઈએ અને ‘શિવ ચાલીસા’નો પાઠ કરવો જોઈએ. અને ઓમ નમઃ શિવાયનો મંત્ર ની એક માળા જાપ કરો. જૂના રોગમાંથી તમને રાહત મળશે.


તુલા : ર,ત

રાશિ સ્વામી :- શુક્ર

શુભ રંગ :- સફેદ

મહાશિવરાત્રી દિવસે આ રાશિના લોકો ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે આ દિવસે મહાદેવને દહીં , ઘી અને ગુલાબના અત્તરથી અભિષેક કરો નો અભિષેક કરો અને ‘શિવસ્તક’નો પાઠ કરો અને ઓમ નમઃ શિવાયનો મંત્ર ની એક માળા જાપ કરો. નાણાકીય સમસ્યાઓ હલ થશે.

મહાશિવરાત્રીના દિવસે આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો. 


વૃશ્વિક :- ન,ય

રાશિ સ્વામી :- મંગળ

શુભ રંગ : લાલ

મહાશિવરાત્રી દિવસે આ રાશિના લોકો શિવને મઘ અને સરસીયા તેલ નો અભિષેક કરવો જોઈએ અને "ઓમ અંગારેશ્વરાય નમઃ" મંત્રનો જાપ અને ઓમ નમઃ શિવાયનો મંત્ર ની એક માળા જાપ કરવો જોઈએ.ઘરમાં સુખ-શાંતિ રહેશે. પારિવારિક વિવાદો દૂર થશે.


ધનુ :- ભ, ધ, ફ, ઢ

રાશિ સ્વામી :- ગુરુ

શુભ રંગ :- પીળો

મહાશિવરાત્રી દિવસે આ રાશિના લોકો શિવને દૂધમાં ચંદન ભેળવી અભિષેક કરો અને "ઓમ સોમેશ્વરાય નમઃ " મંત્ર અને ઓમ નમઃ શિવાય, પંચાક્ષર સ્તોત્રનો નો મંત્ર ની એક માળા જાપ કરવો જોઈએ  બધી મનોકામનાઓ જલ્દી પૂરી થશે.


મકર :- ખ,જ

રાશિ સ્વામી :- શનિ

શુભ રંગ :- કાળો  

મહાશિવરાત્રી દિવસે આ રાશિના લોકો મકર રાશિના લોકો ભગવાન શિવને દૂઘમાં કાળા તલ મિકસ કરીને અભિષેક તથા શેરડીના રસથી પણ કરો છે અને "શિવ સહસ્રનામ" નો પાઠ પણ કરે છે. સફળતા મળશે. શત્રુનો નાશ થશે.

મહાશિવરાત્રીના દિવસે આ રક્ષા સ્ત્રોત પાઠ કરવાથી મહાદેવ હંમેશા ભક્તો ની રક્ષા કરે છે અહી ક્લિક કરો. 


કુંભ :- ગ,શ

રાશિ સ્વામી :- શનિ

શુભ રંગ :- કાળો

મહાશિવરાત્રી દિવસે આ રાશિના લોકો શિવને દૂધ, દહીં, ખાંડ, ઘી, મધનો અભિષેક કરવો જોઈએ, તેની સાથે "ઓમ નમઃ શિવાય" મંત્રનો જાપ કરવો જોઈએ.પૈસાથી ફાયદો થશે.


મીન :- દ, ચ,ઝ, થ

રાશિ સ્વામી :- ગુરુ

શુભ રંગ :- પીળો


મહાશિવરાત્રી દિવસે આ રાશિના લોકો શિવને પ્રસન્ન કરવા માટે, મોસમી ફળોના રસથી અભિષેક કરો, તેની સાથે "ઓમ ભમેશ્વરાય નમઃ" ઓમ નમઃ શિવાય, પંચાક્ષર સ્તોત્રનો નો મંત્ર ની એક માળા મંત્રનો જાપ કરો.


મિત્રો આ હતું મહાશિવરાત્રી 72 વષૅ પછી મહાશિવરાત્રી પાંચગ્રહ યુતી રાશિ મુજબ શિવલિંગ પુજન હું આશા રાખું આ લેખ તમને જરૂર પસંદ આવ્યો હશે તો ૐ નમઃ શિવાય કોમેન્ટ માં જરૂર લખજો.

 

Mahashivratri-Vrat-Katha-Gujarati

 

મહાદેવ ની ભક્તિ માટે  મોબાઈલ એપ ફી ડાઉનલોડ જે  Make in India છે અહી ક્લિક કરો.

સંપૂર્ણ "શિવ માળા 108 મણકા" ગુજરાતી લખાણ સાથે

 શિવમહિમ્નઃ સ્તોત્રમ સાભળો ફક્ત 9 મિનિટ માં  

શિવ બાવની ગુજરાતી લખાણ સાથે સાભળો 4 મિનિટમાં 


  જય શ્રી કૃષ્ણ  રુદ્રાભિષેક ,  લઘુરુદ્ર યજ્ઞ,મહારૂદ્રયજ્ઞ, ગૃહવાસ્તુ પુજન, નવગ્રહ શાંતિ , નવગ્રહ મંત્ર જાપ , કાલસપૅ દોષ , ચાંડાલ દોષ, અંગારક દોષ વગેરે જન્મ કુંડળી ના દરેક દોષોનું નિવારણ , નવચંડી યજ્ઞ, શતચંડી યજ્ઞ, પ્રાણપતિષ્ઠા વિધિ, કરનાર. તેમજ  આ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો.👇👇👇 

 

Shiv-Stuti-Gujarati-Lyrics


રવિવાર, 27 ફેબ્રુઆરી, 2022

મહાશિવરાત્રી શિવલિંગ પુજન માં કંઈ વસ્તુ નો ઉપયોગ કરવો અને ખાસ કંઈ વસ્તુ નો ઉપયોગ ના કરવો | Mahashivratri Pujan Samagri Gujarati | Okhaharan

મહાશિવરાત્રી શિવલિંગ પુજન માં કંઈ વસ્તુ નો ઉપયોગ કરવો અને ખાસ કંઈ વસ્તુ નો ઉપયોગ ના કરવો  | Mahashivratri Pujan Samagri Gujarati | Okhaharan

 
Mahashivratri-Pujan-Samagri-Gujarati
Mahashivratri-Pujan-Samagri-Gujarati


શ્રી ગણેશાય નમઃ સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખ માં આજે આપણે જાણીશું મહાશિવરાત્રી શિવલિંગ પુજન માં કંઈ વસ્તુ નો ઉપયોગ કરવો અને ખાસ કંઈ વસ્તુ નો ઉપયોગ ના કરવો તે આજે આ લેખમાં જાણીશું.

 મહાશિવરાત્રી કરો શિવજીના આ 5 મંત્ર  શિવજી ની કૃપા હંમેશ માટે રેહશે અહી ક્લિક કરો. 


મહાશિવરાત્રી ના દિવસ એટલે મહાદેવ ની ભક્તિ કરવાનો વષૅ સોથી ઉત્તમ દિવસ છે. 
 

 સવારે સૂર્યોદય પહેલાં સ્નાન કરી સ્વચ્છ કપડાં પહેરીને ધરમાં અથવા મહાદેવ મંદિરે દશૅન કરવા જવું. મહાશિવરાત્રી એટલે મહા મહિનાની શિવ ની રાત્રી ખાસ કરીને રાત્રિ ના સમયે એટલે કે ચાર પ્રહર પુજન કરવાનો અનોખો મહિમા છે. આ પ્રહર પુજન સમય આ રીતે છે.


રાત્રિના પ્રથમ પ્રહર પૂજાનો સમય - સાંજે 06:25 થી 09:28 સુધી


• રાત્રિના બીજા પ્રહર પૂજાનો સમય - રાત્રે 09:28 થી મધરાત 12:31 સુધી


• રાત્રિ તૃતીયા પ્રહર પૂજા સમય - મધરાત 12:31 થી 3:34 સુધી


• રાત્રિ ચતુર્થ પ્રહર પૂજા સમય - મધરાત 03.34 થી સવારે 06:37 સુધી 


• નિશિતા કાલ મુહૂર્ત - રાત્રે 12:07 થી મધરાત 12:55 સુધી (9 માર્ચ 2024)


• વ્રત પારણાનો સમય - સવારે 06:37 થી બપોરે 03:28 (9 मार्च 2024)


સવૅ પ્રથમ મહાદેવ ના મંદિર બેલ વગાડી ને શ્રી ગણેશ શ્રી હનુમાન નંદી દેવ કશ્યપ દેવ અને માતા પાવૅતી ધ્યાન ધરી મહાદેવ છબી , મૂર્તિ કે સ્વરૂપ શિવલિંગ સ્વરૂપે પુજન કરવુ.


પુજન ની અંદર ભગવાન શિવને  દૂધ દહીં ધી સાંકળ અને મધ મિક્ષ કરીને અથવા આ પાંચ વસ્તુઓ અલગ અલગ શિવલિંગ પર અભિષેક કરવો . ત્યાર બાદ શુદ્ધ જળ થી દર વખત અથવા પંચામૃત ના અભિષેક પછી સ્નાન કરાવી સ્વચ્છ કરવા.  અત્યારે શરળતાથી બજાર માં શેરડી નો રસ મળે છે તો અભિષેક જરૂર કરો. ત્યાર બાદ ભસ્મ , ભાંગ અને ચંદન વડે તિલક લગાવો. દરેક વસ્તુ ના અભિષેક સમયે શિવ રુદ્ર ગાયત્રી મંત્ર અથવા દ્રાદશ જ્યોતિર્લિંગ મંત્ર બોલવો. ત્યાર પછી ત્રિમુખ બિલિના પત્ર ૧૧ કે ૨૧ અથવા બની શકે તો ૧૦૮ ચડાવો અને સાથે સાથે બિલ્વાઅષ્ટક નો પાઠ કરો અથવા શિવ ૧૦૮ નામ અથવા કંઈ ના કરો તો ૐ નમઃ શિવાય બોલીને આપણૅ કરો .


મહાશિવરાત્રી ના દિવસે શિવજીના ૧૦૮ નામ જાપ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  


પછી શુગધિત પુષ્પ જેમ કે ગુલાબ , હજારી , કમળ અથવા બીજા ધણાં પુષ્પ શિવલિંગ પર ચડાવવા ખાસ કરીને શિવજી ને ધતુરો અતિપ્રિય છે એટલે ધતુરો ચડાવાવાનુ ભુલતા નહીં. ત્યાર પછી પુષ્પ માળા ચડાવો પછી મંત્ર સ્તુતિ ધ્યાન ધરો . પછી પ્રસાદ ધરાવો જેમાં મીઠાઈ , ફળો , ફરારી ભોજન ,સૂકો મેવો જો બની શકે તો ખીર બનાવો પણ ચોખા વગર આમ આટલી વસ્તુ કરીને ભગવાન ને નૈવેદ્ય ધરાવો. 


 2024 મહાશિવરાત્રી ના દિવસે 617 વષૅ ચાર ગ્રહ ના સંયોગ માં કરો 12 રાશિ મુજબ આ ઉપાય અને મંત્ર


પછી પાંચ દિવાની ભગવાની આરતી કરો. પછી ભગવાની આરતી આપો અને ભગવાન તથા માતાજી ને વસ્ત્ર આપણૅ કરો. માતાજી ને સોહાગણ બધી વસ્તુ સાથે આપણૅ કરો સાથે સાથે શકન ના ૧,૫, કે ૧૧ રૂપિયા જરૂર મુકજો.


આ જે આપણે ભગવાનને પુજા કરી તેનું ફળ અને શ્રી ફળ માતાજી ને આપણૅ કરો અને કહો તેનું સારૂ ફળ આપે. ૐ ઈદમ્ ફલમ્ મયા દેવે તેને મેન સફલા વાદે
વે જન્મ જન્મની પુંજી ફળ શિવા આપણૅ નમસ્તુ.


ત્યાર બાદ શિવલિંગ પાસે દાન દક્ષિણા મુકો અને આ પુજા કોઈ બ્રહ્માણ સાથે કરાવતા હોય એમને પણ દાન દક્ષિણા જરૂર આપો પછી મહાદેવ મંદિર 5 ,11, કે 21 વખત પ્રદક્ષિણા કરો.

Mahashivratri-Vrat-Katha-Gujarati

 


આપણે જાણીયુ પુજનમા કંઈ વસ્તુ નો ઉપયોગ કરવો કેવી રીતે કરવો પણ કેટલીક એવી વસ્તુઓ છે જે કદાપી શિવ પુજન માં ના કરવી ચાલો આપણે જાણીએ.

મહાશિવરાત્રી શિવજીના 5 મંત્રો નો અથૅ જાણીને જાપ કરવાથી અઘિક ફળ મલે અહી ક્લિક કરો. 


ધાર્મિક ગ્રંથો અનુસાર ભગવાન શિવે શંખચૂડ રાક્ષસનો વધ કર્યો હતો. માટે શિવલિંગ પર અભિષેક સમયે શંખ નો ઉપયોગ ના કરવો.


શિવજી ના પુજન સમયે કેતકી નું પુષ્પ ઉપયોગ કરવામાં આવતો નથી કારણકે શિવપુરાણ ના ખંડ મુજબ  બ્રહ્મા અને વિષ્ણુ વિવાદ માં કેવડો કે કેતકી ખોટી સાશી પુરાય હોવથી મહાદેવ શ્રાપ આપે કે મારી પુજન માં તારો ઉપયોગ કદી નહી થાય


શિવ પુજન સમયે સિંદૂર તમામ દેવી-દેવતાઓને પ્રિય છે. ભગવાન શિવને સિંદૂર ચઢાવવામાં આવતું નથી કારણ કે હિન્દુ મહિલાઓ તેને તેમના પતિના લાંબા આયુષ્ય માટે લગાવે છે. ભગવાન શિવને ત્રણ આગણી વડે સિંદૂર ચઢાવવાને બદલે ચંદનનું તિલક લગાવવું શુભ માનવામાં આવે છે.


શિવ પુજન સમયે ચંપા નું ફુલ ચડાવમાં આવતુ નથી.

મહાશિવરાત્રી ના દિવસે શિવજી ની સ્તુતિ કરવાથી ભોળાનાથ ભરી દેશે ધનના ભંડાર અહી ક્લિક કરો.  

મિત્રો આ હતી શિવ પુજનની સંપૂણૅ માહિતી અને કંઈ વસ્તુનો ઉપયોગ ના કરવો એ જાણ્યું આપડે હું આશા રાખું આ લેખ તમને જરૂર પસંદ આવ્યો હશે તો ૐ નમઃ શિવાય કોમેન્ટ માં જરૂર લખજો.

 

સંપૂર્ણ "શિવ માળા 108 મણકા" ગુજરાતી લખાણ સાથે

 

 શિવમહિમ્નઃ સ્તોત્રમ  

 

શિવ બાવની ગુજરાતી લખાણ સાથે  


  જય શ્રી કૃષ્ણ  રુદ્રાભિષેક ,  લઘુરુદ્ર યજ્ઞ,મહારૂદ્રયજ્ઞ, ગૃહવાસ્તુ પુજન, નવગ્રહ શાંતિ , નવગ્રહ મંત્ર જાપ , કાલસપૅ દોષ , ચાંડાલ દોષ, અંગારક દોષ વગેરે જન્મ કુંડળી ના દરેક દોષોનું નિવારણ , નવચંડી યજ્ઞ, શતચંડી યજ્ઞ, પ્રાણપતિષ્ઠા વિધિ, કરનાર. તેમજ  આ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો.👇👇👇 

 

Shiv-Stuti-Gujarati-Lyrics

 


 

 

મહાશિવરાત્રી ક્યારે છે ? મહાશિવરાત્રી નું માહાત્મ્ય શું છે? શું છે ચાર પ્રહર પુજન નો સમય અને આ સમય ક્યાં મંત્રો નો જાપ કરવા ? | mahashivratri 2023 Gujarati | Okhaharan

મહાશિવરાત્રી ક્યારે છે ? મહાશિવરાત્રી નું માહાત્મ્ય શું છે?  શું છે ચાર પ્રહર પુજન નો સમય અને આ સમય ક્યાં મંત્રો નો જાપ કરવા ? | mahashivratri 2023 Gujarati | Okhaharan

 
mahashivratri-2022-Gujarati
mahashivratri-2022-Gujarati
 

શ્રી ગણેશાય નમઃ સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખ માં આજે આપણે જાણીશું મહાશિવરાત્રી ક્યારે છે ? મહાશિવરાત્રી નું માહાત્મ્ય શું છે?  શું છે ચાર પ્રહર પુજન નો સમય અને આ સમય ક્યાં મંત્રો નો જાપ કરવા તે આજે લેખમાં જાણીશું.

મહાશિવરાત્રી કરો શિવજીના આ 5 મંત્ર  શિવજી ની કૃપા હંમેશ માટે રેહશે અહી ક્લિક કરો. 


આમ આખા વષૅ બે માસની શિવરાત્રી અને અધિક મહિનાની બે એટલે કુલ ૨૬ શિવરાત્રી આવે છે એમાં પણ મહા માસ ની શિવરાત્રી એટલે કે મહાશિવરાત્રી એ મહાદેવ ની ભક્તિ કરવાનો વષૅ સોથી ઉત્તમ દિવસ છે આમ તો શ્રાવણ માસ આંખો શિવ ભક્તિ નો છે પણ આ એક દિવસ નો મહિમા વધારે છે.આ દિવસ આખી રાખ જાગરણ કરીને મહાદેવ ની જપ ,તપ ,પુજન કરવાની હોય છે. હવે આપણે જાણીએ મહાશિવરાત્રી નું માહત્મ્ય શું છે ? તે જાણીયે.

મહાશિવરાત્રી શિવજીના 5 મંત્રો નો અથૅ જાણીને જાપ કરવાથી અઘિક ફળ મલે અહી ક્લિક કરો. 


શિવપુરાણ અનુસાર જયારે બ્રહ્માજી અને વિષ્ણુજી વચ્ચે વિવાદ થયો હતો કે બંનેમાં શ્રેષ્ઠ કોણ છે? એકબાજુ બ્રહ્માજી પોતાને  બ્રહ્માંડના સર્જક તરીકે સર્વશ્રેષ્ઠ ગણાતા હોવાનો દાવો કરી રહ્યા અને બીજીબાજુ ભગવાન વિષ્ણુ સમગ્ર સૃષ્ટિના પાલનહાર કરતા હોવાથી  પોતાને શ્રેષ્ઠ ગણાવતા હતા. ત્યારે અચાનક બંને વચ્ચે એક વિરાટ લિંગ દેખાયું. અને લિંગ માંથી વાણી થઈ તમારા બંને માંથી જે પણ આ લિંગનો અંત સૌથી પ્રથમ શોધશે તે શ્રેષ્ઠ માનવામાં આવશે. પછી ની કથા આપ જાણો છે કે બ્રહ્માજી જુઠું બોલતા ભૈરવ એ એમનું પાંચમું મુખ કાપી નાખ્યું અને શિવજી એ ભગવાન વિષ્ણુ ને શ્રેષ્ઠ ગણાવ્યાં. જે દિવસે આ અનંત લિંગ પ્રગટ થયું એ દિવસ તિથિ મહા વદ ચૌદશ હતી.

 

  2023 મહાશિવરાત્રી ના દિવસે 617 વષૅ ચાર ગ્રહ ના સંયોગ માં કરો 12 રાશિ મુજબ આ ઉપાય અને મંત્ર

 


શિવપુરાણ ની કથા અનુસાર આ દિવસે શિવ અને સતી બીજો જન્મ પાવૅતી ના લગ્ન આ દિવસ ની તિથિ થયાં હતાં એને મહાશિવરાત્રી કહેવાય છે


કેટલાક લોકો આ તિથિ ને મહાદેવ ના જન્મદિવસ તરીકે પણ ઉજવે છે. આ દિવસે ભાગ નો પરસાદ પીવાનો અને શંકરીયા બટાકા ખવાનો માન્યતા છે.


મહાશિવરાત્રી ના દિવસે શિવજીના ૧૦૮ નામ જાપ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 


મિત્રો આ હતું શિવરાત્રી માહાત્મ્ય આપણે જાણીએ ક્યારે મહાશિવરાત્રી ની તિથિ શરૂ થાય છે અને શું છે ચાર પ્રહર પુજન નો સમય..

શરૂઆત 18 ફેબ્રુઆરી 2023 શનિવાર રાત્રે 8:02 મિનિટ
સમાપ્તી 19 ફેબ્રુઆરી 2023 રવિવાર સાંજે 4:17 મિનિટ

પ્રથમ પ્રહરની પૂજા: 18 ફેબ્રુઆરી 2023 સાંજે 6:21 થી 9:31 સુધી
મહાશિવરાત્રી 2જી પ્રહર પૂજા: 18 ફેબ્રુઆરી 2023 રાત્રે 9:31 થી 12:41 સુધી
મહાશિવરાત્રીના ત્રીજા પ્રહરની પૂજાઃ 19 ફેબ્રુઆરી 2023 રાત્રે 12:41 થી 3:51 સુધી
મહાશિવરાત્રી 4થી પ્રહર પૂજા: 19 ફેબ્રુઆરી 2023 સવારે 3:52 થી 7:01 સુધી

ઉપવાસનું પરણ: 19 ફેબ્રુઆરી 2023 સવારે 7:02 કલાકે


આ દિવસે રાત્રે એટલે કે
18 ફેબ્રુઆરી 2023 રાત્રે 0:09 થી 1:00 સુધી સમય ને નિષેધ કાળ કહેવાય છે આ સમય બસ મહાદેવ ને શક્ય એક લોટો જળ ચડાવો અને ૐ નમઃ શિવાય ની બંને એટલી માળા જરૂર કરો 

મહાશિવરાત્રી ના દિવસે શિવજી ની સ્તુતિ કરવાથી ભોળાનાથ ભરી દેશે ધનના ભંડાર અહી ક્લિક કરો. 


આ પુજન ચાર પ્રહર મુજબ શાસ્ત્રો માં અલગ મંત્રો જણાવ્યા છે તે આ મુજબ છે


પ્રથમ પ્રહરમાં - 'હ્રીં ઈશાનાય નમઃ'

બીજા પ્રહરમાં- 'હ્રીં અઘોરાય નમઃ'

ત્રીજા પ્રહરમાં - 'હ્રીં વામદેવાય નમઃ'

ચોથા પ્રહરમાં- 'હ્રીં સદ્યોજાતાય નમઃ'.


મિત્રો આ હતું મહાશિવરાત્રી નુ માહાત્મ્ય તેના પુજન નો પ્રહર સમય અને ક્યાં મંત્ર જાપ કરવાના એ જાણ્યું આપડે હું આશા રાખું આ લેખ તમને જરૂર પસંદ આવ્યો હશે તો ૐ નમઃ શિવાય કોમેન્ટ માં જરૂર લખજો.

Mahashivratri-Vrat-Katha-Gujarati

 

 

 

 

મહાદેવ ની ભક્તિ માટે  મોબાઈલ એપ ફી ડાઉનલોડ જે  Make in India છે અહી ક્લિક કરો.

સંપૂર્ણ "શિવ માળા 108 મણકા" ગુજરાતી લખાણ સાથે

 શિવમહિમ્નઃ સ્તોત્રમ  

શિવ બાવની ગુજરાતી લખાણ સાથે  


  જય શ્રી કૃષ્ણ  રુદ્રાભિષેક ,  લઘુરુદ્ર યજ્ઞ,મહારૂદ્રયજ્ઞ, ગૃહવાસ્તુ પુજન, નવગ્રહ શાંતિ , નવગ્રહ મંત્ર જાપ , કાલસપૅ દોષ , ચાંડાલ દોષ, અંગારક દોષ વગેરે જન્મ કુંડળી ના દરેક દોષોનું નિવારણ , નવચંડી યજ્ઞ, શતચંડી યજ્ઞ, પ્રાણપતિષ્ઠા વિધિ, કરનાર. તેમજ  આ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો.👇👇👇 

 

Shiv-Stuti-Gujarati-Lyrics

શનિવાર, 26 ફેબ્રુઆરી, 2022

શનિવારના હનુમાન આ જંજીરો પાઠ કરવાથી રોગ દોષ નાશ પામી સુખ શાંતિ પ્રાપ્તિ થાય છે Rog Dosh Nashak Hanuman Janjira Gujarati Lyrics | Okhaharan

 શનિવારના હનુમાન આ જંજીરો પાઠ કરવાથી રોગ દોષ નાશ પામી સુખ શાંતિ પ્રાપ્તિ થાય છે Rog Dosh Nashak Hanuman Janjira Gujarati Lyrics | Okhaharan

Rog-Dosh-Nashak-HanumanJanjira-Gujarati-Lyrics
Rog-Dosh-Nashak-HanumanJanjira-Gujarati-Lyrics

 

શ્રી ગણેશાય નમઃ સ્વાગત છે તમારૂ આપણા ગુજરાતી ભક્તિ લેખમાં. આજે લેખમાં જાણીશું રોગ દોષ નાશક હનુમાનજી જંજીરો

 

નિજૅળા ભીમ એકાદશી તિથિ માહિતી , માહાત્મય, પુજન વિઘિ અહી ક્લિક કરો. 


શનિવારે કરો હનુમાનજી નો વડવાનલ પાઠ સવૅ સંકટ અને આપત્તિ નિવારક અહી ક્લિક કરો 

આ મંત્રની સાધના 21 દિવસોની છે સાધનાનો પ્રારંભ શનિવાર કે મંગળવાર થી કરવો હનુમાનજીની મૂર્તિ કે છબીને તેલ સિંદુર ચડાવી પૂજા કરી બ્રહ્મચર્યનું પાલન કરતાં સાધક પ્રતિદિન એક માળાનો જાપ તથા દશાંશ હવન કરે તો આ મંત્ર સિદ્ધ થશે ત્યારબાદ આવશ્યકતા વખતે મોરપીછ આવડે રોગીને જાળવવામાં આવે તો સમસ્ત રોગ દોષો દૂર થાય છે


રોગ દોષ નાશક હનુમાન જંજીરો

ૐ નમો આદેશ ગુરુ જી કા

અહલ બાધૂ જહલ બાધૂ

અંબર તારા અસ્સી કોસ કી વિધા બાધૂ

બાધૂ નદી કી ધારા બાધૂ તકૅશાસ્ત્ર કા તીર

મસ્તક બૈઠા હનુમંત વીર 

દરરોજ કરો સવૅ કષ્ટ નિવારણ જંજીરા હનુમાન નો પાઠ સવૅ કષ્ટ દુર થાય અહી ક્લિક કરો

વીર હનુમંત સે ક્યા ક્યા ચલે?

ચૌસઠ ચક્ર ચલે

ચૌસઠ ચક્ર સે ક્યા ક્યા ચલે ?

ભૂત ચલે રાક્ષસ ચલે

બ્રહ્મ રાક્ષસ ચલે ચુડૈલ ચલે

સોખા તપોખા ચલે

પવૅત ઔર ધરણી ચલે

ચૌસઠ યોગિની ચલૈ

તાપ તિજોરી ચલૈ

નવ નાડિ બહત્તર કોઠા

માહિ સો નિકાલે

અમુક કો આરામ કરે 


ન નિકાલે તો રાજા રામ ચંદ્ર કી દુહાઈ

મેરી ભક્તિ ગુરૂ કી શક્તિ

ફુરે મંત્ર ઈશ્ર્વરો વાચા 

ૐ શ્રી હનુમંતે નમઃ

 

 

શ્રી હનુમાન દાદા નો વડવાનલ સ્ત્રોત નો પાઠ  

 

દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી અહી ક્લિક કરો.  

 

શ્રી હનુમાન દાદા નો આ પાઠ ચુડેલ મેલી ડાકાણ જિન સામે રક્ષણ મળે છે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  


શ્રી "" દેવીકવચ "" ગુજરાતી ભાષાંતર સાથે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 

 સંઘ્યા સમયે એકવાર પાઠ કરો આ સ્તોત્ર દેવીની કૃપા રહેશે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 

 રાત્રે એકવાર શ્રી મહાલક્ષ્મીની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો

 

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો. 

 

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission.

 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

ગુરુવાર, 24 ફેબ્રુઆરી, 2022

વિજયા એકાદશીની તિથિ માહિતી , માહાત્મય, પુજન વિઘિ | Viaya Ekadashi 2024 Gujarati | Okhaharan

વિજયા એકાદશીની તિથિ માહિતી , માહાત્મય, પુજન વિઘિ | Viaya Ekadashi 2024 Gujarati | Okhaharan

 
Viaya-Ekadashi-2022-Gujarati
Viaya-Ekadashi-2022-Gujarati

 

શ્રી ગણેશાય નમઃ સ્વાગત છે તમારૂ આપણા ગુજરાતી ભક્તિ લેખમાં આજે આપણે જાણીશું મહા માસની વદ પક્ષની વિજયા એકાદશી 6 કે 7 માચૅ ?  ઉપવાસ ક્યારે કરવો? પારણા નો સમય શું છે અને કેમ આ એકાદશી ખાસ છે ? આ એકાદશી નું વ્રત કરવાથી શું ફળ મળે છે?

એકાદશી ના દિવસે નારાયણ નો આ કવચ નો પાઠ કરવાથી તમામ પ્રકારના ભય માંથી મુક્તિ મળે છે અહી ક્લિક કરો.  


Vishnu-Sahastra-Path-In-Gujarati-Lyrics 

 


દરમાસની શુક્લ અને કૃષ્ણ પક્ષની બે એકાદશી અને અઘિક માસની બે એમ 26 એકાદશી છે નો ઉલ્લેખ આપણા હિન્દુ શાસ્ત્રો માં થયેલો છે. દરેક એકાદશીનું અલગ અલગ મહત્વ હોય છે તેમ જ  મહા માસની કૃષ્ણ પક્ષની એકાદશી ને વિજયા એકાદશી કહેવાય છે. વિજયા એકાદશી ના નામ પરથી ખબર પડી કે દરેક કાયૅ વિજયા આપનારી એકાદશી આ વષે 2024 ની મહા માસની શુક્લ પક્ષની વિજયા એકાદશી



ૐ નમો ભગવતે વાસુદેવાય

હિન્દુ શાસ્ત્રોમાં શ્રી વિષ્ણું ભગવાનની કૃપા પ્રાપ્તિ માટે સૌથી ઉત્તમ વ્રત એકાદશી નું છે જે તિથિનું એક વિશેષ મહત્વ છે. મહા માસની વદ પક્ષની  એકાદશી તિથિ ને વિજયા એકાદશી કહેવાય છે. એકાદશી તિથિ દર માસમાં બે વાર આવે છે એક તો સુદ પક્ષ અને બીજી વદ પક્ષ. એકાદશી ની તિથિ જગત ના પાલનહાર ભગવાન વિષ્ણુને સમર્પિત છે. તેમાં પણ મહા માસ ની  આ વિજયા એકાદશી ના દિવસે અશરણોને શરણ આપનાર શ્રી હરિ નારાયણ નું પુજન કરવાનું માહાત્મ્ય વઘારે છે. અથવા તેમના દશ અવતાર માંથી કોઈ પણ અવતાર નું પુજન કરવામાં આવે છે. Sub

મહા માસની વદ પક્ષની એકાદશી ને વિજયા એકાદશી કહે છે. આ એકાદશી નું વ્રત કરવાથી મનુષ્ય દરેક કાયૅમાં વિજય મળે છે.આ વિજયા એકાદશી ના પ્રભાવ થી અને તેના શ્રવણ પઠનથી સમસ્ત પાપ નષ્ટ થાય છે. મેળવે છે ધાર્મિક માન્યતા અનુસાર આ એકાદશી ની તિથિ ના દિવસે ભગવાન વિષ્ણુને અપણૅ કરવાથી મનુષ્ય જાણે તપ, યજ્ઞ, દાન કર્યા છે તેમ માનવામાં આવે છે.   

ૐ નારાયણાય વિદ્મહે, વાસુદેવાય ધીમહી. તન્નો વિષ્ણુ પ્રચોદયાત્ ।

 

એકાદશી ની શ્રી જગત ના પાલનહાર વિષ્ણુ ભગવાન પુજન વિધી વાંચવા અહીં ક્લિક કરો

 

એકાદશીના દિવસે બીજું કોનું પુજન કરવાથી પુણ્ય ફળ મળે છે.
એકાદશી ના દિવસે વિષ્ણુ ભગવાન ના પુજન સાથે સાથે કામધેનુ ગાયમાતા ના, વૃંદા એટલે તુલસી માતા પીપળા વૃક્ષ , શિવલિંગ નું પુજન કરવામાં આવે છે આમ કરવાથી ગીતામાં શ્રી કૃષ્ણ ભગવાન ના કહેવા મુજબ કશું શેષ રહેતું નથી.

એકાદશીના ઉપવાસ કોણ કરી શકે કરી કેવી રીતે.
એકાદશી નું વ્રત ઉપવાસ વ્રત વૈષ્ણવ, શુદ્ધ, ક્ષત્રિય કે વેશ્ય પછી નાના મોટા કોઈ પણ આ વ્રત કરી શકે છે . એકાદશી જો કોઈ બીમાર વ્યક્તિ હોય કે કોઈ રોગથી પીડાતો હોય , ઉમંરલાયક વ્યક્તિ જેને આપણે વૃદ્ધાવસ્થા, નાના બાળક અથવા વ્યસ્ત વ્યક્તિ એટલે વઘારે શ્રમ કરતા હોય તો એક જ વેળાનું વ્રત કરવું જોઈએ તેમાં ફળો ખાવા જોઈએ. જો આ પણ શક્ય ન હોય તો આ દિવસે ચોખા અને મીઠું ન ખાવા જોઈએ. ભગવાન વિષ્ણુ અથવા તમારા ઈષ્ટદેવની પૂજા કરો. 


દર મારે બે એકાદશી અને ત્રણ વષે આવતા પુરુષોત્તમ માસની બે એમ 26 એકાદશી છે નો
ઉલ્લેખ આપણા હિન્દુ શાસ્ત્રો માં થયેલો છે. હવે આપણે જાણીએ મહા માસની વદ પક્ષની વિજયા એકાદશી તિથિ માહિતી   

 આ વષે 2024 ની વિજયા એકાદશી ની શરૂઆત
શરૂઆત 6 માચૅ 2024 બુઘવાર  સવારે :30 મિનિટ
એકાદશી તિથિ સમાપ્તિ 7 માચૅ  2024 
ગુરૂવાર સવારે 4:13 મિનિટ

ઉપવાસ  સૂયૅદય શરૂ થતો કરવો જોઈએ માટે ઉપવાસ માચૅ  2024 ગુરૂવાર  કરવો
માચૅ  2024 ગુરૂવાર પુજન નો શુભ સમય સવારે 6:44 થી 8:13 સુધી છે
પારણા નો સમય 8 માચૅ  2024 શુક્રવાર  સવારે 6:01 થી 8:12 સુધી નો છે.


એકાદશી ના કેટલાક નિમ્નલિખિત કયો ના કરવા જોઈએ તે વાંચવા અહીં ક્લિક કરો

આ વષૅ વિજયા એકાદશી દિવસે ખાસ યોગ બને આપણે તે જાણી લઈએ
આ દિવસે શુક્ર ઉચ્ચ રાશિમાં, ગુરુ અને શનિ પોતાની રાશિઓમાં રહેશે. મંગળ, ચંદ્રના નક્ષત્રમાં છે અને ચંદ્ર પણ દ્રષ્ટિ પણ નાખી રહ્યો છે. 

જેનાથી મહાલક્ષ્મી યોગનો પ્રભાવ પડશે. આ શુભ યોગો સ્નાન-દાન, વ્રત અને ભગવાન વિષ્ણુની પૂજાનું અનેક ગણુ શુભ ફળ મળશે.


મહા માસની વદ પક્ષની વિજયા એકાદશી નું વ્રત પૂર્ણ શ્રદ્ધાથી કરવાથી મનુષ્ય દરેક કાયૅમાં વિજય મળે છે. આ વિજયા એકાદશી ના પ્રભાવ થી અને તેના શ્રવણ પઠનથી સમસ્ત પાપ નષ્ટ થઈને સ્વગૅ માં સ્થાન મળે.

 

વિજયા એકાદશી વ્રત કથા |

 

 

 સંઘ્યા સમયે એકવાર પાઠ કરો આ સ્તોત્ર દેવીની કૃપા રહેશે ગુજરાતી લખાણ સાથે 

 

 રાત્રે એકવાર શ્રી મહાલક્ષ્મીની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો

 

હનુમાનજી રામ નામથી શરૂ થતો સ્ત્રોત છે દરેક કામમાં રક્ષણ આપે 

 

વાંચો "" હનુમાનજી વડવાનલ સ્ત્રોત ""  

 

ગીતાજી માં કહેલા શ્રી વિષ્ણુ ભગવાન ૧૦૮ નામ 

 

શ્રી લક્ષ્મીનારાયણ દેવ આ પાઠ કરવાથી તમામ પાપોમાંથી મુક્તિ થઈ વિષ્ણુ લોક પ્રાપ્તિ થાય છે  

 

 ગીતાજીમાં કહેલા શ્રી કૃષ્ણ ભગવાનના 108 નામ.

 

 શુભ દિવસે શ્રી મહાલક્ષ્મી માં ના ૧૦૮ નામ જાપ 


 

 """ શ્રી વિષ્ણ્વષ્ટકમ્   """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.   


દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી અહી ક્લિક કરો.  

 

શ્રી હનુમાન દાદા નો આ પાઠ ચુડેલ મેલી ડાકાણ જિન સામે રક્ષણ મળે છે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

 

 રાત્રે એકવાર "" શ્રી મહાલક્ષ્મી"" ની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો

 

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission.

 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇