સોમવાર, 31 ઑગસ્ટ, 2026

શ્રાવણ વદ ચોથ બોળ ચોથ ઉપાય કરવાથી પણ સવૅ પ્રકાર ના પાપ નાશ થાય અને જીવનમાં ઉત્તરો ઉત્તરો પ્રગતિ થાય છે.| Bol Chauth upay Gujarati ma gay mata | Okhaharan

શ્રાવણ વદ ચોથ બોળ ચોથ ઉપાય કરવાથી પણ સવૅ પ્રકાર ના પાપ નાશ થાય અને જીવનમાં ઉત્તરો ઉત્તરો પ્રગતિ થાય છે.| Bol Chauth upay Gujarati ma gay mata | Okhaharan 


bol-chauth-upay-gujarati-ma-gay-mata
bol-chauth-upay-gujarati-ma-gay-mata

શ્રી ગણેશાય નમ: જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા ભક્તિ લેખમાં આજે આપણે જાણીશું શ્રાવણ વદ ચોથ એટલે બોળ ચોથ આ દિવસે જેમાં ૩૩ કરોડ દેવી દેવતા નો વાસ એવા શ્રી ગાય માતા ના પુજન નો દિવસ છે. આ પવિત્ર દિવસે થોડા નાના ૩-૪ મિનિટ ના કામ કરવાથી પણ સવૅ પ્રકાર ના પાપ નાશ થાય અને જીવનમાં ઉત્તરો ઉત્તરો પ્રગતિ થાય છે. આપણે એ જાણીએ પહેલાં ગાય માતા નો મંત્ર જાપ કરીયે " ૐ ગૌ માતાયૈ નમ:" 


બોળ ચોથ ના ગાય માતા ના ઉપાય 

આ પવિત્ર દિવસે ગાય માતાની પૂજા કરવાથી  કુંડળીમાં રહેલા જ્યોતિષીય દોષો દૂર થશે.

નિત્ય ગાયની આંખોમાં આંખો નાખી દશૅન કરવાથી જીવનમાં અપાર લાભ થશે.

જો રસ્તામાં તમને ગાય દેખાય કે જોવા મળે અથવા ત્યાંથી પસાર થતી હોય તો તેને તમારી જમણી બાજુએથી પસાર થવા દો; આનાથી તમારી કોઈ પણ યાત્રાની સફળતા સુનિશ્ચિત થાય છે.


જો તમે કોઈ યાત્રાની શરૂઆતમાં અને તમને કોઈ ગાય તમારી તરફ આવતી દેખાય એ કોઈ પણ રંગ ની હોય અથવા ગાય તેના વાછરડાને ધવડાવતી જોવા મળે, તો તે યાત્રા સફળ અને ફળદાયી રહેશે.

જે ઘરમાં કોઈ પણ પ્રકાર નો વાસ્તુ દોષ હોય અને તમે ધરે ગાય નું પાલન પુજન પોષણ કરો તો તે વાસ્તુદોષ  આપમેળે જ દૂર થઈ જાય છે.


જો તમે 'પિતૃદોષ'ને કારણે સંઘર્ષપૂર્ણ જીવન જીવી રહ્યા હોવ, તો ગોમાતાને દરરોજ રોટલી, ગોળ અને લીલો ચારો ખવડાવો. જો દરરોજ ખવડાવવું શક્ય ન હોય, તો માત્ર અમાસના દિવસે આમ કરવાથી પણ પિતૃદોષનું નિવારણ થઈ શકે છે.


જો તમને વારંવાર દુઃખ સ્વપ્નો આવતા હોય, તો રાત્રીના સૂતાં પહેલાં એકવાર બસ 'ગો માતા'નું સ્મરણ કરો; થોડા જ દિવસોમાં દુઃખ સ્વપ્નો આવવાનું બંધ થઈ જશે.

નિત્ય ગાય માતાના દૂધમાંથી બનેલા ઘીને આયુ (જેનો અર્થ 'આયુષ્ય' કે જીવનશક્તિ' થાય છે) તરીકે પણ ઓળખવામાં આવે છે, તેથી જ તેને આયુર્વે ધૃતમ્' કહેવામાં આવે છે. પરિણામે, ગૌ માતાનું દૂધ અને ઘીનું સેવન કરવાથી દીર્ધાયુષ્ય પ્રાપ્ત થાય છે.


મિત્રો હું આશા રાખું છું આ લેખ તમને પસંદ આવશે નિત્ય ભક્તિ તમારા મોબાઈલ માં મેળવવા નીચે લિંક પર ક્લિક કરો.

 

ગાયત્રી મંત્ર જાપ સમયે ઘ્યાન રાખવાની બાબતો | જાપ થી શું ફળ મળે છે ગુજરાતીમાં અહી ક્લિક કરો.   

 

આજે જાણો ગાયત્રી માં મહિમા અને ગાયત્રી મંત્ર નો અથૅ ગુજરાતીમાં

 

ગુરૂવારે શ્રી દત્તાત્રેય ભગવાનના 108 નામ પાઠ કરો ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.   

 

ગુરૂવારના દિવસે કરો 5 કાયૅ જે તમારી બધી મુશ્કેલીનો અંત લાવી શ્રી લક્ષ્મીજી ની કૃપા રહેશે અહી ક્લિક કરો.   

 

ગુરૂવારે એકવાર શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત ગુજરાતીમાં અહી ક્લિક કરો.  

ગુરુવારે કરો ગીતાજી માં કહેલા શ્રી વિષ્ણુ ભગવાન ૧૦૮ નામ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

શ્રી ગણેશ આ કવચ નો પાઠ કરવાથી આસુરી તત્વો થી રક્ષા કરનારું નું છે અહી ક્લિક કરો. 

 

આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો. 

 

ગીતાજી માં કહેલા શ્રી વિષ્ણુ ભગવાન ૧૦૮ નામ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

 

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

  

 """ શ્રી વિષ્ણુ સ્તુતિ """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

 

 """ શ્રી વિષ્ણ્વષ્ટકમ્   """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.   


 આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો.  

 

દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી અહી ક્લિક કરો.  

 

 શ્રી હનુમાન દાદા નો આ પાઠ ચુડેલ મેલી ડાકાણ જિન સામે રક્ષણ મળે છે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

 

શ્રી હનુમાન દાદા નો "" વડવાનલ સ્ત્રોત ""  નો પાઠ  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

શ્રી "" દેવીકવચ "" ગુજરાતી ભાષાંતર સાથે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 

 સંઘ્યા સમયે એકવાર પાઠ કરો આ ""સ્તોત્ર દેવી"" ની કૃપા રહેશે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 

 રાત્રે એકવાર "" શ્રી મહાલક્ષ્મી"" ની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો

 

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

 DISCLAIMER: Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976, Allowance is made for "Fair Use" for purposes. 


અહી ઉપરોક્ત આપેલ કોઈપણ માહિતી અથવા આ કંઈ પણ કાયૅ ઈન્ટરનેટ, ચોપડી, જુનાં ગ્રંથો આઘારિત છે.આ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.આમાં www.okhaharan.com તેની પુષ્ટિ કરતું નથી.

સોમવાર, 10 ઑગસ્ટ, 2026

જીવંતિકા માં વ્રત કયારે છે ? જીવંતિકા માં વ્રત ઉજવણું કેવી રીતે કરવી ? | jivantika vrat date 2026 vrat ujavanu Gujarati | Okhaharan

જીવંતિકા માં વ્રત કયારે છે ? જીવંતિકા માં વ્રત ઉજવણું કેવી રીતે કરવી ?  | jivantika vrat date 2026 vrat ujavanu Gujarati | Okhaharan 


jivantika-vrat-date-2026-vrat-ujavanu
jivantika-vrat-date-2026-vrat-ujavanu

શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખ માં આજે આપણે જાણીશું 2026 જીવંતિકા માં વ્રત કયારે છે ? જીવંતિકા માં વ્રત ઉજવણું કેવી રીતે કરવી ?


સોહાગણ સ્ત્રીઓના સર્વ મનોરથ અને મનોકામના પૂર્ણ કરનાર આ વ્રત શાસ્ત્રોમાં ઉત્તમ ગણાયું છે. સર્વ રીતે મંગલ કરનાર, આધિ-વ્યાધિ અને ઉપાધિ હરનાર, દુ:ખ-શોક દૂર કરનાર અને સકળ શુભ મનોરથ સિદ્ધ કરનાર આ અતિ પવિત્ર જીવંતિકા વ્રત પવિત્ર શ્રાવણ માસના પ્રથમ શુક્રવારે કરાય છે. સોહાગણ સ્ત્રી પોતાનાં સંતાનોના દીર્ઘાયુષ્ય માટે તેમજ પોતાના સૌભાગ્યની રક્ષા માટે શ્રદ્ધાથી આ વ્રત કરે છે. આ વ્રત કરનાર સોહાગણ સ્ત્રીનાં સંતાનોની માં જીવંતકા સર્વ પ્રકારે રક્ષા કરે છે.

આ વ્રત શ્રદ્ધાથી કરનાર સોહાગણ સ્ત્રીના બાળકની દેશ-પરદેશમાં, શહેર-જંગલમાં, અજવાળે-અંધારે માં જીવંતિકા રક્ષા કરે છે. પુરાણોએ અતિ પવિત્ર માનેલા આ વ્રતનો પ્રભાવ એટલો બધો છે કે જેના બાળક જીવતા ન હોય એ જીવે છે અને વળી, દીર્ઘાયુષ્ય પામે છે. વાંઝણી ને સ્ત્રી પુત્રરત્ન પામે છે. માં જીવંતિકાના પ્રતાપે એનું વાંઝિયામેણું ટળે છે. વળી, આ વ્રતનું માહાત્મ્ય એવું છે કે વિધવા સ્ત્રી પણ પોતાનાં સંતાનોના દીર્ઘાયુષ્ય માટે તેમજ તેની રક્ષા માટે આ વ્રત કરી શકે છે.

મા જીવંતિકા વ્રતનું ઉજવણું


આ વ્રત પાંચ, સાત કે નવ વર્ષે ઉજવાય છે. આ વ્રતનું ઉજવણું પવિત્ર શ્રાવણ માસના પ્રથમ શુક્રવારે કરવું. પ્રથમ શુક્રવારે કોઈ અડચણ કે આવરણ હોય તો કોઈ પણ શુક્રવારે કરવામાં બાધ નથી. ઉજવણામાં એક સૌભાગ્યવતી સ્ત્રી,એક કુંવારિકા અને એક બટુક એમ ત્રણ જણાને ભાવપૂર્વક જમાડવા. જમણમાં મિષ્ટાન બનાવવા. વ્રત ઉજવનાર તથા ઘરના સર્વે જમી શકે છે. કારણ કે આ જમણ મા જીવંતિકાની પ્રસાદી ગણાય. માં જીવંતિકાનો પ્રસાદ લેનાર જીવમાત્રના આચાર-વિચાર અને વાણી-વર્તન શુદ્ધ થાય છે.


- સૌભાગ્યવતી સ્ત્રી, કુંવારિકા તથા બટુકને જમાડયા પહેલાં કંકુ, ચોખા અને પુષ્પથી એમનું પૂજન કરવું. યથાશક્તિ વસ્ત્રો આપવાં. શક્તિ ન હોય તો પણ સૌભાગ્યના શણગાર, જેમકે ચૂડી-ચાંદલો વગેરે તો આપવા જ. જમાડયા પછી યથાશક્તિ દક્ષિણા આપવી અને શ્રદ્ધાપૂર્વક વંદન કરવા. વ્રત ઊજવ્યા પછી પણ આ વ્રત આખી જિંદગી કરી શકાય. એનાથી મા જીવંતિકાની અમીદ્રષ્ટિ રહે છે. જોકે એક વાર વ્રત ઊજવી લીધા પછી ફરીવાર ઉજવણું ન કરવું.

જીવંતિકા વ્રત 5 શુક્રવાર


આ વષૅ 2026 માં જીવંતિકા વ્રત 5 શુક્રવાર છે જેની તારીખ આ પ્રમાણે છે.
પ્રથમ 14-8-2026
દ્રિતીય 21-8-2026
તૃતીયા 28-8-2026
ચતૃથ 4-9-2026
પંચમ – 11-9-2026
 પરંતુ આ છેલ્લા શુક્રવાર અમાસ હોવાથી આ દિવસે વ્રત ના કરો

શ્રાવણ માસ શુક્રવાર જીવંતિકા વ્રત કથા ગુજરાતીમાં



"" શિવજી ના 108 નામ "" જાપ ગુજરાતી લખાણ સાથે

 

શ્રી હનુમાન દાદા નો વડવાનલ સ્ત્રોત નો પાઠ  ગુજરાતી લખાણ સાથે 

 

 સંઘ્યા સમયે એકવાર પાઠ કરો આ સ્તોત્ર દેવીની કૃપા રહેશે ગુજરાતી લખાણ સાથે

 

 રાત્રે એકવાર શ્રી મહાલક્ષ્મીની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો

 

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

શ્રી મહાલક્ષ્મી નો આ પાઠ કરવાથી ગરીબ પણ કરોડપતિ બની જાય અહી ક્લિક કરો.      

 

શુભ દિવસે શ્રી મહાલક્ષ્મી માં ના ૧૦૮ નામ જાપ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission.

 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇


 DISCLAIMER: Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976, Allowance is made for "Fair Use" for purposes. 


અહી ઉપરોક્ત આપેલ કોઈપણ માહિતી અથવા આ કંઈ પણ કાયૅ ઈન્ટરનેટ, ચોપડી, જુનાં ગ્રંથો આઘારિત છે.આ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.આમાં www.okhaharan.com તેની પુષ્ટિ કરતું નથી.

રવિવાર, 9 ઑગસ્ટ, 2026

એકાદશી ના પવિત્ર દિવસે પાઠ કરીશું શ્રી રાધાજી ની સ્તુતિ | Radha Stuti in Gujarati Lyrics |Okhaharan

એકાદશી ના પવિત્ર દિવસે પાઠ કરીશું શ્રી રાધાજી ની સ્તુતિ | Radha Stuti in Gujarati Lyrics | Okhaharan


radha-stuti-in-gujarati-lyrics
radha-stuti-in-gujarati-lyrics

શ્રી ગણેશાય નમ: જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારૂં આપણાં ભક્તિ લેખમાં આજે એકાદશી એટલે કમૅ નું ફળ આપનારી એકાદશી આજના પવિત્ર દિવસે પાઠ કરીશું શ્રી રાધાજી ની સ્તુતિ જેના પઠન શ્રવણ માત્રથી સવૅ પાપ નષ્ટ થઈ ને સ્વગૅ લોકની પ્રાપ્તિ થાય.


બોલીયે શ્રી રાધાજી ની જય 

 શ્રી રાધા સ્તુતિ

ગો લોકનાથસ્ત્વમતી વલીલો 
લીલાપતીયં નિજલોકલીલા । 
વૈકુષ્ઠનાથોડસિ યદા ત્વમેવ
 લક્ષ્મીસ્તદેવં વૃષભાનુજા હિ II


 ત્વં બ્રહ્મ ચેયં પ્રકૃતિસ્તટસ્થા કાલો
 યદેમાં ચ વિદુઃ પ્રધાનમ્ | 
મહાન્યદા ત્વં જગદ કુરોઽસિ
 રાધા હૃદયં સગુણા ચ માયા !! 


શ્યામં ચ ગૌર વિદિતં દ્વિધા 
મહસ્તવૈવ સાક્ષાત્ પુરુષોત્તમોત્તમમ્ । 
ગોલોકધામાધિપતિં પરેશં પરાત્પરં 
ત્વા શરણં વ્રજામ્યહમ્ ॥


ૐ શ્રી રાધા કૃષ્ણ ની જય .

 

 શ્રી કૃષ્ણ સરસ મજાની સ્તુતિ અહી ક્લિક કરો

 

જેઠ વદ અગિયારસ ના દિવસે શિવ મંદિર કરી આ એક કામ તમારી કિસ્મત બદલતા કોઈ રોકી નહીં શકે અહી ક્લિક કરો.

 

એકાદશી ના કેટલાક નિમ્નલિખિત કયો ના કરવા જોઈએ તે વાંચવા અહીં ક્લિક કરો

 

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

  

 """ શ્રી વિષ્ણુ સ્તુતિ """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

 

 """ શ્રી વિષ્ણ્વષ્ટકમ્   """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.   


 આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો.  

 

દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી અહી ક્લિક કરો.  

 

શ્રી હનુમાન દાદા નો આ પાઠ ચુડેલ મેલી ડાકાણ જિન સામે રક્ષણ મળે છે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

 

શ્રી હનુમાન દાદા નો "" વડવાનલ સ્ત્રોત ""  નો પાઠ  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

શ્રી "" દેવીકવચ "" ગુજરાતી ભાષાંતર સાથે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 

 સંઘ્યા સમયે એકવાર પાઠ કરો આ ""સ્તોત્ર દેવી"" ની કૃપા રહેશે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 

 રાત્રે એકવાર "" શ્રી મહાલક્ષ્મી"" ની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો

 

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 
In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission.


  જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

DISCLAIMER: Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976, Allowance is made for "Fair Use" for purposes. 


અહી ઉપરોક્ત આપેલ કોઈપણ માહિતી અથવા આ કંઈ પણ કાયૅ ઈન્ટરનેટ, ચોપડી, જુનાં ગ્રંથો આઘારિત છે.આ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.આમાં www.okhaharan.com તેની પુષ્ટિ કરતું નથી.

શુક્રવાર, 7 ઑગસ્ટ, 2026

દશામા વ્રત 2026 ક્યારે કરવું? | અષાઢ અમાસ તારીખ, પૂજા વિધિ અને મહાત્મ્ય | Dashama vrat 2026 date gujarati calendar | Okhaharan

દશામા વ્રત 2026 ક્યારે કરવું? | અષાઢ અમાસ તારીખ, પૂજા વિધિ અને મહાત્મ્ય | Dashama vrat 2026 date gujarati calendar | Okhaharan 


dashama-vrat-2026-date-gujarati
dashama-vrat-2026-date-gujarati

શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારૂ આપણા ગુજરાતી ભક્તિ લેખમાં આજે આપણે જાણીશું કે વર્ષ 2026માં દશામા વ્રત ક્યારે શરૂ કરવું? પંચાંગ અને દશામા વ્રતકથાના આધારે સાચી તારીખ કઈ છે? જો તમને પણ આ બાબતે મૂંઝવણ હોય તો આ લેખ અંત સુધી જરૂર વાંચો.

ૐ દશા માતાભ્યો નમઃ

શું કરવું? (દશામા વ્રતમાં)

દશામાનું વ્રત ભક્તિ, શ્રદ્ધા અને નિયમનું વ્રત માનવામાં આવે છે. વ્રત દરમિયાન નીચેના કાર્યો કરવાનું શુભ માનવામાં આવે છે.

૧. સવારે વહેલા ઊઠીને સ્નાન કરવું
વ્રતના દિવસે બ્રહ્મમુહૂર્ત અથવા વહેલી સવારે ઉઠીને સ્નાન કરીને સ્વચ્છ વસ્ત્રો ધારણ કરવા.

૨. દશામાની સ્થાપના કરવી
ઘરમાં બાજઠ પર ઘઉંની ઢગલી કરીને તેના ઉપર દશામાની મૂર્તિ અથવા ચિત્રની સ્થાપના કરવી.

૩. માતાજીનો શૃંગાર કરવો
કંકુ, અક્ષત, ફૂલ, ચૂંદડી, હાર અને પોતાની શક્તિ મુજબ શૃંગાર કરવો.

૪. દીવો અને ધૂપ પ્રગટાવવા
ઘીનો દીવો તથા ધૂપ પ્રગટાવીને માતાજીની પૂજા કરવી.


૫. દશામા વ્રતકથા સાંભળવી
દરરોજ દશામાની વ્રતકથા, આરતી અને સ્તુતિનું શ્રવણ અથવા પાઠ કરવો.

૬. મંત્ર જાપ કરવો
ભક્તિપૂર્વક નીચેના મંત્રનો જાપ કરવો.
ૐ શ્રી દશા માતાયૈ નમઃ॥

૭. સાત્વિક ભોજન કરવું
વ્રત દરમિયાન સાત્વિક આહાર લેવો અને મનમાં સારા વિચારો રાખવા.

૮. દાન અને સેવા કરવી
પોતાની શક્તિ મુજબ જરૂરિયાતમંદોને દાન આપવું અને ગાય, પક્ષી અથવા અન્ય જીવની સેવા કરવી.

૯. દસમા દિવસે વિધિપૂર્વક વિસર્જન કરવું
વ્રત પૂર્ણ થયા પછી વિધિપૂર્વક માતાજીનું વિસર્જન કરવું.

શું ન કરવું? (દશામા વ્રતમાં)

પરંપરાગત માન્યતા અનુસાર વ્રત દરમિયાન નીચેની બાબતો ટાળવી શુભ માનવામાં આવે છે.

૧. ક્રોધ અને ઝઘડો ન કરવો
વ્રત દરમિયાન ગુસ્સો, કટુ વાણી અને વિવાદથી દૂર રહેવું.

૨. અસત્ય બોલવું નહીં
હંમેશા સત્ય બોલવાનો પ્રયત્ન કરવો.

૩. તામસિક ભોજન ટાળવું
માંસાહાર, દારૂ અને અન્ય તામસિક વસ્તુઓથી દૂર રહેવું.

૪. પૂજા અધૂરી ન છોડવી
જે નિયમથી વ્રત શરૂ કર્યું હોય તે નિયમનું પાલન કરવું.

૫. કોઈનું અપમાન ન કરવું
માતા-પિતા, વડીલો, ગુરુજનો અને જરૂરિયાતમંદ લોકોનો આદર કરવો.


૬. સ્વચ્છતાની અવગણના ન કરવી
પૂજાનું સ્થાન અને ઘર સ્વચ્છ રાખવું.

૭. નકારાત્મક વિચારો ન રાખવા
ઈર્ષ્યા, દ્વેષ અને અહંકારથી દૂર રહીને માતાજીનું સ્મરણ કરવું.

મહત્વ ની વાત
દશામા વ્રતના નિયમો વિવિધ પ્રદેશો અને પરિવારની પરંપરા અનુસાર થોડા અલગ હોઈ શકે છે. તેથી જો તમારા કુટુંબમાં કોઈ વિશેષ પરંપરા ચાલતી હોય, તો તેનું પાલન કરવું વધુ યોગ્ય માનવામાં આવે છે.

સૌ પ્રથમ પંચાંગ અને દશામા વ્રતકથાના આધારે સાચી માહિતી જાણી લઈએ જેથી તમારી તમામ શંકાઓ દૂર થઈ જાય.

દશામાનું વ્રત અષાઢ માસની અમાસ (જેને ઘણા વિસ્તારોમાં દિવાસો તરીકે પણ ઓળખવામાં આવે છે) ના દિવસે શરૂ કરવામાં આવે છે. આ જ દિવસથી એવરત-જીવરત અને દશામાના વ્રતનો પ્રારંભ કરવાનો શાસ્ત્રીય નિયમ માનવામાં આવે છે.

વર્ષ 2026માં અષાઢ અમાસ ક્યારે છે?

અષાઢ અમાસ તિથિ
•શરૂઆત: 12 ઓગસ્ટ 2026, બુધવાર, વહેલી સવારે 1:52 વાગ્યે
•સમાપ્તિ: 12 ઓગસ્ટ 2026, બુધવાર, રાત્રે 11:05 વાગ્યે
અમાસના દિવસે ચંદ્ર પોતાની શૂન્ય કળામાં હોય છે, તેથી આ તિથિ વિશેષ આધ્યાત્મિક મહત્વ ધરાવે છે.

આ વર્ષે 12 ઓગસ્ટ 2026, બુધવારના રોજ અષાઢ અમાસ હોવાથી આ જ દિવસે દશામા વ્રતનો પ્રારંભ કરવો શાસ્ત્રોક્ત માનવામાં આવે છે.



ૐ શ્રી દશા માતાયૈ નમઃ 

દશામા વ્રતનું મહાત્મ્ય

ધાર્મિક માન્યતા મુજબ જે ભક્ત દશામાનું વ્રત સંપૂર્ણ શ્રદ્ધા, ભક્તિ અને નિયમપૂર્વક કરે છે, તેના જીવનમાં માતા દશામાની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે.

દશામાના આશીર્વાદથી—
•જીવનની ખરાબ દશા સુધરે છે.
•ગરીબી અને આર્થિક સંકટ દૂર થાય છે.
•ઘરમાં અન્ન અને ધનના ભંડાર ભરાય છે.
•સુખ, શાંતિ અને સમૃદ્ધિનો વાસ થાય છે.
•નિઃસંતાન દંપતીને સંતાનપ્રાપ્તિનું આશીર્વાદ મળે છે.
•નિર્ધન વ્યક્તિને ધનપ્રાપ્તિના માર્ગ ખુલ્લા થાય છે.
•સંકટના સમયમાં માતા દશામા પોતાના ભક્તની રક્ષા કરે છે.
•જેના ઉપર માતા દશામાની કૃપા હોય છે તેના ઉપર ૩૩ કરોડ દેવતાઓની કૃપા પણ પ્રાપ્ત થાય છે અને ગ્રહદોષની અશુભ અસર ઓછી થતી હોવાનું માનવામાં આવે છે.

દશામા વ્રતની સરળ વિધિ

દશામાનું વ્રત અમાસના દિવસે શરૂ કરવામાં આવે છે.
વ્રતના પ્રથમ દિવસે—
•ઘરમાં દશામાની મૂર્તિ અથવા ચિત્રની સ્થાપના કરો.
•બાજઠ પર ઘઉંની ઢગલી બનાવી તેના ઉપર માતાજીની સ્થાપના કરો.
•માતાજીનો સુંદર શૃંગાર કરો.
•ફળ, મીઠાઈ અથવા પોતાની શક્તિ મુજબ ભોગ અર્પણ કરો.
•દરરોજ પૂજા, આરતી અને દશામા વ્રતકથાનું શ્રવણ કરો.
•દસ દિવસ સુધી નિયમિત ભક્તિભાવથી સેવા કરો.
•દસમા દિવસે વિધિપૂર્વક વિસર્જન કરીને માતાજીને જળમાં પધરાવો.

વર્ષ 2026માં દશામાનું વ્રત બુધવાર, 12 ઓગસ્ટ 2026ના રોજ અષાઢ અમાસથી શરૂ કરવું. પંચાંગ અને દશામા વ્રતકથાના આધારે આ જ તારીખ યોગ્ય માનવામાં આવે છે.
માતા દશામા સૌના જીવનમાંથી દુઃખ, કષ્ટ અને અશુભ દશાનો નાશ કરીને સુખ, શાંતિ, સમૃદ્ધિ અને સદૈવ પોતાના આશીર્વાદ વરસાવે એવી પ્રાર્થના.

ૐ મોમાઈ માતાયૈ નમઃ ।।

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

  

 """ શ્રી વિષ્ણુ સ્તુતિ """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

 

 """ શ્રી વિષ્ણ્વષ્ટકમ્   """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.   


 આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો.  

 

દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી અહી ક્લિક કરો.  

 

શ્રી હનુમાન દાદા નો આ પાઠ ચુડેલ મેલી ડાકાણ જિન સામે રક્ષણ મળે છે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

 

શ્રી હનુમાન દાદા નો "" વડવાનલ સ્ત્રોત ""  નો પાઠ  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

શ્રી "" દેવીકવચ "" ગુજરાતી ભાષાંતર સાથે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 

 સંઘ્યા સમયે એકવાર પાઠ કરો આ ""સ્તોત્ર દેવી"" ની કૃપા રહેશે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 

 રાત્રે એકવાર "" શ્રી મહાલક્ષ્મી"" ની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો

 

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission.

 

 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

DISCLAIMER: Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976, Allowance is made for "Fair Use" for purposes. 


અહી ઉપરોક્ત આપેલ કોઈપણ માહિતી અથવા આ કંઈ પણ કાયૅ ઈન્ટરનેટ, ચોપડી, જુનાં ગ્રંથો આઘારિત છે.આ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.આમાં www.okhaharan.com તેની પુષ્ટિ કરતું નથી.

શનિવાર, 1 ઑગસ્ટ, 2026

અષાઢ માસની સંકષ્ટી ચતુર્થી કયારે છે ? 2 કે 3 ઓગસ્ટ? ઉપવાસ ક્યારે કરવો? ચંદ્ર દશૅન નો સમય શુ છે ? | Ashad Sankashti Chaturthi 2026 | Okhaharan

અષાઢ માસની સંકષ્ટી ચતુર્થી કયારે છે ? 2 કે 3 ઓગસ્ટ?  ઉપવાસ ક્યારે કરવો? ચંદ્ર દશૅન નો સમય શુ છે ? | Ashad Sankashti Chaturthi 2026 | Okhaharan 

ashad-sankashti-chaturthi-2026
ashad-sankashti-chaturthi-2026

સ્વાગત છે તમારા પોતાના ગુજરાતી ભક્તિ લેખમાં. આજે આપણે જાણીશું અષાઢ માસની સંકષ્ટી ચતુર્થી 2026 વિશેની સંપૂર્ણ માહિતી. આ વર્ષે સંકષ્ટી ચતુર્થી 2 ઓગસ્ટ કે 3 ઓગસ્ટ? ઉપવાસ ક્યારે કરવો?, આ દિવસે ભગવાન શ્રી ગણેશના કયા સ્વરૂપનું પૂજન કરવું?, ચંદ્રદર્શનનો સમય શું છે?, તેમજ આ ચતુર્થીનું વિશેષ મહત્વ શું છે તે તમામ માહિતી આજે આ લેખમાં જાણીશું.

સંકષ્ટી ચતુર્થીનું મહત્વ
હિંદુ ધર્મમાં દરેક તિથિ અને દરેક વાર કોઈ ને કોઈ દેવતા અથવા દેવીને સમર્પિત છે. જેમ કે સોમવાર ભગવાન મહાદેવને, એકાદશી ભગવાન શ્રી હરિ વિષ્ણુને અને અષ્ટમી માતાજીને સમર્પિત છે, તેવી જ રીતે ચતુર્થી તિથિ વિઘ્નહર્તા ભગવાન શ્રી ગણેશને સમર્પિત છે.


ચતુર્થી બે પ્રકારની હોય છે:
શુક્લ પક્ષની વિનાયક ચતુર્થી
કૃષ્ણ પક્ષની સંકષ્ટી ચતુર્થી
બંનેનું પોતપોતાનું વિશેષ મહત્વ છે. કેટલાક મહિનાઓમાં વિનાયક ચતુર્થીનું મહત્વ વિશેષ હોય છે, જ્યારે કેટલાક મહિનાઓમાં સંકષ્ટી ચતુર્થીનું મહત્વ વધુ માનવામાં આવે છે.

ગણેશ પુરાણ અનુસાર દર વર્ષે આવતા 12 મહિનાની 24 ચતુર્થી તથા ત્રણ વર્ષે આવતા અધિક માસની 2 ચતુર્થી સહિત કુલ 26 ચતુર્થીઓનું વર્ણન કરવામાં આવ્યું છે.
સંકષ્ટી ચતુર્થી શા માટે ખાસ છે?
દરેક મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્થીને સંકષ્ટી ચતુર્થી કહેવામાં આવે છે. હિંદુ ધર્મમાં આ વ્રત અત્યંત પવિત્ર અને ફળદાયી માનવામાં આવે છે.
આ દિવસે ભગવાન શ્રી ગણેશની સાથે ચંદ્રદેવનું પણ પૂજન કરવામાં આવે છે. ભગવાન શ્રી ગણેશ પ્રથમ પૂજનીય દેવ છે. માતા પાર્વતી અને ભગવાન શંકરના આશીર્વાદથી તેમને દરેક શુભ કાર્ય પહેલાં પૂજવાનો અધિકાર પ્રાપ્ત થયો છે.

ભગવાન ગણેશને વિઘ્નહર્તા, બુદ્ધિના દાતા અને મંગલકારક દેવ તરીકે પૂજવામાં આવે છે. આ દિવસે ઉપવાસ કરીને શ્રી ગણેશની ભક્તિ કરવાથી જીવનના વિઘ્નો દૂર થાય છે, જ્ઞાન, વૈભવ, સુખ, સમૃદ્ધિ અને સારા સ્વાસ્થ્યની પ્રાપ્તિ થાય છે.

સંકષ્ટી ચતુર્થીના દિવસે ભગવાન ગણેશ સાથે રિદ્ધિ અને સિદ્ધિનું પણ પૂજન કરવામાં આવે છે, જેથી દરેક કાર્યમાં સફળતા પ્રાપ્ત થાય છે.


અષાઢ માસની સંકષ્ટી ચતુર્થીનું મહત્વ અન્ય મહિનાઓની સરખામણીએ વધુ વિશેષ માનવામાં આવે છે. તેથી આ દિવસે શ્રદ્ધાપૂર્વક વ્રત, પૂજન અને મંત્રજાપ કરવાથી અનેકગણું પુણ્યફળ પ્રાપ્ત થાય છે.

અષાઢ માસની સંકષ્ટી ચતુર્થી 2026 તારીખ અને શુભ સમય
તિથિ પ્રારંભ: 1 ઓગસ્ટ 2026, શનિવાર રાત્રે 11:06 વાગ્યે
તિથિ સમાપ્તિ: 2 ઓગસ્ટ 2026, રવિવાર રાત્રે 11:14 વાગ્યે
ચતુર્થીના ઉપવાસનો નિર્ણય ચંદ્રોદય વ્યાપિ તિથિ અનુસાર લેવામાં આવે છે.

આથી સંકષ્ટી ચતુર્થીનો ઉપવાસ:
2 ઓગસ્ટ 2026, રવિવાર
પૂજનનો શુભ સમય:
સવારે 7:38 થી બપોરે 12:33 સુધી
ચંદ્રદર્શનનો સમય:
રાત્રે 9:26 વાગ્યે
ચંદ્રદર્શન અને ઉપવાસ પારણું
સંકષ્ટી ચતુર્થીનું વ્રત ચંદ્રદર્શન વિના પૂર્ણ માનવામાં આવતું નથી. તેથી રાત્રે ચંદ્રોદય થયા બાદ ચંદ્રદેવના દર્શન કરી તેમને ફૂલ, અક્ષત (ચોખા) અને જળ અર્પણ કરવું. ત્યારબાદ ભગવાન શ્રી ગણેશની પ્રાર્થના કરીને વ્રતનું પારણું કરવું.

આ દિવસે કયા સ્વરૂપના ગણેશજીનું પૂજન કરવું?
અષાઢ માસની સંકષ્ટી ચતુર્થીના દિવસે ભગવાન શ્રી ગણેશના ભાલચંદ્ર સ્વરૂપનું પૂજન કરવામાં આવે છે.


'ભાલચંદ્ર' એટલે જેમના ભાલ (કપાળ) પર ચંદ્ર શોભે છે તેવા ભગવાન શ્રી ગણેશ. આ સ્વરૂપનું પૂજન કરવાથી મનની શાંતિ, બુદ્ધિ, યશ, સમૃદ્ધિ અને જીવનના તમામ વિઘ્નો દૂર થાય છે તથા ભગવાન શ્રી ગણેશની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે.

 


સંતાન ગણપતિ સ્તોત્રમ્ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.    

 

 "" શ્રી વિષ્ણુ ચાલીસા ""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

ગીતાજી માં કહેલા શ્રી વિષ્ણુ ભગવાન ૧૦૮ નામ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

 

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

  

 """ શ્રી વિષ્ણુ સ્તુતિ """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

 

 """ શ્રી વિષ્ણ્વષ્ટકમ્   """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.   


 આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો.  

 

દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી અહી ક્લિક કરો.  


 

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission. 

 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

DISCLAIMER: Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976, Allowance is made for "Fair Use" for purposes. 


અહી ઉપરોક્ત આપેલ કોઈપણ માહિતી અથવા આ કંઈ પણ કાયૅ ઈન્ટરનેટ, ચોપડી, જુનાં ગ્રંથો આઘારિત છે.આ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.આમાં www.okhaharan.com તેની પુષ્ટિ કરતું નથી.