ગુરુવાર, 23 એપ્રિલ, 2026

ગુરુવારના ઉપાય કરવાથી જીવનમાં સુખ-સમૃદ્ધિ, ધન અને સફળતા મળે છે | Guruwar Ke Upay | Vishnuji ke upay in gujarati | Okhaharan |

ગુરુવારના ઉપાય કરવાથી જીવનમાં સુખ-સમૃદ્ધિ, ધન અને સફળતા મળે છે | Guruwar Ke Upay | Vishnuji ke upay in gujarati | Okhaharan |


guruwar-ke-upay-vishnuji-ke-upay-in
guruwar-ke-upay-vishnuji-ke-upay-in

જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખમાં હિંદુ ધર્મ પ્રમાણે ગુરુવારનો દિવસ ભગવાન વિષ્ણુ અને બૃહસ્પતિ દેવને સમર્પિત છે. આ દિવસ ધન, જ્ઞાન, સફળતા અને વૈવાહિક જીવન સાથે જોડાયેલો માનવામાં આવે છે. જો કુંડળીમાં ગુરુ ગ્રહ નબળો હોય તો પૈસાની તંગી, કામમાં નિષ્ફળતા અને લગ્નમાં મોડું થવું જેવી સમસ્યાઓ આવે છે. 

આ માટે ગુરુવારે નીચેના સરળ ઉપાય કરવાથી લાભ મળે છે:


💰 1. ધન પ્રાપ્તિ માટે ઉપાય
સ્નાન કર્યા પછી પીળા કપડા પહેરવા
બૃહસ્પતિ દેવને હળદર, ચણા દાળ અને ગુળ અર્પણ કરવું
"ૐ બૃં બૃહસ્પતયે નમઃ" મંત્રનો 108 વાર જાપ કરવો
👉 આથી અટકેલું પૈસું મળે અને નોકરીમાં સફળતા મળે છે.


🌟 2. સફળતા અને સુખ માટે ઉપાય
ગુરુવારે હળદર અથવા કેસરનો તિલક લગાવવો
ગરીબ અથવા બ્રાહ્મણને પીળું ભોજન કરાવવું
👉 આથી ઘરમાં સુખ-શાંતિ અને સમૃદ્ધિ આવે છે. 

🐄 3. નોકરી અને પ્રગતિ માટે ઉપાય
ગુરુવારે ગાયને ચણા દાળ અને ગુળ ખવડાવવું
👉 આથી કરિયર માં વૃદ્ધિ અને પ્રમોશનના ચાન્સ વધે છે. 


💍 4. લગ્નમાં વિલંબ દૂર કરવા ઉપાય
ગુરુવારે કેળાના વૃક્ષની પૂજા કરવી
પાણી, હળદર, ચણા દાળ અને પીળા ફૂલ અર્પણ કરવું
ગાયને કેળું ખવડાવવું
👉 આથી લગ્નમાં આવતી અડચણ દૂર થાય છે અને યોગ્ય જીવનસાથી મળે છે. 




⚠️ ગુરુવારે શું ન કરવું
પૈસાનું લેવડદેવડ ટાળવું
તામસિક ખોરાક ન લેવો
મોટા લોકોનો અપમાન ન કરવો
વાળ અને નખ કાપવા નહીં


👉 આ બાબતો ગુરુ ગ્રહને નબળો બનાવે છે. 
✅ સારાંશ
ગુરુવારના આ સરળ ઉપાયોથી ધન, કારકિર્દી અને લગ્ન જીવનમાં સુધારો આવી શકે છે — ખાસ કરીને જ્યારે ગુરુ ગ્રહ નબળો હોય.

"" શ્રી ગણેશ ચાલીસા "" ગુજરાતી લખાણ સાથે

 

સંતાન ગણપતિ સ્તોત્રમ્ ગુજરાતી લખાણ સાથે   

 

 "" શ્રી વિષ્ણુ ચાલીસા ""  ગુજરાતી લખાણ સાથે

 

ગીતાજી માં કહેલા શ્રી વિષ્ણુ ભગવાન ૧૦૮ નામ ગુજરાતી લખાણ સાથે  

 

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે

  

 """ શ્રી વિષ્ણુ સ્તુતિ """ ગુજરાતી લખાણ સાથે     

 

 """ શ્રી વિષ્ણ્વષ્ટકમ્   """ ગુજરાતી લખાણ સાથે   


 આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત 

 

દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી 

 

 શ્રી હનુમાન દાદા નો આ પાઠ ચુડેલ મેલી ડાકાણ જિન સામે રક્ષણ મળે છે ગુજરાતી લખાણ સાથે 

 

શ્રી હનુમાન દાદા નો "" વડવાનલ સ્ત્રોત ""  નો પાઠ  ગુજરાતી લખાણ સાથે 


શ્રી "" દેવીકવચ "" ગુજરાતી ભાષાંતર સાથે ગુજરાતી લખાણ સાથે

 

 સંઘ્યા સમયે એકવાર પાઠ કરો આ ""સ્તોત્ર દેવી"" ની કૃપા રહેશે ગુજરાતી લખાણ સાથે 

 

 રાત્રે એકવાર "" શ્રી મહાલક્ષ્મી"" ની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો


 

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission. 

 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇


DISCLAIMER: Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976, Allowance is made for "Fair Use" for purposes. 


અહી ઉપરોક્ત આપેલ કોઈપણ માહિતી અથવા આ કંઈ પણ કાયૅ ઈન્ટરનેટ, ચોપડી, જુનાં ગ્રંથો આઘારિત છે.આ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.આમાં www.okhaharan.com તેની પુષ્ટિ કરતું નથી.

બુધવાર, 22 એપ્રિલ, 2026

બુધવારના કેટલાક ખાસ ઉપાય કરવાથી જીવનમાં સુખ-સમૃદ્ધિ, ધન અને સફળતા મળે છે | Budhwar Ke Upay Ganeshji ke Upay | Okhaharan |

બુધવારના કેટલાક ખાસ ઉપાય કરવાથી જીવનમાં સુખ-સમૃદ્ધિ, ધન અને સફળતા મળે છે | Budhwar Ke Upay Ganesh Upay | Okhaharan | 


budhwar-ke-upay-ganeshji-ke-upay
budhwar-ke-upay-ganeshji-ke-upay

જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખમાં હિંદુ ધર્મ મુજબ બુધવારનો દિવસ ભગવાન ગણેશ અને બુધ ગ્રહને સમર્પિત છે. આ દિવસે કેટલાક ખાસ ઉપાય કરવાથી જીવનમાં સુખ-સમૃદ્ધિ, ધન અને સફળતા મળે છે એવી માન્યતા છે.



✨ મુખ્ય ઉપાયો
1. બુધ ગ્રહનો મંત્ર જાપ કરો
👉 મંત્ર:
“ૐ બ્રાં બ્રીં બ્રૌં સઃ બુધાય નમઃ”
👉 આ મંત્રથી બુધ ગ્રહ મજબૂત બને છે અને નકારાત્મક અસર ઘટે છે. 


2. લીલા મગનો દાન કરો
બુધવારે લીલા મગ (મૂંગ દાળ) દાન કરવું ખૂબ શુભ માનવામાં આવે છે.
👉 આથી બુધ ગ્રહ મજબૂત બને છે અને ધનપ્રાપ્તિમાં વધારો થાય છે. 


3. દુર્વા અને શમીના પાન અર્પણ કરો
👉 ગણેશજીને દુર્વા (ઘાસ) અને શમી પાન ચઢાવો.
👉 ગણેશજી ઝડપથી પ્રસન્ન થાય છે અને ઇચ્છાઓ પૂર્ણ કરે છે. 


4. ગણેશજીની પૂજા અને પાઠ કરો
👉 “ઋણહર્તા ગણેશ સ્તોત્ર” અથવા ગણેશ મંત્રનો જાપ કરવો.
👉 આથી કર્જમાંથી રાહત અને જીવનમાં પ્રગતિ મળે છે. 


5. ગાયને લીલું ચારો ખવડાવો
👉 બુધવારે ગાયને લીલું ઘાસ કે પાલક ખવડાવવું.
👉 આથી ધન-સમૃદ્ધિ મળે છે અને નવગ્રહના દોષ દૂર થાય છે. 

 🚫 બુધવારે શું ન કરવું

* પૈસાનું ઉધાર લેવું કે આપવું નહીં
* કડવી ભાષા બોલવી નહીં
* પશ્ચિમ દિશામાં મુસાફરી ટાળો
* મોટા રોકાણ (investment) કરવાનું ટાળો 

 🟡 ખાસ માન્યતાઓ
* બુધવાર ગણેશજીનો દિવસ હોવાથી પૂજા કરવાથી વિઘ્નો દૂર થાય છે
* આ દિવસે કરેલા ઉપાયથી કારકિર્દી, વેપાર અને આર્થિક સ્થિતિમાં સુધારો થાય છે
* બુધ ગ્રહ નબળો હોય તો આ ઉપાય ખૂબ લાભકારી છે 

"" શ્રી ગણેશ ચાલીસા "" ગુજરાતી લખાણ સાથે

 

સંતાન ગણપતિ સ્તોત્રમ્ ગુજરાતી લખાણ સાથે   

 

 "" શ્રી વિષ્ણુ ચાલીસા ""  ગુજરાતી લખાણ સાથે

 

ગીતાજી માં કહેલા શ્રી વિષ્ણુ ભગવાન ૧૦૮ નામ ગુજરાતી લખાણ સાથે  

 

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે

  

 """ શ્રી વિષ્ણુ સ્તુતિ """ ગુજરાતી લખાણ સાથે     

 

 """ શ્રી વિષ્ણ્વષ્ટકમ્   """ ગુજરાતી લખાણ સાથે   


 આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત 

 

દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી 

 

 શ્રી હનુમાન દાદા નો આ પાઠ ચુડેલ મેલી ડાકાણ જિન સામે રક્ષણ મળે છે ગુજરાતી લખાણ સાથે 

 

શ્રી હનુમાન દાદા નો "" વડવાનલ સ્ત્રોત ""  નો પાઠ  ગુજરાતી લખાણ સાથે 


શ્રી "" દેવીકવચ "" ગુજરાતી ભાષાંતર સાથે ગુજરાતી લખાણ સાથે

 

 સંઘ્યા સમયે એકવાર પાઠ કરો આ ""સ્તોત્ર દેવી"" ની કૃપા રહેશે ગુજરાતી લખાણ સાથે 

 

 રાત્રે એકવાર "" શ્રી મહાલક્ષ્મી"" ની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો


 

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission. 

 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇


DISCLAIMER: Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976, Allowance is made for "Fair Use" for purposes. 


અહી ઉપરોક્ત આપેલ કોઈપણ માહિતી અથવા આ કંઈ પણ કાયૅ ઈન્ટરનેટ, ચોપડી, જુનાં ગ્રંથો આઘારિત છે.આ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.આમાં www.okhaharan.com તેની પુષ્ટિ કરતું નથી.

શનિવાર, 18 એપ્રિલ, 2026

અખાત્રીજના દિવસે રાશિ મુજબ શું દાન કરવું ? | Akhatreej 12 Rashi Dan 2026 | AkshayTritiya Dan 2026 | Okhaharan

અખાત્રીજના દિવસે રાશિ મુજબ શું દાન કરવું  ? | Akhatreej 12 Rashi Dan 2026 | AkshayTritiya Dan 2026 | Okhaharan 



akhatreej-12-rashi-dan-2026
akhatreej-12-rashi-dan-2026

અક્ષય તૃતીયા (અખાત્રીજ) ના પવિત્ર દિવસે દાન કરવાનું વિશેષ મહત્વ છે. શાસ્ત્રો મુજબ આ દિવસે કરવામાં આવેલું દાન 'અક્ષય' (જેનો ક્યારેય ક્ષય ન થાય તેવું) ફળ આપે છે.


ૐ શ્રી મહાલક્ષ્મી દેવયૈ નમઃ

અક્ષય તૃતીયા 2026 શુભ સમય:

અક્ષય તૃતીયા  તિથિ શરૂઆત  19 એપ્રિલ 2026 , સવારે 10:49 વાગ્યે

તિથિ સમાપ્ત રવિવાર 20 એપ્રિલ 2026 , સવારે 07:27 વાગ્યે

આમ 19 એપ્રિલ 2026 અક્ષય તૃતીયા રહેશે આ દિવસે

પુજન શુભ સમય 19 એપ્રિલ, સવારે 10:49 થી બપોરે 12:20 સુધી 

વર્ષ 2026 માં તમારી રાશિ મુજબ તમારે કઈ વસ્તુઓનું દાન કરવું જોઈએ તેની વિગતવાર યાદી નીચે મુજબ છે:


♈ મેષ (Aries)
મેષ રાશિના જાતકોએ આ દિવસે લાલ મસૂરની દાળ, લાલ વસ્ત્ર અથવા ગોળનું દાન કરવું જોઈએ. તેનાથી હનુમાનજીની કૃપા જળવાઈ રહેશે.

♉ વૃષભ (Taurus)
આ રાશિના લોકોએ સાકર, ચોખા, દૂધ અથવા સફેદ વસ્ત્રનું દાન કરવું શુભ ગણાય છે. તેનાથી માનસિક શાંતિ અને આર્થિક સમૃદ્ધિ મળે છે.

♊ મિથુન (Gemini)
મિથુન રાશિના જાતકોએ લીલા મગની દાળ, લીલા શાકભાજી અથવા વસ્ત્રોનું દાન કરવું જોઈએ. તેનાથી તમારા વ્યવસાયમાં પ્રગતિ થશે.

♋ કર્ક (Cancer)
આ રાશિના જાતકોએ ચાંદીની વસ્તુ, પતાસા, દૂધ અથવા પીવાનું પાણી (ઠંડા પાણીની પરબ) સેવા આપવી જોઈએ. તેનાથી ચંદ્ર મજબૂત બને છે.


♌ સિંહ (Leo)
સિંહ રાશિના લોકોએ ઘઉં, લાલ ચંદન અથવા તાંબાના વાસણનું દાન કરવું જોઈએ. સૂર્યદેવની કૃપાથી સમાજમાં માન-સન્માન વધશે.

♍ કન્યા (Virgo)
આ રાશિના જાતકોએ પાન, લીલા ફળ અથવા ગાયને લીલું ઘાસ ખવડાવવું જોઈએ. તેનાથી બૌદ્ધિક ક્ષમતામાં વધારો થશે.

♎ તુલા (Libra)
તુલા રાશિના લોકોએ સફેદ ચંદન, ઘી, દહીં અથવા અત્તરનું દાન કરવું જોઈએ. આનાથી તમારા જીવનમાં વૈભવ અને સુખ વધશે.

♏ વૃશ્ચિક (Scorpio)
આ રાશિના જાતકોએ ગોળ, લાલ ફળ અથવા મધનું દાન કરવું જોઈએ. શત્રુઓ પર વિજય મેળવવા માટે આ દાન ઉત્તમ છે.

♐ ધનુ (Sagittarius)
ધનુ રાશિના લોકોએ ચણાની દાળ, હળદર, કેળા અથવા પીળા વસ્ત્રનું દાન કરવું જોઈએ. તેનાથી ભાગ્યનો સાથ મળશે.


♑ મકર (Capricorn)
મકર રાશિના જાતકોએ કાળા તલ, લોખંડની વસ્તુ અથવા છત્રીનું દાન કરવું જોઈએ. શનિદેવની પીડામાંથી મુક્તિ મળશે.

♒ કુંભ (Aquarius)
આ રાશિના લોકોએ નારિયેળ, સરસવનું તેલ અથવા અનાજનું દાન કરવું જોઈએ. સામાજિક કાર્યોમાં સફળતા મળશે.

♓ મીન (Pisces)
મીન રાશિના જાતકોએ કેસર, પીળા ફૂલો, ધાર્મિક પુસ્તકો અથવા ચણાનું દાન કરવું અત્યંત કલ્યાણકારી રહેશે.

💡 અખાત્રીજના દિવસે સામાન્ય દાન (બધી રાશિઓ માટે)
જો તમે રાશિ મુજબ દાન ન કરી શકો, તો આ દિવસે નીચેની વસ્તુઓનું દાન સૌ કોઈ કરી શકે છે:


જળનું દાન: માટીના ઘડામાં પાણી ભરીને દાન કરવું.

જવનું દાન: જવને સુવર્ણ સમાન માનવામાં આવે છે.

સીધું (અનાજ): લોટ, દાળ અને ચોખાનું દાન.

પગરખાં અને છત્રી: ઉનાળાની ઋતુ હોવાથી આ વસ્તુઓનું દાન શ્રેષ્ઠ ગણાય છે.

નોંધ: દાન હંમેશા સાચા મનથી અને શ્રદ્ધાપૂર્વક કરવું જોઈએ. જે પણ દાન કરો તે તમારી શક્તિ મુજબ કરશો તો પણ અક્ષય પુણ્યની પ્રાપ્તિ થશે.

ગીતાજી માં કહેલા શ્રી વિષ્ણુ ભગવાન ૧૦૮ નામ 

 

શ્રી લક્ષ્મીનારાયણ દેવ આ પાઠ કરવાથી તમામ પાપોમાંથી મુક્તિ થઈ વિષ્ણુ લોક પ્રાપ્તિ થાય છે  

 

 ગીતાજીમાં કહેલા શ્રી કૃષ્ણ ભગવાનના 108 નામ.

 

 શુભ દિવસે શ્રી મહાલક્ષ્મી માં ના ૧૦૮ નામ જાપ 


 

 """ શ્રી વિષ્ણ્વષ્ટકમ્   """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.   


દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી અહી ક્લિક કરો.  

 

શ્રી હનુમાન દાદા નો આ પાઠ ચુડેલ મેલી ડાકાણ જિન સામે રક્ષણ મળે છે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

 

 રાત્રે એકવાર "" શ્રી મહાલક્ષ્મી"" ની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો

 

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission.

 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

DISCLAIMER: Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976, Allowance is made for "Fair Use" for purposes. 


અહી ઉપરોક્ત આપેલ કોઈપણ માહિતી અથવા આ કંઈ પણ કાયૅ ઈન્ટરનેટ, ચોપડી, જુનાં ગ્રંથો આઘારિત છે.આ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.આમાં www.okhaharan.com તેની પુષ્ટિ કરતું નથી.

શુક્રવાર, 17 એપ્રિલ, 2026

કીડીયારું શા માટે પૂરવું | કીડીયારું પૂરવાનું મહત્વ | ચૈત્ર માસ ઉપાય | કર્જ મુક્તિ ઉપાય | ચૈત્ર માસમાં કીડીયારું પૂરવાનો ચમત્કારી ઉપાય | કર્જમાંથી મુક્તિ મેળવો | Kidiyaaru Purvanu Mahatva | Okhaharan

કીડીયારું શા માટે પૂરવું | કીડીયારું પૂરવાનું મહત્વ | ચૈત્ર માસ ઉપાય | કર્જ મુક્તિ ઉપાય | ચૈત્ર માસમાં કીડીયારું પૂરવાનો ચમત્કારી ઉપાય | કર્જમાંથી મુક્તિ મેળવો | Kidiyaaru Mahatva | Okhaharan

kidiyaaru-purvanu-mahatva
kidiyaaru-purvanu-mahatva

કીડીયારું શા માટે પૂરવામાં આવે છે? શું છે તેની માન્યતા? (ચૈત્ર માસનો વિશેષ ઉપાય)

જય શ્રીકૃષ્ણ મિત્રો,

આપણે ચૈત્ર માસ દરમિયાન કરવાનું એક અત્યંત શુભ અને શાસ્ત્રોમાં વર્ણવાયેલું ઉપાય જાણશું. આ ઉપાય ખાસ કરીને કર્જ અને દેવામાંથી મુક્તિ મેળવવા માટે ખૂબ જ અસરકારક માનવામાં આવે છે.

શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે જો ચૈત્ર માસમાં વ્રત, જપ, તપ અથવા ઉપવાસ ન કરી શકાતા હોય, તો ઓછામાં ઓછું “કીડીયારું પૂરવાનું” પુણ્ય કાર્ય જરૂર કરવું જોઈએ. આ ઉપાય કરવાથી વ્યક્તિ ધીમે ધીમે કર્જમુક્ત બને છે, તેના અટકેલા કામ પૂર્ણ થાય છે અને જીવનમાં આવતા અવરોધો દૂર થાય છે.


એવું પણ માનવામાં આવે છે કે આ પુણ્યના પ્રભાવથી વ્યક્તિની સાત પેઢી સુખી અને સમૃદ્ધ બને છે, અને અંતે તેને સ્વર્ગની પ્રાપ્તિ થાય છે.

કીડીયારું પૂરવાનું મહત્વ
ચૈત્ર માસને ખાસ કરીને “કીડીયારું પૂરવાનો મહિનો” માનવામાં આવે છે.
આ સમયમાં કીડીઓ આખા વર્ષ માટે ખોરાક એકત્રિત કરે છે. તેથી આ મહિનામાં તેમને ખોરાક આપવો અત્યંત પુણ્યદાયક માનવામાં આવે છે.

કીડીયારું કેવી રીતે બનાવવું?
કીડીયારું બનાવવા માટે નીચેની સામગ્રીનો ઉપયોગ થાય છે:
•બાજરીનો લોટ અથવા ઘઉંનો લોટ 
•રવો 
•દળેલી ખાંડ 
•સફેદ તલ 
•થોડું ઘી 
આ બધી વસ્તુઓ મિક્સ કરીને કીડીયારું તૈયાર કરવામાં આવે છે.
એક મુઠ્ઠી કીડીયારું પણ સેકડો કીડીઓનો ખોરાક બની શકે છે.
વૈકલ્પિક રીત (નાળિયેર વડે)
સૂકું નાળિયેર લઈને તેમાં નાનું છિદ્ર કરી તેમાં ગોળ, ખાંડ અને ઘી મિક્સ કરેલું મિશ્રણ ભરી શકાય.
પછી તેને કાંટાવાળા વૃક્ષ પર ઊંચે ટાંગી દેવામાં આવે છે.
આ રીતે:
•કીડીઓને ખોરાક મળે છે 
•વરસાદમાં આશરો પણ મળે છે 
એટલે તેમને “રોટી અને મકાન” બંને મળે છે.

આ ઉપાયના લાભો
•કર્જ અને દેવામાંથી મુક્તિ 
•અટકેલા કાર્યો પૂર્ણ થાય 
•જીવનમાં સુખ અને સમૃદ્ધિ વધે 
•સાત પેઢી સુધી લાભ મળે 
•આશીર્વાદથી ભાગ્ય મજબૂત બને 
કહેવામાં આવે છે કે નાની કીડીનો આશીર્વાદ પણ ખૂબ શક્તિશાળી હોય છે.
વિશેષ ઉપાય (સૂર્ય ગ્રહ માટે)
જેનાં કુંડળીમાં સૂર્ય નબળો હોય, તેઓએ:
•દર રવિવારે ઘઉંના લોટમાં ખાંડ મિક્સ કરીને કીડીયારું પૂરવું 
તેના કારણે:
•સૂર્ય ગ્રહ મજબૂત બને 
•યશ, કીર્તિ અને માન-સન્માન મળે 

ધાર્મિક અને આધ્યાત્મિક મહત્વ
કીડીયારું પૂરવું માત્ર એક પરંપરા નથી, પરંતુ:
•જીવદયા (જીવો પ્રત્યે કરુણા) 
•સકારાત્મક કર્મ 
•પ્રકૃતિ પ્રત્યે આભાર વ્યક્ત કરવાની રીત છે 
અંતિમ સંદેશ
મિત્રો, જો તમે કર્જ અને દેવામાંથી મુક્તિ મેળવવા માંગતા હો, તો ચૈત્ર માસ પૂર્ણ થાય તે પહેલાં જરૂરથી કીડીયારું પૂરજો. આ નાનું કાર્ય તમારા જીવનમાં મોટો પરિવર્તન લાવી શકે છે.



શ્રી ગણેશ આ કવચ નો પાઠ કરવાથી આસુરી તત્વો થી રક્ષા કરનારું નું છે 

 

ૐ મહાકાલેશ્વર જયોર્તિલિંગ ની ઉત્પત્તિ કથા અને માહિતી ગુજરાતીમાં 


શ્રી "" દેવીકવચ "" ગુજરાતી ભાષાંતર સાથે ગુજરાતી લખાણ સાથે

 

 સંઘ્યા સમયે એકવાર પાઠ કરો આ સ્તોત્ર દેવીની કૃપા રહેશે ગુજરાતી લખાણ સાથે 

 

 રાત્રે એકવાર શ્રી મહાલક્ષ્મીની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો

 

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે 

 

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે 

 

શ્રી મહાલક્ષ્મી નો આ પાઠ કરવાથી ગરીબ પણ કરોડપતિ બની જાય   

 

શુભ દિવસે શ્રી મહાલક્ષ્મી માં ના ૧૦૮ નામ જાપ ગુજરાતી લખાણ સાથે 

 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇


DISCLAIMER: Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976, Allowance is made for "Fair Use" for purposes. 


અહી ઉપરોક્ત આપેલ કોઈપણ માહિતી અથવા આ કંઈ પણ કાયૅ ઈન્ટરનેટ, ચોપડી, જુનાં ગ્રંથો આઘારિત છે.આ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.આમાં www.okhaharan.com તેની પુષ્ટિ કરતું નથી.

tag
ચૈત્ર માસમાં કીડીયારું પૂરવાથી શું ફાયદા થાય,
કીડીયારું પૂરવાથી કર્જ કેવી રીતે દૂર થાય,
કીડીને ખોરાક આપવાનો ધાર્મિક મહિમા,
કીડીયારું કેવી રીતે બનાવવું ગુજરાતી,
ચૈત્ર માસમાં કરવાના સરળ ઉપાય,
દેવું દૂર કરવા માટેના ધાર્મિક ઉપાય,
કીડીયારું પૂરવાનું શાસ્ત્ર મુજબ મહત્વ,
ant feeding benefits in Hindu religion,
why feed ants in chaitra month

બુધવાર, 18 ફેબ્રુઆરી, 2026

ફાગણ માસ કથા મહાત્મ્ય વ્રત ત્યોહાર | Falgum Maas Mahatmay | Falgun Maas 2026 | Fagan Maas 2026 | Okhaharan

ફાગણ માસ કથા મહાત્મ્ય વ્રત ત્યોહાર | Falgum Maas Mahatmay | Falgun Maas 2026 | Fagan Maas 2026 | Okhaharan

falgum-maas-mahatmay-falgun-maas-2026
falgum-maas-mahatmay-falgun-maas-2026

શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખમાં આજે આપણે જાણીશું  મિત્રો, આપણે તારીખ 18 ફેબ્રુઆરી 2026 થી 19 માર્ચ 2026 સુધી ચાલતા ફાગણ માસના મહાત્મ્ય, વ્રત-ત્યોહારોની જાણકારી તથા આ માસમાં કયા દેવતાની પૂજા કરવી અને આ માસનું શું મહત્વ છે તે વિશે વિગતે જાણશું.


ૐ ત્ર્યંબકં યજામહે સુગંધિં પુષ્ટિવર્ધનમ ।
ઉર્વારુકમિવ બંધનાન્ મૃત્યોર મુકષીય મામૃતાત્ ॥
મિત્રો, ફાગણ માસ એટલે ફાલ્ગુની નક્ષત્રથી યુક્ત માસ, તેથી તેને ફાગણ માસ કહેવાય છે.

આ માસમાં ધીમે ધીમે ઠંડી ઓછી થાય છે અને ગરમીની શરૂઆત થાય છે.હિંદુ પંચાંગ મુજબ સૌથી વધુ તહેવારો આ માસમાં આવે છે. તેમાં ખાસ કરીને હોળી અને ધુળેટી ખૂબ મહત્વ ધરાવે છે.આ માસમાં ભગવાન વિષ્ણુ અને શિવજીની વિશેષ ઉપાસના થાય છે. સૂર્ય આ સમય દરમિયાન મીન રાશિમાં રહે છે, જેના કારણે મીન સંક્રમણનું પણ મહત્વ રહે છે.

ફાગણ માસની શરૂઆતથી જ આઠ દિવસ હોળાષ્ટક મનાવવામાં આવે છે. આ દરમિયાન કોઈ શુભ કાર્ય કરવામાં આવતું નથી.પૌરાણિક માન્યતા મુજબ આ માસમાં ચંદ્રદેવનો જન્મ પણ થયો હતો, તેથી ચંદ્રદેવની પૂજા પણ વિશેષ ફળદાયી માનવામાં આવે છે.સોમવારનું વ્રત આ માસમાં ઉત્તમ ફળ આપે છે.આ માસમાં જરૂરિયાતમંદોને દાન કરવું ખૂબ પુણ્યકારક છે, જેમ કે:
શુદ્ધ ઘી
સરસવનું તેલ
અનાજ
વસ્ત્ર
આથી પુણ્યની પ્રાપ્તિ થાય છે અને પિતૃ આત્માને પણ શાંતિ મળે છે.ફાગણ માસમાં શિવજીની ઉપાસના ખાસ કરીને નીચેના વડે કરવી શુભ માનાય છે:
સફેદ પુષ્પ
દહીં
ચોખા
ચંદન
સફેદ વસ્ત્ર

આ માસમાં:
✔ ભક્ત પ્રહલાદની પૂજા
✔ ભગવાન નૃસિંહ (વિષ્ણુ અવતાર)નું સ્મરણ
✔ શિવજી અને કામદેવનું સ્મરણ

ખાસ મહત્વ ધરાવે છે.ભગવાન મહાદેવનો રુદ્રાભિષેક કરવાથી સકારાત્મક ઊર્જાની પ્રાપ્તિ થાય છે.આ માસમાં નીચેનું દાન વિશેષ ફળ આપે છે:
અન્ન
ગોળ
તલ
ચોખા
વસ્ત્ર


ફાગણ માસ પાનખર ઋતુનો સમય છે.પ્રકૃતિમાં ચારે તરફ ફૂલો ખીલે છે અને પાક પણ સારો રહે છે.આ સમયમાં:
✔ ઘઉં અને મોટાં અનાજનું સેવન લાભદાયી
✔ અતિ ગરમ કે અતિ ઠંડા પદાર્થો ટાળવા
✔ પૌષ્ટિક ફળાહાર લેવો
શુભ માનવામાં આવે છે.

રંગીન વસ્ત્ર ધારણ કરવું અને ચંદનની સુગંધનો ઉપયોગ કરવો પણ શુભ માનવામાં આવે છે.ભગવાન કૃષ્ણની ઉપાસના અને તુલસીદળ અર્પણ કરવાથી:
✔ માનસિક તણાવ દૂર થાય
✔ દીર્ઘકાલીન રોગોમાં રાહત મળે

આર્થિક તંગી દૂર કરવા માટે આ માસમાં લક્ષ્મી પૂજન કરવું શુભ છે.ચંદ્ર મજબૂત કરવા માટે મંત્ર જપ કરવો:ૐ સોમ સોમાય નમઃ (દૈનિક 108 વાર)ચંદ્રદોષ હોય તો નીચેનું દાન કરવું:
સફેદ પુષ્પ
દહીં
ખાંડ
ચોખા
સફેદ ચંદન
સફેદ વસ્ત્ર
દરરોજ સ્નાન કરી શુદ્ધ વસ્ત્ર ધારણ કરીને ઘર અને મંદિરમાં:
ધૂપ
દીપ
નૈવેદ્ય
પુષ્પ
પંચામૃત
થી પૂજન કરવું.

આ માસમાં:
✔ બાલકૃષ્ણ પૂજા – સંતાન પ્રાપ્તિ માટે
✔ યુવા કૃષ્ણ પૂજા – પ્રેમ પ્રાપ્તિ માટે
✔ જ્ઞાની કૃષ્ણ પૂજા – જ્ઞાન અને વૈરાગ્ય માટે
ખૂબ શુભ માનાય છે.

ફાગણ માસમાં નીચેની પૂજા કરવી શુભ છે:
શાલિગ્રામ
તુલસીજી
પિતૃ તર્પણ
પીપળા વૃક્ષની પૂજા
હોળાષ્ટક દરમિયાન શુભ કાર્ય ટાળવા કહેવાય છે.

કથા અનુસાર:
ભગવાન કામદેવે શિવજીની તપસ્યા ભંગ કરવાનો પ્રયાસ કર્યો હતો.
શિવજીના ક્રોધથી તેઓ ભસ્મ થયા.પછી રતિદેવીની તપસ્યાથી તેમને પુનર્જીવન મળ્યું.તે કારણે આ સમય દરમિયાન શુભ કાર્ય વર્જિત માનવામાં આવે છે.

ફાગણ માસમાં હોલિકા દહનનું વિશેષ મહત્વ છે.હોલિકા દહન ભક્ત પ્રહલાદની રક્ષા અને અહંકારના નાશનું પ્રતિક છે.ભગવાન નૃસિંહનો મંત્ર:
ૐ વજ્રનખાય વિદ્મહે તિક્ષ્ણ દંષ્ટ્રાય ધીમહિ તન્નો નરસિંહ પ્રચોદયાત્
આ મંત્ર જપથી:

✔ ભય દૂર થાય
✔ ગ્રહબાધા શાંત થાય
✔ તંત્ર-મંત્રથી રક્ષા મળે
મિત્રો, આ જ છે ફાગણ માસનું વિશેષ મહાત્મ્ય.
આપ સૌને જય શ્રીકૃષ્ણ 🙏



શ્રી ગણેશ આ કવચ નો પાઠ કરવાથી આસુરી તત્વો થી રક્ષા કરનારું નું છે 

 

ૐ મહાકાલેશ્વર જયોર્તિલિંગ ની ઉત્પત્તિ કથા અને માહિતી ગુજરાતીમાં 


શ્રી "" દેવીકવચ "" ગુજરાતી ભાષાંતર સાથે ગુજરાતી લખાણ સાથે

 

 સંઘ્યા સમયે એકવાર પાઠ કરો આ સ્તોત્ર દેવીની કૃપા રહેશે ગુજરાતી લખાણ સાથે 

 

 રાત્રે એકવાર શ્રી મહાલક્ષ્મીની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો

 

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે 

 

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે 

 

શ્રી મહાલક્ષ્મી નો આ પાઠ કરવાથી ગરીબ પણ કરોડપતિ બની જાય   

 

શુભ દિવસે શ્રી મહાલક્ષ્મી માં ના ૧૦૮ નામ જાપ ગુજરાતી લખાણ સાથે 

 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇


DISCLAIMER: Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976, Allowance is made for "Fair Use" for purposes. 


અહી ઉપરોક્ત આપેલ કોઈપણ માહિતી અથવા આ કંઈ પણ કાયૅ ઈન્ટરનેટ, ચોપડી, જુનાં ગ્રંથો આઘારિત છે.આ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.આમાં www.okhaharan.com તેની પુષ્ટિ કરતું નથી.