મંગળવાર, 16 એપ્રિલ, 2024

ચૈત્ર માસમાં નિત્ય વાંચો "" ઓખાહરણ ભાગ 5 કડવાં 41 -50 "" | Okhaharan Part 5 Kadva 41 to 50 | Okhaharan In Gujarati |

ચૈત્ર માસમાં નિત્ય વાંચો "" ઓખાહરણ ભાગ 5 કડવાં 41 -50  "" |  Okhaharan Part 5 Kadva 41 to 50 | Okhaharan In Gujarati |

okhaharan-part-5-kadva-41-to-50
okhaharan-part-5-kadva-41-to-50

       કડવું-૪૧  
  
  
આપો આણી, એ વર મુને આપો હો આણી,  
નીકર કાઢું મારો પ્રાણ, એ વર મુને આપો હો આણી. (ટેક૦)  
  
મેં તો સ્વપ્ને દીઠો જે છોગાળો રે, તેની પાંપણનો છે ચાળો રે;  
મારૂં મનડું હર્યું લટકાળે, તે વર મુને આપો હો આણી. (૧)  
  
જેના દીર્ઘ બાહુ આજાન રે, મકરાકૃત કુંડળ કાન રે;  
અંગ શોભે એ ભીને વાન, તે વર મુને૦ (૨)  
  
જેનાં લક્ષણ વીસ ને બાર, મુને પરણી ગયો જે કાલ રે;  
તેને વરસ થયાં દશ-બાર, તે વર મુને૦ (૩)  
  
વરની લટકતી ચાલ રે, મને પરણી ગયો છે કાલ રે;  
તેને ટપકું કીધું ગોરે ગાલ, તે વર મુને૦ (૪)  
  
રાજે પીતાંબર પરીધાન રે, મુને કહેતો ગયો નહિ નામ રે;  
ત્યારે ક્યાંથી સરે મારૂં કામ, તે વર મુને૦ (૫)  
  
ચિત્રલેખા બોલી વાણ રે, સહિયર કેમ થઈ અજાણ રે;  
બાઈ દ્વારિકા તે જાયે કોણ, તે વર મુને૦ (૬)  
  
કોટ કાંગરે ચામુંડાય રે, છપ્પન કરોડ તે ચોકીમાંય રે;  
ચક્ર ઝળહળતું ત્યાંય રે, મુને મારે હેલામાંય. તે વર મુને૦ (૭)  
  
  ઓખાહરણ ભાગ 4 કડવાં 31 -40
  
   
              કડવું ૪૨ 
  
ભરથાર લાવી આપવા ઓખા ચિત્રલેખા વિનવે છે  
  
ઓખા કહે છે સુણ સાહેલી લાવ્યા કંથને વહેલી વહેલી 
બાઈ તું છે સુખની દાતા લાવ્યે સ્વામી સુખ શાતા 
  
ચતુરાને કહે ચિત્રલેહા ભાઈ આણ્યા ઉપાય કેવા 
દૂર પંથ છે દ્રારામતી કેમ જવાય મારી વાત 
  
જી શકે ન રાય શક્ર રક્ષણ કરે સુદશૅન ચક્ર 
જાવુ જોજન સહસ્ત્ર અગિયાર તારા કેમ આવે ભરથાર 
  
નયણે નીરની ધારા વહે છે કર જોડી કન્યા કહે છે 
બાઈ તારી ગતિ છે મોટી તને કોઈ ન કરી શકે ખોટી 
  
સૈયરસૈયર ને હોય વહાલી મેં જમણાં હાથે ઝાલી 
આપણે બેઉ જણ સંગાથી પ્રાણદાતા છે વિધાત્રી 
  
માબાપ વેરી છે મારા મેં આચરણ સેવ્યાં છે તારા 
વિધાત્રી તું દીનદયાલ એમ કહી પગે લાગી બાળ 
  
કીધો ચિત્રલેહાએ વિચાર જાવા દ્રારકા મોજાર 
ચિત્રલેહાને ધારણ દીધી પછી દેહ પક્ષિણી ની કીધી 
  
   
              કડવું-૪૩  
ચિત્રલેખા અનિરુદ્ધ પલંગ સાથે ઉપાડી લાવે છે.  
ચિત્રલેખા કહે ઓખાબાઇ, મારે દ્વારકામાં જાઉં;  
પ્રભુના ઘરમાં ચોરી કરવી, નથી લાડવો ખાવું. (૧)  
  
અગિયાર સહસ્ત્ર જોજન જાવું, હરવા શ્રી જુગદીશ;  
સુદર્શન જો ચક્ર મળે તો, છેદે મારું શીશ. (૨)  
  
બાઇ તુજને તાણ તો નવ પડે રે, જેમ તેમ વહેલી થાને;  
લાવ્ય મારા કંથને, તું ખોટી થાય છે શાને ? (૩)  
  
જાતી વેળા ઓખા કહે છે, મારો છે વર રૂડો;  
કર્મે મળ્યા છો કુંવારા, માટે રખે પહેરતાં ચુડો. (૪)  
  
ચિત્રલેખાએ કહેવા માંડ્યું, મનમાં રાખો ધીર;  
તુજ સ્વપ્નમાં પરણી ગયો, મારી માડી જાયો વીર. (૫)  
  
ત્યારે ઓખા કહેવા લાગી, જોઇ રહી વાટડી;  
મારો વર રૂડો જાણી, રખે ઓઢતી ઘાટડી. (૬)  
  
હું નહિ ઓઢું ઘાટડી, તું એ શી બોલી વાત ?  
તુજ સ્વપ્નમાં પરણી ગયો, મારી માડી જાયો ભ્રાત. (૭)  
  
એવું કહીને ઉપડી તે, પવનવેગે જાય;  
આકાશ મારગે સંચરી, પહોંચી ગોમતી માંય (૮)  
  
ગોમતીમાં મરદન કર્યું ને, વિચારિયું તે ઠામ;  
પ્રભુના ઘરમાં ચોરી કરવી, નહિ એકલાનું કામ. (૯)  
  
પછી તેણે નારદ મુનિ સંભાર્યા, તતક્ષણ આવ્યા ધાઇ;  
કહે રે મુજને કેમ સંભાર્યો, ચિત્રલેખાબાઇ. (૧૦)  
  
બાણાસુરની દીકરીને, લાગ્યું છે સ્વપ્ન;  
અનિરૂદ્ધ સેજે વરી ગયો, વિહવળ થયું છે મન. (૧૧)  
  
ચોરી કરવા હું આવી, સુદર્શન આડું થાય;  
તે માટે તમને સંભાર્યા, કરવા મારી સહાય. (૧૨)  
  
નારદ કહે છે ઓ રે બાઇ, એમાં તે શું કામ;  
એક તામસી વિદ્યા એવી ભણાવું, ઊંઘે બધું ગામ. (૧૩)  
  
ચિત્રલેખા કહે સાચું કહ્યું, પણ છેતરવા જગદીશ;  
પહેરેદાર સુદર્શન ચક્ર મળે તો, છેદે મારું શીશ. (૧૪)  
  
ચક્રની ચિંતા નવ કરશો, જે માર્ગે જાશે ચોકી કરવા;  
તેને મારગે હું જઇશ, બેસાડીશ વાતો કરવા. (૧૫)  
  
પછી તામસી વિદ્યા ભણાવી, જીભે જપતી જાય;  
ચોસઠ કળામાં ચામુંડા તે, ડળક ડોલું ખાય. (૧૬)  
  
ગામ તો ઘારણ પડ્યું, ઊંઘ્યા સઘળા લોક;  
ચિત્રલેખા નગરમાં પેઠી, મૂકીને મનનો શોક. (૧૭)  
  
નારદે વિચારિયું, ચિત્રલેખા અનિરૂદ્ધને લઈ જાશે; 
શિવને શામળિયો વઢશે, જોવા જેવું થાશે. (૧૮)  
  
ચક્ર ચોકી કરતું આવ્યું, મારગમાં નિરધાર;  
તે મારગે સામા મળીઆ, નારદ બ્રહ્મકુમાર. (૧૯)  
  
નારદ કહે છે ને, દહાડી જાય છે ફરવા;  
એક ઘડીવાર બેસને, મુજની સાથે વાતો કરવા. (૨૦)  
  
તું ને હું તો ક્યાં મળીશું, તું સાચી કહેને વાત;  
કોઇ દહાડો મુજને સંભારે, દ્વારિકાના નાથ. (૨૧)  
  
ચક્કર મુખથી બોલિયું, વળી મારું તે ધનભાગ્ય;  
તમારા દરશનનો તો, ક્યાંથી પામું લાભ. (૨૨)  
  
ભોળું ચક્કર સમજ્યું નહિ, બેઠું નિરાંત લઈ;  
પેલી નારી નગરમાં પેઠી, ચોરી કરવા ગઈ. (૨૩)  
  
જોતી જ્યાં ગઈ, કૃષ્ણ તણું રે ભુવન;  
ત્યાંથી આઘેરી પરવરી, જ્યાં પોઢ્યો પ્રદ્યુમન. (૨૪)  
  
ત્યાંથી આઘેરી પરવરી, મહાવિષ્ટિ કેરો વીર;  
સોડ ઘાલીને પહોઢ્યો, મહાધનુષધારી ધીર. (૨૫)  
  
હમણાં એને જો હું જગાડું, મારામારી કરે કકડાય;  
માથે હિંડોળો લઈ લીધો ને, ઉલટ અંગ ન માય. (૨૬)  
  
જુગત અંબે ! જે જુગત અંબે ! કરંતી તે જાય;  
હિંડોળો લઈ જાતાં દીઠો, નારદે ત્યાંય. (૨૭)  
  
હિંડોળો લઇ પરવરીને, સમર્યા વૈકુંઠરાય;  
પવન વેગે સંચરી, આકાશ મારગે જાય. (૨૮)  
  
બેઘડીમાં આવી પહોંચી, શોણિતપુર મોઝાર;  
તે ઠેકાણે નારદજીએ, મન કર્યો વિચાર. (૨૯)  
  
એ જ્યારે ગ‌ઇ ત્યારે, હું એ મારે જાઉં;  
તેનું કામ કર્યું હું, ખોટી શીદને થાઉં ? (૩૦)  
  
નારદ કહે છે ચક્કરને તું, નિકળ્યું ચોકી કરવા;  
આવડી વારે મૂરખ કેમ બેઠું, મુજ સાથે વાતો કરવા. (૩૧)  
  
નારદ કહે છે ચક્કરને, ઊઠ જોને તારું ગામ;  
કાલે પછી ચોરી થશે, તું ન લ‌ઇશ મારું નામ. (૩૨)  
  
આકાશ મારગે પક્ષિણી તે, વેગે ચાલી જાય;  
ઓખાબાઇ તો વાટ જુવે છે, મંદિર માળિયા માંય. (૩૩)  
  
માથા ઉપર ઢોલીઓ છે આનંદ મનમાં સાર 
ભલે આવી ભલે આવી, હું જગાડું ભરથાર રે. (૩૫)  
  
   
ઓખાહરણ ભાગ 1 કડવાં 1 -10 


              કડવું-૪૪  
ભરથારનુ કહેલું ન માનવાથી  
ઊંઘ્યા પિયુને જગાડીએ, ભર નિદ્રામાંથી ઊઠાડીએ,  
મન સંગાથે એવાં બીજીએ, બ્રહ્મહત્યા તો શીદ લીજીએ. (૧)  
  
ભરથાર પહેલી ભામની, જે અન્ન રાંધીને ખાય;  
વાગોળ થઈને અવતરે, ઊંધે મસ્તક ટંગાય. (૨)  
  
ભરથાર પહેલી ભામિની, સુવે સજ્યામાંય;  
આંધળી ચાકરણ અવતરે; પડે મારગમાંય. (૩)  
  
ભરથારનું કહ્યું જે ન માને, આપમતી જે નારી,  
તે તો નારી અવતરે, કાંઈ બિલાડી મંઝારી. (૪)  
  
ભરથારનું જે કહ્યું ન માને, તરફોડા કંથ;  
હડકાઇ કૂતરી અવતરે, એને માથે પડશે જંત. (૫)  
  
ઓખા કહે છે ચિત્રલેખાને, તું તો બોલ આપ; 
પિયુ પોઢ્યો હોય પારણે, કરડવા આવ્યો હોય સાપ (૬)  
  
  
   
              કડવું-૪૫  
અનિરુદ્ધ મંદિર માળિયામાં જાગૃત થાય છે  
(સાખી)  
  
સ્ત્રી ચરિત્ર અનેરડાં, કોઈ તેનો ન લહે મર્મ,  
સ્ત્રી શામને ભોળવે, પણ ખોયો પોતાનો ધરમ. (૧)  
  
(રાગ:ઢાળ)  
  
ઓખા કહે છે ચિત્રલેખાને, હાવે ના બોલીશ આડું;  
તું કહે તો મારા પિયુને, પગ ચાંપી જગાડું. (૧)  
  
ચિત્રલેખા કહે ઓખાબાઈ, આવડી ઉતાવળી શું થાય;  
એ મોટાનો કુંવર કહાવે, કાંઈક હશે હથિયાર. (૨)  
  
ઓશીકે જઈ જોવા લાગી તો, મોટી એક ગદાય;  
ઉપાડીને અળગી કીધી, ઓખા ચાંપે પાય રે. (૩)  
  
 
  
   
              કડવું-૪૬  
  
    
મહા બળીઓ તે જાગીઓ, તેના બળનો નાવે પાર રે;  
હરૂડ હાક મારી, કીધો છે હોંકાર રે. (૧)  
  
ડળક ડળક ડાકલાં વાગે, ઠારોઠાર રે;  
આ તો ન હોય રે, મારા બાપનું ગામ રે. (૨)  
  
દ્વારકામાં વસે, સઘળા વૈષ્ણવ જન રે;  
અહો રાત્રી બેઠા કરે છે, ત્યાં સહુ કીરતન રે (૩)  
  
અહીંયા લાદ કેરા ચકરડા, તે હોય અપાર રે;  
ભૂત ભૈરવ જોગણી, અસુર કોઈની નાર રે (૪)  
  
ડાકણી છો શાકિની છો, કોણ છો બલાય રે;  
ચિત્રલેખા કહે છે વીરા, ખમા ખમાય રે. (૫)  
  
   
              કડવું-૪૭  
  
અનિરુદ્ધ તે જાગીને પેખે, ભુવનથી ઓરડા દેખે;  
કોણ કારણ અમને લાવીઆ હો. (૧)  
  
ચિત્રલેખા બોલે શિર નામી, તમને લાવી છું હું જાણી;  
ઓખાને કરો પટરાણી, વર વરવાને અરથે હો, તમને લાવીઆ હો (૨)  
  
તમે નારી ધન્ય, દીસો છો કુંવારી;  
કન્યા પરણું તો થાય છે અન્યાય, કેમ પરણું ઓ અસુર નંદની હો. (૩) 

 
  
  આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો.  


   
              કડવું-૪૮  
ચિત્રલેખા અને અનિરુદ્ધ વચ્ચેનો વાતૉલાપ  
બાણાસુરની નગરમાં, ગડગડિયા નિશાન રે;  
એણે રે શબ્દે અનિરુદ્ધ જાગીઆ રે. (૧)  
  
જાગ્યા જાદવરાય જુગતીથી દેખે રે;  
પેખે રે અસુરના માળિયાં રે. (૨)  
  
આ તો ન હોય અમારી નગરી, ન હોય અમારું ગામ રે;  
ન હોય કનકની દ્વારિકા રે. (૩)  
  
હોય અમારી વાડી રે, અમે રમતાં દહાડી દહાડી રે;  
ન હોય પુષ્પ કનકનો ઢોલિઓ રે (૪)  
  
અહીંયાં નાદ ઘણા વાગે, રણતુર ઘણેરાં ગાજે રે;  
ન હોય, ન હોય, શંખ શબ્દ સોહામણા રે. (૫) 
  
મને કોઈ રાંડ લાવી રે, મારી દ્વારિકાને છંડાવી રે;  
કઈ ભામિનીએ, મુજને ભોળવ્યો રે. (૬)  
  
આ તો ઊંચા ઊંચા માળ, લોઢે જડ્યાં કમાડ રે;  
રત્નાગર સાગર શે, નથી ગાજતો રે ? (૭)  
  
ચિત્રલેખા બોલી વળતી રે, તમે જોઈને દેજો ગાળ રે;  
આવ્યા છો તો આ કન્યા સુખે વરો રે. (૮)  
  
ત્યારે અનિરુદ્ધ બોલ્યો વાત, મૂછે ઘાલી હાથ રે;  
જાણીજોઈને, જાત ગળીમાં કેમ બોળીએ રે. (૯)  
  
મારો વડવો જુગજીવન, પ્રદ્યુમનરાયના તન રે;  
તે માટે નહિ પરણું, દૈત્ય દીકરી રે. (૧૦)  
  
ચિત્રલેખા બોલી વાત રે, ઢાંકી રાખો તમારી જાત રે;  
હમણાં વાતો કાઢીશ, વડવા તણી રે. (૧૧)  
  
સનકાસુરને મારી રે, સોળહજાર લાવ્યા નારી રે;  
તમો સમજો રે, તારા બાપે એક નથી પરણી રે. (૧૨)  
  
એક લગ્ન નવ વરીઆ રે, નવ પૂછ્યાં કુળ ને પળીઆં રે;  
જાત જાત કોઈની, પૂછી નહિ રે. (૧૩) 
  
તારા બાપની જે ફોઈ, અર્જુન સંન્યાસીને ગઈ રે; 
મોં કાઢીને બોલે એવું, છે નહિ રે. (૧૪)  
  
એણે વાયો વૃંદાવનમાં વંસ, જેણે માર્યો મામો કંસ રે;  
ધાવતાં માસી મારી, પુતના રે. (૧૫)  
  
ધાવતાં મારી માસી રે, કરી રાખી કંસની દાસી રે;  
કુબજાના કુળની વાત કહેતો નથી રે. (૧૬)  
  
તારો વડવો માખણનો ચોર, ચાર્યા વૃંદાવનમાં ઢોર રે;  
છાશ પીતો તે ઉછરિયો રે. (૧૭)  
  
સત્રાજીતને કાજ રે, મણિ લેવા ગયા મહારાજ રે; 
ત્યાંથી પરની લાવ્યા જાંબુવતી રીંછડી રે. (૧૮)  
  
લાંબા નખને ટૂંકા કેશ રે, વરવો દિસે વેશ રે,  
ભૂંડા મુખના છુંછા ઉપર શું મોહી રહ્યા રે. (૧૯)  
  
કહે તો વાત વધારે કહીએ, નીકર અહીંયાંથી છાનાં રહીએ રે;  
પૂછો છો તો, કન્યાનું કુળ સાંભળો રે. (૨૦)  
  
તારો વડવો જગજીવન, એનો વડવો કૈલાસનો રાજન રે;  
ઓખાની માડી તો, ઉમિયા સતિ રે, (૨૧)  
  
હિમાચલની ભાણેજી રે, ગણપતિ તેનો વીર રે;  
ઉમિયાના અર્ધાંગેથી, ઓખા ઉપજી રે. (૨૨)  
  
તારો વડવો જગજીવન, એનો વડવો બળી રાજન;  
એક સમે બળી રાયે યજ્ઞ માંડ્યો રે. (૨૩)  
  
બળીરાય જગ્નનો અધિકારી, તારો વડવો ભીખારી રે;  
સાડા ત્રણ ડગલાં માટે, કર જોડિયાં રે. (૨૪)  
  
આઅટલી વડાઈ શાને કરો છો, એના બાપની ભૂમિમાં રહો છો રે;  
કરમહીણના કપાળમાં, કોઈ ચોડે નહિ રે. (૨૪)  
  
કહે તો વાત વધારે કહીએ, નીકર આંહીથી છાના રહીએ રે;  
આવ્યા છો તો કન્યાને સુખે વરો રે. (૨૫)  
 
   
              કડવું-૪૯  
અનિરુદ્ધ નું ગુસ્સે થવું.  
અનિરુદ્ધ વળતો કોપીઓ, ક્યાં ગઈ મારી ગદાય;  
બે જણના, મારી કરું કટકાય. (૧)  
  
તમો જાણ્યું અહીંયાં લાવી, કર્યું ભલેરું કામ;  
તમને બે જણને મારી, ઊડી જાઉં દ્વારિકા ગામ. (૨)  
  
ઓખા ત્યારે થરથર ધ્રુજી, વચમાં આવી આડ;  
મારા પિયુજીને હું મનાવું, તું લાવી તે તારો પાડ રે. (૩)  
  
  
દેવી ક્ષમાપન અપરાઘ સ્ત્રોતમ ગુજરાતી અથૅ સહિત
   
              કડવું-૫૦  
ઓખાનુ અનિરુદ્ધ ને વિનવવુ  
  
મારા સોરઠીઆ સુજાણ, મળ્યા મને મેલશો મા;  
મારા જીવનપ્રાણ, મળ્યા મને મેલશો મા. (૧)  
  
મારા શરીર ના શણગાર મળ્યા 
મારા હઈડા કેરા હાર મળ્યા મને મેલશો માં 
  
સાસુડીના જાયા મળ્યા મને મેલશો માં 
સ્વપ્ને શીદ ઝાલ્યો તો હાથ મળ્યા મને મેલશો માં 
  
તમને દાદાજી ની આણ, મળ્યા મને મેલશો મા.(૩)  
  
તમે ચાલો તો કાઢું પ્રાણ, મળ્યા મને મેલશો મા;  
ત્યારે અનિરુદ્ધ બોલ્યો વાણ, સાંભળ સુંદરી. (૪)  
  
એ અબળાએ નાખ્યા બોલ, અમશું લડી;  
મારા વડવાની વાત, કાઢી જે વઢી. (૫)  
  
ત્યારે ઓખા બોલી વાત, એ છે દાસલડી;  
કૌભાંડની તે કન્યાય, પગની ખાસલડી. (૬)  
  
ત્યારે અનિરુદ્ધ બોલ્યો વાણ, હવે હું તને વરું;  
તમે ગાળો દીધી સાર, મારૂં વેર અંતર થયો આનંદ મનડું મારૂં ઠર્યુ (૭)  
  
ચિત્રલેખા બોલી વાણ, ગાળો દીધી સહી; 
તમે બે થયાં છો એક, પરણાવું નહિ. (૮)  
  
પરણવાની પેર, સઘળી મેં લહી; 
મને મળીઆ નારદમુન્ય, વિદ્યા શીખવી. (૯)  
  
ત્યારે ઓખા બોલી વાણ, હવે વાર શાની;  
પરણાવ માળિયા માંય રાજકુંવરી નાની. (૧૦) 


ગીતાજી માં કહેલા શ્રી વિષ્ણુ ભગવાન ૧૦૮ નામ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

 

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

  

 """ શ્રી વિષ્ણ્વષ્ટકમ્   """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.   


દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી અહી ક્લિક કરો.  

 

શ્રી હનુમાન દાદા નો આ પાઠ ચુડેલ મેલી ડાકાણ જિન સામે રક્ષણ મળે છે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

 

 રાત્રે એકવાર "" શ્રી મહાલક્ષ્મી"" ની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો

 

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission.

 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

  

શુક્રવાર, 22 માર્ચ, 2024

હોલિકા દહન ક્યારે છે? | પૂર્ણિમા વ્રત ક્યારે કરવું? | Holika Dahan Date and Time 2024 | Holi 2024 | Okhaharan

હોલિકા દહન ક્યારે છે? | પૂર્ણિમા વ્રત ક્યારે કરવું? | Holika Dahan Date and Time 2024 | Holi 2024 |  Okhaharan 



holika-dahan-date-and-time-2024-holi
holika-dahan-date-and-time-2024-holi

શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખ માં આજે આપણે જાણીશું હોલિકા દહન ક્યારે છે? 24 કે 25 માચૅ? શું છે દહન નો સમય ? ફાગણ સુદ પૂર્ણિમા વ્રત ક્યારે કરવું? ભદ્રા કાળ સમય ક્યો છે? તે બધુ આજે આપણે જાણીશું.


ફાગણ સુદ પૂર્ણિમા તિથિ ને હોળી  કહેવાય છે.  જેમ ત્રેતાયુગમાં અધમૅ પર ધમૅ વિજયી રામ એ રાવણ વધ કરી વિજાયા દશમી ઉત્સવ ઉજવાય છે છે તેવી જ રીતે સત્યયુગમાં અસત્ય પર સત્ય વિજય ભક્ત ની પ્રભુ પર અપાર ભક્તિ ઉત્સવ એટલે હોલીકા દહન. 

શ્રી નૃસિંહ વિષ્ણુ અવતાર 5 પાવરફુલ મંત્ર જે દરેક કાયૅ તથા શત્રુ સામે વિજય આપવે


હોલીકા દહન એ રાક્ષસ હિરણ્યાકૃશ્યભ અને તેનો પુત્ર ભક્ત પ્રહલાદ ની કથા છે જેની આપણે સંપૂર્ણ કથા આવનારી બીજી વિડિયો માં સાંભળીશું. પરંતુ આ વર્ષ 2024 માં તિથિ વધુ ધટ ના લીધે હોળી દહન લઈને વધારે મૂંઝવણ છે કે હોળી દહન પુજન , ઉપવાસ, ક્યારે કરવો તે આપણે જાણીએ.


પહેલાં આપણે હોળી ની તિથિ માહિતી જાણી લઈએ
આ વષૅ 2024 ની ફાગણ માસ સુદ પૂર્ણિમા તિથિ
શરૂઆત 24 માચૅ 2024 રવિવાર સવારે 9:54 મિનિટ
સમાપ્તિ 25 માચૅ 2024 સોમવાર બપોરે 12:29 મિનિટ થાય છે

હવે આપણે જાણીએ ઉપવાસ ક્યારે કરવો?
ત્રણ મહત્વની તિથિ ઉપવાસ ચંદ્ર દશૅન મુજબ થાય બીજ, ચોથ અને પૂર્ણિમા માટે ફાગણ માસ ની પૂર્ણિમા તિથિ ઉપવાસ 24 માચૅ 2024 રવિવાર કરવો


હવે આપણે જાણીએ હોળી દહન ક્યારે કરવું?
હોળી દહન સમય એ ભદ્રા કાળ પર આધારિત છે
ભદ્રા કાળ નો સમય 24 માચૅ 2024 રવિવાર સવારે 9:55 થી રાત્રે 11:12 સુઘીનો રહેશે જે સમયમાં કોઈ પણ શુભ કાયૅ ના થાય


માટે આ સમય હોળી દહન ના થાય એટલે હોળી દહન સમય
 24 માચૅ 2024 રવિવાર રાત્રે 11:12 થી 12:17 સુધી શુભ સમય છે.
અને રંગ ની હોળી 25 માચૅ 2024 સોમવાર ના રોજ રહેશે.

  


In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission.

 

એકાદશી ના દિવસે ગીતાજી નો આ સ્ત્રોત કર

વાથી જ્ઞાન સિદ્ધિ મેળવી ને પરમ પદ પામે છે


શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય માહાત્મ્ય કથા | Geeta Adhyay   


રાત્રે એકવાર શ્રી મહાલક્ષ્મીની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો

 

હનુમાનજી રામ નામથી શરૂ થતો સ્ત્રોત છે દરેક કામમાં રક્ષણ આપે 

 

વાંચો "" હનુમાનજી વડવાનલ સ્ત્રોત ""  

 


 

શ્રી લક્ષ્મીનારાયણ દેવ આ પાઠ કરવાથી તમામ પાપોમાંથી મુક્તિ થઈ વિષ્ણુ લોક પ્રાપ્તિ થાય છે  

 


 શુભ દિવસે શ્રી મહાલક્ષ્મી માં ના ૧૦૮ નામ જાપ 


  """ શ્રી વિષ્ણ્વષ્ટકમ્   """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.   


દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી અહી ક્લિક કરો.  

 

શ્રી હનુમાન દાદા નો આ પાઠ ચુડેલ મેલી ડાકાણ જિન સામે રક્ષણ મળે છે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

 

 રાત્રે એકવાર "" શ્રી મહાલક્ષ્મી"" ની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો

 

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission.

 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

ગુરુવાર, 21 માર્ચ, 2024

હોળાષ્ટક સમાપ્તિના 3 દિવસોમાં બાકી રહ્યાં છે તો 12 રાશિ પ્રમાણે કરો આ શુભ કાર્યો આખા વષૅની નકરાત્મકતા દૂર કરો | Holashatk 12 Rashi Upay | Okhaharan

હોળાષ્ટક સમાપ્તિના 3 દિવસોમાં બાકી રહ્યાં છે તો 12 રાશિ પ્રમાણે કરો આ શુભ કાર્યો આખા વષૅની નકરાત્મકતા દૂર કરો  | Holashatk 12 Rashi Upay | Okhaharan 


holashatk-12-rashi-upay-okhaharan

હોળાષ્ટક સમાપ્તિના 3 દિવસોમાં બાકી રહ્યાં છે તો 12 રાશિ પ્રમાણે કરો આ શુભ કાર્યો આખા વષૅની નકરાત્મકતા દૂર કરો 


શ્રી નૃસિંહ વિષ્ણુ અવતાર 5 પાવરફુલ મંત્ર જે દરેક કાયૅ તથા શત્રુ સામે વિજય આપવે


હોળી અને અષ્ટક એટલે હોળાષ્ટક જે આ વષૅ 17 માચૅ થી હોળીકા દહન 24 માચૅ સુઘી રહેશે. આ આઠ દિવસોમાં લગ્ન, જનોઇ, મુંડન જેવા કોઈ શુભ પ્રસંગો નથી હોતા પરંતુ હોળાષ્ટકમાં પૂજા, નદી સ્નાન અને તીર્થયાત્રા દશૅન તથા દાન કરવાથી અનેકગણું મહત્ત્વ છે. 


મેષ અને વૃશ્ચિક – આ બંને રાશિઓના સ્વામી મંગળ દેવ  છે. મંગળ દેવની ની પૂજા શિવલિંગના સ્વરૂપમાં થાય છે, માટે મેષ અને વૃશ્ચિક રાશિના જાતકોઓ બાકીના 3 દિવસ  સવારે શિવલિંગ પર લાલ ગુલાલ અને લાલ ફૂલ ચઢાવવા જોઈએ. ૐ અં અંગારકાય નમઃ મંત્રનો 108 વાર જાપ કરો. 


વૃષભ અને તુલા - આ બંને રાશિઓન સ્વામી શુક્ર છે. રાશિના જાતકોઓ બાકીના 3 દિવસ જરૂરિયાતમંદ લોકોને દૂધનું દાન કરવું જોઈએ. ખાસ કરીને શિવલિંગ પર ગાયનું કાચું દૂધ ચઢાવો. શુક્ર ગ્રહ ' ૐ શુ શુક્રાય નમઃ' મંત્રનો જાપ કરો.

હોળી દહન બાદ કરીલો આ કામ તમારા ધંધા રોજગાર અને અટકેલા કામો ચુટકી માં દુર થશે 


મિથુન અને કન્યા - આ બંને રાશિઓન સ્વામી બુધની રાશિ છે. રાશિના જાતકોઓ બાકીના 3 દિવસ બુધ દેવ માટે લીલા મગનું દાન કરવું જોઈએ. દિવસની શરૂઆત ભગવાન ગણેશના ધ્યાનથી કરો. બુધ ' ૐ બુધાય નમઃ' ના મંત્રનો જાપ કરો.


કર્કઃ- આ રાશિનો સ્વામી ચંદ્ર છે. ચંદ્ર દેવએ ભગવાન શિવજીના ઉપાસક છે માટે શિવની પૂજા કરવાથી કુંડળીમાં ચંદ્ર સંબંધિત દોષો શાંત થાય અને શુભ ફળ મળે છે. કર્ક રાશિના જાતકોઓ બાકીના 3 દિવસ દરરોજ સવારે શિવલિંગ પર જળ અને દૂધ ચઢાવવું જોઈએ. ભગવાન શિવના મસ્તક પર બિરાજમાન ચંદ્રદેવની પૂજા કરો.  ' ૐ સો સોમાય નમઃ' મંત્રનો જાપ કરો.


સિંહ - આ રાશિનો સ્વામી સૂર્ય છે. સૂર્યદેવ એ નવ ગ્રહોનો રાજા છે. સૂર્યદેવ દોષોને દૂર કરવા માટે જાતકોઓ બાકીના 3 દિવસ સવારે સૂર્યને જળ અર્પિત કરો સાથે 12 નામ જાપ અને એ 12 નામ ના ફાવે તો તેમનો સરળ મંત્ર ૐ સૂર્યાય નમઃ મંત્રનો જાપ કરો. 


ધનુરાશિ અને મીન - આ બંને રાશિઓન સ્વામી ગુરુ ગ્રહની છે. આ ગુરૂ દેવની શિવલિંગના રૂપમાં પણ ગુરુની પૂજા કરવામાં આવે છે. માટે જાતકોઓ બાકીના 3 દિવસ ચણાના લોટના લાડુનું દાન કરો.  શિવલિંગ પર પીળા ફૂલ ચઢાવો. ' ૐ ગુરુવે નમઃ' મંત્રનો જાપ કરો. 


 જીવનમાં જાણ્યે અજાણ્યે થયેલા પાપોને નષ્ટ કરનારો "" પાપનાશક સ્તોત્ર "   


મકર અને કુંભ - શનિ આ બંને રાશિઓન સ્વામી છે. માટે જાતકોઓ બાકીના 3 દિવસ શનિ દેવ ને તેલનું દાન કરો. શનિદેવને તેલથી અભિષેક કરો. 'ૐ શં શનૈશ્ચરાય નમઃ' મંત્રનો જાપ કરો. 

  


In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission.

 

એકાદશી ના દિવસે ગીતાજી નો આ સ્ત્રોત કર

વાથી જ્ઞાન સિદ્ધિ મેળવી ને પરમ પદ પામે છે


શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય માહાત્મ્ય કથા | Geeta Adhyay   


રાત્રે એકવાર શ્રી મહાલક્ષ્મીની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો

 

હનુમાનજી રામ નામથી શરૂ થતો સ્ત્રોત છે દરેક કામમાં રક્ષણ આપે 

 

વાંચો "" હનુમાનજી વડવાનલ સ્ત્રોત ""  

 


 

શ્રી લક્ષ્મીનારાયણ દેવ આ પાઠ કરવાથી તમામ પાપોમાંથી મુક્તિ થઈ વિષ્ણુ લોક પ્રાપ્તિ થાય છે  

 


 શુભ દિવસે શ્રી મહાલક્ષ્મી માં ના ૧૦૮ નામ જાપ 


  """ શ્રી વિષ્ણ્વષ્ટકમ્   """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.   


દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી અહી ક્લિક કરો.  

 

શ્રી હનુમાન દાદા નો આ પાઠ ચુડેલ મેલી ડાકાણ જિન સામે રક્ષણ મળે છે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

 

 રાત્રે એકવાર "" શ્રી મહાલક્ષ્મી"" ની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો

 

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission.

 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇


બુધવાર, 20 માર્ચ, 2024

નિત્ય પાઠ કરો સંક્ષિપ્તમાં વિષ્ણુ સહસ્ત્ર નામ પાઠ | Vishnusahasra Naam Path Gujarati Lyrics | Vishnu Sahasranamam | #Okhaharan

 નિત્ય પાઠ કરો સંક્ષિપ્તમાં વિષ્ણુ સહસ્ત્ર નામ પાઠ | Vishnusahasra Naam Path Gujarati Lyrics |  Vishnu Sahasranamam | Okhaharan

Vishnusahasra-Naam-Path-Gujarati-Lyrics
Vishnusahasra-Naam-Path-Gujarati-Lyrics


શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા આવો સત્સંગ માઁ લેખ માં આજે આપણે જાણીશું વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ તે પહેલાં આપણે વિષ્ણુ ભગવાન નું ધ્યાન ધરી લઈએ ૐ નમો ભગવતે વાસુદેવાય 


નારાયણ નો આ કવચ નો પાઠ કરવાથી તમામ પ્રકારના ભય માંથી મુક્તિ મળે છે


સંક્ષિપ્તમાં વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ


અંત વિનાના હજારો સ્વરૂપવાળા હજારો ચરણ મસ્તક, સાથળ અને બાહુવાળા, પરમાત્માને નમસ્કાર હો, હજાર નામ વાળા અને હજાર કોટી યુગને ઘારણ કરનાર એવા શાશ્વત બ્રહાપુરૂષને નમસ્કાર હો. જેની વાણીમાં કમળ એવા ભગવાન વિષ્ણુને નમસ્કાર હો. જલમાં શયન કરનાર શ્રીષ્ણુ ભગવાનને નમસ્કાર હો.


હે કેશવ! હે વાસુદેવ આપને નમસ્કાર હો.


 વાસુદેવની પ્રાર્થનાથી ત્રણેય લોક વાસનાવાળા છે અને જે સર્વે પ્રાણી પદાર્થના નિવાસસ્થાન છે. એવા હૈ -વાસુદેવ આપને નમસ્કાર હો, બ્રહ્મસ્વરૂપ અને ગૌ-બ્રાહ્મણનું હિત કરનાર એવા દેવને નમસ્કાર હો, જગતનું હિત કરનાર શ્રી કૃષ્ણને નમસ્કાર હો, ગોવિદ સ્વરૂપને નમસ્કાર હો, જેમ આકાશમાંથી પૃથ્વી પર પડેલું પહેલું પાણી સમુદ્રમાં જાય છે. તેમ બધા દેવોને કરેલા નમસ્કાર ભગવાન કેશવ પ્રતિ જાય છે. જેમાં શ્રી હરિનું ભજન પૂજન થાય છે. એવો આ માર્ગ નિકુંઠ છે. 


ગીતાજી માં કહેલા શ્રી વિષ્ણુ ભગવાન ૧૦૮ નામ 


અને શ્રી હરિના ભજન પૂજન વિનાના માર્ગને કુમાર્ગ જાણવો. બધા વેદો જાણવાથી જે પુણ્ય થાય છે, અને અને તે સર્વ તીર્થયાત્રાથી જે ફળ મળે છે. તે જે સમગ્ર ફળ દુષ્ટોનો નાશ કરનાર શ્રી વિષ્ણુ ભગવાનની સ્તુતિ શ્રધ્ધાપૂર્વક કરવાથી મળે છે. જે મનુષ્ય શ્રી હરિના મંદિરમાં નિત્ય ત્રણવાર પ્રભાત, મધ્યાહન અને સાયંકાળ બે વાર કે એકવાર પણ આ વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરે છે. તેના સર્વે પાપ - કર્મો નાશ પામે છે. 


જે મનુષ્ય આ સ્ત્રોતનો પાઠ ભાવભકિતથી કરે છે. તેના શત્રુઓ બળી જાય છે. તેના પર સર્વે ઉપગ્રહો શાંત રહે છે. અને તેના સર્વે પાપ વિનાશ પામે છે. જેણે શ્રધ્ધા ભકિતપૂર્વક આ સ્ત્રોતોનું ધ્યાન કર્યું કે શ્રવણ કે પાઠ કર્યો તેણે સર્વદાન આપ્યાને દેવોની રૂડા પ્રકારની પૂજા કરી એમ સમજવું. જે મનુષ્ય દરેક બારસને દિવસે મારી સમીપ આ સહસ્ત્ર નામનો પાઠ કરે છે. તેણે આ લોક કે પરલોકમાં કોઇપણ ઠેકાણે ભય રહેતો નથી અને તેનાં કરોડો કલ્પના પાપ ધીમે-ધીમે બળી જાય છે.


ગીતાજીમાં કહેલા શ્રી કૃષ્ણ ભગવાનના 108 નામ ગુજરાતી લખાણ સાથે 


હે અર્જુન જે મનુષ્ય પીપળાની પાસે કે તુલસીની પાસે બેન્નીને આ શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ જે કરે છે. તેને કરોડો ગાયોનાં દાન આપ્યાનું ફળ પામે છે. વળી જે મનુષ્ય નિત્ય શિવાલયમાં કે તુલસીના વનમાં બેસીને નિત્ય શ્રી વિષ્ણુસહસ્ત્રનો પાઠ કરે છે. તેનાં સર્વે પાપ અને દુઃખ નાશ પામે છે. અને મોક્ષ પામે છે. અને તેણે બ્રહ્મા ઇત્યાદિ ઘોર પાપ હોય તો પણ તે સર્વનાશ પામે છે. એવું ચક્રધારી ભગવાનનું વચન.


ઇતિ શ્રી જન્મ મહાભારત ભીષ્મ, યુધિષ્ઠીર, સંવાદી શ્રી વિષ્ણુ દિવ્ય સહસ્ત્ર નામ સંપૂર્ણમ્


શ્રી કૃષ્ણાર્પણ મસ્તુ...

  


In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission.

 

એકાદશી ના દિવસે ગીતાજી નો આ સ્ત્રોત કર

વાથી જ્ઞાન સિદ્ધિ મેળવી ને પરમ પદ પામે છે


શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય માહાત્મ્ય કથા | Geeta Adhyay   


રાત્રે એકવાર શ્રી મહાલક્ષ્મીની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો

 

હનુમાનજી રામ નામથી શરૂ થતો સ્ત્રોત છે દરેક કામમાં રક્ષણ આપે 

 

વાંચો "" હનુમાનજી વડવાનલ સ્ત્રોત ""  

 


 

શ્રી લક્ષ્મીનારાયણ દેવ આ પાઠ કરવાથી તમામ પાપોમાંથી મુક્તિ થઈ વિષ્ણુ લોક પ્રાપ્તિ થાય છે  

 


 શુભ દિવસે શ્રી મહાલક્ષ્મી માં ના ૧૦૮ નામ જાપ 


  """ શ્રી વિષ્ણ્વષ્ટકમ્   """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.   


દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી અહી ક્લિક કરો.  

 

શ્રી હનુમાન દાદા નો આ પાઠ ચુડેલ મેલી ડાકાણ જિન સામે રક્ષણ મળે છે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

 

 રાત્રે એકવાર "" શ્રી મહાલક્ષ્મી"" ની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો

 

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission.

 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇