શ્રી ગણેશ નું વિસજૅન કેમ કરવામાં આવે છે ? | Why Shree Ganesh Visarjan ? | Ganesh Visarjan 2021 | Okhaharan
![]() |
Shree-Ganesh-Visarjan-kem-gujarati |
શ્રી ગણેશાય નમઃ સ્વાગત છે તમારૂ આપણા ગુજરાતી ભક્તિ લેખમાં આજે આપણે જાણીશું વિસર્જન શું છે.
ભાદરવા માસની ચતૃથી તિથિ લઈને ચૌદશ તિથિ સુઘી દસ દિવસ શ્રી ગણેશ પુજન થાય છે. ઘણાં લોકો દોઠ , 3,5,7 દિવસે વિસજૅન કરે છે તો કેટલાક લોકો દસ દિવલે એટલે ચૌદશ તિથિ 19 સપ્ટેમ્બર 2021 ના દિવસે કરશે. આ દિવસ ની તિથિ અનંત ચૌદશ પણ કહેવામાં આવે છે.
શ્રી ગણેશના વિસજૅન ની માહિતી નથી પરંતું મહાભારત ગ્રંથ ના રચિયતા મહર્ષિ વેદવ્યાસ જ્યારે મહાભારત લખવા માટે એક સારા વિચાર તથા એમનું કાયૅ નિરવિઘ્ન થાય તે માટે ગુણી લેખકની શોધ કરતા હતાં. એ સમયે એમને આ કાયૅ માટે ગણેશજી બોલાવ્યાં તેમાં પણ શરત રાખી હતી કે જ્યા સુધી મહર્ષિ ઋષિ બોલવાનું અટકાય નહી ત્યાં સુધી એકી ઘારે સતત લખતાં રહેશે. આ આખું મહાભારત વેદવ્યાસજીએ ગણેશ ચતુર્થીના દિવસે મહાભારતની કથા કહેવાની શરૂ કરી હતી. શ્રી ગણેશજી એકીઘારે સતત 10 દિવસ સુધી આ કથા લખતાં રહ્યાં હતાં.
કથા સંપૂર્ણ પૂણૅ થયા બાદ મહર્ષિ વેદવ્યાસે જ્યારે આંખ ખોલી અને તેમને જોયું કે એકીઘારે સતત 10 દિવસ વધારે લખવાની મહેનતના કારણે ગણેશજીના શરીરનું તાપમાન ઘણું વધી રહ્યું છે. એ સમયે વેદવ્યાસે ને વિચાર આવ્યો તેમને શરીર ઉપર જમીન ઠંડક વાળી માટીનો લેપ લગાવીને ભાદરવા સુદ પક્ષની ચૌદશની તિથિ એ તેમની પૂજા, ભક્તિ કરી. અને માટીનો લેપ સૂકાઇ ગયા પછી શ્રી ગણેશજી નું શરીર એકદમ કડક થઈ ગયું. ત્યારે વેદવ્યાસજીએ ગણેશજીને પાણીમાં સ્નાન કરાવ્યું. મહાભારતનું લેખન કાર્ય 10 દિવસ સુધી ચાલ્યું હતું અને અનંત ચૌદશના દિવસે પૂર્ણ થયું હતું. ત્યારથી જ ગણેશજીને ઘરમાં બેસાડવાની પરંપરા ચાલી રહી છે. અને તેમનું વિસજૅનની પ્રથા પડી.
વિસર્જન એટલે શું છેઃ-
વિસર્જન શબ્દ આમ જોવા જઈએ તો સંસ્કૃત ભાષાનો શબ્દ છે, તેનુ ગુજરાતીમાં ભાષાંતર કરીયે તો તેનો અર્થ પાણીમાં વિલીલી કરણ કરવું થાય.તેના અથૅ પ્માણે આ સન્માન સૂચક એ કાયૅ થાય છે.
એટલે ઘરમાં પૂજા માટે પ્રયોગમાં લેવામાં આવેલી માટીની મૂર્તિને વિસર્જિત કરીને તેમને સન્માન આપવામાં આવે છે.
લેખ સારો લાગ્યો હોય તો મિત્રો સાથે શેર કરો અને
દરરોજ આવા ભક્તિ લેખ વાંચવા અમારો બોલ્ગ ફોલો કરો
અમારી સાથે સોસીયલ મીડિયા માં જોડાવો 👇👇👇