બુધવાર, 9 ઑગસ્ટ, 2023

અધિક માસ માં ના છેલ્લા 7 દિવસ બાકી છે કરીલો 12 રાશિ મુજબ દાન કરવાથી અધિક ફળ પ્રાપ્તિ થાય છે | Adhik Mass 12 Rashi Dan Gujarati | Okhaharan |

અધિક માસ માં ના છેલ્લા 7 દિવસ બાકી છે કરીલો 12 રાશિ મુજબ દાન કરવાથી અધિક ફળ પ્રાપ્તિ થાય છે | Adhik Mass 12 Rashi Dan Gujarati | Okhaharan |

adhik-mass-12-rashi-dan-gujarati
adhik-mass-12-rashi-dan-gujarati

શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂ આપણા ગુજરાતી ભક્તિ લેખમાં આજે આપણે જાણીશું અધિક માસ માં ના છેલ્લા 7 દિવસ બાકી છે કરીલો 12 રાશિ મુજબ દાન કરવાથી અધિક ફળ પ્રાપ્તિ થાય છે. 


પુરુષોત્તમ માસ કથા અધ્યાય બાવીસમો


દર વષૅ તિથિ વધ-ધટ પ્રમાણે અધિક માસ આવે છે જે આ વષૅ 2023 મા પણ છે જે 18 જુલાઈ શરૂ થઈ ને 16 ઓગસ્ટ સુધી રહેશે અને ત્યાર પછી શ્રાવણ માસ શરૂ થાય છે. આ અધિક માસ અધિક ફળ આપનાર પુણ્યશાળી મહિનો છે આ મહિનામાં જપ તપ દાન કરવાનો મહિમા છે.

 દાન દક્ષિણા કરવાથી અનેક ધણું પુણ્ય ફળ મળે છે. આ અધિક માસમાં કોઈ પણ શુભ કાયૅ કરવામાં આવતા નથી. આ માસમાં શ્રીમદ્ ભાગવત કથા પુરુષોત્તમ માસ ની કથા તથા ખાસ કરીને ગીતાજી નો પુરુષોત્તમ યોગ નામનો 15 અધ્યાય પઠન શ્રવણ કરવાનો મહિમા છે. 


આ માસ અનેક વાર એવા શુભ સંયોગ રચાતા હોય છે જે ધણા વખત પછી આવતા હશે આ શ્રાવણ માસ અને અધિક માસનો સંયોગ તો 19 વષૅ પછી આવે છે. આ સમયમાં દાન દક્ષિણા ધાન વગેરે જરૂરિયાત લોકોને, બ્રહ્માણ કે કોઈ મંદિર મા દાન કરી શકો છો. હવે આપણે જાણીએ 12 રાશિ મુજબ દાન માહિતી. 


મેષ -  આ રાશિ ના લોકોએ માલપુઆ, ઘી, ઘોડો, ચાંદી, લાલ કાપડ, કેળા, દાડમ, સોનું, તાંબુ, જમીન, ઘઉ વગેરે દાન કરવાથી પુણ્ય ફળ મળે છે. 


વૃષભ - આ રાશિ ના લોકોએ સફેદ વસ્ત્ર, ચાંદી, માલપુઆ, માવા, ખાંડ, ચોખા, કેળા, ગાય, મોતી, વગેરે દાન કરવાથી પુણ્ય ફળ મળે 


મિથુન - આ રાશિના લોકોએ નીલમણિ, મગ, સોનું, તેલ, સફરજન, માલપુઆ, ગાય વગેરે દાન કરવાથી પુણ્ય ફળ મળે છે. 


વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" 


કર્ક - આ રાશિના લોકોએ મોતી, ચાંદી, પાણી, તલ, સફેદ વસ્ત્ર, જમીન, માલપુઆ,  દૂધ, ખાંડ, ચોખા વગેરે દાન કરવાથી પુણ્ય ફળ મળે. 


સિંહ - આ રાશિના લોકોએ લાલ કપડું, તાંબુ, પિત્તળ, સોનું, ચાંદી, ઘઉં, દાળ, ધાર્મિક પુસ્તકો, દાડમ, સફરજન, માલપુઆ વગેરે દાન કરવાથી પુણ્ય ફળ મળે


કન્યા- આ રાશિના લોકોએ નીલમણિ, મગની દાળ, કેળા, સફરજન, માલપુઆ, સ્ત્રીઓની સુંદરતાની વસ્તુઓ વગેરે દાન કરવાથી પુણ્ય ફળ મળે


તુલા - આ રાશિના લોકોએ સફેદ વસ્ત્ર, ચાંદી, માલપુઆ, માવા, ખાંડ, ચોખા, કેળા, બળદ, ગાય, હીરા, મોતી, વાહન વગેરે દાન કરવાથી પુણ્ય ફળ મળે


વૃશ્ચિક -આ રાશિના લોકોએ માલપુઆ, ઘી, ઘોડો, ચાંદી, લાલ કાપડ, કેળા, દાડમ, સોનું, તાંબુ, જમીન, ઘઉં , ધન વગેરે દાન કરવાથી પુણ્ય ફળ મળે છે


વાંચો  આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત 


ધનુ- આ રાશિના લોકોએ પીળા વસ્ત્રો, ચણાની દાળ, ઘોડો, લાકડાની વસ્તુઓ, ઘી, તલ, અનાજ, દૂધ, અભ્યાસને લગતી વસ્તુઓ વગેરે દાન કરવાથી પુણ્ય ફળ મળે


મકર - આ રાશિના લોકોએ તેલ, વાદળી કાપડ, કેળા, માલપુઆ, ઓજારો, લોખંડથી બનેલી ઘર માટે જરૂરી વસ્તુઓ વગેરે દાન કરવાથી પુણ્ય ફળ મળે


કુંભ - આ રાશિના લોકોએ દવાઓ, ગાય, વાદળી વસ્ત્ર, ચાંદી, કેળા, માલપુઆ, મોસમી ફળો વગેરે દાન કરવાથી પુણ્ય ફળ મળે છે


મીન - આ રાશિના લોકોએ પીળા કપડાં, ચણાની દાળ, ઘોડો, લાકડાની વસ્તુઓ, ઘી, તલ, અનાજ, વગેરે દાન કરવાથી પુણ્ય ફળ મળે છે. 

Gujarati Bhakti Lekh on Whatsapp


નારાયણ નો આ કવચ નો પાઠ કરવાથી તમામ પ્રકારના ભય માંથી મુક્તિ મળે છે અહી ક્લિક કરો.   






દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી 


 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇