સોમવાર, 8 માર્ચ, 2021

વિજયા એકાદશી વ્રત કથા | Vijaya Ekadashi Vrat Katha Gujarati | Okhaharan

વિજયા એકાદશી વ્રત કથા | Vijaya Ekadashi Vrat Katha Gujarati |  Okhaharan

Vijaya-Ekadashi-Vrat-Katha-Gujarati
Vijaya-Ekadashi-Vrat-Katha-Gujarati


શ્રી ગણેશાય નમઃ સ્વાગત છે તમારૂ આપણા ગુજરાતી ભક્તિ લેખમાં આજે આપણે જાણીશું મહા માસની વદ વિજયા એકાદશી વિજયા એકાદશી વ્રત કથા

એકાદશી ના દિવસે નારાયણ નો આ કવચ નો પાઠ કરવાથી તમામ પ્રકારના ભય માંથી મુક્તિ મળે છે અહી ક્લિક કરો.   

ધમૅરાજ યુધિષ્ઠિર બોલ્યા "હે જનાદૅન ! મહા માસના કૃષ્ણ પક્ષની એકાદશી નું નામ શું છે ? તેની વિધિ શી છે? તે કૃપા કરીને કહો. 


શ્રી કૃષ્ણા ભગવાન બોલ્યા હૈ રાજન મહા માસની કૃષ્ણ પક્ષની એકાદશી નું નામ વિજયા છે. તેના વ્રતના પ્રભાવથી મનુષ્ય ને વિજય મળે છે.આ વિજયા એકાદશી ના પ્રભાવ થી અને તેના શ્રવણ પઠનથી સમસ્ત પાપ નષ્ટ થાય છે.


એક સમયે દેવષિ નારદે જગતપિતા બ્રહ્માજી ને પુછ્યુ : હે બ્રહ્માજી તમે મને મહા માસની વદ પક્ષની વિજયા એકાદશી નું વ્રત વિધાન બતાવો બ્રહ્માજી બોલ્યા હે નારદ વિજયા એકાદશી વ્રત પ્રાચીન ને નવા પાપોને નષ્ટ કરનાર છે.


ત્રેતાયુગમાં મયાદા પુરૂષોત્તમ શ્રી રામચંદ્રજી ને જયારે ચૌદ વષૅનો વનવાસ થઈ ગયો ત્યારે તે શ્રી લક્ષ્મણજી તથા માતાજાનકી સહિત પંચવટી માં નિવાસ કરવા લાગ્યા. ત્યારે પાપી રાવણે સીતાજીનું હરણ કર્યું હતું. આ દુ:ખદ સમાચાર થી શ્રી રામ અને લક્ષ્મણ અત્યંત વ્યાકુળ બની સીતાજી ની શોધ માં  નીકળી પડ્યા. ફરતા ફરતા તેઓ મરણાસત્ર જટાયુ ના પાસે પહોંચ્યા. જટાયુ પોતાની કથા સાભવવી સ્વગૅલોક ચાલ્યો ગયો. થોડા આગળ વધી ને  શ્રીરામ ની સુગ્રીવની સાથે મિત્રતા થઈ અને વાલીનો વધુ કયૉ. શ્રી હનુમાનજી રામચંદ્રની પાસે આવ્યા અને બધા સમાચાર કહ્યા. શ્રી રામચંદ્રજી એ સુગ્રીવ ની સંપતિ લઈને વાનરો અને રીંછોની સેના સહિત લંકા તરફ પ્રસ્થાન કર્યું. જ્યારે શ્રી રામચંદ્રજી એ સમુદ્ર કિનારે મહાન , અગાધ મગરમચ્છોથી યુક્ત સમુદ્ર જોયો ત્યારે તેમણે શ્રી લક્ષ્મણજી ને કહ્યું " હે લક્ષ્મણ આ મહાન અગાધ સમુદ્ર ને કઈ રીતે પાર કરીશું? " 

એકાદશી ની શ્રી જગત ના પાલનહાર વિષ્ણુ ભગવાન પુજન વિધી વાંચવા અહીં ક્લિક કરો

ત્યારે શ્રી લક્ષમ્ણજી બોલ્યા "હે રામજી તમે આદિ પુરુષ પુરાણ પુરુષોત્તમ છો. અહીંથી લગભગ અડધા યોજનની દૂરી પર કુમારી દ્રીપમા બકદાલભ્ય નામના ઋષિ રહે છે એમણે અનેક નામના બ્રહ્મા ને જોયા છે તમે એમની પાસે જંઈને એનો ઉપાયા પુછો" લક્ષ્મણજી ના આ વાંચનો સાંભળી ને શ્રી રામચંદ્રજી એ બકદાલભ્ય ઋષિ પાસે ગયા અને એમને પ્રણામ કરીને બેઠા મુનિએ તને પુછ્યુ હે રામજી તમે ક્યાંથી પધાર્યા છો? 



શ્રી રામજી બોલ્યા " હે મહષિ હું મારી સેવા સહિત અહીં આવ્યો છું અને રાક્ષસોને જીતવા લંકા જઈ રહ્યો છું" 

બકદાલભ્ય ઋષિ બોલ્યા " હે રામજી હું તમને એક ઉત્તમ વ્રત બતાવું છું મહા માસની વદ પક્ષની વિજયા એકાદશી વ્રત કરવાથી તમે સમુદ્ર અવશ્ય પાર કરી શકશો અને તમારો વિજય થશે હે રામજી આ વ્રતની વિધિ એ છે કે દશમના દિવસે સોના, ચાંદી , તાબા કે માટીનો કોઈ પણ એક નો કળશ બનાવવો . આ ધડામા પાણી ભરી તેના પર પાંચ પલ્લવ રાખીને વેદિકા પર સ્થાપન કરવું. એ કળશ નીચે સતનજા અને ઉપર જવ રાખવા. તેના પર શ્રી નારાયણ ભગવાન ની સુવણૅ પ્રતિમા સ્થાપિત કરવી.એકાદશી ના દિવસે સ્નાન આદિ નિત્યકર્મ થી નિવૃત થંઈને ધૂપ , દીપ , નૈવેદ્ય , નારિયેળ, આદિથી ભગવાનનું પુજન કરવુ. એ સમસ્ત દિવસે ભક્તિ પૂર્વક કળશ ની સામે વ્યતીત કરવો. અને રાત્રિના પણ એ રીતે બેસીને જાગરણ કરવું જોઈએ. દ્રાદશી ના દિવસે નથી અથવા તળાવ માં સ્નના કર્યા પછી આ કળશ ને બ્રહ્માણ ને આપી દેવો. હે રામ જો તમે આ વ્રતને સેનાપતિઓ સાથે કરશો તો અવશ્ય જ વિજયી થશો.

એકાદશી ના કેટલાક નિમ્નલિખિત કયો ના કરવા જોઈએ તે વાંચવા અહીં ક્લિક કરો



શ્રી રામચંદ્રજીએ મુનિની આજ્ઞા અનુસાર વિધિપૂર્વક વિજયા એકાદશી વ્રત કર્યું અને તેના પ્રભાવથી દૈત્યોના ઉપર વિજય મેળવ્યો.


અતઃ હે રાજન જે મનુષ્ય આ વ્રતને વિધિપૂર્વક કરશે તેને બંને લોકમાં વિજય થશે.

 

આ એકાદશી નું વ્રત પૂણૅ શ્રદ્રા રાખીને કરવાથી કોઈ પણ ઘારેલા કાયૅ માં વિજય મળે છે 
Vishnu-Sahastra-Path-In-Gujarati-Lyrics

ગીતાજીમાં કહેલા શ્રી કૃષ્ણ ભગવાનના 108 નામ ગુજરાતી લખાણ સાથે 

એકાદશી ના દિવસે ગીતાજી નો આ સ્ત્રોત કરવાથી જ્ઞાન સિદ્ધિ મેળવી ને પરમ પદ પામે છે

શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય માહાત્મ્ય કથા | Geeta Adhyay   



In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission.

 

  જય શ્રી કૃષ્ણ  રુદ્રાભિષેક ,  લઘુરુદ્ર યજ્ઞ,મહારૂદ્રયજ્ઞ, ગૃહવાસ્તુ પુજન, નવગ્રહ શાંતિ , નવગ્રહ મંત્ર જાપ , કાલસપૅ દોષ , ચાંડાલ દોષ, અંગારક દોષ વગેરે જન્મ કુંડળી ના દરેક દોષોનું નિવારણ , નવચંડી યજ્ઞ, શતચંડી યજ્ઞ, પ્રાણપતિષ્ઠા વિધિ, કરનાર. તેમજ  આ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

 Krishna-chalisa-gujarati