શુક્રવાર, 13 મે, 2022

શ્રી નૃસિંહ જયંતિ 2023 ક્યારે છે, તિથિ માહિતી પુજન શુભ સમય, મંત્ર અને નૃસિંહ ચતુર્દશીનું મહત્વ | Narsimha jayanti 2023 Gujarati | Okhaharan

 શ્રી નૃસિંહ જયંતિ 2023 ક્યારે છે, તિથિ માહિતી પુજન શુભ સમય, મંત્ર અને નૃસિંહ ચતુર્દશીનું મહત્વ  | Narsimha jayanti 2023 Gujarati | Okhaharan

Narsimha-jayanti-2023-Gujaratai
Narsimha-jayanti-2022-Gujaratai

શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખ માં આજે આપણે જાણીશું  ભગવાન વિષ્ણું ચોથો અવતાર શ્રી નૃસિંહ જયંતિ 2023 ક્યારે છે, તિથિ માહિતી પુજન શુભ સમય, મંત્ર અને નૃસિંહ ચતુર્દશીનું મહત્વ તે બઘું આપણે જાણીશું 

 

શ્રી નૃસિંહ વિષ્ણુ અવતાર 5 પાવરફુલ મંત્ર જે દરેક કાયૅ તથા શત્રુ સામે વિજય આપવે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.


હિન્દું સનાતન ઘમૅ મુખ્ય ચાર યુગનો ઉલ્લેખ છે અને આ ચારેય યુગમાં જગત ના પાલનહાર શ્રી વિષ્ણું ભગવાનનાં અવતાર છે તેવી જ રીતે સતયુગમાં એક આ દિવસે ભગવાન વિષ્ણુએ નૃસિંહ તરીકે અવતાર લીધો હતો અને હિરણ્યકશિપુનો વધ કર્યો હતો અને તે દિવસે અનિષ્ટ પર સારાનો વિજય થયો હતો. 


 


હિંદુ ધર્મ અનુસાર ભગવાન વિષ્ણુનું નૃસિંહ અવતાર અડધુ શરીર સિંહનું અને અડધું શરીર મનુષ્યનું હતું.ઉત્પતિ થઈ હતી તેથી આ દિવસને નૃસિંહ જયંતિ તરીકે ઉજવવામાં આવે છે.ભગવાન વિષ્ણુએ આ અવતાર તેમના પરમ ભક્ત પ્રહલાદની રક્ષા માટે અને અનિષ્ટ પર સારાની જીત માટે લીધો હતો.

નૃસિંહ જંયતિ વાંચો ભક્ત પ્રહલાદ ની નૃસિંહ ઉદભવ કથા ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.


નૃસિંહ જયંતિ દર વર્ષે વૈશાખ મહિનાની સુદ ચતુર્દશી ના દિવસે ઉજવવામાં આવે છે. તેને નૃસિંહ ચતુર્દશી પણ કહેવામાં આવે છે. આ વર્ષે નૃસિંહ ચતુર્દશી 4 મેના રોજ આવશે. ભગવાન વિષ્ણુનું અડધુ શરીર નો ઉપર નો ભાગ સિંહનું અને નીચેનો ભાગ શરીર મનુષ્યનું હતું. ભગવાન વિષ્ણુ નૃસિંહ અવતારમાં દેખાયા હતા, તેથી આ દિવસને નૃસિંહ જયંતિ તરીકે ઉજવવામાં આવે છે. ભગવાન વિષ્ણુએ પોતાના પરમ ભક્ત પ્રહલાદની રક્ષા માટે અને અસત્ય પર સત્ય ની જીત માટે આ અવતાર લીધો હતો અને અત્યાચારી અસુર હિરણ્યકશિપુનો વધ કર્યો હતો. કેમ અસુરરાજ હિરણ્યકશિપુનો  ના આકારા વરદાનને ઘ્યાનમાં લઈને ભગવાન વિષ્ણુના આ સ્વરૂપને નૃસિંહ તરીકે ઓળખવામાં આવે છે. આવો જાણીએ નૃસિંહ જયંતિનું મહત્વ, શુભ સમય અને પૂજા પદ્ધતિ વિશે.



હિન્દું પંચાંગ અનુસાર, વૈશાખ માસની સુદ પક્ષની ચતુર્દશી તિથિને નૃસિંહ જયંતિ કહે છે જે આ વષે તિથિની શરૂઆત 3 મે 2023, રાત્રે 11:49 વાગ્યે

તિથિ ની સમાપ્તી 4 મે 2023, રાત્રે 11:43 વાગ્યે.

નૃસિંહ ભગવાનની ઉત્પતિ સંઘ્યાં સમયે થઈ હતી માટે નૃસિંહ જયંતિ 4 મે 2023, રોજ રહેશે અને ભક્તો આ દિવસે ઉપવાસ તથા મંદિરોમાં તહેવાર હષૅ ઉલ્લાસ થી ઉજવાસે.

પૂજનનો સમય સવારે 10.58 થી બપોરે 03.51 અને સાંજે 05.28 થી સાંજે 07.05 સુધીનો છે.

નારાયણ નો આ કવચ નો પાઠ કરવાથી તમામ પ્રકારના ભય માંથી મુક્તિ મળે છે અહી ક્લિક કરો. 


નૃસિંહ ભગવાનનાં પૂજા કરતી વખતે કેટલાક મંત્રોનો જાપ કરવાથી ઈચ્છિત ફળ મળે છે.

એકાક્ષર નૃસિંહ મંત્રનો સિદ્ધ મંત્ર: "ક્ષૌં"


ત્ર્યક્ષરી નૃસિંહ મંત્ર: "ॐ ક્ષૌં ॐ "


ષડાક્ષર નૃસિંહ મંત્ર: "ॐ હ્રીં ક્ષૌં ક્રૌં હૂં ફટ્ "

નૃસિંહ ગાયત્રી: " ॐ ઉગ્ર નરસિંહાય વિદ્મહે વ્રજ નખાય ધીમહિ તન્નો નરસિંહઃ પ્રચોદયાત્ । નૃસિંહ ગાયત્રી: " ॐ વજ્ર-નાખાય વિદ્મહે તીક્ષ્ણ-દ્રષ્ટયા ધીમહિ. તન્નો નારસિંહઃ પ્રચોદયાત્ ।



નૃસિંહ ચતુર્દશીનું મહત્વ


આ દિવસે ભગવાન વિષ્ણુના અવતાર નૃસિંહની પૂજા કરવામાં આવે છે. વિષ્ણું પુરાણ અનુસાર, ભગવાન વિષ્ણુએ હિરણ્યકશિપુ નો વઘ કરવા માટે નૃસિંહનો અવતાર લીધો હતો કારણ કે હિરણ્યકશિપુ એ ભગવાન બ્રહ્માં પાસે વરદાન આપવામાં આવ્યું હતું કે તેનો વઘ સમય તે દિવસ કે ના રાત, ના ઘરની અંદર કે ના ઘરની બહાર ના કોઈપણ નર કે પ્રાણી વડે ના કોઈ અસ્ત્ર કે શસ્ત્ર વડે ન તો જમીન કે ના આકાશમાં મને મારી શકે છે. હિરણ્યકશિપુએ પોતાના અભિમાનમાં ગભરાટ ફેલાવી દીધો હતો. તેણે નિર્દોષોને ત્રાસ આપવાનું શરૂ કર્યું અને તેના પુત્ર પ્રહલાદને ભગવાન વિષ્ણુની પૂજા કરવા માટે રોક્યો. શાસ્ત્રો અનુસાર ભગવાન વિષ્ણુએ નૃસિંહનો અવતાર લીધો હતો અને તે સ્તંભ ફાડીને પ્રગટ થયા હતા. તેણે હિરણ્યકશિપુને ઘરની ઉંબરી પર પોતાના બંને પગ પર સુવડાવીને અને નખ વડે તેનું શરીર ફાંડી નાખ્યું હતું 

 

ગીતાજી માં કહેલા શ્રી વિષ્ણુ ભગવાન ૧૦૮ નામ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

ગીતાજીમાં કહેલા શ્રી કૃષ્ણ ભગવાનના 108 નામ ગુજરાતી લખાણ સાથે 

એકાદશી ના દિવસે ગીતાજી નો આ સ્ત્રોત કરવાથી જ્ઞાન સિદ્ધિ મેળવી ને પરમ પદ પામે છે

 

આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો.  

 

માં વૈભવ લક્ષ્મી વ્રત કોણ કરી શકે ? અને કેવી રીતે કરવું ? શું કરવું  ? શુ ના કરવું ? અહી ક્લિક કરો.  

 ગીતાજીમાં કહેલા શ્રી કૃષ્ણ ભગવાનના 108 નામ ગુજરાતી લખાણ સાથે 


 

શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય માહાત્મ્ય કથા | Geeta Adhyay   

 

Amazon Today Offer 

50% Off On Price + 10% Discount on Cards Click Here 👇👇

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission.
 

જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇