સંકષ્ટી ચતુર્થી ના દિવસે શ્રી ગણેશ નો આ સ્તોત્ર નો પાઠ કરવાથી શ્રી અને પુત્ર પ્રાપ્તિ થાય છે | Ganesh Panchak Stotram Gujarati Lyrics | Okhaharan
Ganesh-Panchak-Stotram-Gujarati-Lyrics |
શ્રી ગણેશાય નમઃ સ્વાગત છે તમારૂ આપણા ગુજરાતી ભક્તિ લેખમાં. આજે લેખમાં જાણીશું પોષ માસની સંકષ્ટી ચતુર્થી દિવસે પાઠ કરીશું શ્રી ગણાધિપ પંચક સ્તોત્ર જે કરવાથી શ્રી અને પુત્ર પ્રાપ્તિ થાય છે.
સંકષ્ટી ચતુર્થી ના દિવસે શ્રી ગણેશ નો ઋણમુક્તિ ગણેશ સ્ત્રોત અહી ક્લિક કરો
શ્રી ગણાધિપ પંચક સ્તોત્ર
સરાગિલોકદુલૅભં વિરાગિલોકપૂજિતં
સુરાસુરૈનૅમસ્કૃતં જરાદિમૃત્યુનાશકમ્
ગિરા ગુરૂ શ્રિયા હરિ જયંતિ યત્પદાચૅકા
નમામિ તં ગણાધિયં કૃપાપય પયોનિધિમ્
જે વિષય વાસનાથી લિત્પ લોકો માટે દુર્લભ છે મોહમાયાથી વિરક્ત જનોની પૂજિત છે દેવતાઓ અને અસુરો જેમની વંદના કરે છે તથા જરા વગેરે મૃત્યુના નાશક છે જેમના ચરણાવિદોની અચૅના કરનારા ભક્ત પોતાની વાણી દ્વારા દેવગણ બૃહસ્પતિને અને લક્ષ્મી દ્વારા શ્રી વિષ્ણુને પણ જીતી લે છે એ દયાસાગર ગણાપતિને હું પ્રણામ કરું છું
ગિરીન્દ્રજામુખામ્બુજપ્રમોદદાનભાસ્કરં
કરીન્દ્રલકત્રમાનતાધ સંધવારણોધતમ્
સરીસૃપેશબદ્રકુક્ષિમાશ્રયામિ સંતતં
શરીરકાન્તિનિજિતાબ્જબન્ધુબાલસંતતિમ્
જે ગિરિજાનંદની ઉમાના મુખારવિંદ ને આનંદ પ્રદાન કરવા માટે સૂર્યરૂપ છે જેમનું મુખ ગજરાજ સમાન છે જે ભક્તજનોની પાપરાશિ નો નાશ કરવા માટે તત્પર રહે છે જેમનું ઉદર નાગરાજ શેષથી આવેષ્ટિત છે તથા જે પોતાના શરીરની તેજસ્વી ક્રાંતિથી બાળ સૂર્યની કિરણાવલી ને પરાજિત કરી દે છે એ ગણેશજીનું હું સદા શરણ માં રહું છું
સંકષ્ટી ચતુર્થી ના દિવસે શ્રી ગણપતિના સિદ્રિદાયક મંત્રો એક અક્ષર થી સોળ અક્ષર મંત્રો અહી ક્લિક કરો.
શુકાદિમૌનિવન્દિતં ગકારવાચ્યમક્ષરં
પ્રકામમિષ્ટદાયિનં સકામનમ્રપંક્તયે
ચક્રાસનં ચતુર્ભુજૈવિકાસિપદમપૂજિતં
પ્રકાશિતાત્મતત્વકં નમામ્યહં ગણાધિપમ્
શુક્ર વગેરે મૌનાવલંબી મહાત્મા જેમની વંદના કરે છે જે પ્રકારના એ કારના વાચ્યાથૅ અવિનાશી તથા સકામ ભાવથી ચરણોમાં વંદના કરનારા ભક્ત સમૂહો માટે મનગમતી અભિષ્ટ વસ્તુને આપનારા છે ચાર ભુજાઓ જેમની શોભા વધારે છે જે પ્રફુલ કમળથી પૂજિત થાય છે અને આત્મતત્ત્વ પ્રકાશક છે એ ગણાધિપતિને હું નમસ્કાર કરું છું
નરાધિપત્વદાયતકં સ્વારાદિલોકદાયકં
જરાદિ રોગવારકં નિરાકૃતાસુરવ્જમ્
કરામ્બુજૈધૅરન્ સૃણીન્ વિકારશૂન્યમાનસૈહ્રૅદા
સદાવિભાવિતં મુદા નમામિ વિધ્નપમ્
જે નરેશત્વ પ્રદાન કરનારા સ્વગૉદિ લોકોના દાતા વૃદ્રાવસ્થા વગેરે રોગોનું નિવારણ કરનારા તથા અસુર સમુદાયનો સંહાર કરનારા છે જે પોતાની સૂઢં પર શુભ ચિન્હ ધારણ કરે છે અને નિર્વિકાર ચિત્તવાળા ઉપાસક જેમનું હંમેશા મન દ્વારા ધ્યાન કરે છે એ વિધ્વિનપતિને હું સાનંદ પ્રણામ કરું છું
સંકષ્ટી ચતુર્થી ના દિવસે શ્રી ગણેશજી ના 108 નામ જાપ ગુજરાતમાં લખાણ સાથે
શ્રમાપનોદનક્ષમં સમાહિતાન્તરાત્મના
સમાધિભિ સદાચિત ક્ષમાનિધિ ગણાધિપમ્
રમાધવાદિપૂજતિ યમાન્તકાત્મસમ્ભવં
શમાદિષડગુણપ્રદં નમામિ તં વિભૂતયે
જે બધા પ્રકારના કષ્ટ અને પીડાનું નિવારણ કરવામાં સમર્થ છે એકાગ્ર ચિત્ત વાળા યોગી દ્વારા હંમેશા સમાધિથી પૂજિત છે ક્ષમાસાગર અને ગણોના અધિપતિ છે લક્ષ્મીપતિ વિષ્ણુ વગેરે દેવતા પ્રેમની પૂજા કરે છે જે મૃત્યુજયના વંશજ છે તથા શમ વગેરે છે ગુણોના ક્ષમા સુખ શાંતિ સમૃદ્ધિ રોગશમન મોક્ષ દેવતા છે એ ગણેશ ને હું એશ્વર્ય પ્રાપ્તિ માટે નમસ્કાર કરું છું
ગણાધિપસ્ય પંચકં નૃણામભીષ્ટદાયકં
પ્રણામપૂવૅક જનાપઠન્તિ યે મુદાયુતા
ભવન્તિ તે વિદામ્પુર પ્રગાતવૈભવા
જનાશ્ર્ચિરાયુષોડધિકશ્રિય: સુસુનવો ન સંશય:
આ ગણાધિપંચકસ્તોત્ર મનુષ્યને અભિષ્ટ વસ્તુ પ્રદાન કરનારું છે જે લોકો પ્રણામ પૂર્વક પ્રસન્નતાથી સાથે એનો પાઠક કરે છે તેઓ વિદ્વાનો સમક્ષ પોતાના વૈભવ માટે પ્રસિધ્ધ થાય છે તથા દીર્ધાયું અધિક શ્રી સંપત્તિથી સંપન્ન તથા સુંદર પુત્ર વાળા થાય છે એમાં સંશય નથી
દરરોજ કરો પુત્રની પ્રાપ્તિ માટે શ્રી ગણેશજી નો સંતાન ગણપતિ સ્તોત્રમ્ ગુજરાતી લખાણ સાથે
બોલીયે શ્રી ગજાનંદ ગણપતિ મહારાજ ની જય.
કોમેન્ટમાં જય ગણેશ સમય હોય તો લખો
સવૅ અમારા જય ગણેશ
21, જાન્યુઆરી 2022 પોષ વદ-4 | સંકટ ચોથ ની વાર્તા | sankashti chaturthi ni vrat katha gujaratima |
ગણેશ ની ભક્તિ માટે મોબાઈલ એપ જેમાં મંત્ર , ચાલીસા , બાવની વગેરે.. ફી ડાઉનલોડ જે Make in India છે અહી ક્લિક કરો.
અંગારકી સંકષ્ટ ચતુર્થી વ્રત- કથા,મહાત્મય Youtube પર સાભળો
શ્રી ગણપતિ અથવૅશીષૅ પાઠ Youtube પર સાભળો ફકત 3 મિનિટમાજ
સરમતા સુખ પામીએ ગણપતિ ભજન Youtube પર સાભળો
લેખ સારો લાગ્યો હોય તો મિત્રો સાથે શેર કરો અને
દરરોજ આવા ભક્તિ લેખ વાંચવા અમારો બોલ્ગ ફોલો કરો
અમારી સાથે સોસીયલ મીડિયા માં જોડાવો 👇👇👇