સોમવાર, 31 મે, 2021

ઘરે કે મંદિરે શિવ પુજન કરીલો આ 2 મિનિટ ની સ્તુતિ જરૂર કરો Shiv Stuti Gujatati Okhaharan

ઘરે કે મંદિરે શિવ પુજન કરીલો આ 2 મિનિટ ની સ્તુતિ જરૂર કરો Shiv Stuti Gujatati Okhaharan

shiv-pujan-stuti-gujarati-shiv-stuti-Gujarati
shiv-pujan-stuti-gujarati-shiv-stuti-Gujarati

 

ઉમા ઈશ હું આપને પાય લાગું
કરી ભક્તિ તારી સદા મુક્તિ માગું;
નહીં અન્ય કોઈ મને વસ્તુ પ્યારી
દીઓ ભક્તિ શંભુ સદાએ તમારી ;


 

 સહુ દેવનો દેવ તું દેવ મોટો
કરે ભક્તિ તારી ન રહે કાંઈ તોટો;
ભજે ભાવથી આપને સૃષ્ટિ સારી
દીઓ ભક્તિ શંભુ સદાએ તમારી;

Shiv Mantra Gujarati

પૂરા પ્રેમથી જે કરે શિવ સેવા
મળે તેમને તો સદા મિષ્ટ મેવા;
વળી પાપના પુજ નાખો નિવારી
દીઓ ભક્તિ શંભુ સદાએ તમારી


દયા લાવીને દાસના દુઃખ કાપો
મને શરણે જાણી સદા સુખ આપો
છબી આપની છે મને પૂર્ણ પ્યારી
દીઓ ભક્તિ શંભુ સદાએ તમારી
ૐ નમઃ શિવાય 

Youtube પર સાભળો.

--- સોમવારે જાણો શિવ બિલિપત્ર નું માહાત્મય 

---બિલાષ્ટક પાઠ ગુજરાતી અથૅ સહિત 

 

 

લેખ સારો લાગ્યો હોય તો મિત્રો સાથે શેર કરો અને  

 દરરોજ આવા ભક્તિ લેખ વાંચવા અમારો બોલ્ગ ફોલો કરો 

અમારી સાથે સોસીયલ મીડિયા માં જોડાવો  👇👇👇

 

 

 

 

રવિવાર, 30 મે, 2021

રવિવારે કરીલો માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા આ ઉપાય અને પછી જુઓ ચમત્કાર | Sunday Mahalakshi Pujan Gujarati | Okhaharan

રવિવારે કરીલો માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા આ ઉપાય અને પછી જુઓ ચમત્કાર Sunday Mahalakshi Pujan Gujarati Okhaharan

MahaLakshmi-Upay-Gujarati
MahaLakshmi-Upay-Gujarati

 બઘી પોતાનું જીવન સુખ,શાંતિથી જીવવા ઈચ્છે છે. પરંતુ ઈચ્છા પુરતી સચોટ રસ્તા ખબર નથી હોતા. આજે આપણે આ ગુજરાતી લેખમાં એવા ઉપાય જાણીશું જેનાથી માતા લક્ષ્મી પ્રસન્નતા થાય. દરેક માનવી પોતાની જરૂર વસ્તુઓ અને ઈચ્છા હોય છે.તેને પૂરી કરવા માટે ખુબ મહેનત પણ કરે છે. અને અમુક વાર એવું પણ બને છે કે એના પરિણામ સારા ના મળે. રવિવારે કેટલાક ઉપાયો કરવાથી પૈસાથી પ્રગતિ થવાની સંભાવના છે.

શનિવાર, 29 મે, 2021

29 મે ચતુર્થી સ્પેશિયલ શ્રી ગણેશ અથવૅશીષૅ સંપૂર્ણ ગુજરાતી લખાણ સાથે - Ganpati Atharvashirsha Lyrics Gujarati Okhaharan

29 મે ચતુર્થી સ્પેશિયલ શ્રી ગણેશ અથવૅશીષૅ સંપૂર્ણ ગુજરાતી લખાણ સાથે - Ganpati Atharvashirsha Lyrics Gujarati Okhaharan

गणपति-अथर्वशीर्ष-पाठ-ganpati-atharvashirsha-lyrics-gujarati
गणपति-अथर्वशीर्ष-पाठ-ganpati-atharvashirsha-lyrics-gujarati

 આજે આપણે ગુજપાતી ભક્તિ લેખમાં પ્રથમ પુજય શ્રી ગણેશનો અથવૅશીષૅ પાઠ કરીશું આ પાઠના વાચન શ્રવણ માત્રથી દરેક પ્રકાર ના પાપ નષ્ટ થઈ જાય છે.

શુક્રવાર, 28 મે, 2021

29 મે 2021 સંકષ્ટી ચતુર્થી શ્રી ગણેશજી મંદિર પુજન સમયે કરીલો બસ આ ઉપાય તમારા દુઃખ ,નોકરી, ધંધા રોજગાર બધા વિધ્ન દુર થશે Ganeshji Upay Gujarati Okhaharan

 29 મે 2021 સંકષ્ટી ચતુર્થી શ્રી ગણેશજી મંદિર પુજન સમયે કરીલો બસ આ  ઉપાય તમારા દુઃખ ,નોકરી, ધંધા રોજગાર બધા વિધ્ન દુર થશે Ganeshji Upay Gujarati Okhaharan

Ganeshji-Upay-Gujarati
Ganeshji-Upay-Gujarati

 

 શ્રી ગણેશજી તમારી સવૅ મનોકામના પૂર્ણ કરે

આજે આપણે ગુજરાતી ભક્તિ લેખમાં જાણીશું સવૅ દુઃખ , દરિદ્રાતા , નકારાત્મક ઉર્જા બધામાંથી નિકળવાના ઉપાય બતાવીશું.

વૈશાખ માસની વદ ચોથ 29/5/2021 શનિવારે છે અને ચંદ્ર દશૅન નો સમય રાત્રે 10:21 નો છે.

ચતુર્થી ના દિવસે કરવાના ઉપાયો

પહેલો ઉપાય

શ્રી ગણેશજી ની દરેક પ્રકાર ભક્તિ અને પુજન કયૉ પછી જો તમને ખુશી ના મળે અને દુ:ખ લાગે કરી લો પુજન આ વસ્તુ નો ઉપયોગ. ચતુર્થી ના દિવસે તથા દરરોજ શક્ય હોય તો શ્રી ગણેશજી ની મ્રુતિ અથવા છબી ને ગંગાજળથી અભિષેક અથવા સ્વચ્છ કરો. અને જો અભિષેક કરતા હોય તો સાથે અથૅવશીષૅ નો પાઠ જરૂર કરો.અને પ્રસાદમાં શુદ્ધ માવાના લાડુ ધરાવો. ત્યારબાદ તેનો પ્રસાદ નાના છોકરા, ગરીબ , બ્રાહ્મણ, ગાય ને આપો તમે પછી લો. આ ઉપાય કરવાથી તમને જીવનના ખુશી અને આનંદ પ્રાપ્ત થશે. 


બીજો ઉપાય

જો ને તમારા ઘરમાં નકારાત્મક ઉર્જા નો અહેસાસ થાય કે વિચારો આવે તો શ્રી ગણેશજી ના પુજન આ ઉપાય કરો.  શ્રી ગણેશ ચતુર્થીના દિવસે ભગવાન ગણેશની બાજટ ઉપર છબી કે મ્રુતિ સ્થાપના સાથે શ્રી ગણેશ યંત્ર ની સ્થાપના અને પુજન કરો.જો શક્ય હોય તો દરરોજ અથવા બંને ચતુર્થી અથવા ખાસ કરીને વદ પક્ષની ચતુર્થી ના દિવસે પુજન કરવાથી ધરમાં રહેલી બધી નકારાત્મક ઉર્જા નો નાશ થાય છે. 

In-which-direction-face-of-Ganesha-on-car-dashboard

  ત્રીજો ઉપાય

ભગવાન ગણેશને દરેક કાર્ય નિર્વિઘ્ને થાય તથા એમને વિઘ્નહર્તા દાદા કહેવાય છે. જો તમને તમારા જીવનમાં દરેક કાર્ય કંઈક ને કંઈક  સમસ્યાઓ આવતી હોય તો આ ઉપાય અચુક કરજો. જ્યારે શ્રી ગણેશજી ના મંદિરે જાવ ખાસ કરીને ચતુર્થી  ના દિવસે મંદિરે જઈને શ્રી ગણેશજી ના  એ દશૅન કરવા તથા વિધિવધ રીતે બ્રાહ્મણ સાથે મંત્રોચાર પુજન કરો. મંદિરે બંને સમય ભગવાન શ્રી ગણેશ ની આરતી તથા પુજન થાય. ત્યાર બાદ જો આસપાસ હાથી હોય તો પોતાની સવૅ મુશ્કેલીઓ મનમાં બોલીને હાથી ખાસ  ખવડાવીદો તમારા બધા વિધ્ન દુર થશે. 


ચોથો ઉપાય

તમે દરેક કાર્યમાં જેમ કે ધંધા , નોકરી , અભ્યાસમાં ખૂબ જ મહેનત કરો છો,  પણ એના ધાર્યા પરિણામ મળતાં  જ નથી અને સ્થિતિ એવી જ  ન રહે છે તો કરો આ ઉપાય. તો તમે ગણેશ ચતુર્થી દિવસે સૂર્યોદય પહેલાં સ્નાન કરી અને ભગવાન શ્રી ગણેશના મંદિરમાં જઈને શુદ્ધ દીવો પ્રગટાવવો તથા સાથે થોડક ગોળ મંદિરમાં અર્પણ કરો અને થોડક ગાયને ગોળ પણ ખવડાવો. આ કરવાથી, તમારી બધી સંબંધિત સમસ્યાઓ દૂર થઈ જશે.

 

 

પાંચમો ઉપાય

જો તમારા ધરે અન્નના કોઠાર ખાલી રહેતા હોય કે અન.ન અછત રહેતી હોય તો માતા અન્નપૂર્ણાના આશીર્વાદ મળે તે માટે શ્રી ગણેશ ચતુર્થીના દિવસે ગરીબોને ને દક્ષિણ દિશામાં બેસાડીની કપડાં, ખોરાક, ફળ, અનાજ દાન કરો. આ દાનથી ભગવાન ગણેશની તમારા કૃપા કરશે અને સાથે સાથે અન્નના દેવી માતા અન્નપૂર્ણા ના આશીર્વાદ મળે છે.


છઠ્ઠો ઉપાય

નોકરી રોજગારમાં બઢતી મળતી ના હોય તો પછી ગણેશ ચતુર્થી દિવસે ગણેશની પીળી પ્રતિમાનુ સ્થાપિત અને પુજન કરો. પુજન માં ખાસ કરીને   આખી હળદરના પાંચ ગઠ્ઠો અર્પણ કરો ૐ હ્રીં ગં ગણપતેય નમઃ મંત્ર બોલીને આપણૅ કરો. આ પછી, ભગવાન શ્રી ગણેશને અતિપ્રિય 108 દુર્વા પર ભીની હળદર લગાવો અને શ્રી ગજાવકટ્રામ નમો નમ: મંત્રનો જાપ કરો. આ કાયૅ કરવાથી જરૂર તમને બઠતી ની તક મળશે.

Ganeshji-ke-upay-gujarati

 સાતમો ઉપાય

જીવન ની દરેક મનોઈચ્છા પૂર્ણ કરવા માટે, તમે શ્રી ગણેશ ચતુર્થી પર સૂર્યોદય પહેલાં સ્નાન કરો તથા ભગવાન ગણેશના મંદિરમાં જાઓ અને શ્રી ગણેશજીને ગણીને 21 ગોળની ગોળીઓ અને અતિપ્રિય દુર્વા ચઠાવો આ કરવાથી તમારી બધી ઇચ્છાઓ પૂર્ણ થશે. 

 

આઠમો ઉપાય

જો તમે લાંબા સમયથી તમારી પુત્રીના લગ્નો માટે રાહ જોઈ રહ્યા છો અને હજી પણ લગ્ન કરી શકતા નથી, તો તમે ગણેશ ચતુર્થી પર ભગવાન ગણેશને માલપૂવા ચઠાવોઅને આ વ્રત દર માસની ચતુર્થી પર રાખવો જોઈએ. તમારી પુત્રીના લગ્ન જલ્દી થશે. 

 લેખ સારો લાગ્યો હોય તો મિત્રો સાથે શેર કરો

દરરોજ આવા લેખ વાંચવા અમારો બોલ્ગ ફોલો કરો 

અમારી સાથે સોસીયલ મીડિયા માં જોડાવો  👇👇👇

 


દરરોજ સવારે કરો શ્રી ગણેશજી ના ૧૨ નામ જાપ તમારા દરેક કાર્ય ના વિધ્ન દૂર થશે 👇👇👇


ganesh 12 name gujarati
Ganesh 12 Name

 

 હનુમાનજી નો આ પાઠ કરવાથી નકારત્મક ઉર્જા સામે 

રક્ષણ મળે છે👇👇👇

bajrang baan gujarati
bajrang baan gujarati

 

Okhaharan-kadvu-11-Okhaharan-okha-ne-umiyae-apel-shap

  

 

બુધવાર, 26 મે, 2021

ચાણક્ય નીતિ અનુસાર જાણો કોના પર માતા શ્રીલક્ષ્મી ની કૃપાથી રહે છે. Chankya Niti For Getting Money Gujarati Okhaharan

ચાણક્ય નીતિ અનુસાર જાણો કોના પર માતા શ્રીલક્ષ્મી ની કૃપાથી રહે છે. Chankya Niti For Getting Money Gujarati Okhaharan

chanakya-niti-for-money-gujarati
chanakya-niti-for-money-gujarati

 

મિત્રો સ્વાગત છે તમારૂ આજના ગુજરાતી ભક્તિ લેખમાં.

સોમવાર, 24 મે, 2021

નૃસિંહ જંયતિ વાંચો ભક્ત પ્રહલાદ ની નૃસિંહ ઉદભવ કથા | Shree Narsingh avtar katha Gujarati | Okhaharan

નૃસિંહ જંયતિ વાંચો ભક્ત પ્રહલાદ ની નૃસિંહ ઉદભવ કથા | Shree Narsingh avtar katha Gujarati | Okhaharan 


bhagwan-vishnu-ke-narsingh-avatar-ki-katha-in-Gujarati

 

શ્રી નારાયણના દશ અવતારમાંથી ચોથો અવતાર નૃસિંહ સ્વરૂપ છે. એમની પુજન અને ભક્તિ કરવાથી દુશ્મનો ઉપર વિજય પ્રાપ્ત થાય છે. વૈશાખ મહિનાના સુદ પક્ષની ચૌદશ તિથિને નૃસિંહ જયંતી ઉજવામાં આવે છે. ભગવાન શ્રીનૃસિંહ શક્તિ તથા પરાક્રમના પ્રમુખ દેવતા માનવામાં આવે છે, આજે આપણે આ ગુજરાતી ભક્તિ લેખમાં સત્તયુગમાં ભગવાન વિષ્ણુએ ભક્ત પ્રહલાદની રક્ષા કરવા માટે નૃસિંહ સ્વરૂપમાં અવતાર લઇને એના પિતા હિરણ્યકશ્યપને મૃત્યુ આપ્યું હતું. આ વષે 14 મે 2022, મંગળવારના રોજ આ તિથિ આવશે. હવે આપણે નૃસિંહ અવતારની કથા ટુકમાં વાચીશું

 શ્રી નૃસિંહ વિષ્ણુ અવતાર 5 પાવરફુલ મંત્ર જે દરેક કાયૅ તથા શત્રુ સામે વિજય આપવે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 


સત્તયુગના સમયમાં ભગવાન વિષ્ણુ એ  કેટલાક સ્વરૂપ લઈને પૃથ્વીનું રક્ષણ અને કેટલાક રાક્ષસોનો સંહાર કરીયો છે . ગ્રંથો મુજબ ઋષિ કશ્યપની ભાર્યા દિતિના ગર્ભાશયમાંથી જોડિયા તરીકે જન્મ્યા હતા. તેમનું નામ હિરણ્યક્ષા અને હિરણ્યકશિપુ હતું. બંનેમાં રાક્ષસ નાજ ગુણ હતાં. આ કારણે ધરતીને બચાવવા માટે ભગવાન વિષ્ણુએ વરાહ સ્વરૂપમાં અવતાર લઇને કશ્યપ ઋષિના દીકરા હિરણ્યાક્ષને મારી નાખ્યો હતો. આ દિવસે વરાહ જંયતિ ઉજવાય છે.


હિરણ્યકશ્યપ ને ભાઈના મૃત્યુથી દુઃખી અને ગુસ્સે થઈને હિરણ્યકશ્યપે ભગવાન નારાયણ બદલો લેવાનું નક્કી કરી લીધું. તેણે ખૂબ જ આકરી તપસ્યા કરીને પરમ પિતા બ્રહ્માજીને પ્રસન્ન કરી આકરું વરદાન માગ્યું કે  ના મનુષ્ય, ના દેવતા, ના પક્ષી, ના પશુ, ના દિવસ, ના રાત, ના ધરતી ઉપર , ના આકાશમાં , ના અસ્ત્રથી કે ના શસ્ત્રથી પણ મારૂ મૃત્યુ પામે નહીં તેવું વરદાન આપો. પરમ પિતાએ વરદાન આપ્યું.આવું વરદાન પ્રાપ્ત કરી લીધા પછી તે પોતાને અમરત્વ મળી ગયું હોય એમ સમજવા લાગ્યો. તે પછી તેણે સ્વગૅ પર ચડાઈ કરી અને ઇન્દ્રનું રાજ્ય છીનવી લીધુ અને દેવતાઓ સાથે જ ઋષિ-મુનીઓને હેરાન અને પરેશાન કરવા લાગ્યો. તે ઇચ્છતો કે હવે સમસ્ત લોકો મને ભગવાન માને  એ અને ઠેર મારી પુજા અને ભક્તિ થાય. તેને બધા ભગવાન દેવ, દેવી,  આ તથા દેવતા ની પુજા બંધ કરાવી. એમાં પણ ખાસ કરીને વિષ્ણુ ભગવાન કેમ એના ભાઈ નો મૃત્યુ નો ગુસ્સો હતો. પણ કહેવાય છે ને જેને કોઈ ના પહોંચે એને પેટ પહોંચે.અહીજ પણ એવું જ બન્યું હિરણ્યકશ્યપ નો એક પુત્ર હતો જેનું નામ પ્રહલાદ હતું અને એ ગુરૂ જોડે શિક્ષા પછી તે વિષ્ણુ ભગવાન પરમ ભક્ત હતો.


હિરણ્યકશ્યપનો દીકરો પ્રહલાદ ને આવું કરવાથી રોકવા માટે અનેકવાર પરેશાન કર્યો પરંતુ તે વિષ્ણુ પૂજા કરતો રહ્યો હતો. ક્યારે એને પવૅત પરથી ફેંક્યો,, ક્યારેક નાગ લોકમાં નાખ્યો તો ક્યારેક સમુદ્ર માં પણ નાખ્યો પરંતુ એને કંઈ ના થયું ભગવાન વિષ્ણુ દર સમયે તેની રક્ષા કરતા હતા. એકવાર એની ફોઈ જોડે હોળીમાં પણ બેસાડ્યો પણ તો એને કંઈ ના થયું. આટલા બધા પ્રયાસ પછી આખરે એક દિવસ એને સભા બોલાવ્યો‌. અને પુછ્યું ક્યાં છે તારા ભગવાન વિષ્ણુ ત્યારે પરમ ભક્ત પ્રહલાદ બોલ્યો ભગવાન વિષ્ણુ દરેક કણ કણ અને ક્ષણ ક્ષણ માં છે.ગુસ્સામા હિરણ્યકશ્યપે બોલ્યો તો શું  થાંભલામાં છે તારા ભગવાન? પરમ ભક્ત પ્રહલાદે કહ્યું હા, આવુ સંભાળી ખુબજ ગુસ્સામાં પોતાની ગંદા વડે એ થાંભલા ઉપર પ્રહાર કર્યો, ત્યારે જ એજ  થાંભલામાથી વિષ્ણુ ભગવાનનો ચોથો અવતાર નૃસિંહ ભગવાન પ્રકટ થયાં. નૃસિંહ એટલે નર અને સિંહ અડધું  માનવ શરીર અને અડધું સિંહ સ્વરૂપ અને જેમ એને વરદાન હતું તેમ ના મનુષ્ય, ના દેવતા, ના પક્ષી, ના પશુ, ના દિવસ, ના રાત, ના ધરતી ઉપર , ના આકાશમાં , ના અસ્ત્રથી કે ના શસ્ત્રથી પણ મારૂ મૃત્યુ પામે નહીં ભગવાન એને ભગવાન નૃસિંહ અવતારથી  હિરણ્યકશ્યપને   મહેલ ના ઉંબરા પર પોતાના ખોળામા રાખીને તેની છાતિને નખથી ફાડીને તેને સંહાર કર્યો.

આ દિવસે ભગવાન વિષ્ણુજીના ચોથા અવતાર સ્વરૂપમાં ભગવાન નૃસિંહની પૂજા કરવામાં આવે છે સાથે જ આ દિવસે વ્રત અને ઉપવાસ પણ કરવામાં આવે છે. આ દિવસે પુજન માં ઠંડી વસ્તુઓ નો ઉપયોગ કરો. આ વ્રત નો ઉપવાસ અને ધ્યાન ધરવાથી દુશ્મનો ઉપર વિજય પમળે છે અને સવૅ મનોકામના પણ પૂર્ણ થાય છે. ભગવાન વિષ્ણુ અવતાર ખુબજ ક્રોધીત સ્વરૂપ માનવામાં આવે છે.


નૃસિંહ અવતાર નો રુદ્ર ગાયત્રી મંત્ર ૧૦૮ વાર જાપ જરૂર કરો
ૐ વજ્રનખાય વિધમયે તીક્ષ્ણ દંષ્ટાય ધીમહિ તન્નો નરસિંહ પ્રચોદયાત 

 

લેખ સારો લાગ્યો હોય તો મિત્રો સાથે શેર કરો

દરરોજ આવા લેખ વાંચવા અમારો બોલ્ગ ફોલો કરો 

અમારી સાથે સોસીયલ મીડિયા માં જોડાવો  👇👇👇

 

Mohini-Ekadashi-Vrat-Mahiti-Gujarati

  
Krishna-chalisa-gujarati 

Ekadashi Upay,

 

રવિવાર, 23 મે, 2021

24 May 2021 સોમવારે પ્રદોષ શિવલિંગ પુજન ના ઉપાય જેથી ઘર વાસ્તુ દોષ, બિમારી, ધંધામાં પ્રગતિ તથા આર્થિક તંગી માંથી મુક્તિ SomPradosh Upay Gujarati Okhaharan

24 May 2021 સોમવારે પ્રદોષ શિવલિંગ પુજન ના ઉપાય જેથી ઘર વાસ્તુ દોષ, બિમારી, ધંધામાં પ્રગતિ તથા આર્થિક તંગી માંથી મુક્તિ SomPradosh Upay Gujarati Okhaharan

SomPradosh-Upay-2021-Gujarati-Som-Pradosh
SomPradosh-Upay-2021-Gujarati-Som-Pradosh

 
 

આ વષે આ પ્રદોષ મહત્વ ઘણું છે. આજે આપણે આ ગુજરાતી ભક્તિ લેખમાં જાણીશું કેટલાક ઉપાય જેનાથી રોગ, બિમારી, આથિક તંગી વગેરે સમસ્યાઓ દુર થાય.

37 વષૅ પછી 24 May 2021 સોમવારે પ્રદોષ મહત્વ અને જાણો પુજન વિઘિ - Som Pradosh Pujan Vidhi Gujarati-Okhaharan

37 વષૅ પછી 24 May 2021 સોમવારે પ્રદોષ મહત્વ અને જાણો પુજન વિઘિ - Som Pradosh Pujan Vidhi Gujarati-Okhaharan

Som-Pradosh-2021-Sompradosh-Gujarati-Mahiti
Som-Pradosh-2021-Sompradosh-Gujarati-Mahiti

 

પ્રદોષનું મહત્ત્વઃ-

પ્રદોષ તિથિ દર માસે સુદ અને વદ પક્ષની આવે છે એમ કરીને કુલ ૨૪ પ્રદોષ હોય તથા ત્રણ વષે આવતા અધિક માસ પ્રદોષ નું મહત્વ વધારે હોય છે.પ્રદોષ તિથિ ભગવાન ભોળાનાથ ને અર્પણ છે. પ્રદોષ અલગ વારે આવતો હોય છે તેનું મહત્વ અલગ હોય છે જેમ કે સોમવારે આવે તો સોમપ્રદોષ મંગળવારે આવે તો મંગલ પ્રદોષ એમ દરેક વાર નું મહત્વ અલગ હોય છે.  આ વૈશાખ મહિનામાં સુદ પક્ષની પ્રદોષ તિથિ 24 મે 2021 સોમવાર દિવસે આવે છે માટે તેને સોમ પ્રદોષ કહેવાય અને સોમવાર વાર પણ ભગવાન ભોળાનાથ ને અર્પણ છે માટે આ પ્રદોષ મહત્વ વધારે છે.


 શિવજી ને પ્રસન્ન કરવા માટે પ્રદોષ વ્રત કરવામાં આવે છે. સોમવાર 24 મેના રોજ તેરસ તિથિ હોવાથી સોમ પ્રદોષનો સંયોગ બની રહ્યો છે. શિવ પુરાણ અનુસાર પ્રદોષ વ્રત કરવાથી દરેક પ્રકારની પરેશાનીઓ, રોગ, દુઃખ દૂર થાય છે. આ આ સવૅ મનોકામના પૂર્ણ કરનાર છે.વૈશાખ મહિનાના સુદ પક્ષનું પ્રદોષ 24 મે, સોમવારે છે. આ દિવસે શિવજીની પૂજા કરી આખો દિવસ વ્રત રાખવામાં આવે છે. 


આ વ્રતમાં ભગવાન શંકર પૂજા કરવામાં આવે છે. આ પ્રદોષ વ્રત કરવાથી મનુષ્યના બધા પાપ નષ્ટ પામે છે અને શિવલોકની પ્રાપ્તિ થાય છે.પૌરાણિક કથા પ્રમાણે ચંદ્રને ક્ષયરોગ હતો, જેનાથી તેમને મૃત્યુ સમાન કષ્ટ પહોંચી રહ્યો હતો. ભગવાન શિવે તે દોષનું નિવારણ કરીને તેમને તેરસના દિવસે ફરી જીવનદાન પ્રદાન કર્યું

પ્રદોષ વ્રત અને પૂજાની વિધિઃ-

પ્રદોષ વ્રતમાં ભગવાન શિવની પૂજા કરવામાં આવે છે. આ વ્રત નિર્જલ એટલે પાણી વિના કરવામાં આવે છે. આ વ્રતની વિશેષ પૂજા સાંજે કરવામાં આવે છે. સાંજે સૂર્યના અસ્ત થતાં પહેલાં એકવાર સ્નાન કરી લેવું જોઇએ. સાફ સફેદ રંગના કપડા પહેરીને પૂર્વ દિશામાં મોં કરી ભગવાન શિવ અને દેવી પાર્વતીની પૂજા કરવામાં આવે છે. પૂજાની તૈયારી કર્યા બાદ ઉત્તર-પૂર્વ દિશા તરફ મોં રાખીને ભગવાન શિવની ઉપાસના કરવી જોઇએ.


પ્રદોષ વ્રત કરવા માટે તેરસ તિથિના દિવસે સૂર્ય ઉદય પહેલાં જ જાગવું. ત્યાર બાદ સ્નાન કરીને ભગવાન શિવની પૂજા કરીને આખો દિવસ વ્રતનો સંકલ્પ લેવો જોઇએ. સંઘ્યા સમયે સૂર્ય અસ્ત થતાં પહેલાં સ્નાન કરીને સફેદ કપડાં પહેરવા.તમારા ઘરમાં શિવલિગ અથવા મંદિરમાં પુજન કરવું.


સૌથી પહેલાં ભગવાન ગણેશની પૂજા કરો. ભગવાન શિવ સાથે માતા પાર્વતીની પણ પૂજા કરો. ભગવાન શિવ-પાર્વતીની પૂજા બાદ ધૂપ-દીપ પ્રગટાવો. શિવજીની પ્રતિમાને જળ, દૂધ, પંચામૃતથી સ્નાન કરાવો. બીલીપાન, ફૂલ, પૂજા સામગ્રીથી પૂજા કરીને ભોગ ધરાવો.
પૂજામાં ભગવાન શિવના મંત્ર ૐ નમઃ શિવાયનો જાપ કરીને શિવજી ઉપર જળ અભિષેક કરવો જોઇએ.


ત્યાર બાદ કથા અને પછી આરતી કરો. સતિ સીમંતિની પ્રદોષ કથા સાભળો.  

લેખ સારો લાગ્યો હોય તો મિત્રો સાથે શેર કરો અને  

 દરરોજ આવા ભક્તિ લેખ વાંચવા અમારો બોલ્ગ ફોલો કરો 

અમારી સાથે સોસીયલ મીડિયા માં જોડાવો  👇👇👇

 

 

Shiv Mantra Gujarati 

 

 

શુક્રવાર, 21 મે, 2021

વૈશાખ સુદ પક્ષની મોહિની એકાદશી ની કથા ગુજરાતીમાં | Mohini Ekadashi Vrat Katha Gujarati | Okaharan

વૈશાખ સુદ પક્ષની મોહિની એકાદશી ની કથા ગુજરાતીમાં | Mohini Ekadashi Vrat Katha Gujarati |  Okaharan

Mohini-Ekadashi-Vrat-Katha-Gujarati
Mohini-Ekadashi-Vrat-Katha-Gujarati

   

ધમૅરાજ યુધિષ્ઠિર બોલ્યા હે ભગવાન શ્રી કૃષ્ણ વૈશાખ માસની શુક્લ પક્ષની એકાદશી નું નામ શું છે? તેની વિધિ કઈ છે? બંધુ વિસ્તાર પૂવૅક કહો.

વૈશાખ માસની સુદ પક્ષની મોહિની એકાદશી નુ મહત્ત્વ , પુજન કેવી રીતે કરવું? શું ના કરવું ? અને શું કરવું? Mohini Ekadashi Gujarati Okhaharan

વૈશાખ માસની સુદ પક્ષની મોહિની એકાદશી નુ મહત્ત્વ , પુજન કેવી રીતે કરવું?  શું ના કરવું ? અને શું કરવું?   Mohini Ekadashi Gujarati Okhaharan

Mohini-Ekadashi-Vrat-Mahiti-Gujarati
Mohini-Ekadashi-Vrat-Mahiti-Gujarati

 

મોહિની એકાદશી નું મહત્ત્વ | પુજન કેવી રીતે કરવું?| શું ના કરવું ? | અને શું કરવું? | 

ગુરુવાર, 20 મે, 2021

મહિલા અને પુરુષએ ભુલથી પણ ના કરવા જોઈએ આ 6 કાયૅ નહીં તો શ્રી મહાલક્ષ્મી માં કોપાયમાન થાય છે Maha Lakshmi Upay Gujarati Okhaharan

મહિલા અને પુરુષએ ભુલથી પણ ના કરવા જોઈએ આ 6 કાયૅ નહીં તો શ્રી મહાલક્ષ્મી માં કોપાયમાન થાય છે Maha Lakshmi Upay Gujarati Okhaharan

Maha-Lakshmi-Upay-Gujarati
Maha-Lakshmi-Upay-Gujarati


ઘરની સુખ શાંતિ માટે શાસ્ત્રોમાં બતાવેલ 6 કામ ન કરવા જોઈએ. ઘરની મહિલા દ્વારા જાણતા અજાણતા કરવામાં આવેલ કેટલાક કાર્યો ઘરના બધી વ્યક્તિઓ માટે હાનિકારક સાબિત થાય છે. આવો જાણીએ આજે ગુજરાતી ભક્તિ લેખમાં એ કામ વિશે..   

વિશ્વની 5 સૌથી ઉંચી પ્રતિમાનું નામ અને માહિતી ગુજરાતીમાં. World tallest 5 statues name list in Gujarati language Okhaharan

વિશ્વની 9 સૌથી ઉંચી પ્રતિમાનું નામ અને માહિતી ગુજરાતીમાં. World tallest 9 statues name list in Gujarati language Okhaharan

World-tallest-statues-name-list-in-Gujarati-language
World-tallest-statues-name-list-in-Gujarati-language

 

આજના સમયમાં ઉંચી પ્રતિમા બનાવાની દોડ શરૂ થઈ હોય એમ લાગે છે. આજે ગુજરાતી ભક્તિ લેખમાં જાણીશું વિશ્વની 9 સૌથી ઉંચી પ્રતિમાનું નામ અને માહિતી ગુજરાતીમાં

સીતા જન્મોત્સવ 20 મે 2021 વૈશાખ સુદ નોમ પુરાણોમાં જણવેલ સીતા જન્મ કથા Sita Birth Story in gujarati Okhaharan

સીતા જન્મોત્સવ 20 મે 2021 વૈશાખ સુદ નોમ પુરાણોમાં જણવેલ સીતા જન્મ કથા  Sita Birth Story in gujarati Okhaharan

sita-birth-story-in-Gujarati

 

 


ભારતમાં અલગ અલગ કુલ 11 ભાષામાં રામાયણ લખાયેલું છે.એમા પણ મુળ તુલસીદાસ રચિત રામાયણ ની અદંર બઘા નાના ભાગનો સમાવેશ કરાયેલ છે. સીતાજીના જન્મ સાથે બે કથાઓ જોડાયેલી છે.

બુધવાર, 19 મે, 2021

321 વષૅ પછી આ રાશિ પર જગત જનની માં અંબા નજર પડી અને ખુલી ગયાં ભાગ્ય Jay Shree Ambe Okhaharan

 321 વષૅ પછી આ રાશિ પર જગત જનની માં અંબા નજર પડી અને ખુલી ગયાં ભાગ્ય  Jay Shree Ambe Okhaharan 

Ambe-Maa-zodic-effect
Ambe-Maa-Gujrati

 

આજથી આ 3 રાશિના લોકો સુભ સમય શરૂ થઈ ગયો. નોકરી , બિઝનેસ, મહેનતનો ફાયદો અને અટવાયેલાં કાર્યો પૂર્ણ થશે. ચાલો આજે આ ગુજરાતી ભક્તિ લેખમાં જાણીયે કંઈ 3 રાશિ પર માં અંબાની નજર પડી અને ભાગ્ય ખુલી ગયા.