શનિવાર, 22 જુલાઈ, 2023

પુરુષોત્તમ માસ કથા અધ્યાય પાચમો | Purushottam Maas Katha Adhyay 5 in Gujarati | Adhyay 5 | | Adhik Mass 2023 | Okhaharan |

પુરુષોત્તમ માસ કથા અધ્યાય પાચમો |  Purushottam Maas Katha Adhyay 5 in Gujarati  | Adhyay 5 | | Adhik Mass 2023 | Okhaharan | 

purushottam-maas-katha-adhyay-5-in-gujarati
purushottam-maas-katha-adhyay-5-in-gujarati



શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂ આપણા ગુજરાતી ભક્તિ લેખમાં આજે આપણે જાણીશું પુરૂષોત્તમ માસની કથા અધ્યાય પાંચમો શ્રી વિષ્ણુંનું ગોલોકમાં જવું અને અમૃત ધારા જે વાતૉ કહેવાય ભલી ભરવાડણની વાર્તા.

પુરુષોત્તમ માસ કથા અધ્યાય ચોથો 


પુરૂષોત્તમ માસની કથા અધ્યાય પાંચમો શ્રી વિષ્ણુંનું ગોલોકમાં જવું


નારદજીએ પૂછ્યું: “હે મહાભાગ્યશાળી ! મળમાસ ઢળી પડતા પ્રભુએ તેને શું કહ્યું ?”
શ્રી નારાયણ બોલ્યા : “હે નારદ ! મળમાસ બેભાન થઈ ઢળી પડ્યો એટલે શ્રીહરિએ ગરુડને આજ્ઞા કરી. આથી ગરુડ મળમાસને પોતાની પાંખો વડે શીતળ પવન નાખવા લાગ્યો. થોડી વારે કળ વળતાં મળમાસ ભાનમાં આવી ઊભો થયો ને ફરી કહેવા લાગ્યો : “હે પ્રભુ ! મારા ઉપર જે વિપત્તિ આવી પડી છે તેથી મને કાંઈ ગમતું નથી. આવું કષ્ટદાયક અને ઉપહાસ ભરેલું જીવન જીવવા કરતાં મને મૃત્યુ મળે તો હું મુક્તિ પામું.” એમ કહી તે ધ્રુજવા લાગ્યો ને વિલાપ કરવા લાગ્યો.


શ્રી વિષ્ણુએ મળમાસના મસ્તક પર હાથ મૂકી તેને આશ્વાસન આપી શાંત કર્યો અને બોલ્યાં : “હે પુત્ર ! ઊઠ, તારું કલ્યાણ થાઓ. હે નિરિશ્વર ! તારું દુ:ખ દૂર કરવું મને પણ કઠિન લાગે છે.” એમ કહી ક્ષણવાર પ્રભુએ તેના ઉપાયનો વિચાર કર્યા પછી મધુસુદન ભગવાન ફરી બોલ્યા.


“ હે પુત્ર ! તું ગોલોકમાં ચાલ, જ્યાં ગોપીઓના ટોળાની વચ્ચે પુરૂષોત્તમ શ્રીકૃષ્ણ ભગવાન રહે છે. રત્નોના સિંહાસન પર બેસે છે. સ્વર્ગના આધાર છે. પરથી પણ પર છે. ચાલ, આપણે ત્યાં જઈએ. એ તારું દુ:ખ દૂર કરશે.”
એ ગોલોક વિશે તને જણાવું છું. ગોલોક જે અજ્ઞાનરૂપ અંધકારનો નાશ કરનાર છે, જ્ઞાનરૂપી માર્ગ દેખાડવાવાળો છે. જ્યોતિસ્વરૂપ છે. ત્રણે લોક કરતાં સુંદર છે. એની લંબાઈ તથા પહોળાઈ ત્રણ કરોડ યોજનની છે. સર્વ કરતાં ઉત્તમ છે, ત્યાં મનનું કે શરીરનું દુ:ખ નથી અને ઉત્ત્મ રત્નોથી શણગારેલા અસંખ્ય મહેલોથી તે ચોપાસ શોભી રહ્યું છે.


એ ગોલોકની નીચે જમણી બાજુ પચાસ કરોડ યોજનના અંતરે વૈકુંઠલોક છે. અને ડાબી બાજુ તેટલા જ અંતરે શિવલોક છે. ત્યાં બધા વૈષ્ણવો વસે છે. એ બધા સુંદર પીળાં વસ્ત્રો પહેરનારા છે. શંખ, ચક્ર, ગદા અને કમળની શોભાવાળા ચાર બાહુથી યુક્ત છે. ત્યાં બધી સ્ત્રીઓ સુંદર છે. મહાભાગ્યશાળી શંકરના ગણો પણ ત્યાં રહે છે. તેઓ બધા જટાઓ ધારણ કરનાર, સર્પોની જનોઈ પહેરનાર, બધાય ગંગાધારી, શુરા, ત્રણ નેત્રોવાળા તથા જયથી શોભનારા છે.

શ્રી પુરૂષોતમ સ્ત્રોત ગુજરાતી લખાણ સાથે


ગોલોકની વચ્ચે ઘણી જ સુમનોહર જ્યોતિ છે. એ જ્યોતિની અંદર મનોહર સ્વરૂપે કૃષ્ણ બિરાજે છે. એમનો રંગ શ્યામ કમળની પાંખડી જેવો છે. હાથમાં મુરલી ધારણ કરે છે, છાતીમાં શ્રીએ વત્સનું ચિહ્ન છે. રત્નના સિંહાસન પર બિરાજમાન છે અને વનમાળાથી શણગારેલ છે. તેમની ઉંમર કિશોર (આઠ વર્ષની જ કાયમ) જણાય છે,તે ગોવાળનો વેશ ધારણ કરે છે. સર્વનાપ્રભુ છે. રાસમંડળની વચ્ચે બિરાજે છે. સર્વ મંગળોના પણ મંગળ છે. પરમાનંદથી પ્રકાશમાન છે. અવિનાશી તથા અવિકારી છે. નિર્ગુણ તથા નિત્ય સ્વરૂપ છે. આદ્ય પુરૂષ છે. શાંતિપરાયણ અને શાંત એવા તે શ્રીકૃષ્ણનું શાંત વૈષ્ણવો ધ્યાન કરે છે. આમ સર્વોત્કૃષ્ટ સ્વરૂપ ધારણ કરતાં એ જ એક માત્ર ‘પુરૂષોત્તમ ભગવાન’ છે.”


પછી શ્રી વિષ્ણુ ભગવાન એ મળા માસનો હાથ પકડી પોતાના વાહન ગરુડ ઉપર સવાર થઈ ગોલોકમાં ગયા કે જે રજોગુણ રહિત ભક્તોથી વ્યાપ્ત તથા સર્વશ્રેષ્ઠ છે.
“ શ્રી બૃહન્નારદીય પુરાણ” ના પુરૂષોત્તમ માહાત્મ્યનો
“શ્રી વિષ્ણુંનું ગોલોકમાં જવું” નામનો પાંચમો અધ્યાય સંપૂર્ણ.
 
ભલી  ભરવાડણની વાર્તા


ગંગાપુર ગામમાં એક ભલી ભરવાડણ રહે. પાવન પુરૂષોત્તમ માસ આવતાં સૌને વ્રત કરતા જોઈ ભલીને પણ વ્રત કરવાનું મન થયું. એ તો રોજ નદીએ નાહવા જાય. વાર્તા સાંભળે પછી આખો દિવસ બકરા ચારે અને ભગવાનનું નામ લે. એમ કરતાં ઉજવણાનો દિવસ આવ્યો. ભલી તો ઘણી ગરીબ. પહેરવા માટે વસ્ત્રોની બીજી જોડ નહિ અને ઘરમાં ખાવા લોટ નહિ ત્યાં જમાડે શું અને દાન શાનું કરે ?


ભલી તો મુંઝાણી ! બ્રાહ્મણ તો જમાડવાજ પડે. એ તો ગઈ બ્રાહ્મણને નોતરું દેવા. જઈને કહ્યું કે જુવારની ઘેંસ અને ખાટી છાશ જમવા પધારજો. બ્રાહ્મણ તો મોં બગાડવા લાગ્યા. લચપચતા લાડુ છોડીને ઘેંસ ખાવા કોણ આવે ? ગામમાં કોઈ બ્રાહ્મણે હા ન પાડી. ભલી તો નિરાશ થઈને રડવા લાગી.


ત્યારે ગોલોકમાં બિરાજેલા પુરૂષોત્તમ પ્રભુને ચિંતા થઈ. ભલીનું વ્રત અધૂરું રહે તો ભગવાનની લાજ જાય. પ્રભુ તો બાર વર્ષના બટુકનું રૂપ ધારણ કરીને આવ્યા ભલી પાસે અને કહેવા લાગ્યા :”માજી રડો છો શું કામ ? હું ય બ્રાહ્મણ છું. મને સીધુ આપી દો. હું જાતે રાંધીને જમી લઈશ.”


ગીતાજી માં કહેલા શ્રી વિષ્ણુ ભગવાન ૧૦૮ નામ


ભલી તો રાજીના રેડ થઈ ગઈ. તરત સીધું આપ્યું. પ્રભુએ ઘડીક વારમાં રાંધી નાખ્યું. જમી પરવારીને વિદાય માંગી. ભલી છેક પાદર સુધી વળાવવા આવી. પાદરે આંબળાનું ઝાડ હતું. પ્રભુ એ ઝાડ પર ચઢી ગયા અને આંબળા પાડવા લાગ્યા. કહ્યું : “માજી ! આંબળાની ગાંસડી બાંધીને ઘેર લઈ જાઓ. તમારું દારિદ્રય ટળી જશે.”
ભલીએ ગાંસડી બાંધી અને જ્યાં ઊંચે નજર કરી ત્યાં તો પ્રભુ ન મળે. ભલી તો ભગવાનની લીલાનો મહિમા ગાતી ઘેર આવી. ભૂખ કકડીને લાગી હતી. ખાવા બેઠી પણ જોયું તો ઘેંસ ગાયબ અને તેની જગ્યાએ બત્રીસ પકવાન પડ્યાં છે.”


ભલી તો અચંબામાં પડી ગઈ. ત્યાં જ એની નજર આંબળાની ગાંસડી પર પડી. એમાં અજવાળું જોઈ ગાંસડી ખોલી તો આંબળાં સોનાનાં થઈ ગયાં છે. ભલી સમજી ગઈ કે સાક્ષાત પ્રભુજી પોતેજ પધાર્યા હતા. ભલી તો વલોપાત કરવા લાગી. અરેરે, હું કેવી અભાગણી છું ! પ્રભુ મારા ઘેર પધાર્યા અને હું ઓળખી ન શકી. મેં પ્રભુના ચરણ પણ ન ધોયાં.મારો તો અવતાર એળે ગયો. હવે તો પ્રભુ દર્શન દે તો જ અન્ન-જળ લેવાં.


ભલીએ અન્નજળનો ત્યાગ કર્યો. ભલીનો દ્રઢ સંકલ્પ જોઈ પ્રભુ તરત દોડી આવ્યા અને ભલીને દર્શન આપ્યાં. ભલીનો અવતાર ધન્ય થઈ ગયો.


ભગવાન ભૂખ્યા ભાવના તણા, ન માંગે મિષ્ટાન પકવાન,
શ્રદ્ધા થકી જે કોઈ ભજે, તેને આપે દર્શનનાં દાન,
વિદૂર ઘેર ભાજી જમે છે, છોડે દુર્યોધનનાં મિષ્ટાન,
ભક્તની ભીડ ભાંગે ભૂદરો, કાયા થાય કુરબાન.


ગાયને એક વસ્તુ ખવડાવવાથી 24 કલાક મા સવૅ મનોકામના પૂણૅ થાય  સાથે ઈચ્છાપૂર્તિ થાય


          હે પુરૂષોત્તમ નાથ ! તમે જેવા ભલી ભરવાડણને ફળ્યા એવા સૌ ભાવિકને ફળજો.


 કાંઠા ગોરમાં ની વાતૉ શ્રી પુરૂષોત્તમ કથા પ્રથમ અધ્યાય 



""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે  

 

સંતાન ગણપતિ સ્તોત્રમ્ ગુજરાતી લખાણ સાથે     

 

 "" શ્રી વિષ્ણુ ચાલીસા ""  ગુજરાતી લખાણ સાથે  

 

 """ શ્રી વિષ્ણુ સ્તુતિ """ ગુજરાતી લખાણ સાથે    

 

 """ શ્રી વિષ્ણ્વષ્ટકમ્   """ ગુજરાતી લખાણ સાથે  


 આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત 

 

દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી 


 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇