ગુરુવાર, 15 જૂન, 2023

જેઠ માસની અમાસ ક્યારે છે? વ્રત ઉપવાસ ક્યારે કરવો? આ દિવસે શુ કરવું ? શું ના કરવું ? | Jeth Amavasya 2023 Kab Hai | Okhaharan

જેઠ માસની અમાસ ક્યારે છે? વ્રત ઉપવાસ ક્યારે કરવો? આ દિવસે શુ કરવું ? શું ના કરવું ? | Jeth Amavasya 2023 Kab Hai  | Okhaharan

Jeth-amavasya-2023-kab-hai
Jeth-amavasya-2023-kab-hai

શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખ માં આજે આપણે જાણીશું જેઠ માસ ની અમાસ ક્યારે છે? ક્યારે પિતૃ તર્પણ , સ્નાન દાન ક્યારેકરવું?  અમાસ ના દિવસે શું કરવું ? શું ના કરવું?


કોઈ પણ તિથિ એ ચંદ્ર ની કળા પર આધારિત હોય છે જયારે પૂર્ણ ચંદ્ર કળા હોય એટલે પૂનમ કહેવાય અને જ્યારે ચંદ્ર શૂન્ય કળા હોય એને અમાસ કહેવાય. અમાસ તિથિ પિતૃઓને આપણૅ છે. આ દિવસે લક્ષ્મીનારાયણ દેવ , શિવ પાવૅતી તથા હનુમાનજીના ની પણ પૂજા કરવા માં આવે છે.અમાસ તિથિ ના દિવસે પિતૃઓ વાયુવેગે તપણૅ આરોગવા આવે છે. આ દિવસે પિતૃઓ માટે જાપ ,તપ,  વ્રત , સ્નાન, અને દાન કરવાથી સુખ સમૃદ્ધિ વધે છે.

 સવૅ પિતૃ અમાસ ની વ્રત કથા અહી ક્લિક કરો.  


તિથિ માહિતી


અમાસ તિથિ ની શરૂઆત 17 જુન સવારે 9:11 મિનિટ
અમાસ તિથિ ની સમાપ્તિ 18 જુન સવારે 10:06 થાય છે


આમ આ વષૅ જેઠ માસની અમાસ તિથિ બે દિવસ રહેશે એટલે કે 17 જુન અને 18 જુન. પિતૃ તપણૅ માટે 17 જુન બપોરે 11:20 મિનિટ પછી કરવું 


તથા સ્નાન  18 જુન સવારે સૂયદય થી સવારે  10:06 પહેલાં કરી શકાય છે.
અમાસ ના દિવસે શું કરવું


અમાસ તિથિ ના દિવસે સ્નાન સાથે દાન માહાત્મ્ય છે. પવિત્ર નદી કે જળાશયમાં સ્નાન કરવાનો મહિમાં વઘારે છે. જો નદીમાં સ્નાન ના થઈ શકે તો ઘરમાં સવૅ નદીઓનું મંત્રથી ધ્યાન કરીને સ્નાન કરવું જોઈએ.અને શક્ય હોય તો પાણીમાં ગંગાજળ ઉમેરીને પણ સ્નાન કરી શકો છો. પછી સ્વચ્છ થઈને જરૂરિયાત મંદ લોકોને ધન, વસ્ત્ર અને અનાજનું દાન કરવું જોઈએ. તમારી નજીક કોઈ ગૌશાળામાં લીલું ઘાસ , ગાયનું ભોજન ખોળ વગેરે ચથાશક્તિ મુજબ દાન કરવું જોઈએ.


અમાસ ના દિવસે કરો ભક્ત વલ્લભ ભટ્ટ રચિત આનંદ નો ગરબો ૧૧૮ છંદ સાથે અહી ક્લિક કરો.   


અમાસના દિવસે સવારે સ્નાન કર્યા પછી સૂર્યદેવને જળ ચઢાવો.  જળ ચઢાવતી સમયે  તેમાં લાલ ચંદન અને લાલ ફુલ વડે સૂયૅદેવ ને અઘ્ય આપણૅ કરો અને ઓમ સૂર્યાય નમઃ મંત્રનો જાપ કરતા રહેવું જોઈએ


અમાસ તિથિ દેવી દેવતા ની સાથે સાથે પિતૃઓને અપણૅ છે આ દિવસે પિતૃઓ માટે ધૂપ-ધ્યાન કરો. ધૂપ કરવા માટે બપોર તથા સંઘ્યાનો સમય સૌથી ઉત્તમ રહે છે. બપોર અથવા સંઘ્યા સમયે ગાયના ગોબર ના છાણા અથવા કોલસા ઉપર ગુગળ મુકીને ઘુપ કરો અને પછી ધૂમાડો નીકળતો બંધ થઈ જાય, ત્યારે બળતા છાણા અથવા કોલસા ઉપર ગોળ અને ઘીથી ધૂપ આપવું જોઈએ. પિતૃઓ પૃથ્વી પર વાયુ વેગે આવે છે આ દરમિયાન પિતૃઓનું ધ્યાન કરતા રહેવું જોઈએ.


અમાસ તિથિ ના ભગવાન શિવ પણ છે . આ તિથિ ના દિવસે મહાદેવ મંદિરમાં શિવલિંગ ઉપર તાંબાના લોટાથી જળ તથા ચાંદીના લોટાથી કાચુ દૂધ ચઢાવો અને સાથે સાથે શિવ પંચઅક્ષર મંત્ર ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરતા રહો. તે પછી શુદ્ધ જળ ચઢાવો. શિવલિંગનો ચંદન ચોખા, બીલીપાન, ધતૂરો, ફળ-ફૂલ ચઢાવો. ભગવાનને મીઠાઈનો ભોગ ધરાવો. ધૂપ-દીપ પ્રગટાવીને આરતી કરો.


            શ્રી હનુમાન દાદા નો "" વડવાનલ સ્ત્રોત ""  નો પાઠ 


અમાસ ના દિવસે શું ના કરવું?


અમાસ તિથિ ના દિવસે તમો વ્રત ના કરો તો કંઈ પણ નશીલા પદાર્થો નું કોઈ વસ્તુ નશો ના કરો.


અમાસ ના દિવસે બ્રહ્મચર્ય નું પાલન કરો.


અમાસ ના દિવસે ધરમાં કે બહાર કોધ ના કરવો


અમાસ ના દિવસે મસ મંદિર નું સેવન ના કરવું


અમાસ ના દિવસે બીજા નું અન્ન ના ખાવ.


મિત્રો હું આશા રાખું છું કે આ માહિતી તમને ખબર પડી હશે અને આ લેખ સારો લાગ્યો હોય તો મિત્રો સાથે શેર કરો.


 આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો. 


 

 દરરોજ સવારે કરો શિવજીના આ 5 મંત્ર  શિવજી ની કૃપા હંમેશ માટે રેહશે 

 

 
 

 

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission. 

 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

મંગળવાર, 6 જૂન, 2023

જેઠ માસની સંકષ્ટી ચતુર્થી કયારે છે ? 7 કે 8 જુન ઉપવાસ ક્યારે કરવો? ચંદ્ર દશૅન નો સમય શુ છે ? | Jeth Sankashti Chaturthi 2023 | Okhaharan

જેઠ માસની સંકષ્ટી ચતુર્થી કયારે છે ?  7 કે 8 જુન ઉપવાસ ક્યારે કરવો? ચંદ્ર દશૅન નો સમય શુ છે ? | Jet Sankashti Chaturthi 2023  | Okhaharan 

jeth-sankashti-chaturthi-2023-okhaharan
jeth-sankashti-chaturthi-2023-okhaharan


શ્રી ગણેશાય નમઃ સ્વાગત છે તમારૂ આપણા ગુજરાતી ભક્તિ લેખમાં. આજે લેખમાં જાણીશું જેઠ માસની સંકષ્ટી ચતુર્થી કયારે છે ?  7 કે 8 જુન ઉપવાસ ક્યારે કરવો? આ દિવસે શ્રી ગણેશ ના ક્યા સ્વરૂપ નું પુજન કરવું ? અને ચંદ્ર દશૅન નો સમય શુ છે ? કેમ આ ચતુર્થી  ખાસ છે તે બધું આજે આપણે જાણીશું   

શ્રી ગણેશ નો  "" ઋણમુક્તિ ગણેશ સ્ત્રોત ""  ગુજરાતી લખાણ સાથે

 


દરેક મહિનામાં આવતી વદ પક્ષની ચતુર્થીને સંકષ્ટી ચતુર્થી કહે છે  હિંદુ ધર્મમાં શ્રી ગણેશ ની સંકષ્ટી ચતુર્થી વ્રતને તમામ ઉત્તમ માનવામાં આવે છે. આ દિવસે શ્રી ગણેશ ના પુજન સાથે ચંદ્રદેવનું પુજન કરવામાં આવે છે. શ્રી ગણેશજી એ પ્રથમ ઉપાસક છે અને તે શુભતાના પ્રતીક પણ છે. ભગવાન ગણેશને માતા ગૌરી અને શંકર ના વરદાન થી પ્રથમ પૂજનીય દેવ માનવામાં આવે છે. ગણેશજીને વિઘ્નોદૂર કરનાર દેવ પણ કહેવામાં આવે છે. આ દિવસે ગણપતિની પૂજા કરી ઉપવાસ કરવાથી જ્ઞાન અને ઐશ્વર્યની પ્રાપ્તિ થાય છે. આ દિવસે શ્રી ગણેશ ના પુજન સાથે રિદ્રિ સિદ્રિ નું પુજન દરેક કાયૅ માં સિદ્રિ પ્રાપ્ત થાય. તેમાં આ વષૅ મે મહિનાની ચતુર્થી જેઠ માસની હોવાથી તેનુ માહાત્મ્ય અનેક ઘણુ વઘી જાય છે . 

 શ્રી ગણેશ આ કવચ નો પાઠ કરવાથી આસુરી તત્વો થી રક્ષા કરનારું નું છે

 


દરેક તિથિ દરેક વાર અલગ અલગ ભગવાન અને માતાજી અપણૅ છે જેમ સોમવાર મહાદેવ , એકાદશી તિથિ નારાયણ અષ્ટમી તિથિ માતાજી ને તેમ જ  ચતુર્થી તિથિ એ વિધ્નહર્તા ભગવાન શ્રી ગણેશ ને અપણૅ છે એ પછી સુદ પક્ષની વિનાયક ચતુર્થી  હોય કે વદ પક્ષની સંકષ્ટી ચતુર્થી હોય . તેમાં કેટલીક વખત વિનાયક ચતુર્થી મહત્વ વઘારે હોય તો કેટલીક વખત સંકષ્ટી ચતુર્થી મહત્વ વઘારે હોય . દર માસે બે ચતુર્થી આવે છે આમ દર માસે ની બે અને આ ત્રણ વર્ષે આવતા અધિક માસ ની બે એમ કુલ ૨૬ ચતુર્થી નો ઉલ્લેખ ગણેશ પુરાણમાં થયો છે.  જેઠ માસની સંકષ્ટી ચતુર્થી ની વધું માહિતી જાણીયે.


 

કોઈ પણ માસ ની વદ પક્ષની સંકષ્ટી ચતુર્થી નો ઉપવાસ પૂર્ણ શ્રદ્ધા અને સાચા હૃદયથી ભગવાનની પૂજા કરવાથી ભક્તોના તમામના પ્રકાર વિધ્નો દૂર કરી ભગવાન શ્રી ગણેશ સૌવ સારા વાના થાય છે . ધાર્મિક ગ્રંથો મુજબ ભગવાન શ્રી ગણેશની પૂજા કરવાથી જીવનમાં કીર્તિ, ધન, વૈભવ અને સારા સ્વાસ્થ્યની પ્રાપ્તિ થાય છે.


આ વષૅ જેઠ માસ ની સંકષ્ટી ચતુર્થી  

 તિથિ પ્રારંભ 6 જુન 2023 મંગળવાર રાત્રે 12:49

તિથિ સમાપ્તી 7 જુન 2023 બુઘવાર રાત્રે 9:50

ચતુર્થી નો ઉપવાસ ચંદ્રદોય પ્રમાણે માટે

ચતુર્થી તિથિ નો ઉપવાસ 7 જુન 2023 બુઘવાર

પુજન નો શુભ સમય 5:42 થી 9:04

ચંદ્ર દશૅન સમય રાત્રે 10:56 મિનિટ છે.


ચતુર્થી તિથિ ચંદ્રની પૂજા વિના અધૂરી માનવામાં આવે છે. માટે રાત્રીના ચંદ્રદય એ ચંદ્રદશૅન પછી ચંદ્ર દેવને ફુલ ચોખા વડે વઘાવી જળ અપણૅ કરી ઉપવાસ છોડવો. આ ચતુર્થી ના દિવસે શ્રી ગણેશ ના ગણાઘ્યક્ષ સ્વરૂપ નું પુજન કરવામાં આવે છે.

તમારો કોઈ પણ પ્રશ્ર્ન હોય તો આપ Whatsapp પર કોન્ટેક કરો 👇👇

 

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

 

"" શ્રી ગણેશ ચાલીસા "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

 

સંતાન ગણપતિ સ્તોત્રમ્ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.    

 

 "" શ્રી વિષ્ણુ ચાલીસા ""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

ગીતાજી માં કહેલા શ્રી વિષ્ણુ ભગવાન ૧૦૮ નામ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

 

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

  

 """ શ્રી વિષ્ણુ સ્તુતિ """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

 

 """ શ્રી વિષ્ણ્વષ્ટકમ્   """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.   


 આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો.  

 

દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી અહી ક્લિક કરો.  


 

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission. 

 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇