શનિ જંયતિ ના દિવસે રાશિ મુજબ ઉપાય | Shani Jayanti 2022 Rashi Upay Gujarati | Shani Jayanti 2022 | Okhaharan
Shani-Jayanti-2022-Rashi-Upay-Gujarati |
શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખ માં આજે આપણે જાણીશું વૈશાખ અમાવસ્યા એટલે શનિદેવ જન્મોત્સવ જે આ વષૅ 30 એપ્રિલ 2022 શનિવાર ના રોજ આવે શનિવાર નો વાર અને શનિ જંયતિ શુભ સંયોગ ના દિવસે રાશિ મુજબ ઉપાય કરવાથી શનિ દેવ ક્રુર પ્રભાવ ઓછો થાય છે. જૈ આજે આપણે જાણીશુ.
સૂયૅની બીજી પત્ની છાયાનો પુત્ર શનિ છે. નક્ષત્ર મંડળમાં તેને સેવક નું પર પ્રાપ્ત છે.શનિ માણસ ના અંતમનનો સ્વામી ગણવામાં આવે છે. જે દઢનિશ્ર્ય ,ગંભીરતા , કઠણ , કામ કરવાની શક્તિ વગેરે શનિ પ્રતિનિધિત્વ કરે છે. શનિ એક રાશિમાં ભ્રમણ ત્રીસ મહિના સમય લાગે છે . માટે જ્યોતિષીય શાસ્ત્રોમાં શનિ ચાલ હંમેશા પહેલી જોવા માં આવે છે.
શનિ પનોતી થી બચવા શું દાન કરવું? સંપૂર્ણ માહિતી ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
શનિદેવ કર્મ અને સેવાના કર્તા છે, એટલે કે તેની સીધી અસર વ્યક્તિની નોકરી અને વ્યવસાય પર પડે છે. તેથી હવે નોકરી-ધંધામાં આવતી પરેશાનીઓનો અંત આવશે. ચાલો જાણીએ તમામ 12 રાશિઓ અનુસાર શનિ જયંતિના સરળ ઉપાયો શું છે.
મેષઃ- અ,લ,ઈ
રાશિ સ્વામી મંગળ
આ રાશિના લોકો એ શનિ જયંતિના દિવસે તમારા ઘરમાં શ્રી શિવ રૂદ્રાભિષેક પાઠ , શ્રવણ કે વિધવાન બ્રહ્માણ પાસે શિવ અભિષેક પુજન કરો.
વષૃભ રાશિ :- બ,વ,ઉ
રાશિ સ્વામી :- શુક્ર
આ રાશિના લોકોએ શનિ જયંતિ પર મહામૃત્યુંજય મંત્રનો 108 વખત ની માળા 5 વખત સવારે અને સાંજે જાપ કરો.
મિથુન રાશિ :- ક,છ,ધ
રાશિ સ્વામી :- બુધ
આ રાશિના લોકોએ શનિ જયંતિ પર મહારાજ દશરથ દ્વારા રચિત નીલ શનિ સ્તોત્રનો પાઠ અવશ્ય કરવો.
કકૅ રાશિ : ડ,હ
રાશિ સ્વામી :- ચંદ્ર
આ રાશિના લોકોએ શનિ જયંતિના દિવસે લોખંડના વાસણમાં સરસવના તેલ ભરો અને તેમાં તમારો ચહેરો જોઈને છાયાનું દાન કરો.એટલે કે તેલ ભરેલું વાસણ દાન કરો
સિંહ : મ, ટ
રાશિ સ્વામી : સૂર્ય
આ રાશિના લોકોએ શનિ જયંતિના દિવસે કાળા તલ અથવા આખા કાળા અડદનું શનિ મંદિર માં દાન કરો.
શનિ જયંતિના અમાવસ્યા દિવસે આ 5 મંત્ર માંથી એક મંત્રની કરીલો ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
કન્યા : પ,ઠ,ણ
રાશિ સ્વામી :- બુધ
આ રાશિના લોકોએ શનિદેવના બીજ મંત્ર ૐ પ્રામ્ પ્રીમ્ પ્રૌમ સ: શનયે નમઃ'નો નિયમિત જાપ કરો.
તુલા : ર,ત
રાશિ સ્વામી :- શુક્ર
આ રાશિના લોકોએ શનિ જયંતિના દિવસે શમીના ઝાડને પુજન કરી જળ ચઢાવવું જોઈએ.
વૃશ્વિક :- ન,ય
રાશિ સ્વામી :- મંગળ
આ રાશિના લોકોએ શનિ જયંતિ સિવાય દરરોજ કોઈપણ ગરીબ કે અસહાય વ્યક્તિને શક્ય તેટલી મદદ અથવા જમાડવામાં જોઈએ.
શનિ જયંતિના દિવસે શનિદેવ 108 નામવલી જાપ સાડાસાતી સામે રક્ષણ મળશે ગુજરાતી લખાણ સાથેઅહી ક્લિક કરો.
ધનુ :- ભ, ધ, ફ, ઢ
રાશિ સ્વામી :- ગુરુ
આ રાશિના લોકોએ શનિ જયંતિ પર કીડીની જગ્યાએ સાકર અને ઘઉંનો લોટ કીડી ના દર પુરવા લગાવો.
મકર :- ખ,જ
રાશિ સ્વામી :- શનિ
આ રાશિના લોકોએ શનિ જયંતિ પર મહારાજ દશરથ રચિત શનિ સ્તોત્રનો પાઠ કરવો જોઈએ.
કુંભ :- ગ,શ
રાશિ સ્વામી :- શનિ
આ રાશિના લોકોએ શનિ જયંતિના દિવસે શનિની હોરા અને શનિની હોરામાં શ્રેષ્ઠ ગુણવત્તાવાળા નીલમ ધારણ કરો.
શનિ જયંતિ અમાસ રાજા દશરથ કેમ શનિદેવ નો અંત કરવા ગયા પછી શું થયું? ગુજરાતી લખાણ સાથેઅહી ક્લિક કરો.
મીન :- દ, ચ,ઝ, થ
રાશિ સ્વામી :- ગુરુ
આ રાશિના લોકોએ શનિ જંયતિ ધરમાં અને બહાર રહેલા નાના સાથે સારો વ્યવહાર કરો અને કોઈપણ ધાર્મિક સ્થળના મુખ્ય પ્રવેશદ્વારને સાફ કરો.
શનિવારે કરીલો આ કાયૅ તમને સફળ થતા કોઈ રોકી નહી શકે અહી ક્લિક કરો.
દરરોજ કરો સવૅ કષ્ટ નિવારણ જંજીરા હનુમાન નો પાઠ સવૅ કષ્ટ દુર થાય અહી ક્લિક કરો
જય શ્રી કૃષ્ણ રુદ્રાભિષેક , લઘુરુદ્ર યજ્ઞ,મહારૂદ્રયજ્ઞ, ગૃહવાસ્તુ પુજન, નવગ્રહ શાંતિ , નવગ્રહ મંત્ર જાપ , કાલસપૅ દોષ , ચાંડાલ દોષ, અંગારક દોષ વગેરે જન્મ કુંડળી ના દરેક દોષોનું નિવારણ , નવચંડી યજ્ઞ, શતચંડી યજ્ઞ, પ્રાણપતિષ્ઠા વિધિ, કરનાર. તેમજ આ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇