શનિવાર, 4 જૂન, 2022

વટ સાવિત્રી વ્રત ક્યારે છે? કેટલા દિવસ નો ઉપવાસ કરવો? આને કેવી રીતે કરવું? | Vat Savitri Vrat 2024 Gujarati | Okhaharan

વટ સાવિત્રી વ્રત ક્યારે છે? કેટલા દિવસ નો ઉપવાસ કરવો? આને કેવી રીતે કરવું? | Vat Savitri Vrat 2024 Gujarati | Okhaharan

vat-savitri-vrat-2022-Gujarati
vat-savitri-vrat-2022-Gujarati


શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખ માં આજે આપણે જાણીશું વટ સાવિત્રી વ્રત ક્યારે છે? કેટલા દિવસ નો ઉપવાસ કરવો? આને કેવી રીતે કરવું? 



આખા વષૅ સ્ત્રીઓ માતા માટે ઉત્તમ બે વ્રત હોય એક સામા પાચમ અને બીજી વટસાવિત્રી નું વ્રત હોય છે. સામાપાચમ વ્રત સ્ત્રી પોતાના માટે કરે છે જ્યારે વટસાવિત્રી નું વ્રત પોતાના પતિ ના દીધૅ આયુષ્ય માટે કરે છે.
આપણે વટસાવિત્રી વ્રત ની વધુ માહિતી જાણીયે 

 

વટસાવિત્રી વ્રત નું ઉજવણું કેવી રીતે કરવું? | જો સ્ત્રી માસિક ધર્મ હોય તો શું કરવું ? | ગભૅવતી સ્ત્રીએ કેવી રીતે કરવું?


 હિન્દુ  ધર્મમાં વટ સાવિત્રીનો વ્રત ખૂબ જ વિશેષ અને મહત્વપૂર્ણ છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર, સુહાગિન સ્ત્રીઓ આ ઉપવાસ તેમના પતિ અને બાળકોના લાંબા જીવન માટે રાખે છે. આ વ્રત દર વર્ષે જયેષ્ઠ માસમાં સુદ તેરશ થી શરૂ કરવામાં આવે છે. આ વ્રતનું પાલન કરવાથી વ્યક્તિને શાશ્વત સૌભાગ્ય મળે છે. 



વટ સાવિત્રી વ્રતનું મહત્વ


આ દિવસે ઉપવાસ કરવાથી અખંડ સૌભાગ્ય મળે છે.


આ ઉપવાસ બાળકો મેળવવા માટે પણ કરવામાં આવે છે.


આ શુભ દિવસે વટ વૃક્ષની પૂજા કરવાથી તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે.


આ દિવસે પુજન કરવાથી યમદેવતા પ્રસન્ન થાય છે.

 

વટ સાવિત્રી વ્રત ના દિવસે પતિના દિધૅઆયુ માટે કરો આ મંત્ર જાપ


વટ સાવિત્રીનો ઉપવાસ ક્યારે રાખશે


આ વ્રત દરવષૅ જેઠ સુદ તેરસ થી લઈને જેઠ પુર્ણિમા એ પુર્ણાહુતી થાય છે.આ વ્રતમાં પ્રથમ બે દિવસ ફલાહાર કરવાનું તથા પુર્ણિમા ના દિવસે નકોરડો કરવાનો હોય છે. પુણૉહુતી એટલે કે પુર્ણિમા માં ના દિવસે સવારે વહેલા ઉઠી નિત્યક્રમ પરવારી સ્વચ્છ કપડાં પહેરીને આ દિવસે વડ નું અબીલ ગૂલાલ , દૂધ ,જળ કંકુ ચોખા અને ફુલથી પુજન કરવામાં આવે છે. વડને જળ ચડાવ્યા પછી કાચા સુતર વડે 108 પ્રદક્ષિણા કરવી. 



આ વષૅ 2024 વટસાવિત્રી વ્રત
19 જુન 2024  શરૂઆત થાય
21 જુન 2024 પુર્ણિમા દિવસે સમાપ્ત થાય છે.

અને ઘણાં લોકો એક દિવસ એટલે  પુર્ણિમા ના દિવસે વ્રત કરે છે એટલે 21 જુન 2024 રોજ.

અખંડ સૌભાગ્ય આપનાર વટ સાવિત્રી વ્રત કથા ગુજરાતીમાં


મિત્રો આપને વટસાવિત્રી વ્રત લઈને કોઈ પણ પ્રશ્ર્ન હોય તો કોમેન્ટ માં લખો અમે એનો જવાબ અચુક આપીશું.


મિત્રો આ વટસાવિત્રી વ્રત ની માહિતી હું આશા રાખું આપને ખબર પડી ગઈ હશે.

 

 

શનિ પનોતી | પનોતી થી બચવા શું દાન કરવું? સંપૂર્ણ માહિતી ગુજરાતી લખાણ સાથે  અહી ક્લિક કરો.  

 

 શ્રી શનિદેવ આ 5 મંત્ર માંથી એક મંત્રની કરીલો  ગુજરાતી લખાણ સાથે  અહી ક્લિક કરો. 

 

શ્રી ગણેશ આ કવચ નો પાઠ કરવાથી આસુરી તત્વો થી રક્ષા કરનારું નું છે અહી ક્લિક કરો. 

 

આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો. 

 

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

શ્રી મહાલક્ષ્મી નો આ પાઠ કરવાથી ગરીબ પણ કરોડપતિ બની જાય અહી ક્લિક કરો.      

 

શુભ દિવસે શ્રી મહાલક્ષ્મી માં ના ૧૦૮ નામ જાપ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

 

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission.

 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇