મંગળવાર, 8 ઑગસ્ટ, 2023

પુરુષોત્તમ માસ કથા અધ્યાય ત્રેવીસમો | Purushottam Maas Katha Adhyay 23 in Gujarati | Adhyay 23 | Adhik Mass 2023 | Okhaharan |

પુરુષોત્તમ માસ કથા અધ્યાય ત્રેવીસમો  |  Purushottam Maas Katha Adhyay 23 in Gujarati  | Adhyay 23 | Adhik Mass 2023 | Okhaharan | 


purushottam-maas-katha-adhyay-23-in-gujarati
purushottam-maas-katha-adhyay-23-in-gujarati

શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂ આપણા ગુજરાતી ભક્તિ લેખમાં આજે આપણે જાણીશું પુરૂષોત્તમ માસની કથા અધ્યાય ત્રેવીસમો ચિત્રબાહુ રાજાનું આખ્યાન અને અમૃત ધારા જે વાતૉ કહેવાય ગંગાસ્નાનનું ફળ નામની વાર્તા. 

પુરુષોત્તમ માસ કથા અધ્યાય બાવીસમો


અધ્યાય ત્રેવીસમો ચિત્રબાહુ રાજાનું આખ્યાન 


દ્રઢધન્વા રાજાએ વાલ્મીકિને પૂછ્યું : “હે દીન વત્સલ ! શ્રી પુરૂષોત્તમ માસમાં દીવાનું દાન કરવાથી શું ફળ મળે છે ? આપ કૃપા કરી એ મને કહો.”


વાલ્મીકિ બોલ્યા : “હે રાજાઓમાં સિંહ સમાન રાજા ! દીપદાનના ફળને જાણવા માટે એક કથા કહું છું. પાપનો નાશ કરનારી કથા તમે સાંભળો. તેનાથી પાંચ પ્રકારનું મહાપાપ પણ નાશ પામે છે.”


સૌભાગ્ય નગરમાં ચિત્રબાહુ નામે પ્રખ્યાત રાજા હતો. બ્રાહ્મણો તરફ સદવર્તન રાખનાર, કથા સાંભળવામાં તત્પર, પોતાની પત્નીમાં જ નિત્ય કામક્રીડા કરનાર, સમૃદ્ધિમાં કુબેર જેવો હતો. તેની પત્નીનું નામ ચિત્રકળા હતું. રાજા ચિત્રબાહુ યુવાન હોઈ એ રાણી સાથે પૃથ્વીને ભોગવતો હતો અને શ્રીકૃષ્ણ સિવાય બીજા દેવને (શ્રેષ્ઠ તરીકે) જાણતો જ ન હતો.


એક દિવસ રાજા ચિત્રબાહુએ દૂરથી આવતા મુનિશ્રેષ્ઠ અગસ્ત્યને જોયા. વિધિ પ્રમાણે પૂજા કરી બેસવા આસન આપ્યું અને પછી વિનયથી નમ્ર થઈ તેણે એ ઉત્તમ મુનિને આ પ્રમાણે કહ્યું :


“આજે મારો જન્મ સફળ થયો છે. રથો સહિત મારું રાજ્ય હું આપને અર્પણ કરું છું. આપ એનો સ્વીકાર કરો. મારી ઈચ્છા વનમાં જઈ પ્રભુ સ્મરણ કરી જન્મારો સુધારવાની છે. તો આપ મારા પર કૃપા કરો.”


અગસ્ત્ય બોલ્યા : “હે ચિત્રબાહુ ! તું ધન્યવાદને પાત્ર છે. તારી પ્રજા ભાગ્યશાળી છે, જેઓનું તું વૈષ્ણવ રાજા રક્ષણ કરે છે. હે રાજન ! હું તને આજ્ઞા આપું છું તેથી આ રાજ્ય તારે જ કરવું જોઈએ. મેં રાજ્ય પર તારી પ્રતિષ્ઠા કરી. બસ હવે હું જાઉં છું, તારું કલ્યાણ થાઓ.” ઋષિએ તેની પત્ની ચંદ્રકળાને પણ આશીર્વાદ આપ્યા.”તારું સૌભાગ્ય સદા અખંડ રહો. શ્રીકૃષ્ણ પ્રભુમાં તારી ભક્તિ સદા દ્રઢ થાઓ.”


 શ્રી મહાલક્ષ્મી માં આ પાઠ કરવાથી દુઃખ કષ્ટ દુર થઈ ઘન સંપત્તિ પ્રાપ્ત થાય


ત્યારે ચિત્રબાહુ બોલ્યો : “હે મહર્ષિ ! આપ ત્રિકાળજ્ઞાની છો. તો મને જણાવો કે આ વૈભવ, ધન-સંપત્તિ, પતિવ્રતા નારી કયા પુણ્યબળે પ્રાપ્ત થયા ?”


અગસ્ત્ય બોલ્યા : “હે રાજન ! તારું પૂર્વજન્મનું બધું ચરિત્ર મેં જોઈ લીધું છે. તું પૂર્વ જન્મમાં મણિગ્રીવના નામે શુદ્રજાતિમાં જન્મેલ. તારી પત્ની જે અત્યારે છે તે સુંદરી મન, વચન, કર્મથી પતિ સેવામાં જ તત્પર ધર્મનિષ્ઠ અને ઉત્તમ મનવાળી હતી. તું તો પાપકર્મો કર્યા જ કરતો હતો. તેથી તારાં સગાંસંબંધીઓએ તને છોડી દીધો હતો અને તારા પર ક્રોધે ભરાયેલા રાજાએ તારું સર્વ ધન લઈ લીધું. જેથી નિર્જન જંગલમાં જઈ ત્યાં અનેક જીવોને મારી નાખી તું પોતાનું પોષણ કરતો અને હે રાજા ! પોતાની રાણી સાથે એમ આજીવિકા ચલાવતો હતો.”


એક વખત તે નિર્જન વગડામાં ઉગ્રદેવ નામના પ્રસિદ્ધ મુનિ સૂર્યના તાપથી અકળાઈને તરસથી પીડાતાં બેભાન થઈ ઢળી પડ્યા. તેં એમને જોયા એટલે તું એમને ઉપાડીને તારા આવાસે લઈ આવ્યો.તમે બંને પતિ-પત્નીએરાતભરજાગી તે મુનિની સેવા કરી.


બ્રાહ્મણ ઉગ્રદેવ જ્યારે ભાનમાં આવ્યા ત્યારે પત્ની સહિત મણિગ્રીવે એ શ્રેષ્ઠ મુનિને નમન કર્યું અને તેમનો અતિથિ સત્કાર કરતાં વિનયપૂર્વક કહ્યું :”હે બ્રાહ્મણ ! આપનાં દર્શનથી જ મારાં પાપ નાશ પામ્યા છે. મારા પર કૃપા કરી આ ફળનો આપ સ્વીકાર કરો અને અમને પતિ-પત્નીને આપ કૃતાર્થ કરો.”


વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" 


ઉગ્રદેવ બોલ્યા : “હું તને ઓળખતો નથી.”


“હું મણિગ્રીવ નામે શુદ્ર છું. કુટુંબીઓએ મારો ત્યાગ કર્યો છે.” એમ કહી તેણે એ મુનિગ્રીવને વિનવીને પોતનાં કર્મોના ઉગ્ર પરિણામ રૂપ પોતાનું વૃતાંત કહેવા માંડ્યું.


“ શ્રી બૃહન્નારદીય પુરાણ” ના પુરૂષોત્તમ માહાત્મ્યનો
“ચિત્રબાહુ રાજાનું આખ્યાન” નામનો ત્રેવીસમો અધ્યાય સંપૂર્ણ.


હવે પતિતપાવન પુરૂષોત્તમ માસની કથાનું રસપાન કરીએ.


ગંગાસ્નાનનું ફળ


ગંગા કિનારે એક ગામમાં એક બ્રાહ્મણ રહે. કર્મકાંડ કરે અને જરૂરિયાતવાળાને વ્યાજે પૈસા પણ ધીરે. એને એક દીકરો. દીકરાનું નામ દેવશર્મા. દીકરાના લગન થઈ ગયેલાં પણ વહુ મોટે ભાગે પિયરમાં જ રહે. એમ કરતાં પાવન પુરૂષોત્તમ માસ આવ્યો. બ્રાહ્મણે દીકરાને કહ્યું : “બેટા ! હવે પુરૂષોત્તમ માસ ચાલુ થશે, આ આખો મહિનો મારે કર્મકાંડ, કથા-વાર્તા કરવા પડશે. આથી મારે મોડા સુધી નદીએ રોકાવું પડશે. 

આથી મારે મોડા સુધી નદીએ રોકાવુ પડશે. એટલે તું વહુને એના પિયરથી તેડી લાવ. પુરૂષોત્તમ માસમાં હાથે રાંધવાની કડાકુટ ન રહે અને નિરાંતે ધર્મધ્યાન થાય.” દીકરો તો ઊપડ્યો સાસરે. રસ્તામાં એક પટેલનું ખેતર આવ્યું. ખેતરમાં સરસ મજાનો પાક ઊભો હતો. ઊભા પાકને જોઈ તેની આંખો ઠરી. ત્યાં જ તેની નજર ખેતરમાં ઊભો પાક ચરતી એક ગાય ઉપર પડી. આ ખેડૂતને તેના પિતાએ વ્યાજે પૈસા ધીરેલા. એટલે દેવશર્માએ વિચાર કર્યો કે આ ગાય રોજ આવતી હશે અને ઊભો મોલ ખાઈ જતી હશે. આવી રીતે જો એ ચરી જાય તો ખેડૂત નુકસાનીમાં જાય. ખેડૂત મારા પિતાજીના પૈસા કેમ કરીને પાછા આપશે ?


દેવશર્માએ તરત ખેડૂતને બોલાવ્યો અને એને ઠપકો આપ્યો. રોષે ભરાયેલો ખેડૂત તો ગાયને જોતાં જ ધોકો લઈને તૂટી પડ્યો. એવી મારી એવી મારી કે ગાય ધરતી પર ઢળી પડી. મોઢે ફીણ આવી ગયા. ડોળા ઊંચે ચડી ગયા. મરતાં પહેલાં ગાયે દેવશર્માને શ્રાપ આપ્યો કે “બ્રાહ્મણ હોવા છતાં તે ગૌ હત્યા કરાવી તેથી તું ગધેડો બનીને ભટકીશ.” શ્રાપ સાંભળતાં જ દેવશર્મા ગભરાયો અને ગાયના પગમાં પડીને આજીજી કરવા લાગ્યો. 

 વાંચો "" હનુમાનજી વડવાનલ સ્ત્રોત ""  


ત્યારે ગાય બોલી : “તારી વહુ પુરૂષોત્તમ પ્રભુનું વ્રત કરે, પોતે ગંગાસ્નાન કરે એ પહેલાં તને સ્નાન કરાવે, તને ખવડાવીને ખાય તો તારી મુક્તિ થાય.”


આટલું બોલીને ગાય તો મરી ગઈ. દેવશર્મા ભાંગેલા પગે સાસરે આવ્યો. વહુને વાત કરી.વાત પૂરી થતાં જ એ ગધેડો બની ગયો. વહુ પતિવ્રતા અને ધર્મનિષ્ઠ નારી હતી. એણે પુરૂષોત્તમ વ્રતનો સંકલ્પ કર્યો. રોજ ગધેડાને ગંગા નદીમાં સ્નાન કરાવે. પછી પોતે સ્નાન કરે. કથાવાર્તા સાંભળે પછી ગધેડાને ખવડાવીને પોતે ખાય. ગામ આખું દાંત કાઢે. વહુની ઠઠ્ઠા-મશ્કરી કરે, પણ વહુને તો એ ભલી અને એનો ગધેડો ભલો.


લોક-લાજ છોડીને વહુએ વ્રત પૂર્ણ કર્યુ. પવિત્ર પાવન પુરૂષોત્તમ માસ પૂર્ણ થયો એટલે વહુએ પુરૂષોત્તમ પ્રભુને સાચા દિલથી પ્રાર્થના કરી અને ગંગાજળ હાથમાં લઈ ગધેડા ઉપર છાંટ્યું. એ પવિત્ર વ્રત તથા ગંગાસ્નાનના પ્રભાવે દેવશર્મા ગધેડામાંથી ફરી માણસ બન્યો.
ત્યારબાદ પતિ-પત્ની સુખેથી જીવન વિતાવી અંતે વૈકુંઠમાં ગયા.


ગંગાજળ સમાન જળ નહીં, ધુએ સર્વના પાપ,

પાપી પણ પુણ્યશાળી બને, મટે મનના દ્વેષ રાગ.

          હે પૂર્ણ પુરૂષોત્તમ પ્રભુ ! તમે જેવા વહુને ફળ્યા એવા પતિત પાવની ભગીરથીમાં સ્નાન કરનાર સૌને ફળજો.

Gujarati Bhakti Lekh on Whatsapp


નારાયણ નો આ કવચ નો પાઠ કરવાથી તમામ પ્રકારના ભય માંથી મુક્તિ મળે છે અહી ક્લિક કરો.   






દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી 


 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

પુરુષોત્તમ માસ કથા અધ્યાય બાવીસમો | Purushottam Maas Katha Adhyay 22 in Gujarati | Adhyay 22 | Adhik Mass 2023 | Okhaharan |

પુરુષોત્તમ માસ કથા અધ્યાય બાવીસમો |  Purushottam Maas Katha Adhyay 22 in Gujarati  | Adhyay 22 | Adhik Mass 2023 | Okhaharan | 

purushottam-maas-katha-adhyay-22-in-gujarati
purushottam-maas-katha-adhyay-22-in-gujarati

શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂ આપણા ગુજરાતી ભક્તિ લેખમાં આજે આપણે જાણીશું પુરૂષોત્તમ માસની કથા અધ્યાય બાવીસમો પુરૂષોત્તમ માસનાં વ્રત નિયમો અને અમૃત ધારા જે વાતૉ કહેવાય ઉમા માની વાર્તા. 

પુરુષોત્તમ માસ કથા અધ્યાય એકવીસમો


અધ્યાય બાવીસમો પુરૂષોત્તમ માસનાં વ્રત નિયમો 


મહર્ષિ વાલ્મીકિને હાથ જોડીને દ્રઢધન્વા રાજાએ પૂછ્યું : “હે મુનિ ! આ પુરૂષોત્તમ માસમાં વ્રત કરનારે ક્યા ક્યા નિયમો પાળવાના છે ? એ બતાવો.”


ઋષિ બોલ્યા : “હે રાજન ! પુરૂષોત્તમ માસમાં ઘઉં, મગ, ઘી, ખાંડ, ચોખા, સફેદ અનાજ, જવ, તલ, વટાણા, કાંગ, કંદમૂળ, કાકડી, કેળાં, સિંધવ, દહીં, ફણસ, આંબો, હરડે, જીરૂ, સૂંઠ, આમલી, સોપારી, આંબળા અને ગોળ વગેરે હવિષ્યાન્ન તથા ફળોનું ભક્ષણ કરવું. માંસ, મધ, અડદ, બે દાળ થાય તેવું ધાન્ય, રાઈ, તેલ આદિ પદાર્થોનો ત્યાગ કરવો. પારકું અન્ન, ઝેર-કાંકરાથી દૂષિત થયેલું, ક્રિયાથી દૂષિત થયેલું, વાણીથી દૂષિત થયેલું અન્ન લેવું નહીં. પરદ્રોહ ન કરવો. પરસ્ત્રીનું ગમન કરવું નહીં અને તીર્થ સિવાયની બીજી મુસાફરી છોડી દેવી. આ માસમાં દેવ, બ્રાહ્મણ, ગુરુ, ગાય, સ્ત્રી, મહાત્મા તથા વ્રત કરનારની નિંદા કરવી નહીં, જાયફળ, મસુર, વાસી અન્ન, બકરી, ગાય કે ભેંસના દૂધ સિવાય બીજા કોઈ પ્રાણીનું દૂધ, જે માંસ ગણાય છે તથા તાંબાના વાસણમાં રહેલું દૂધ અને ચામડામાં રાખેલું પાણી એ બધાનો ત્યાગ કરવો.


પ્રત્યેક સ્ત્રી-પુરૂષે વ્રતમાં બ્રહ્મચર્ય પાળવું. પતરાળીમાં જમવું, ચોથે પહોરે જમવું, રજસ્વલા સ્ત્રીથી દૂર રહેવું, અત્યંત, મ્લેચ્છ, પતિત, નાસ્તિક અને વેદની નિંદા કરનાર સંસ્કારહીનો સાથે બોલવું નહીં, કાગડાએ એંઠું કરેલું અન્ન કે જળ, સૂતકીનું, બીજી વાર રાંધેલું કે દાઝેલું અન્ન ખાવું નહીં, કાંદા, લસણ, ગાજર, અળવીના પાંદડાં, મૂળો અને સરગવાની શીંગો ખાવી નહી. આ બધા પદાર્થ તજી દેવા.


ભગવાન વિષ્ણુની પ્રસન્નતા માટે ચાંદ્રાયણ આદિ વ્રતો કરવાં. પડવાને દિવસે કોળું, બીજને દિવસે રંગણ, ત્રીજે પુષ્પનું શાક, ચોથે મૂળા, પાંચમે નિલું, છઠે તરબૂચ, સાતમે સર્વ ફળોનું શાક, આઠમે આંબળા, નોમે નાળિયેર, દશમે દૂધી, અગિયારસે પંડોળું, બારશે બોર, તેરસે કાળાં રીંગણ, ચૌદશે વેલાનું શાક, પૂનમે પાણીમાં થનારા શાક લેવાં નહીં. રવિવારે આમળા ખાવા નહીં. જે પદાર્થોનો ત્યાગ કર્યો હોય તે પદાર્થો બ્રાહ્મણોને દાન કર્યા પછી જ ખાવાં. આ પ્રમાણે કરનારને ઉત્તમ ફળ મળે છે. બની શકે તો આખો પુરૂષોત્તમ માસ ઉપવાસ કરવો. તેમ નબને તો માગ્યાવિનાના ઘી કે દૂધ ઉપર કે ફળાહાર ઉપર રહેવું. 


 શ્રી મહાલક્ષ્મી માં આ પાઠ કરવાથી દુઃખ કષ્ટ દુર થઈ ઘન સંપત્તિ પ્રાપ્ત થાય


વ્રતનો આરંભ થયાને દિવસે સવારમાં વહેલા ઊઠીને સ્નાનાદિથી પરવારી શ્રીકૃષ્ણ ભગવાનનું સ્મરણ કરવું અને નિયમ પાળવાનો સંકલ્પ કરવો અને નિયમપૂર્વક આખો માસ વૃતાચરણ કરવું. આ માસમાં ભક્તિપૂર્વક શ્રીમદભાગવત સાંભળવું. બની શકે તો એક લાખ તુલસીદલથી શાલિગ્રામની પૂજા કરવી. તેનું પુણ્ય અનંત છે. આ માસમાં વ્રત કરનારને સો યજ્ઞ કરવાનું ફળ મળે છે. જે આ વ્રત કરે છે તેને, હાથીઓ જેમ સિંહને જોઈ નાસી જાય છે તેમ યમના દૂતો નાસી જાય છે. આ વ્રત કરનારને કોઈ જાતની આધિવ્યાધિ કે ઉપાધિ નડતી નથી. દરિદ્રતા દૂર થાય છે, સુખ,સંપતિમાં વૃદ્ધિ થાય છે અને સંતાન તથા અમર કીર્તિ પ્રાપ્ત થાય છે. ભૂત, પ્રેતકે પિશાચ તેને પીડી શકતા નથી. “હે રાજન ! આવા હરિભક્તનું ઈન્દ્રાદિ દેવતાઓ તેનું સર્વ વિધ્નોથી રક્ષણ કરે છે. 

જે વિધિપૂર્વક પુરૂષોત્તમ માસનું વ્રત કરે છે, તેનું ફળ કહેવા બ્રહ્માજી, શારદા કે સાક્ષાત હજાર મુખવાળા શેષનાગ પણ સમર્થ નથી.જે ભક્ત પૂર્ણ શ્રદ્ધાથી ભગવાન રાસિકેશ્વરનું આ ઉત્તમ વ્રત કરે છે, અંતે તે અનેક સુખો ભોગવીને શ્રી વિષ્ણુ ભગવાનના લોકમાં જાય છે.


 “ શ્રી બૃહન્નારદીય પુરાણ” ના પુરૂષોત્તમ માહાત્મ્યનો
“પુરૂષોત્તમ માસનાં વ્રત નિયમો” નામનો બાવીસમો અધ્યાય સંપૂર્ણ.


 
વાંચો "" હનુમાનજી વડવાનલ સ્ત્રોત ""  


હવે પતિતપાવન પુરૂષોત્તમ માસની કથાનું રસપાન કરીએ.


ઉમા માની વાર્તા


પવિત્ર પુરૂષોત્તમ માસ ચાલતો હતો ત્યારે એક દિવસ શિવ-પાર્વતી મૃત્યુલોકમાં ફરવા નીકળ્યા. ફરતાં ફરતાં એક ગામમાં આવ્યાં. એક ખેતર પાસેથી પસાર થતાં એક બાજરીયું પાર્વતીજીના ઝાંઝરમાં ભરાઈ ગયું. લીલોછમ મીઠો-કૂણો બાજરો જોઈ, પાર્વતીજીથી રહેવાયું નહીં અને એ તો બાજરીયું મસળીને લીલોછમ બાજરો ખાવા લાગ્યા. થોડોક ખાધો ત્યાં શિવજી બોલ્યા : “હે દેવી ! માલિકને પૂછ્યા વગર ખાવું એ ચોરી ગણાય. તમે પાપમાં પડ્યાં.” ત્યારે પાર્વતીજીને પણ શિવજીની વાત સાચી લાગી. તેમણે પૂછ્યું : “તમારી વાત તદ્દન સાચી છે. હું દોષમાં પડી છું. પણ એનો કોઈ ઉપાય તો હશે ને ?” શિવજી બોલ્યા : “ હવે આ દોષમાંથી મુક્ત થવું હોય તો બાજરાના જેટલા દાણા ખાધા એટલા દિવસ આ ખેતરના માલિકના ઘેર રહીને કામ કરો.”


પાર્વતીજીએ તો હસીને સજા સ્વીકારી લીધી. શિવજી ગયા કૈલાસ અને પાર્વતી આવ્યા ખેડૂતના ઘેર. પુરૂષોત્તમ મહિનો હતો એટલે ખેડૂત અને એની પત્ની નદીએ નહાવા અને દેવદર્શને ગયા હતાં. નવ વર્ષની દીકરીએ મીઠો આવકાર આપી પાણી પાયું. ખેડૂત આવ્યો એટલે પાર્વતીએ વાત કરી : “મને કામે રાખો. જગતમાં એકલી છું. એક ટંક ખાઈશ અને કહેશો એ કામ કરીશ.”


ખેડૂત ગરીબ હતો, પણ ઘણો દયાળુ હતો. એ તો બોલ્યો : “ભલે બહેન ! ખુશીથી રહો. થાય એ કામ કરજો. તમારું શું નામ છે ?”
“ભાઈ ! લોકો મને ઉમાના નામથી બોલાવે છે.”


જગતજનનીનાં પગલાં થતાં જ ખેડૂતના ભાગ્ય સોળે કળાએ ખીલી ઊઠ્યાં. સો ગણો પાક થયો. ગામમાંથી રોગ-દોગ-શોક ચાલ્યા ગયા. પાર્વતી દેવી તો ખેડૂતના નાનકડા કુટુંબ સાથે એવા હળીમળી ગયાં કે ઉમા મા… ઉમા મા… કર્તાં સૌના મુખ શોભવા લાગ્યાં.


શ્રી લક્ષ્મીનારાયણ દેવ આ પાઠ કરવાથી તમામ પાપોમાંથી મુક્તિ થઈ વિષ્ણુ લોક પ્રાપ્તિ થાય છે  


પાવન પુરૂષોત્તમ માસ પૂર્ણ થતાં ખેડૂતે ધામધૂમથી વ્રત ઊજવ્યું, બ્રાહ્મણ જમાડ્યા. પાર્વતી દેવી રાંધે અને સૌ ખાય. એમ કરતાં ત્રણસો દિવસ પૂરા થયા. પાંસઠ દિવસ બાકી રહ્યા ત્યારે ગામે સંઘ કાઢી કાશીની જાતરા કરવાનું નક્કી કર્યું. ખેડૂત અને એની પત્નીને પણ સંઘમાં કાશીએ જવાની ઈચ્છા થઈ, પણ દીકરી નાની હતી એટલે એને ઘેર રાખવી પડે તેમ હતી અને તેની સંભાળ કોણ રાખે ? ઉમામા ખેડૂતની મૂંઝવણ સમજી ગયાં અને બોલ્યા : “ભાઈ ! તમ તમારે નિરાંતે ભાભીને લઈ કાશીએ જાવ, હું દીકરીની અને ઘરની સંભાળ રાખીશ.” મૂંઝવણ ટળતાં નચિંત બની ગયેલા ખેડૂત દંપતી દીકરી અને ઘર ઉમા માને ભળાવી સંઘમાં જોડાયા.


 સંઘ ઊપડ્યો ત્યારે ઉમા માએ ખેડૂતને લાલ રંગનું કપડું આપતાં કહ્યું કે “ભાઈ !ગંગાને કહેજો કે ઉમા માએ મોકલ્યું છે. હાથોહાથ લેતો જ આપજો.” ખેડૂત મનમાં દાંત કાઢવા લાગ્યો, પણ બહેનનું દિલ ન દુભાય એટલા ખાતર કપડું લઈ લીધું.


રસ્તામાં આવતાં તીર્થોના દર્શન કરતો સંઘ કાશીએ પહોંચ્યો. પાંચ દિવસ સૌ રોકાયા.ગંગાસ્નાન કર્યું. ખૂબ દર્શન કર્યા. પછી સંઘ પાછો ફર્યો. અર્ધા રસ્તે ખેડૂતને યાદ આવ્યું કે ઉમાબેનનું કપડું તો રહી ગયું. ખેડૂતનો જીવ બળવા લાગ્યો. એ તો ગયો સંઘપતિ પાસે. જઈને વિનંતી કરી કે જો સંઘ પાંચ દિવસ અહીં રોકાય તો હું કપડું દેતો આવું. સંઘપતિએ જંગલમાં રોકાવાની ના પાડી દીધી એટલે ખેડૂત અને તેની પત્ની એકલા પાછા કાશી ગયા.


આ બાજુ સવાર પડતાં સંઘપતિએ તંબુઓ ને રાવટી સંકેલી લીધી. બધો સામાન ગાડામાં લાદી આગળ વધવાનો આદેશ આપ્યો. પણ બળદ ઊભા ન થયા. ખૂબ કોશિશ કરી, પણ બળદ ડગલુંય ન ખસ્યા. માંદા પડી ગયેલા બળદ સાજા ન થાય ત્યાં સુધી ફરજિયાત રોકાણ કરવું પડ્યું.


દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી અહી ક્લિક કરો.  


પેલી બાજુ ખેડૂત અને તેની પત્ની કાશીએ પહોંચ્યા. ગંગામાં સ્નાન કર્યું. પછી ગંગાને પ્રાર્થના કરી : “ઉમા આએ કપડું મોકલ્યું છે. હાથોહાથ સ્વીકારો તો જ આપવાનું છે.” ત્યાં જ ચમત્કાર થયો. જળમાંથી બે રત્નકંકણ પહેરેલા હાથ બહાર આવ્યા.કપડું સ્વીકારીને અદ્રશ્ય થઈ ગયા. આવું સત જોઈ ખેડૂત ગદગદ થઈ ગયો.


ખેડૂત અને તેની પત્ની પાછા ફર્યા. જોયું તો સંઘ હતો ત્યાંનો ત્યાં. ખેડૂતે બધી વાત જાણી અને જઈને બળદ પર હાથ ફેરવ્યો, ત્યાં તો માંદા બળદ સાજા થઈને ચાલવા લાગ્યા. બધા ખેડૂતની ભક્તિના વખાણ કરવા લાગ્યા. સંઘ ગામમાં પાછો ફર્યો. વાજતે ગાજતે સામૈયા થયા. ખેડૂતે સંઘ જમણ કર્યું.


આમ કરતાં ત્રણસો ને સાંઈઠ દિવસ વીતી ગયા. પાંચ દિવસ રહ્યા. છેલ્લા દિવસની સવારે પાર્વતી બોલ્યા : “ ભાભી ! આજે તો ભાઈને ભાત દેવા હું જઈશ. કોઈ દિ’ ગઈ નથી. આજ તો જવું છે.” ઉમા મા તો ભાત લઈને ગયા તે ગયા. ખેડૂત ભાતની રાહ જુએ છે, પણ સાંજ સુધી કોઈ ભાત લઈને ન આવ્યું. સાંજે ઘેર આવીને પત્નીને પૂછ્યું કે “આજ ભાત દેવા કેમ ના આવી ?” ત્યારે પત્ની બોલી કે “ભાત દેવા તો ઉમા મા સવારના નીકળ્યા છે, તે તમને મળ્યાં નથી ?”


ખેડૂતને ચિંતા થઈ. આખા ગામમાં ઘેર ઘેર તપાસ કરી. ખેતરે ખેતરે શોધ કરી.પણ ઉમા મા ન મળ્યાં. ત્યારે ખેડૂતે સંકલ્પ કર્યો કે “હવે તો ઉમાબેન આવીને થાળી પીરસે તો જ જમવું, નહિતર ભૂખ્યા પ્રાણ તજવા.” ચાર દિવસ વીતી ગયા. ખેડૂત નથી અન્ન લેતો નથી જળ લેતો. પત્નીએ પણ અન્નજળ ત્યાગ્યાં. 

શ્રી હનુમાન દાદા નો આ પાઠ ચુડેલ મેલી ડાકાણ જિન સામે રક્ષણ મળે છે


ખેડૂતની આવી અગાધ ભક્તિ જોઈ પાંચમા દિવસે પાર્વતી પ્રગટ થયાં. ખેડૂત દંપતિ ભાવવિભોર થઈ પાર્વતીના પગમાં પડી ગયું. તત્કાળ પાર્વતીએ આદ્યશક્તિનું રૂપ ધારણ કર્યું અને પતિ-પત્નીને આશીર્વાદ આપીને દેવી જવા લાગ્યાં ત્યારે ખેડૂતની પુત્રી બોલી કે “મા ! મારે એકેય ભાઈ નથી. હું રાખડી કોને બાંધું ?” દેવીએ આશીર્વાદ દીધા કે નવા માસે પુત્ર જન્મશે.આદ્યશક્તિ અંતર્ધ્યાન થયાં. ખેડૂત દંપતિ આનંદ પામ્યાં. અવતાર ધન્ય થઈ ગયો. પાર્વતીના આશીર્વાદથી ખેડૂતની પત્નીએ પૂરા નવ માસે દેવના ચક્કર જેવા દીકરાને જન્મ આપ્યો. પુરૂષોત્તમ વ્રતના પુણ્ય પ્રભાવે ખેડૂતદંપતિ મહાફળ પામ્યા.


Gujarati Bhakti Lekh on Whatsapp


નારાયણ નો આ કવચ નો પાઠ કરવાથી તમામ પ્રકારના ભય માંથી મુક્તિ મળે છે અહી ક્લિક કરો.   




દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી 


 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇