બુધવાર, 5 એપ્રિલ, 2023

હનુમાન જન્મોત્સવ 2023 આ ઉપાય સુખ-સમૃદ્ધિના ,મનોકામનાઓ ,રક્ષણાત્મક કવચ , | Hanuman Jayanti 2023 Upay Gujarati ma | Okhaharan

 હનુમાન જન્મોત્સવ 2023 આ ઉપાય સુખ-સમૃદ્ધિના ,મનોકામનાઓ ,રક્ષણાત્મક કવચ , | Hanuman Jayanti 2023 Upay |

hanuman-jayanti-2023-upay-gujarati-ma
hanuman-jayanti-2023-upay-gujarati-ma

 શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખ માં આજે આપણે જાણીશું હનુમાન જન્મોત્સવ 2023 સર્વાર્થ સિદ્ધિ યોગમાં બજરંગ બલી ના આ ઉપાય સુખ-સમૃદ્ધિના દ્વાર ખોલે , મનોકામનાઓ પૂર્ણ  , નોકરી અને ધંધામાં પ્રગતિ, રક્ષણાત્મક કવચ ,  પૈસા અને અનાજની કમી ના થાય , મંગળ ગ્રહ શુભ અસર ઉપાય  

 

હનુમાન ચાલીસા જેટલો 100% ફળ આપનારો ભૂત પ્રેત ભગાડવા માટેનો હનુમાન જંજીરો 


હિન્દુ પંચાગ અનુસાર ચૈત્ર સુદ પૂર્ણિમા ની તિથિ એ હનુમાન જન્મોત્સવ ની છે જે આ વષૅ 6 એપ્રિલ 2023 ગુરૂવાર ના રોજ રહેશે. આ હનુમાન જન્મોત્સવ દિવસે ખાસ શુભ યોગ બની રહ્યાં છે જે આ પ્રમાણે છે.


હનુમાન જન્મોત્સવ ના દિવસે  સર્વાર્થ સિદ્ધિ યોગ રહે છે. આ સાથે હસ્ત નક્ષત્ર અને ચિત્રા નક્ષત્રનો પણ શુભ સંયોગ થાય છે અને ભૌતિક સુખ-સુવિધાઓનો સ્વામી ગ્રહ શુક્ર પણ પોતાની રાશિ બદલી નાખશે. આવી સ્થિતિમાં હનુમાન જન્મોત્સવ પર બજરંગ બલી ની વિશેષ પૂજા કરવી વધુ ફાયદાકારક હોય છે. આ દિવસે  મહાવીર ને પ્રસન્ન કરવા માટે કેટલાક ઉપાય પણ કરી શકો છો. આનાથી હનુમાનજી તમારા જીવનમાંથી બધી પરેશાનીઓ દૂર કરશે અને તેમના આશીર્વાદ આખું વષૅ રહેશે.

 

સુખ-સમૃદ્ધિના દ્વાર ખોલે ઉપાય

હનુમાન જયંતિ ના  દિવસે વહેલી સવારે બ્રહ્મ મુહૂર્ત માં સ્વચ્છ સ્નાન કરી પરવારી સાંજ સુધી 11 વાર સુંદરકાંડનો પાઠ કરવો જોઈએ. જો આ શક્ય ન હોય તો તમે 108 વાર હનુમાન ચાલીસાનો પાઠ પણ કરી શકો છો. તેની સાથે તમે હનુમાન અષ્ટક અને બજરંગ બાણનો પાઠ કરી શકો છો. આમ કરવાથી હનુમાનજીના તમામ કષ્ટો દૂર થાય છે અને આસપાસ હાજર ભૂત-પ્રેત જેવી નકારાત્મક શક્તિઓ પણ દૂર થાય છે.

શ્રી હનુમાનજીનો આ પાઠ નિયમિત ઉપાસના કરવાથી સમસ્ત કષ્ટોનું સરળતાથી નિવારણ થાય 

 

મનોકામનાઓ પૂર્ણ  ઉપાય

હનુમાન જયંતિના દિવસે તમારી આસપાસ કોઈ પણ હનુમાન મંદિરમાં જઈને આસન પર બેસીને ચમેલીના તેલનો પાંચ દિવેટ પ્રગટાવીને દિવો કરવો ત્યાર પછી રામચરિત માનસ પાઠ કે રક્ષાસ્ત્રોતનો પાઠ કરો. આ પછી જમણા હાથના અંગૂઠાથી હનુમાનજીના માથા પરથી થોડું સિંદૂર લઈને માતા સીતાના ચરણોમાં લગાવો. આમ કરવાથી સવૅ પાપ દૂર થઈ મનોકામનાઓ પૂર્ણ થાય છે.

 

નોકરી અને ધંધામાં પ્રગતિ ઉપાય   

હનુમાન જયંતિના દિવસે 108 તુલસીના પાન પર સિંદૂર કે ચંદન થી રામ રામ નું નામ લખીને તુલસી ની માળા હાર બનાવો અને તે હનુમાન જી ને ચઢાવો . આ પછી ત્યાં બે દીવા કરો એક સરસવના તેલ અને  બીજો ઘીનો દીવો પ્રગટાવો અને હનુમાન ચાલીસાનો બંને એટલા વધારે જાપ અને 108 કરો તો વધારે પૂણ્ય ફળ ની પ્રાપ્તિ થાય.આમ કરવાથી ઘરમાં ધન-ધાન્યની કમી નથી રહેતી અને નોકરી-ધંધામાં પ્રગતિના ચાન્સ છે.

શ્રી હનુમાન દાદા નો વડવાનલ સ્ત્રોત નો પાઠ 


રક્ષણાત્મક કવચ ઉપાય

હનુમાન જયંતિના દિવસે સર્વાર્થ સિદ્ધિ સહિત અનેક શુભ યોગો બની રહ્યા છે. આ શુભ યોગોમાં હનુમાન યંત્રની સ્થાપના કરો અને નિયમિત પૂજા કરો. આમ કરવાથી શારીરિક અને માનસિક વિકાસ થાય છે અને આત્મવિશ્વાસ પણ વધે છે. આ યંત્રનો દરેક ઉપાસક સ્વાસ્થ્ય સમસ્યાઓને દૂર રાખે છે અને સમગ્ર પરિવાર માટે રક્ષણાત્મક કવચનું કામ કરે છે.

 

પૈસા અને અનાજની કમી ના થાય ઉપાય

 હનુમાન જયંતિ  નું ઉપવાસ નું વ્રત રાખો અને નજીકના હનુમાન મંદિરમાં ગોળ અને ઘઉંના લોટના લાડુ બનાવીને હનુમાનજીને ભોજન અર્પણ કરો. જો તમને આ લાડુ બનાવવા ના ફાવે તો તમે હનુમાનજીને મોતીચૂરના લાડુ પણ અર્પણ કરી શકો છો. તેની સાથે કેવડાનું અત્તર અને ગુલાબની માળા અર્પણ કરો. આમ કરવાથી હનુમાનજીના વિશેષ આશીર્વાદ પ્રાપ્ત થાય છે અને જીવનમાં પૈસા અને અનાજની કમી નથી રહેતી. 

હનુમાન ચાલીસા ની 9 ચોપાઈનું પઠન 🙏 મળશે 100% ફળ

 

મંગળ ગ્રહ શુભ અસર ઉપાય  

જે લોકો ને કુડંળી માં મંગળ ગ્રહ અશુભ અસર હોય તેને શુભ પ્રભાવ કરવા માટે  હનુમાન જયંતિના દિવસે રક્તદાન, મસૂરનું દાન અથવા લાલ વસ્ત્રનું દાન પણ કરી શકે છે. કોઈ હનુમાન મંદિરમાં ધ્વજા ચડાવવાથી તમને વિશેષ લાભ પણ થશે. આમ કરવાથી કુંડળીમાં મંગળની સ્થિતિ મજબૂત બને છે. 

દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી અહી ક્લિક કરો.  

 

શ્રી હનુમાન દાદા નો આ પાઠ ચુડેલ મેલી ડાકાણ જિન સામે રક્ષણ મળે છે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  


શ્રી "" દેવીકવચ "" ગુજરાતી ભાષાંતર સાથે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 

 સંઘ્યા સમયે એકવાર પાઠ કરો આ સ્તોત્ર દેવીની કૃપા રહેશે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 

 રાત્રે એકવાર શ્રી મહાલક્ષ્મીની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો

 

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો. 

 

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission.

 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇