હનુમાન ચાલીસા ના દરેક દોહા અને ચોપાઈ નો અથૅ ગુજરાતી લખાણ સાથે Hanuman Chalisa Meaning Gujrati
VIDEO
હનુમાન ચાલીસા (
અર્થ સહિત )
શ્રી ગુરુ ચરન સરોજ રજ , નિજ મનુ
મુકુરુ સુધારિ ।
બરનઉ રઘુબર બિમલ જસુ જો દાયક ફલ
ચારી ।।
શ્રી ગુરુદેવના ચરણ રજથી મારૂ મન પવિત્ર કરી હવે હું
શ્રી ભગવાન રામના યશનું વર્ણન કરૂં
છું.
જે (ધર્મ , અર્થે કામ અને મોક્ષ) ચારે
પ્રકારનાં ફળ આપનાર છે.
બુદ્ધિહિન તનુ જાનિકે સુમિરો
પવન કુમાર ।
બલ બુદ્ધિ વિદ્યા દેહુ મોહિ , હરહુ ક્લેસ
બિકાર ।।
હું મારી જાતને બુદ્ધિહિન ગણીને
શ્રી હનુમાનજી આપનું સ્મરણ કરું છું.
હે પ્રભુ આપ મને બુદ્ધિ , બળ
તથા વિદ્યા આપો અને મારા વિકારોનો નાશ કરો.
જય હનુમાન જ્ઞાન ગુણ
સાગર ,
જય કપીસ તિહું લોક ઉજાગર ।
જ્ઞાન અને ગુણોનાં સાગર શ્રી હનુમાનજી
આપનો જય જયકાર હો ! ત્રણેય લોકમાં કીર્તિમાન મારૂતિ , આપનો જય હો !
રામદૂત
અતુલિત બલધામા ,
અંજનિપુત્ર પવનસુત નામા ।।
શ્રી રામજી ના દૂત આપમાં અનંત શક્તિ છે આપનું
અંજનિપુત્ર અને પવનપુત્ર નામજગ પ્રસિદ્ધ છે.
મહાવીર વિક્રમ બજરંગી , કુમતિ નિવાર
સુમતિ કે સંગી ।
આપ મહાવીર તથા મહાપરાક્રમી છો.
આપનું શરીર વજ્ર સમાન છે.
આપ કુબુદ્ધિનો નાશ કરનારા છો ,
અને સુબુદ્ધિના સહાયક છો.
કંચન બરન બિરાજ સુબેસા ,
કાનન કુંડલ કુંચિત કેસા ।।
હે કપિ શ્રેષ્ઠ , આપના દેહનો વર્ણ કંચન જેવો છે.
કાનમાં કુંડળ છે અને મસ્તક પર વાકડીયા વાળ છે. આપનું
આ સ્વરૂપ અતિ સોહમણું છે.
હાથ વજ્ર ઔર ધ્વજા બિરાજૈ ,
કાંધે મુંજ જનેઉ સાજે ।
આપના હાથમાં ગદા અને ધ્વજા છે
ખભા પર જનોઇ શોભાયમાન છે.
શંકર સુવન કેસરીનંદન ,
તેજ પ્રતાપ મહા જગ વંદન ।।
કેસરીનંદન આપ શંકરના અવતાર છો , આપનું
મહાપ્રતાપી અને તેજસ્વી સ્વરૂપ સમગ્ર વિશ્વમાં
પૂજનીય છે.
વિદ્યાવાન ગુની અતિ ચાતુર ,
રામકાજ કરિબે કો આતુર ।
હે કપિ શ્રેષ્ઠ આપ વિદ્યાવાન ગુણવાન અને ચતુર છો ,
સદા રામ ભગવાનનું કાર્ય કરવા આતુર રહો છો ,
પ્રભુ ચરિત્ર
સુનિબે કો રસિયા ,
રામ લખન સીતા મન બસિયા ।।
પ્રભુ રામજીનું ચરિત્ર સાંભળવામાં
આપને ઘણી આસક્તિ છે.
શ્રીરામ , શ્રી લક્ષ્મણ અને સીતામૈયા
આપના હ્રદયમાં કાયમ નિવાસ કરે છે.
સૂક્ષ્મરૂપ ધરિ સિયહિં દિખાવા ,
બિકટ રૂપ ધરી લંકા જરાવા ।
સીતામૈયાને સુક્ષ્મરૂપ ધારણ કરી બતાવ્યું અને
વિકરાળ રૂપ ધરી લંકાને બાળ હતી.
ભીમરૂપ ધરિ અસુર સંહારે ,
શ્રી રામચંદ્ર કે કાજ સંહારે ।।
મહાભંયકર રૂપ ધારણ કરી રા
ક્ષસોનો સંહાર કર્યો અને
શ્રીરામજીના સર્વ કાર્ય સિદ્ધ કરવામાં સહયોગ આપ્યો હતો.
લાય સંજીવન લખન જિયાયે ,
શ્રી રઘુવિર હરષિ ઉર લાયે ।
સંજીવની બુટ્ટી લાવી શ્રી લક્ષ્મણજીને
જીવત્દાન આપ્યું તેથી
અતિ હર્ષિત થઇ પ્રેમથી શ્રીરામજીએ
આપને છાતીએ લગાવ્યા હતા.
રઘુપતિ
કીન્હી બહુત બડાઇ ,
તુમ મમ પ્રિય ભરત હિ સમ ભાઇ ।।
ભગવાન શ્રીરામે આપની ઘણી પ્રશંસા કરીને કહ્યું કે ,
ભરત જેટલો જ તું મારો પ્રિય ભાઇ છે
સહસ્ત્ર બદન તુમ્હરો જશ ગાવૈ ,
અસ કહી શ્રીપતિ કંઠ લગાવે ।
સહસ્ત્ર મુખવાળા શેષનાગ આપના યશગાન ગાય છે
એમ કહેતા પ્રેમથી ભગવાન શ્રીરામે આપને ગળે લગાડ્યા
સનકાદિક બ્રહ્માદિ મુનીસા ,
નારદ શારદ સહિત અહીસા ।।
સનકાદિક ઋષિ , બ્રહ્મા , નારદ , સરસ્વતી
શેષનાગ
આપની કીર્તિનું યોગ્ય વર્ણન કરી શકતા નથી.
જમ કુબેર દિગપાલ જહાં તે ,
કબિ કોબિદ કહિ સકે કહાં તે ।
યમરાજ , કુબેર , દિગપાલ જેવાં
દેવતા પણ આપનો મહિમા પૂર્ણરૂપે વર્ણન
કરી શકતા નથી તો પૃથ્વી પરના
કવિ અને વિદ્વાનો કઇ રીતે કહી શકે ?
તુમ ઉપકાર સુગ્રીવહિ કીન્હા ,
રામ મિલાય રાજ પદ દીન્હા ।।
આપે સુગ્રીવજીને સહાય કરી ભગવાન શ્રીરામ સાથે
તેમનો મેળાપ કરાવ્યો અને એમને રાજા બનાવ્યા
તુમ્હારો મંત્ર બિભીષણ માના ,
લંકેશ્વર ભએ સબ જગ જાના ।
આપનો મંત્ર વિભીષણે સ્વીકાર્યો અને તે લંકાનો
રાજા થયો , આ વાત સમસ્ત વિશ્વ જાણે છે
જુગ સહસ્ત્ર જોજન પર ભાનુ ,
લીલ્યો તાહિ મધુર ફલ જાનુ ।।
ઘટાથી હજારો જોજન દૂર સૂર્યનું મધુર ફળ
માનીને આપ ગળી ગયા હતા
પ્રભુ મુદ્રિકા મેલિ મુખ માહિ ,
જલધિ લાંધી ગયે અચરજ નાહિં ।
શ્રીરામની વીંટી મોઢામાં રાખી આપ વિશાળ સમુદ્રને
પાર કરી ગયા એમાં કાંઇ ખાસ આશ્ચર્ય નથી
દુર્ગમ કાજ જગત કે જે તે ,
સુગમ અનુગ્રહ તુમ્હરે તે તે ।।
હે કેસરી નંદન સંસારમાં જે કઠિન કાર્ય છે તે
આપની કૃપાથી સરળ બની જાય છે.
રામ દુઆરે તુમ રખવારે ,
હોત ન આજ્ઞા બિનુ પૈસારે ।
આપ શ્રીરામના દ્વારપાળ છો , આપની આજ્ઞા
વિના કોઇ અંદર પ્રવેશ કરી શકતો નથી.
સબ સુખ લહૈ તુમ્હારી સરના ,
તુમ રક્ષક કાહુ કો ડરના ।।
આપની શરણ જે કોઇ આવે છે એ
બધા આનંદ સુખ પ્રાપ્ત કરે છે.
તમે અમારા રક્ષક છો તેથી અમને કોઇ જ ડર નથી
આપન તેજ સમ્હારો આપૈ ,
તીનોં લોક હાંક તે કાંપૈ ।
હે અંજની પુત્ર ! આપ જ આપનું તેજ સહન કરી શકો છો.
આપના હુંકારથી ત્રણેય લોક કાંપવા લાગે છે.
ભૂત પિસાચ નિકટ નહીં આવૈ ,
મહાબીર જબ નામ સુનાવૈ ।।
ભક્તજન જ્યારે આપના નામનું રટન કરે છે ,
ત્યારે ભૂત - પ્રેત એમની પાસે આવતા નથી.
નાસૈ રોગ હરૈ સબ પીરા ,
જપત નિરંતર હનુમંત બીરા ।
હે કેશરી નંદન ! આપનું નામ સતત
જપનારના બધા રોગો દૂર થઇ જાય છે
અને તેની બધી પીડા દૂર થઇ જાય છે.
સંકટ તે હનુમાન છુડાવૈ ,
મન કર્મ બચન ધ્યાન જો લાવે ।।
હે અંજની પુત્ર ! જે ભક્ત મન , વાણી અને કર્મથી
આપનું એક ચિત્તે ધ્યાન કરે છે ,
એને આપ બધી વિપત્તિથી બચાવો છો.
સબ પર રામ તપસ્વી રાજા ,
તિન કે કાજ સકલ તુમ સાજા ।
સર્વોપરી રાજા શ્રીરામ એક શ્રેષ્ઠ તપસ્વી રાજા છે ,
તેમના કાર્ય સફળ કરવામાં આપે ઘણું યોગદાન આપ્યું છે.
ઔર મનોરથ જો કોઇ લાવૈ ,
સોઇ અમિત જીવન ફલ પાવૈ ।
હે કેશરી નંદન ! આપની સમક્ષ
મનોરથ લઇને જે કોઇ વ્યક્તિ આવે છે
તેના આ જીવનમાં બધા જ મનોરથ પૂર્ણ થાય છે.
ચારોં જુગ પરતાપ તુમ્હારા ,
હૈ પરસિદ્ધિ જગત ઉજિયારા ।
આપનો પ્રતાપ ચારે યુગમાં પ્રસિદ્ધ છે.
વિશ્વમાં આપની કીર્તિ , યશ પ્રકાશમાન છે.
સાધુ સંત કે તુમ રખવારે ,
અસુર નિકંદન રામ દુલારે ।।
સાધુ , સંતના આપ રક્ષક છો ,
આપ રાક્ષસોના સંહાર કરનાર છો
અને આપ શ્રીરામને અતિ પ્રિય છો
અષ્ટ સિધ્ધ નવ નિધિ કે દાતા ,
અસ વર દીન જાનકી માતા ।
સીતામૈયાયે આપને વરદાન આપ્યું છે કે આપ અષ્ટસિધ્ધિ અને
નવનિધિ ચાહો એને પ્રદાન કરી શકો.
રામ રસાયન તુમ્હારે પાસા ,
સદા રહો રઘુપતિ તે દાસા ।।
હે બજરંગબલી ! “શ્રીરામ” નામરૂપી
રસાયણ આપની પાસે છે.
આપ સદાય શ્રીરામની સેવામાં તત્પર રહો છો.
તુમ્હારે ભજન રામકો પાવૈ ,
જનમ જનમકે દુઃખ બિસરાવૈ ।
આપનું ભજન કરનારને શ્રીરામનું
દર્શન થાય છે. અને
તેના જન્મ જન્માંતરના દુઃખો
કાયમ માટે નષ્ટ થઇ જાય છે.
અંતકાલ રઘુબર પુર જાઇ ,
જહાં જનમ હરિભક્ત કહાઇ ।।
તે અંતકાળે સાકેત ધામમાં જાય છે.
કદાચ મૃત્યુલોકમાં જન્મે
તો તેને શ્રીહરિના ભક્ત તરીકે પ્રસિદ્ધિ મળે છે.
ઔર દેવતા ચિત્ત ન ધરઇ ,
હનુમંત સેઇ સર્વ સુખ કરઇ ।
જે ભક્ત અન્ય દેવતાઓનું
હ્રદયમાં સ્થાન ન રાખી
શ્રી હનુમાનજી સેવા કરે તો તે
સર્વ સુખ સંપન્ન થાય છે.
સંકટ કટે મિટૈ સબ પિરા , જો
સુમિરૈ હનુમંત બલબીરા ।।
અતિ બળવાન વીર બજરંગબલીનું
જે સ્મરણ કરે છે
તેના બધા સંકટો દૂર થાય છે.
જૈ જૈ જૈ હનુમાન ગૌસાંઇ ,
કૃપા કરહુ ગુરૂ દેવકી નાઇ ।
શ્રી હનુમાનજી આપનો જય જયકાર હો ,
આપ મારા પરમ કૃપાળુ ગુરૂદેવની જેમ કૃપા કરો.
જો સતબાર પાઠ કર કોઇ ,
છુટહી બંદિ મહા સુખ હોઇ ।।
જે કોઇ વ્યક્તિ હનુમાન ચાલીસા નો સો
વખત
પાઠ કરશે તે સર્વ બંધનમાંથી
મુક્તિ પામશે અને પરમ સુખને પામશે.
જો યહ પઢૈ હનુમાન ચાલીસા ,
હોય સિદ્ધિ સાખી ગૌરીસા ।
જે ભક્ત “હનુમાન ચાલીસા”નો નિત્ય પાઠ કરશે
તેને ચોક્કસ સફળતા મળશે.
આના સાક્ષાત્ ભગવાન શંકર સાક્ષી છે.
તુલસીદાસ સદા
હરિ ચેરા ,
કીજૈ નાથ હ્રદય મહં ડેરા ।।
સંતશ્રી તુલસીદાસજી કહે છે કે ,
“ સદા સર્વદા હું શ્રી હનુમાનજીનો
સેવક છું
હે નાથ આપ મારા હ્રદયમાં નિત્ય
બિરાજો”
।। દોહા ।।
પવન તનય સંકટ હરન , મંગલ મૂર્તિ
રૂપ ।
રામ લખન સીતા સહિત , હ્રદય બસહુ
સૂર ભૂપ ।।
હે પવન પુત્ર હનુમાનજી , સર્વ સંકટોનો
નાશ કરનારા ,
આપ મંગલમૂર્તિ રૂપ છો. આપ શ્રીરામ , લક્ષ્મણ અને
સીતા મૈયા સહિત અમારા હ્રદયમાં નિત્ય બિરાજો.
હનુમાનજી નો આ પાઠ કરવાથી નકારત્મક ઉર્જા સામે રક્ષણ મળે છે👇👇👇
Hanuman Chalisa Gujarati
દરરોજ સવારે હનુમાનજીના આ મંત્ર એક માળા કરો સવૅ કષ્ટ માંથી મુક્તિ મળે ગુજરાતી લખાણ સાથે 👇👇👇
હનુમાનજી રામ નામથી શરૂ થતો સ્ત્રોત છે દરેક કામમાં રક્ષણ આપે 👇👇👇