હનુમાન ચાલીસા ના દરેક દોહા અને ચોપાઈ નો અથૅ ગુજરાતી લખાણ સાથે Hanuman Chalisa Meaning Gujrati 
   
 
VIDEO 
 
હનુમાન   ચાલીસા (
અર્થ સહિત )   
શ્રી ગુરુ ચરન સરોજ રજ ,  નિજ મનુ
મુકુરુ સુધારિ ।   
બરનઉ રઘુબર બિમલ જસુ જો દાયક ફલ
ચારી ।। 
શ્રી   ગુરુદેવના ચરણ રજથી મારૂ મન પવિત્ર કરી હવે હું   
  શ્રી ભગવાન રામના યશનું   વર્ણન કરૂં
છું.   
જે (ધર્મ ,  અર્થે કામ અને મોક્ષ) ચારે
પ્રકારનાં ફળ આપનાર   છે. 
  
બુદ્ધિહિન તનુ જાનિકે સુમિરો
પવન કુમાર ।   
બલ બુદ્ધિ વિદ્યા દેહુ મોહિ ,  હરહુ ક્લેસ
બિકાર ।। 
હું મારી જાતને બુદ્ધિહિન ગણીને  
શ્રી   હનુમાનજી આપનું સ્મરણ કરું છું.   
હે પ્રભુ આપ મને બુદ્ધિ ,  બળ  
તથા વિદ્યા આપો અને મારા વિકારોનો નાશ કરો. 
  
જય   હનુમાન   જ્ઞાન ગુણ
સાગર , 
  જય કપીસ તિહું લોક ઉજાગર । 
જ્ઞાન અને ગુણોનાં સાગર શ્રી   હનુમાનજી
આપનો જય જયકાર હો !   ત્રણેય લોકમાં કીર્તિમાન મારૂતિ ,  આપનો જય હો ! 
 
 
  રામદૂત
અતુલિત બલધામા , 
  અંજનિપુત્ર પવનસુત નામા ।। 
  શ્રી રામજી ના દૂત આપમાં અનંત શક્તિ છે આપનું   
અંજનિપુત્ર અને પવનપુત્ર નામજગ પ્રસિદ્ધ છે. 
  મહાવીર વિક્રમ બજરંગી ,  કુમતિ નિવાર
સુમતિ કે સંગી । 
આપ મહાવીર તથા મહાપરાક્રમી છો.  
આપનું શરીર વજ્ર સમાન છે.   
આપ કુબુદ્ધિનો નાશ કરનારા છો ,  
અને સુબુદ્ધિના સહાયક છો. 
  
કંચન બરન બિરાજ સુબેસા ,  
કાનન કુંડલ કુંચિત કેસા ।। 
હે કપિ શ્રેષ્ઠ ,  આપના દેહનો વર્ણ કંચન જેવો છે.
કાનમાં કુંડળ છે અને   મસ્તક પર વાકડીયા વાળ છે. આપનું
આ સ્વરૂપ અતિ સોહમણું છે. 
  
હાથ વજ્ર ઔર ધ્વજા બિરાજૈ ,  
કાંધે મુંજ જનેઉ સાજે । 
આપના હાથમાં ગદા અને ધ્વજા છે  
ખભા પર જનોઇ શોભાયમાન છે. 
  
શંકર સુવન કેસરીનંદન ,  
તેજ પ્રતાપ મહા જગ વંદન ।। 
કેસરીનંદન આપ શંકરના અવતાર છો ,  આપનું
મહાપ્રતાપી અને   તેજસ્વી સ્વરૂપ સમગ્ર વિશ્વમાં
પૂજનીય છે. 
  
  વિદ્યાવાન ગુની અતિ ચાતુર , 
  રામકાજ કરિબે કો આતુર । 
હે કપિ શ્રેષ્ઠ આપ વિદ્યાવાન ગુણવાન અને ચતુર છો ,  
સદા રામ ભગવાનનું કાર્ય કરવા આતુર રહો છો , 
 
 
  પ્રભુ ચરિત્ર
સુનિબે કો રસિયા , 
  રામ લખન સીતા મન બસિયા ।। 
પ્રભુ રામજીનું ચરિત્ર સાંભળવામાં 
  આપને ઘણી આસક્તિ છે.  
શ્રીરામ ,  શ્રી લક્ષ્મણ અને સીતામૈયા  
આપના હ્રદયમાં કાયમ નિવાસ કરે છે. 
  
સૂક્ષ્મરૂપ ધરિ સિયહિં દિખાવા , 
  બિકટ રૂપ ધરી લંકા જરાવા । 
સીતામૈયાને સુક્ષ્મરૂપ ધારણ કરી બતાવ્યું અને   
વિકરાળ રૂપ ધરી લંકાને બાળ હતી. 
  
ભીમરૂપ ધરિ અસુર સંહારે ,  
શ્રી રામચંદ્ર કે કાજ સંહારે ।। 
મહાભંયકર રૂપ ધારણ કરી રા 
ક્ષસોનો સંહાર કર્યો અને   
શ્રીરામજીના સર્વ કાર્ય સિદ્ધ કરવામાં સહયોગ આપ્યો હતો. 
  
લાય સંજીવન લખન જિયાયે ,  
 શ્રી રઘુવિર હરષિ ઉર લાયે । 
સંજીવની બુટ્ટી લાવી શ્રી લક્ષ્મણજીને  
જીવત્દાન આપ્યું તેથી   
અતિ હર્ષિત થઇ પ્રેમથી શ્રીરામજીએ  
આપને છાતીએ લગાવ્યા હતા. 
  
  રઘુપતિ
કીન્હી બહુત બડાઇ ,  
તુમ મમ પ્રિય ભરત હિ સમ ભાઇ ।। 
ભગવાન શ્રીરામે આપની ઘણી પ્રશંસા કરીને કહ્યું કે ,  
ભરત જેટલો જ તું મારો પ્રિય ભાઇ છે 
   
સહસ્ત્ર બદન તુમ્હરો જશ ગાવૈ ,  
અસ કહી શ્રીપતિ કંઠ લગાવે । 
સહસ્ત્ર મુખવાળા શેષનાગ આપના યશગાન ગાય છે   
એમ કહેતા પ્રેમથી ભગવાન શ્રીરામે આપને ગળે લગાડ્યા 
  
સનકાદિક બ્રહ્માદિ મુનીસા ,  
નારદ શારદ સહિત અહીસા ।। 
સનકાદિક ઋષિ ,  બ્રહ્મા ,  નારદ ,  સરસ્વતી
શેષનાગ   
આપની કીર્તિનું યોગ્ય વર્ણન કરી શકતા નથી. 
  
  જમ કુબેર દિગપાલ જહાં તે ,  
કબિ કોબિદ કહિ સકે કહાં તે । 
યમરાજ ,  કુબેર ,  દિગપાલ જેવાં 
  દેવતા પણ આપનો મહિમા પૂર્ણરૂપે વર્ણન  
કરી શકતા નથી તો પૃથ્વી પરના 
  કવિ અને વિદ્વાનો કઇ રીતે કહી શકે ? 
  
તુમ ઉપકાર સુગ્રીવહિ કીન્હા ,  
રામ મિલાય રાજ પદ દીન્હા ।। 
આપે સુગ્રીવજીને સહાય કરી ભગવાન શ્રીરામ સાથે   
તેમનો મેળાપ કરાવ્યો અને એમને રાજા બનાવ્યા 
 
 
તુમ્હારો મંત્ર બિભીષણ માના , 
  લંકેશ્વર ભએ સબ જગ જાના । 
આપનો મંત્ર વિભીષણે સ્વીકાર્યો અને તે લંકાનો   
રાજા થયો ,  આ વાત સમસ્ત વિશ્વ જાણે છે 
  
જુગ સહસ્ત્ર જોજન પર ભાનુ ,  
લીલ્યો તાહિ મધુર ફલ જાનુ ।। 
ઘટાથી હજારો જોજન દૂર સૂર્યનું મધુર ફળ   
માનીને આપ ગળી ગયા હતા 
  
પ્રભુ મુદ્રિકા મેલિ મુખ માહિ ,  
જલધિ લાંધી ગયે અચરજ નાહિં । 
શ્રીરામની વીંટી મોઢામાં રાખી આપ વિશાળ સમુદ્રને   
પાર કરી ગયા એમાં કાંઇ ખાસ આશ્ચર્ય નથી 
  
દુર્ગમ કાજ જગત કે જે તે ,  
સુગમ અનુગ્રહ તુમ્હરે તે તે ।। 
હે કેસરી નંદન સંસારમાં જે કઠિન કાર્ય છે તે   
આપની કૃપાથી સરળ બની જાય છે. 
 
 
રામ દુઆરે તુમ રખવારે ,  
હોત ન આજ્ઞા બિનુ પૈસારે । 
આપ શ્રીરામના દ્વારપાળ છો ,  આપની આજ્ઞા   
વિના કોઇ અંદર પ્રવેશ કરી શકતો નથી. 
  
સબ સુખ લહૈ તુમ્હારી સરના ,  
તુમ રક્ષક કાહુ કો ડરના ।। 
આપની શરણ જે કોઇ આવે છે એ  
બધા આનંદ સુખ પ્રાપ્ત કરે છે.   
તમે અમારા રક્ષક છો તેથી અમને કોઇ જ ડર નથી 
  
આપન તેજ સમ્હારો આપૈ ,  
તીનોં લોક હાંક તે કાંપૈ । 
હે અંજની પુત્ર ! આપ જ આપનું તેજ સહન કરી શકો છો.   
આપના હુંકારથી ત્રણેય લોક કાંપવા લાગે છે. 
  
ભૂત પિસાચ નિકટ નહીં આવૈ ,  
મહાબીર જબ નામ સુનાવૈ ।। 
ભક્તજન જ્યારે આપના નામનું રટન કરે છે ,  
ત્યારે ભૂત - પ્રેત એમની પાસે આવતા નથી. 
 
 
નાસૈ રોગ હરૈ સબ પીરા ,  
જપત નિરંતર હનુમંત બીરા । 
હે કેશરી નંદન ! આપનું નામ સતત  
જપનારના બધા રોગો દૂર થઇ જાય છે   
અને તેની બધી પીડા દૂર થઇ જાય છે. 
  
  સંકટ તે   હનુમાન   છુડાવૈ ,  
મન કર્મ બચન ધ્યાન જો લાવે ।। 
હે અંજની પુત્ર ! જે ભક્ત મન ,  વાણી અને કર્મથી 
આપનું એક ચિત્તે ધ્યાન કરે છે , 
  એને આપ બધી વિપત્તિથી બચાવો છો. 
  
સબ પર રામ તપસ્વી રાજા , 
  તિન કે કાજ સકલ તુમ સાજા । 
સર્વોપરી રાજા શ્રીરામ એક શ્રેષ્ઠ તપસ્વી રાજા છે ,  
તેમના કાર્ય સફળ કરવામાં આપે ઘણું યોગદાન આપ્યું છે. 
  
ઔર મનોરથ જો કોઇ લાવૈ ,  
સોઇ અમિત જીવન ફલ પાવૈ । 
હે કેશરી નંદન ! આપની સમક્ષ  
મનોરથ લઇને જે કોઇ વ્યક્તિ આવે છે   
તેના આ જીવનમાં બધા જ મનોરથ પૂર્ણ થાય છે. 
 
 
ચારોં જુગ પરતાપ તુમ્હારા ,  
હૈ પરસિદ્ધિ જગત ઉજિયારા । 
આપનો પ્રતાપ ચારે યુગમાં પ્રસિદ્ધ છે.   
વિશ્વમાં આપની કીર્તિ ,  યશ પ્રકાશમાન છે. 
  
સાધુ સંત કે તુમ રખવારે ,  
અસુર નિકંદન રામ દુલારે ।। 
સાધુ ,  સંતના આપ રક્ષક છો ,  
આપ રાક્ષસોના સંહાર કરનાર છો   
અને આપ શ્રીરામને અતિ પ્રિય છો 
  
અષ્ટ સિધ્ધ નવ નિધિ કે દાતા ,  
અસ વર દીન જાનકી માતા । 
સીતામૈયાયે આપને વરદાન આપ્યું છે કે આપ અષ્ટસિધ્ધિ અને   
નવનિધિ ચાહો એને પ્રદાન કરી શકો. 
  
રામ રસાયન તુમ્હારે પાસા ,  
સદા રહો રઘુપતિ તે દાસા ।। 
હે બજરંગબલી ! “શ્રીરામ” નામરૂપી 
  રસાયણ આપની પાસે છે.  
આપ સદાય શ્રીરામની સેવામાં તત્પર રહો છો. 
 
 
તુમ્હારે ભજન રામકો પાવૈ ,  
જનમ જનમકે દુઃખ બિસરાવૈ । 
આપનું ભજન કરનારને શ્રીરામનું  
દર્શન થાય છે. અને   
તેના જન્મ જન્માંતરના દુઃખો 
  કાયમ માટે નષ્ટ થઇ જાય છે.
  
અંતકાલ રઘુબર પુર જાઇ ,  
જહાં જનમ હરિભક્ત કહાઇ ।। 
તે અંતકાળે સાકેત ધામમાં જાય છે.  
કદાચ મૃત્યુલોકમાં જન્મે   
તો તેને શ્રીહરિના ભક્ત તરીકે પ્રસિદ્ધિ મળે છે. 
  
ઔર દેવતા ચિત્ત ન ધરઇ ,  
હનુમંત સેઇ સર્વ સુખ કરઇ । 
જે ભક્ત અન્ય દેવતાઓનું  
હ્રદયમાં સ્થાન ન રાખી   
શ્રી   હનુમાનજી સેવા કરે તો તે  
સર્વ સુખ સંપન્ન થાય છે. 
 
 
સંકટ કટે મિટૈ સબ પિરા ,  જો  
સુમિરૈ હનુમંત બલબીરા ।। 
અતિ બળવાન વીર બજરંગબલીનું 
  જે સ્મરણ કરે છે  
તેના બધા સંકટો દૂર થાય છે. 
  
જૈ જૈ જૈ   હનુમાન   ગૌસાંઇ ,  
કૃપા કરહુ ગુરૂ દેવકી નાઇ । 
શ્રી   હનુમાનજી આપનો જય જયકાર હો ,  
આપ મારા પરમ કૃપાળુ ગુરૂદેવની જેમ કૃપા કરો. 
  
જો સતબાર પાઠ કર કોઇ ,  
છુટહી બંદિ મહા સુખ હોઇ ।। 
જે કોઇ વ્યક્તિ   હનુમાન   ચાલીસા નો સો
વખત   
પાઠ કરશે તે સર્વ બંધનમાંથી  
મુક્તિ પામશે અને પરમ સુખને પામશે. 
 
 
જો યહ પઢૈ   હનુમાન   ચાલીસા ,  
હોય સિદ્ધિ સાખી ગૌરીસા । 
જે ભક્ત “હનુમાન   ચાલીસા”નો નિત્ય પાઠ કરશે   
તેને ચોક્કસ સફળતા મળશે.  
આના સાક્ષાત્ ભગવાન શંકર સાક્ષી છે. 
  
    તુલસીદાસ સદા
હરિ ચેરા ,  
કીજૈ નાથ હ્રદય મહં ડેરા ।। 
સંતશ્રી તુલસીદાસજી કહે છે કે ,  
“ સદા સર્વદા હું શ્રી   હનુમાનજીનો
સેવક છું 
  હે નાથ આપ મારા હ્રદયમાં નિત્ય
બિરાજો” 
  
।।   દોહા ।। 
પવન તનય સંકટ હરન ,  મંગલ મૂર્તિ
રૂપ ।   
રામ લખન સીતા સહિત ,  હ્રદય બસહુ
સૂર ભૂપ ।। 
હે પવન પુત્ર   હનુમાનજી ,  સર્વ સંકટોનો
નાશ કરનારા ,  
આપ મંગલમૂર્તિ રૂપ છો. આપ શ્રીરામ ,  લક્ષ્મણ અને   
સીતા મૈયા સહિત અમારા હ્રદયમાં નિત્ય બિરાજો. 
 
હનુમાનજી નો આ પાઠ કરવાથી નકારત્મક ઉર્જા સામે રક્ષણ મળે છે👇👇👇 
 
Hanuman Chalisa Gujarati 
 
દરરોજ સવારે હનુમાનજીના આ મંત્ર એક માળા કરો સવૅ કષ્ટ માંથી મુક્તિ મળે ગુજરાતી લખાણ સાથે 
 
હનુમાનજી રામ નામથી શરૂ થતો સ્ત્રોત છે દરેક કામમાં રક્ષણ આપે 👇👇👇