રવિવાર, 30 જાન્યુઆરી, 2022

70 વષૅ પછી બની રહ્યો છે સોમવતી ભોમવતી અમાસ નો શુભ સંયોગ કરો નાનકડા 7 ઉપાય | Posh Amavasya 2022 Upay Gujarati | Okhaharan

70 વષૅ પછી બની રહ્યો છે સોમવતી ભોમવતી અમાસ નો શુભ સંયોગ કરો નાનકડા 7 ઉપાય | Posh Amavasya 2022 Upay Gujarati | Okhaharan

 
Posh-Amavasya-2022-Upay-Gujarati
Posh-Amavasya-2022-Upay-Gujarati

 

શ્રી ગણેશાય નમઃ મિત્રો સ્વાગત છે તમારૂ આજે આપણે ગુજરાતી ભક્તિ લેખમાં જાણીશું 70 વષૅ પછી બની રહ્યો છે સોમવતી ભોમવતી અમાસ નો શુભ સંયોગ કરો નાનકડા 7 ઉપાયકરવાથી સવૅ દેવ પ્રસન્ન થાય સાથે પિતૃદેવ ખુશ થાય.

11 વષૅ પછી સવૅ પિતૃ અમાવસ્યા એક ખાસ યોગ કરો આ ઉપાય પિતૃ તૃપ્ત થશે અહી ક્લિક કરો.


અમાસ તિથિ ની

શરૂઆત 31 જાન્યુઆરી 2022 સોમવારે બપોરે 2:16 મિનિટ

સમાપ્ત 1 ફ્રેબુઆરી 2022 મંગળવારે સવારે 11:35 મિનિટ

આમ સોમવારે એટલે સોમવતી અમાસ અને મંગળવાર એટલે ભોમવતી અમાસ પંચાગ ભેદ હોવાથી બે દિવસ અમાસ રહેશે આવુ 70 વષૅ પછી બની રહ્યુ છે


આખા વષૅ 12 અમાસ આવે છે એમાં પણ શ્રાદ્રા પક્ષની અને સોમવાર , મંગળવાર અને શનિવારે આવતી અમાસ નુ મહત્વ વઘારે હોય છે. સોમવાર અમાસ એટલે સોમવતી અને મંગળવાર અમાસ એટલે ભોમવતી અમાસ અમાસ પુણ્ય મેળવાનો સૌથી ઉત્તમ યોગ છે. 

 
અમાસ ની તિથિ ના દિવસે શિવલિંગ નું પુજન કરવાનું ઘણુ મહત્વ છે. આ દિવસે મંદિરમાં કરેલ ગૃપ્તદાન વધારે પુણ્ય આપનારૂ છે. આ સોમવતી અમાસ ના દિવસે શિવજીનું મૌન વ્રત કરવાનો મહિમા છે. આખો દિવસ કોઈની પણ જોડે વાત ના કરવી તથા મનમાં ૐ નમઃ શિવાય નો મંત્ર જાપ કરવો .

દરરોજ સવારે કરો શિવજીના આ 5 મંત્ર  શિવજી ની કૃપા હંમેશ માટે રેહશે અહી ક્લિક કરો.


અમાસ ની તિથિ ના દિવસે હનુમાનજી સાખથે જગત ના પાલનહાર શ્રી વિષ્ણું ભગવાન નું પુજન થાય છે. આ દિવસે હનુમાનજી નો સૌથી ચમત્કારીક પાઠ એટલે સુંદરકાંડ કરવાથી હનુમાનજી સવૅ રીતે ભક્તોની જોડે રહે છે. આ દિવસે વિષ્ણુ પુજન માટે સવારે પીપળા વૃક્ષ પર જળ, કાચું દુઘ પછી જળ ચડાવાથી શ્રી હરિ પ્રસન્ન થાય છે.

પરમ પુજય અશ્ર્વિન પાઠક ના સ્વરે સુંદરકાંડ નો પાઠ અહી ક્લિક કરો. 

ગીતાજી માં કહેલા શ્રી વિષ્ણુ ભગવાન ૧૦૮ નામ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.


અમાસના દિવસે સવારે સૂયૅદય પહેલાં જ સ્નાન કર્યા પછી સૂર્યદેવને જળ ચઢાવો અને ઓમ સૂર્યાય નમઃ મંત્રનો જાપ કરો. જળની અંદર કંકુ વારા ચોખા અને ખાસ લાલ ફુલ ઉમેરો. જરૂરિયાતમંદ લોકોને ધન અને અનાજનું દાન કરો. કોઈ મંદિરમાં પૂજન સામગ્રી ભેટ કરો.


અમાસ તિથિના સ્વામી પિતૃદેવને માનવામાં આવે છે. એટલે અમાસના દિવસે પિતૃઓની તૃપ્તિ માટે તર્પણ, શ્રાદ્ધ કર્મ, પવિત્ર નદીમાં સ્નાન અને દાન-પુણ્ય કરવાનું મહત્ત્વ છે.


અમાસના દિવસ એ પિતૃઓનો દિવસ આ દિવસે બંને સમય સવારે અને સાંજે ઘરમા ધુપ કરો સવારે ઘુપ કરો એ ભગવાન ને અપણૅ છે અને સંઘ્યા સમયે કરો એ પિતૃઓનો અપણૅ છે. જો શક્ય હોય તો ગોબરના છાણા નું દુપ કરો તેમાં ગોળ ,ઘી અને ગુગળ નાખીને ધૂપ અર્પણ કરો. જો શક્ય ના હોય તો એકલું ગુગળ નું પણ ઘુપ કરી શકાય. આમ કરવાથી પિતૃદેવ પ્રસન્ન થાય છે..

સવૅ પિતૃ અમાસ ની વ્રત કથા અહી ક્લિક કરો.


પિતૃઓનો દિવસ આ દિવસે પિતૃઓના નામથી ગુપ્ત ધન દાન અને અનાજનું દાન જરૂર કરો. જેમકે કોઈને જમાડો, બ્રહ્માણને સીઘું દાન કરો. આમ કરવાથી પિતૃદેવ પ્રસન્ન થાય છે.


અમાસના દિવસે પીપળા જળ ચડાવી દિવો કરવો. સવારે કરેલા પુજન જળ પિતૃદેવ તથા ભગવાન ને અપણૅ છે 108 પદક્ષિણા કરો. અને સંઘ્યા સમયે કરેલ પુજન શનિદેવને અપણૅ છે. એ સમયે શનિદેવનો દશનામનો સ્ત્રોત જરૂર કરવો. આમ કરવાથી શનિદોષ ઓછો થાય છે.

 

સવૅ દેવી દેવતાની ચાલીસા સંગ્રહ મોબાઈલ એપ ફી ડાઉનલોડ Make in India અહી ક્લિક કરો. 

 

જય શ્રી કૃષ્ણ  રુદ્રાભિષેક ,  લઘુરુદ્ર યજ્ઞ,મહારૂદ્રયજ્ઞ, ગૃહવાસ્તુ પુજન, નવગ્રહ શાંતિ , નવગ્રહ મંત્ર જાપ , કાલસપૅ દોષ , ચાંડાલ દોષ, અંગારક દોષ વગેરે જન્મ કુંડળી ના દરેક દોષોનું નિવારણ , નવચંડી યજ્ઞ, શતચંડી યજ્ઞ, પ્રાણપતિષ્ઠા વિધિ, કરનાર. તેમજ  આ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇