ગુરુવાર, 22 ફેબ્રુઆરી, 2024

માં મોગલ ભગુડાધામ નો ઈતિહાસ ગુજરાતી કથા | Maa Mogal Bhagudadhan History Gujarati Katha | #Okhaharan

માં મોગલ ભગુડાધામ નો ઈતિહાસ ગુજરાતી કથા | Maa Mogal Bhagudadhan History Gujarati Katha | #Okhaharan

mogal-dham-history-gujarati-katha-bhagudadham
mogal-dham-history-gujarati-katha-bhagudadham

 સ્વાગત છે તમારૂ આજના આવો સત્સંગ માઁ ભક્તિ લેખમાં આજે આપણે જાણીશું મહુવાના ભગુડાનું મોગલધામ મંદિર નો ઈતિહાસ. આની પાછળ બે દંતકથાઓ જોડાયેલી છે એક કથા ધાર્મિક અને બીજી ઐતિહાસિક છે. 

 

મા મોગલ ધાર્મિક માહાત્મ્ય કથા 


મા મોગલ ઐતિહાસિક દંત કથા અને માહાત્મ્ય: 

મા મોગલ ભગુડાઘામમાં માં શા માટે બિરાજે છે તેની પાછળ પણ એક દંતકથા જોડાયેલી છે. અહીં મુખ્ય બે સમાજના લોકો રહે છે એક આહીરો અને એક ચારણો અન્ય માલધારી જ્ઞાતિ સાથે રહેતી હતી. આ લોકો એકબીજાનાં બઘા સુખ-દુઃખમાં ભાગીદાર થતા અને સાથે રહેતા હતાં. ભગુડાના નેસમાં રહેતા કામળિયા આહીરના એક માજીને તેની બહેન જેવા ચારણ બાઈએ કાપડામાં આઈ મોગલ ભેટમાં આપ્યા.


 ગીતાજી માં કહેલા શ્રી વિષ્ણુ ભગવાન ૧૦૮ નામ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.   


કાપડામાં મા મોગલ દેતાં કહ્યું કે ગીરમાં તમામ માલધારીઓનાં દુઃખ આ દેવી માતાએ હર્યાં છે. આથી તું પણ તામારા નેસમાં જઈ આ આઈ દેવીનું સ્થાપન કરજે પછી જોજો તારા નેસડામાં કોઈ પ્રકાર દુઃખ કે મેલી વિઘા ડોકાચયું પણ નહી કરી શકે.આ પછી આહીરના સમાજના  માજીએ ભગુડામાં આઈ મોગલનું સ્થાપન કર્યું. કાપડે આવેલી મા મોગલે સમગ્ર આહીર સમાજનાં દુઃખ દૂર કર્યાં. આ સમયથી જ ચારણો પછી આહીરો પણ મોગલને કુળદેવી તરીકે પૂજાય તથા માનવામાં આવે છે. 

ૐ મોગલ માતાયૈ નમઃ

 

આ દ્રાપર યુગ ની વાત છે જયારે યુદ્ર્દ પહેલા પાંડવો, દ્રોપદી અને શ્રીકૃષ્ણ ચર્ચા-વિચારણા કરી રહ્યા હતા. આ સમયે દ્રોપદીએ પોતાનું વિચાર રજૂ કર્યું. દ્રોપદીનું આ વિચાર સાંભળીને ભીમથી હસવું રોકાયું નહી. શ્રી કૃષ્ણએ ભીમને આમ દ્રોપદીની વાત પર હાસ્ય ન કરવા સમજાવ્યા. કૃષ્ણે સાથે-સાથે ધ્યાન પણ દોર્યું કે તમે આમ કરીને અજાણતા પણ આદી શક્તિનું અપમાન કરી રહ્યા છો. દ્રોપદીને ઓળખવા ઈચ્છતા હોય તો મધ્યરાત્રીએ સ્નાન કરવા સરોવરે જાય ત્યારે તમે સંતાઈને તેની પાછળ જોજો.

 

કૃષ્ણે સાથે-સાથે એક વાતનું ધ્યાન રાખવાનું પણ કહી કહ્યું કે તમને જ્યારે અવાજ સંભળાય ત્યારે તમારી જે મનની ઈચ્છતા હોય તે માગી લેજો. તમે ત્યારે કહેશો કે પાંડવ, કુંતા અને નારાયણ તારા ખપ્પરમાં નહીં પણ બાકી બધા તારા ખપ્પરમાં. આમ આટલું કહ્યા પછી તરત પાણીમાં સો જોજન દૂર જતો રહેજે.


   કજૅ ઋણ માંથી મુક્તિ મેળવવા શ્રી વિષ્ણુ ભગવાન નો આ પાઠ કરો 


જોકે એ રાત્રે ત્યાં ભીમસેન જે જોયું તેનાથી તે ભયભીત થઈ ગયો. તેઓ સ્નાન કરવા આવેલા દ્રોપદીને સંતાઈને જોવા લાગ્યા. દ્રોપદીએ અચાનક દેવી જોગમાયાનું રૂપ ધારણ કરી લીધું અને દસે દિશામાં તેમની ત્રાડો સંભળાવા લાગી. ત્રાડ નાખતા દ્રોપદીએ કહ્યું કે જે અહીં ઉપસ્થિત હોય તે જે માગવું હોય તે માગી લો. ભીમ પહેલાં તો જોગમાયાના રૂપમાં દ્રોપદીને જોઈ ડરી ગયા પણ તરત સ્વસ્થતા કેળવી અને કૃષ્ણે કહેલા શબ્દો યાદ કર્યાં અને વરદાન માગી લેતા જોગમાયાએ તથાસ્થુ કહ્યું. આ સાથે જ ભીમ તરત પાણીમાં ડૂબકી મારીને પાણીમાં સો જોજન દૂર ચાલ્યા જાય છે. જોગમાયાના ના મુખમાંથી અગ્નિવર્ષા થઈ અને સો જોજન સુધી પાણી ગરમ થઈને ઉકળી ઊઠ્યું. જેના મોંમાંથી અગ્નિવર્ષા થઈ તે એટલે ભગુડાનું મોગલ માં.

 """ શ્રી વિષ્ણુ સ્તુતિ """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

 

 """ શ્રી વિષ્ણ્વષ્ટકમ્   """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.   


દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી અહી ક્લિક કરો.  

  

 શ્રી હનુમાન દાદા નો આ પાઠ ચુડેલ મેલી ડાકાણ જિન સામે રક્ષણ મળે છે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

 

શ્રી હનુમાન દાદા નો "" વડવાનલ સ્ત્રોત ""  નો પાઠ  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

શ્રી "" દેવીકવચ "" ગુજરાતી ભાષાંતર સાથે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 

 સંઘ્યા સમયે એકવાર પાઠ કરો આ ""સ્તોત્ર દેવી"" ની કૃપા રહેશે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 

 રાત્રે એકવાર "" શ્રી મહાલક્ષ્મી"" ની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો

 

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission. 

 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇