ગુરુવાર, 22 એપ્રિલ, 2021

કામદા એકાદશી વ્રત કથા વાંચવા માત્રથી કુયોનિ માંથી મુક્તિ મળે છે | Kamada Ekadashi Vrat Katha Gujarati | Okhaharan

કામદા  એકાદશી વ્રત કથા વાંચવા માત્રથી કુયોનિ માંથી મુક્તિ મળે છે | Kamada Ekadashi Vrat Katha Gujarati | Okhaharan

 
Kamada-Ekadashi-Vrat-Katha-Gujarati
Kamada-Ekadashi-Vrat-Katha-Gujarati

 


આજે આ ગુજરાતી ભકતિ લેખમાં ચૈત્ર માસની શુક્લ પક્ષની એકાદશી એટલે કામદા એકાદશી  કથા ગુજરાતી લખાણ સાથે

 આ વષે 2024 ની કામદા એકાદશીની શરૂઆત
શરૂઆત 18 એપ્રિલ 2024 ગુરૂવાર સાંજે 5:31 મિનિટ
એકાદશી તિથિ સમાપ્તિ 19 એપ્રિલ 2024 શુક્રવાર સવારે 8:04 મિનિટ
ઉપવાસ  સૂયૅદય શરૂ થતો કરવો જોઈએ માટે ઉપવાસ  19 એપ્રિલ 2024 શુક્રવારકરવો
19 એપ્રિલ 2024  પુજન નો શુભ સમય સવારે 6:06 થી 10:38 સુધી છે
પારણા નો સમય 20 એપ્રિલ 2024 શનિવાર બપોરે 5:50 થી 8:26 સુધી નો છે.

 કામદા એકાદશી ની કથા

ધમૅરાજા યુધિષ્ઠિર બોલ્યા હે ભગવાન તમને કોટી કોટી પ્રણામ હું તમને પ્રાથના કરૂં છું કે એ કૃપા કરી ચૈત્ર માસની શુક્લ પક્ષની એકાદશી નું વણૅન કરો.

એકાદશી ના દિવસે નારાયણ નો આ કવચ નો પાઠ કરવાથી તમામ પ્રકારના ભય માંથી મુક્તિ મળે છે અહી ક્લિક કરો. 

ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા : હે રાજન તમે એક પ્રાચીન વાત સાંભળો જે વશિષ્ટજીએ દિલીપને કહી હતી. રાજા દિલીપ એ પુછ્યુ : હે ગુરુદેવ ચૈત્ર મહિનાની શુક્લ પક્ષની એકાદશી નું નામ શું છે? તેમાં ક્યાં દેવની પુજા થાય છે.? તે બંધુ વિસ્તાર પૂવૅક કહો. મહષિ વશિષ્ઠજી બોલ્યા : હે રાજન ચૈત્ર મહિનાની શુક્લ પક્ષની એકાદશી નું નામ કામદા એકાદશી છે. તે બધા પાપો ને નષ્ટ કરે છે. તેના પુષ્પ પ્રભાવથી સમસ્ત પાપ નષ્ટ થઈ પુત્ર પ્રાપ્તિ થાય છે. આ વ્રતથી કુયોની છૂટી જાય છે. અને અંતમાં સ્વર્ગ ની પ્રાપ્તિ થાય છે. હવે હું આનુ માહાત્મ્ય કહું છું તે ધ્યાન પૂર્વક સાંભળો.


પ્રાચીન કાળમાં ભોગીપૂર નામનું એક નગર હતું. ત્યાં અનેક ઐશ્વર્યા યુક્ત પુંડરિક નામનો રાજા રાજ કરતો હતો. ત્યાં અનેક અપ્સરાઓ ગંધર્વ, કિન્નર, આદિ વાસ કરતા હતા. એ જગ્યાએ લલિતા અને લલિત નામના સ્ત્રી પુરુષ અંત્યંત વૈભવ વાળી ધરમાં નિવાસ કરતા હતા. તે બંને એકબીજાને ખૂબ પ્રેમ કરતાં હતાં. અને અલગ થતાં વ્યાકુળ થઇ જતાં.

 

શ્રી લક્ષ્મીનારાયણ દેવ આ પાઠ કરવાથી તમામ પાપોમાંથી મુક્તિ થઈ વિષ્ણુ લોક પ્રાપ્તિ થાય છે અહી ક્લિક કરો.

 

એક સમયે રાજા પુંડરિક ગંધર્વ સહિત સભામાં શોભાયમાન હતા. ત્યાં લલિત ગંધર્વ પણ એમની સાથે ગીત ગાતો હતો. તેની પ્રિયતમા એ જગ્યાએ ન હતી તેથી તેની યાદમાં અશુદ્ધ ગીત ગવાય લાગ્યો. નાગરાજ કકોટકે રાજા પુંડરિક ને આપી ફરીયાદ કરી તેથી રાજા પુંડરિક શાપ દીધો કે હે દુષ્ટ તું સામે ગાય છે તો પણ તારી સ્ત્રીનું સ્મરણ કરે છે. તેથી તું કાચું માંસ અને મનુષ્યો ને ખાનાર રાક્ષસ થશે. તું મહાપાપી છે. હવે તું તારા કમૅનુ ફળ ભોગવ. રાજા પુંડરિક ના શાપથી તે લલિત ગંધવૅ તે જ સમયે એક વિકરાળ રાક્ષસ બની ગયો તેનું મુખ ભયાનક થઈ ગયું. તેના નેત્ર સૂર્ય ચંદ્ર સમાન પ્રદીપ્ત થવા લાગ્યા. મોંમાંથી અગ્રિ નીકળવા લાગ્યા. તેના મસ્તક પરના વાળ પવૅત પર ઉગેલા વૃક્ષની જેમ લાગતા હતા. તેની બંને ભુજાઓ બે બે યોજના લાંબી થઈ ગઈ. તેનું શરીર આઠ યોજના થઈ ગયું. રાક્ષસ થઈ જવાથી તેને મહાન દુ:ખ મળવા લાગ્યુ અને તે પોતાના કમૅનુ ફળ ભોગવવા લાગ્યો.


જ્યારે લલિતાએ પોતાના પ્રિયતમ લલિતના આવા હાલ જાણ્યા તો તે ખૂબ દુ:ખી થઈ તે સદૈવ પોતાના પતિના ઉદ્રાર માટે વિચારવા લાગી કે : હું ક્યાં જાઉં અને શું કરૂં? આ બાજુ તે રાક્ષસ ધોર વનમાં રહેવા લાગ્યો. અને અનેક પ્રકાર ના પાપ કરવા લાગ્યો. તેની સ્ત્રી  લલિતા પણ તેની પાછળ પાછળ જતી અને વિલાપ કરતી. એક દિવસ પોતાના પતિની પાછળ ફરતાં ફરતાં વિંધ્યાચળ પવૅત ચાલી ગઈ. ત્યાં તેણે શૃંગી ઋષિનો આશ્રમ જોઈ તે આશ્રમમાં જઈ ઋષિના સન્મુખ જઈને પ્રણામ કરવા લાગી. 

 

એકાદશી ની શ્રી જગત ના પાલનહાર વિષ્ણુ ભગવાન પુજન વિધી વાંચવા અહીં ક્લિક કરો


એ સમયે તેને આશ્રમમાં જોઈ શૃંગી ઋષિનો બોલ્યા : હે સુભગે તું કોણ છે અને અહીં શા માટે આવી છે.?

લલિતા બોલી : હે મુની હું વીરધન્યા નામક ગંધવૅની કન્યા લલિતા છું. મારા પતિ રાજા પુંડરિક ના શાપથી એક ભયાનક રાક્ષસ થઈ ગયા છે. તેનાથી મને ખૂબ દુ:ખ થાય છે. તમે તેને રાક્ષસ યોનિમાંથી છૂટવાનો કોઈ ઉપાય બતાવો.


ત્યારે શૃંગી ઋષિ બોલ્યા : હે ગંધવૅ કન્યા લલિતા તું ચૈત્ર મહિનાની શુક્લ પક્ષની એકાદશી જેનું નામ કામદા એકાદશી છે. તેનું વ્રત કરવાથી મનુષ્ય ના સમસ્ત કાયૅ શીધ્ર જ સિદ્ધ થઈ જાય છે. જો તું આ વ્રત પુણ્ય પોતાના પતિ ને આપશે તો તે શીધ્ર જ રાક્ષસ યોનિથી છૂટી જશે. અને રાજાનો શાપ શાંત થઈ જશે.

મુનિના આવાં વચન સાંભળી લલિતાએ આનંદપૂર્વક તે વ્રત કર્યું અને દ્રાદશીના દિવસે બ્રાહ્મણો ની સામે તે વ્રત નું ફળ પોતાના પતિને આપ્યું અને ભગવાનને પ્રાર્થના કરવા લાગી. હે પ્રભુ જે મેં આ વ્રત કર્યું છે તેનું ફળ મારા પતિને મળે જેથી તેની રાક્ષસ યોની શીધ્ર જ છૂટી જાય.

Vishnu-Sahastra-Path-In-Gujarati-Lyrics

એકાદશી નું ફળ દેતા તેનો પતિ રાક્ષસ યોનીમાંથી છૂટીને પોતાના મૂળ સ્વરૂપ માં આવી ગયો.તે અનેક સુંદર વસ્ત્રો અને આભૂષણો થી અલંકૃત થઈને પહેલા ના જેમ લલિતા ની સાથે વિહાર કરવા લાગ્યો. કામદા એકાદશી ના પ્રભાવ થી તે વધુ સુંદર થઈ ગયો. તેઓ પુષ્પક વિમાનમાં બેસી સ્વર્ગલોક ચાલ્યાં ગયાં.


એકાદશી ના કેટલાક નિમ્નલિખિત કયો ના કરવા જોઈએ તે વાંચવા અહીં ક્લિક કરો

ગીતાજીમાં કહેલા શ્રી કૃષ્ણ ભગવાનના 108 નામ ગુજરાતી લખાણ સાથે 

  


In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission.

 

એકાદશી ના દિવસે ગીતાજી નો આ સ્ત્રોત કર

વાથી જ્ઞાન સિદ્ધિ મેળવી ને પરમ પદ પામે છે


શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય માહાત્મ્ય કથા | Geeta Adhyay   


રાત્રે એકવાર શ્રી મહાલક્ષ્મીની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો

 

હનુમાનજી રામ નામથી શરૂ થતો સ્ત્રોત છે દરેક કામમાં રક્ષણ આપે 

 

વાંચો "" હનુમાનજી વડવાનલ સ્ત્રોત ""  

  

શ્રી લક્ષ્મીનારાયણ દેવ આ પાઠ કરવાથી તમામ પાપોમાંથી મુક્તિ થઈ વિષ્ણુ લોક પ્રાપ્તિ થાય છે  

 


 શુભ દિવસે શ્રી મહાલક્ષ્મી માં ના ૧૦૮ નામ જાપ 


  """ શ્રી વિષ્ણ્વષ્ટકમ્   """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.   


દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી અહી ક્લિક કરો.  

 

શ્રી હનુમાન દાદા નો આ પાઠ ચુડેલ મેલી ડાકાણ જિન સામે રક્ષણ મળે છે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

 

 રાત્રે એકવાર "" શ્રી મહાલક્ષ્મી"" ની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો

 

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission.

 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

નવરાત્રી દરમિયાન ફેસબુક પર આ ફોટો બવ વાઈરલ થયો જાણો શું છે સત્ય હકીકત. Pisarikkal Bhagavathi Temple -Okha Haran

નવરાત્રી દરમિયાન ફેસબુક પર આ ફોટો બવ વાઈરલ થયો જાણો શું છે સત્ય હકીકત. Pisarikkal Bhagavathi Temple -Okha Haran

pisarikkal-bhagavathi-temple
pisarikkal-bhagavathi-temple


આ નવરાત્રીમાં ફેસબુક પર આ ફોટો બવ વાઈરલ જાણો સત્ય હકીહત શું છે.

નવરાત્રી એ જગત જનની માં અંબા ના અલગ અલગ સ્વરુપ નું પુજન અને ભકતિ કરવાનો સવૅ શ્રેષ્ઠ સમય છે. આજે આ ગુજરાતી ભકતિ લેખમાં જાણીશું ફેસબુક પર આ ફોટો બવ વાઈરલ જાણો સત્ય હકીહત શું છે



આ મંદિર કેરલ રાજ્યના ચાલકુડીમાં ના પિશરીક્કલ  ગામે આવેલ છે.  ચાલકુડી લગભગ 50 કિલોમીટરના અંતરે આ મંદિર આવેલ છે.  ચાલકુડી થી પિશરીક્કલ  જવા માટે ગાડી, બસ, અને સરકારી વાહન પણ મળે છે.  પિશરીક્કલ ભગવથયથી મંદિર લગભગ હજાર વર્ષ જૂનું છે. આ મંદિર કેરલ ના તીથૅ મંદિરમાં સામેલ છે. આ તીર્થ ને અલગથી તેમના 108 દુર્ગા મંદિરોની યાદીમાં સામેલ છે.. આ મંદિર કુદરતી સાનીઘ્ય એટલે બરાબર ઝરળા જોડે આ આવેલ છે એવું લાગતું હોય જળદેવ તેમનો અભિષેક કરતા હોય.તથા આ મંદિર સંપૂર્ણ રીતે દૈવીય આભાથી દરેક જગ્યાએથી ઘેરાયેલું છે. આ મંદિરમાં ખાસયિત મુજબ વાનદુર્ગા અને ભગવતીની બે મુખ્ય મૂર્તિઓ તેમને આસ્થા રાખે છે. બધા ભક્તો તેમને ભદ્રકાળી અમ્મન પણ કહે છે. માં શક્તિના મંદિરમાં ભક્ત દરેક મનોકામના પૂણૅ કરે છે. દરેક ભકત સારા સ્વાસ્થ્ય, જ્ઞાન , સમૃદ્ધિ, અને શાંતિની ઇચ્છાથી અહીં આવે છે.


માં રુપ નું વણૅન

અહી ઝરણા નજીક આવેલ મુખ્ય મૂર્તિના હાથની 16 ભુજાઓ અસ્ત્ર શસ્ત્રથી શોભે છે. શંખ અને ચક્ર,ગદા,તલવાર, બાણ, ફરસી, વગેરે છે. જયાં શકતિ હોય ત્યાં શિવ હોય જ અને ગણપતિની મૂર્તિઓ પણ સ્થાપિત છે. માર્ચ-એપ્રિલ માં આવતી ચૈત્ર નવરાત્રીમાં તહેવાર મનાવાય છે. તે તહેવાર ને ત્યાં મીનમ નામે ભવ્ય રીતે ઊજવવામાં આવે છે. નવરાત્રી ના આઠમા દિવસે સ્ત્રીઓ તેલના ધીનો દીવા, ફળ , ફૂલ અને લાલ કંકુ તથા હળદરથી દેવીની પૂજા કરે છે. આ સિવાય અહીં નવરાત્રિના અવસરે વિશેષ પૂજાનું આયોજન કરવામાં આવે છે. આ મંદિર મા દશૅન નો સમય નકકી કરેલ છે. સવારે 4 થી સાંજે 5 વાગ્યા સધી જ દર્શન કરી શકાય છે.


માં ના આશીવાદ રુપે પ્રસાદ આપવામાં આવે છે.

વષો પહેલાં એક પ્રસિદ્ધ સંતે પોતાની તપ અને સિદ્ધિથી માં સમર્પિત કરી દીધી હતી, જેનાથી સાપના ઝેરની અસર દૂર થઈ જતી હતી. આ કારણે આ વિષ હરિક્કમ અમ્માના નામે પણ ઓળખવામાં આવે છે. જે પછી બદલાઈને પિસરિક્કલ થઇ ગયું. હાલ પણ અહીંના પ્રસાદનો ઉપયોગ દવા સ્વરૂપમાં કરવામાં આવે છે. 


લેખ સારો લાગ્યો હોય તો મિત્રો સાથે શેર કરો 

 

દરરોજ આવા લેખ વાંચવા અમારો બોલ્ગ ફોલો કરો 

અમારી સાથે સોસીયલ મીડિયા માં જોડાવો  👇👇👇

 

 

  

 navratri-remedies-to-fullfill-all-wish-gujarati 

  Khodiyar chalisa Gujarati