ગુરુવાર, 24 માર્ચ, 2022

પાપમોચિની એકાદશી વ્રત કથા વાંચવા માત્રથી પિસાચયોનિ માંથી મુક્તિ મળે છે. | Papmochani Ekadashi Vrat Katha Gujarati Ma | Okhaharan

પાપમોચિની એકાદશી વ્રત કથા વાંચવા માત્રથી પિસાચયોનિ માંથી મુક્તિ મળે છે. | Papmochani Ekadashi Vrat Katha Gujarati Ma | Okhaharan

Papmochani-Ekadashi-Vrat-Katha-Gujarati
Papmochani-Ekadashi-Vrat-Katha-Gujarati

 

શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખ માં આજે આપણે જાણીએ ફાગણ માસની વદ પક્ષની  પાપમોચિની  એકાદશી વ્રત કથા ગુજરાતીમાં. આ પાપમોચિની એકાદશી દિવસે જગત ના પાલનહાર શ્રી વિષ્ણુ ભગવાન ના ચતુર્ભુજ સ્વરૂપ નું પુજન કરવામાં આવે છે.


એકાદશી ના દિવસે નારાયણ નો આ કવચ નો પાઠ કરવાથી તમામ પ્રકારના ભય માંથી મુક્તિ મળે છે અહી ક્લિક કરો.

આ વષે 2023 ની પાપમોચિની એકાદશીની શરૂઆત
શરૂઆત 17 માર્ચ 2023 શુક્રવાર બપોરે 2:06 મિનિટ
એકાદશી તિથિ સમાપ્તિ 18 માર્ચ 2023 શનિવાર સવારે 11:13 મિનિટ
ઉપવાસ  સૂયૅદય શરૂ થતો કરવો જોઈએ માટે ઉપવાસ 18 માર્ચ 2023 શનિવાર કરવો
18 માર્ચ 2023 શનિવાર પુજન નો શુભ સમય સવારે 8:17 થી 9:47 સુધી છે
પારણા નો સમય 19 માર્ચ 2023 રવિવાર સવારે 6:44 થી 9:19 સુધી નો છે.

 આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો. 


ફાગણ માસની કૃષ્ણ પક્ષની એકાદશી

ધમૅરાજ યુધિષ્ઠિર બોલ્યા : હે ભગવાન ! મેં ફાગણ માસની  શુક્લ પક્ષની એકાદશી નું માહાત્મ્ય સાંભળ્યું હવે ફાગણ માસની કૃષ્ણ પક્ષની એકાદશી વિશે બતાવો. આ એકાદશી નું નામ શું છે? અને એમાં ક્યાં દેવતાની પૂજા કરવામાં આવે છે તથા તેની વિધિ કઈ છે? તે બંધુ વિસ્તાર પૂવૅક કહો .


શ્રી કૃષ્ણ ભગવાન બોલ્યા : હે રાજન એક સમયે માંધાતાએ લોમસ ઋષિ ને પુછ્યુ : હે મુનિવર ફાગણ માસની કૃષ્ણ પક્ષની એકાદશી નું નામ શું છે? તેની વિધિ કઈ છે? તે વિસ્તાર પૂવૅક કહો ત્યારે લોમસ ઋષિ બોલ્યા હે રાજન ફાગણ માસની કૃષ્ણ પક્ષની એકાદશી નું પાપમોચિની છે તેના વ્રતના પ્રભાવથી મનુષ્ય અનેક પાપ નષ્ટ થાય છે તેની કથા આ પ્રકારે છે.


Vishnu-Sahastra-Path-In-Gujarati-Lyrics 

 
પ્રાચીન કાળમાં ચૈત્રરથ નામનું વન હતું. તેમાં અપ્સરા ઓ નિવાસ કરતી હતી. ત્યાં દરેક સમયે વંસત રેહતો હતો. અથૉત ત્યાં દરેક પ્રકારના પુષ્પ ખીલતા હતા. એ જગ્યાએ ગંધર્વ કન્યાઓ વિહાર કરતી હતી. એ વનમાં ઈન્દ્ર પણ દરેક દેવતાઓએ સાથે ક્રીડા કરતા હતા. એ વનમાં એક મેધાવી નામની મુનિ તપસ્યા કરતા હતા. તે શિવભકત હતા. એક દિવસ મંજુધોષા નામની એક અપ્સરા તેમને મોહિત કરવા માટે સિતાર વગાડીને મધુર ગાવા લાગી તે સમયે શિવના શત્રુ અનંગ પણ શિવભક્ત મેધાવી મુનિને જીતવા માટે તૈયાર થયો કામદેવે એ સુંદર અપ્સરા ની ભ્રમર ધનુષ્ય બનાવ્યું કટાક્ષને એની પ્રત્યંચા દોરી બનાવી આ રીતે કામદેવ પોતાના શત્રુ શિવભક્ત જીતવા તૈયાર થયો.


એ સમયે મેધાવી મુનિ પણ યુવા અને ભ્રષ્ટ પુષ્ટ હતા.એમણે યજ્ઞોપવીત તથા દંડ ધારણ કર્યા હતા.તે બીજા કામદેવ જેવા લાગતા હતાં. એ મુનિને જોઈને કામદેવના વંશના થયેલી મંજુધોષાએ ધીરે ધીરે વાણીથી વાણી પર ગાવાનુ શરૂ કર્યું. મેધાવી મુનિપણ મંજુધોષાના મધુર ગાન અને સૌંદર્ય પર મોહીત થઈ ગયા. તે અપ્સરાએ મુનિને કામદેવથી પીડિત જાણીને એમને આલિંગન કરવા લાગી. તે મુનિને એના સૌદય પર મોહિત થઈ ને શિવ રહસ્ય ભૂલી ગયા અને કામના વશીભૂત થઈને એમની સાથે રમણ કરવા લાગ્યા.


શ્રી લક્ષ્મીનારાયણ દેવ આ પાઠ કરવાથી તમામ પાપોમાંથી મુક્તિ થઈ વિષ્ણુ લોક પ્રાપ્તિ થાય છે અહી ક્લિક કરો.

 એ મુનિ કામના વશીભૂત થવાના કારણે એ સમયે તેમને દિવસ રાત્રીનું કંઈ પણ ધ્યાન ન રહ્યું અને ધણા સમયથી સુધી રમણ કરતા રહ્યા. એક દિવસે મંજુધોષા એ મુનિને કહ્યું હવે મને ધણો સમય થયો છે હવે સ્વર્ગ માં જવાની આજ્ઞા આપો. ત્યારે મુનિ બોલ્યા હે સુંદરી તું તો આજે આ સંધ્યાએ જ આવી છે હમણાં પ્રાંત કાળ સુધી રોકાવ. મુનિના વચન સાંભળી ને અપ્સરા મુનિ સાથે રમણ કરવા લાગી અને ધણો સમય વીત્યો પછી એણે મુનિને કહ્યું હે દેવ હવે તમે મને સ્વર્ગ માં જવાની આજ્ઞા આપો. મુનિ બોલ્યા હજી તો કંઈ સમય થયો નથી હજુ થોડી વારે રોકાવ ત્યારે અપ્સરા બોલી હે મુનિ તમારી રાત્રી ખુબ લાંબી છે. હવે તમે વિચારો કે મને તમારી સાથે આવ્યાને કેટલો સમય થઈ ગયો? અપ્સરા આવા પંચનો સાંભળી મુનિને જ્ઞાન પ્રાપ્ત થયું અને સમયનો વિચાર કરવા લાગ્યા. જ્યારે રમણ કરતા તેનું પરિણામ ૫૭ વષૅ ,૭ માસ , ૩ દિવસ જ્ઞાત થયું તો તે અપ્સરાને કાળીનુ રૂપ સમજવા લાગ્યા. તે ખૂબ ખૂબ ક્રોધિત થયા અને તેને તપ નાશ કરનારી અપ્સરા તરફ જોવા લાગ્યા. તેમના અંદર કાંપવા લાગ્યા અને ઈન્દ્રિયો વ્યાકુળ થવા લાગી. ત્યારે મુનિ તે અપ્સરાને બોલ્યા હે દુષ્ટ મારા તપને નષ્ટ કરનારી તું મહાન પાપી અને દુરાચારી છે તને ધિકકાર છે તું પિશાચિની બન.


એ મુનિના ક્રોધયુકત શાપથી તે અપ્સરા પિશાચિની બની ગઈ ત્યારે તે બોલી હે મુનિ હવે તમે ક્રોધ ત્યાગી ને પ્રસન્ન થાવ અને આ શાપ નું નિવારણ કરો . વિદ્રાનોનુ કહેવું છે કે સાધુઓની સંગત સારૂ ફળ આપે છે. તો મેં તમારી સાથે ધણા વષૅ વ્યાતીત કર્યા છે તેથી તમે મારા પર પ્રસન્ન થઈ જાવ. ત્યારે મુનિ ને થોડી શાંતિ મળી અને તે પિશાચિની કહ્યું હે દુષ્ટ તે મારૂં ખૂબ ખરાબ કર્યું છે તો પણ હું તને શાપથી છૂટવાનો ઉપાય બતાવ્યા છું. ફાગણ માસની કૃષ્ણ પક્ષની જે એકાદશી છે તેનું નામ પાપમોચિની છે તે એકાદશી નું વ્રત કરવાથી તું પિશાચિની દેહથી છૂટી જશે. આ પ્રકારે મુનિ એ તેને સમસ્ત વિધિ બતાવી દીધી અને પોતાના પાપ પ્રાયશ્ચિત માટે પોતાના પિતા ચ્યવન ઋષિ પાસે ગયા. ચ્યવન ઋષિ પોતાના પુત્ર મેધાવી જઈને બોલ્યા હે પુત્ર આ તે શું કર્યું? તારા સમસ્ત તપ નષ્ટ થઈ ગયા . મેધાવી બોલ્યા હે પિતાજી મેં ખૂબ મોટું પાપ કર્યું છે તમે એનાથી છૂટવાનો ઉપાય બતાવો.


એકાદશી ની શ્રી જગત ના પાલનહાર વિષ્ણુ ભગવાન પુજન વિધી વાંચવા અહીં ક્લિક કરો

ચ્યવન ઋષિ બોલ્યા હે તાત તું ફાગણ માસની કૃષ્ણ પક્ષની મોચિની એકાદશી વિધિ તથા ભક્તિપૂર્વક વ્રત કરવાથી આનાથી તારા સમસ્ત પાપ નષ્ટ થઈ જશે. પિતાને વચન સાંભળી મેધાવી ઋષિ એકાદશી નું વિધિપૂર્વક ઉપવાસ કર્યા તેના પ્રભાવથી તેના સમસ્ત પાપ નષ્ટ થઈ ગયા. મંજુધોષા અપ્સરા પણ પાપમોચિની એકાદશી નું વ્રત કરવાથી પિશાચિની દેહમાંથી છૂટી ગઈ અને સુંદર રૂપ ધારણ કરીને સ્વર્ગ લોકમાં ગઈ.



મિત્રો આ હતી પાપમોચિની એકાદશી ની વ્રત કથા ગુજરાતીમાં હું આશા રાખુ આપને પસંદ આવશે માહિતી સારી લાગી હોય તો કોમેન્ટ જય શ્રી કૃષ્ણ જરૂર લખજો.

એકાદશી ના કેટલાક નિમ્નલિખિત કયો ના કરવા જોઈએ તે વાંચવા અહીં ક્લિક કરો

ગીતાજીમાં કહેલા શ્રી કૃષ્ણ ભગવાનના 108 નામ ગુજરાતી લખાણ સાથે 

એકાદશી ના દિવસે ગીતાજી નો આ સ્ત્રોત કરવાથી જ્ઞાન સિદ્ધિ મેળવી ને પરમ પદ પામે છે

શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય માહાત્મ્ય કથા | Geeta Adhyay   

 

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission.

 

  જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

પાપમોચિની એકાદશીની તિથિ માહિતી , માહાત્મય, પુજન વિઘિ | Papmochani Ekadashi 2023 Gujarati | Okhaharan

પાપમોચિની  એકાદશીની તિથિ માહિતી , માહાત્મય, પુજન વિઘિ  | Papmochani Ekadashi  2023 Gujarati | Okhaharan

Papmochani-ekadashi-2023-Gujarati
Papmochani-ekadashi-2022-Gujarati

 

શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખ માં આજે આપણે જાણીએ ફાગણ માસની વદ પક્ષની  પાપમોચિની એકાદશી 17 કે 18 માચૅ?  ઉપવાસ ક્યારે કરવો? પારણા નો સમય શું છે અને કેમ આ એકાદશી ખાસ છે ? આ એકાદશી નું વ્રત કરવાથી શું ફળ મળે છે?

ગીતાજી માં કહેલા શ્રી વિષ્ણુ ભગવાન ૧૦૮ નામ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.    

ૐ નમો ભગવતે વાસુદેવાય

સનાતન ધર્મમાં વેદ અને પુરાણનું એક આગવું મહત્વ દર્શાવેલ છે. ગ્રંથોમાં પાપમોચિની એકાદશીનું વિગતવાર વર્ણન કરવામાં આવ્યું છે. હિંદુ ધર્મ અનુસાર દુનિયામાં મનુષ્ય દ્રારા જીવનમાં જાણ્યે અજાણ્યે કોઈ ને કોઈ પાપ થયું જ હોય છે. ફાગણ માસની વદ પક્ષની એકાદશી ને પાપમોચિની એકાદશી કહે છે . ફાગણ માસ ની વદ પક્ષમાં આવતી પાપમોચિની એકાદશી નું વ્રત કરવાથી દરેક પ્રકાર ના પાપ નો નાશ થાય છે. ધાર્મિક માન્યતા અનુસાર આ એકાદશી ની તિથિ ના દિવસે ભગવાન વિષ્ણુને અપણૅ કરવાથી મનુષ્ય જાણે તપ, યજ્ઞ, દાન કર્યા છે તેમ માનવામાં આવે છે.   


શ્રી લક્ષ્મીનારાયણ દેવ આ પાઠ કરવાથી તમામ પાપોમાંથી મુક્તિ થઈ વિષ્ણુ લોક પ્રાપ્તિ થાય છે અહી ક્લિક કરો.  

હિન્દુ શાસ્ત્રોમાં શ્રી વિષ્ણું ભગવાનની કૃપા પ્રાપ્તિ માટે સૌથી ઉત્તમ વ્રત એકાદશી નું છે જે તિથિનું એક વિશેષ મહત્વ છે. ફાગણ માસની વદ પક્ષની  એકાદશી તિથિ ને પાપમોચિની એકાદશી કહેવાય છે. એકાદશી તિથિ દર માસમાં બે વાર આવે છે એક તો વદ પક્ષ અને બીજી વદ પક્ષ. એકાદશી ની તિથિ જગત ના પાલનહાર ભગવાન વિષ્ણુને સમર્પિત છે. તેમાં પણ ફાગણ માસ ની આ પાપમોચિની એકાદશીના દિવસે અશરણોને શરણ આપનાર જગત ના પાલનહાર શ્રી વિષ્ણુ ભગવાન ના ચતુર્ભુજ સ્વરૂપ નું પુજન કરવામાં આવે છે. અથવા તેમના દશ અવતાર માંથી કોઈ પણ અવતાર નું પુજન કરવામાં આવે છે આ દિવસે અને રાત્રિનું જાગરણ માં ભગવાન ના ભજન કીર્તન કરવાનું હોય છે

ૐ નારાયણાય વિદ્મહે, વાસુદેવાય ધીમહી. તન્નો વિષ્ણુ પ્રચોદયાત્ ।

એકાદશીના ઉપવાસ કોણ કરી શકે કરી કેવી રીતે.
એકાદશી નું વ્રત ઉપવાસ વ્રત વૈષ્ણવ, શુદ્ધ, ક્ષત્રિય કે વેશ્ય પછી નાના મોટા કોઈ પણ આ વ્રત કરી શકે છે . એકાદશી જો કોઈ બીમાર વ્યક્તિ કોઈ રોગથી પીડાતો હોય , ઉમંરલાયક વ્યક્તિ વૃદ્ધાવસ્થા, નાના બાળક અથવા વ્યસ્ત વ્યક્તિ એટલે મજુરી વઘારે શ્રમ કરતા હોય તો એક જ વેળાનું વ્રત કરવું જોઈએ તેમાં ફળો ખાવા જોઈએ. જો આ પણ શક્ય ન હોય તો આ દિવસે ચોખા અને મીઠું ન ખાવા જોઈએ. ભગવાન વિષ્ણુ અથવા તમારા ઈષ્ટદેવની પૂજા કરો.


એકાદશી ની શ્રી જગત ના પાલનહાર વિષ્ણુ ભગવાન પુજન વિધી વાંચવા અહીં ક્લિક કરો

 

 

 એકાદશીના દિવસે બીજું કોનું પુજન કરવાથી પુણ્ય ફળ મળે છે.
એકાદશી ના દિવસે વિષ્ણુ ભગવાન ના પુજન સાથે સાથે કામધેનુ ગાયમાતા ના, વૃંદા એટલે તુલસી માતા પીપળા વૃક્ષ , શિવલિંગ નું પુજન કરવામાં આવે છે આમ કરવાથી ગીતામાં શ્રી કૃષ્ણ ભગવાન ના કહેવા મુજબ કશું શેષ રહેતું નથી. 

દર મારે બે એકાદશી અને ત્રણ વષે આવતા પુરુષોત્તમ માસની બે એમ 26 એકાદશી છે નો
ઉલ્લેખ આપણા હિન્દુ શાસ્ત્રો માં થયેલો છે. હવે આપણે જાણીએ ફાગણ માસની વદ પક્ષની પાપમોચિની એકાદશી તિથિ માહિતી   

 

આ વષે 2023 ની પાપમોચિની એકાદશીની શરૂઆત
શરૂઆત 17 માર્ચ 2023 શુક્રવાર બપોરે 2:06 મિનિટ
એકાદશી તિથિ સમાપ્તિ 18 માર્ચ 2023 શનિવાર સવારે 11:13 મિનિટ
ઉપવાસ  સૂયૅદય શરૂ થતો કરવો જોઈએ માટે ઉપવાસ 18 માર્ચ 2023 શનિવાર કરવો
18 માર્ચ 2023 શનિવાર પુજન નો શુભ સમય સવારે 8:17 થી 9:47 સુધી છે
પારણા નો સમય 19 માર્ચ 2023 રવિવાર સવારે 6:44 થી 9:19 સુધી નો છે.



ફાગણમાસની વદ પક્ષની પાપમોચિની એકાદશીનું વ્રત પૂર્ણ શ્રદ્ધાથી કરવાથી મનુષ્ય શારિરીક માનસિક કષ્ટ હોય , જાણ્યે પાપ કાયૅ થયા હોય, ભાઈ બહેન ગરીબી અને દ્રારિદ્ર જીવન કાઠતા હોય તેમને આ વ્રત પૂર્ણ શ્રદ્ધા અને મન સ્વચ્છ રાખીને કરવાથી જીવનમાં સુખ શાંતિ સમૃદ્ધિ થાય છે.  આ એકાદશી નું વ્રત પૂણૅ શ્રદ્રા રાખીને કરવાથી સમસ્ત પાપ નષ્ટ થઈ જાય છે તથા પિસાચયોનિ માંથી મુક્તિ મળે છે.

 

પાપમોચિની એકાદશી વ્રત કથા વાંચવા માત્રથી પિસાચયોનિ માંથી મુક્તિ મળે છે. 


એકાદશી ના કેટલાક નિમ્નલિખિત કયો ના કરવા જોઈએ

મિત્રો આ હતી પાપમોચિની એકાદશી ની સંપૂર્ણ માહિતી હું આશા રાખુ આપને પસંદ આવશે માહિતી સારી લાગી હોય તો કોમેન્ટ જય શ્રી કૃષ્ણ જરૂર લખજો.

 

માં વૈભવ લક્ષ્મી વ્રત કોણ કરી શકે ? અને કેવી રીતે કરવું ? શું કરવું  ? શુ ના કરવું ? અહી ક્લિક કરો.  

 ગીતાજીમાં કહેલા શ્રી કૃષ્ણ ભગવાનના 108 નામ ગુજરાતી લખાણ સાથે 


એકાદશી ના દિવસે ગીતાજી નો આ સ્ત્રોત કરવાથી જ્ઞાન સિદ્ધિ મેળવી ને પરમ પદ પામે છે

 

 રાત્રે એકવાર શ્રી મહાલક્ષ્મીની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો

 

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો. 

 

  

  જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

શ્રી જલારામ બાપા ના 52 ગુણ પાઠ કરવાથી દુઃખ છૂટી સુખી થવાય | Jalaram Bavni Gujarati Lyrics | Okhaharan

 શ્રી જલારામ બાપા ના 52 ગુણ પાઠ કરવાથી દુઃખ છૂટી સુખી થવાય |  Jalaram Bavni Gujarati Lyrics  | Okhaharan 

Jalaram-Bavni-Gujarati-Lyrics
Jalaram-Bavni-Gujarati-Lyrics

 

શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખ માં આજે આપણે જાણીશું શ્રી જલારામ બાપા ના  52 ગુણ પાઠ કરવાથી દુઃખ છૂટી સુખી થવાય .

જલારામ બાપાની ચાલીસા નો પાઠ અહી ક્લિક કરો.   

 

શ્રી જલારામ બાવની
સોરઠ ભૂમિ પાવન ધામ ,
વીરપુર નામે એમાં ગામ .
પ્રગટ્યાં ત્યાં શ્રી જય જલારામ ,
જનસેવાનું કરવા કામ .
રાજબાઈ માતાનું નામ ,
પ્રધાનજી પિતાનું નામ .
લોહાણા જ્ઞાતિ હરખાય
, નામ સમરતા રાજી થાય .
સંત પધાર્યા એને કાર
, રાજબાએ કીધો સત્કાર .
ઉજ્જ્વળ થાશે તારી  કૂખ
એવું બોલ્યા એ નિજ મુખ .
સંવત અઢારસો છપ્પન માંહ્ય
, કારતક સુદ સાતમની છાંય .
આશીર્વાદથી પ્રગટ્યા રામ
નામ પાડ્યું શ્રી જય જલારામ .
વૃદ્ધ સંત આવ્યા તે ઠામ ,


ઓળખ્યા શ્રી જય જલારામ .
માતા - પિતા સ્વધામે ગયા
કાકાને ત્યાં મોટા થયા .
સંવત અઢારસો સીત્તેર માંહ્ય ,
યજ્ઞોપવિતનો વિધિ થાય .
સંવત અઢારસો બોંતેર માંહ્ય ,
પ્રભુમાં પગલા મંડાય .
કાકાનું સંભાળે હાટ
ધર્મ દાનનું મનમાં ઘાટ .
સાધુ સંતને દેતા દાન
રઘુવીરનું એ ધરતા ધ્યાન .
એક સમે સંતનો સંઘ ,
આવી જમાવ્યો ભક્તિનો રંગ .
જલારામની પાસે આજ ,
આવ્યા સાધુ લેવા કાજ .
જલારામ લઈ માથે ભાર ,
દેવા ચાલ્યા એને દ્વાર .
પડોશીને લાગી લહાય ,
તે કાકાને કહેવા જાય.
વા'લા કાકા દોડયા સાંય ,

એકવાર ગાયત્રી માતાની આ સ્તુતિ જરૂર કરી લેજો સવૅ વેદ લક્ષ પ્રાપ્ત થશે અહી ક્લિક કરો.   

 
જ્યાં જલા દેવાને જાય .
ગભરામણ છૂટી તે વાર
, પત રાખે છે દીન - દયાળ .
છાંણા કહ્યાં તો છાણાં થાય ,
ઘીના બદલે જળ દેખાય . .
પાડોશી તો ભોંઠો થાય ,
દૂરીજન કર્મોથી પસ્તાય .
જલા ભક્તને લગની થઈ
, ભીતર બારી ઊઘડી ગઈ.
યાત્રા કરવા કીધી હામ
પછી ફર્યા એ ચારે ધામ .
ગુરૂ કરવાને પ્રગટયો ભાવ
ફત્તેપુર જઈ લીધો લહાવ.
ભોજા ભગત કીધા ગુરુદેવ.
વ્રત લે કરવા સાચી સેવ .
સવંત અઢારસો છોંતેર માંહ્ય
સદાવ્રતનું સ્થાપન થાય .
વીરબાઈ સુલક્ષણી છે નાર .
સેવાની રાખે સંભાળ .
સાધુ સંતો આવે  નિત્ય .
જલાબાપાની જેઈ પ્રીત .
અન્ન તાણા નિધિ છલકાય .
બાધા આખડીથી દુ:ખ જ જાય . 


બાપા સૌમાં ભાળે રામ .
ખવરાવીને લે આરામ ,
ગાડા ભરી અન્ન આવે જાય ,
સાધુ સંતો ખૂબ જ ખાય .
તન મન ધનથી દુ: ખિયા જન
આવી નિત કરે ભજન .
બાપા સૌનાં દુખ  હરનાર ,
ભેદ ન રાખે કોઈ લગાર .
થોડા જનનાં કહું છું નામ ,
મળિયો છે જેને આરામ .
જમાલ ઘાંચી જે કહેવાય ,
દીકરો તેનો સાજો થાય .
હરજી દરજી પેટ નું દુખ
ટાળી ત્યાં પામ્યો છે સુખ .
મૃત્યુ પામ્યો કોળી એક
પિતા તેનો કરગર્યો છેક ,
બાપા હૈયે કરુણા થાય ,.
રામનામની ધૂન  મચાય .
થયો સજીવન તેનો બાળ ,
રામનામનો જય જ્યકાર .
પુણ્ય તયું બાપાનું આંહ્ય ,
વહાલો ઊતર્યો અવનિ માંહ્ય ,
કરી કસોટી માગી નાર ,
જોવા કેવું દિલ ઉદાર .
ધન્ય ધન્ય છે વીરબાઈ નાર ,
પ્રભુ સમ જાણ્યો છે ભરથાર .
આજ્ઞા આપો છું તૈયાર ,
સેવા સંતની સાચો સારે .
સેવા કરવા ગયા સતી ,
જાણી ત્રિભુવનના એ પતિ .
આકાશવાણીમાં સંભળાય ,
ધન્ય જલા ભક્તિ એ કહેવાય .
ઝંડો ઝોળી વીરબાઈ હાથ

 કરીલો શ્રી જલારામ બાપાની ની એક સ્તુતિ  આ સ્તુતિ કરવાથી બાપાની કૃપા રહે છે અહી ક્લિક કરો.   


દઈને અલોપ થયા છે નાથ .
વાયક પહોંચ્યા વીરપુર ગામ
, સૌએ સમર્યા સીતારામ .
આજે પણ વીરપુરની હોય ,
સૌને એનાં દર્શન થાય .
જનસેવા તો ખૂબ જ કરી ,
ઠાર્યા સૌને પોતે કરી .
ઓગણીસે ને સાડત્રીસ માંહ્ય ,
બાપા સિધાવ્યા વૈકુંઠ માંહ્ય .
મનુદાસ બાવની ગાય ,
. દુ: ખથી છૂટી સુખિયા થાય .


. શ્રી રામ  શ્રી રામ  જય જય  રામ
. શ્રી રામ  શ્રી રામ  જય જય  રામ

 


શ્રી દત્તાત્રેય ભગવાન આ અષ્ટક નો પાઠ કરવાથી જીવનમાં પ્રગતિ થશે

ગુરૂવારે શ્રી દત્તાત્રેય ભગવાનના 108 નામ 

 ગુરુવારે સૂતાં પહેલા સાંઈબાબા ની આ 2 મિનિટ ની સ્તુતિ અને અજ્ઞાન અંધકાર માંથી મુક્તિ

 ભક્તિ મોબાઈલ એપ ફી ડાઉનલોડ જે  Make in India છે અહી ક્લિક કરો.

શ્રી દેવીકવચ ગુજરાતી ભાષાંતર સાથે અહી ક્લિક કરો.   

 

દેવી ક્ષમાપન અપરાઘ સ્ત્રોતમ ગુજરાતી અથૅ સહિત અહી ક્લિક કરો.  

 

વલ્લભ ભટ્ટ રચિત બહુચર માતા આનંદ ગરબો ના 11 થી 15 છંદ નો અથૅ ‌નો આવો થાય છે  અહી ક્લિક કરો.   

 

 રાત્રે એકવાર શ્રી મહાલક્ષ્મીની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો

 

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો. 

 

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission.

 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇