મંગળવાર, 24 જૂન, 2025

79 વષૅ શુભ સંયોગ જેઠ અમાવસ્યા 2025 નો તિથિ સમય . વ્રત ઉપવાસ ક્યારે કરવો? આ દિવસે શુ કરવું ? શું ના કરવું ? | Jeth Amavasya 2025 | Okhaharan

79 વષૅ શુભ સંયોગ જેઠ અમાવસ્યા 2025 નો તિથિ સમય . વ્રત ઉપવાસ ક્યારે કરવો? આ દિવસે શુ કરવું ? શું ના કરવું ? | Jeth Amavasya 2025 | Okhaharan


jeth-amavasya-2025
jeth-amavasya-2025

શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખ માં આજે આપણે જાણીએ 79 વષૅ શુભ સંયોગ જેઠ અમાવસ્યા નો તિથિ સમય ક્યારે છે? વ્રત ઉપવાસ ક્યારે કરવો? આ દિવસે શુ કરવું ? શું ના કરવું ? તે બઘું જાણીશું. 


સૈપ્રથમ એ જાણીયે અમાસ તિથિ શું છે. આપણા હિન્દું શાસ્ત્રોમાં જેટલું મહત્વ પુનમનું હોય છે એટલું જ મહત્વ અમાસનું પણ હોય છે . અમાસ તિથિ એ હિન્દું પંચાગ અનુસાર 30મી તિથિ ગણાય છે અને આ દિવસે ચંદ્ર શૂન્ય કળામાં હોય છે એટલે ચંદ્રદય થતો નથી. અમાસ તિથિ ના દેવ પિતૃ છે. આ અમાસ તિથિનાં દિવસે સ્નાન દાન જપ તપ તથા પિતૃ તૅપણ માટે ઉત્તમ દિવસ માનવામાં આવે છે. અમાસ ના દિવસે પિતૃઓ માટે પિંડદાન કરવાથી તેમને તૃપ્તિ મળે છે તેથી પિતૃઓને વૈકુંઠ તરફ પ્રસ્થાન કરે છે 

આ વષૅ 2025 જેઠ માસની અમાસ તિથિ માહિતી
તિથિ ની શરૂઆત 24 જુન 2025 મંગળવાર સાંજે 6:58 મિનિટ 
તિથિ ની સમાપ્તિ 25 જુન 2025 બુધવાર સાંજે 4:04 મિનિટ
આમ અમાવસ્યા 25 જુન 2025 બુધવાર પિતૃ તર્પણ સ્નાન રહેશે 
ૐ નમો ભગવતે વાસુદેવાય

આગળ જાણાવ્યા મુજબ આ તિથિ પિતૃઓને અપણૅ છે આ દિવસે કરેલા દરેક કાયૅ પિતૃઓને અપણૅ થાય છે અને તેનું પુણ્ય ફળ મળે છે.

અમાસ દિવસે શું કરવું

અમાસ તિથિ સવારથી એટલે કે સૂયૅદય થાય ત્યારથી બઘા કાયૅ કરવામાં આવે છે.

1)  અમાસ તિથિ ના દિવસે સ્નાન સાથે દાન મહિમા વઘારે છે. અમાસ તિથિ ના દિવસે પવિત્ર નદી કે જળાશયમાં સ્નાન કરવાનો માહાત્મય વઘારે છે. જો નદીમાં સ્નાન ના થઈ શકે તો ઘરમાં રહીને સવૅ નદીઓનું મંત્રથી ધ્યાન કરીને સ્નાન કરવું જોઈએ.અને શક્ય હોય તો પાણીમાં ગંગાજળ ઉમેરીને પણ સ્નાન કરી શકો છો. આમ કરવાથી પુણ્ય ફળ ની પ્રાપ્તિ થાય છે.

2)  ત્યાર પછી મંદિરમાં સેવા પૂજા કરી પાનિયારે જ્યાં પીવાનું પાણી રાખીયે ત્યાં સવાર અને સાંજ બંને ટાઈમ દિવો કરવો અને દિવો બે આડી વાટનો ધી દિવો કરી બે અગરબતી કરી પિતૃઓનું ધ્યાન ધરતા “ ૐ નમો ભગવતે વાસુદેવાય “ મંત્ર અગરબત્તી અડધી ના થાય ત્યાંસુધી જાપ કરવો. 


3)  તાયાર પછી સૂર્યદેવને જળ ચઢાવો. જળ ચઢાવતી સમયે તાબાના લોટો હોવો જોઈએ અને એમાં ખાસ કરીને લાલ ચંદન અને લાલ ફુલ , ચોખા વડે સૂયૅદેવ ને અઘ્ય આપણૅ કરો અને સૂયૅ દેવનાં 12 નામ જાપ કરો અને એ ના ફાવે તો ૐ સૂર્યાય નમઃ મંત્રનો જાપ કરો

4)   આ અમાસ તિથિ પિતૃઓનું કોઈ કાયૅ અઘુરૂ હોય તે કરવામાં સૌથી ઉત્તમ દિવસ છે એમાં પણ બુઘવાર નો દિવસ. આ દિવસે પિતૃઓનું પુજન, તપણૅ વિઘિ, પિડંદાન, અંજલિ કરવાથી તોઓ તૃપ્ત થાય છે. તોઓ ના આશીવૉદ ફળે છે. આપણાં ઘર પર પિતૃદોષ હોય એમાં રાહત મળે છે.   

5)  અમાસ તિથિ ના દિવસે દાન નો અનેરો મહિમાં છે.  માટે આ દિવસે પિતૃઓને યાદ કરીને દાન કરવું જોઈએ પછી જરૂરિયાતમંદ લોકોને અન્ન, નવા વસ્ત્ર કે પછી ધન દાન કરો તો પણ ચાલે. બ્રહ્માણ ને ભોજન કરાવવું, ગાયમાતા કે જેમની અંદર 33 કરોડ દેવી દેવતા વાસ હોય છે એક સારી તિથિ એક સાથે બઘા દેવી-દેવતા પ્રસન્ન થઈ જાય માટે ગાય કે  ગૌશાળામાં લીલું ઘાસ ગાય ને ખડાવવું , ગાયનું ભોજન ખોળ વગેરે ચથાશક્તિ મુજબ દાનનું  કાયૅ કરવું. કુતરા ધી  ગોળ કે મીઠાઈ કે રોટલી રોટલો ખડાવવો,  કીડી ને લોટ સાથે મોરંસ ઉમેરીને કીડીયારૂ પુરવું, તમારી ઘર ની આસપાસ કે રવેશીમાં પક્ષી માટે ચણ અને પાણી વવ્યવસ્થા કરવી આમ આટલા પ્રકાર ના અમાસ તિથિ ના દિવસે દાન કરી શકાય છે.  
6)    અમાસ તિથિ પિતૃઓને અપણૅ છે આ દિવસે ઘરમાં પિતૃઓ માટે ધૂપ-ધ્યાન કરો. ધૂપ કરવા માટે સવારે, કે બપોર કે પછી સંઘ્યાનો સમય સૌથી ઉત્તમ રહે છે. સવારે કરેલ ઘુપ દેવતા ને અપણૅ છે અને  બપોર અથવા સંઘ્યા કરેલ એ પિતૃદેવને અપણૅ છે ઘુપ સમયે ગાયના ગોબર ના છાણા અથવા અત્યારના સમયમાં કોલસા ઉપર ગુગળ મુકીને ઘુપ કરો અને પછી ધૂમાડો નીકળતો બંધ થઈ જાય, ત્યારે બળતા છાણા અથવા કોલસા ઉપર ગોળ અને ઘીથી ધૂપ આપવું જોઈએ. આ દિવસે પિતૃઓ પૃથ્વી પર વાયુ વેગે આવે છે આ દરમિયાન પિતૃઓનું ધ્યાન ઘરતા રહેવું મનમાં ૐ પિતૃભ્યૌ નમઃ અથવા ૐ નમો ભગવતે વાસુદેવાય જાપ કરવો.   

7)    આ દિવસે ઘરે ખીર બનાવો અને પિતૃઓને પ્રસાદ તરીકે અપણૅ અને ઘરનાં સવૅ સભ્યો સાથે મળીને ભોજન કરો આમ કરવાથી પણ પિતૃઓ તૃપ્ત થાય છે

8)    અમાસ તિથિ ના દિવસે ભગવાન શિવને કોઈ શિવાલયમાં જઈને શિવલિંગ ઉપર તાંબાના લોટાથી જળ તથા ચાંદીના લોટાથી કાચુ દૂધ ચઢાવો અને સાથે સાથે શિવ પંચઅક્ષર મંત્ર ૐ નમઃ શિવાય મંત્રનો જાપ કરતા રહો. તે પછી શુદ્ધ જળ ચઢાવો. શિવલિંગનો ચંદન ચોખા, બીલીપાન, ધતૂરો, ફળ-ફૂલ ચઢાવો. ભગવાનને મીઠાઈનો ભોગ ધરાવો. ધૂપ-દીપ પ્રગટાવીને આરતી કરો. પછી પ્રદક્ષિણા કરીને એક માળા ૐ નમઃ શિવાય ની કરો. 



9)    આ અમાવસ્યા ના દિવસે સવારે પીપળા વૃક્ષ પર દૂધ જળ ને મિશ્ર કરીને ચડાવું સાથે ૐ નમો ભગવતે વાસુદેવાય મંત્ર જાપ કરવા. અને સંધ્યા સમયે સરસવ ના તેલ નો ચૌમુખ વાળો દિવો કરવો. આ સમયે ૐ પિતૃભ્યૌ નમઃ મંત્ર જાપ પણ કરી શકો છો.

અમાસ ના દિવસે શું ના કરવું?
1)    અમાસ તિથિ ના દિવસે તમે વ્રત કરો કે ના કરો પણ કંઈ પણ નશીલા પદાર્થો સેવન કે  કોઈ વસ્તુ નશો ના કરો.
2)    અમાસ ના દિવસે બ્રહ્મચર્ય નું પાલન કરો.
3)    અમાસ ના દિવસે ધરમાં કે બહાર નાના મોટા ની ઉપર કોધ ના કરવો
4)    અમાસ ના દિવસે માંસ મદિર નું સેવન ના કરવું
5)    અમાસ ના દિવસે પારકા એટલે બીજા નું અન્ન ના ખાવ. ધરે બનાવીને જમો.

6) ઘરની અંદર કે ઘરના મુખ્ય દરવાજાની આજુબાજુ ક્યાય જગ્યાએ થૂકવું અશુભ માનવામાં આવે છે
7) આ દિવસે નખ અને વાળ કાપવાથી નકારાત્મક શક્તિઓનો પ્રભાવ તમારા ઉપર થઈ શકે છે
 


"" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે


""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે  

 

સંતાન ગણપતિ સ્તોત્રમ્ ગુજરાતી લખાણ સાથે     

 

 "" શ્રી વિષ્ણુ ચાલીસા ""  ગુજરાતી લખાણ સાથે  

 

 """ શ્રી વિષ્ણુ સ્તુતિ """ ગુજરાતી લખાણ સાથે    

 

 """ શ્રી વિષ્ણ્વષ્ટકમ્   """ ગુજરાતી લખાણ સાથે  


 આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત 

 

દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી 


 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

જેઠ અમાસ ના શુભ દિવસે આ જગ્યાએ એક દિવો પ્રગટાવી લેજો બધાજ દુ:ખોનો અંત આવી જશે | Jeth Amavasya 2025 Gujarati Ma | Okhaharan

જેઠ અમાસ ના શુભ દિવસે આ જગ્યાએ એક દિવો પ્રગટાવી લેજો બધાજ દુ:ખોનો અંત આવી જશે | Jeth Amavasya 2025 Gujarati Ma | Okhaharan


jeth-amavasya-2025-gujarati-ma
jeth-amavasya-2025-gujarati-ma

શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખ માં આજે આપણે જાણીએ આપણા હિન્દું શાસ્ત્રોમાં જેટલું મહત્વ પુનમનું હોય છે એટલું જ મહત્વ અમાસનું પણ હોય છે અમાસનો દિવસ જ્યોતિષશાસ્ત્ર તથા પુરાણોમાં વિવિધ ઉપાયો માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે સાથે જ અમાસથી જોડાયેલા શાસ્ત્રોના લખેલા કેટલાક નિમ્નલિખિત નિયમોનું પાલન પણ અવશ્ય કરવું જોઈએ એવું માનવામાં આવે છે કે અમાસના દિવસે નકારાત્મક શક્તિઓનો પ્રભાવ ખુબ વઘારે હોય છે.  હિન્દુ ધર્મમાં જેઠ અમાસને ખૂબ જ વિશેષ માનવામાં આવે છે આ વર્ષે 25 જૂન 2025 બુઘવાર ના દિવસે જેઠ મહિનાની અમાસ તિથિ છે શાસ્ત્રો અનુસાર અમાસ તિથિ પિતૃઓને સમર્પિત હોય છે આ દિવસે પિતૃઓની આત્માને તૃપ્તિ માટે તર્પણ તથા પિંડદાન જેવા કાર્યો કરવામાં આવે છે તો ચાલો જાણીએ કે અમાસના દિવસે શું કરવું તથા શું ના કરવું જોઈએ  તે જાણીયે. 

 સવૅ પિતૃ અમાસ ની વ્રત કથા અહી ક્લિક કરો.  

અમાસના દિવસે આ ત્રણ કાર્યો તો ભૂલથી પણ ન કરવા જોઈએ અમાસના દિવસે માસ મદિરાનું સેવન ન કરવું જોઈએ ,આ દિવસે સાત્વિક ભોજન જ કરવું જોઈએ કેટલાક લોકો ખોટી જાણકારીના લીધે અમાસના દિવસે માસનું સેવન કરતા હોય છે પરંતુ આ દિવસે કોઈપણ પ્રાણીના પ્રાણ લેવામાં મોટામાં મોટું પાપ માનવામાં આવે છે આ દિવસે માસનું સેવન કરવાથી નકારાત્મક શક્તિઓ તમારા ઉપર હાવી થઈ શકે છે


અમાસના દિવસે ઘરમાં ગંદકી ન રાખવી જોઈએ આ દિવસે મીઠાવાળા પાણીથી ઘરમાં પોતું અવશ્ય કરવું જોઈએ એનાથી નકારાત્મક શક્તિઓ ઘરમાં પ્રવેશ કરતી નથી અને ઘરમાંથી સંપૂર્ણ નકારાત્મક શક્તિઓ દૂર થાય છે અમાસના દિવસે ઘરમાં અથવા ઘરની બહાર થૂકવું ન જોઈએ શાસ્ત્રોમાં કહ્યું છે કે થૂકવાથી ઘરમાં ખરાબ શક્તિઓને ઘરમાં આવવાનું આમંત્રણ આપ્યું કહેવાય છે તેથી આ દિવસે ઘરની અંદર કે ઘરના મુખ્ય દરવાજાની આજુબાજુ ક્યાય જગ્યાએ થૂકવું અશુભ માનવામાં આવે છે અમાસના દિવસે બાલ અને નખ પણ નકા કાપવા જોઈએ આ પણ અશુભ માનવામાં આવે છે આ દિવસે નખ અને વાળ કાપવાથી નકારાત્મક શક્તિઓનો પ્રભાવ તમારા ઉપર થઈ શકે છે શાસ્ત્રો અનુસાર અમાસના દિવસે કોઈપણ મનુષ્યને શારીરિક સંબંધ ન બનાવવો જોઈએ અમાસના દિવસે શારીરિક સંબંધ બનાવવાથી તેના નકારાત્મક પરિણામો ભોગવવા પડી શકે છે તેનાથી જન્મ લેનારી સંતાનને ખૂબ જ કષ્ટ ભોગવવું પડે છે તો હવે આપણે જાણીશું અમાસના દિવસે કયા ઉપાયો કરવા જોઈએ.

શાસ્ત્રો અનુસાર અમાસના દિવસે સવારે બ્રહ્મમુહરતમાં જાગીને કોઈ પવિત્ર નદીમાં સ્નાન કરવું જોઈએ. જો કોઈ પવિત્ર નદીમાં સ્નાન કરવું સંભવ ન હોય તો આ દિવસે ઘરમાં જ પવિત્ર નદીઓનું સ્મરણ કરતાં શુદ્ધ જળથી સ્નાન કરવું જોઈએ. અથવા તો સ્નાન કરવાના પાણીમાં થોડું ગંગાજળ મિક્સ કરીને સ્નાન કરવું જોઈએ. સ્નાન કર્યા બાદ સૂર્યદેવને જળ જરૂર આપવું જોઈએ.તેમાં ચપટી લાલ કંકું અને લાલ ફુલ કે ફુલ ની પાદડી મુકો. અમાસના દિવસે સૂર્યદેવને જળ ચડાવવાથી દરિદ્રતાનો નાશ થાય છે. 


જેઠ અમાસના દિવસે પીપળના વૃક્ષની પૂજા કરવાનું પણ ખૂબ જ અધિક મહત્વ છે પીપળાના વૃક્ષમાં બધા જ દેવી દેવતાઓનો વાસ હોય છે તથા અમાસના દિવસે બધા જ પિતૃગણ પીપળના વૃક્ષના વૃક્ષમાં નિવાસ કરે તેથી આ દિવસે પીપળાના વૃક્ષની પૂજા અવશ્ય કરવી જોઈએ એનાથી તમારા જીવનમાં ચાલી રહી સમસ્યાઓથી છુટકારો મળે છે જેઠ અમાસના દિવસે પીપળના વૃક્ષના થળમાં કાચું દૂધ કાળા તલ ગંગાજળ ચોખા વગેરે જેવી શુભ ચીજો અર્પણ કરવી જોઈએ એનાથી પીપળના વૃક્ષમાં નિવાસ કરનારા બધા જ દેવતાગણ તથા પિતૃગણ સંતુષ્ટ થાય છે અને તમને આશીર્વાદ પ્રદાન કરે છે. આપણા શાસ્ત્રોમાં પીપળાના વૃક્ષને દેવ ગણવામાં આવે છે તેથી તેમની પૂજા કરવાથી કરોડો પાપો નષ્ટ થાય છે ખાસ કરીને અમાસના દિવસે પીપળના વૃક્ષમાં દૂધ ચડાવવાથી આપણી અંતરાત્મા શુદ્ધ થાય છે અને શુભ ફળોની પ્રાપ્તિ થાય છે.

અમાસ ના શ્રી કુબેર ભંડારી મહાદેવ 108 નામ જાપ


અમાસના દિવસે પશુઓની સેવા કરવાથી પુણ્ય પ્રાપ્ત થાય છે આ દિવસે ગાય કુતરા કાગડા વગેરે જેવા પ્રાણી પક્ષીઓની ભોજન કરાવીને તેમને સંતુષ્ટ કરવા જોઈએ એનાથી આપણને પિતૃઓના આશીર્વાદ મળે છે અને પિતૃઓના આશીર્વાદ મળવાથી તમારા કોઈપણ કાર્યમાં કોઈ અડચણ આવતી નથી બધા જ કાર્યોમાં સફળતા જ મળે છે જેઠમાં અમાસના દિવસે એક સરસોનું તેલ ચોપડેલી રોટલી તમારે કાળા કુતરાને જરૂર ખવડાવવી જોઈએ એનાથી શનિની મહાદશાથી મુક્તિ મળે છે શનિદેવ ન્યાયના દેવતા છે એમની ભક્તિ કરનાર ભક્તોને શનિદેવ ક્યારેય નિરાશ નથી કરતા તેથી તમે અમાસના દિવસે કાળા કુતરાને અને ગાયને રોટલી અવશ્ય ખવડાવી જોઈએ એનાથી થી તમારા ધનમાં કેટલાય ધનલાભ થાય છે અને શનિદેવ તમને ઉન્નતિના કેટલાય અવસરો પ્રદાન કરે છે સાથે જ નોકરી ધંધામાં પણ જલ્દી સફળતા પ્રાપ્ત થાય છે જો કોઈ વ્યક્તિ કાળસર્પ દોષથી પીડિત છે તો જેઠ અમાસના દિવસે ચાંદીથી બનેલા નાગ અને નાગિનના જોડાની પૂજા કરવી જોઈએ અને કોઈ પવિત્ર નદીમાંતા પછી તેને પધરાવી દેવા જોઈએ આ ઉપાયથી કાળ સર્પદોષથી તરત જ મુક્તિ મળે છે અને આ કાર્યથી થી તમારા જેટલા પણ કાર્યો અટકેલા છે એ બધા જ પૂરા થવા લાગે છે.

જેઠ અમાસના દિવસે કેસરયુક્ત ખીર બનાવીને માતા લક્ષ્મીને ભોગ ચડાવવો જોઈએ અને એ પછી એ ખીર ઘરની બધી જ મહિલાઓને સેવન કરવું જોઈએ આ ઉપાયથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે અને ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે પિતૃઓના નામથી ગરીબોને ભોજન કરાવવું જોઈએ અને ગૌમાતાને ખીરનો ભોગ લગાવવો જોઈએ આવ કરવાથી પિતૃદોષથી મુક્તિ મળે છે અને પરિવારના સદસ્યોમાં પ્રેમ અને વિશ્વાસ વધે છે અને ઘરમાં સુખ શાંતિ બની રહે છે. ઘરમાંથી દરિદ્રતા દૂર કરવા માટે જેઠ અમાસના દિવસે ઉપવાસ રાખીને પીપળના વૃક્ષના થળમાં પાણી જરૂર અર્પણ કરવું જોઈએ અને સાંજે પીપળના થળ પાસે પૂર્વ અને ઉત્તરની મધ્ય દિશામાં એક ઘીનો દીવો જરૂર પ્રગટાવવો જોઈએ આવું કરવાથી કર્જ સંબંધિત પરેશાનીઓ દૂર થાય છે અને ધન સંપત્તિમાં વૃદ્ધિ થાય છે.

 આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત 

અમાસના દિવસે દાનનું પણ વિશેષ મહત્વ છે તમે કોઈ બીજા દિવસે દાન ન કરો પણ અમાસના દિવસે તમારે દાન જરૂર કરવું જોઈએ આ દિવસે દાન કરવાથી પુણ્ય મળે છે અને બધા જ પાપો નષ્ટ થાય છે. જેઠ અમાસના દિવસે તલ દૂધ અથવા તલથી બનેલા લાડુનું દાન જરૂર કરવું જોઈએ. એનાથી દરિદ્રતા સમાપ્ત થાય છે. જેઠ અમાસના દિવસે ગ્રહોના દુષ્ટ પ્રભાવને ઓછા કરવા માટે તેમનાથી સંબંધિત ચીજોનું દાન પણ અવશ્ય કરવું જોઈએ. જેથી ગ્રહોના ભય સમાપ્ત થાય છે શનિ અને સૂર્ય ગ્રહને મજબૂત કરવા માટે ઘઉં અને કાળા ચણાનું દાન કરવું શુભ માનવામાં આવે છે શુક્ર ગ્રહને મજબૂત કરવા માટે આ દિવસે સફેદ તલનું દાન કરવું જોઈએ બુધ ગ્રહને મજબૂત કરવા માટે મગનું દાન કરવું જોઈએ અમાસના દિવસે ચોખાનું દાન કરવાથી ચંદ્ર ગ્રહ મજબૂત થાય છે ગુરુ ગ્રહને મજબૂત કરવા માટે જવનું દાન કરવું જોઈએ અને મંગળ ગ્રહની કૃપા માટે મસૂરની ની દાળનું દાન કરવું જોઈએ આ પ્રકારે તમે આ ચીજોનું દાન કરીને આ સાત ગ્રહોના પ્રભાવને ઓછો કરી શકો છો અને એમની સંબંધિત સમસ્યાઓથી છુટકારો મેળવી શકો છો 

અમાસની રાત્રે ખાસ કરીને પીપળના વૃક્ષ નીચે એક ચોખા ઘીનો દીવો જરૂર પ્રગટાવવો જોઈએ કેમ કે પીપળના વૃક્ષમાં બ્રહ્મા વિષ્ણુ મહેશ આ ત્રણેયનો વાસ હોય છે અને અમાસના દિવસે પિતૃઓ વાસ કરતા હોય છે તેથી ચોખાઘીનો દીવો પીપળના વૃક્ષ નીચે પ્રગટાવવાથી પિતૃઓ આપણને આશીર્વાદ પ્રદાન કરે છે અને તેમના આશીર્વાદથી આપણા ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે અને કર્જમાંથી છુટકારો મળે છે તો મિત્રો આ પ્રકારે તમે જેષ્ઠ અમાસના દિવસે આ ઉપાયો કરીને તમે તમારા જીવનમાં સુખ શાંતિ લાવી શકો છો અને દુઃખ દરિદ્રતાને દૂર કરી શકો છો. 

અમાસ ના દિવસે કરો ભક્ત વલ્લભ ભટ્ટ રચિત આનંદ નો ગરબો ૧૧૮ છંદ 

તમને આ માહિતી પસંદ આવી હશે પસંદ આવી હોય તો આપ મારી સાથે WhatsApp  પર જોડાઈ શકો છો નીચે બટન પર ક્લિક કરો. જય શ્રીકૃષ્ણ.


"" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે


ગાયને એક વસ્તુ ખવડાવવાથી 24 કલાક મા સવૅ મનોકામના પૂણૅ થાય  સાથે ઈચ્છાપૂર્તિ થાય

 

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે  

 

સંતાન ગણપતિ સ્તોત્રમ્ ગુજરાતી લખાણ સાથે     

 

 "" શ્રી વિષ્ણુ ચાલીસા ""  ગુજરાતી લખાણ સાથે  

 

 """ શ્રી વિષ્ણુ સ્તુતિ """ ગુજરાતી લખાણ સાથે    

 

 """ શ્રી વિષ્ણ્વષ્ટકમ્   """ ગુજરાતી લખાણ સાથે  


દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી 


 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇