79 વષૅ શુભ સંયોગ જેઠ અમાવસ્યા 2025 નો તિથિ સમય . વ્રત ઉપવાસ ક્યારે કરવો? આ દિવસે શુ કરવું ? શું ના કરવું ? | Jeth Amavasya 2025 | Okhaharan
![]() |
jeth-amavasya-2025 |
શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખ માં આજે આપણે જાણીએ 79 વષૅ શુભ સંયોગ જેઠ અમાવસ્યા નો તિથિ સમય ક્યારે છે? વ્રત ઉપવાસ ક્યારે કરવો? આ દિવસે શુ કરવું ? શું ના કરવું ? તે બઘું જાણીશું.
સૈપ્રથમ એ જાણીયે અમાસ તિથિ શું છે. આપણા હિન્દું શાસ્ત્રોમાં જેટલું મહત્વ પુનમનું હોય છે એટલું જ મહત્વ અમાસનું પણ હોય છે . અમાસ તિથિ એ હિન્દું પંચાગ અનુસાર 30મી તિથિ ગણાય છે અને આ દિવસે ચંદ્ર શૂન્ય કળામાં હોય છે એટલે ચંદ્રદય થતો નથી. અમાસ તિથિ ના દેવ પિતૃ છે. આ અમાસ તિથિનાં દિવસે સ્નાન દાન જપ તપ તથા પિતૃ તૅપણ માટે ઉત્તમ દિવસ માનવામાં આવે છે. અમાસ ના દિવસે પિતૃઓ માટે પિંડદાન કરવાથી તેમને તૃપ્તિ મળે છે તેથી પિતૃઓને વૈકુંઠ તરફ પ્રસ્થાન કરે છે
આ વષૅ 2025 જેઠ માસની અમાસ તિથિ માહિતી
તિથિ ની શરૂઆત 24 જુન 2025 મંગળવાર સાંજે 6:58 મિનિટ
તિથિ ની સમાપ્તિ 25 જુન 2025 બુધવાર સાંજે 4:04 મિનિટ
આમ અમાવસ્યા 25 જુન 2025 બુધવાર પિતૃ તર્પણ સ્નાન રહેશે
ૐ નમો ભગવતે વાસુદેવાય
આગળ જાણાવ્યા મુજબ આ તિથિ પિતૃઓને અપણૅ છે આ દિવસે કરેલા દરેક કાયૅ પિતૃઓને અપણૅ થાય છે અને તેનું પુણ્ય ફળ મળે છે.
અમાસ દિવસે શું કરવું
અમાસ તિથિ સવારથી એટલે કે સૂયૅદય થાય ત્યારથી બઘા કાયૅ કરવામાં આવે છે.
1) અમાસ તિથિ ના દિવસે સ્નાન સાથે દાન મહિમા વઘારે છે. અમાસ તિથિ ના દિવસે પવિત્ર નદી કે જળાશયમાં સ્નાન કરવાનો માહાત્મય વઘારે છે. જો નદીમાં સ્નાન ના થઈ શકે તો ઘરમાં રહીને સવૅ નદીઓનું મંત્રથી ધ્યાન કરીને સ્નાન કરવું જોઈએ.અને શક્ય હોય તો પાણીમાં ગંગાજળ ઉમેરીને પણ સ્નાન કરી શકો છો. આમ કરવાથી પુણ્ય ફળ ની પ્રાપ્તિ થાય છે.
2) ત્યાર પછી મંદિરમાં સેવા પૂજા કરી પાનિયારે જ્યાં પીવાનું પાણી રાખીયે ત્યાં સવાર અને સાંજ બંને ટાઈમ દિવો કરવો અને દિવો બે આડી વાટનો ધી દિવો કરી બે અગરબતી કરી પિતૃઓનું ધ્યાન ધરતા “ ૐ નમો ભગવતે વાસુદેવાય “ મંત્ર અગરબત્તી અડધી ના થાય ત્યાંસુધી જાપ કરવો.
3) તાયાર પછી સૂર્યદેવને જળ ચઢાવો. જળ ચઢાવતી સમયે તાબાના લોટો હોવો જોઈએ અને એમાં ખાસ કરીને લાલ ચંદન અને લાલ ફુલ , ચોખા વડે સૂયૅદેવ ને અઘ્ય આપણૅ કરો અને સૂયૅ દેવનાં 12 નામ જાપ કરો અને એ ના ફાવે તો ૐ સૂર્યાય નમઃ મંત્રનો જાપ કરો
4) આ અમાસ તિથિ પિતૃઓનું કોઈ કાયૅ અઘુરૂ હોય તે કરવામાં સૌથી ઉત્તમ દિવસ છે એમાં પણ બુઘવાર નો દિવસ. આ દિવસે પિતૃઓનું પુજન, તપણૅ વિઘિ, પિડંદાન, અંજલિ કરવાથી તોઓ તૃપ્ત થાય છે. તોઓ ના આશીવૉદ ફળે છે. આપણાં ઘર પર પિતૃદોષ હોય એમાં રાહત મળે છે.
5) અમાસ તિથિ ના દિવસે દાન નો અનેરો મહિમાં છે. માટે આ દિવસે પિતૃઓને યાદ કરીને દાન કરવું જોઈએ પછી જરૂરિયાતમંદ લોકોને અન્ન, નવા વસ્ત્ર કે પછી ધન દાન કરો તો પણ ચાલે. બ્રહ્માણ ને ભોજન કરાવવું, ગાયમાતા કે જેમની અંદર 33 કરોડ દેવી દેવતા વાસ હોય છે એક સારી તિથિ એક સાથે બઘા દેવી-દેવતા પ્રસન્ન થઈ જાય માટે ગાય કે ગૌશાળામાં લીલું ઘાસ ગાય ને ખડાવવું , ગાયનું ભોજન ખોળ વગેરે ચથાશક્તિ મુજબ દાનનું કાયૅ કરવું. કુતરા ધી ગોળ કે મીઠાઈ કે રોટલી રોટલો ખડાવવો, કીડી ને લોટ સાથે મોરંસ ઉમેરીને કીડીયારૂ પુરવું, તમારી ઘર ની આસપાસ કે રવેશીમાં પક્ષી માટે ચણ અને પાણી વવ્યવસ્થા કરવી આમ આટલા પ્રકાર ના અમાસ તિથિ ના દિવસે દાન કરી શકાય છે.
6) અમાસ તિથિ પિતૃઓને અપણૅ છે આ દિવસે ઘરમાં પિતૃઓ માટે ધૂપ-ધ્યાન કરો. ધૂપ કરવા માટે સવારે, કે બપોર કે પછી સંઘ્યાનો સમય સૌથી ઉત્તમ રહે છે. સવારે કરેલ ઘુપ દેવતા ને અપણૅ છે અને બપોર અથવા સંઘ્યા કરેલ એ પિતૃદેવને અપણૅ છે ઘુપ સમયે ગાયના ગોબર ના છાણા અથવા અત્યારના સમયમાં કોલસા ઉપર ગુગળ મુકીને ઘુપ કરો અને પછી ધૂમાડો નીકળતો બંધ થઈ જાય, ત્યારે બળતા છાણા અથવા કોલસા ઉપર ગોળ અને ઘીથી ધૂપ આપવું જોઈએ. આ દિવસે પિતૃઓ પૃથ્વી પર વાયુ વેગે આવે છે આ દરમિયાન પિતૃઓનું ધ્યાન ઘરતા રહેવું મનમાં ૐ પિતૃભ્યૌ નમઃ અથવા ૐ નમો ભગવતે વાસુદેવાય જાપ કરવો.
7) આ દિવસે ઘરે ખીર બનાવો અને પિતૃઓને પ્રસાદ તરીકે અપણૅ અને ઘરનાં સવૅ સભ્યો સાથે મળીને ભોજન કરો આમ કરવાથી પણ પિતૃઓ તૃપ્ત થાય છે
8) અમાસ તિથિ ના દિવસે ભગવાન શિવને કોઈ શિવાલયમાં જઈને શિવલિંગ ઉપર તાંબાના લોટાથી જળ તથા ચાંદીના લોટાથી કાચુ દૂધ ચઢાવો અને સાથે સાથે શિવ પંચઅક્ષર મંત્ર ૐ નમઃ શિવાય મંત્રનો જાપ કરતા રહો. તે પછી શુદ્ધ જળ ચઢાવો. શિવલિંગનો ચંદન ચોખા, બીલીપાન, ધતૂરો, ફળ-ફૂલ ચઢાવો. ભગવાનને મીઠાઈનો ભોગ ધરાવો. ધૂપ-દીપ પ્રગટાવીને આરતી કરો. પછી પ્રદક્ષિણા કરીને એક માળા ૐ નમઃ શિવાય ની કરો.
9) આ અમાવસ્યા ના દિવસે સવારે પીપળા વૃક્ષ પર દૂધ જળ ને મિશ્ર કરીને ચડાવું સાથે ૐ નમો ભગવતે વાસુદેવાય મંત્ર જાપ કરવા. અને સંધ્યા સમયે સરસવ ના તેલ નો ચૌમુખ વાળો દિવો કરવો. આ સમયે ૐ પિતૃભ્યૌ નમઃ મંત્ર જાપ પણ કરી શકો છો.
અમાસ ના દિવસે શું ના કરવું?
1) અમાસ તિથિ ના દિવસે તમે વ્રત કરો કે ના કરો પણ કંઈ પણ નશીલા પદાર્થો સેવન કે કોઈ વસ્તુ નશો ના કરો.
2) અમાસ ના દિવસે બ્રહ્મચર્ય નું પાલન કરો.
3) અમાસ ના દિવસે ધરમાં કે બહાર નાના મોટા ની ઉપર કોધ ના કરવો
4) અમાસ ના દિવસે માંસ મદિર નું સેવન ના કરવું
5) અમાસ ના દિવસે પારકા એટલે બીજા નું અન્ન ના ખાવ. ધરે બનાવીને જમો.
6) ઘરની અંદર કે ઘરના મુખ્ય દરવાજાની આજુબાજુ ક્યાય જગ્યાએ થૂકવું અશુભ માનવામાં આવે છે
7) આ દિવસે નખ અને વાળ કાપવાથી નકારાત્મક શક્તિઓનો પ્રભાવ તમારા ઉપર થઈ શકે છે
"" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે
""શ્રી ગણેશ બાવની"" ગુજરાતી લખાણ સાથે
સંતાન ગણપતિ સ્તોત્રમ્ ગુજરાતી લખાણ સાથે
"" શ્રી વિષ્ણુ ચાલીસા "" ગુજરાતી લખાણ સાથે
""" શ્રી વિષ્ણુ સ્તુતિ """ ગુજરાતી લખાણ સાથે
""" શ્રી વિષ્ણ્વષ્ટકમ્ """ ગુજરાતી લખાણ સાથે
આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત
દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી
જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો