સોમવાર, 29 નવેમ્બર, 2021

ઉત્પત્તિ એકાદશીની વ્રતકથા મહાત્મ્ય ગુજરાતીમાં | Utpatti Ekadashi Vrat Katha Gujarati | Okhaharan

 ઉત્પત્તિ એકાદશીની વ્રતકથા મહાત્મ્ય ગુજરાતીમાં | Utpatti Ekadashi Vrat Katha Gujarati | Okhaharan 

Utpatti-Ekadashi-Vrat-Kaha-gujarati
Utpatti-Ekadashi-Vrat-Kaha-gujarati
 

 

શ્રી ગણેશાય નમઃ સ્વાગત છે તમારૂ આપણા ગુજરાતી ભક્તિ લેખમાં આજે આપણે જાણીશું કારતક માસના કૃષ્ણ પક્ષની એકાદશી ઉત્પત્તિ એકાદશીની વ્રત કથા જે તમે સંપૂણૅ ક્યાંય વાચી નહી હોય. ચાલો આપણે જાણીયે કથા.

ભગવાન બોલ્યા :" હે અર્જુન ! સતયુગ માં એક મહા ભયંકર દૈત્ય હતો .જેનું નામ મુર હતું .એ દૈત્યે દેવતા સહીત ઇન્દ્ર ને પરાસ્ત કરી વિજય મેળવી તેમને તેમના સ્થાન પરથી પાડી દીધા હતા .ત્યારે દેવેન્દ્ર એ મહાદેવજી ને પ્રાર્થના કરી કે હે શિવ શંકર ! અમે બધા દેવતા મુર દૈત્ય થી દુઃખી થઇ ને મૃત્યુ લોક માં પોતાનું જીવન વ્યતીત કરીએ છે .અન્ય દેવતાઓ ની હાલત નું તો હું વર્ણન જ કરી શકતો નથી ,પણ તમે કૃપા કરીને આ મહાન દુઃખ માં થી છૂટવાનો ઉપાય બતાવો ."

Utpatti-Ekadashi-2021-gujarati

 

શંકરજી બોલ્યા :"હે દેવેન્દ્ર !તમે વિષ્ણુ ભગવાન ની પાસે જાઓ ."

ઇન્દ્ર અને અન્ય દેવતા મહાદેવજી ના વચન સાંભળી ક્ષીર સાગર માં ગયા ,જ્યાં ભગવાન વિષ્ણુ શેષશય્યા પર શયન કરતા હતા .ભગવાન ને શયન કરતા જોઈને દેવતાઓ સહીત ઇન્દ્રે સ્તુતિ કરી :"હે દેવો ના દેવ ! તમે સ્તુતિ કરવા યોગ્ય છો ,તમને વારંવાર પ્રણામ છે .હે દૈત્યો ના સંહારક ! હે મધુસુદન ! તમે અમારી રક્ષા કરો .હે જગન્નાથ !અમે સમસ્ત દેવ,દૈત્યો થી ભયભીત થઇ ને અમે તમારી શરણ માં આવ્યા છીએ .આ સમયે દૈત્યો એ અમને સ્વર્ગ માં થી કાઢી મુક્યા છે .અમે બધા દેવતા પૃથ્વી ઉપર વિચરણ કરીએ છે .હવે તમે જ અમારી રક્ષા કરો .દેવતાઓ ની આ કરુણા પૂર્ણ વાણી સાંભળી શ્રી વિષ્ણુ ભગવાન બોલ્યા :"હે દેવતાઓ ! તે કયો દૈત્ય છે ,જેને દેવતાઓ ને જીતી લીધા છે ?"

ભગવાનના અમૃતરૂપી વચનો સાંભળી ઇન્દ્ર બોલ્યા :"હે ભગવાન ! પ્રાચીન સમય માં નાડીજંગ નામ નો એક દૈત્ય હતો .આ દૈત્ય ની બ્રહ્મ વંશ થી ઉત્પત્તિ થઇ હતી .એ દૈત્ય નું નામ મુર છે .તેની રાજધાની ચંદ્રાવતી છે .એ નગરી માં તે મુર નામ નો દૈત્ય નિવાસ કરે છે .જેને પોતાના બલ થી સમસ્ત વિશ્વ ને જીતી લીધું છે .અને બધા દેવતાઓ ને દેવલોક મા થી કાઢી ને ઇન્દ્ર ,અગ્નિ, સૂર્ય, વરુણ, યમ ,ચંદ્રમાં આદિ ને લોકપાલ બનાવ્યા છે .તે સ્વયં સૂર્ય બનીને પૃથ્વી પર તપે છે અને સ્વયં મેઘ બનીને જળ ની વર્ષા કરે છે તેથી તે બળવાન ભયંક દૈત્ય નેમારી તમે દેવતાઓ ની તમે રક્ષા કરો ."ઇન્દ્ર ના આવા વચન સાંભળી શ્રી વિષ્ણુ ભગવાન બોલ્યા :" હે દેવતાઓ ! હું તમારા શત્રુ નો શીઘ્ર જ સંહાર કરીશ .હવે તમે એ ચંદ્રાવતી નગરી મા જાઓ ."


આ રીતે ભગવાન વિષ્ણુ દેવતાઓ ની સાથે ચાલ્યા .એ સમયે દૈત્યપતી

મુર અનેક દૈત્યો ની સાથે યુદ્ધ ભૂમિ માં ગરજી રહ્યો હતો .યુદ્ધ પ્રારંભ થતા અસંખ્ય દાનવ અનેક શાસ્ત્રો ને ધારણ કરી દેવતાઓ સાથે યુદ્ધ કરવા લાગ્યા .પણ દેવતા દૈત્યો ની આગળ ના ટકી શક્યા.ત્યારે ભગવાન વિષ્ણુ પણ યુદ્ધ ભૂમિ માં આવીગયા .જયારે દૈત્યો ને ભગવાન વિષ્ણુ ને યુદ્ધ ભૂમિ માં જોયા તો એમના ઉપર અસ્ત્ર શાસ્ત્ર થી પ્રહાર કરવા લાગ્યા .ભગવાન પણ ચક્ર અને ગદા થી એમના અસ્ત્ર શાસ્ત્રો ને નષ્ટ કરવા લાગ્યા .આ યુદ્ધ મા અનેક દાનવ સદા ના માટે સૂઈ ગયા . પણ દૈત્યો નો રાજા મુર ભગવાનની સાથે નીશાળ ભાવ થી યુદ્ધ કરતો રહ્યો .ભગવાન તેણે મારવા માટે જે જે શસ્ત્રો નો પ્રયોગ કરતા ,તે બધા તેમના તેજ થી નષ્ટ થઇ ને પુષ્પ ની સમાન પડવા લગતા અને અનેક અસ્ત્રો શસ્ત્રો ના પ્રયોગ કરવા છતાય ભગવાન તેણે જીતી ના શક્યા .

Vishnu-Sahastra-Path-In-Gujarati-Lyrics

ભગવાન એ દૈત્ય જોડે દેવતાઓ ના માટે સહસ્ત્ર વર્ષ સુધી યુદ્ધ કરતા રહ્યા પણ એ દૈત્ય ને ના જીતી શક્યા .અંતે શાંત થઇ ને વિષ્ણુ વિશ્રામ કરવા ની ઈચ્છા થી બદ્રીકાશ્રમ ચાલ્યા ગયા .એ સમયે આડત્રીસ કોસ લાંબી એક દ્વાર વાળી હેમવતી નામ ની ગુફા

માં શયન કરવાની ઈચ્છા થી પ્રવેશ કર્યો .

હે અર્જુન ! મેં તે ગુફા માં શયન કર્યું ત્યાં તે દૈત્ય પણ મરી પાછળ પાછળ ચાલવા લાગ્યો અને મને શયન કરતો જોઈ ને મને મારવા તૈયાર થઇ ગયો .તે દૈત્ય વિચારવા લાગ્યો કે હું આજે મારા ચિર શત્રુ ને મારી ને સદૈવ ના માટે નિષ્કંટક થઇ જઈશ ." એ સમયે મારા અંગ માં થી એક અત્યંત સુંદર કન્યા દિવ્ય વસ્ત્ર ધારણ કરી ને ઉત્પન્ન થઇ અને દૈત્ય ની સામે આવી યુદ્ધ કરવા લાગી .તે દૈત્ય વિચારવા લાગ્યો કે આવી બળવાન સુંદર કન્યા ક્યાંથી ઉત્પન્ન થઇ ? તે દૈત્ય લગાતાર એ કન્યા સાથે યુદ્ધ કરતો રહ્યો .થોડો સમય વીત્યા પછી એ કન્યા એ ક્રોધ માં આવી ને એ દૈત્ય ના અસ્ત્રો શસ્ત્રો ના ટુકડે ટુકડા કરી નાખ્યા .એ કન્યા એ એના રથ ને તોડી નાખ્યો .એ દૈત્ય તેની સાથે મલ્લા યુદ્ધ કરવા લાગ્યો .તે કન્યા એ તેને મારી ને મૂર્છિત કરી નાખ્યો .તેના ઊઠવા પર તેનું મસ્તક કાપી નાખ્યું .મસ્તક કાપતા જ તે દૈત્ય પૃથવી પર પડી ગયો અને મૃત્યુ પામ્યો .


અન્ય સમસ્ત દાનવ પણ આ જોઈને પાતાળ લોક માં ચાલ્યા ગયા .જયારે ભગવાન વિષ્ણુ ની નિંદ્રા તૂટી તો એ દૈત્ય ને મૃત્યુ પામેલ જોઈ ને તે અત્યંત આશ્ચર્ય કરવા લાગ્યા કે - આ દૈત્ય ને કોણે માર્યો ?ત્યારે તે કન્યા ભગવાન ને હાથ જોડી ને બોલી કે હે ભગવાન ! આ દૈત્ય તમને મારવા તૈયાર હતો ત્યારે મેં તમારા અંગ મા થી ઉત્પન્ન થઇ આનો વધ કર્યો છે ."

ભગવાન બોલ્યા :" હે કન્યા તેં આને માર્યો છે તેથી હું તારા પર અત્યંત પ્રસન્ન છું .તેં ત્રણે લોક ના દેવતાઓ ને સુખી કર્યા છે .તેથી તુ તારીઈચ્છા અનુસાર વરદાન માંગ."


કન્યા બોલી :" હે ભગવાન !મને એ વરદાન આપો કે જે મારું વ્રત કરે તેના સમસ્ત પાપ નષ્ટ થઇ જાય અને અંત માં સ્વર્ગ લોક માં જાય અનેમારા વ્રત નું

અડધું ફળ રાત્રી નું મળે અને અડધું ફળ એક સમય ભોજન કરનાર ને મળે .જે મનુષ્ય ભક્તિ પૂર્વક મારું વ્રત કરે તે નિશ્ચય જ વિષ્ણુલોક ને પ્રાપ્ત કરે .કૃપા કરીને મને એવું જ વરદાન આપો .જે મનુષ્ય મારા દિવસ તથા રાતે એકવાર ભોજન કરે તે ધન ધાન્ય થી ભરપુર રહે ."

 

એકાદશી કેટલાક નિમ્લિખિત કામ 

ના કરવા જોઈએ વાચવાં અહી ક્લિક કરો.   

 

ભગવાન વિષ્ણુ તે કન્યા ને કહેછે કે "હે કલ્યાણી ! એવું જ થશે .મારા અને તારા ભક્તો એક જ હશે .એને સંસાર માં પ્રસિદ્ધિ મેળવી અંત માં મારા લોક ને પ્રાપ્ત કરશે ..હે કન્યા ! તુ એકાદશી એ ઉત્પન્ન થઇ છે તેથી તારું નામ પણ "એકાદશી" થશે . જે મનુષ્ય તારા દિવસે વ્રત કરશે એના સમસ્ત પાપ જડ થી નષ્ટ થશે અને અંત માં મુક્તિ પ્રાપ્ત કરશે .તું મારા માટે હવે ત્રીજ ,આઠમ ,નોમ અને ચૌદસ થી પણ અધિક પ્રિય છે .તારા વ્રત નું ફળ બધા તીર્થો ના ફળ થી પણ મહાન હશે ."આમ કહી ને ભગવાન અંતર્ધ્યાન થઇ ગયા .એકાદશી પણ ભગવાન ના ઉત્તમ વચનો સાંભળી ને અતિ પ્રસન્ન થઇ .


ભગવાન બોલ્યા: "હે! અર્જુન બધા તીર્થો ,દાન ,વ્રતો ના ફળ થી એકાદશી ના વ્રત

નું ફળ સર્વ શ્રેષ્ઠ છે . હું એકાદશી વ્રત કરનાર મનુષ્યો ના શત્રુઓ ને નષ્ટ ક્રી દઉં છું ,અને તેમને મોક્ષ આપું છું .હે અર્જુન! આ મેં તમને એકાદશી ના વ્રત ની ઉત્પત્તિ વિષે બતાવ્યું છે .

એકાદશી વ્રત સમસ્ત પાપો ને નષ્ટ કરનાર અને સિદ્ધિ આપનાર છે .ઉત્તમ મનુષ્યો એ બન્ને પક્ષ ની એકાદશી ને સમાન સમજવું જોઈએ .એમાં ભેદ ભાવ માનવો ઉચિત નથી .જે મનુષ્ય એકાદશી ના મહાત્મ્ય નું શ્રવણ અને પઠન કરે છે તેને અશ્વ્ મેઘ યજ્ઞ નું ફળ મળે છે ." 

 

ગીતાજીમાં કહેલા શ્રી કૃષ્ણ ભગવાનના 

108 નામ ગુજરાતી લખાણ સાથે

 

લેખ સારો લાગ્યો હોય તો મિત્રો સાથે શેર કરો અને  

 દરરોજ આવા ભક્તિ લેખ વાંચવા અમારો બોલ્ગ ફોલો કરો 

અમારી સાથે સોસીયલ મીડિયા માં જોડાવો  👇👇👇

 

 Krishna-chalisa-gujarati 

 

 

ઉત્પત્તિ એકાદશીની તિથિ માહિતી , માહાત્મય, પુજન વિઘિ | Utpatti Ekadashi 2022| Utapnna Ekadashi 2022 | Okhaharan

 ઉત્પત્તિ એકાદશીની તિથિ માહિતી , માહાત્મય, પુજન વિઘિ. | Utpatti Ekadashi 2022| Utapnna Ekadashi 2022 | Okhaharan

 

Utpatti-Ekadashi-2021-gujarati
Utpatti-Ekadashi-2021-gujarati

 

 શ્રી ગણેશાય નમઃ સ્વાગત છે તમારૂ આપણા ગુજરાતી ભક્તિ લેખમાં આજે આપણે જાણીશું કારતક માસના કૃષ્ણ પક્ષની એકાદશી ઉત્પત્તિ એકાદશીની તિથિ માહિતી , માહાત્મય, પુજન વિઘિ.આ એકાદશી નું મહત્વ શું કરવું અને શું ના કરવું? તમે ઉપવાસ કરો કે ના કરો આ વાતનું ધ્યાન રાખવું? તે બઘું લેખમાં જાણીશું.

Vishnu-Sahastra-Path-In-Gujarati-Lyrics


જય શ્રી કૃષ્ણ કારતક માસના કૃષ્ણ પક્ષની એકાદશી તિથિ ને ઉત્પત્તિ , ઉત્પત્તિકા, ઉત્પન્ના, પ્રાકટ્ય અને વૈતરણી એકાદશી કહેવાય છે. આ એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુ શરીર માંથી ઉત્પન થયેલી કન્યા એટલે એકાદશી અને આ દિવસે ઉત્પત્તિ થઈ હોવાથી ઉત્પત્તિ એકાદશી કહે છે. ચાલો આપણે જાણીયે તિથિ તારીખ સમય વિશે.


 આ વષે 2022 ની કારતક માસની વદ પક્ષની ઉત્પત્તિ એકાદશી ની શરૂઆત
 શરૂઆત 19 નવેમ્બર 2022 શનિવાર સવારે 10:29 મિનિટ
સમાપ્ત 20  નવેમ્બર 2022 રવિવાર સવારે 10:42 મિનિટ
આમ એકાદશી સૂયદય તિથિ અનુસાર 20 નવેમ્બર 2022 રવિવાર દિવસ ની રહેશે
પુજન નો શુભ સમય  સવારે 8:18 થી 12:24 સુધી.
પારણા સમય 21 નવેમ્બર સોમવાર સવારે 6:40 થી 8:47 સુધી.


એકાદશીના દિવસે પુજન કેવી રીતે કરવુ વિઘિ મારા પાછલા લેખમાં આપેલ છે વાચવાં અહી ક્લિક કરો 


 ઉત્પત્તિ એકાદશી મહત્ત્વ
ઉત્પત્તિ એકાદશી નું વ્રત પૂણૅ ભક્તિભાવ ,વિધિ-વિધાન , પૂણૅ શ્રદ્ર્દા થી કરે તો જગતના પાલનહાર બધા જ તીર્થયાત્રા નું ફળ અને ભગવાન વિષ્ણુના વૈકુંઠ લોકને પામે છે.

ઉત્પત્તિ એકાદશી વ્રતના દિવસે દાન કરવાથી અનેકગણું પુષ્ણ ફળ મલે છે. જે વ્યક્તિ આખો દિવસ જળ વગર એટલે કે નિર્જળ સંકલ્પ લઈને આ એકાદશી વ્રત રાખે છે, તેમને મોક્ષ મળે સાથે સાથે  ભગવાન વિષ્ણુના વૈકુંઠ લોકને પામે છે.


એકાદશી કેટલાક નિમ્લિખિત કામ ના કરવા જોઈએ વાચવાં અહી ક્લિક કરો.   

 

 


ઉત્પત્તિ એકાદશી વ્રત રાખવાતી વ્યક્તિના સમસ્ત પાપનો નાશ થાય છે.

એકાદશી જો કોઈ બીમાર વ્યક્તિ કોઈ રોગથી પીડાતો હોય , ઉમંરલાયક વ્યક્તિ વૃદ્ધાવસ્થા, નાના બાળક અથવા વ્યસ્ત વ્યક્તિ એટલે મજુરી વઘારે શ્રમ કરતા હોય તો એક જ વેળાનું વ્રત કરવું જોઈએ તેમાં ફળો ખાવા જોઈએ. જો આ પણ શક્ય ન હોય તો આ દિવસે ચોખા અને મીઠું ન ખાવા જોઈએ. ભગવાન વિષ્ણુ અથવા તમારા ઈષ્ટદેવની પૂજા કરો. 

 

ઉત્પત્તિ એકાદશીની વ્રતકથા મહાત્મ્ય ગુજરાતીમાં અહી ક્લિક કરો. 

 

ગીતાજીમાં કહેલા શ્રી કૃષ્ણ ભગવાનના 108 નામ ગુજરાતી લખાણ સાથે 

 

લેખ સારો લાગ્યો હોય તો મિત્રો સાથે શેર કરો અને  

 દરરોજ આવા ભક્તિ લેખ વાંચવા અમારો બોલ્ગ ફોલો કરો 

અમારી સાથે સોસીયલ મીડિયા માં જોડાવો  👇👇👇

 

 Krishna-chalisa-gujarati 

 

 

શનિવાર, 27 નવેમ્બર, 2021

આજે કાલઅષ્ટમી ના દિવસે ભૈરવ ના 8 નામનો જાપ એકવાર જરૂર કરજો | Bhairav 8 Name Gujarati | Okhaharan

આજે કાલઅષ્ટમી ના દિવસે ભૈરવ ના 8 નામનો જાપ એકવાર જરૂર કરજો | Bhairav 8 Name Gujarati | Okhaharan

Bhairav-8-name-gujarati
Bhairav-8-name-gujarati

 શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખમાં આજે આપણે જાણીશું ભૈરવ ના 8 નામ.

કારતક મહિનાના વદ પક્ષની આઠમ તિથિને કાલ ભૈરવ આઠમ તરીકે ઊજવવામાં આવે છે શનિવાર, 27 નવેમ્બરના રોજ કાલ ભૈરવ આઠમ છે .

સ્કંદ પુરાણના પ્રમાણે ભગવાન ભૈરવના 8 રૂપ છે

Bhairav-chalisa-gujarati-lyrics

 

આઠ ભૈરવના નામ:

ૐ રુરુ ભૈરવ નમઃ


ૐ સંહાર ભૈરવ નમઃ


ૐ કાલ ભૈરવ નમઃ


ૐ અસિત ભૈરવ નમઃ


ૐ ક્રોધ ભૈરવ નમઃ


ૐ ભીષણ ભૈરવ નમઃ


ૐ મહા ભૈરવ નમઃ


ૐ ખટવાંગ ભૈરવ નમઃ

 

લેખ સારો લાગ્યો હોય તો મિત્રો સાથે શેર કરો અને  

 દરરોજ આવા ભક્તિ લેખ વાંચવા અમારો બોલ્ગ ફોલો કરો 

અમારી સાથે સોસીયલ મીડિયા માં જોડાવો  👇👇👇

 


ram raksha stotra gujarati

 

Hanuman-Janjira-Chalisa-Gujarati-Lyrics 

આજે કાલભૈરવ અષ્ટમીના દિવસે કરો આ અષ્ટકનો પાઠ ભલભલા ચમરબંઘી પાણી થશે| Kalabhairava Ashtakam Gujarati Lyrics | Okhaharan

 આજે કાલભૈરવ અષ્ટમીના દિવસે કરો આ અષ્ટકનો પાઠ ભલભલા ચમરબંઘી પાણી થશે| Kalabhairava Ashtakam Gujarati Lyrics | Okhaharan

Kalbhairav-Ashtakam-Gujarati-Lyrics
Kalbhairav-Ashtakam-Gujarati-Lyrics

 

શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખમાં આજે આપણે જાણીશું તારીખ 27 નવેમ્બર 2021 કારતક વદ આઠમ એટલે કાલભૈરવ જંયતિ કાલભૈરવાષ્ટકં .

કાલભૈરવ અષ્ટકમ


દેવરાજસેવ્યમાનપાવનાઙ્ઘ્રિપઙ્કજં

વ્યાલયજ્ઞસૂત્રમિન્દુશેખરં કૃપાકરમ  

નારદાદિયોગિવૃન્દવન્દિતં દિગંબરં

કાશિકાપુરાધિનાથ કાલભૈરવં ભજે|| ૧|| 

Bhairav-chalisa-gujarati-lyrics

 
ભાનુકોટિભાસ્વરં ભવાબ્ધિતારકં પરં

નીલકણ્ઠમીપ્સિતાર્થદાયકં ત્રિલોચનમ |

કાલકાલમંબુજાક્ષમક્ષશૂલમક્ષરં

કાશિકા પુરાધિનાથ કાલભૈરવં ભજે||૨||


શૂલટઙ્કપાશદણ્ડપાણિમાદિકારણં

શ્યામકાયમાદિદેવમક્ષરં નિરામયમ |

ભીમવિક્રમં પ્રભું વિચિત્રતાણ્ડવપ્રિયં

કાશિકા પુરાધિનાથ કાલભૈરવં ભજે ||૩||


ભુક્તિમુક્તિદાયકં પ્રશસ્તચારુવિગ્રહં

ભક્તવત્સલં સ્થિતં સમસ્તલોકવિગ્રહમ |

વિનિક્વણન્મનોજ્ઞહેમકિઙ્કિણીલસત્કટિં

કાશિકાપુરાધિનાથ કાલભૈરવં ભજે ||૪||

 


ધર્મસેતુપાલકં ત્વધર્મમાર્ગનાશકં

કર્મપાશમોચકં સુશર્મદાયકં વિભુમ |

સ્વર્ણવર્ણશેષપાશશોભિતાઙ્ગમણ્ડલં

કાશિકાપુરાધિનાથ કાલભૈરવં ભજે || ૫||


રત્નપાદુકાપ્રભાભિરામપાદયુગ્મકં

નિત્યમદ્વિતીયમિષ્ટદૈવતં નિરઞ્જનમ |

મૃત્યુદર્પનાશનં કરાળદંષ્ટ્રમોક્ષણં

કાશિકાપુરાધિનાથ કાલભૈરવં ભજે ||૬||


અટ્ટહાસભિન્નપદ્મજાણ્ડકોશસન્તતિં

દૃષ્ટિપાતનષ્ટપાપજાલમુગ્રશાસનમ |

અષ્ટસિદ્ધિદાયકં કપાલમાલિકન્ધરં

કાશિકાપુરાધિનાથ કાલભૈરવં ભજે ||૭||


Sunderkand-With-Gujarati-Meaning-Slok

ભૂતસઙ્ઘનાયકં વિશાલકીર્તિદાયકં

કાશિવાસલોકપુણ્યપાપશોધકં વિભુમ |

નીતિમાર્ગકોવિદં પુરાતનં જગત્પતિં

કાશિકાપુરાધિનાથ કાલભૈરવં ભજે ||૮||


કાલભૈરવાષ્ટકં પઠન્તિ યે મનોહરં

જ્ઞાનમુક્તિસાધનં વિચિત્રપુણ્યવર્ધનમ |

શોકમોહદૈન્યલોભકોપતાપનાશનં

તે પ્રયાન્તિ કાલભૈરવાઙ્ઘ્રિસન્નિધિં ધ્રુવમ ||૯||


ઇતિ શ્રીમચ્છઙ્કરાચાર્યવિરચિતં કાલભૈરવાષ્ટકં સંપૂર્ણમ ||

Bhairav-8-name-gujarati

 

લેખ સારો લાગ્યો હોય તો મિત્રો સાથે શેર કરો અને  

 દરરોજ આવા ભક્તિ લેખ વાંચવા અમારો બોલ્ગ ફોલો કરો 

અમારી સાથે સોસીયલ મીડિયા માં જોડાવો  👇👇👇

 


ram raksha stotra gujarati

 

Hanuman-Janjira-Chalisa-Gujarati-Lyrics 

 

આજે કાલભૈરવ અષ્ટમીના દિવસે કરો આ એક પાઠ કાલભૈરવની કૃપા રહેશે | Bhairav chalisa Gujarati Lyrics | Okhaharan

આજે કાલભૈરવ અષ્ટમીના દિવસે કરો આ એક પાઠ કાલભૈરવની કૃપા રહેશે | Bhairav chalisa Gujarati Lyrics | Okhaharan

Bhairav-chalisa-gujarati-lyrics
Bhairav-chalisa-gujarati-lyrics

 

શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખમાં આજે આપણે જાણીશું તારીખ 27 નવેમ્બર 2021 કારતક વદ આઠમ એટલે કાલભૈરવ જંયતિ શ્રી ભૈરવ ચાલીસા .

શ્રી ભૈરવ ચાલીસા

દોહા

શ્રી ગણપતિ ગુરુ ગૌરિ પદ પ્રેમ સહિત ધરિ માથ .

ચાલીસા વન્દન કરૌં શ્રી શિવ ભૈરવનાથ ..


શ્રી ભૈરવ સંકટ હરણ મંગલ કરણ કૃપાલ .

શ્યામ વરણ વિકરાલ વપુ લોચન લાલ વિશાલ ..


જય જય શ્રી કાલી કે લાલા . જયતિ જયતિ કાશી-કુતવાલા ..


Bhairav-8-name-gujarati

જયતિ બટુક-ભૈરવ ભય હારી . જયતિ કાલ-ભૈરવ બલકારી ..


જયતિ નાથ-ભૈરવ વિખ્યાતા . જયતિ સર્વ-ભૈરવ સુખદાતા ..


ભૈરવ રૂપ કિયો શિવ ધારણ . ભવ કે ભાર ઉતારણ કારણ ..


ભૈરવ રવ સુનિ હ્વૈ ભય દૂરી . સબ વિધિ હોય કામના પૂરી ..


શેષ મહેશ આદિ ગુણ ગાયો . કાશી-કોતવાલ કહલાયો ..


જટા જૂટ શિર ચંદ્ર વિરાજત . બાલા મુકુટ બિજાયઠ સાજત ..


કટિ કરધની ઘૂઁઘરૂ બાજત . દર્શન કરત સકલ ભય ભાજત ..


જીવન દાન દાસ કો દીન્હ્યો . કીન્હ્યો કૃપા નાથ તબ ચીન્હ્યો ..


વસિ રસના બનિ સારદ-કાલી . દીન્હ્યો વર રાખ્યો મમ લાલી ..


ધન્ય ધન્ય ભૈરવ ભય ભંજન . જય મનરંજન ખલ દલ ભંજન ..


કર ત્રિશૂલ ડમરૂ શુચિ કોડ઼ા . કૃપા કટાક્શ સુયશ નહિં થોડા ..


જો ભૈરવ નિર્ભય ગુણ ગાવત . અષ્ટસિદ્ધિ નવ નિધિ ફલ પાવત ..


રૂપ વિશાલ કઠિન દુખ મોચન . ક્રોધ કરાલ લાલ દુહુઁ લોચન ..


અગણિત ભૂત પ્રેત સંગ ડોલત . બં બં બં શિવ બં બં બોલત ..


રુદ્રકાય કાલી કે લાલા . મહા કાલહૂ કે હો કાલા ..


બટુક નાથ હો કાલ ગઁભીરા . શ્વેત રક્ત અરુ શ્યામ શરીરા ..


કરત નીનહૂઁ રૂપ પ્રકાશા . ભરત સુભક્તન કહઁ શુભ આશા ..


રત્ન જડ઼િત કંચન સિંહાસન . વ્યાઘ્ર ચર્મ શુચિ નર્મ સુઆનન ..


તુમહિ જાઇ કાશિહિં જન ધ્યાવહિં . વિશ્વનાથ કહઁ દર્શન પાવહિં ..


જય પ્રભુ સંહારક સુનન્દ જય . જય ઉન્નત હર ઉમા નન્દ જય ..


Hanumanji Stuti Gujarati

ભીમ ત્રિલોચન સ્વાન સાથ જય . વૈજનાથ શ્રી જગતનાથ જય ..


મહા ભીમ ભીષણ શરીર જય . રુદ્ર ત્રયમ્બક ધીર વીર જય ..


અશ્વનાથ જય પ્રેતનાથ જય . સ્વાનારુઢ઼ સયચંદ્ર નાથ જય ..


નિમિષ દિગંબર ચક્રનાથ જય . ગહત અનાથન નાથ હાથ જય ..


ત્રેશલેશ ભૂતેશ ચંદ્ર જય . ક્રોધ વત્સ અમરેશ નન્દ જય ..


શ્રી વામન નકુલેશ ચણ્ડ જય . કૃત્યાઊ કીરતિ પ્રચણ્ડ જય ..


રુદ્ર બટુક ક્રોધેશ કાલધર . ચક્ર તુણ્ડ દશ પાણિવ્યાલ ધર ..


કરિ મદ  પાન શમ્ભુ ગુણગાવત . ચૌંસઠ યોગિન સંગ નચાવત ..


કરત કૃપા જન પર બહુ ઢંગા . કાશી કોતવાલ અડ઼બંગા ..


દેયઁ કાલ ભૈરવ જબ સોટા . નસૈ પાપ મોટા સે મોટા ..


જનકર નિર્મલ હોય શરીરા . મિટૈ સકલ સંકટ ભવ પીરા ..


શ્રી ભૈરવ ભૂતોંકે રાજા . બાધા હરત કરત શુભ કાજા ..


ઐલાદી કે દુઃખ નિવારયો . સદા કૃપાકરિ કાજ સમ્હારયો ..


સુન્દર દાસ સહિત અનુરાગા . શ્રી દુર્વાસા નિકટ પ્રયાગા ..


શ્રી ભૈરવ જી કી જય લેખ્યો . સકલ કામના પૂરણ દેખ્યો ..


દોહા

જય જય જય ભૈરવ બટુક સ્વામી સંકટ ટાર .

કૃપા દાસ પર કીજિએ શંકર કે અવતાર ..


 

લેખ સારો લાગ્યો હોય તો મિત્રો સાથે શેર કરો અને  

 દરરોજ આવા ભક્તિ લેખ વાંચવા અમારો બોલ્ગ ફોલો કરો 

અમારી સાથે સોસીયલ મીડિયા માં જોડાવો  👇👇👇

 


ram raksha stotra gujarati

 

Hanuman-Janjira-Chalisa-Gujarati-Lyrics 

 

શુક્રવાર, 26 નવેમ્બર, 2021

શુક્રવારે કેટલાક કાયૅ કરવાથી માતા લક્ષ્મી ખુશ થાય અને અપાર ધન વષૅ થાય | Sukravar Ke Upay Gujarati | Okhaharan

 શુક્રવારે કેટલાક કાયૅ કરવાથી માતા લક્ષ્મી ખુશ થાય અને અપાર ધન વષૅ થાય | Sukravar Ke Upay Gujarati | Okhaharan

sukravar-ke-upay-gujarati
sukravar-ke-upay-gujarati

 

શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખમાં આજે આપણે જાણીશું  શુક્રવારે કેટલાક કાયૅ એવા કરવા કે જેથી માતા લક્ષ્મી ખુશ થાય અને અપાર ધન વષૅ થાય.ચાલો આપણે જાણીયે એવા કેટલાક કાયૅ..

mahalakshmi-ashtakam-gujarati-Lyrics

 

શુક્રવાર ના દિવસે શ્રી મહાલક્ષ્મીની પૂજા કરો અને મહાલક્ષ્મી જીનું શુક્રવારે વ્રત રાખો, આ દિવસે ભુલથી પણ ખાટી વસ્તુઓ ના ખાવ.

શુક્રવાર ના દિવસે મહાલક્ષ્મી મંદિરમાં જઈને તેમનો  શ્રીસુક્તત નો પાઠ કરો અને દેવી લક્ષ્મીને લક્ષ્મી કમળનું ફૂલ ચઢાવો. મા લક્ષ્મીના છબી કે મુતિ પાસે ગાયના ઘી નવ દીવો પ્રગટાવો. 


 

દરરોજ પોતાને અને ઘરને સાફ અને સ્વચ્છ રાખો તથા હંમેશા સ્વચ્છ કપડાં પહેરવાનો આગ્રહ રાખો. નિયમિત સ્વચ્છ માટે સ્નાન કરો અને શરીરને કોઈ પણ જગ્યાએ બિલકુલ ગંદુ ન રાખો. સુગંધિત અત્તર, પ્રફુયમ વાપરો.

શુક્રવાર ના દિવસે સફેદ રંગના વસ્ત્રો અથવા સફેદ રંગની વસ્તુઓનું  દાન કરો. 


દરરોજ જમતા પહેલા ખોરાકનો થોડો ભાગ ગાય, કુતરા પક્ષીઓ માટે અલગ કાઠો.

શુક્રવાર ના દિવસે બે સારા મોતી લો અને એક મોતીને વહેતા પાણીમાં શ્રી મહાલક્ષ્મી નમઃ અને હ્રીં શુક્રાય નમઃ મંત્ર બોલીને પાણીમાં પઘરાવી દો અને બીજો તમારી પાસે જીવનભર રાખો.

શુક્રવાર ના દિવસે 21 શુક્રવાર સુધી નવ વર્ષથી ઓછી કુમારી પાંચ કન્યાઓને ખાંડવાળી ખીર ખવડાવો.


શુક્રવાર ના દિવસે માટીના વાસણને લાલ રંગથી રંગો અને તેના પર લાલ દોરો બાંધો. હવે તેમાં એક જડ કરેલું નારિયેળ નાખો અને વહેતા પાણીમાં પ્રવાહિત કરો.

અંગારકી સંકષ્ટ ચતુર્થી વ્રત- કથા,મહાત્મય Youtube પર સાભળો


શ્રી ગણપતિ અથવૅશીષૅ પાઠ Youtube પર સાભળો ફકત 3 મિનિટમાજ 


સરમતા સુખ પામીએ ગણપતિ ભજન Youtube પર સાભળો 

ganesh-stotram-ganesh-runmuki-stotram-gujarati

 

લેખ સારો લાગ્યો હોય તો મિત્રો સાથે શેર કરો

દરરોજ આવા લેખ વાંચવા અમારો બોલ્ગ ફોલો કરો 

અમારી સાથે સોસીયલ મીડિયા માં જોડાવો  👇👇👇

 

lakshmi-stuti-lyrics-gujarati