શુક્રવાર, 21 મે, 2021

વૈશાખ માસની સુદ પક્ષની મોહિની એકાદશી નુ મહત્ત્વ , પુજન કેવી રીતે કરવું? શું ના કરવું ? અને શું કરવું? Mohini Ekadashi Gujarati Okhaharan

વૈશાખ માસની સુદ પક્ષની મોહિની એકાદશી નુ મહત્ત્વ , પુજન કેવી રીતે કરવું?  શું ના કરવું ? અને શું કરવું?   Mohini Ekadashi Gujarati Okhaharan

Mohini-Ekadashi-Vrat-Mahiti-Gujarati
Mohini-Ekadashi-Vrat-Mahiti-Gujarati

 

મોહિની એકાદશી નું મહત્ત્વ | પુજન કેવી રીતે કરવું?| શું ના કરવું ? | અને શું કરવું? | 

 

વૈશાખ સુદ એકાદશી એટલે મોહિની એકાદશી. આ પંચાંગ  તિથિએ દેવ અને દાનવ દ્રારા સમુદ્ર મંથન કરીને અમૃત કાઢવામાં આવ્યું હતું, આ દિવસે વ્રત જપ તપ પુજન દાન પુણ્ય કરવાથી અનેક યજ્ઞનું ફળ મલે છે.

ૐ નમો ભગવતે વાસુદેવાય

એકાદશી ના નામ પરથી ખબર પડી ગઈ હશે કે મોહ આપનાર નહીં પરંતુ મોહ માયામાંથી મુક્તિ આપનારી એકાદશી છે.આ દિવસે ખાસ વિષ્ણુ ભગવાન ના મોહિની રૂપ નું પુજન કરવાથી અનેક ધણું ફળ મલે છે.જેમ અધિક મહિનામાં પુજન કરવાથી અનેક ધણું ફળ મલે એમજ આ વૈશાખ મહિનામાં વિષ્ણુ ભગવાનનું પુજન ખાસ માનવામાં આવે છે.


આ વષે 2022 માં આ વૈશાખ મહિનામાં 

શરૂઆત 11 મે 2022 બુઘવાર સાંજે  7:31 મિનિટ

સમાપ્ત 12 મે 2022 ગુરૂવાર સાંજે 6: 51 મિનિટ

ઉપવાસ સૂયૅદય શરૂ થતો કરવો જોઈએ માટે

ઉપવાસ 12 મે 2022 ગુરૂવાર કરવો

પુજન નો શુભ સમય સવારે 12:35 થી 2:14 સુધી.

પારણા સમય 13 મે 2022 શુક્રવાર સવારે 5:35 થી 8:13 સુધી.


વિષ્ણુ પુરાણ પ્રમાણે આ દિવસે સમુદ્રમાં દેવ અને દાનવ દ્રારા મંથનથી અમૃત પ્રકટ થયું હતું અને ભગવાન વિષ્ણુએ મોહિની સ્વરૂપ ધારણ કરીને અમૃતની રક્ષા કરી હતી. એકાદશી વ્રત હંમેશા 3 દિવસ નું હોય છે. આ એકાદશીનું વ્રત કરનાર લોકોએ એક દિવસ પહેલાં એટલે દશમ તિથિના સૂયૅઅસ્ત થી નિયમ નું પાલન કરી બારશ ના સૂયૅઅસ્ત સુધી કરવાનું હોય છે. રાતથી જ વ્રતના નિયમોનું પાલન કરવું જોઇએ. આ વ્રતમાં માત્ર ફળાહાર જ કરવામાં આવે છે.


પૂજા વિધિઃ-

એકાદશીના દિવસે સૂર્યોદય પહેલાં જાગી નિત્યક્રમ પૂર્ણ કરીને સ્નાન કરવું. પાણીમાં ખાસ કરીને ગંગાજળ ઉમેરીને સ્નાન કરજો. ત્યાર બાદ સાફ અને સ્વચ્છ વસ્ત્ર ધારણ કરી ભગવાન વિષ્ણુની પૂજા કરવી જોઇએ.પીળા રંગના વસ્ત્રો પહેરે તો ખુબજ શુભ માનવામાં આવે છે

એક બાજઠ પર પીળા કલરની નું વસ્ત્ર પાથરીને તેના ઉપર ભગવાન વિષ્ણુની છબી કે મ્રુતિ મુકો જો તમારી પાસે વિષ્ણુ ભગવાન ની મુતિ કે છબી ના હોય તો તેમના દસ અવતાર માંથી કોઈ પણ છબી કે મુતિ લઈ શકાય છે અને ખાસ આ મોહિની એકાદશી ના દિવસે મોહિની રૂપ ની છબી હોય ધણું ઉત્તમ માનવામાં આવે છે. બાજઠ પર  ઘીનો દીવો પ્રગટાવવો અને ગાય ધી હોય અતિ શુભ તથા હાથમાં જળ લઈને વ્રતનો સંકલ્પ લેવો. એક કળશ શુદ્ધ જળ અથવા ગંગાજળ ભરીને રાખો. 


ત્યારબાદ છબી તથા મુતિ ને સ્વચ્છ કરો.જોશકય હોય તો મુતિ પર પંચામૃત નો અભિષેક કરો સાથે ૐ નમો ભગવતે વાસુદેવાય મંત્ર નો જાપ અથવા વિષ્ણુ સહસ્ત્રનામ સ્ત્રોત સાંભળો અને સાથે અભિષેક કરો. પછી મુતિ અને છબી ને સ્વચ્છ કરીને પીળા કલર નું વસ્ત્ર ચડાવો.પુજનમા ખાસ પીળા રંગની મીઠાઈ, ફુલ પીળા રંગના તથા લક્ષ્મી કમળ અને વિષ્ણુ ભગવાનને પ્રિય તુલસી પાન ચડાવો.

 ધૂપ, દીપથી આરતી કરો અને કથા વાતૉઓ વાંચો અથવા સાંભળો અને ભગવાન વિષ્ણુન  ભજન  જ કીર્તન કરો . રાતે ભગવાનનું ભજન કીર્તન કરીને જાગરણ અવશ્ય કરવું. એકાદશી દિવસે યથાશક્તિ પ્રમાણે ગાય , કુતરા, ગરીબ , જરૂરિયાત મંદ લોકો તથા બ્રાહ્મણ દાન પુણ્ય કરો.


મોહિની એકાદશીનું મહત્ત્વઃ-

માન્યતા પ્રમાણે, વૈશાખ મહિનાના સુદ પક્ષની એકાદશીનું વ્રત રાખવાથી મન અને શરીર બંને જ સંતુલિત રહે છે. ખાસ કરીને ગંભીર રોગોથી રક્ષા થાય છે અને યશ પ્રાપ્ત થાય છે. આ એકાદશીના ઉપવાસથી મોહનું બંધન નષ્ટ થઇ જાય છે. એટલે જ, તેને મોહિની એકાદશી કહેવામાં આવે છે.આ એકાદશીનું વ્રત તમામ પાપનો નષ્ટ કરીને વ્યક્તિના વિષ્ણુ લોકોની પ્રાપ્તિ થાય છે.

એકાદશીએ શું કરવું-

આ દિવસે સવારે જલ્દી જાગીને સ્નાન કરવું અને પુજન પછી તુલસીના છોડ દિવો કરીને જળ ચઢાવવું અને પ્રદક્ષિણા કરવી

આખો દિવસ કંઇ જ ખાવું જોઇએ નહીં. ખાસ કરીને તામસી ભોજન જેમ કે ડુંગરી લસણ ના ખાવું. આખો દિવસ ભૂખ્યા રહેવું સંભવ ન હોય તો ફળ ખાઈ શકો છો.

વૈશાખ મહિનામાં ગરમી હોવાથી માટીના વાસણમાં પાણી ભરીને દાન કરવું જોઇએ.


કોઇ મંદિરમાં ભોજન અથવા અનાજનું દાન કરવું જોઇએ.

એકાદશીએ શું ન કરવું-

આ દિવસે ચોખા, ભોજન , ચણા, માંસાહાર ના ખાવું.

ડુંગરી લસણ તામસી ભોજન ના લેવું ત્રણ દિવસ.

જુઠું બોલવું નહીં કોઈ ની નિંદા ના કરવી.

બ્રહ્મચર્યનું ખાસ પાલન કરો.

વડીલોનું અપમાન ના કરવું.

ખોટા ખરાબ વૃત્તિ વાળા લોકોની સંગતથી બચવું.

Mohini-Ekadashi-Vrat-Katha-Gujarati

 

 


લેખ સારો લાગ્યો હોય તો મિત્રો સાથે શેર કરો

દરરોજ આવા લેખ વાંચવા અમારો બોલ્ગ ફોલો કરો 

અમારી સાથે સોસીયલ મીડિયા માં જોડાવો  👇👇👇

 

Krishna-chalisa-gujarati 


 

 

 

 Ekadashi Upay,

 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો