રવિવાર, 27 ફેબ્રુઆરી, 2022

મહાશિવરાત્રી ક્યારે છે ? મહાશિવરાત્રી નું માહાત્મ્ય શું છે? શું છે ચાર પ્રહર પુજન નો સમય અને આ સમય ક્યાં મંત્રો નો જાપ કરવા ? | mahashivratri 2023 Gujarati | Okhaharan

મહાશિવરાત્રી ક્યારે છે ? મહાશિવરાત્રી નું માહાત્મ્ય શું છે?  શું છે ચાર પ્રહર પુજન નો સમય અને આ સમય ક્યાં મંત્રો નો જાપ કરવા ? | mahashivratri 2023 Gujarati | Okhaharan

 
mahashivratri-2022-Gujarati
mahashivratri-2022-Gujarati
 

શ્રી ગણેશાય નમઃ સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખ માં આજે આપણે જાણીશું મહાશિવરાત્રી ક્યારે છે ? મહાશિવરાત્રી નું માહાત્મ્ય શું છે?  શું છે ચાર પ્રહર પુજન નો સમય અને આ સમય ક્યાં મંત્રો નો જાપ કરવા તે આજે લેખમાં જાણીશું.

મહાશિવરાત્રી કરો શિવજીના આ 5 મંત્ર  શિવજી ની કૃપા હંમેશ માટે રેહશે અહી ક્લિક કરો. 


આમ આખા વષૅ બે માસની શિવરાત્રી અને અધિક મહિનાની બે એટલે કુલ ૨૬ શિવરાત્રી આવે છે એમાં પણ મહા માસ ની શિવરાત્રી એટલે કે મહાશિવરાત્રી એ મહાદેવ ની ભક્તિ કરવાનો વષૅ સોથી ઉત્તમ દિવસ છે આમ તો શ્રાવણ માસ આંખો શિવ ભક્તિ નો છે પણ આ એક દિવસ નો મહિમા વધારે છે.આ દિવસ આખી રાખ જાગરણ કરીને મહાદેવ ની જપ ,તપ ,પુજન કરવાની હોય છે. હવે આપણે જાણીએ મહાશિવરાત્રી નું માહત્મ્ય શું છે ? તે જાણીયે.

મહાશિવરાત્રી શિવજીના 5 મંત્રો નો અથૅ જાણીને જાપ કરવાથી અઘિક ફળ મલે અહી ક્લિક કરો. 


શિવપુરાણ અનુસાર જયારે બ્રહ્માજી અને વિષ્ણુજી વચ્ચે વિવાદ થયો હતો કે બંનેમાં શ્રેષ્ઠ કોણ છે? એકબાજુ બ્રહ્માજી પોતાને  બ્રહ્માંડના સર્જક તરીકે સર્વશ્રેષ્ઠ ગણાતા હોવાનો દાવો કરી રહ્યા અને બીજીબાજુ ભગવાન વિષ્ણુ સમગ્ર સૃષ્ટિના પાલનહાર કરતા હોવાથી  પોતાને શ્રેષ્ઠ ગણાવતા હતા. ત્યારે અચાનક બંને વચ્ચે એક વિરાટ લિંગ દેખાયું. અને લિંગ માંથી વાણી થઈ તમારા બંને માંથી જે પણ આ લિંગનો અંત સૌથી પ્રથમ શોધશે તે શ્રેષ્ઠ માનવામાં આવશે. પછી ની કથા આપ જાણો છે કે બ્રહ્માજી જુઠું બોલતા ભૈરવ એ એમનું પાંચમું મુખ કાપી નાખ્યું અને શિવજી એ ભગવાન વિષ્ણુ ને શ્રેષ્ઠ ગણાવ્યાં. જે દિવસે આ અનંત લિંગ પ્રગટ થયું એ દિવસ તિથિ મહા વદ ચૌદશ હતી.

 

  2023 મહાશિવરાત્રી ના દિવસે 617 વષૅ ચાર ગ્રહ ના સંયોગ માં કરો 12 રાશિ મુજબ આ ઉપાય અને મંત્ર

 


શિવપુરાણ ની કથા અનુસાર આ દિવસે શિવ અને સતી બીજો જન્મ પાવૅતી ના લગ્ન આ દિવસ ની તિથિ થયાં હતાં એને મહાશિવરાત્રી કહેવાય છે


કેટલાક લોકો આ તિથિ ને મહાદેવ ના જન્મદિવસ તરીકે પણ ઉજવે છે. આ દિવસે ભાગ નો પરસાદ પીવાનો અને શંકરીયા બટાકા ખવાનો માન્યતા છે.


મહાશિવરાત્રી ના દિવસે શિવજીના ૧૦૮ નામ જાપ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 


મિત્રો આ હતું શિવરાત્રી માહાત્મ્ય આપણે જાણીએ ક્યારે મહાશિવરાત્રી ની તિથિ શરૂ થાય છે અને શું છે ચાર પ્રહર પુજન નો સમય..

શરૂઆત 18 ફેબ્રુઆરી 2023 શનિવાર રાત્રે 8:02 મિનિટ
સમાપ્તી 19 ફેબ્રુઆરી 2023 રવિવાર સાંજે 4:17 મિનિટ

પ્રથમ પ્રહરની પૂજા: 18 ફેબ્રુઆરી 2023 સાંજે 6:21 થી 9:31 સુધી
મહાશિવરાત્રી 2જી પ્રહર પૂજા: 18 ફેબ્રુઆરી 2023 રાત્રે 9:31 થી 12:41 સુધી
મહાશિવરાત્રીના ત્રીજા પ્રહરની પૂજાઃ 19 ફેબ્રુઆરી 2023 રાત્રે 12:41 થી 3:51 સુધી
મહાશિવરાત્રી 4થી પ્રહર પૂજા: 19 ફેબ્રુઆરી 2023 સવારે 3:52 થી 7:01 સુધી

ઉપવાસનું પરણ: 19 ફેબ્રુઆરી 2023 સવારે 7:02 કલાકે


આ દિવસે રાત્રે એટલે કે
18 ફેબ્રુઆરી 2023 રાત્રે 0:09 થી 1:00 સુધી સમય ને નિષેધ કાળ કહેવાય છે આ સમય બસ મહાદેવ ને શક્ય એક લોટો જળ ચડાવો અને ૐ નમઃ શિવાય ની બંને એટલી માળા જરૂર કરો 

મહાશિવરાત્રી ના દિવસે શિવજી ની સ્તુતિ કરવાથી ભોળાનાથ ભરી દેશે ધનના ભંડાર અહી ક્લિક કરો. 


આ પુજન ચાર પ્રહર મુજબ શાસ્ત્રો માં અલગ મંત્રો જણાવ્યા છે તે આ મુજબ છે


પ્રથમ પ્રહરમાં - 'હ્રીં ઈશાનાય નમઃ'

બીજા પ્રહરમાં- 'હ્રીં અઘોરાય નમઃ'

ત્રીજા પ્રહરમાં - 'હ્રીં વામદેવાય નમઃ'

ચોથા પ્રહરમાં- 'હ્રીં સદ્યોજાતાય નમઃ'.


મિત્રો આ હતું મહાશિવરાત્રી નુ માહાત્મ્ય તેના પુજન નો પ્રહર સમય અને ક્યાં મંત્ર જાપ કરવાના એ જાણ્યું આપડે હું આશા રાખું આ લેખ તમને જરૂર પસંદ આવ્યો હશે તો ૐ નમઃ શિવાય કોમેન્ટ માં જરૂર લખજો.

Mahashivratri-Vrat-Katha-Gujarati

 

 

 

 

મહાદેવ ની ભક્તિ માટે  મોબાઈલ એપ ફી ડાઉનલોડ જે  Make in India છે અહી ક્લિક કરો.

સંપૂર્ણ "શિવ માળા 108 મણકા" ગુજરાતી લખાણ સાથે

 શિવમહિમ્નઃ સ્તોત્રમ  

શિવ બાવની ગુજરાતી લખાણ સાથે  


  જય શ્રી કૃષ્ણ  રુદ્રાભિષેક ,  લઘુરુદ્ર યજ્ઞ,મહારૂદ્રયજ્ઞ, ગૃહવાસ્તુ પુજન, નવગ્રહ શાંતિ , નવગ્રહ મંત્ર જાપ , કાલસપૅ દોષ , ચાંડાલ દોષ, અંગારક દોષ વગેરે જન્મ કુંડળી ના દરેક દોષોનું નિવારણ , નવચંડી યજ્ઞ, શતચંડી યજ્ઞ, પ્રાણપતિષ્ઠા વિધિ, કરનાર. તેમજ  આ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો.👇👇👇 

 

Shiv-Stuti-Gujarati-Lyrics

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો