ગુરુવાર, 19 ઑગસ્ટ, 2021

જીવંતિકા માં ની ચાલીસા | Jivantika Chalisa with Gujarati Lyrics | Jivantika Maa ni Chalisa | Okhaharan

જીવંતિકા માં ની ચાલીસા | Jivantika Chalisa with Gujarati Lyrics |  Jivantika Maa ni Chalisa | Okhaharan

jivantika-chalisa-in-gujarati

 

જીવંતિકા ચાલીસા

જય જીવંતિકા માત ભવાની તારી કૃપા સદા નિરાળી

કરે વ્રત પૂજા આરતી થાળ વાંકો ના થાયે તેનો જગમાં વાળ

મનોકામના માં કરે પૂરણ હોય ભલે ને કોઈ પણ વરણ

શ્રાવણ માસનો પહેલો શુક્રવાર જીવંતિકા વ્રત નો મહિમા અપાર

પવિત્ર પાવન શ્રાવણ માસ આધિ વ્યાધિ ઉપાધિ હરે માત

સંતાન દીધૉયુષ્ય બને માં જીવંતિકા એની રક્ષા કરે

jivantika-maa-vrat-katha-in-gujarati

 

બ્રાહ્મણી ના પુત્રની રક્ષા કરી સદા તેની સહાય રહી

તારા પ્રતાપે જીવ્યો વણિક બાળ તે ઠેલ્યો પાછો એનો કાળ

મુત્યુ ની પાછી ખેંચી તે રેખ લેખ ઉપર મારી તે મેખ,

આવો તારા વ્રત નો પ્રભાવ અચરજ પામ્યા સૌ જોઈ ચમત્કાર

બ્રાહ્મણ પુત્રને તું સાચવે નિત બાળકો ઉપર તુજને ધણી પ્રીત 


ખુલ્લી તલવારે તું કરતી રક્ષણ કાળનું તું કરતી ભક્ષણ

દીધૅજીવન ને સુખી સંસાર તારા વ્રતથી પામે અપાર

જીવંતિકા વ્રત છે મહિમાવંતુ સવૅ સુખ સમૃદ્ધિ આપતું

વ્રત કરનારે પાળવા કારણ પીળું વસ્ત્ર અંલકાર નહીં ધારણ

અન્ન પીળું ત્યારે ના ખાવું લીલા મંડપથી પસાર ના થવું

સ્નાન કરી બાજોઠે બિરાજવુ જીવંતિકા વ્રત રે ધરવું

Jivantika-ma-ni-stuti-gujarati-lyrics

ચમત્કાર થાશે વ્રત થકી લાભ થાશે બમણો નક્કી

નૈવેદ્ય ધરી પ્રાથૅના કરવી ચોખા ધરી આરતી ઉતારવી

અવિચળ રાખે માં તો સૌઉ ભલે હો પતિ પુત્ર કે વહું

ગુણ ગાંજો પ્રેમ ધરીને નમન કરજો ચરણે પડીને

ચુદંડી માની સોહે ધણી ટાંક્યા સૂયૅ ચંદ્ર મણિ 


સૌભાગ્યનું એનું ચમકે એમ જો વ્રત કરે પુરૂ થાય પૂરી નેમ

જીવંતિકા દે છે જીવન સંસાર થાયે ઉપવન

નાવ જીવનની ઉતારે પાર આપે એ તો જીવનનો સાર.

અંબાપદ એને રે મળે માં જીવંતિકાને જે સ્મરે

સ્ત્રી અખંડ સૌભાગ્ય પામે વધ્યાં પુત્ર સુખ પામે

પુત્ર હોય જો કુલક્ષણો વ્રતના પ્રભાવે થાય સુલક્ષણો

રાણી હોય કે હોય ગરીબ ઝગમગી ઊઠે એનું નસીબ

વ્રત સ્ત્રીઓ જો ધારે મન , તો ઉજાળે સારૂં જીવન

Jivantika-Maa-No-Thal-Gujarati-Lyrics

 

શાંતિ આપે એ સંસારે ચાંદલો ધરે એ વિસ્તારે

ભાવ ધરીને જે કોઈ પૂજે ધન ધાન્ય કદી ના ખૂટે

કીતૅન ભજન ગરબા કરે એનું મન સુખમાં ઠરે

ખોળો પાથરે જો કોઈ નારી એ દે તેને તત્કાળ ભરી

છે માતા એ ભક્તને આધિન એ કલ્યાણી છે અભિન્ન


જે નારી એનું વ્રત ધરશે તેના સહુ મનોરથ ફળશે

દુ:ખ અમંગળ એ સદાયે ટાળે બાળ ગોપાળ સહુ સંભાળે

ભરોસો રાખે વ્રત પર જે પામે સવૅ સિદ્ધિ તે

માની આંખલડી અમૃત ભરેલી ભક્ત પર એ નિત વરસતી

સોહાગણને રહે અખંડ ચાંદલો પ્રતાપ એનો જાય ન કહ્યો 

Jivantika-Maa-Ni-Aarti-Gujarati-ma

જય જીવંતિકા માત તુજને નમું ચાલીસા ગાઈ તુજને ભજું

જે ભક્ત કરે આ ચાલીસા પાઠ માં કરે સવૅ બાળ ની રક્ષા.

 

 "" શિવજી ના 108 નામ "" જાપ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

 

શ્રી હનુમાન દાદા નો વડવાનલ સ્ત્રોત નો પાઠ  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 

 સંઘ્યા સમયે એકવાર પાઠ કરો આ સ્તોત્ર દેવીની કૃપા રહેશે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 

 રાત્રે એકવાર શ્રી મહાલક્ષ્મીની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો

 

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

શ્રી મહાલક્ષ્મી નો આ પાઠ કરવાથી ગરીબ પણ કરોડપતિ બની જાય અહી ક્લિક કરો.      

 

શુભ દિવસે શ્રી મહાલક્ષ્મી માં ના ૧૦૮ નામ જાપ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission.

 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇


 Disclaimer: અહી ઉપરોક્ત કોઈપણ માહિતી અથવા આ કાયૅ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.આમાં Okhaharan.com તેની પુષ્ટિ કરતું નથી.

 

Tag of Post

#JivantikaChalisa 

 #જીવંતિકાચાલીસા

jivantika maa ni chalisa with gujarati lyrics, 

jivantika maa ni chalisa in gujarati , 

Jivantika Chalisa,

Jivantika Chalisa 2021, 

Jivantika chalisa with lyrics, 

Jivantika chalisa Gujarati, 

Jivantika , 

જીવંતિકા ચાલીસા ,

 જીવંતિકા ચાલીસા ગુજરાતી, 

જીવંતિકા, જીવંતિકા માં ની ચાલીસા,

જીવંતિકા માં ની આરતી | Jivantika Maa Ni Aarti Gujarati Maa Lyrics | Okhaharan

જીવંતિકા માં ની આરતી | Jivantika Maa Ni Aarti Gujarati Maa Lyrics | Okhaharan

Jivantika-Maa-Ni-Aarti-Gujarati-ma






 જીવંતિકા માની આરતી

જય જીવંતિકા માં જય જીવંતિકા માં

જગદંબા ગાયત્રી (૨) ગાવું તવ કવિતા જય જય જીવંતિકા

બ્રાહ્મણી કેરા બાળની રક્ષા તે કીધી માં રક્ષા તે કીધી..

આપ્યું રાજસિંહાસન (૨) સુખ સંપત્તિ કીધી જય જય જીવંતિકા ...

jivantika-maa-vrat-katha-in-gujarati

 

વણિક કેરા બાળક જીવતા તે રાખ્યા માં જીવતા તે રાખ્યાં..

લેખ વિધિના પળમાં (૨) બદલી તેં નાખ્યા જય જય જીવંતિકા ...

બાળક મારાં બંને માતાજી સંભાળે હા માં તું સાંભળે...

દેશ અને પરદેશ (૨) અંધારે અજવાળે જય જય જીવંતિકા..


મારી આ વિનંતી કાને માતા ધરજો હા કાને માતા ધરજો..

મંગલમયી સુખદાયી (૨) મારૂ દુ:ખ હરજો જય જય જીવંતિકા...

Jivantika-Maa-No-Thal-Gujarati-Lyrics

 

જય જીવંતિકા માં જય જીવંતિકા માં

જગદંબા ગાયત્રી (૨) ગાવું તવ કવિતા જય જય જીવંતિકા

કોમેન્ટ માં લખો

જય જીવંતિકા માં



Jivantika-ma-ni-stuti-gujarati-lyrics 

 

જીવંતિકા માં ની આરતી  Youtube પર સાભળો 

 જીવંતિકા માં નો થાળ  Youtube પર સાભળો 

જીવંતિકા વ્રતકથા Youtube પર સાભળો 

જીવંતિકા માં ની સ્તુતિ  Youtube પર સાભળો 

 

jivantika-chalisa-in-gujarati-lyrics

લેખ સારો લાગ્યો હોય તો મિત્રો સાથે શેર કરો

દરરોજ આવા લેખ વાંચવા અમારો બોલ્ગ ફોલો કરો 

અમારી સાથે સોસીયલ મીડિયા માં જોડાવો  👇👇👇

 

 Tag of Post

jivantika maa ni aarti gujarati,

jivantika aarti,

જીવંતિકા વ્રત ની આરતી,

jivantika maa ni aarti lyrics in gujarati,

jivantika maa ni aarti

,jivantika maa aarti lyrics,

jivantika maa,

jivantika maa ni aarti gujarati ma,

બુધવાર, 18 ઑગસ્ટ, 2021

પુત્રદા એકાદશી પૌરાણિક કથા સંપૂણૅ ગુજરાતી લખાણ સાથે | Putrada Ekadashi Vrat Katha in Gujarati | Okhaharan

પુત્રદા એકાદશી પૌરાણિક કથા સંપૂણૅ ગુજરાતી લખાણ સાથે | Putrada Ekadashi Vrat Katha in Gujarati | Okhaharan

 
Putrada-Ekadashi-Vrat-Katha-In-Gujarati
Putrada-Ekadashi-Vrat-Katha-In-Gujarati

 આજે એકાદશી ના પવિત્ર દિવસે આપણે ગુજરાતી ભક્તિ લેખમાં વાચીશું પુત્રદા એકાદશી વ્રતની કથા. પૌરાણિક ગ્રંથોના મુજબ પદ્મપુરાણમાં કહેવામાં આવ્યુ છે કે જો કોઈપણ વ્યક્તિ પુત્રદા  એકાદશી વ્રત કરીને ભાવપૂર્વક ભગવાન વિષ્ણુની આરાધના કરે છે એ જાતકને પુત્ર રત્નની પ્રાપ્ત થાય છે. આ દિવસે ભગવાન કૃષ્ણ ના બાલગોપાલ સ્વરૂપની પુજા ખાસ કરવામાં આવે છે.

 ગીતાજીમાં કહેલા શ્રી કૃષ્ણ ભગવાનના 108 નામ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.


 શ્રાવણ પુત્રદા એકાદશી 8 ઓગસ્ટઃ 2025 -

 

એકાદશી કરવા ખાસ નિયમ

1)એકાદશી વ્રતની તૈયારી દશમ તિથિથી કરવામાં આવે છે. દશમના દિવસે વ્રતીએ સાત્વિક ભોજન કરવું જોઇએ.

2)બ્રહ્મચર્યનું પાલન કરવું જોઇએ.

3)ચણા ડુગરી, લસણ,ચોખા, માસાહાર વગેરે વસ્તુઓનો ત્યાગ કરવો.

4)એકાદશીના દિવસે સવારે જલ્દી જાગીને સ્નાન કરી વ્રતનો સંકલ્પ લેવો અને ભગવાન વિષ્ણુના બાળ ગોપાળ સ્વરૂપની પૂજા કરવી. સાથે જ, એકાદશી વ્રતની કથાનો પાઠ કરવો.

5)રાત્રે ભજન-કીર્તન કરીને જાગરણ કરવું જોઇએ.

6)બારસ તિથિએ સૂર્યોદય સાથે પૂજા સંપન્ન કરવી જોઇએ.

7)વ્રતના પારણા કોઇ જરૂરિયાતમંદ વ્યક્તિને કે બ્રાહ્મણને ભોજન કરાવીને કરવાં. દાન-દક્ષિણા આપવી.


પુત્રદા એકાદશી ની કથા આ મુજબ છે.

યુધિષ્ઠિરે પૂછયું : “હે પ્રભુ ! શ્રાવણના શુકલ પક્ષમાં જે એકાદશી આવે છે એનું વર્ણન મને કહી સંભળાવો!”

શ્રી કૃષ્‍ણ બોલ્‍યાઃ “રાજન ! પ્રાચીન કાળની વાત છે. દ્વાપર યુગના પ્રારંભીનો સમય હતો. મહિષ્‍મનીપરના રાજા મહિજીત પોતાના રાજયનું પાલન કરતાં હતાં. પરંતુ એમને કોઇ પુત્ ન હતો. આથી એ રાજય એમને સુખદાયક પ્રતિત થતું નહોતું. પોતાની અવસ્‍ગા જોઇને રાજાને બહું ચિંતા થઇ. એમણે સમક્ષ બેસીને આ પ્રકારે કહ્યું.”

 

 શ્રી કૃષ્ણ બાવની કરવાથી જન્મ-મરણથી મુક્તિ મળી ભગવાનમાં તરફ પ્રીતિ કરવાનાર અહી ક્લિક કરો.  

 

“પ્રજાજનો ! આ જન્‍મમાં મારાથી કોઇ પાતક થયું નથી. મે મારા ખજાનામાં અન્‍યાયથી કમાયેલું ધન જમા કર્યું નથી, બ્રહ્મણો અને દેવતાનોનું ધન પણ મે કયારેય લીધું નથી. પુત્રવત્ પ્રજાનું પાલન કર્યું છે. ધર્મથી પૃથ્‍વી પર અધિકાર જમાવ્‍યો છે. દુષ્‍ટોને દંડ આપ્‍યો છે, પછી ભલે તેઓ બંધુ અને પુત્ર સમાન કેમ રહ્યો ન હોય ! શિષ્‍ટ પુરુષોનું સદાય સન્‍માન કર્યું છે અને કોઇને દ્વેષને પાત્ર ગણ્યા નથી. પછી શું કારણ છે કે જેથી મારા ઘેર આજ સુધી પુત્ર ઉત્‍પન્‍ન થયો નથી ? તમે લોકો એનો વિચાર કરો !”


રાજાના આ વચનો સાંભળીને પ્રજા અને પૂરોહિતોની સાને બ્રાહ્મણોએ એમના હિતનો વિચાર કરી ગહનવનમાં પ્રવેશ કર્યો. રાજાનું કલ્‍યાણ ઇચ્‍છનારા એ બધા લોકો આમ તેમ ફરીને ઋષિ મુનિયોના આશ્‍મોની શોધ કરવા લાગ્‍યા. એટલામાં એમને મુનિશ્રેષ્‍ઠ લોમેશજીના દર્શન થયા. લોમેશજી ધર્મના તત્‍વજ્ઞ, સંપૂર્ણ શાસ્‍ત્રોના વિશિષ્‍ટ વિદ્વાન, દિર્ઘાયુ અને મહાત્‍મા હતા. એમનું શરીર લોમથી ભરેલું હતું તેઓ બ્રહ્માજી સમાન તેજસ્‍વી હતાં. એક એક કલ્‍પ વસતતા એમના શરીરનો એક એક લોમ ખરતો. આથી એમનું નામ લોમેશ પડ્યું હતું. એ મહામુનિ ત્રણેય કાળની વાતો જાણતા હતાં. ”

એમને જોઇને બધા લોકોને બહું આનંદ થયો. લોકોને પોતાની પાસે આવેલ જોઇને લોમેશજીએ પૂછયું. “તમે બધા લકો અહીં શા માટે આવ્‍યા છો? તમારા આમનનું કારણ જણાવો ? તમારા માટે જે હિતકર કાર્ય હશે એ હું. અવશ્‍ય કરીશ.”

 

 ગીતાજીમાં કહેલા શ્રી કૃષ્ણ ભગવાનના 108 નામ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

પ્રજાજનોએ કહ્યું : “બ્રહ્મન ! આ સમયે અમારા મહીજીત નામના જે રાજા છે. એમને કોઇ પુત્ર નથી. અમે લોકો એમની જ પ્રજા છીએ. અમારું એમણે પુત્રની જેમ પાલન કર્યું છે. એમને પૂત્ર હીન જોઇને એમના દુઃખથી દુઃખી થઇને અમે તપસ્‍યા કરવાનો દ્દઢ નિશ્ર્ચય કરીને અહીં આવ્‍યા છીએ. હે મહામુની ! રાજાના સદ્ભાગ્‍યે આ સમયે અમને આપના દર્શન દર્શન ગયા છે. મહાપૂરુષોના દર્શનથી જ મનુષ્‍યોના સઘળાં કાર્યો સિધ્‍ધ થઇ જાય છે. મુને ! હવે અમને એ જણાવો કે કયું કર્મ કરવાથી અમારા રાજાને પુત્ર પ્રાપ્તિ થાય !”


એમની વાત સાંભળીને મહર્ષિ લોમેશ બેઘડી સુધી ધ્‍યાનમગ્‍ન થઇ ગયા. ત્‍યાર બાદ રાજાના પૂર્વજન્‍મનો વૃતાંત જાણીને એમણે કહ્યું : “પ્રજાજનો ! તમારા રાજા પૂર્વ જન્‍મમાં મનુષ્‍યનું લોહી ચુસનારો ક્રુર વૈશ્‍ય હતો. એ વૈશ્‍ય ગામડે ગામડે ફરીને વ્‍યાપાર કરતો હતો. એક દિવસ જેઠના શુકલ પક્ષમાં એકાદશી તિથિએ જયારે બપોરનો સૂર્ય તપતો હતો ત્‍યારે એ કોઇ ગામની સીમમાં એક જળાશયે પહોચ્‍યો. પાણીથી ભરેલી વાવડી જોઇને વૈશ્‍યે ત્‍યાં પાણી પીવાનો વિચાર કર્યો. એટલામાં ત્‍યા પોતાની વાછરડાંની ગાય પણ આવી પહોંચી. એ તરસથી પીડીત અને તાપથી વ્‍યાકુળ હતી. આથી વાવડીમાં જઇને પાણી પીવા લાગી. વૈશ્‍યે પાણી પીતી ગાયને હાંકીને દૂર હટાવી દીધી અને પોતે પાણી પીધુ. ગાયની આંતરડી કકળાવાના પાપ કર્મના કારણે રાજા આ સમયે પુત્રહીન થયો છે. બીજા કોઇ જન્‍મના પૂણ્યથી એને નિષ્‍કંટક રાજયની પ્રાપ્‍તી થઇ છે.”


પ્રજાજનોએ કહ્યું : “મુને ! પુરાપોમાં ઉલ્‍લેખ છે કે પ્રચશ્ર્ચિત રુપ પૂણ્યથી પાપો નષ્‍ટ થાય છે. માટે એવા પૂણ્યકર્મનો ઉપદેશ આપો કે જેનાથી અમારા રાજાના પાપ નષ્‍ટ થઇ જાય અને એમને પુત્રરત્‍ન પ્રાપ્‍ત થાય !”

લોમેશજી બોલ્‍યાઃ “પ્રજાજનો ! શ્રાવણ માસના શુકલ પક્ષમાં જે એકાદશી આવે છે એ “પુત્રદા” ના નામે વિખ્‍યાત છે. એ મનોવાંચ્છિત ફળ આપનારી છે. તમે લોકો એનું વ્રત કરો, અને એનું પૂણ્ય તમારા રાજાને અર્પણ કરો, જેથી રાજાને જરુર સંતાન થશે.”

 

 શ્રાવણ માસ શુક્રવાર જીવંતિકા વ્રત કથા ગુજરાતીમાં અહી ક્લિક કરો. 

 

આ સાંભળીને મુનિને નમસ્‍કાર કર્યા અને નગરમાં આવીને વિધિપૂર્વક “પુત્રદા” એકાદશીના વ્રતનું અનુષ્‍ઠાન કર્યું. એમણે વિધિપૂર્વક જાગરણ પણ કર્યું. અને એનું નિર્મળ પૂણ્ય રાજાને અર્પણ કરી દીધુ. ત્‍યારબાદ રાણીએ ગર્ભ ધારણ કર્યો અને પ્રસવનો સમય આવતા તેજસ્‍વી પુત્રને જન્‍મ આણ્‍યો આખા રાજયમાં આનંદ છવાઇ ગયો.


પુત્રદા એકાદશીના વ્રતથી મનુષ્‍યો પાપોથી મુકત થઇ જાય છે. તથા ઇન્‍દ્ર લોકમાં સુખ મેળવીને પરલોકમાં સ્‍વર્ગીય ગતિને પ્રાપ્‍ત થાય છે.



 જીવંતિકા માં ની ચાલીસા ગુજરાતીમાં અહી ક્લિક કરો.

 


શ્રી વિષ્ણુ સહસ્ત્રનામ સ્તોત્ર ફકત 15 મિનિટમાં  Youtube પર સાભળો 

  

 એકાદશી ના કેટલાક નિમ્નલિખિત કયો ના કરવા જોઈએ તે વાંચવા


 "" શ્રી વિષ્ણુ ચાલીસા ""  ગુજરાતી લખાણ સાથે

 

ગીતાજી માં કહેલા શ્રી વિષ્ણુ ભગવાન ૧૦૮ નામ ગુજરાતી લખાણ સાથે

 

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અ

  

 """ શ્રી વિષ્ણુ સ્તુતિ """ ગુજરાતી લખાણ સાથે     

 

 """ શ્રી વિષ્ણ્વષ્ટકમ્   """ ગુજરાતી લખાણ સાથે 


 આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત 

 

દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી 

 

શ્રી હનુમાન દાદા નો આ પાઠ ચુડેલ મેલી ડાકાણ જિન સામે રક્ષણ મળે છે ગુજરાતી લખાણ સાથે

 

શ્રી હનુમાન દાદા નો "" વડવાનલ સ્ત્રોત ""  નો પાઠ  ગુજરાતી લખાણ સાથે 

શ્રી "" દેવીકવચ "" ગુજરાતી ભાષાંતર સાથે ગુજરાતી લખાણ સાથે

 

 સંઘ્યા સમયે એકવાર પાઠ કરો આ ""સ્તોત્ર દેવી"" ની કૃપા રહેશે ગુજરાતી લખાણ સાથે 

 

 રાત્રે એકવાર "" શ્રી મહાલક્ષ્મી"" ની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો

 

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission.

 

 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

મંગળવાર, 17 ઑગસ્ટ, 2021

શ્રાવણ માસમાં જાણો ૐ નમઃ શિવાય 5 મંત્રો નો અથૅ જાણીને જાપ કરવાથી અઘિક ફળ મલે | Om Namah Shivay 5 mantra with meaning in gujarati | Okhaharan

શ્રાવણ માસમાં જાણો ૐ નમઃ શિવાય 5 મંત્રો નો અથૅ જાણીને જાપ કરવાથી અઘિક ફળ મલે | Om Namah Shivay 5 mantra with meaning in gujarati | Okhaharan

Om-Namah-shivay-mantra-with-meaning-gujarati
Om-Namah-shivay-mantra-with-meaning-gujarati
 

 

આજે આપણે ભક્તિ લેખમાં વાચીશું ૐ નમઃ શિવાય 5 મંત્રો નો અથૅ.

ૐ શિવ મંત્રો ૐ

૧) ૐ નમઃ શિવાય 

 

મંત્ર નો અથૅ શિવજીને નમસ્કાર

 

૨) ૐ નમઃ શિવાયૈ 

 

મંત્ર નો અથૅ શિવજીને પાવૅતીને નમસ્કાર શિવ પાવૅતીની કૃપા થાય

 

૩) હ્રીં ૐ નમઃ શિવાય હ્રીં 

 

મંત્ર નો અથૅ સૌભાગ્ય અને સમૃદ્ધિ અને ગૃહ કલેશ દૂર થાય

Shiv Mantra Gujarati

 ૪) ૐ હ્રીં ગ્લૌ નમઃ શિવાય

મંત્ર નો અથૅ શારિરીક દુઃખ અને માનસિક દુઃખ માંથી કાયમી છુટકારો મળે રોગ ન હોય તો રોગ સામે સુરક્ષા કવચ બની રહે

૫) ૐ નમઃ શિવાય શુભં કુરૂ શિવાય નમઃ ૐ



મંત્રનો અર્થ સવૅ પ્રકારના માંગલિક કાર્યોમાં અડચણ દૂર થાય . વિવાહ નોકરી ભણતર યશ પ્રાપ્તિ  સફળતા માટે શ્રેષ્ઠ મંત્ર


લેખ સારો લાગ્યો હોય તો મિત્રો સાથે શેર કરો અને  

 દરરોજ આવા ભક્તિ લેખ વાંચવા અમારો બોલ્ગ ફોલો કરો 

અમારી સાથે સોસીયલ મીડિયા માં જોડાવો  👇👇👇

 

jivantika-maa-vrat-katha-in-gujarati

 

 108-Names-of-Lord-Shiva-Ashtottara-Shatanamavali-Lyrics-Gujarati

 

સોમવાર, 16 ઑગસ્ટ, 2021

કર્પૂરગૌરં કરૂણાવતારં નો અર્થ કર્પૂર નથી થતો જાણો અથૅ ગુજરાતીમાં | Karpur Gauram Karunaavtaaram meaning in Gujarati | Okahaharan

કર્પૂરગૌરં કરૂણાવતારં નો અર્થ કર્પૂર નથી થતો જાણો અથૅ ગુજરાતીમાં  | Karpur Gauram Karunaavtaaram meaning in Gujarati | Okahaharan

Karpur-Gauram-Karunaavtaaram-stuti-meaning-in-Gujarati
Karpur-Gauram-Karunaavtaaram-stuti-meaning-in-Gujarati

 

ભગવાન ની આરતી પછી બોલાય છે ‘કર્પૂરગૌરં’  આ વિશેષ મંત્ર અર્થ ને સમજ

।। કર્પૂરગૌરં કરૂણાવતારં સંસારસારમ્ ભુજગેન્દ્રહારમ ।

સદાવસન્તં હ્રદયારવિન્દે ભવં ભવાનીસહિતં નમામિ ।।

મંત્રનો અર્થ :-

આ મંત્ર માં શિવજી ની સ્તુતિ કરવા માં આવે છે. તેનો અર્થ આ પ્રમાણે છેઃ


Shiv Mantra Gujarati

કર્પૂરગૌરં  -- કર્પૂર ની સમાન ગૌર વર્ણ વાળા

કરૂણાવતારં --- સાક્ષાત કરૂણા ના અવતાર..

સંસારસારમ્ --- જે આખી સૃષ્ટી ના સાર છે.

ભુજગેંદ્રહારમ---  જે સાંપ ને હાર ના રૂપમાં ધારણ કરે છે.


સદા વસંત હ્રદયાવિનદે ભવંભવાની સહિતં નમામિ ll


જે ભગવાન શિવ, માતા પાર્વતી સહિત મારા હ્રદય માં કાયમ નિવાસ કરે છે તેમને હું નમન કરું છું.


મંત્ર નો પૂરો અર્થઃ  જે કર્પૂર જેવા ગૌર વર્ણવાળા છે, કરૂણા ના અવતાર છે, સંસારનો સાર છે અને નાગ નો હાર ધારણ કરે છે, તે ભગવાન શિવ, માતા ભવાની સહિત મારા હ્રદય માં કાયમ નિવાસ કરે, તેમને હું નમન કરું છું.


કોઈ પણ દેવી-દેવતા ની આરતી પછી કર્પૂરગૌરમ્..


 

મંત્ર જ બોલવા માં આવે છે તેની પાછળ કારણ છે કે, ભગવાન શિવ ની આ સ્તુતિ શિવ-પાર્વતી વિવાહ વખતે વિષ્ણુ ભગવાને ગાઈ હતી.

 

સામાન્ય રીતે માનવા માં આવે છે કે , ભગવાન શિવ સ્મશાન નિવાસી છે અને તેમનું સ્વરૂપ ખૂબ જ ભયંકર છે, પણ આ સ્તુતિ જણાવે છે કે તેમનું સ્વરૂપ ખૂબ જ દિવ્ય છે.


શિવ ને સૃષ્ટિના અધિપતિ માનવા માં આવે છે, તે મૃત્યુલોક ના દેવતા છે. શિવ ને પશુપતિનાથ કહેવામાં આવે છે જેનો અર્થ છે કે સંસાર માં જેટલા પણ જીવ છે (મનુષ્ય સહિત) તે બધા ના અધિપતિ....

 

આ સ્તુતિ ગાવા ની પાછળ કારણ છે કે , સમસ્ત સંસાર ના અધિપતિ શિવ અમારા મન માં શક્તિ સહિત વાસ કરે., શિવ મૃત્યુ ના ભય ને દૂર કરે છે. આ સ્તુતિ ગાઈ ને પ્રાર્થના કરવા માં આવે છે કે અમારા મનમાં શિવ વાસ કરે અને મૃત્યુ ના ભય ને દૂર કરે.


  હર હર મહાદેવ 

લેખ સારો લાગ્યો હોય તો મિત્રો સાથે શેર કરો અને  

 દરરોજ આવા ભક્તિ લેખ વાંચવા અમારો બોલ્ગ ફોલો કરો 

અમારી સાથે સોસીયલ મીડિયા માં જોડાવો  👇👇👇

 

jivantika-maa-vrat-katha-in-gujarati

 
ram raksha stotra gujarati

 

Hanuman-Janjira-Chalisa-Gujarati-Lyrics