ગુરુવાર, 27 જુલાઈ, 2023

પુરુષોત્તમ માસ કથા અધ્યાય દસમો | Purushottam Maas Katha Adhyay 10 in Gujarati | Adhyay 10 | | Adhik Mass 2023 | Okhaharan |

પુરુષોત્તમ માસ કથા અધ્યાય દસમો |  Purushottam Maas Katha Adhyay 10 in Gujarati  | Adhyay 10 | | Adhik Mass 2023 | Okhaharan | 

purushottam-maas-katha-adhyay-10-in-gujarati
purushottam-maas-katha-adhyay-10-in-gujarati

શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂ આપણા ગુજરાતી ભક્તિ લેખમાં આજે આપણે જાણીશું પુરૂષોત્તમ માસની કથા અધ્યાય દસમો : દુર્વાસા- મેઘાવતી સંવાદ અને અમૃત ધારા જે વાતૉ કહેવાય દેડકાદેવની વાર્તા.


પુરુષોત્તમ માસ કથા અધ્યાય નવમો 


અધ્યાય દસમો : દુર્વાસા- મેઘાવતી સંવાદ 


નારદે ભગવાન નારાયણને પૂછ્યું : “ હે પ્રભુ ! મહા તેજસ્વી અને ઘણાં જ ક્રોધી મુનિ દુર્વાસાએ વિચાર કર્યા પછી એ ઋષિ કન્યાને શું કહ્યું હતું તે મને કહો ! ”


સુત બોલ્યા : “હે બ્રાહ્મણો ! નારદનું વચન સાંભળી બદરીપતિ શ્રી નારાયણ સર્વેને હિતકારી એવું દુર્વાસાનું ગુપ્ત વચન કહેવા લાગ્યા.”
શ્રી નારાયણ બોલ્યા : “ હે નારદ! મેઘાવી ઋષિની કન્યાનું દુ:ખ દૂર કરવા માટે કૃપાળુ મુનિ દુર્વાસાએ તે વખતે જે કહ્યું હતું તે તમને કહું છું.”
દુર્વાસા બોલ્યા : “ હે પુત્રી ! તારા સર્વે દુ:ખોના નિવારણ માટેનો તને જે ઉપાય કહું છું તે સાંભળ ! આ હું તને જે કહું છું તે ગુપ્ત કરતા પણ અતિશય મહાગુપ્ત છે. હું તને ટૂંકમાં કહું છું. આજથી જે ત્રીજો મહિનો આવશે તે પુરૂષોત્તમ માસ કહેવાય છે. આ માસમાં સ્નાન કરનારો મનુષ્ય બાળહત્યાના પાપથી છૂટી જાય છે. 

હે દીકરી ! કાર્તિક વગેરે મહિનાઓમાં પુરૂષોત્તમ માસ જેવો બીજો કોઈ મહિનો નથી. હે બાળા ! પુરૂષોત્તમ નામનો એ મહિનો શ્રીકૃષ્ણને ઘણો જ વહાલો છે. આ માસમાં સ્નાન, દાન, જપ, વગેરે કરવાથી સર્વ મનોવાંછિત ફળ પ્રાપ્ત થાય છે. એટલેતું આ પવિત્ર પુરૂષોત્તમ માસનું સેવન કરજે. હું પણ હર્ષથી પુરૂષોત્તમ માસને સેવું છું.”


“એક વખત મેં ક્રોધથી અંબરીષ રાજાને બાળી નાખવા (અગ્નિની તીવ્ર શક્તિ) કૃત્યા છોડી હતી. તે વખતે હે બાળા ! પોતાના ભક્તની રક્ષા કરવા માટે શ્રીહરિ વિષ્ણુએ સુદર્શન ચક્ર મારા તરફ છોડ્યું હતું. તે વેળા મેં સેવેલા પુરૂષોત્તમ માસના પ્રભાવથી જ તે ચક્ર પાછું ફર્યું હતું અને મારો બચાવ થયો હતો. માટે હે બાળા ! મારી તને સલાહ છે કે તું પુરૂષોત્તમ માસનું સેવન કર. જેથી તારાં તમામ દુ:ખોનું નિરાકારણ થશે.”


શ્રીકૃષ્ણે કહ્યું: “હે રાજા યુધિષ્ઠિર! દુર્વાસાનું વચન સાંભળી એ નાદાન બાળાના મનમાં ક્રોધ પેદા થયો અને મુનિશ્રેષ્ઠને કહેવા લાગી:


“હે મહામુનિ ! તમારી વાતને હું સ્વીકારી શકતી નથી. આપ અન્ય બીજા શ્રેષ્ઠ દેવોનો ત્યાગ કરી પુરૂષોત્તમ દેવને કેમ વખાણો છો ? આ પૃથ્વી ઉપર સૂર્ય, ચંદ્ર, શિવ, ભવાની, જગદંબા આદિ દેવ-દેવીઓ મનવાંછિત ફળ આપનારા અને મનોકામના પૂર્ણ કરનારા છે. એમાં પણ શિવ અને શ્રી રામ તો સૌથી ઉત્તમ અને શ્રેષ્ઠ દેવતાઓ છે, જેને ભજવાથી સંપૂર્ણ કષ્ટો  નાશ પામે  છે. હું સદાય સીતાપતિ રામ અને ભવાનીપતિ શિવનું જ સ્મરણ કરું છું. મને પૂર્ણ શ્રદ્ધા છે કે તે મારા સર્વ કષ્ટોનું નિવારણ કરશે. મારા દુ:ખોને દૂર કરશે. આપ જેવા જ્ઞાની અને વિદ્વાન મુનિ અન્ય મહિનાઓને ઓછા ફળ આપનારા અને મળમાસને શ્રેષ્ઠ ફળ આપનાર શા માટે કહો છો ? આપ જેને કોઈ જાણતું નથી તેવા પુરૂષોત્તમ માસના વખાણ શા માટે કરો છો ?”

ગાયને એક વસ્તુ ખવડાવવાથી 24 કલાક મા સવૅ મનોકામના પૂણૅ થાય  સાથે ઈચ્છાપૂર્તિ થાય


બ્રાહ્મણપુત્રી મેઘાવતીએ આવું કહ્યું ત્યારે ક્રોધી સ્વભાવના દુર્વાસા મુનિ સળગી ઊઠ્યા. ત્પ પણ પોતાના મિત્રની નિરાધાર શોકગ્રસ્ત પુત્રીને તેમણે શાપ ન આપ્યો. પુરૂષોત્તમ માસનું માહાત્મ્ય વિદ્વાનોને પણ સમજવું મુશ્કેલછ, તો આ તો દુનિયાદારીથી અજાણ મૂઢ બાળક જેવી છે, 


જે પોતાના હિતને સમજતી નથી, તેથી તે પાવન પુરૂષોત્તમ માસના પ્રભાવથી સાવ અજાણ છે. આમ સમજી દુર્વાસા મુનિએ મનમાં રહેલા ક્રોધને સંકેલી લીધો અને સ્વસ્થ થઈ અતિશય વિહવળ બનેલી તે બાળાને કહેવા માંડ્યું.


દુર્વાસા બોલ્યા : “ હે બાળા  ! તું મારા મિત્રની પુત્રી છે. તેથી તારા પર મને કોઈ જાતનો ક્રોધ નથી. તેં પુરૂષોત્તમ માસનો અનાદર કર્યો છે તેનું ફળ તને આ જન્મમાં કે બીજા જન્મમાં મળશે જ. શુભ કે અશુભ જે કંઈ થવાનું હોય છે તેને કોઈ પણ ટાળી શકતું નથી. હું તો બદરિકાશ્રમમાં જાઉં છું. તારું કલ્યાણ થાવ.”


એમ કહી તમોગુણી છતાં મહાતપસ્વી એ દુર્વાસા મુનિ તરત જજતા રહ્યા અને તે જ ક્ષણે એ મુનિકન્યા પુરૂષોત્તમ માસનું અપમાન કરવાથી ઝાંખી પડી ગઈ. ખૂબ મનોમંથનના અંતે તેણે વિચાર્યું: “હું તપશ્ચર્યા કરી દેવોના ઈશ્વર પાર્વતીપતિ શંકરની આરાધના કરું. કેમકે એ ભગવાન તત્કાળ ફળ આપનાર છે.”


પછી પોતાના આશ્રમમાં જ રહી તેણે ઘણું મોટું ફળ આપનારા લક્ષ્મીપતિ વિષ્ણુ અને એવું જ મહાન ફળ આપનારા સાવિત્રી પતિ બ્રહ્માજીનો ત્યાગ કરી માત્ર ભગવાન શંકરને પ્રસન્ન કરવા ઉગ્ર તપસ્યા આદરી.


“ શ્રી બૃહન્નારદીય પુરાણ” ના પુરૂષોત્તમ માહાત્મ્યનો
“દુર્વાસા- મેઘાવતી સંવાદ” નામનો દસમો અધ્યાય સંપૂર્ણ.
 
હવે પતિતપાવન પુરૂષોત્તમ માસની કથાનું રસપાન કરીએ.


દેડકાદેવની વાર્તા


અઘિક માસની " પદ્મિની એકાદશી 2023 " ઉપવાસ ક્યારે કરવો?


એક ગામમાં ડોશી રહે. દુનિયામાં એનું કોઈ આગળ નહિ અને કોઈ પાછળ નહિ. રેંટિયો કાંતે ને પેટ ભરે. પ્રભુ સ્મરણમાં દિવસ કાઢે. એવામાં પુરૂષોત્તમ માસ આવ્યો. ડોશી વલોપાત કરવા લાગ્યાં કે પ્રભુએ એકાદ દીકરો દીધો હોત તો વહુ લાવત. ઘરનું કામકાજ વહુને સોંપીને નિરાંતથી પ્રભુભક્તિ કરત. રાંધવા-ચીંધવાની કડાકૂટમાં પુરૂષોત્તમ પ્રભુને નિરાંત જીવે ભજાતા નથી. આવો વલોપાત કરતી ડોશી દાતણ કાપવા ગઈ. દાતણ કાપતાં કાંટો વાગ્યો. થોડા સમય પછી હથેળીમાં થયો ફોડલો. પીડાથી રહેવાય નહી. પાણી અડે ને ફોડલો મોટો થતો જાય. પીડા વધતી જાય. પુરૂષોત્તમ વ્રત લીધેલું એટલે નદીએ નહાવા તો જવું જ પડે.


એક દિવસ ફોડલો ફૂટ્યો અને એમાંથી નીકળ્યો દેડકો. ડ્રાંઉ ડ્રાંઉ કરતો આખા ઘરમાં  ફરવા લાગ્યો. ડોશીને તો મજા પડી ગઈ. સુખ-દુ:ખની વાત સાંભળનારું મળી ગયું. ડોશી તો દેડકાને રમાડે, જમાડે અને જ્યાં જાય ત્યાં સાથે લઈ જાય. આખું ગામ એને દેડકાવાળી ડોશી કહીને દાંત કાઢે પણ ડોશીને કોઈની પરવા નહીં. એ તો ભલા ને એનો દેડકો ભલો !


પુરૂષોત્તમ માસ પૂર્ણ થયો પણ દેડકો તો રોજ ડ્રાંઉ ડ્રાંઉ કરતો નદીએ પહોંચી જાય. ત્યાં દેડકાનું ખોળિયું ઉતારીને અસલ સ્વરૂપ ધારણ કરે. સ્નાન કરીને પાછું દેડકાનું ખોળિયું ધારણ કરી લે અને ઘેર આવે. એ દેડકો સ્વયં પુરૂષોત્તમ પ્રભુ હતા.


નદીના સામે કાંઠે રાજાનો મહેલ હતો. એક દિવસ પરોઢિયે રાજાની કુંવરીની ઊંઘ ઊડી ગઈ. કુંવરી તો ઝરૂખે આવીને ઊભી રહી. સામે જ નદી છે. નદીમાં એક દેવ પુરૂષ સ્નાન કરી રહ્યો છે. કુંવરી મોહિત થઈ ગઈ. થોડી વારે દેવ પુરૂષ નદીમાંથી નીકળ્યો અને દેડકાનું ખોળિયું ધારણ કરીને ચાલ્યો. કુંવરીએ સંકલ્પ કરી લીધો કે પરણું તો આ પુરૂષને જ પરણું. બીજા બધા મારે ભા‌ઈ-બાપ !


પછી તો રાજકુંવરી નિત્ય વહેલી ઊઠીને ઝરૂખે બેસે અને એ દિવ્ય પુરૂષનાં દર્શન કરે.


ગીતાજી માં કહેલા શ્રી વિષ્ણુ ભગવાન ૧૦૮ નામ


એવામાં કુંવરીના માંગાં આવ્યાં. પણ કુંવરીએ ચોખ્ખી ના પાડી દીધીઅને કહ્યું કે વરીશ તો દેડકાને જ વરીશ. કુંવરીની આવી મુર્ખામી ભરેલી વાત સાંભળી રાજા ક્રોધિત થયો. સામ-દામ-દંડ-ભેદ અજમાવ્યા. પણ કુંવરી એકની બે ન થઈ. એણે તો અન્નજળ છોડી દીધા. હારીને રાજાએ ડોશીને બોલાવી. વાત જાણતાંજ ડોશી તો હરખાવા લાગી. દેડકાને કુંવરી વરતી હોય એ તો ગોળ કરતાંય ગળ્યું.


ઘડિયા લગ્ન લેવાયાં. વાત ગામમાં ફેલાઈ. બધા દાંત કાઢવા લાગ્યા. જાતજાતની વાતો કરવા લાગ્યા. રાજા-રાણીની ભોંઠપનો પાર નથી પણ કુંવરી હરખાય છે. કુંવરી દેડકા સાથે ચાર ફેરા ફરી. ડોશી વરઘોડિયાને લઈને ઝૂંપડીએ આવી.


રાત પડતાં તો ડોશી ઊંઘી ગઈ. કુંવરી જાગે છે. દેડકો ટગર ટગર એની સામે તાકી રહ્યોછે. મધરાત થતાંકુંવરી બોલી : :દેવ ! હવે તમારા અસલ સ્વરૂપમાં આવો. મેં તમને નદીમાં સ્નાન કરતા જોયા છે.”


ત્યારે દેડકો બોલ્યો કે “તારા પિતા મહાયજ્ઞ કરી, સહસ્ત્ર ગાયોનું દાન કરે તો હું અસલ રૂપમાં આવું.”  કુંવરી તરત મહેલે ગઈ. પિતાને વાત કરી. રાજાએ બીજા જ દિવસે મહાયજ્ઞ કરી ગાયોનાં દાન દીધાં. શ્રીફળ હોમાતાં જ પ્રભુ પુરૂષોત્તમ અસલ રૂપમાં આવી ગયા. આકાશમાંથી પુષ્પવૃષ્ટિ થઈ. પ્રભુ કુંવરીને અને ડોશીને સદેહે વૈકુંઠમાં લઈ ગયા.


હે પુરૂષોત્તમરાય ! તમે જેવા ડોશીને અને કુંવરીને ફળ્યા એવા સૌને ફળજો.

કાંઠા ગોરમાં ની વાતૉ શ્રી પુરૂષોત્તમ કથા પ્રથમ અધ્યાય


""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે  

 

સંતાન ગણપતિ સ્તોત્રમ્ ગુજરાતી લખાણ સાથે     

 

 "" શ્રી વિષ્ણુ ચાલીસા ""  ગુજરાતી લખાણ સાથે  

 

 """ શ્રી વિષ્ણુ સ્તુતિ """ ગુજરાતી લખાણ સાથે    

 

 """ શ્રી વિષ્ણ્વષ્ટકમ્   """ ગુજરાતી લખાણ સાથે  


 આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત 

 

દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી 


 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

બુધવાર, 26 જુલાઈ, 2023

પુરુષોત્તમ માસ કથા અધ્યાય નવમો | Purushottam Maas Katha Adhyay 9 in Gujarati | Adhyay 9 | | Adhik Mass 2023 | Okhaharan |

પુરુષોત્તમ માસ કથા અધ્યાય નવમો |  Purushottam Maas Katha Adhyay 9 in Gujarati  | Adhyay 9 | | Adhik Mass 2023 | Okhaharan | 

purushottam-maas-katha-adhyay-9-in-gujarati
purushottam-maas-katha-adhyay-9-in-gujarati


શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂ આપણા ગુજરાતી ભક્તિ લેખમાં આજે આપણે જાણીશું પુરૂષોત્તમ માસની કથા અધ્યાય નવમો મુનિ દુર્વાસાનું આગમન અને અમૃત ધારા જે વાતૉ કહેવાય શ્રદ્ધાનું ફળ વાર્તા.


મુનિ દુર્વાસાનું આગમન 


સૂત બોલ્યા : “ હે મુનિઓ ! તે પછી નારદજીએ વિસ્મયથી વ્યાપ્ત થઈ શ્રેષ્ઠ બ્રાહ્મણ મેઘાવીની પુત્રીનું વૃતાંત શ્રી નારાયણને પૂછ્યું.”


નારદજી બોલ્યા : “હે શ્રી નારાયણમુનિ ! મેઘાવીના સ્વર્ગવાસ બાદ તેમની પુત્રીએ તપોવનમાં શું કર્યું ? ક્યા મુનિએ તેનું પાણિ ગ્રહણ કર્યું ?”


શ્રી નારાયણ બોલ્યા : “એ કન્યા વનમાં એકલી રહેતી હતી અને પોતાના પિતાને યાદ કરી શોક કર્યા કરતી હતી. પિતા વિનાના ઉજ્જડ ઘરમાં તે એકલી રહેતી હતી. તેનું હૃદયકમળ બળ્યા કરતું. પોતાના દુ:ખનો પાર તેને દેખાતો ન હતો. એ વખતે સંજોગોવસાત અત્યંત ક્રોધી મુનિ દુર્વાસા ભવિષ્યના બળથી પ્રેરાઈને એ પાતળા પેટવાળી કન્યા પાસે આવી ચડ્યા. જેમને જોતાંની સાથે સ્વર્ગાધિપતિ ઈંદ્ર પણ ભયભીત થઈ જાય છે, એ ઋષિ દૈવેચ્છાએ જ તે તપોવનમાં આવ્યા હતા.


ગાયને એક વસ્તુ ખવડાવવાથી 24 કલાક મા સવૅ મનોકામના પૂણૅ થાય  સાથે ઈચ્છાપૂર્તિ થાય

 

હે રાજેન્દ્ર યુધિષ્ઠિર ! આ એ જ દુર્વાસા છે જેમને તમારી માતા કુંતીએ બાળપણમાં સેવીને પ્રસન્ન કર્યા હતા, પૂજ્યા હતા અને દેવોનું આકર્ષણ કરનારી વિદ્યા મેળવી હતી. હે ધર્મરાજ ! દેવો પણ જેને નમસ્કાર કરે છે તેવા આ ઋષિનો કોપ મારા પણ ઊતર્યો હતો. આ દુર્વાસા મુનિએ મને એક વેળા રુકમણિના સાથે રથમાં જોડ્યો હતો. એ રથને અમે બંને માર્ગમાં ખેંચી રહ્યા હતા. રુકમણિને તરસ લાગવાથી તાળવું તથા હોઠ સુકાવા લાગ્યા હતા. રુકમણિએ દુર્વાસાની બીકથી પોતાની ખાંધ પર રથની ઘુંસરી તો ઉપાડી જ હતી. તે વખતે તરસથી તેના પ્રાણ કંઠે આવી ગયા હતા અને તે વિહવળ થઈ ગઈ હતી ત્યારે પ્રિયાના પ્રેમથી વ્યાપ્ત થઈ મેં રથને ખેંચી ચાલતાં ચાલતાં જ પગના આગલા ભાગથી જમીન દબાવી ભોગવતી નામની પાતાળગંગાને ત્યાં આણી અને રુકમણિની તરસને શાંત કરી હતી. આ જોઈ ક્રોધી મુનિએ પ્રલયકાળના અગ્નિની પેઠે જાણે સળગી રહ્યા હોય એમ એક્દમ ઊભા થઈ મને શ્રાપ આપ્યો હતો : 


“હે શ્રીકૃષ્ણ ! તમને રુકમણિ ઘણી વહાલી લાગે છે. પ્રિયાના પ્રેમથી વ્યાપ્ત બની તમે મારું અપમાન કરી તેણીને પાણી પાયું છે અને તમારું માહાત્મ્ય બતાવ્યું છે. માટે બંનેનો વિયોગ થાઓ.”  હે યુધિષ્ઠિર ! એ જ તે દુર્વાસા શ્રેષ્ઠમુનિ છે જે સાક્ષાત રુદ્રદેવના અંશથી ઉત્પન્ન થયા છે. અગ્નિઋષિના ઉગ્ર તપસ્વી કલ્પવૃક્ષનું મહાદિવ્ય ફળ છે અને પતિવ્રતાઓના મસ્તક પરના રત્ન જેવી સતી અનસુયાના ગર્ભમાંથી તે જન્મ્યા છે. તેમનું શ્રેષ્ઠ મસ્તક અનેક તીર્થોના જળથી ભીની રહેતી જટાઓથી સુશોભિત રહે છે.”


એ દુર્વાસા મુનિને આવતા જોઈ કુમારી મેઘાવતી શોક સાગરમાંથી એકદમ બહાર આવી તેમજ એ બાળાએ આદર સહિત તેમનું પૂજન કર્યું. વિનય સહિત એ મુનિકન્યા આ પ્રમાણે બોલી :


“હે મહાભાગ્યશાળી ! હે અત્રિગોત્રના સૂર્ય ! હે મુનિ ! આપને નમસ્કાર હો. આપના પધારવાથી મારા ભાગ્યનો ઉદય થયો છે, તમારા જેવા મહાત્માના તીર્થરૂપી ચરણોની રજ લેવાથી મારો જન્મ પણ સફળ થયો છે, મારાં ધનભાગ્ય કે આપ જેવા મહાપુણ્યશાળી પુરૂષના આજે મને દર્શન થયાં છે.”


દુર્વાસાએ કહ્યું : “ધન્ય છે, ઓ બ્રાહ્મણ પુત્રી ! તારો ધાર્મિક સ્વભાવ જાણી હું કૈલાસ પરથી તારા આશ્રમમાં આવ્યો છું. હવે હું સનાતન મુનિશ્વર શ્રી નારાયણ દેવના દર્શન કરવા જલદી બદરિકાશ્રમમાં જઈશ. ત્યાં એ ભગવાન લોકોના કલ્યાણ માટે એકાગ્ર થઈ અતિ ઉગ્ર તપશ્ચર્યા કરી રહ્યાં છે. હે દીકરી ! તારે કોઈ પણ જાતનું દુ:ખ હોય તે મને વિના સંકોચે જણાવ, હું તને યોગ્ય ઉપાય બતાવીશ.”


બાળા બોલી : “ હે ઋષિ ! આપનાં દર્શનથી જ મારો શોકરૂપી સમુદ્ર સુકાઈ ગયો છે. મારે માતા-પિતા કે ભાઈ નથી, જે મને ધીરજ આપે. દુ:ખના દરિયામાં પીડાઈ રહી છું. મારા દુ:ખને દૂર કરવાનો ઉપાય જલદી કરો. પરણવા માટે કોઈ પુરૂષ મને ઈચ્છતો નથી. મારો કન્યાકાળ વીતી રહ્યો છે અને એની ચિંતામાં હું કોઈ સુખ પામી શકતી નથી. નથી ભાવતાં ભોજન લઈ શકતી કે નથી ચેનથી નિંદ્રા લઈ શકતી. કોઈ યોગ્ય પુરૂષ મારું પાણિ ગ્રહણ કરે તેવી મારી ઈચ્છા છે. આપ મારા પર કૃપા કરી આ દુ:ખ દૂર કરવાનો કોઈ ઉપાય બતાવો.”

અઘિક માસની " પદ્મિની એકાદશી 2023 " ઉપવાસ ક્યારે કરવો?


એમ કહી આંસુવાળા મુખે એ બાળા તેમની આગળ બોલતી બંધ પડી. દુર્વાસા તેણીના દુ:ખને દૂર કરવા તે વેળા વિચારમાં પડ્યા.


શ્રી નારાયણ બોલ્યા : “મુનિ કન્યા મેઘાવતીનું આવું કરૂણ વચન સાંભળી મહા તપસ્વી મુનિશ્વર દુર્વાસાએ વેદોનોવિચાર કરી અતિશય કૃપાથી એ બાળા સામે જોયું અને પછી સારરૂપ કંઈક હિતકારી વચન તેને કહ્યું.


“ શ્રી બૃહન્નારદીય પુરાણ” ના પુરૂષોત્તમ માહાત્મ્યનો
“મુનિ દુર્વાસાનું આગમન” નામનો નવમો અધ્યાય સંપૂર્ણ.
 
હવે પતિતપાવન પુરૂષોત્તમ માસની કથાનું રસપાન કરીએ.


શ્રદ્ધાનું ફળ


સુંદરપુરી નગરીમાં એક સુથાર રહે. સંતાનમાં સાત દીકરી અને બે દીકરા. બિચારો સુથાર વહેલી સવારથી મોડી રાત સુધી મજુરી કરે ત્યારે માંડ ગુજરાન ચાલે. બિચારાને ધર્મ, ધ્યાન, વ્રત, તપનો કે ભક્તિનો સમય ન મળે. એક પછી એક દીકરીને પરણાવતાં સુથાર પચાસ વર્ષનો થઈ ગયો.


એક દિવસની વાત છે. સુથાર બપોરે રોંઢો કરીને કામે જવા નીકળ્યો. રસ્તામાં કથાનું સ્થળ આવ્યું. એક કથાકાર કથા કરે. સુથાર ત્યાંથી પસાર થયો ત્યારે કથાકારના અમૃત જેવા શબ્દ એના કાને અથડાયા: “જગતના પ્રાણીમાત્રના પાલપોષણની જવાબદારી ભગવાનની છે. તે કીડીને કણ અને હાથીને મણ આપે જ છે. એ ભૂખ્યા ઉઠાડે છે, પણ ભૂખ્યા સુવાડતો નથી. છતાં પણ મનુષ્યને ભગવાન પર ભરોસો નથી અને ચિંતામાંઅને ચિંતામાં પોતાનો અવતાર એળે કાઢે છે. જે ભગવાનમાં શ્રદ્ધા રાખે છે તે ભવપાર તરી જાય છે. માટે ભગવાન ઉપર ભરોસો રાખો.”


આ શબ્દ સુથારના દિલ પર કોતરાઈ ગયા. પળમાં પરિવર્તન થઈ ગયું. એનું હૃદય રડવા લાગ્યું. અરેરે, મારી આખી જિંદગી એળે ગઈ. મેં ભક્તિ તો ન કરી, પણ ભગવાન પર ભરોસોય ન કર્યો. સુથારે તો એ જ વખતે દ્રઢ સંકલ્પ કરી લીધો કે હવે થાય એટલું કરવું. મળે તો ખાવું, ના મળે તો ભૂખ્યા રહેવું પણ ભગવાનની ભક્તિ તો કરવી જ. સુથાર તો ભક્તિએ ચઢી ગયો. ઘરમાં ખાવાનાય સાંસા પડવા લાગ્યા.  પત્નીને કચવાટ તો ઘણો થાય પણ એ કશું બોલે નહિ.

ગીતાજી માં કહેલા શ્રી વિષ્ણુ ભગવાન ૧૦૮ નામ


એમ કરતાં પવિત્ર પુરૂષોત્તમ માસ આવ્યો. સુથાર અને એની પત્નીએ વ્રત લીધાં. રોજ નદીએ નહાવા જાય, વ્રત કરે, દક્ષિણા આપે પછી ઘેર આવીને પૂજા-ભજન કરે. ઘરમાં ખાવા લોટ ન મળે પણ રોજ એક બ્રાહ્મણને સીધું અવશ્ય દે.


એમ કરતાં વ્રત પૂર્ણ થવા આવ્યું. ફક્ત બે દિવસ બાકી રહ્યા ત્યારે પત્ની બોલી કે “ હવે ઘરમાં અન્નનો દાણૉ નથી, વેચવા ઘરવખરી નથી રહી. હવે શું કરશો ? છેલ્લા દિવસે વ્રતનું ઉજવણું કરવું પડશે, બ્રાહ્મણોને જમાડી દાન-દક્ષિણા આપવી પડશે, તો જ વ્રત પૂર્ણ થશે.” સુથાર તો જરાય ચિંતા કર્યા વગર “કાલની વાત કાલે, ભગવાન પર ભરોસો રાખ.” એમ કહીને સૂઈ ગયો. સવારે વહેલા ઊઠી, લોટો લઈ દિશાએ જવા બેઠો. પડી ન જવાય એટલા માટે એક છોડનું મૂળિયું પકડી રાખ્યું. પકડતાં જ મૂળિયું ઊખડી ગયું. અંદર ચળકાટ દેખાયો. થોડીક ધૂળ હટાવતાં જ હીરા-માણેકથી ભરેલો ચરુ દેખાયો.


ઘડીક તો સુથાર આનંદમાંઆવી ગયો.પણ પછી વિચાર કર્યો કે “આ તો દાટેલું ધન કહેવાય, લઉં તો પાપમાં પડું.” એ તો ચરું પર માટી ઢાંકીને પાછો ફર્યો. ઘેર આવીને પત્નીને વાત કરી ત્યારે પત્ની લમણે હાથ દેતાં બોલી : “તમે તો સાવ ભગત જ રહ્યા. દાટેલું ધન જેના ભાગ્યનું હોય એને મળે. તમારે ક્યાં કોઈના ઘરમાં ચોરી કરવાની હતી ? સાવ મુરખના જામ છો તમે. ઘેર બેઠા ગંગા આવી અને તમે કોરા ને કોરા જ રહ્યા. ચાલો, મને જગ્યાબતાડો; હું એ ચરુ લઈ આવું.”


પણ સુથારે તો એક જ વાત પકડી રાખીકે પરધન પથ્થર સમાન ગણાય. હું એ અણહક્કનું લઉં તો મારો ભગવાન મારા ઉપર રુઠે. જો ભગવાનને આપવું હશે તો ઘેર બેઠાં છાપરું ફાડીને આપશે. પણ પત્નીને લાલચ વળગી હતી. એ તો ઊંચા અવાજે રકઝક કરવા લાગી. પણ કોઈ વાતે સુથાર તૈયાર ન થયો ત્યારે પત્ની જાતે ચરુ લેવા તૈયાર થઈ. સુથાર એને સમજાવવા લાગ્યોકે પ્રાત:કાળ છે. હવે સ્નાન કરવા જઈએ. વ્રત તૂટશે તો પ્રભુ કોપશે.


કાંઠા ગોરમાં ની વાતૉ શ્રી પુરૂષોત્તમ કથા પ્રથમ અધ્યાય

 
પત્ની કમને નદીએ જવા તૈયાર થઈ. પતિ-પત્ની બંને નદીએ ગયાં. હવે બન્યું એવું કે પતિ-પત્નીની આ રકઝક પડોશમાં રહીતા વાળંદે સાંભળી. તરત બૈરીને જગાડી અને બંને ચાદર લઈને પાદર તરફ દોડ્યા. બંનેના મોંમાથી લાલચની લાળ પડતી હતી. જગ્યા પણ તરત મળી ગઈ. તાજી માટી ખોદેલી હતી. વાળંદની બૈરી તો જલ્દી જલ્દી માટી હટાવવા લાગી. ચરું દેખાતાં જ એ ચીસ પાડીને હટી ગઈ. હીરા-માણેક અને સોનામહોરના બદલે પીળા પીળા વીંછી ! વાળંદે માન્યું કે સુથારે મને મારી નાખવા માટે જ આ ત્રાગડો રચ્યો છે. હવે તો એને પણ દેખાડી દેવું. વાળંદે ચરુનુ મુખ બાંધીને ચરુ ચાદરમાં વીંટાળી લીધો.


બંને ઘેર આવ્યા. વાળંદ છાપરે ચઢી ગયો. સુથારના છાપરે જઈ નળિયા ખસેડ્યા અને ચરુ લઈને ત્યાં જ બેસી ગયો. સુથાર અને તેની પત્ની નદીએથી આવ્યા. સુથાર પૂજા કરવા બેઠો. લાગ જોઈને વાળંદે ચરુ ઊંધો વાળી દીધો. પણ આ શું ? વીંછીના બદલે ખડીંગ… ખણણણ… કરતી સોનામહોરો વરસી. સુથાર તો આભો થઈ ગયો. સુથારની પત્ની ફાટી આંખે વરસતી સોનામહોરો જોઈ રહી. પ્રભુની કૃપા જોઈ સુથાર ભાવવિભોર થઈ ગયો. ભગવાને ઘેર બેઠાં છાપરું ફાડી ધન આપ્યું. હાથ જોડી બંને પતિ-પત્ની પ્રભુનો આભાર માનવા લાગ્યા.


આ બાજુ અદેખો વાળંદ અને તેની બૈરી વાટ જુએ છે કે હમણાં સુથાર રોકકળ કરતો કાળી ચીસો પાડતો બહાર આવશે. પણ ઘણી વાર થઈ છતાં કાંઈ ન બન્યું એટલે એણે અંદર ડોકિયું કરીને જોયું તો સુથાર અને તેની પત્ની ઊંચા અવાજે પ્રભુના ગુણગાન ગાય છે. વાળંદ દાંત પીસતો અને હાથ મસળતો રહી ગયો. મળેલું ધન સુથારે સદકાર્યમાં વાપર્યું. સદાવ્રત ખોલ્યા. ખૂબ દાન-પુણ્ય કર્યાં, નિત્ય પ્રભુ ભજન અને ધર્મ-ધ્યાન કરવા લાગ્યા.


હે પૂર્ણ પુરૂષોત્તમ પ્રભુ ! તમે જેવા સુથારને ફળ્યા, એવા તમારામાં શ્રદ્ધા રાખનાર સર્વને ફળજો.


""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે  

 

સંતાન ગણપતિ સ્તોત્રમ્ ગુજરાતી લખાણ સાથે     

 

 "" શ્રી વિષ્ણુ ચાલીસા ""  ગુજરાતી લખાણ સાથે  

 

 """ શ્રી વિષ્ણુ સ્તુતિ """ ગુજરાતી લખાણ સાથે    

 

 """ શ્રી વિષ્ણ્વષ્ટકમ્   """ ગુજરાતી લખાણ સાથે  


 આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત 

 

દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી 


 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

પદ્મિની એકાદશી ની તિથિ માહિતી , માહાત્મય, પુજન વિઘિ | Padmini Ekadashi 2023 Kyare Che In Gujarati | Padmini Ekadashi 2023 | Okhaharan

પદ્મિની એકાદશી ની તિથિ માહિતી , માહાત્મય, પુજન વિઘિ | Padmini Ekadashi 2023 Kyare Che In Gujarati | Padmini Ekadashi 2023 | Okhaharan

padmini-ekadashi-2023-kyare-che-in-gujarati
padmini-ekadashi-2023-kyare-che-in-gujarati

શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખ માં આજે આપણે જાણીએ અઘિક માસની સુદ પક્ષની પદ્મિની એકાદશી ક્યારે છે 28 કે 29 જુલાઈ ઉપવાસ ક્યારે કરવો? પારણા નો સમય શું છે અને કેમ આ એકાદશી ખાસ છે ? આ એકાદશી નું વ્રત કરવાથી શું ફળ મળે છે?


 

પદ્મિની એકાદશી 2023: 


 અઘિક માસની સુદ પક્ષની એકાદશી ને પદ્મિની એકાદશી કહે છે. પદ્મિની એકાદશી એના નામ પરથી ખબર પડી જાય પરમ પદ આપનારી એકાદશી . આ એકાદશી ના પ્ભાવે કાતૅવીય એ મહાપ્રરાક્રમી રાવણ હરાવી પરમ પદ પ્રાપ્ત ક્રયું હતું. તેકથા આપણે એકાદશી ના દિવસે સાભળીશું . હિન્દુ શાસ્ત્રોમાંમાં એકાદશી તિથિનું એક વિશેષ મહત્વ છે. એકાદશી તિથિ દર મહિનામાં બે વાર આવે છે, સુદ અને વદ પક્ષ. એકાદશીનો દિવસ ભગવાન વિષ્ણુને સમર્પિત છે. આ એકાદશી દિવસે ના ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી વિષ્ણુ ભગવાનની વિશેષ કૃપા રહે છે. એવું માનવામાં આવે મનુષ્ય દ્રારા થયેલ દરેક પાપ માંથી મુક્તિ મેળવવાના આ વ્રત કરવામાં આવે છે. 


શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત ગુજરાતીમાં   


હિન્દુ ધર્મમાં વેદ અને શાસ્ત્રો મહત્વ વધારે છે. ગ્રંથોમાં પદ્મિની  એકાદશીનું વિગતવાર વર્ણન કરવામાં આવ્યું છે. આ દિવસે ભક્તો વિષ્ણુ ભગવાન દશ અવતાર માંથી  કોઈ પણ અવતાર પુજન કરે છે પદ્મિની એકાદશી નું વ્રત કરવાથી મનુષ્ય સમસ્ત પાપ નષ્ટ પામે છે. અને પરમ પદ આપનારી એકાદશી. આ એકાદશી વ્રત કોઈ પણ કરી શકે ચાહે નાના , મોટા , સ્ત્રી , પુરુષ બાળકો  હોય કે  વૌષ્ણવ , શુદ્ધ , ક્ષત્રિય , વેશ્ય હોય કે સવે આ વ્રત કરી શકે છે. 


અઘિક માસના સુદ પક્ષની એકાદશીને પદ્મિની એકાદશી કહેવામાં આવે છે. દર માસની એકાદશી તિથિ ખાસ હોય છે એમાં પણ અઘિક  માસની વદ પક્ષની એકાદશી નું મહત્વ ધણું વધારે છે. કારણે આ તિથિ દર ત્રણ વષૅ આવતી હોવાથી તેનું મહત્વ વઘી જાય છે. આ દિવસે જગતના પાલનહાર ભગવાન શ્રી વિષ્ણુ નું પુજન કરવામાં આવે છે.  આ એકાદશી સમસ્ત પાપ નષ્ટ કરી આલોક અને પરલોક મુક્તિ આપનારી છે.  


 એકાદશી ના દિવસે વિષ્ણુ ભગવાન ના પુજન સાથે સાથે ગાય માતા ,તુલસી માતા તથા પીપળા વૃક્ષ તથા શિવલંગ નું પુજન થાય છે ગાયમાતા પુજન કરવાથી સવૅ દેવતા ના આશીર્વાદ અને તુલસી માતા પુજન જીવનમાં સુખ સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે તથા પીપળા વૃક્ષ નું પુજન કરવાથી પૃતિદેવ ના આશીર્વાદ મળે છે.શિવલિંગ પર જળ દુઘ ફુલ બીલીપત્ર ચંદન નો અભિષેક કરવો.


 દર માસની શુક્લ અને કૃષ્ણ પક્ષની બે એકાદશી આવે છે અઘિક  માસની વદ પક્ષની એકાદશી ને પદ્મિની  એકાદશી કહે છે. અને ત્રણ વષે આવતા પુરુષોત્તમ માસની બે એમ 26 એકાદશી છે નો ઉલ્લેખ આપણા હિન્દુ શાસ્ત્રો માં થયેલો છે. દરેક એકાદશીનું એક વિશેષ મહત્વ હોય છે  


આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો. 


આ વષે 2023 ની અઘિક માસના કૃષ્ણ પક્ષની પદ્મિની એકાદશી તિથિ


 શરૂઆત 28 જુલાઈ 2023 શુક્રવાર બપોરે 2:51 મિનિટ
સમાપ્ત 29 જુલાઈ 2023 શનિવાર બપોરે 1: 05 મિનિટ
ઉપવાસ સૂયૅદય શરૂ થતો કરવો જોઈએ માટે
ઉપવાસ  29 જુલાઈ 2023 શનિવાર કરવો
પુજન નો શુભ સમય સવારે સવારે 7:36 થી 9:15 સુધી.
પારણા સમય 30 જુલાઈ 2023 રવિવાર સવારે 5:41 થી 8:24 સુધી.

 કજૅ ઋણ માંથી મુક્તિ મેળવવા શ્રી વિષ્ણુ ભગવાન નો આ પાઠ કરો 


 


 "" શ્રી વિષ્ણુ ચાલીસા ""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

ગીતાજી માં કહેલા શ્રી વિષ્ણુ ભગવાન ૧૦૮ નામ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

 

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

  

 """ શ્રી વિષ્ણુ સ્તુતિ """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

 

 """ શ્રી વિષ્ણ્વષ્ટકમ્   """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.   


દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી અહી ક્લિક કરો.  

  

 શ્રી હનુમાન દાદા નો આ પાઠ ચુડેલ મેલી ડાકાણ જિન સામે રક્ષણ મળે છે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

 

શ્રી હનુમાન દાદા નો "" વડવાનલ સ્ત્રોત ""  નો પાઠ  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

શ્રી "" દેવીકવચ "" ગુજરાતી ભાષાંતર સાથે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 

 સંઘ્યા સમયે એકવાર પાઠ કરો આ ""સ્તોત્ર દેવી"" ની કૃપા રહેશે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 

 રાત્રે એકવાર "" શ્રી મહાલક્ષ્મી"" ની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો

 

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission. 

 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

મંગળવાર, 25 જુલાઈ, 2023

પુરૂષોતમ માસ નિત્ય કરો શ્રી નારાયણ નામામૃત સ્તોત્ર ગુજરાતી લખાણ સાથે | Shree Narayan Namamutr Stotram in Gujarat Lyrics | Okhaharan

 પુરૂષોતમ માસ નિત્ય કરો શ્રી નારાયણ નામામૃત સ્તોત્ર ગુજરાતી લખાણ સાથે  | Shree Narayan Namamutr Stotram in Gujarat Lyrics | Okhaharan 

shree-narayan-namamutr-stotram-in-gujarati-lyrics
shree-narayan-namamutr-stotram-in-gujarati-lyrics

શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂ આપણા ગુજરાતી ભક્તિ લેખમાં આજે આપણે જાણીશું અધિક માસ એટલે કે પુરૂષોતમ માસ નિત્ય કરવામાં આવતો શ્રી નારાયણ નામામૃત સ્તોત્ર ગુજરાતી લખાણ સાથે 


કાંઠા ગોરમાં ની વાતૉ શ્રી પુરૂષોત્તમ કથા પ્રથમ અધ્યાય 


 શ્રી નારાયણ નામામૃત સ્તોત્ર


નારાયણ નારાયણ જય ગોવિંદ હરે
નારાયણ નારાયણ જય ગોપાલ હરે.

અચ્યુત અશરણશરણા, કમલા લાલિતચરણા –
નારાયણ નારાયણ જય ગોવિંદ હરે
નારાયણ નારાયણ જય ગોપાલ હરે.

ક્ષીરસમુદ્રશયાના, જય પક્ષીશ્વરયાના. નારાયણ…
કોટીમદનછબિસુંદર, શ્યામલ પીતાંબરધર. નારાયણ…
કરચક્રગદાંબ્રુજયુત, ભક્તાનામભયાયુધ. નારાયણ…
અંશકલાવિગ્રહ્ધર, દુર્જનખલનિગ્રહકર. નારાયણ…

હિરણ્યાક્ષહતિકરણા, વરાહ ધરણીધરણા. નારાયણ…
યજ્ઞસકલશુભકર્તા, હરિવર સુરાર્તિહર્તા. નારાયણ…

સાંખ્યાચાર્ય મુનિશ્વર, કર્દમસુત કપિલેશ્વર. નારાયણ…
અનસૂયાસુત ગુરુવર, દત્તાત્રેય દિગંબર. નારાયણ…

શિશુવેશા સનકાધા, નારદ વીણાવાધા. નારાયણ…
જય જય નારાયણ, જનહિત તપ:પરાયણ. નારાયણ…

ભૂદોહનકર ભૂપા, પ્રુથુવિક્રમ પ્રુથુરૂપા. નારાયણ…
ઋષભદેવ યોગીશ્વર, જય જય બ્રહ્મવિદાંવર. નારાયણ…


હયગ્રીવ મધુહંતા, મુખમય વિશ્વનિહંતા.  નારાયણ…
મહામીનતનુધારક, પ્રલયે વેદોદ્ધારક. નારાયણ…

કચ્છપરૂપ કૃપાકર, સિંધુમંથન ધરમંદર. નારાયણ…
નરહરિરૂપ ભયંકર, સુરમુનિનુત લક્ષ્મીવર. નારાયણ…

હિરણ્યકશિપુનિહંતા, પ્રહલાદાભયદાતા. નારાયણ…
ચક્રનક્રસુવિદારક, હરે ગજેંન્દ્રોદ્ધારક. નારાયણ…

જય વામન બલિછલના દેવદુ:ખનિર્દલના. નારાયણ…
ચિદઘન હંસશરીરા, વિધિબોધક મતિધીરા. નારાયણ…

જય સમસ્તમનુરૂપા, ધર્મસ્થાપકભૂપા. નારાયણ…
ધન્વન્તરિ વૈધેશ્વર આયુર્વેદસુધાકર. નારાયણ…
મોહિનીરૂપ મનોહર, આસુરમોહ સુરહિતકર. નારાયણ…
ભૃગુકુલતિલક પરશુધર, નિ:ક્ષત્રિયધરણીકર. નારાયણ…

દશરથકૌશલ્યાસુત સુરવર વિધિહરનુત. નારાયણ…
તાતવચનવનગમના, જય દાનવદમના. નારાયણ…

અદભૂત પુણ્યચરિત્રા રઘુવર કપિવરમિત્રા. નારાયણ…
ગોદ્વિજસુરસુખકારણ સકુલદશાનનદારણ, નારાયણ…

નંદયશોદાજીવન હલધરયુત વ્રજજનધન. નારાયણ…
અઘબકબકીતૃણક્ષય, કાલિયમર્દન જય જય. નારાયણ…

બંદીવાદનશીલા અત્યદભુતશિશુલીલા. નારાયણ…
રાધાનનાબ્જષટપદ, રાસવિલાસવિશારદ. નારાયણ…

વ્રજજનસંકટહરણાં, ગોવર્ધનગિરિધરણા. નારાયણ…
દેવ દેવકીનંદ કેશવ કંસનિકંદન. નારાયણ…


વેદવ્યાસ મુનીશ્વર, વેદવિભાગસુગમકર. નારાયણ…
બુદ્ધમુનીશ મહાશય, સ્થાપક ધર્મ દયામય. નારાયણ…

કલ્કે કલિકલુષાંતક, કલુષીજનવિનિઘાતક. નારાયણ…
એવમનંતચરિત્ર, નામાનંતપવિત્ર. નારાયણ…

શ્રીકૃષ્ણ કૃપાલયનં મામ પ્રતિપાલય. નારાયણ…
તવ દાસં ‘હરિદાસ’ દયયા દદ પદવાસં. નારાયણ…

(આર્યાગીત)


નારાયણ નામામૃત, પીતાં ભવરોગ દુષ્ટ નષ્ટ થશે;
એહ જ અવતાર ચરિત, ગાતાં અવતરણ મરણ કષ્ટ જશે.


ગાયને એક વસ્તુ ખવડાવવાથી 24 કલાક મા સવૅ મનોકામના પૂણૅ થાય  સાથે ઈચ્છાપૂર્તિ થાય

 

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે  

 

સંતાન ગણપતિ સ્તોત્રમ્ ગુજરાતી લખાણ સાથે     

 

 "" શ્રી વિષ્ણુ ચાલીસા ""  ગુજરાતી લખાણ સાથે  

 

 """ શ્રી વિષ્ણુ સ્તુતિ """ ગુજરાતી લખાણ સાથે    

 

 """ શ્રી વિષ્ણ્વષ્ટકમ્   """ ગુજરાતી લખાણ સાથે  


 આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત 

 

દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી 


 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

પુરુષોત્તમ માસ કથા અધ્યાય આઠમો | Purushottam Maas Katha Adhyay 8 in Gujarati | Adhyay 8 | | Adhik Mass 2023 | Okhaharan |

પુરુષોત્તમ માસ કથા અધ્યાય આઠમો |  Purushottam Maas Katha Adhyay 8 in Gujarati  | Adhyay 8 | | Adhik Mass 2023 | Okhaharan | 


purushottam-mass-katha-adhyay-8-in-gujarati

શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂ આપણા ગુજરાતી ભક્તિ લેખમાં આજે આપણે જાણીશું પુરૂષોત્તમ માસની કથા અધ્યાય આઠમો  મેઘાવતીનો વિલાપ અને અમૃત ધારા જે વાતૉ કહેવાય વૈકુંઠની જાતરા વાર્તા.


પુરુષોત્તમ માસ કથા અધ્યાય સાતમો


અધ્યાય આઠમો : મેઘાવતીનો વિલાપ


સુત બોલ્યા : “ હે તપોધન ઋષિઓ ! શ્રી વિષ્ણુ તથા શ્રીકૃષ્ણનો પૂર્વોક્ત સંવાદ સાંભળી મનમાં સંતોષ પામેલા નારદજીએ ફરી આવો પ્રશ્ન કર્યો.”
નારદે પૂછ્યું : “હે પ્રભુ ! રુકમણિના પતિ શ્રી વિષ્ણુભગવાન વૈકુંઠમાં પધાર્યા તે પછી શું થયું તે મને કહો તેમજ ઈન્દ્રપુત્ર અર્જુન તથા શ્રીકૃષ્ણનું વૃતાંત પણ કહો. કેમકે આદ્યપુરૂષ નરનારાયણ સ્વરૂપે એ બંનેનું વૃતાંત સર્વ લોકોનું હિત કરનારું છે.


શ્રી નારાયણ બોલ્યા : “હે નારદ ! રુકમણિના નાથ શ્રી વિષ્ણુ હર્ષપૂર્વક પોતાના વૈકુંઠધામમાં પધાર્યાં તે પછી ત્યાં જઈને તેમણે એ અધિક માસને પણ ત્યાં જ વસાવ્યો. અધિપતિ થઈ સર્વ મહિનાઓમાં શ્રેષ્ઠ બની અધિક માસ પ્રસન્ન થયો. શ્રી વિષ્ણુ પણ આ મળમાસને બારે મહિનાઓમાં શ્રેષ્ઠ બનાવી મનમાં સંતોષ પામ્યા.”


તે પછી હે નારદ ! હવે તમને શ્રીકૃષ્ણ અને પાંડવો વચ્ચે કામ્યક વનમાં શું થયું તે જણાવું  છું. ભકતવત્સલ ભગવાન શ્રીકૃષ્ણે અજુન, યુધિષ્ઠિર તથા દ્રૌપદી તરફ કૃપા દ્રષ્ટિ કરીને આ પ્રમાણે કહ્યું : “હે રાજાઓમાં શ્રેષ્ઠ યુધિષ્ઠિર ! તમે રાજવૈભવ, સંપત્તિ ગુમાવીએ વનમાં દુ:ખી થઈને ભટકી રહ્યા છો. એનું કારણ એ છે કે તમે પુરૂષોત્તમ માસનો અનાદર કર્યો છે. તમે તે માસ વનમાં આચરણહિન બની ગુમાવ્યો છે. ભીષ્મ, દ્રોણ તથા કર્ણના ભયથી હસ્તિનાપુરમાં પણ તમે પુરૂષોત્તમ માસના માહાત્મ્યને જાણી શક્યા નહીં. અને વેદવ્યાસજીથી પ્રાપ્ત વિદ્યા-આરાધનામાં રચ્યાપચ્યા રહ્યાં. આમાં તમારો દોષ નથી. ભાગ્યઅનુસાર મનુષ્યે દુ:ખ ભોગવવું પડે છે. હે મહારાજ ! તમારા દુ:ખનું બીજું પણ આશ્ચર્યકારક તથા ઐતિહાસિક કારણ સાંભળો.
શ્રીકૃષ્ણ બોલ્યા : “ આ દ્રૌપદી પૂર્વજન્મમાં મેઘાવી બ્રાહ્મણની પુત્રીહતી. તેનું નામ મેઘાવતી હતું. તે ચતુર, ગુણવાળી તથા ખૂબ સુંદર હતી. તે સાહિત્યશાસ્ત્ર તથા નીતિશાસ્ત્રમાં પંડિતા હતી.”


સમય જતાં ઉંમરલાયક થતાં એક સમયે પાસે રહેતી સખીઓના સંતાનોને લાડ લડાવતાં જોઈ તેને પણ પુત્ર પૌત્રના સુખની ઈચ્છા થઈ. તેણે મનમાં ને મનમાં વિચારવા માંડ્યું કે ક્યું વ્રત કરું તો મારી સખી જેવું સુખ મને મળે ? ક્યા દેવની ઉપાસના કરું તો મને ભાગ્યવાન સર્વગુણ સંપન્ન પતિ મળે ? ક્યા મુનિની સેવા કરું તો મને ઉત્તમ સંતાન પ્રાપ્તિ થાય ? માતા તો પહેલા જ સ્વર્ગવાસી થઈ ગઈ હતી. પિતા પંડિત છે તે પણ આ બાબતે ઉદાસ છે. મારા માટે યોગ્ય પતિ ગોતવા તેઓ શા માટે પ્રયત્ન કરતા નથી ? આવા વિચારોથી તે શોકમાં ડૂબી ગઈ. આ બાજુ ઋષિ મેઘાવી પોતાની પુત્રી મેઘાવતી માટે યોગ્ય વર શોધવાના સંકલ્પ સાથે પૃથ્વીઉપર ભ્રમણ કરવા લાગ્યા. પણ તેમને કોઈ યોગ્ય મુરતિયો મળ્યો નહીં. એટલે નિરાશ થઈ ગયા. આથી દુ:ખની તીવ્ર જ્વાળાઓમાં શેકાતા તે જમીન પર મૂર્છા ખાઈને ઢળી પડ્યા. દૈવયોગે તેમને તીવ્ર તાવ આવ્યો. મહાભયંકર મૂર્છા અવસ્થા સ્વરૂપે તેઓ ઘેર આવ્યા. પુત્રી મેઘાવતી ભયથી ગાભરી બની ગઈ. બ્રાહ્મણ મેઘાવીને પૂર્વકાળના ગૃહસ્થાશ્રમમાં ધર્મ પરિશ્રમની કૃપાથી અંતવેળા વાસના છૂટી ગઈ. તેમણે હરિમાં જ ચિત્ત રાખ્યું. મેઘાવીએ પુરૂષોત્તમ શ્રીહરિનું સ્મરણ કરવા માંડ્યું.


જેમનો રંગ કમળોની પાંખડી જેવો કાળો છે અને આકૃતિ ત્રણ ઠેકાણે વાંકી તથા સુંદર છે. તેવા પ્રભુની મરણ સમયે આ પ્રમાણે મુનિએ પ્રાર્થના કરી.
“હે રાસેશ્વર !  હે રાધાપતિ ! આપે પ્રચંડ બાહુઓથી દેવોના શત્રુઓને દૂરથી જ મારી નાખ્યા છે, આપ અતિ ઉગ્ર દાવાનળનું પાન કરનારા છો અને આપે સ્નાન કરતી ગોપકુમારીઓએ ઉતારી મૂકેલાવસ્ત્રોને હરણ કર્યાઁ હતા.હે શ્રીકૃષ્ણ ! હે ગોવિંદ ! હે શ્રીહરિ ! સંસારસાગરમાં ડૂબી રહેલાઆ અધમ જીવને આપના ચરણોમાં સ્થાન આપો. આપને વારંવાર નમસ્કાર છે. આપ મારા દુ:ખને દૂર કરો.” ઋષિની આર્દ્ર સ્વરે કરેલી સ્તુતિથી ભગવાનના દૂતો મેઘાવી ઋષિને પ્રભુચરણમાં લઈ ગયા.


શ્રી પુરૂષોતમ સ્ત્રોત ગુજરાતી લખાણ સાથે


પિતાના પ્રાણત્યાગથી પુત્રી મેઘાવતી અતિ દુ:ખી થઈ વિલાપ કરવા લાગી. વિહવળ બની બોલવા લાગી : “હે પિતાજી ! આપ મને છોડીને ક્યાં ચાલ્યા ગયા. તમારા વગર નિરાધાર થયેલી મારી હવે કોણ ખબર રાખશે ? મારે ભાઈ નથી. કોઈ કુટુંબ નથી. માતા નથી. મારાં અન્ન-વસ્ત્ર તથા જીવનની ચિંતા કોણ કરશે ? આ ઘોર જંગલમાં હું એકલી કેવી રીતે રહી શકીશ ? મારે હવે જીવવાનું શું પ્રયોજન છે ? મારો વિવાહ વિધિ કર્યા વિના જ તમે ક્યાં જતા રહ્યા ? ઊઠો ઓ પિતા ! હવે ઊઠો. બહુ વખત થયા સૂતા છો.” એમ કહી આંસુવાળા મુખેથી એ બાળા વારંવાર વિલાપ કરવા લાગી.
એ કન્યાનું રુદન સાંભળી ત્યાંના વનવાસી બ્રાહ્મણો વિચારમાં પડ્યાં કે આ તપોવનમાં આવું કરુણ રુદન કોણ કરે છે ? ધીમે ધીમે તેઓને મેઘાવી ઋષિની પુત્રીના અવાજની ખાત્રી થઈ એટલે તેઓ એકદમ ગાભરા બની હાહાકાર કરતા ત્યાં દોડી આવ્યા. તેઓએ આવી જોયું તો મેઘાવી મુનિ પુત્રીના ખોળામાં મરેલા પડ્યા હતા. પછી તો તે બધાય વનવાસી રડવા લાગ્યા. છેવટે પુત્રીના ખોળામાંથી મડદું ઉઠાવી લઈ સ્મશાનમાં જ્યાં શિવમંદિર હતું. તેની પાસે તેઓએ તેની અંત્યેષ્ટિ ક્રિયા કરી અને લાકડાની ચિતામાં સુવાડી અગ્નિસંસ્કાર કર્યો. પછી એ કન્યા પણ ધીરજ ધરીને પિતાના મરણ પછી શ્રાદ્ધ, તર્પણ, દાન બધી ક્રિયા કરીને એ તપોધનમાં રહેવા લાગી, પણ પિતાના વિયોગથી થયેલા દુ:ખને લીધે તે બળ્યા કરતી હતી અને અગ્નિથી બળી ગયેલી કેળની પેઠે તથા વાછરડું મરી જતાં દુ:ખી થયેલી ગાયની પેઠે આશ્રય વિહોણી બનેલી પીડાયા કરતી હતી.


“ શ્રી બૃહન્નારદીય પુરાણ” ના પુરૂષોત્તમ માહાત્મ્યનો
“મેઘાવતીનો વિલાપ” નામનો આઠમો અધ્યાય સંપૂર્ણ.
 
હવે પતિતપાવન પુરૂષોત્તમ માસની કથાનું રસપાન કરીએ.


વૈકુંઠની જાતરા


એક ગામમાં પટેલ રહે. પટેલ સાવ ભોળા ! પટેલને ચાર દીકરા. ચારેય દીકરા ખેતી કરે અને પટેલ નિરાંતે ભક્તિ કરે. દાન-પુણ્ય કરે. ભૂખ્યાને ભોજન આપે.


એવામાં પુરૂષોત્તમ માસ આવ્યો. પટેલે વ્રત શરૂ કર્યુ. પ્રાત:કાળે સવારે વહેલા ઊઠી નદીએ સ્નાન કરવા જાય, કથા-વાર્તા સાંભળે, બ્રાહ્મણોને દાન-દક્ષિણા આપે અને નિત્ય એકટાણું કરે. રાતે પ્રભુ પુરૂષોત્તમનાં ભજન કરે.


પટેલની આવી શ્રદ્ધા-ભક્તિ જોઈ સ્વયં પુરૂષોત્તમ ભગવાન પોતે ભિખારીનું રૂપ લઈને પટેલની કસોટી કરવા આવ્યા. પટેલ તો ખળામાં ઘઉંના ઢગલાની રખેવાળી કરતા બેઠા છે. ભજન લલકારે છે. ભિખારીને જોઈને પટેલે સૂપડું ભરીને ઘઉં આપ્યા પણ ભગવાન બોલ્યા કે, “આપવો હોય તો આખો ઢગલો આપો.” પટેલ પણ પાછા પડે એવા ન હતા. તરત બોલ્યા કે, “જા, આખો ઢગલો તારો. તારે હક એ મારે હરામ. બોલ, ભાઈ ! તું કહે ત્યાં પહોંચાડી દઉં.”


ગીતાજી માં કહેલા શ્રી વિષ્ણુ ભગવાન ૧૦૮ નામ


ભગવાને પ્રસન્ન થઈને અસલ સ્વરૂપે દર્શન દીધાં. પટેલ તો પ્રભુનાં ચરણોમાં પડી ગયા. ત્યારે ભગવાન બોલ્યા કે “હે ભક્ત ! હું તારા પર પ્રસન્ન થયો છું. માંગ, તું માંગીશ એ આપીશ.” ત્યારે પટેલ બોલ્યા : “હે પ્રભુ ! તમારી કૃપાથી બધું જ મારી પાસે છે. બસ, એક ઈચ્છા છે. સદેહે વૈકુંઠની જાતરા કરવી છે, થાય તો એ પૂર્ણ કરો.”


પ્રભુએ પ્રસન્નતાથી પટેલનો હાથ ઝાલીને તેમને વિમાનમાં બેસાડ્યા અને વૈકુંઠ લઈ ગયા. ત્યાંથી ગોલોકમાં લઈ ગયા. પછી શિવલોક, બ્રહ્મલોક, પાતાળલોક અને ઈન્દ્રપુરી લઈ ગયા. પછી અક્ષરધામનાં પણ દર્શન કરાવ્યા.


આ બાજુ બાપા ગુમ થવાથી ઘરમાં રડારોળ થઈ ગઈ. બાપા ગયા ક્યાં ? ચારે બાજુ પટેલને શોધવા દોડધામ કરી મૂકી. પણ પટેલ હોય તો મળે ને ? એ તો લહેરથી વૈકુંઠની જાતરા કરતા હતા. વાટ જોતાં જોતાં પાંચ દિવસ વીતી ગયા, પણ બાપા ન આવ્યા. ત્યારે છોકરા જોષી પાસે ગયા. જોષીએ જોષ જોઈને કહ્યું કે, “અગિયાર દિવસ રાહ જુઓ. બાપા પાછા ન આવે તો બારમા દિવસે બારમું કરી નાખજો.”


અગિયાર દિવસ વાટ જોયા પછી પણ પટેલ ના આવ્યાત્યારે બારમા દિવસેચોકરા દાઢી-મૂંછ મુંડાવીને સરાવવા બેઠા. ગામે ગામથી કાણિયા આવ્યા. પિંડદાન દીધાં ત્યાં જ સરસરાટ કરતું વિમાન આવ્યું અને એમાંથી પટેલ ઊતર્યા. બધા ભૂત… ભૂત…. કરીને ભાગવા લાગ્યા. ત્યારે પટેલ બોલ્યા કે “ભૂતેય નથી અને પલીતેય નથી. જીવતો જાગતો માણસ છું. હું તો વૈકુંઠની જાતરા કરવા ગયો હતો. પ્રભુ પુરૂષોત્તમ પોતે મને લઈ ગયા હતા.” પણ કોઈએ તેમની વાત માની નહીં.


પટેલે બધાને બહુ સમજાવ્યા પણ વાત લોકોના ગળે ન ઊતરે. સદેહે વળી વૈકુંઠમાં જવાતું હશે ? પટેલ તો પ્રભુને પોકારવા લાગ્યા. આખરે બ્રાહ્મણોએ તોડ કાઢ્યો કે જો પટેલ એમને પણ વૈકુંઠની જાતરા કરાવે તો વાત સાચી માનવી, નહીંતર ચિતાએ ચઢાવી દેવા. પટેલ તો ખરા ફસાયા. પણ ભક્તને ભીડ પડે અને ભગવાન રોકાય ખરા ?


તરત પ્રભુ ગરુડ પર ચઢીને પ્રગટ થયા. પટેલની આંખમાં હરખના આંસુ આવી ગયાં. પટેલે પ્રભુને વિનંતી કરી : “હે પ્રભુ ! આ લોકો મારીવાત માનતા નથી. તેથી તમે આ બ્રાહ્મણોને પણ વૈકુંઠની જાતરા કરાવો, નહીં તો આ બધા ભેગા મળી મને ચિતા પર ચઢાવી દેશે.”


ગાયને એક વસ્તુ ખવડાવવાથી 24 કલાક મા સવૅ મનોકામના પૂણૅ થાય  સાથે ઈચ્છાપૂર્તિ થાય


ત્યારે પ્રભુબોલ્યા : “પટેલ ! પુણ્યશાળી જીવને જ વૈકુંઠનાં દર્શન થાય. બીજાને નહીં.” પરંતુ પટેલે જીદ કરી એટલે પ્રભુએ હા પાડી. પટેલની સાથે સાત બ્રાહ્મણોએ વૈકુંઠની જાતરાની તૈયારી કરી. પ્રભુના આદેશ પ્રમાણે પટેલે ગરુડના પગ પકડી લીધા. એક બ્રાહ્મણે પટેલના પગ પકડ્યા. એમ કરતાં લંગાર થઈ. ગરુડ તો આકાશમાં ઉડવા લાગ્યું. જે બ્રાહ્મણે પટેલના પગ પકડ્યા હતા તેને લાડવા બહુ ભાવે. એ પટેલને પૂછવા લાગ્યો કે “વૈકુંઠમાં લાડવા મળશે ?”  પટેલે ‘હા’ પાડી તો બ્રાહ્મણેપૂછ્યું કે ‘કેટલા ?’ ત્યારે પટેલે હાથ પહોળા કરીને કહ્યું કે ‘આટલા.’


પટેલે હાથ પહોળા કરતાં જ બધા આકાશમાંથી જમીન પર પછડાયા. સાતેય બ્રાહ્મણ મરી ગયા. માત્ર એક પટેલ જીવતા રહ્યા. બ્રાહ્મણોને સ્વધામ સંચરેલા જોઈ પટેલ રડતાં રડતાં પ્રભુને વિનવવા લાગ્યા કે “તેં તો મારા પર બ્રહ્મહત્યા ચઢાવી પ્રભુ ! હવે તો આ સાતેય બ્રાહ્મણોને જીવતા કર તો જ અન્નજળ લઉં.”


ભગવાન તત્કાળ દોડી આવ્યા અને સાતેય બ્રાહ્મણોને સજીવન કર્યા. આમ પટેલની નિષ્કામ ભક્તિના પ્રતાપે એમણે જીવતે જીવ વૈકુંઠ જોયું અને બીજાને પણ પ્રભુના દર્શન કરાવ્યાં.


કાંઠા ગોરમાં ની વાતૉ શ્રી પુરૂષોત્તમ કથા પ્રથમ અધ્યાય 


હે પૂર્ણ પુરુષોત્તમ પ્રભુ ! તમે જેવા પટેલને ફળ્યા એવા સૌને ફળજો.



""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે  

 

સંતાન ગણપતિ સ્તોત્રમ્ ગુજરાતી લખાણ સાથે     

 

 "" શ્રી વિષ્ણુ ચાલીસા ""  ગુજરાતી લખાણ સાથે  

 

 """ શ્રી વિષ્ણુ સ્તુતિ """ ગુજરાતી લખાણ સાથે    

 

 """ શ્રી વિષ્ણ્વષ્ટકમ્   """ ગુજરાતી લખાણ સાથે  


 આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત 

 

દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી 


 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇