867 પછી શુભ સંયોગ | ગુરુપુષ્ય નક્ષત્ર ક્યારે છે ? શુભ મુહૂતૅ , શુ કરવું ?, શુ ના કરવું ? કંઈ વસ્તુની ખરિદિ કરી શકાય ? | Guru Pushya Nakshatra 2021 Date Time | Okhaharan
guru-pushya-nakshatra-2021-date-time-gujarati |
શ્રી ગણેશાય નમઃ સ્વાગત છે તમારૂ આપણા ગુજરાતી ભક્તિ લેખમાં આજે આપણે જાણીશું આ વષૅ ગુરૂપુષ્ય નત્રક્ષ ક્યારે છે આ પુજન કે કોઈ શુભ કાયૅ ના શુભ મુહૂત અને ચોઘડિયા ક્યાં છે તથા આ દિવસે શુ કરવું અને શુ ના કરવું , સાથે જાણીશું કંઈ વસ્તુનું ખરિદિ શુભ મનાવમાં આવે છે.
પંચાગ મુજબ પહેલા જાણીયે તો નક્ષત્ર એટલે ક્રાંતિવૃતના આરંભ સ્થાનથી દરેક 13 અંશ 20 કલાક ના વિભાગ ને નક્ષત્ર કહે છે. આવા કુલ 27 નક્ષત્ર છે તેમાં દરેક કાયૅ માટે દરેક નક્ષત્ર નું મહત્વ અલગ હોય છે. તેવી જ રીતે પુષ્ય નક્ષત્ર નું મહત્વ વઘારે છે. દરેક માસમાં ચંદ્ર ના વિભાગ મુજબ પુષ્ય નક્ષત્ર આવે છે. એમાં પણ અમુક વાર જેમકે સોમવાર, ગુરૂવાર અને શનિવારે આવતા પુષ્ય નક્ષત્ર ને અતિ શુભ માનવામાં આવે છે. સોમવાર એ ચંદ્ર નો વાર છે, ગુરૂવાર એટલે કે પુષ્ય નક્ષત્ર ની પ્રકૃતિ ગુરૂ જેવી છે અને શનિવાર એટલે પુષ્ય નક્ષત્ર નો રાશિ સ્વામી શનિ છે. આમ આ 3 દિવસે આવતા પુષ્ય નક્ષત્ર ને શુભ માનવામાં આવે છે. પુષ્ય નક્ષત્રને શાસ્ત્રો મુજબ અમરેજ્ય નું બિરૂદ પ્રાપ્ત છે. આ શુભદાયી દિવસે મહાલક્ષ્મીની સાધના કરો, પીપળા કે શમીના ઝાડની પૂજા કરવાથી તેનું ખાસ અને મનોવાંછિત ફળ પ્રાપ્ત થાય છે.
આ વષે દિવાળી પહેલા પુષ્ય નક્ષત્ર 28 ઓક્ટોબરના ગુરૂવારના રોજ સવારે 09:42 થી પુષ્ય નક્ષત્ર શરૂ થઈ જશે. જે 29 ઓક્ટોબર શુક્રવાર સવારે 6:25 સુધી રહેશે. આ દિવસ ની તિથિ જોઈએ તો આઠમ એટલે આસો વદ આઠમ અહોઈ અષ્ટમી અને કાલ અષ્ટમી આવે છે.પુષ્ય નક્ષત્ર , ગુરૂવાર, શનિ મકર રાશિ એટલે પોતાની રાશિમાં આ અહોઈ અષ્ટમી અને કાલ અષ્ટમી અષ્ટમી સવૅ તિથિ, વાર, નક્ષત્ર 867 વષૅ પછી શુભ યોગ બને છે.
ગુરુપુષ્ય શુભ મુહૂતૅ
પુષ્ય નક્ષત્ર 28 ઓક્ટોબરના ગુરૂવારના રોજ સવારે 09:42 થી પુષ્ય નક્ષત્ર શરૂ થાય છે.
અભિજિત મુહૂતૅ સવારે 11-40 થી 12-25 સુઘી
નિશિતા મુહૂતૅ 11-03 થી બીજા દિવસે 12-07 સુઘી રહેશે
વિજયી મુહૂતૅ 01-34 થી 02-19 સુઘી
ગોઘૂલિ મુહૂતૅ સાજે 05-09 થી 05-33 સુઘી
ગુરુપુષ્ય દિવસે શુ કરવું
આ દિવસે સોનું ખરીદી કરવાનું વિશેષ મહત્વ છે.સાથે કોઈ નવું વાહન, મકાન, દુકાન, કપડાં, વાસણ, કોઈ પ્રકારના મશીન , ઘંઘાના ચોપડાં આમ દરેક શુભ વસ્તું ખરીદી કરી શકાય. અને તમે નવુ કોઈ પણ કાયૅ નવાવષૅ કરવાનાં હોય તો એની પણ ખરીદી આ શુભ દિવસે કરી શકાય છે.
ગુરુવાર પુષ્ય દિવસે શુ ના કરવું
આ દિવસે દરેક નકારાત્મક વસ્તુ દુર રહેવું જેમ કે માંસ, મઘીર, મઘપાન, ખોટા કામ, જુગાર ખોટી લત વગેરે.
લેખ સારો લાગ્યો હોય તો મિત્રો સાથે શેર કરો અને
દરરોજ આવા ભક્તિ લેખ વાંચવા અમારો બોલ્ગ ફોલો કરો
અમારી સાથે સોસીયલ મીડિયા માં જોડાવો 👇👇👇
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો