લેબલ Anand No Garbo સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો
લેબલ Anand No Garbo સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો

શુક્રવાર, 26 ફેબ્રુઆરી, 2021

તમે આનંદ નો ગરબો પાઠ કરતા હશો પણ તમને ખબર છે આ પાઠ કરવાથી શું ફળ મળે છે? તો જાણો ભક્ત વલ્લભ રચિત આનંદ ના ગરબાનું ફળ ગુજરાતીમાં

 તમે આનંદ નો ગરબો પાઠ કરતા હશો પણ તમને ખબર છે આ પાઠ કરવાથી શું ફળ મળે છે? તો જાણો ભક્ત વલ્લભ રચિત આનંદ ના ગરબાનું ફળ ગુજરાતીમાં

Anand No Garbo Fal Gujarati
Anand-No-Garbo-Fal-Gujarati


 



 

આનંદ ના ગરબાના પાઠનું ફળ

આનંદના ગરબા ના પાઠથી આજે ત્રણસો વરસ દરમ્યાનમાં અનેક ભક્તોને અસંખ્ય શ્રી (ચંડીપાઠ ) ની માફક દરેક શ્ર્લોક ની પેઠે મંત્ર સામર્થના વિવિધ ચમતકારો મળેલા છે અને મળે છે . તેના અનેક દાખલાઓ પણ મોજૂદ છે . 

બહુચર માંની સ્તુતિ કરી લેજો કોઈ વાળ પણ વાંકો નહીં કરે 


તેમજ દરેક કાર્ય પ્રસંગે આ આનંદનો ગરબો , જે ધારેલી ધારણા સફળ કરવા સાક્ષાત્ કલ્પવૃક્ષ સમાન છે . અને વલ્લભ ભટ્ટજીનું પણ વાક્ય છે કે " કલી કલ્પતરૂવાડા જે જાણે તેને મા ’ ‘ આ કળિયુગમાં કહ વૃક્ષની ( વાડી ) બગીચારૂપી આપ શ્રી જગદંબા જ છો , તો પણ જે આપને પૂર્ણપણે જાણે પિછાણે છે , તેને જ આપ સકળ ઇચછાપૂરક કલ્પતરૂ સમાન છો .



' આનંદના ગરબા થકી સિદ્ધિ મેળવવા ઇચ્છતા પોતાની મનોકામનાની સફળતા માટે આસો માસની નવરાત્રિમાં જયાં શ્રી બહુચરાઆ જગદંબા ) નું મૌદિર હોય ત્યાં અથવા ગોંખ આંગી મૂર્તિ છબિ સન્મુખ રાખી , જવારા સાઈ સારા મુહુર્તમાં કુંભસ્થાપના કરી શ્રીફળ સ્થાપી માજીનું દીપ , ધૂપ નૈવેધાદિથી પૂજન તથા બારાતી - સ્તુતિ કરવા . 

 ભક્ત વલ્લભ ભટ્ટ રચિત આનંદ નો ગરબો ૧૧૮ છંદ સાથે 


મનમાં દૅઢ સંકલ્પ કરી સાથે આનંદનો ગરબો હંમેશાં ઉપરનો વિધિ સાચવી બની શકે તેવી વાર શુદ્ર ઉચ્ચાર અને ઉત્તમ શ્રદ્ધા ભાવથી કરવો . આસો સુદ ૮ મીની ચાર ઘડી રાત્રિ જવા પછી માતાજીની સન્મુખ ધૂપયુકત ગરંબા નો પાઠ શરૂ કરી ‘ નવમીના સૂર્યોદય થતા લગી ૧૦૮ વાર કરવો . જેથી સિદ્ધિ પ્રાપ્ત થાય છે અથવા તો મહા માસની , ચૈત્ર માસની અષાઢ માસની અને આસોની નવરાત્રિથી પણ ઉપરની વિધિ મુજબ કરી શકાય છે .


નવમીના રોજ દિવસે માતાજીનું પૂજન કરી પારણું કરી ઉઘાપન કરવાનો નિયમ છે . ( બ્રહ્મચર્ય , સત્યવચન , સાત્વિક ભોજન , એકાસન - એકટાણું ભોજન અને પવિત્રાચાર વિચાર જાળવવા ખાસ દયાન દેવું ) તદ્દનંતર કે બીજા વર્ષની આસોની અષ્ટમીના દિને “ નમો નમો જગમાત , નામ સહસ્ત્ર તારે મા ; માત તાત ને ભ્રાત , તું સર્વે મ્હારે મા . ' આ પાઠ મંત્રનો દશ હજાર જાપ કરવો અને એજ મુજબ ચારે નવરાત્રિએ કરવું . જેથી મંત્ર સિદ્ધ થાય છે . અગર જેની જે માગણી હોય તે પૂર્ણ કરવા ગરબામાં ૧૦૦ મા ગરબાથી શરૂ થયેલા પદમંત્રની ઉપાસના કરવી . એટલે કે ધન , ધાન્ય , પશુ , પુત્ર અને દીર્ધાયુ - એ પાંચેની ને ઇચ્છાવાળાએ - ‘ ‘ પામે પદારથ પાંચ , શ્રવણે સાંભળતાં મા , આ પાઠની ઉપાસના કરવી .



અગ્નિભયથી બચવા - નાવે ઉની આંચ , દાવાનળ બળતાં મા . ” તથા શત્રુના શાસ્ત્રાસ્ત્રના ભયથી બચવા - “ “ શસ્ત્ર ન અડકે અંગ ' એ - બે પદનો , તેમજ હંમેશાં નવનવા ભોગ સંયોગની ‘ ઇરછવાવાળાએ “ નિત નિત નવલે રંગ ” એ બે પદોનો , તથા જળભયથી ડરતા હોય તેમણે - “ જળ જે અકળ અધાત ” એ બે પદોનો તથા અન્ય ભય સંકટનાશાનાર્થ મોટે “ ક્ષણ ક્ષણ નિશદીન પ્રાત- ” એ બે પદોનો તથા ભૂત પ્રેતાદિના ત્રાસ નિવારણ માટે “ ભૂત પ્રેત જંબુક ' એ ચારે ' પદોનો તથા પગ હાથ વગેરે 


 વલ્લભ ભટ્ટ રચિત બહુચર માતા આનંદ ગરબો છંદ ૧૬,૧૭,૧૮, નો આવો થાય છે અનુવાદ જાણો 


અંગોપાંગની ગતિ ભંગથયેલી સુધારવાની ઇચ્છાવાળાએ - ‘ ચરણ કરણ ગતી ભંગ ” એ બે પદોનો , તથા મુંગા , બોબડા , તોતડા અને અંગની બાધા - વ્યાધિઓ ટાળવાની ચાહનાવાળાએ “ ગુંગ મુંગ મુખ અંગ ” એ બે પદોનો , રોગથી અંધાપો પામેલાએ નેત્રજ્યોતિ પાછી મેળવવા માટે “ સયણવીકુણાં નેણ ' ' એ બે પદોનો.


વાંઝીયાપણું ટાળવા ઇચ્છનારે “ પુત્ર વીહુણા કહેણ ” એ બે પદોનો . ધર્મ - અર્થ - કામ - મોક્ષની ઇચ્છાવાળાએ “ કળી કલ્પતરૂ વાડ ” એ ચારે પદોનો . પુરુષાર્થ મેળવવાની ચાહનાવાળાએ “ પ્રકટ પુરુષ પુરુપાઈ ' ' એ બે પદનો , તથા ગરીબી ટાળી , ઠકુરાઈ પામવાની ઇચ્છાવાળાએ – ‘ ‘ ઠાલાં ઘર ઠકુરાઈ ' ' એ બે પદનો તથા નિર્ધનને શ્રીમાન થવું હોય તો ‘ નિર્ધનને ધન પાત્ર ' ' એ બે પદનો , રોગ - શોક - દુઃખમાત્રના નાશ અર્થે “ રોગ દોષ દુઃખમાત્ર ” એ બે પદનો 


વિવિધ વાહનોની સંપત્તિ ચાહનારે “ હય ગજ રથ સુખ પાલ ” એ બે પદોનો . તેમજ ધર્મની ધ્વજા ધન ધાન્યાદિની સ્થિરતા મેળવવા ચાહનારે ધર્મ વજા ધન ધાન્ય ' ' એ બે પદોનો અને રાજ્યમાન મેળવવાની વાંછનાવાળાએ - “ મહીપતી કે મુખમાન " એ બે પદોનો સબળ સંકલ્પ ગર્ભિત વિધિયુક્ત મંત્ર જપવો . એટલે ત્રણ કે નવ દિવસમાં ૧૦,૦૦૦ ( દશ હજાર ) સંપુટી પાઠ કરી , કાર્ય સિદ્ધિ મળે , અપરાધ ક્ષમા શાંતિ પાઠ - નવચંડી કરાવી બ્રહ્મભોજનાદિ વડે બહુચર માની પ્રસન્નતા મેળવવી .

 

આજના શુભ દિવસે  શ્રી મહાલક્ષ્મી માં આ પાઠ કરવાથી દુઃખ કષ્ટ દુર થઈ ઘન સંપત્તિ પ્રાપ્ત થાય ગુજરાતમાં લખાણ સાથે  અહી ક્લિક કરો

 

શ્રી મહાલક્ષ્મી માં ના ૧૦૮ નામ જાપ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.   

 

શ્રી લક્ષ્મીનારાયણ દેવ આ પાઠ કરવાથી તમામ પાપોમાંથી મુક્તિ થઈ વિષ્ણુ લોક પ્રાપ્તિ થાય છે અહી ક્લિક કરો. 

 "" શ્રી વિષ્ણુ ચાલીસા ""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

ગીતાજી માં કહેલા શ્રી વિષ્ણુ ભગવાન ૧૦૮ નામ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

 

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

  

 """ શ્રી વિષ્ણુ સ્તુતિ """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

 

 """ શ્રી વિષ્ણ્વષ્ટકમ્   """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.   


 આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો.  

 

દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી અહી ક્લિક કરો.  

 

શ્રી હનુમાન દાદા નો આ પાઠ ચુડેલ મેલી ડાકાણ જિન સામે રક્ષણ મળે છે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

 

શ્રી હનુમાન દાદા નો "" વડવાનલ સ્ત્રોત ""  નો પાઠ  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

શ્રી "" દેવીકવચ "" ગુજરાતી ભાષાંતર સાથે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 

 સંઘ્યા સમયે એકવાર પાઠ કરો આ ""સ્તોત્ર દેવી"" ની કૃપા રહેશે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 

 રાત્રે એકવાર "" શ્રી મહાલક્ષ્મી"" ની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો

 

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 


 
 

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission. 

 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

ગુરુવાર, 21 જાન્યુઆરી, 2021

વલ્લભ ભટ્ટ રચિત બહુચર માતા આનંદ ગરબો છંદ ૫૮,૫૯,૬૦  નો આવો થાય છે અનુવાદ જાણો

 વલ્લભ ભટ્ટ રચિત બહુચર માતા આનંદ ગરબો છંદ ૫૮,૫૯,૬૦   નો આવો થાય છે અનુવાદ જાણો

આનંદ નો ગરબો એ માં બહુચર ની ભક્તિ કરવાનો અને પ્રસન્ન કરવાનો ઉત્તમ પાઠ છે. આનંદ ના ગરબા ની રચના ભાઈ ભક્ત વલ્લભ ભટ્ટ કરી હતી એવું કહેવાય છે કે માં બહુચર ભક્ત વલ્લભ ભટ્ટ ના જીભ ના અગ્ર પર બેસી ને આનંદ ના ગરબા ની રચના કરી હતી. 


  આવો આપણે જાણીએ આ ગરબા અગલ અલગ છંદ ના અથૅ શું થાય છે. 


 

કામ ક્રોધ મોહ લોભ, મદમત્સર મમતા મા

તૃષ્ણા સ્થિરતા ક્ષોભ; ધૈર્ય ધરે સમતા મા  || ૫૮ ||

 

જય શ્રી બહુચર માં  માડી  કામવાસનાની કોપની મોહિની લોભની અંહકારની ઈષૅયાની મમાતાની તૃષ્ણાની સ્થિરતાની ક્ષોભ સંકોચની લજ્જની ધૈયૅતાની અને સમતાની લાગણીઓ વગેરે પણ આપજ મુખ્ય છો... || ૫૮ ||

 


ધર્મ અર્થ ને કામ; મોક્ષ તું મંમાયા મા

વિશ્વતણો વિશ્રામ; ઉર અંતર છાયા મા. || ૫૯ ||

 

જય શ્રી બહુચર માં  માડી  હે જગતજનની ધમૅ , અથૅ , કામ , કોધ , અને મોક્ષ રૂપે તમારી આશાઓમા સમાયેલા છે. પ્રાણીમાત્રના હ્રદયકમળમા વિશ્રામ રૂપે છવાઈ રહેલાં છો. ધમૅકિયા ધનપ્રાપ્તિ ધંધામાં આનંદલિલામા અને દરેક દુ:ખ ની જીવનમુકતિ માટે જ મેળવવામાં આપની કૃપા જ થાય તો કશું જ મેળવી શકતું નથી|| ૫૯ ||



ઉદય ઉદારણ અસ્ત, આદ્ય અનાદિથી મા

ભાષા ભૂર સમસ્ત, વાક્ય વિવાદે થી મા. || ૬૦ ||

 

જય શ્રી બહુચર માં  માડી  ઉદય અસ્તકાળમા અરૂણોદયકાળમા આપજ અનાદિકાળથી છો. સૂર્ય , ચંન્દ્ર , આકાશના તારા મંડળ , પંચ મહાભૂતોમાથી અને પ્રાણીઓના અજવાળા ના ઉદય પણ આપ અનાદિકાળથી અસ્તિત્વ માં છો. પૃથ્વી પરથી સમસ્ત ભાષાઓ વાક્ય આનંદ વાણી વિલાસ એ સવૅમા શબ્દશકતિ સ્વરૂપ આપ ભગવતિ સમાયેલાં છો... || ૬૦ ||

 

વલ્લભ ભટ્ટ રચિત બહુચર માતા આનંદ ગરબો છંદ ૫૫,૫૬,૫૭  નો આવો થાય છે અનુવાદ જાણો 👇👇👇