શુક્રવાર, 11 ઑગસ્ટ, 2023

પુરુષોત્તમ માસ કથા અધ્યાય છવ્વીસમો | Purushottam Maas Katha Adhyay 26 in Gujarati | Adhyay 26 | Adhik Mass 2023 | Okhaharan |

પુરુષોત્તમ માસ કથા અધ્યાય છવ્વીસમો |  Purushottam Maas Katha Adhyay 26 in Gujarati  | Adhyay 26 | Adhik Mass 2023 | Okhaharan | 

purushottam-maas-katha-adhyay-26-in-gujarati
purushottam-maas-katha-adhyay-26-in-gujarati

શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂ આપણા ગુજરાતી ભક્તિ લેખમાં આજે આપણે જાણીશું પુરૂષોત્તમ માસની કથા અધ્યાય છવ્વીસમો વ્રતના નિયમો છોડવાની વિધિ અને અમૃત ધારા જે વાતૉ કહેવાય ઉપવાસનું ફળ નામની વાર્તા. 


એકાદશી ના કેટલાક નિમ્નલિખિત કયો ના કરવા જોઈએ 


અધ્યાય છવ્વીસમો વ્રતના નિયમો છોડવાની વિધિ  


વાલ્મીકિ બોલ્યા : “હે રાજન ! હવે હું તને સમગ્ર પાપોનો નાશ કરવા તથા ગરુડધ્વજ ભગવાનને પ્રસન્ન કરવા જે નિયમો લીધા હોય તેઓનો વિધિપૂર્વક ત્યાગ કરવાનું જણાવું છું.”


હે રાજન ! જે માણસે (પુરૂષોત્તમ માસમાં) રાત્રે એકટાણું કરવાનો નિયમ લીધો હોય તેણે બ્રાહ્મણને જમાડવા અને પછી નિયમ છોડવો. જેણે આખો મહિનો વ્રત કરી તેલ છોડ્યું હોય તેણે દૂધનું દાન કરવું. જેણે પગરખાં ન પહેરવાનો નિયમ લીધો હોય તેણે પગરખાનું દાન કરવું. અમાસના દિવસે ભોજન કરવાનો નિયમ લીધો હોય તેણે દક્ષિણા સાથે ગાયનું દાન કરવું. જેણે મૌન ધરવાનો નિયમ લીધો હોય તેણે ઘંટડીનું તથા સોના સાથે તેલનું દાન કરવું અને એક બ્રાહ્મણ સ્ત્રી તથા પુરૂષને ઘી-દૂધવાળું ઉત્તમ ભોજન કરાવવું. જે માણસે એકાંતરે ઉપવાસ વ્રત કર્યું હોય તેણે આઠ કળશોનું દાન કરવું. એ બધાં કળશો વસ્ત્ર સાથે તથા સોનાથી યુક્ત હોવા જોઈએ અને માટીના કે (શક્તિ હોય તો) તદ્દન સોનાના પણ આપી શકાય છે.


ઉપરાંત ગાડાની ઘોંસરીમાં જોડી શકાય એવો શક્તિશાળી બળદ પણ દાનમાં આપવો. જે મનુષ્ય એક અન્નથી મળમાસને સેવે છે તે ઉત્તમ ગતિને પામે છે. અધિક માસમાં માત્ર એક વાર રાતે જમે છે તે રાજા થાય છે અને તેની સર્વ કામનાઓ પૂર્ણ થાય છે, એમાં સંશય નથી. બપોરના સમયે મુનિઓ જમે છે. દિવસના પાછલા ભાગમાં પિતૃઓ ખાય છે અને આત્મજ્ઞાની તો છેક સાંજના ભોજન કરે છે. માટે તે સર્વ વેળા ઓળંગીને (સાયંકાળ વીત્યા પછી) ભોજન કરે છે તે રાજા થાય છે.


એટલું જ નહી, પણ તેના બ્રહ્મહત્યાદિ પાપો નાશ પામે છે. શ્રીહરિને પ્રિય એ પુરૂષોત્તમ માસમાં અડદ ન ખાવાથી મનુષ્ય સર્વે પાપોથી મુક્ત થઈ વિષ્ણુલોકમાં જાય છે. હે રાજન! ભક્તિથી પણ સર્વકાળે દર્ભનો કુચો પાસે ન રાખવો. કારણકે તે અતિ પવિત્ર છે. (કેવળ અમુક પવિત્રધર્મ ક્રિયા કરતી વખતે જ પાસે રખાય. પણ સર્વકાળે રખાય નહી.)


વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે


કપિલા ગાયનું દૂધ પીવું નહી, જનોઈ પહેરવી નહી અને વૈદિક ક્રિયા કરવી નહી. (એમ શૂદ્ર માટે તે તે શાસ્ત્રીય ક્રિયાઓનો નિષેધ છે) છતાં તે વૈદિક આજ્ઞાનો અનાદર કરી જે શૂદ્ર તે તે વેદોક્ત કર્મ કરે છે તે પોતાના પિતૃઓ સાથે નરકમાં ડૂબે છે. શૂદ્રે પ્રણવ મંત્રનો ઉચ્ચાર કરવો નહી. શૂદ્ર તો બ્રાહ્મણને માત્ર નમસ્કાર કરવાથી જ પાપમાંથી છૂટી જાય છે.


આમ પુરૂષોત્તમ માસનું વ્રત પરિપૂર્ણ કરવું. હે રાજન ! મેં તને આ ઉત્તમ ધર્મ બતાવ્યો, જે કલ્યાણકારી, પાપનાશક અને ઉત્તમ ફળ આપનાર છે. માધવ ભગવાનની પ્રસન્નતાના કારણે આ મનોહર રહસ્યનો નિત્ય પાઠ કરવો. હે રાજન ! જે મનુષ્ય આ સાંભળે છે અથવા દરરોજ આનો પાઠ કરે છે તે જ્યાં યોગીશ્વર શ્રીહરિ બિરાજે છે તે શ્રેષ્ઠલોકમાં જાય છે.


 “ શ્રી બૃહન્નારદીય પુરાણ” ના પુરૂષોત્તમ માહાત્મ્યનો

“વ્રતના નિયમો છોડવાની વિધિ” નામનો છવ્વીસમો અધ્યાય સંપૂર્ણ.
 
હવે પતિતપાવન પુરૂષોત્તમ માસની કથાનું રસપાન કરીએ.


ઉપવાસનું ફળ


એક નગરીમાં એક અતિ સ્વરૂપવાન બ્રાહ્મણ કન્યા રહેતી હતી. એ જેટલી સુખી હતી એટલી જ ધર્મનિષ્ઠ હતી. બારેમાસ વ્રત-તપ અને ધર્મધ્યાન કરતી. એક વિશ્વાસુ દાસી ઘરનું બધું કામ કરતી. એમ કરતાં પવિત્ર પુરૂષોત્તમ માસ આવ્યો. બ્રાહ્મણ કન્યાએ ઉપવાસ શરૂ કર્યા. રોજ નદીએ નહાવા જાય. વાર્તા સાંભળે અને આખો દિવસ પ્રભુ ભજન કરે.
દાસી સવાર-સાંજ જમે અને વિચારે કે પ્રભુએ પેટ આપ્યું છે તો ખાવા માટે, નાહક શું કામ ભૂખ્યા મરવું ?


એમ કરતાં પંદર દિવસ વીતી ગયા. દાસી એકાએક માંદી પડી. એવી માંદી પડી કે મોત નજીક આવી ગયું. રોગ અસાધ્ય હતો. વૈદોએ હાથ ધોઈ નાખ્યા.


મોત નજર સામે દેખાતાં દાસીએ બ્રાહ્મણ કન્યાને બોલાવી અને રડતાં રડતાં કહ્યું : “આવો અમુલખ મનખાવતાર મળ્યો ચતાં મેં જિંદગીમાં કોઈ વ્રત કર્યું નથી,દાન-પુણ્ય કર્યાં નથી, કદી ભૂખ્યાની આંતરડી ઠારી આશિષ મેળવ્યા નથી, ઉપવાસ કરવાને બદલે ત્રણ-ત્રણ ટંક પેટ ભરીને ખાધું છે. મારો અવતાર એળે ગયો. હવે નક્કી મારો નર્કમાં વાસ થશે. મને ડંખ એ વાતનો છે કે તમારા પવિત્ર પાવન સંગમાં રહેવા છતાં મને કદી સત્કર્મનો વિચાર ન આવ્યો. હે દેવી ! મને મુક્તિ મળે એવું કાંઈક કરો.


 """ શ્રી વિષ્ણ્વષ્ટકમ્   """ ગુજરાતી લખાણ સાથે


ત્યારે દયાળુ બ્રાહ્મણ કન્યા બોલી : “હે દાસી ! અંત સમયે સંતાપ કરવો નકામો છે. ગયા ભવમાં પુણ્ય કર્યા હોય તો આ ભવમાં ધર્મમાં મન લાગે. છતાં તેં મારી ઘણી સેવા કરી છે. તારા લીધે જ હું વ્રત-તપ કરી શકી છું. બોલ, તારે શું જોઈએ છે ? તારા અંતકાળે હું તારું દિલ નહી દુભવું. તારી ઈચ્છા અવશ્ય પૂરી કરીશ.”


ત્યારે દાસી ગળગળા અવાજે બોલી : “હે દેવી ! તમે પવિત્ર પુરૂષોત્તમ માસ સેવી રહ્યા છો. મેં સાંભળ્યું છે કે આ માસમાં ઉપવાસ કરનારને અલૌકિક ફળ મળે છે, કૃપા કરીને મને એક ઉપવાસનું ફળ આપો. કદાચ મારું કલ્યાણ થઈ જાય.”


બ્રાહ્મણ કન્યાએ તત્કાળ જમણા હાથમાં જળ લીધું ને પુરૂષોત્તમ પ્રભુનું નામ લઈને દાસીને એક ઉપવાસનું ફળ અર્પણ કર્યું. એ જ ક્ષણે દાસીના શ્વાસ બંધ થઈ ગયા. એ જ ક્ષણે દેવલોકમાંથી વિમાન આવ્યું અને દાસી એમાં બેસીને સ્વર્ગે ગઈ. એક દિવસના પુણ્ય બળે દાસીએ ઘણા સમય સુધી સ્વર્ગસુખ ભોગવ્યું. ત્યાર બાદ તે કાશીના ધર્મિષ્ઠ રાજાના ઘેર કુંવરી તરીકે જન્મી.એ ભવમાં એણે આજીવન પુરૂષોત્તમ વ્રત કર્યું.


આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત 

હે પૂર્ણ પુરૂષોત્તમ પ્રભુ ! તમે જેવા દાસીને ફળ્યા એવા સૌને ફળજો.


કાંઠા ગોરમાં ની વાતૉ શ્રી પુરૂષોત્તમ કથા પ્રથમ અધ્યાય


 "" શ્રી વિષ્ણુ ચાલીસા ""  ગુજરાતી લખાણ સાથે  

 

 """ શ્રી વિષ્ણુ સ્તુતિ """ ગુજરાતી લખાણ સાથે    

 

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે  

 

સંતાન ગણપતિ સ્તોત્રમ્ ગુજરાતી લખાણ સાથે     


 આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત 

 

દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી 


 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો