શુક્રવાર, 11 ઑગસ્ટ, 2023

અઘિક માસની વદ પક્ષની પરમા એકાદશી માહાત્મ્ય વ્રત કથા | Parma Ekadashi Vrat Katha Gujarati | Okhaharan | Parma Ekadashi 2023 |

અઘિક માસની વદ પક્ષની પરમા એકાદશી માહાત્મ્ય વ્રત કથા | Parma Ekadashi Vrat Katha Gujarati | Okhaharan | Parma Ekadashi 2023 | 

parma-ekadashi-vrat-katha-gujarati
parma-ekadashi-vrat-katha-gujarati

શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખ માં આજે આપણે જાણીએ અઘિક માસની વદ પક્ષની પરમા એકાદશી માહાત્મ્ય વ્રત કથા

પુરુષોત્તમ માસ કથા અધ્યાય છવ્વીસમો


અધિક માસની કૃષ્ણ પક્ષ (વદ) એકાદશીનું નામ પરમા એકાદશી છે. આ દિવસે નરોત્તમ એવા વિષ્ણુનું પૂજન અને વ્રત કરવાનો વિધિ છે.
સુમેધા નામનો એક બ્રાહ્મણ મહાન ધર્મનિષ્ઠ હતો. તેની પત્ની પણ પતિપરાયણ હતી. પૂર્વજન્મના દોષને લીધે તે દંપતિ બહુ નિર્ધન હતાં. ભિક્ષા માંગીને તે પોતાનો ઉદરનો નિર્વાહ કરતા હતા. તેની સાધ્વી સ્ત્રી પણ ભૂખ્યે પેટે પતિસેવામાં હાજર રહેતી હતી. આ ભૂખના દુ:ખથી તે અત્યંત નિસ્તેજ અને શુષ્ક થઈ ગઈ હતી.


પતિ પોતાની પત્નીનું આદુ:ખ જાણતો હતો, પરંતુ તેનો કોઈ પણ ઈલાજ ન હતો. એક વાર તેણે પત્નીને પોતાની પાસે બોલાવીને કહ્યું : ‘હે સ્ત્રી ! આપણા દુર્ભાગ્યથી આપણી નિર્ધન અવસ્થા ટળી શકતી નથી. આખા શહેરમાં મને કોઈ ભિક્ષા આપતું નથી અને દેશમાં દાન આપનારાઓ પણ હવે રહ્યા નથી, માટે મને ઈચ્છા છે કે પરદેશમાં જઈને પુરુષાર્થ અજમાવું.”
પતિના વાક્યથી પત્ની દુ:ખી થઈ, તેણેઅશ્રુભરી આંખોથી કહ્યું : “હે નાથ ! હું અબુધ સ્ત્રી આપને શું સલાહ આપું ? છતાં આપની અર્ધાંગના તરીકે હું આપને કહું છું કે પરદેશમાં જઈને પણ ભાગ્ય વિના કાંઈ મળી શકતું નથી. ભાગ્ય વિનાના મનુષ્યને સોનાના મેરૂ પર્વત પાસે ઊભો રાખવામાં આવે તો પણ તે સોનાને બદલે પત્થર ઉઠાવી લે છે. 


કજૅ ઋણ માંથી મુક્તિ મેળવવા શ્રી વિષ્ણુ ભગવાન નો આ પાઠ કરો 


પૂર્વજન્મમાંઆપએલું અન્ન, વસ્ત્ર, ધન ને કીર્તિ બીજા જન્મમાં સાંપડે છે. માટે આપણે પૂર્વમાં કાંઈ આપ્યું નહી હોય તો પ્રયત્ન કરવાનો કોઈ અર્થ નથી, જે મળે તેમાં સંતોષ માનીને ઈશ્વરચિંતન કરીને અહીં જ રહો. હું કેવળ આપના આધારે જ જીવું છું. પતિ પરદેશ ગયા બાદ સ્ત્રીને માતા, પિતા, ભાઈ કે બહેન કોઈ સંઘરતું નથી.”


પતિ-પત્નીનો આ વાર્તાલાપ ચાલતો હતો, ત્યાં જ એક કૌંડિન્ય નામના મુનિ પધાર્યા.દૈવયોગે આવેલાઆ અતિથિનો આ બ્રાહ્મણ દંપતિએ સત્કાર કર્યો. બ્રાહ્મણે વંદન કરીને પૂછ્યું : “હે મુનિરાજ ! આપના પધારવાથી અમો કૃતકૃત્ય થયા છીએ, આપ મને કૃપા કરીને અમારી દરિદ્રાવસ્થા દૂર કરવાનો ઉપાય બતાવો. આપના પધાર્યા પહેલા અમારા વચ્ચે એ જ વાર્તાલાપ ચાલતો હતો.”


ઋષિએ કહ્યું : “પાપ,સંતાપ અને દરિદ્રતાનું દુ:ખ દૂર કરનારું અધિક માસની કૃષ્ણ એકાદશીનું વ્રત તમે કરો. આ વ્રત સર્વ પ્રથમ કુબેર નામના દેવે કર્યું હતું. ભગવાન શંકરે તેમનાવ્રતથી પ્રસન્ન થઈનેતેમને ધનના અધિપતિ બનાવ્યા. સત્યવાદી હરિશ્ચંદ્રે પણ આ વ્રત કર્યું. તેનાથી તેમને સ્ત્રી, પુત્ર અને ગયેલું રાજ્ય પાછું મળ્યું.’ આમ કહી ઋષિએ તેમને વ્રતનો વિધિ કહી સંભળાવ્યો.


ગીતાજી માં કહેલા શ્રી વિષ્ણુ ભગવાન ૧૦૮ નામ ગુજરાતી લખાણ સાથે


સમય આવતાં બંને પતિ-પત્નીએ પરમા એકાદશીનું વ્રત કર્યું. આ એકાદશીથી લઈને વ્રત-ઉપવાસ સહિત અમાવસ્યા સુધીનું પંચરાત્ર કર્યું. આથી ઈશ્વરેચ્છાએ એ શહેરના રાજાનો પુત્ર એને ત્યાં આવ્યો. અને તેને રહેવા માટે સુંદર મકાન, વિવિધ વસ્ત્રાલંકારો અને આજીવિકા ચલાવવા માટે એક ગામ આપ્યું.


આવી રીતે આ એકાદશીના પ્રભાવથી બ્રાહ્મણ અને તેની પત્નીએ સુખ-સંપત્તિઅને મોક્ષસુખ પ્રાપ્ત કર્યું.


જે કોઈ આ અધિકમાસની એકાદશીનું વ્રત કરે છે, અથવા આ આખ્યાન વાંચે કે સાંભળે છે, તેની ઈચ્છાઓ સફળ થાય છે અને મુક્તિ પામે છે.


                         


 "" શ્રી વિષ્ણુ ચાલીસા ""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

 

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

  

 """ શ્રી વિષ્ણુ સ્તુતિ """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

 

 """ શ્રી વિષ્ણ્વષ્ટકમ્   """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.   


દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી અહી ક્લિક કરો.  

  

 શ્રી હનુમાન દાદા નો આ પાઠ ચુડેલ મેલી ડાકાણ જિન સામે રક્ષણ મળે છે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

 

શ્રી હનુમાન દાદા નો "" વડવાનલ સ્ત્રોત ""  નો પાઠ  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

શ્રી "" દેવીકવચ "" ગુજરાતી ભાષાંતર સાથે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 

 સંઘ્યા સમયે એકવાર પાઠ કરો આ ""સ્તોત્ર દેવી"" ની કૃપા રહેશે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 

 રાત્રે એકવાર "" શ્રી મહાલક્ષ્મી"" ની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો

 

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission. 

 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો