શુક્રવાર, 26 માર્ચ, 2021

શનિ પનોતી | પનોતી થી બચવા શું દાન કરવું? સંપૂર્ણ માહિતી ગુજરાતી લખાણ સાથે | Shanidev Panoti Mahiti - Okhaharan

શનિ પનોતી | પનોતી થી બચવા શું દાન કરવું? સંપૂર્ણ માહિતી ગુજરાતી લખાણ સાથે | Shanidev Panoti Mahiti - Okhaharan 

about-shanidev-panoti-in-gujarati
about-shanidev-panoti-in-gujarati

 

શનિ ગ્રહ નો પરિચય

શનિ ગ્રહ નો પરિચય સૂર્યની બીજી પત્ની છાયા નો પુત્ર શનિ છે ને એક રાશિમાં ભ્રમણ કરવા ત્રીસ મહિનાનો સમય લાગે છે નક્ષત્ર મંડળમાં તેને સેવકનું પદ પ્રાપ્ત છે અને માણસના અંતમૅનનો સ્વામી ગણવામાં આવે છે.


શનિદેવનો આ પાઠ કરવાથી ક્રુર પ્રભાવ સામે રક્ષણ મળે તથા શનિદેવ રક્ષા કરશે 


શનિની પનોતી વિશે 

અઢી વર્ષની નાની પનોતીની અસર ગોચર ગ્રહો માં જે જાતકની જન્મ રાશિથી કે નામ રાશિથી ચોથી કે આઠમે શનિ આવે ત્યારે તેને નાની પનોતી છે તેમ જાણવું.  આ પનોતી અઢી વર્ષની હોય છે આ પનોતી પીડાકારક દુઃખ આપનાર હોય છે જેને પનોતી આવતી  હોય તેને કૌટુંબિક કલેશ  થાય , માનસિક ટેન્શન વધે, શારીરિક પીડા ઉત્પન્ન થાય , અગ્નિ ભય થાય,  લોહાદિ શસ્ત્રનો ભય ઉભો થાય,  વેપાર-ધંધામાં હાનિ થાય,  આર્થિક સંકટ આવે આ સમય દરમ્યાન ૩૦ માસ સુધી શનિવાર કરવા તથા શનિના મંત્રનો જાપ અથવા વિદ્વાન બ્રાહ્મણ પાસે જાપ કરાવવા.


શની મોટી પનોતી

શની મોટી પનોતીનો સમય સાડા સાત વર્ષનો હોય છે તેથી તેને સાડાસાતી પણ કહેવામાં આવે છે જાતકની જન્મ રાશિથી ગોચર ગ્રહોમાં શનિ બારમે આવે તો મસ્તક,  શનિ પ્રથમ ભાગમાં આવે તો છાતી ને શનિ બીજો ભાવ માં આવે તો પગે પનોતી તેમ જાણવું. આ પનોતી પણ અનેક કષ્ટ તથા પીડાઓ આપે છે કુટુંબ વિવાદ વેપાર ધંધા નોકરી હાની , મૃત્યુ વિદેશવાસી ધનનાશ , અપયશ, મરણ વગેરે થાય છે આ પનોતી દરમિયાન પણ શનિ ના મંત્ર જાપ કરવા કે કરાવવા તથા ખાસ શ્રી રામભક્ત હનુમાનજીની ઉપાસના કરવી.


શનિવાર દિવસે આ 5 મંત્ર માંથી એક મંત્રની કરીલો અહી ક્લિક કરો.  


શનિનું દાન 

નડતા સની માટે નું દાન નીલમ કે નીલમણિ, તેલ ,અડદ , કાળું વસ્ત્ર , કાળા તલ , ભેંસ, જોડા , કસ્તુરી , સુવર્ણ, લોઢુ,  , કાળું પુષ્પ  આમાંથી યથાશક્તિ દાન કરવું મંત્ર જાપ કરવા તથા બ્રહ્મભોજન કરાવવું હનુમાનજીની ભક્તિ કરવી હતી શનિની અશુભ અસર ઓછી થાય છે.



 શનિ જંયતિ 12 રાશિ મુજબ મંત્રો ગુજરાતી લખાણ સાથે  અહી ક્લિક કરો.

 

શનિ જંયતિ 12 રાશિ મુજબ ઉપાય ગુજરાતી લખાણ સાથે  અહી ક્લિક કરો.  

 

 "" શ્રી શનિદેવ ચાલીસા "  ગુજરાતી લખાણ સાથે  અહી ક્લિક કરો.  

 

 "" શ્રી શનિદેવ 108 નામવલી"  ગુજરાતી લખાણ સાથે  અહી ક્લિક કરો.   

શનિ પનોતી | પનોતી થી બચવા શું દાન કરવું? સંપૂર્ણ માહિતી ગુજરાતી લખાણ સાથે  અહી ક્લિક કરો.  

 "" શ્રી શનિદેવ સ્તુતિ "" ક્રુર પ્રભાવ ઓછો થાય ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

 

 શ્રી ગણપતિના ""સિદ્રિદાયક મંત્રો"" એક અક્ષર થી સોળ અક્ષર મંત્રો અહી ક્લિક કરો. 

 

આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો. 

 

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

હનુમાન ચાલીસા ની 9 ચોપાઈનું પઠન 🙏 મળશે 100% ફળ અહી ક્લિક કરો.  

 

શ્રી મહાલક્ષ્મી નો આ પાઠ કરવાથી ગરીબ પણ કરોડપતિ બની જાય અહી ક્લિક કરો.      

 

 શુભ દિવસે શ્રી મહાલક્ષ્મી માં ના ૧૦૮ નામ જાપ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

 
Disclaimer: અહી ઉપરોક્ત કોઈપણ માહિતી અથવા આ કાયૅ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.આમાં Okhaharan.com તેની પુષ્ટિ કરતું નથી.

મંગળવાર, 23 માર્ચ, 2021

આમલકી એકાદશી વ્રત કથા વાંચવાથી એક હજાર ગૌદાની ના ફળ બરાબર ફળ મળે છે | Amalaki Ekadashi Vrat Katha Gujarati Ma | Okhaharan

આમલકી એકાદશી વ્રત કથા વાંચવાથી એક હજાર ગૌદાની ના ફળ બરાબર ફળ મળે છે |  Amalaki Ekadashi Vrat Katha Gujarati Ma |  Okhaharan

 

Amalaki-Ekadashi-Vrat-Katha-Gujarati
Amalaki-Ekadashi-Vrat-Katha-Gujarati
 

શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખ માં આજે આપણે જાણીએ ફાગણ સુદ પક્ષની એકાદશી આમલકી એકાદશી માધાતાજી તથા ઋષિ વશિષ્ટજી વ્રત કથા. આ એકાદશી નું વ્રત પૂણૅ શ્રદ્રા રાખીને કરવાથી સમસ્ત પાપ નષ્ટ થઈ જાય છે તથા આ વ્રત નું પુણ્ય એક હજાર ગૌ દાન ફળ બરાબર છે.

 ફાગણ માસની શુક્લ પક્ષની એકાદશી


માંધાતાજી બોલ્યા : હે વશિષ્ટજી જો તમે મારા પર પ્રસન્ન છો તો એવા વ્રતની કથા કહો જેનાથી મારૂં કલ્યાણ થાય .

એકાદશી ના દિવસે નારાયણ નો આ કવચ નો પાઠ કરવાથી તમામ પ્રકારના ભય માંથી મુક્તિ મળે છે અહી ક્લિક કરો.  


Vishnu-Sahastra-Path-In-Gujarati-Lyrics 

 


મહષિ વશિષ્ઠ જી ને બોલ્યા : હે રાજન બધા વ્રતો માં ઉત્તમ અને અંતમાં મોક્ષ દેનાર આમલકી એકાદશી નું વણૅન કરૂં છું..


આ ફાગણ માસના શુક્લ પક્ષમાં થાય છે આ વ્રતના ફળથી સમસ્ત પાપ નષ્ટ થાય છે.આ વ્રતનું પુણ્ય એક હજાર ગૌદાના ફળ બરાબર છે. આ અંગે હું તમને એક પૌરાણિક કથા કહું છું. તે ધ્યાનપૂર્વક સાંભળો.


વૈદિક નામનું એક નગર હતું. એ નગરમાં બ્રાહ્મણ, વૈશ્ય, ક્ષત્રિય, શૂદ્ર ચારેય વણૅ આનંદપૂર્વક રહેતા હતા.નગરમા સદૈવ વેદ ધ્વનિ ગુજતો હતો.એ જગ્યાએ પાપી, દુરાચારી નાસ્તિક કોઈ ન હતું.એ નગરમાં ચૈત્રરથ નામનો ચંદ્રવંશી નામનો રાજા રાજ્ય કરતો હતા. એ રાજ્યમાં કોઈપણ દરિદ્ર તથા કંજૂસ ન હતા. બધા વિષ્ણુ ભક્ત હતા. ત્યાંના બધા નિવાસી વૃદ્ધ થી બાળક સુધી બધા એકાદશી નું વ્રત કરતા હતા.



એક સમયે ફાગણ માસના શુક્લ પક્ષની આમલા નામની એકાદશી આવી. એ દિવસે રાજા લઈને પ્રજા સુધી , વૃદ્ધ થી બાળક સુધી બધાને હષૅ સહિત એ એકાદશી નું વ્રત કર્યું. રાજા પોતાની પ્રજા સાથે મંદિરમાં આવી ને કુંભ સ્થાપના કરીને ધૂપ, નૈવેદ્ય, પંચરત્ન, ક્ષત્ર આદિથી ધાત્રીનુ પૂજન કરવા લાગ્યા તેઓ બધા ધાત્રીની આ પ્રકારની સ્તુતિ કરવા લાગ્યા. હે ધાત્રી તમે બ્રહ્મ સ્વરૂપ છો.તમે બ્રહ્માજી દ્રારા ઉત્પન્ન છો સમસ્ત પાપોને નષ્ટ કરનાર છો. તમને નમસ્કાર છે. હવે તમે મારો અધ્ય સ્વીકાર કરો.તમે શ્રી રામચંદ્રજી ના દ્રારા સન્માનિત છો. હું તમને પ્રાથના કરું છું. મારા સમસ્ત પાપોનું હરણ કરો..

શ્રી લક્ષ્મીનારાયણ દેવ આ પાઠ કરવાથી તમામ પાપોમાંથી મુક્તિ થઈ વિષ્ણુ લોક પ્રાપ્તિ થાય છે અહી ક્લિક કરો.  

  એ દેવાલયમા રાત્રિએ બધાંએ જાગરણ કર્યું. રાત્રિના એ સમયે એક શિકારી ત્યાં આવ્યો. તે મહાપાપી તથા દુરાચારી હતો. પોતાના કુટુંબ નું ભરણપોષણ તે જીવહિંસા થી કરતો હતો. તે ભૂખ તરસ થી અત્યંત વ્યાકુળ હતો. થોડું ભોજન મળવાની ઈચ્છા થી મંદિરના એક ખૂણામાં બેસી ગયો. તે જગ્યાએ બેસું ને વિષ્ણુ ભગવાનની કથા તથા એકાદશી માહાત્મ્ય સાંભળવા લાગ્યો.



આ રીતે શિકારીએ આખી રાત અન્ય લોકોની સાથે જાગરણ કરી વિતાવી . પ્રાંત:કાળ થતાં બધા પોત પોતાના ધરે ગયાં. થોડો સમય વિતાવી તે શિકારીનું મુત્યુ થયું.તેનો આમલકી એકાદશી ના વ્રતનું અને જાગરણના પ્રભાવથી એક રાજાના ત્યાં જન્મ થયો.તેનુ નામ બસુરથ રાખ્યું. મોટો થયો ત્યારે તે ચતુરંગિણી સેના સહિત ધન ધાન્ય યુક્તિ થંઈને એક સહસ્ત્ર ગામોનું પાલન કરવા લાગ્યો. તે તેજના સૂર્ય સમાન કાંતિ માં ચંન્દ્ર સમાન હતો. તે અત્યંત ધાર્મિક , સત્યવાદી, કમૅવીર અને વિષ્ણુ ભક્ત હતો. તે પ્રજાનું સમાન ભાવથી પાલન કરતો હતો. તે સદૈવ યજ્ઞ કરતો હતો. દાન આપવું તેનું નિત્ય કતૅવ્ય હતું.

એકાદશી ની શ્રી જગત ના પાલનહાર વિષ્ણુ ભગવાન પુજન વિધી વાંચવા અહીં ક્લિક કરો


એક દિવસ રાજા શિકાર કરવા વનમાં ગયો. તે વનમાં રસ્તો ભુલી ગયો અને દિશાજ્ઞાન ન હોવાથી વનમાં વૃક્ષ નીચે સૂઈ ગયો. એ સમયે ડાકુ ત્યાં આવ્યા અને રાજાના એકલા જોઈને મારો મારો કહીને તૂટી પડ્યા. તે ડાકુઓ કહેવા લાગ્યા કે આ દુષ્ટ રાજાએ અમારા માતા પિતા પુત્ર પોત્ર આદિ સંબંધીઓને માર્યા છે તથા દેશનિકાલ કર્યો છે. તેથી આને અવશ્ય મારવો જોઈએ. આવું કહી ને ડાકુ રાજાને મારવા લાગ્યો અને તેના પર અશ્ત્ર શસ્ત્ર નો પ્રસાર કરવા લાગ્યો. તે અશ્ત્ર શસ્ત્ર રાજાના શરીર પર પડતાં જ નષ્ટ થઈ જતા હતા. રાજાને તે પુષ્પો સમાન લાગતા હતા.

 

 

 જ્યારે એ ડાકુઓના અશ્ત્ર શસ્ત્ર દ્રારા એમના પર પ્રહાર કરવા લાગ્યા. જેનાથી તેઓ મુચ્છિત થઈ ગયા.એ સમયે રાજાના શરીર માંથી દિવ્ય દેવી પ્રગટ થઈ. તે દેવી અત્યંત સુંદર વસ્ત્રો તથા આભૂષણો થી અલંકૃત હતી. તેની ભ્રમરો ત્રાસી હતી. આંખ માંથી લાલ લાલ અગ્નિ નીકળતો હતો. તે સમયે તે કાળના સમાન પ્રતીત થતી હતી. તે એ ડાકુઓને મારવા દોડી અને સમસ્ત ડાકુઓને મારી નાખ્યાં. જ્યારે રાજા જાગ્યા અને ડાકુઓને મરેલા જોઈને વિચારવા લાગ્યો કે : આ શત્રુઓને કોણે માર્યો? આ વનમાં મારૂં કોણ હિતેષી છે! જ્યારે રાજા આવો વિચાર કરતો હતો ત્યારે આકાશવાણી થઈ : હે રાજન આ સંસારમાં વિષ્ણુ ભગવાન સિવાય તારી કોણ રક્ષા કરી શકે છે.? રાજા પોતાના નગર માં પાછો ફર્યો અને સુખ પૂવૅક રાજ્ય કરવા લાગ્યો. મહષિ વશિષ્ઠજી બોલ્યા હે રાજન આ બધો આમલકી એકાદશી વ્રત નો પ્રભાવ હતો.




In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission.

 

  ગીતાજીમાં કહેલા શ્રી કૃષ્ણ ભગવાનના 108 નામ ગુજરાતી લખાણ સાથે 

એકાદશી ના દિવસે ગીતાજી નો આ સ્ત્રોત કર

વાથી જ્ઞાન સિદ્ધિ મેળવી ને પરમ પદ પામે છે


શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય માહાત્મ્ય કથા | Geeta Adhyay   


રાત્રે એકવાર શ્રી મહાલક્ષ્મીની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો

 

હનુમાનજી રામ નામથી શરૂ થતો સ્ત્રોત છે દરેક કામમાં રક્ષણ આપે 

 

વાંચો "" હનુમાનજી વડવાનલ સ્ત્રોત ""  

 

ગીતાજી માં કહેલા શ્રી વિષ્ણુ ભગવાન ૧૦૮ નામ 

 

શ્રી લક્ષ્મીનારાયણ દેવ આ પાઠ કરવાથી તમામ પાપોમાંથી મુક્તિ થઈ વિષ્ણુ લોક પ્રાપ્તિ થાય છે  

 

 ગીતાજીમાં કહેલા શ્રી કૃષ્ણ ભગવાનના 108 નામ.

 

 શુભ દિવસે શ્રી મહાલક્ષ્મી માં ના ૧૦૮ નામ જાપ 


 

 """ શ્રી વિષ્ણ્વષ્ટકમ્   """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.   


દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી અહી ક્લિક કરો.  

 

શ્રી હનુમાન દાદા નો આ પાઠ ચુડેલ મેલી ડાકાણ જિન સામે રક્ષણ મળે છે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

 

 રાત્રે એકવાર "" શ્રી મહાલક્ષ્મી"" ની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો

 

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission.

 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

DISCLAIMER: Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976, Allowance is made for "Fair Use" for purposes. 


અહી ઉપરોક્ત આપેલ કોઈપણ માહિતી અથવા આ કંઈ પણ કાયૅ ઈન્ટરનેટ, ચોપડી, જુનાં ગ્રંથો આઘારિત છે.આ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.આમાં www.okhaharan.com તેની પુષ્ટિ કરતું નથી.

રવિવાર, 21 માર્ચ, 2021

21 માચૅ થી હોળાષ્ટક પ્રારંભ હોળીનું પ્રાગટ્ય અને મહિમા હોળી પ્રાગટય પૂજનઃસમય હોળીની ધજા અને જ્વાળાની દિશા દ્વારા શુભ ફળ - Holi Dahan Okhaharan

 21 માચૅ થી હોળાષ્ટક પ્રારંભ હોળીનું પ્રાગટ્ય અને મહિમા હોળી પ્રાગટય પૂજનઃસમય  હોળીની ધજા અને જ્વાળાની દિશા દ્વારા શુભ ફળ - Holi Dahan Okhaharan 

story-holika-dahan-2021-date
story-holika-dahan-2021-date

 

હોળાષ્ટક પ્રારંભ

રવિવાર, 21 માર્ચથી હોળાષ્ટક શરૂ થઇ રહ્યા છે, જે હોળિકા દહન પતે નહી ત્યાં સુધી રહેશે. હોળાષ્ટકનો હોળી દહન ના સમયે પતે છે એટલે 28 માચૅ સાજે પૂર્ણ થશે. આ આઠ દિવસ શુભ કામ કરવામાં આવતા નથી. હોળાષ્ટકના સમયે બધા ગ્રહ અશુભ સ્થિતિમાં રહે છે, આ કારણે આ દિવસોમાં શુભ કામ કરવાથી ના કરવા જોઇએ.

આ અંગે ધાર્મિક માન્યતા છે કે અસુરોના રાજા હિરણ્યકશ્યપે ફાગણ મહિનાના સુદ પક્ષની આઠમ તિથિથી જ પ્રહલાદને મારવા માટે ઘણા પ્રયતનો શરૂ કરી દીધા હતાં. આઠ દિવસ સુધી આપવામાં દુઃખ સહન કર્યા પછી ફાગણ મહિનાની પૂનમના દિવસે હિરણ્યકશ્યપે બહેન  હોલિકા સાથે પ્રહલાદને અગ્નિમાં બેસાડી ને મારી નાખવાનો પ્રયત્ન કરવા માં આવ્યો હતો. હોળીના પહેલાંના આઠ દિવસ સુધી ભક્ત પ્રહલાદે જે અત્યાચાર સહન કર્યા હતાં, આ કારણે હોળાષ્ટકમાં શુભ કામ કરવાની મનાઈ છે.


હોળાષ્ટકના દિવસોમાં ખાસ પુજન મંત્રો પોતાના આરાધ્ય દેવના અથવા તેમના નામનો જાપ કરવો જોઇએ. ખાસ કરીને જગત ના પાલન હાર શ્રી વિષ્ણુ ભગવાન પૂજા-પાઠ કરો. રોજ સવારે જલ્દી જાગો અને થોડીવાર માટે ધ્યાન કરો. આવું કરવાથી મનના નકારાત્મક વિચાર દૂર થાય છે અને પોઝિટિવિટી વધે છે. હોળાષ્ટકના દિવસોમાં નકારાત્મકતા રહેશે તો તેની વધારે ખરાબ અસર આપણાં જીવન ઉપર થઇ શકે છે. એટલે વિચારોને પોઝિટિવ જાળવી રાખવાં.

હોળાષ્ટકના દિવસોમાં ખાસ દાન કરો કોઇ ગૌશાળામાં ગાયને ઘાસ ખવડાવવું અને ધનનું દાન કરવું. જરૂરિયાતમંદ લોકો માટે ભોજનની વ્યવસ્થા કરો. આ દિવસોમાં ધાર્મિક કાર્યોમાં મન લાગશે તો અશાંતિ દૂર થઇ શકે છે.


હોળી પ્રાગટ્ય અને મહિમા

અસુરરાજ હિરણ્યકશ્યના બહેન હોલિકાને વરદાનમાં  તેને  સુરક્ષા કવચ પ્રદાન કરે જે આગ, અસ્ત્ર, સામે રક્ષણ મળે, આ વરદાનનો લાભ અસુરરાજ હિરણ્યકશ્યપે લીધો, તેને જોયું કે અસય દુઃખ આપવા છતાં પ્રહલાદ વિષ્ણુ ભક્તિ છોડી નહીં અને તેના કારણે તેની હત્યા કરવાનો નિર્ણય લીધો, જેમાં લાકડાના ઠગલા ઉપર હોલિકા વરદાનરૂપી વસ્ત્ર ઓઢી અને પ્રહલાદને ખોળામાં બેસાડી સળગાવી દેવો પરંતુ હોળીની જ્વાળા પવનના વેગથી હોલિકાનું વરદાનરૂપી વસ્ત્ર ઉડી ગયું, અને હોલિકા ભસ્મ થઈ અને પ્રહલાદનો બચાવ થયો જેના કારણે હોળી પ્રાગટ્ય મનાવવામાં આવે છે.

અસુરરાજ હિરણ્યકશ્યપની બહેન હોલિકાના દહનથી નકારાત્મક વૃત્તિ નાશ થઈ જેના કારણે માનવ પોતાનામાં રહેલા અવગુણ, અહમ, અનાદરવૃત્તિ, ઈર્ષા, વેર, વગેરે જેવી નકારાત્મકવૃત્તિનો જીવનમાંથી નાશ થાય અને જીવન કલેશમુક્ત થાય તે હેતુથી હોળી પ્રાગટ્ય કરવાનો એક મહિમા પણ છે.


હોળી પ્રાગટય પૂજન

તા. 28/03/2021 રવિવાર સાંજે 6:50 થી 7:35


હોળીની ધજા અને જ્વાળાની દિશા દ્વારા શુભ ફળ

સામાન્ય રીતે હોળીનું પૂજન કંકુ, ચોખા કોઈ પ્રસાદી રૂપી વસ્તુ હોળી જ્વાળામાં પૂજન અર્થે મુકાય છે અને જલધારા વડે પ્રદાક્ષિણા ફરાય છે. હોળી પ્રાગટ્ય ભદ્રા રહિત કરણમાં કરાય ભદ્રા એટલે વિષ્ટિ, જો ભદ્રાના સમયમાં પ્રાગટ્ય થાય તો તે પ્રાંત માટે અશુભ ફળ મળે તેવુ પણ જાણવા મળે છે.

હોળીની જ્વાળા કઇ દિશા તરફ જાય છે કે ઉપર આકાશ તરફ જાય છે તે મુજબ તેના ફળ મળતા હોય છે, જેમકે પૂર્વ, દક્ષિણ, પશ્ચિમ, ઉત્તર, ઈશાન, અગ્નિ, નૈઋત્ય, વાયવ્ય વગેરે પરથી શુભાશુભ બાબત તે વર્ષ પૂરતું જણાતું હોય છે. જેમાં ગરમી, વરસાદ, દુકાળ, પૂર, રોગચાળો, મોંઘવારી, દુર્ઘટના, શુભાશુભ બનાવો જેતે પ્રાંત/વિસ્તાર બાબતે કેટલાક લોકો વરતારો કાઢતા હોય છે. હોળી અંગે ઘણા પ્રાંતમાં અલગ મહિમા પણ કેટલીક પ્રથા/માન્યતા મુજબ જોવા મળે છે.

લેખ સારો લાગ્યો હોય તો મિત્રો સાથે શેર કરો 

દરરોજ આવા ભક્તિ લેખ વાંચવા અમારો બોલ્ગ ફોલો કરો

 

Shiv-Mahimna-Stotra-Gujarati-Lyrics 

 

Shivratri 2021 

Shiv Mantra Gujarati


 

 
 

શનિવાર, 20 માર્ચ, 2021

દરરોજ કરો ચોટીલા ડુંગર વાળા ચામુંડા દેવી ની આ સ્તુતિ જાપથી થાય ઉદ્ધાર તમારો Daily Chamunda Ma Stuti -Okhaharan 

દરરોજ કરો ચોટીલા ડુંગર વાળા ચામુંડા દેવી ની આ સ્તુતિ જાપથી થાય ઉદ્ધાર તમારો Daily Chamuda Maa Ni Stuti -Okhaharan 

chamunda maa ni stuti gujarati
Chamunda-Maa-Ni-Stuti-Gujarati


ચામુંડા માની સ્તુતિ

 અહો ! ધન્ય ચામુંડા શક્તિ તમારી ,

કહું શું કથી એક જિહુવા મારી ;

કળા જોઈ તારી સહુ દેવ લાજે ,

પરાંબાશ્રી ચામુંડા દેવી બિરાજે . અહો ...

તમે મોહમાયા તમે જોગમાયા ,

તમે કાળી તારા તમે જયોત જ્વાળા ;

નિરાકાર રૂપે ભવાની બિરાજે ,

પરાંબાશ્રી ચામુંડા દેવી બિરાજે . અહો ...

તમે કામ દુર્ગા તમે બાળી બાળા ,

તમે યોગિની મા ગલે મુંડમાલા ; .

સદા માજી મંદિરમાં ઘંટ વાજે , .

પરાંબાશ્રી ચામુંડા દેવી બિરાજે . અહો ...

દયા આણી દાસો તણાં કાર્ય કીધાં ,

ભલા ભક્તને મા અભયદાન દીધાં ;

સદા શ્રીમહારાજાધિરાજ જાચે ,

પરાંબાશ્રી ચામુંડા દેવી બિરાજે . અહો ... 


મનથી ભરોસો તમારો જ જાણી ,

 ખુશીમાં રહું રાજ રાજેશ રાણી ;

કરે સેવના દેવ માજી સ્વ કાજે ,

પરાંબાશ્રી ચામુંડા દેવી બિરાજે . અહો ...

કરું ઉડતાં બેસતાં જાપ તારો ,

અજય જાપથી થાય ઉદ્ધાર મારો ; .

દયાળી દાન દો માત આજે ,

પરાંબાશ્રી ચામુંડા દેવી બિરાજે . અહો ...

નહિ મિત્રતા કે નહિ વે ૨ કો'થી ,

નહિ હેત હારી ખરા ખેર સૌથી ;

મહા માત મારી સદા સહાય થાજે ,

પરાંબાશ્રી ચામુંડા દેવી બિરાજે . અહો ...

સદાકાળ ભક્તિ તમારી જ માંગું ,

જનેતા અનીતિ થકી દૂર ભાગું ;

ચહું દયા માત એક અવાજે ,

પરાંબાશ્રી ચામુંડા દેવી બિરાજે . અહો....


 સદાકાળ માતા પિતા દાસ થઈને ,

ગુજારો કરું ચરણ પાસ રહીને ,

કરું ખૂબ ખાંતે હું ફરજો અદા જે ,

પરાંબાશ્રી ચામુંડા દેવી બિરાજે . અહો....

નમી હું નમી હું નમી હું નમું છું ,

ચામુંડા ચામુંડા મુખેથી જપું છું ;

વદે દાસના દાસ સેવક આજે ,

પરાંબાશ્રી ચામુંડા દેવી બિરાજે. અહો ...

 

ચામુંડા મંત્ર | Chamunda Mantra | Most Powerful Mantra | CHAMUNDA MANTRA | 2021

 

માં ચામુંડા વ્રત|માહાત્મ્ય| વિધિ|ઉજવણું|maa chamunda vrat | Vidhi | mahatmay | Chamunda Mata Na Vrat 


" શ્રીકૃષ્ણ શરણં મમ " નો અથૅ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  


કૃષ્ણ ચાલીસ ગુણ નો પાઠ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

 

નિત્ય સવારે શ્રી લક્ષ્મીનારાયણ દેવ આ પાઠ કરવાથી તમામ પાપોમાંથી મુક્તિ થઈ વિષ્ણુ લોક પ્રાપ્તિ થાય છે અહી ક્લિક કરો.     

 

હનુમાન ચાલીસા ની 9 ચોપાઈનું પઠન 🙏 મળશે 100% ફળ અહી ક્લિક કરો. 

 "" શ્રી વિષ્ણુ ચાલીસા ""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

ગીતાજી માં કહેલા શ્રી વિષ્ણુ ભગવાન ૧૦૮ નામ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

 

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

  

 """ શ્રી વિષ્ણુ સ્તુતિ """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

 

 """ શ્રી વિષ્ણ્વષ્ટકમ્   """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.   


 આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો.  

 

દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી અહી ક્લિક કરો.  

 

શ્રી હનુમાન દાદા નો આ પાઠ ચુડેલ મેલી ડાકાણ જિન સામે રક્ષણ મળે છે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

 

શ્રી હનુમાન દાદા નો "" વડવાનલ સ્ત્રોત ""  નો પાઠ  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

શ્રી "" દેવીકવચ "" ગુજરાતી ભાષાંતર સાથે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 

 સંઘ્યા સમયે એકવાર પાઠ કરો આ ""સ્તોત્ર દેવી"" ની કૃપા રહેશે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 

 રાત્રે એકવાર "" શ્રી મહાલક્ષ્મી"" ની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો

 

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

 

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission. 

 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇


રવિવાર, 14 માર્ચ, 2021

દરરોજ સવારે સૂર્ય નારાયણ દેવ ની આ સ્તુતિ કરો અને ક્ષમા કરશો ગુજરાતી લખાણ સાથે | Surya Stuti Gujarati Lyrics | Okhaharan

દરરોજ સવારે સૂર્ય નારાયણ દેવ ની આ સ્તુતિ કરો અને ક્ષમા કરશો ગુજરાતી લખાણ સાથે | Surya Stuti Gujarati Lyrics | Okhaharan

Surya-Stuti-Gujarati
Surya-Stuti-Gujarati


શ્રી સૂર્યદેવની સ્તુતિ

તે સવિતા પરબ્રહ્મ પ્રભુનું , 

નિત્ય નિરંતર ધ્યાન ધરું

ભર્ગ વરેણ્યથી વ્યાત્પ વિભુ , 

વિશ્વેશ પદે હું પ્રણામ કરું

પ્રેરો રવિ મતિ સદૂગતિ આપે , 

એ વચનો મુખથી ઉચારું .

તે સવિતા પરબ્રહ્મ પ્રભુનું ,

 નિત્ય નિરંતર ધ્યાન ધરું

 શ્રી સૂયૅ દેવ નો આ કવચ નો પાઠ કરવાથી આરોગ્ય , ધન , સમૃદ્ધિ યશ ની પ્રાપ્તિ કરાવે છે અહી ક્લિક કરો.   

 

સર્વજ્ઞ સર્વોતર ગતિ , 

શક્તિશ્વરને હું સદા સમરુ

સર્વ કર્મના સાક્ષી ગણી , 

હું નિંધ કમૅથી નિત્ય ડરું

મન - વાણી - કાયા થકી કાર્યને , 

આનંદે આજ હું નમન કરું. 

 

 

તે સવિતા પરબ્રહ્મ પ્રભુનું , 

નિત્ય નિરંતર ધ્યાન ધરું

સુષ્ટ વસ્તુથી ભિન્ન અગોચર ,

 એક તત્ત્વ જે અકળ ખરું

કરુણાસાગરને ચરણ , 

ચરણ રહી કર દ્રય પ્રસારું

વિશ્વોદ્ધારક રવિ સુખકારક , 

ભાનુ તુજ ભક્તિમાં ચિત્ત ધરું .

તે સવિતા પરબ્રહ્મ પ્રભુનું , 

નિત્ય નિરંતર ધ્યાન ધરું

રવિવારે સૂયૅ દેવ નો આ પાઠ કરવાથી મનુષ્ય ની ગરીબી દૂર થઈ ધનવાન બને છે અહી ક્લિક કરો.   

ભક્તિ પરા ભગવંત તણી , 

અતિ શ્રેષ્ઠ ગણી કદી ન વિસરું

વિશ્વનાથ વિશ્વાસ તમારો , 

ધરી નીતિથી નવ હું ફરું 

 

 

પૂર્ણ કરો રવિ યોગ્ય મનોરથ ,

 હૃદય સ્વરૂપાનંદ ભરું .

.તે સવિતા પરબ્રહ્મ પ્રભુનું , 

નિત્ય નિરંતર ધ્યાન ધરું

 સૂર્યદય સમયે કરો આ સૂયૅ દેવના ૧૦૮ નામ જાપ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો 

 

અતિ દીન અલ્પજ્ઞ અશક્ત , 

ક્ષણ પ્રતિક્ષણ અપરાધ કરું

પરમ કૃપાથી ક્ષમા કરશો , 

તો ભવસિંધુ સઘ તરું

અર્ણ ધ્યાન જપ વંદન કરીને , જ્

ઞાન ભક્તિને સદા વરું .

તે સવિતા પરબ્રહ્મ પ્રભુનું , 

નિત્ય નિરંતર ધ્યાન ધરું 

 રવિવારે કરો સૂર્ય દેવનો દ્રાદશનામ સ્તોત્ર અને તેનું માહાત્મ્ય ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો 

હનુમાન ચાલીસા ની 9 ચોપાઈનું પઠન 🙏 મળશે 100% ફળ અહી ક્લિક કરો. 

શ્રી "" દેવીકવચ "" ગુજરાતી ભાષાંતર સાથે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 

 સંઘ્યા સમયે એકવાર પાઠ કરો આ સ્તોત્ર દેવીની કૃપા રહેશે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 

 રાત્રે એકવાર શ્રી મહાલક્ષ્મીની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો

 

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો. 

 

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇