બુધવાર, 26 જુલાઈ, 2023

પદ્મિની એકાદશી ની તિથિ માહિતી , માહાત્મય, પુજન વિઘિ | Padmini Ekadashi 2023 Kyare Che In Gujarati | Padmini Ekadashi 2023 | Okhaharan

પદ્મિની એકાદશી ની તિથિ માહિતી , માહાત્મય, પુજન વિઘિ | Padmini Ekadashi 2023 Kyare Che In Gujarati | Padmini Ekadashi 2023 | Okhaharan

padmini-ekadashi-2023-kyare-che-in-gujarati
padmini-ekadashi-2023-kyare-che-in-gujarati

શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખ માં આજે આપણે જાણીએ અઘિક માસની સુદ પક્ષની પદ્મિની એકાદશી ક્યારે છે 28 કે 29 જુલાઈ ઉપવાસ ક્યારે કરવો? પારણા નો સમય શું છે અને કેમ આ એકાદશી ખાસ છે ? આ એકાદશી નું વ્રત કરવાથી શું ફળ મળે છે?


 

પદ્મિની એકાદશી 2023: 


 અઘિક માસની સુદ પક્ષની એકાદશી ને પદ્મિની એકાદશી કહે છે. પદ્મિની એકાદશી એના નામ પરથી ખબર પડી જાય પરમ પદ આપનારી એકાદશી . આ એકાદશી ના પ્ભાવે કાતૅવીય એ મહાપ્રરાક્રમી રાવણ હરાવી પરમ પદ પ્રાપ્ત ક્રયું હતું. તેકથા આપણે એકાદશી ના દિવસે સાભળીશું . હિન્દુ શાસ્ત્રોમાંમાં એકાદશી તિથિનું એક વિશેષ મહત્વ છે. એકાદશી તિથિ દર મહિનામાં બે વાર આવે છે, સુદ અને વદ પક્ષ. એકાદશીનો દિવસ ભગવાન વિષ્ણુને સમર્પિત છે. આ એકાદશી દિવસે ના ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી વિષ્ણુ ભગવાનની વિશેષ કૃપા રહે છે. એવું માનવામાં આવે મનુષ્ય દ્રારા થયેલ દરેક પાપ માંથી મુક્તિ મેળવવાના આ વ્રત કરવામાં આવે છે. 


શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત ગુજરાતીમાં   


હિન્દુ ધર્મમાં વેદ અને શાસ્ત્રો મહત્વ વધારે છે. ગ્રંથોમાં પદ્મિની  એકાદશીનું વિગતવાર વર્ણન કરવામાં આવ્યું છે. આ દિવસે ભક્તો વિષ્ણુ ભગવાન દશ અવતાર માંથી  કોઈ પણ અવતાર પુજન કરે છે પદ્મિની એકાદશી નું વ્રત કરવાથી મનુષ્ય સમસ્ત પાપ નષ્ટ પામે છે. અને પરમ પદ આપનારી એકાદશી. આ એકાદશી વ્રત કોઈ પણ કરી શકે ચાહે નાના , મોટા , સ્ત્રી , પુરુષ બાળકો  હોય કે  વૌષ્ણવ , શુદ્ધ , ક્ષત્રિય , વેશ્ય હોય કે સવે આ વ્રત કરી શકે છે. 


અઘિક માસના સુદ પક્ષની એકાદશીને પદ્મિની એકાદશી કહેવામાં આવે છે. દર માસની એકાદશી તિથિ ખાસ હોય છે એમાં પણ અઘિક  માસની વદ પક્ષની એકાદશી નું મહત્વ ધણું વધારે છે. કારણે આ તિથિ દર ત્રણ વષૅ આવતી હોવાથી તેનું મહત્વ વઘી જાય છે. આ દિવસે જગતના પાલનહાર ભગવાન શ્રી વિષ્ણુ નું પુજન કરવામાં આવે છે.  આ એકાદશી સમસ્ત પાપ નષ્ટ કરી આલોક અને પરલોક મુક્તિ આપનારી છે.  


 એકાદશી ના દિવસે વિષ્ણુ ભગવાન ના પુજન સાથે સાથે ગાય માતા ,તુલસી માતા તથા પીપળા વૃક્ષ તથા શિવલંગ નું પુજન થાય છે ગાયમાતા પુજન કરવાથી સવૅ દેવતા ના આશીર્વાદ અને તુલસી માતા પુજન જીવનમાં સુખ સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે તથા પીપળા વૃક્ષ નું પુજન કરવાથી પૃતિદેવ ના આશીર્વાદ મળે છે.શિવલિંગ પર જળ દુઘ ફુલ બીલીપત્ર ચંદન નો અભિષેક કરવો.


 દર માસની શુક્લ અને કૃષ્ણ પક્ષની બે એકાદશી આવે છે અઘિક  માસની વદ પક્ષની એકાદશી ને પદ્મિની  એકાદશી કહે છે. અને ત્રણ વષે આવતા પુરુષોત્તમ માસની બે એમ 26 એકાદશી છે નો ઉલ્લેખ આપણા હિન્દુ શાસ્ત્રો માં થયેલો છે. દરેક એકાદશીનું એક વિશેષ મહત્વ હોય છે  


આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો. 


આ વષે 2023 ની અઘિક માસના કૃષ્ણ પક્ષની પદ્મિની એકાદશી તિથિ


 શરૂઆત 28 જુલાઈ 2023 શુક્રવાર બપોરે 2:51 મિનિટ
સમાપ્ત 29 જુલાઈ 2023 શનિવાર બપોરે 1: 05 મિનિટ
ઉપવાસ સૂયૅદય શરૂ થતો કરવો જોઈએ માટે
ઉપવાસ  29 જુલાઈ 2023 શનિવાર કરવો
પુજન નો શુભ સમય સવારે સવારે 7:36 થી 9:15 સુધી.
પારણા સમય 30 જુલાઈ 2023 રવિવાર સવારે 5:41 થી 8:24 સુધી.

 કજૅ ઋણ માંથી મુક્તિ મેળવવા શ્રી વિષ્ણુ ભગવાન નો આ પાઠ કરો 


 


 "" શ્રી વિષ્ણુ ચાલીસા ""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

ગીતાજી માં કહેલા શ્રી વિષ્ણુ ભગવાન ૧૦૮ નામ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

 

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

  

 """ શ્રી વિષ્ણુ સ્તુતિ """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

 

 """ શ્રી વિષ્ણ્વષ્ટકમ્   """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.   


દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી અહી ક્લિક કરો.  

  

 શ્રી હનુમાન દાદા નો આ પાઠ ચુડેલ મેલી ડાકાણ જિન સામે રક્ષણ મળે છે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

 

શ્રી હનુમાન દાદા નો "" વડવાનલ સ્ત્રોત ""  નો પાઠ  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

શ્રી "" દેવીકવચ "" ગુજરાતી ભાષાંતર સાથે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 

 સંઘ્યા સમયે એકવાર પાઠ કરો આ ""સ્તોત્ર દેવી"" ની કૃપા રહેશે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 

 રાત્રે એકવાર "" શ્રી મહાલક્ષ્મી"" ની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો

 

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission. 

 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

મંગળવાર, 25 જુલાઈ, 2023

પુરૂષોતમ માસ નિત્ય કરો શ્રી નારાયણ નામામૃત સ્તોત્ર ગુજરાતી લખાણ સાથે | Shree Narayan Namamutr Stotram in Gujarat Lyrics | Okhaharan

 પુરૂષોતમ માસ નિત્ય કરો શ્રી નારાયણ નામામૃત સ્તોત્ર ગુજરાતી લખાણ સાથે  | Shree Narayan Namamutr Stotram in Gujarat Lyrics | Okhaharan 

shree-narayan-namamutr-stotram-in-gujarati-lyrics
shree-narayan-namamutr-stotram-in-gujarati-lyrics

શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂ આપણા ગુજરાતી ભક્તિ લેખમાં આજે આપણે જાણીશું અધિક માસ એટલે કે પુરૂષોતમ માસ નિત્ય કરવામાં આવતો શ્રી નારાયણ નામામૃત સ્તોત્ર ગુજરાતી લખાણ સાથે 


કાંઠા ગોરમાં ની વાતૉ શ્રી પુરૂષોત્તમ કથા પ્રથમ અધ્યાય 


 શ્રી નારાયણ નામામૃત સ્તોત્ર


નારાયણ નારાયણ જય ગોવિંદ હરે
નારાયણ નારાયણ જય ગોપાલ હરે.

અચ્યુત અશરણશરણા, કમલા લાલિતચરણા –
નારાયણ નારાયણ જય ગોવિંદ હરે
નારાયણ નારાયણ જય ગોપાલ હરે.

ક્ષીરસમુદ્રશયાના, જય પક્ષીશ્વરયાના. નારાયણ…
કોટીમદનછબિસુંદર, શ્યામલ પીતાંબરધર. નારાયણ…
કરચક્રગદાંબ્રુજયુત, ભક્તાનામભયાયુધ. નારાયણ…
અંશકલાવિગ્રહ્ધર, દુર્જનખલનિગ્રહકર. નારાયણ…

હિરણ્યાક્ષહતિકરણા, વરાહ ધરણીધરણા. નારાયણ…
યજ્ઞસકલશુભકર્તા, હરિવર સુરાર્તિહર્તા. નારાયણ…

સાંખ્યાચાર્ય મુનિશ્વર, કર્દમસુત કપિલેશ્વર. નારાયણ…
અનસૂયાસુત ગુરુવર, દત્તાત્રેય દિગંબર. નારાયણ…

શિશુવેશા સનકાધા, નારદ વીણાવાધા. નારાયણ…
જય જય નારાયણ, જનહિત તપ:પરાયણ. નારાયણ…

ભૂદોહનકર ભૂપા, પ્રુથુવિક્રમ પ્રુથુરૂપા. નારાયણ…
ઋષભદેવ યોગીશ્વર, જય જય બ્રહ્મવિદાંવર. નારાયણ…


હયગ્રીવ મધુહંતા, મુખમય વિશ્વનિહંતા.  નારાયણ…
મહામીનતનુધારક, પ્રલયે વેદોદ્ધારક. નારાયણ…

કચ્છપરૂપ કૃપાકર, સિંધુમંથન ધરમંદર. નારાયણ…
નરહરિરૂપ ભયંકર, સુરમુનિનુત લક્ષ્મીવર. નારાયણ…

હિરણ્યકશિપુનિહંતા, પ્રહલાદાભયદાતા. નારાયણ…
ચક્રનક્રસુવિદારક, હરે ગજેંન્દ્રોદ્ધારક. નારાયણ…

જય વામન બલિછલના દેવદુ:ખનિર્દલના. નારાયણ…
ચિદઘન હંસશરીરા, વિધિબોધક મતિધીરા. નારાયણ…

જય સમસ્તમનુરૂપા, ધર્મસ્થાપકભૂપા. નારાયણ…
ધન્વન્તરિ વૈધેશ્વર આયુર્વેદસુધાકર. નારાયણ…
મોહિનીરૂપ મનોહર, આસુરમોહ સુરહિતકર. નારાયણ…
ભૃગુકુલતિલક પરશુધર, નિ:ક્ષત્રિયધરણીકર. નારાયણ…

દશરથકૌશલ્યાસુત સુરવર વિધિહરનુત. નારાયણ…
તાતવચનવનગમના, જય દાનવદમના. નારાયણ…

અદભૂત પુણ્યચરિત્રા રઘુવર કપિવરમિત્રા. નારાયણ…
ગોદ્વિજસુરસુખકારણ સકુલદશાનનદારણ, નારાયણ…

નંદયશોદાજીવન હલધરયુત વ્રજજનધન. નારાયણ…
અઘબકબકીતૃણક્ષય, કાલિયમર્દન જય જય. નારાયણ…

બંદીવાદનશીલા અત્યદભુતશિશુલીલા. નારાયણ…
રાધાનનાબ્જષટપદ, રાસવિલાસવિશારદ. નારાયણ…

વ્રજજનસંકટહરણાં, ગોવર્ધનગિરિધરણા. નારાયણ…
દેવ દેવકીનંદ કેશવ કંસનિકંદન. નારાયણ…


વેદવ્યાસ મુનીશ્વર, વેદવિભાગસુગમકર. નારાયણ…
બુદ્ધમુનીશ મહાશય, સ્થાપક ધર્મ દયામય. નારાયણ…

કલ્કે કલિકલુષાંતક, કલુષીજનવિનિઘાતક. નારાયણ…
એવમનંતચરિત્ર, નામાનંતપવિત્ર. નારાયણ…

શ્રીકૃષ્ણ કૃપાલયનં મામ પ્રતિપાલય. નારાયણ…
તવ દાસં ‘હરિદાસ’ દયયા દદ પદવાસં. નારાયણ…

(આર્યાગીત)


નારાયણ નામામૃત, પીતાં ભવરોગ દુષ્ટ નષ્ટ થશે;
એહ જ અવતાર ચરિત, ગાતાં અવતરણ મરણ કષ્ટ જશે.


ગાયને એક વસ્તુ ખવડાવવાથી 24 કલાક મા સવૅ મનોકામના પૂણૅ થાય  સાથે ઈચ્છાપૂર્તિ થાય

 

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે  

 

સંતાન ગણપતિ સ્તોત્રમ્ ગુજરાતી લખાણ સાથે     

 

 "" શ્રી વિષ્ણુ ચાલીસા ""  ગુજરાતી લખાણ સાથે  

 

 """ શ્રી વિષ્ણુ સ્તુતિ """ ગુજરાતી લખાણ સાથે    

 

 """ શ્રી વિષ્ણ્વષ્ટકમ્   """ ગુજરાતી લખાણ સાથે  


 આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત 

 

દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી 


 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

પુરુષોત્તમ માસ કથા અધ્યાય આઠમો | Purushottam Maas Katha Adhyay 8 in Gujarati | Adhyay 8 | | Adhik Mass 2023 | Okhaharan |

પુરુષોત્તમ માસ કથા અધ્યાય આઠમો |  Purushottam Maas Katha Adhyay 8 in Gujarati  | Adhyay 8 | | Adhik Mass 2023 | Okhaharan | 


purushottam-mass-katha-adhyay-8-in-gujarati

શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂ આપણા ગુજરાતી ભક્તિ લેખમાં આજે આપણે જાણીશું પુરૂષોત્તમ માસની કથા અધ્યાય આઠમો  મેઘાવતીનો વિલાપ અને અમૃત ધારા જે વાતૉ કહેવાય વૈકુંઠની જાતરા વાર્તા.


પુરુષોત્તમ માસ કથા અધ્યાય સાતમો


અધ્યાય આઠમો : મેઘાવતીનો વિલાપ


સુત બોલ્યા : “ હે તપોધન ઋષિઓ ! શ્રી વિષ્ણુ તથા શ્રીકૃષ્ણનો પૂર્વોક્ત સંવાદ સાંભળી મનમાં સંતોષ પામેલા નારદજીએ ફરી આવો પ્રશ્ન કર્યો.”
નારદે પૂછ્યું : “હે પ્રભુ ! રુકમણિના પતિ શ્રી વિષ્ણુભગવાન વૈકુંઠમાં પધાર્યા તે પછી શું થયું તે મને કહો તેમજ ઈન્દ્રપુત્ર અર્જુન તથા શ્રીકૃષ્ણનું વૃતાંત પણ કહો. કેમકે આદ્યપુરૂષ નરનારાયણ સ્વરૂપે એ બંનેનું વૃતાંત સર્વ લોકોનું હિત કરનારું છે.


શ્રી નારાયણ બોલ્યા : “હે નારદ ! રુકમણિના નાથ શ્રી વિષ્ણુ હર્ષપૂર્વક પોતાના વૈકુંઠધામમાં પધાર્યાં તે પછી ત્યાં જઈને તેમણે એ અધિક માસને પણ ત્યાં જ વસાવ્યો. અધિપતિ થઈ સર્વ મહિનાઓમાં શ્રેષ્ઠ બની અધિક માસ પ્રસન્ન થયો. શ્રી વિષ્ણુ પણ આ મળમાસને બારે મહિનાઓમાં શ્રેષ્ઠ બનાવી મનમાં સંતોષ પામ્યા.”


તે પછી હે નારદ ! હવે તમને શ્રીકૃષ્ણ અને પાંડવો વચ્ચે કામ્યક વનમાં શું થયું તે જણાવું  છું. ભકતવત્સલ ભગવાન શ્રીકૃષ્ણે અજુન, યુધિષ્ઠિર તથા દ્રૌપદી તરફ કૃપા દ્રષ્ટિ કરીને આ પ્રમાણે કહ્યું : “હે રાજાઓમાં શ્રેષ્ઠ યુધિષ્ઠિર ! તમે રાજવૈભવ, સંપત્તિ ગુમાવીએ વનમાં દુ:ખી થઈને ભટકી રહ્યા છો. એનું કારણ એ છે કે તમે પુરૂષોત્તમ માસનો અનાદર કર્યો છે. તમે તે માસ વનમાં આચરણહિન બની ગુમાવ્યો છે. ભીષ્મ, દ્રોણ તથા કર્ણના ભયથી હસ્તિનાપુરમાં પણ તમે પુરૂષોત્તમ માસના માહાત્મ્યને જાણી શક્યા નહીં. અને વેદવ્યાસજીથી પ્રાપ્ત વિદ્યા-આરાધનામાં રચ્યાપચ્યા રહ્યાં. આમાં તમારો દોષ નથી. ભાગ્યઅનુસાર મનુષ્યે દુ:ખ ભોગવવું પડે છે. હે મહારાજ ! તમારા દુ:ખનું બીજું પણ આશ્ચર્યકારક તથા ઐતિહાસિક કારણ સાંભળો.
શ્રીકૃષ્ણ બોલ્યા : “ આ દ્રૌપદી પૂર્વજન્મમાં મેઘાવી બ્રાહ્મણની પુત્રીહતી. તેનું નામ મેઘાવતી હતું. તે ચતુર, ગુણવાળી તથા ખૂબ સુંદર હતી. તે સાહિત્યશાસ્ત્ર તથા નીતિશાસ્ત્રમાં પંડિતા હતી.”


સમય જતાં ઉંમરલાયક થતાં એક સમયે પાસે રહેતી સખીઓના સંતાનોને લાડ લડાવતાં જોઈ તેને પણ પુત્ર પૌત્રના સુખની ઈચ્છા થઈ. તેણે મનમાં ને મનમાં વિચારવા માંડ્યું કે ક્યું વ્રત કરું તો મારી સખી જેવું સુખ મને મળે ? ક્યા દેવની ઉપાસના કરું તો મને ભાગ્યવાન સર્વગુણ સંપન્ન પતિ મળે ? ક્યા મુનિની સેવા કરું તો મને ઉત્તમ સંતાન પ્રાપ્તિ થાય ? માતા તો પહેલા જ સ્વર્ગવાસી થઈ ગઈ હતી. પિતા પંડિત છે તે પણ આ બાબતે ઉદાસ છે. મારા માટે યોગ્ય પતિ ગોતવા તેઓ શા માટે પ્રયત્ન કરતા નથી ? આવા વિચારોથી તે શોકમાં ડૂબી ગઈ. આ બાજુ ઋષિ મેઘાવી પોતાની પુત્રી મેઘાવતી માટે યોગ્ય વર શોધવાના સંકલ્પ સાથે પૃથ્વીઉપર ભ્રમણ કરવા લાગ્યા. પણ તેમને કોઈ યોગ્ય મુરતિયો મળ્યો નહીં. એટલે નિરાશ થઈ ગયા. આથી દુ:ખની તીવ્ર જ્વાળાઓમાં શેકાતા તે જમીન પર મૂર્છા ખાઈને ઢળી પડ્યા. દૈવયોગે તેમને તીવ્ર તાવ આવ્યો. મહાભયંકર મૂર્છા અવસ્થા સ્વરૂપે તેઓ ઘેર આવ્યા. પુત્રી મેઘાવતી ભયથી ગાભરી બની ગઈ. બ્રાહ્મણ મેઘાવીને પૂર્વકાળના ગૃહસ્થાશ્રમમાં ધર્મ પરિશ્રમની કૃપાથી અંતવેળા વાસના છૂટી ગઈ. તેમણે હરિમાં જ ચિત્ત રાખ્યું. મેઘાવીએ પુરૂષોત્તમ શ્રીહરિનું સ્મરણ કરવા માંડ્યું.


જેમનો રંગ કમળોની પાંખડી જેવો કાળો છે અને આકૃતિ ત્રણ ઠેકાણે વાંકી તથા સુંદર છે. તેવા પ્રભુની મરણ સમયે આ પ્રમાણે મુનિએ પ્રાર્થના કરી.
“હે રાસેશ્વર !  હે રાધાપતિ ! આપે પ્રચંડ બાહુઓથી દેવોના શત્રુઓને દૂરથી જ મારી નાખ્યા છે, આપ અતિ ઉગ્ર દાવાનળનું પાન કરનારા છો અને આપે સ્નાન કરતી ગોપકુમારીઓએ ઉતારી મૂકેલાવસ્ત્રોને હરણ કર્યાઁ હતા.હે શ્રીકૃષ્ણ ! હે ગોવિંદ ! હે શ્રીહરિ ! સંસારસાગરમાં ડૂબી રહેલાઆ અધમ જીવને આપના ચરણોમાં સ્થાન આપો. આપને વારંવાર નમસ્કાર છે. આપ મારા દુ:ખને દૂર કરો.” ઋષિની આર્દ્ર સ્વરે કરેલી સ્તુતિથી ભગવાનના દૂતો મેઘાવી ઋષિને પ્રભુચરણમાં લઈ ગયા.


શ્રી પુરૂષોતમ સ્ત્રોત ગુજરાતી લખાણ સાથે


પિતાના પ્રાણત્યાગથી પુત્રી મેઘાવતી અતિ દુ:ખી થઈ વિલાપ કરવા લાગી. વિહવળ બની બોલવા લાગી : “હે પિતાજી ! આપ મને છોડીને ક્યાં ચાલ્યા ગયા. તમારા વગર નિરાધાર થયેલી મારી હવે કોણ ખબર રાખશે ? મારે ભાઈ નથી. કોઈ કુટુંબ નથી. માતા નથી. મારાં અન્ન-વસ્ત્ર તથા જીવનની ચિંતા કોણ કરશે ? આ ઘોર જંગલમાં હું એકલી કેવી રીતે રહી શકીશ ? મારે હવે જીવવાનું શું પ્રયોજન છે ? મારો વિવાહ વિધિ કર્યા વિના જ તમે ક્યાં જતા રહ્યા ? ઊઠો ઓ પિતા ! હવે ઊઠો. બહુ વખત થયા સૂતા છો.” એમ કહી આંસુવાળા મુખેથી એ બાળા વારંવાર વિલાપ કરવા લાગી.
એ કન્યાનું રુદન સાંભળી ત્યાંના વનવાસી બ્રાહ્મણો વિચારમાં પડ્યાં કે આ તપોવનમાં આવું કરુણ રુદન કોણ કરે છે ? ધીમે ધીમે તેઓને મેઘાવી ઋષિની પુત્રીના અવાજની ખાત્રી થઈ એટલે તેઓ એકદમ ગાભરા બની હાહાકાર કરતા ત્યાં દોડી આવ્યા. તેઓએ આવી જોયું તો મેઘાવી મુનિ પુત્રીના ખોળામાં મરેલા પડ્યા હતા. પછી તો તે બધાય વનવાસી રડવા લાગ્યા. છેવટે પુત્રીના ખોળામાંથી મડદું ઉઠાવી લઈ સ્મશાનમાં જ્યાં શિવમંદિર હતું. તેની પાસે તેઓએ તેની અંત્યેષ્ટિ ક્રિયા કરી અને લાકડાની ચિતામાં સુવાડી અગ્નિસંસ્કાર કર્યો. પછી એ કન્યા પણ ધીરજ ધરીને પિતાના મરણ પછી શ્રાદ્ધ, તર્પણ, દાન બધી ક્રિયા કરીને એ તપોધનમાં રહેવા લાગી, પણ પિતાના વિયોગથી થયેલા દુ:ખને લીધે તે બળ્યા કરતી હતી અને અગ્નિથી બળી ગયેલી કેળની પેઠે તથા વાછરડું મરી જતાં દુ:ખી થયેલી ગાયની પેઠે આશ્રય વિહોણી બનેલી પીડાયા કરતી હતી.


“ શ્રી બૃહન્નારદીય પુરાણ” ના પુરૂષોત્તમ માહાત્મ્યનો
“મેઘાવતીનો વિલાપ” નામનો આઠમો અધ્યાય સંપૂર્ણ.
 
હવે પતિતપાવન પુરૂષોત્તમ માસની કથાનું રસપાન કરીએ.


વૈકુંઠની જાતરા


એક ગામમાં પટેલ રહે. પટેલ સાવ ભોળા ! પટેલને ચાર દીકરા. ચારેય દીકરા ખેતી કરે અને પટેલ નિરાંતે ભક્તિ કરે. દાન-પુણ્ય કરે. ભૂખ્યાને ભોજન આપે.


એવામાં પુરૂષોત્તમ માસ આવ્યો. પટેલે વ્રત શરૂ કર્યુ. પ્રાત:કાળે સવારે વહેલા ઊઠી નદીએ સ્નાન કરવા જાય, કથા-વાર્તા સાંભળે, બ્રાહ્મણોને દાન-દક્ષિણા આપે અને નિત્ય એકટાણું કરે. રાતે પ્રભુ પુરૂષોત્તમનાં ભજન કરે.


પટેલની આવી શ્રદ્ધા-ભક્તિ જોઈ સ્વયં પુરૂષોત્તમ ભગવાન પોતે ભિખારીનું રૂપ લઈને પટેલની કસોટી કરવા આવ્યા. પટેલ તો ખળામાં ઘઉંના ઢગલાની રખેવાળી કરતા બેઠા છે. ભજન લલકારે છે. ભિખારીને જોઈને પટેલે સૂપડું ભરીને ઘઉં આપ્યા પણ ભગવાન બોલ્યા કે, “આપવો હોય તો આખો ઢગલો આપો.” પટેલ પણ પાછા પડે એવા ન હતા. તરત બોલ્યા કે, “જા, આખો ઢગલો તારો. તારે હક એ મારે હરામ. બોલ, ભાઈ ! તું કહે ત્યાં પહોંચાડી દઉં.”


ગીતાજી માં કહેલા શ્રી વિષ્ણુ ભગવાન ૧૦૮ નામ


ભગવાને પ્રસન્ન થઈને અસલ સ્વરૂપે દર્શન દીધાં. પટેલ તો પ્રભુનાં ચરણોમાં પડી ગયા. ત્યારે ભગવાન બોલ્યા કે “હે ભક્ત ! હું તારા પર પ્રસન્ન થયો છું. માંગ, તું માંગીશ એ આપીશ.” ત્યારે પટેલ બોલ્યા : “હે પ્રભુ ! તમારી કૃપાથી બધું જ મારી પાસે છે. બસ, એક ઈચ્છા છે. સદેહે વૈકુંઠની જાતરા કરવી છે, થાય તો એ પૂર્ણ કરો.”


પ્રભુએ પ્રસન્નતાથી પટેલનો હાથ ઝાલીને તેમને વિમાનમાં બેસાડ્યા અને વૈકુંઠ લઈ ગયા. ત્યાંથી ગોલોકમાં લઈ ગયા. પછી શિવલોક, બ્રહ્મલોક, પાતાળલોક અને ઈન્દ્રપુરી લઈ ગયા. પછી અક્ષરધામનાં પણ દર્શન કરાવ્યા.


આ બાજુ બાપા ગુમ થવાથી ઘરમાં રડારોળ થઈ ગઈ. બાપા ગયા ક્યાં ? ચારે બાજુ પટેલને શોધવા દોડધામ કરી મૂકી. પણ પટેલ હોય તો મળે ને ? એ તો લહેરથી વૈકુંઠની જાતરા કરતા હતા. વાટ જોતાં જોતાં પાંચ દિવસ વીતી ગયા, પણ બાપા ન આવ્યા. ત્યારે છોકરા જોષી પાસે ગયા. જોષીએ જોષ જોઈને કહ્યું કે, “અગિયાર દિવસ રાહ જુઓ. બાપા પાછા ન આવે તો બારમા દિવસે બારમું કરી નાખજો.”


અગિયાર દિવસ વાટ જોયા પછી પણ પટેલ ના આવ્યાત્યારે બારમા દિવસેચોકરા દાઢી-મૂંછ મુંડાવીને સરાવવા બેઠા. ગામે ગામથી કાણિયા આવ્યા. પિંડદાન દીધાં ત્યાં જ સરસરાટ કરતું વિમાન આવ્યું અને એમાંથી પટેલ ઊતર્યા. બધા ભૂત… ભૂત…. કરીને ભાગવા લાગ્યા. ત્યારે પટેલ બોલ્યા કે “ભૂતેય નથી અને પલીતેય નથી. જીવતો જાગતો માણસ છું. હું તો વૈકુંઠની જાતરા કરવા ગયો હતો. પ્રભુ પુરૂષોત્તમ પોતે મને લઈ ગયા હતા.” પણ કોઈએ તેમની વાત માની નહીં.


પટેલે બધાને બહુ સમજાવ્યા પણ વાત લોકોના ગળે ન ઊતરે. સદેહે વળી વૈકુંઠમાં જવાતું હશે ? પટેલ તો પ્રભુને પોકારવા લાગ્યા. આખરે બ્રાહ્મણોએ તોડ કાઢ્યો કે જો પટેલ એમને પણ વૈકુંઠની જાતરા કરાવે તો વાત સાચી માનવી, નહીંતર ચિતાએ ચઢાવી દેવા. પટેલ તો ખરા ફસાયા. પણ ભક્તને ભીડ પડે અને ભગવાન રોકાય ખરા ?


તરત પ્રભુ ગરુડ પર ચઢીને પ્રગટ થયા. પટેલની આંખમાં હરખના આંસુ આવી ગયાં. પટેલે પ્રભુને વિનંતી કરી : “હે પ્રભુ ! આ લોકો મારીવાત માનતા નથી. તેથી તમે આ બ્રાહ્મણોને પણ વૈકુંઠની જાતરા કરાવો, નહીં તો આ બધા ભેગા મળી મને ચિતા પર ચઢાવી દેશે.”


ગાયને એક વસ્તુ ખવડાવવાથી 24 કલાક મા સવૅ મનોકામના પૂણૅ થાય  સાથે ઈચ્છાપૂર્તિ થાય


ત્યારે પ્રભુબોલ્યા : “પટેલ ! પુણ્યશાળી જીવને જ વૈકુંઠનાં દર્શન થાય. બીજાને નહીં.” પરંતુ પટેલે જીદ કરી એટલે પ્રભુએ હા પાડી. પટેલની સાથે સાત બ્રાહ્મણોએ વૈકુંઠની જાતરાની તૈયારી કરી. પ્રભુના આદેશ પ્રમાણે પટેલે ગરુડના પગ પકડી લીધા. એક બ્રાહ્મણે પટેલના પગ પકડ્યા. એમ કરતાં લંગાર થઈ. ગરુડ તો આકાશમાં ઉડવા લાગ્યું. જે બ્રાહ્મણે પટેલના પગ પકડ્યા હતા તેને લાડવા બહુ ભાવે. એ પટેલને પૂછવા લાગ્યો કે “વૈકુંઠમાં લાડવા મળશે ?”  પટેલે ‘હા’ પાડી તો બ્રાહ્મણેપૂછ્યું કે ‘કેટલા ?’ ત્યારે પટેલે હાથ પહોળા કરીને કહ્યું કે ‘આટલા.’


પટેલે હાથ પહોળા કરતાં જ બધા આકાશમાંથી જમીન પર પછડાયા. સાતેય બ્રાહ્મણ મરી ગયા. માત્ર એક પટેલ જીવતા રહ્યા. બ્રાહ્મણોને સ્વધામ સંચરેલા જોઈ પટેલ રડતાં રડતાં પ્રભુને વિનવવા લાગ્યા કે “તેં તો મારા પર બ્રહ્મહત્યા ચઢાવી પ્રભુ ! હવે તો આ સાતેય બ્રાહ્મણોને જીવતા કર તો જ અન્નજળ લઉં.”


ભગવાન તત્કાળ દોડી આવ્યા અને સાતેય બ્રાહ્મણોને સજીવન કર્યા. આમ પટેલની નિષ્કામ ભક્તિના પ્રતાપે એમણે જીવતે જીવ વૈકુંઠ જોયું અને બીજાને પણ પ્રભુના દર્શન કરાવ્યાં.


કાંઠા ગોરમાં ની વાતૉ શ્રી પુરૂષોત્તમ કથા પ્રથમ અધ્યાય 


હે પૂર્ણ પુરુષોત્તમ પ્રભુ ! તમે જેવા પટેલને ફળ્યા એવા સૌને ફળજો.



""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે  

 

સંતાન ગણપતિ સ્તોત્રમ્ ગુજરાતી લખાણ સાથે     

 

 "" શ્રી વિષ્ણુ ચાલીસા ""  ગુજરાતી લખાણ સાથે  

 

 """ શ્રી વિષ્ણુ સ્તુતિ """ ગુજરાતી લખાણ સાથે    

 

 """ શ્રી વિષ્ણ્વષ્ટકમ્   """ ગુજરાતી લખાણ સાથે  


 આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત 

 

દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી 


 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

સોમવાર, 24 જુલાઈ, 2023

પુરુષોત્તમ માસ કથા અધ્યાય સાતમો | Purushottam Maas Katha Adhyay 7 in Gujarati | Adhyay 7 | | Adhik Mass 2023 | Okhaharan |

પુરુષોત્તમ માસ કથા અધ્યાય  સાતમો  |  Purushottam Maas Katha Adhyay 7 in Gujarati  | Adhyay 7 | | Adhik Mass 2023 | Okhaharan | 

purushottam-maas-katha-adhyay-7-in-gujarati
purushottam-maas-katha-adhyay-7-in-gujarati

શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂ આપણા ગુજરાતી ભક્તિ લેખમાં આજે આપણે જાણીશું પુરૂષોત્તમ માસની કથા અધ્યાય સાતમો મળમાસને ઐશ્વર્યની પ્રાપ્તિ અને અમૃત ધારા જે વાતૉ કહેવાય વનડિયાની વાર્તા


 મળમાસને ઐશ્વર્યની પ્રાપ્તિ

પુરુષોત્તમ માસ કથા અધ્યાય છઠ્ઠો


સૂતજી બોલ્યા : “હે તપોધન ભાઈઓ ! તમે જે પ્રશ્ન કર્યો તે જ પ્રશ્ન નારદમુનિએ શ્રી નારાયણને કર્યો હતો અને પછી શ્રી નારાયણ પ્રભુએ જે ઉત્તર આપ્યો હતો તે જ હું તમને કહું છું.”


નારદે પૂછ્યું : “એ મળમાસનું અપાર દુ:ખ જણાવી વિષ્ણુ ભગવાન મૌન રહ્યા. તે પછી હે બદ્રીનાથ નારાયણ ! તે પુરૂષોત્તમ પરમાત્માએ શું કર્યું હતું તે હવે કહો.”


શ્રી નારાયણ બોલ્યા : “હે પુત્ર નારદ ! ગોલોકનાથ શ્રીકૃષ્ણ ભગવાને જે ગુહ્યવચન શ્રી વિષ્ણુને કહ્યું હતું તે જ હું કહું છું. દંભરહિત ઉત્તમ ભક્તને સર્વ કહેવું જોઈએ. પુરૂષોત્તમનું  એ વચન ઉત્તમ કીર્તિ કરનાર, પુણ્યકારક, ઉત્તમ પુત્ર આપનાર, ઘણા બધા પુણ્યોને આપનારું છે. માટે અનન્ય ભક્તિથી તે સાંભળવા જેવું અને આચરવા જેવું છે.”


શ્રી પુરૂષોત્તમે શ્રી વિષ્ણુને તે વેળા કહ્યું “ હે વિષ્ણુ ! આ મળમાસનો હાથ પકડી તમે અહીં આવ્યા તે ઠીક કર્યું છે. આથી તમે લોકમાં કીર્તિ પામશો. તમે જે જીવને સ્વીકારો છો તેને મેં જ સ્વીકાર્યો છે અને એમ જાણીને તેને મારા જેવો સર્વોપરી કરીશ. હું મારા ગુણો, કીર્તિ, પ્રભાવ, છ ઐશ્વર્યો, પરાક્રમો, ભક્તોને વરદાન આપવું અને બીજા જે જે ગુણોથી લોકમાં પુરૂષોત્તમ તરીકે પ્રખ્યાત થયો છું તે સર્વે ગુણો આજથી આ મળમાસને અર્પણ કરું છું. તેમજ લોકમાં તથા વેદમાં મારું ‘પુરૂષોત્તમ’ એવું પ્રસિદ્ધ નામ છે તે પણ હે જનાર્દન ! હુ આને આપું છું. આનો સ્વામી પણ હું જ થાઉં છું. આના નામથી આખું જગત પવિત્રથશે અને મારી સમાનતા પામી આ મહિનો બીજા બધા મહિનાઓનો અધિપતિ થશે. વળી, જગતમાં પૂજ્ય અને વંદનીય થશે. આની પૂજા જપ-તપ, દાન-વ્રત કરનાર સર્વ લોકોના દારિદ્રનો નાશ થશે. બધા મહિનાઓ તો કામવાળા છે પણ આને હું નિષ્કામ કરું છું. સર્વ લોકોને આ મોક્ષ આપનાર થશે.”


“મહાભાગ્યશાળી સંન્યાસીઓ, બ્રહ્મચારીઓ તથા બીજા મહાત્માઓ જેને માટે આહાર રહિત તપશ્ચર્યા કરે છે. દ્રઢ વ્રતો ધારે છે, ફળ, પાંદડાં તથા વાયુનો જ આહાર કરે છે. કામ, ક્રોધ ત્યાગી જિતેન્દ્રીય બની ચોમાસામાં પણ વગડામાં રહી ટાઢ તડકો સહન કરે છે તો પણ હે ગરુડધ્વજ ! તેઓ મારા અવિનાશી પદનેપામતા નથી,પરંતુ જેઓ આ પુરૂષોત્તમ માસની ભક્તિ કરશે, તેનાં પૂજા-વ્રત કરશે,તેઓ તો માત્ર એક જ મહિનામાં ઘડપણ તથા મરણથી રહિત તે પરમપદને અનાયાસે પ્રાપ્ત કરશે. એવો મનુષ્ય મારી પાસે આવ્યા પછી જન્મ-મરણ,ભય, આધિ, વ્યાધિતથા ઘડપણથી ઘેરાયેલા સંસારને ફરી કદી પામતો જ નથી. આવું વેદવચન સત્ય છે. આજથી આ મહિનાનો અધિપતિ હું થાઉં છું. આને હું જ પ્રતિષ્ઠા પમાડું છું અને આને ‘પુરૂષોત્તમ’ એવું મારું નામ પણ હું અર્પણ કરું છું. તેથી આ માસને પૂજનાર ભક્તોની ચિંતા રાત-દિવસ મને જ રહેવાની, આના (પુરૂષોત્તમ માસના) ભક્તોની સર્વ કામનાઓહું જ પૂરી કરવાનો છું. હે વિષ્ણુ ! મારા પોતાના આરાધન કરતા મારા ભક્તોનું આરાધન મને વધારે પ્રિય છે.”

શ્રી પુરૂષોતમ સ્ત્રોત ગુજરાતી લખાણ સાથે


અતિશય મુઢ જેવા જે લોકો આ પુરૂષોત્તમ માસમાં જપ, દાન, આદિ નહી કરે, સત્કર્મો તથા સ્નાનથી રહિત રહેશે અને દેવો તથા તીર્થો,બ્રાહ્મણોનો દ્વેષ કરશે તે દુષ્ટો દુર્ભાગી થઈ પારકા ભાગ્ય ઉપર જીવનારા થશે. જેમ ‘સસલાને શીંગડું કદી હોઈ શકે નહિ.’ તેમ તેઓને સ્વપ્નમાં પણ કદી સુખ મળશે નહિ. જેઓ મને પ્રિય આ પુરૂષોત્તમ માસને ‘મળમાસ’ ગણી તેનો તિરસ્કાર કરશે અને ધર્મ આચરશે નહિ તેઓ અધમ નર્કવાસી બનશે અને કુંભીપાક નામના નરકમાં પડશે.”


“ઉત્તમ ભાગ્યશાળી જે સ્ત્રીઓ પુત્ર સુખ તથા સૌભાગ્ય માટે પુરૂષોત્તમ માસમાં સ્નાન, દાન તથા પૂજન આદિ કરશે તેઓને હું પોતે જ સૌભાગ્ય, સંપત્તિ, સુખ તથા પુત્ર આપનારો થઈશ.”


પણ જેઓ પુરૂષોત્તમ માસનો અનાદર કરશે તેઓને સ્વામી સુખ, ભાઈ-પુત્ર તથા ધનનું સુખ સ્વપ્નમાં પણ પ્રાપ્ત નહીં થાય. માટે બધા લોકોએ આ માસમાં સ્નાન-પૂજા તથા જપ આદિ વધારે કરવા અને શક્તિ અનુસાર દાન દેવું. જે મનુષ્ય આ પુરૂષોત્તમ માસમાં ભક્તિથી મારું પૂજન કરશે તે ધન તથા પુત્રનું સુખ ભોગવી મરણ પછી ગોલોકમાં વાસ પ્રાપ્ત કરશે.
“મેં આ માસને સર્વ મહિનાઓમાં ઉત્તમ કર્યો છે. માટે હે લક્ષ્મીવર ! તમે આ અધિક માસની ચિંતા છોડી દઈ આ પુરૂષોત્તમ માસને સાથે લઈ તમારા શ્રેષ્ઠ વૈકુંઠધામમાં જાઓ ! “


શ્રીકૃષ્ણ ભગવાનનું એ રસિક વચન સાંભળી વિષ્ણુએ મેઘ જેવી કાંતિવાળા શ્રીકૃષ્ણને પ્રણામ કર્યા અને પછી અતિશય આનંદપૂર્વક એ પુરૂષોત્તમ માસને સાથે લઈ જલદી ગરુડ પર બેસી પોતાના વૈકુંઠ ધામમાં તે પધાર્યા. અને તે દિવસથી મળમાસ “ પવિત્ર પુરૂષોત્તમ માસ” ના નામે ઓળખાવા લાગ્યો.


“ શ્રી બૃહન્નારદીય પુરાણ” ના પુરૂષોત્તમ માહાત્મ્યનો


“મળમાસને ઐશ્વર્યની પ્રાપ્તિ” નામનો સાતમો અધ્યાય સંપૂર્ણ.


વનડિયાની વાર્તા


સોનપુર નામનું એક નગર હતું. નગરમાં એક કન્યા રહે. એનું નામ ‘સોનબાઈ’. આ સોનબાઈને સાત ભાઈ અને સાત ભાભી. સાત ભાઈની એકની એક બહેન એટલે લાડકી. એવી કે એનો પડ્યો બોલ ઝીલે. ભાભીઓ એને કાંઈ જ કામ ન કરવા દે. એટલે આખો દિવસ નવરી ને નવરી. રસોઈ થાય એટલે જમી લે. પથારી થાય એટલે સૂઈ જાય. સોનબાઈ જેવી રૂપવાન એવી જ ગુણવાન અને એવી જ ધાર્મિક. સવાર-સાંજ દેવદર્શન જાય, દાન-પુણ્ય કરે અને ભજન-ભક્તિમાં લીન રહે. વ્રતેયકરે અને ઉપવાસેય કરે. કથાવાર્તાય સાંભળે ને ધરમ-ધ્યાનેય કરે.


ગીતાજી માં કહેલા શ્રી વિષ્ણુ ભગવાન ૧૦૮ નામ


એવામાં અધિક માસ આવ્યો. પાવન પુરૂષોત્તમમાસ… જીવનનાં પાપ ધોઈ નાખવાનો પુણ્ય અવસર. સાતેય ભાભીઓએ વ્રત આદર્યા. સોનબાઈએ પણ વ્રત આદર્યું. ભાભીની સાથે જ નદીએ જઈ માથાબોળ સ્નાન કરે અને હાથમાં અક્ષત લઈ વાર્તા સાંભળે.


આમ કરતા મહિનો પૂર્ણ થયો. એકમનો દિવસ આવ્યો. સાતેય ભાભી સોનબાઈને કહેવા લાગી કે “નણંદબા રે નણંદબા, ચાલો, વનડિયાની વાર્તા સાંભળવા. જેણે વ્રત કર્યું હોય એણે વનડિયાની વાર્તા સાંભળવી જ પડે, નહીંતર વનડિયો નડે.” આ સાંભળીને સોનબાઈ બોલી કે “ના રે બાઈ, ના, મારે તો મારો પ્રભુ ભલો ને હું ભલી. ગુણ ગાઉં તો એક મારા ભગવાનના… બીજા કોઈની કથાયે ન સાંભળું ને વાર્તાયે ન સાંભળુ. મારે તો કાઈ પાપમાં પડવું નથી.”


ભાભીઓ સોનબાઈને બહુ સમજાવે છે, પણ સોનબાઈ માનતી નથી. આ જોઈને વનડિયાના ક્રોધનો પાર ના રહ્યો. આ તો વનડિયો દેવ. કોપે તો દાટ વાળી દે અને રીઝે તો રાજ આપી દે. કનડે તો એવો કનડે કે ભલભલા સીધા દોર થઈ જાય. વનડિયાએ નક્કી કર્યું કે આ કુંવારી કન્યાના કપાળે એવું કલંક લગાડવું કે એનું જીવતર હરામ થઈ જાય.


દિવસ આથમ્યો ને રાત પડી. સોનબાઈ પથારીમાં સૂતાં છે, ત્યારે વનડિયો વેર વાળવા આવી ગયો. એણે ભમરાનું રૂપ લીધું અને બારણાની તિરાડમાંથી અંદર પ્રવેશ્યો. પછી એણે રૂપરૂપના અંબાર જેવા રાજકુમારનું રૂપા ધર્યું. અબીલ છાંટ્યાં… ગુલાલ છાંટ્યાં… અત્તર છાંટ્યાં… અને ગુલાબના ફૂલ પાથર્યા… એવી સ્થિતિ ઊભી કરી દીધી કે કુંવારી કન્યાને તો ધરતી માર્ગ આપે તો સમાઈ જવાની ઈચ્છા થઈ જાય.
સવાર પડતાં જ નાની ભાભી સોનબાઈને જગાડવા આવી. અંદર પગ મૂકતાં જ એની તો આંખ ફાટી ગઈ. એને તો ખાત્રી થઈ ગઈ કે નક્કી નણંદબા રાતે કોઈની સાથે રંગરાગ ખેલે છે. એ તો દોડતી ગઈ જેઠાણી પાસે. જઈને બધી વાત કરી. પાંપણના પલકારે આખાય ઘરમાં ખબર પડી ગઈ અને સોનબાઈને બધાં ફીટકાર આપવા લાગ્યા.


આવી વાત તો પાંખ વગરના પંખી જેવી ગણાય. વા વાત લઈ જાય… સાંજ પડતાં તો આખા ગામમાં વાત ફેલાઈ ગઈ અને બધાય સોનબાઈના નામ પર થું… થું… કરવા લાગ્યા.


આ તો હજાર મોઢાવાળું જગત કહેવાય. આમેય બોલે ને તેમેય બોલે, સતી સીતાને કલંક લગાડે. સાતેય વહુઓ એક થઈ ગઈ અને પોતપોતાના ધણીને વાત કરી. વાતમાં સારીપેઠે મીઠું મરચું ભભરાવ્યું. આ તો આખા કુળનું નાક જાય એવી વાત. સાતેયની આંખોમાં આગ વરસવા લાગી. ગયા બહેન પાસે અને ત્રાડા પાડીકે “સાચુંબોલી નાખ. કોણ છે તારી પાસે આવનાર ? નામ જણાવ એનું ! નહીંતર ધડથી માથું જુદું થઈ જશે.”


ગાયને એક વસ્તુ ખવડાવવાથી 24 કલાક મા સવૅ મનોકામના પૂણૅ થાય  સાથે ઈચ્છાપૂર્તિ થાય


બિચારી સોનબાઈ તો સાવ નિર્દોષ હતી. એણે માથે હાથ મૂકીને કહ્યું : “મારા પ્રભુના સોગંધ. સપનેય મેં પુરૂષનો વિચાર કર્યો હોય તો અત્યારે જ મારો જીવ નીકળી જાય. જો વિશ્વાસ ન આવતો હોય તો ખુશીથી મારું માથું ઉતારી લો.”


ભાઈઓ વિચાર કરવા લાગ્યા કે હવે શું કરવું ? સાંભળેલી વાત પર વિશ્વાસ કરવો કે ન કરવો? ખાત્રી કર્યા વગર બેનની હત્યા કરીએ તો તો નરકે જવું પડે. પહેલાં વાતની ખાત્રી તો કરવી જ પડે. સાતેય ભાઈઓએ રાત આખી જાગીને ઉઘાડી તલવારે ચોકી કરવાનું નક્કી કર્યું.


મધરાત થઈ. સાતેય ભાઈઓ ઉઘાડી તલવારે આંટા મારે છે. અંદર સોનબાઈ ઘસઘસાટ ઊંઘે છે. મધરાત થતાં જ વનડિયો ભ્રમરનું રૂપ લઈનેઆવ્યો અને અબીલ-ગુલાલ છાંટીને ગુલાબના ફૂલ પાથરવા લાગ્યો. ગુલાબની મહેક આવતાં જ સાતેય ભાઈઓએ તિરાડમાંથી અંદર જોયું. રૂપાળા રાજકુંવરને જોતાં જ પાટું મારીને બારણું તોડી નાખ્યું અને વનડિયા સામે તલવાર ઉગામીને પૂછવા લાગ્યા કે “ કોણ છે તું ? માનવ છે કે દાનવ છે ? ગંધર્વ છે કે કિન્નર છે ? યક્ષ છે કે દેવ છે ? જલ્દી બોલ, નહીંતર તલવારના એક ઘાએ માથું જુદું થઈ જાશે.”


આ સાંભળીને વનડિયો હસીને બોલ્યો કે “મારું નામ વનડિયો દેવ… શસ્ત્ર મને મારી ન શકે. શસ્ત્રો મારો વાળ પણ વાંકો ન કરી શકે. રીઝું તો રાજ આપું અને ખીજાઉં તો ખેદાનમેદાન કરી નાખું. તમારી બહેને મારી વાર્તા સાંભળવાની ના પાડી એટલે વેર વાળવા આવ્યો છું.”


આ સાંભળીને સાતેય ભાઈઓ ઠંડાગાર થઈ ગયા અને વિનયથી પૂછવા લાગ્યા કે “હે દેવ ! શો ઉપાય કરીએ તો તમે પ્રસન્ન થાઓ ?”


ત્યારે વનડિયો બોલ્યો કે “એક ઉપાય છે, જો સોનબાઈ વાડને પાડુ, પાળને પુરી, લહેરને લાડુ અને રંકને રોટલો આપ્યા પછી ભક્તિભાવ પૂર્વક મારી વાર્તા સાંભળે તો અવશ્ય દોષમુક્ત થાય…”


“હે વનડિયા દેવ ! અમારી બેન તમે કહેશો એ પ્રમાણે જરૂર કરશે, પણ એના કપાળે જે કલંક લાગ્યું છે એ કેમ કરીને દૂર થાય ? ગામના મોંઢે ગળણું કઈ રીતે બાંધવું ?”


“એનોય ઉપાય છે” વનડિયો બોલ્યો : “ નગરના રાજાએ કુળદેવીનું શિખરબદ્ધ મંદિર બનાવરાવ્યું છે. એના પર સુવર્ણનો કળશ ચઢાવવાનો છે. આ કળશ સતી સ્ત્રી વગર કોઈ ચઢાવી ન શકે. રાજા ઢંઢેરો પીટાવીનેસતીને બોલાવશે ત્યારે સોનબાઈને મોકલજો. સોનબાઈ કળશ ચઢાવશે એટલે એના સતનું આખા ગામને પ્રમાણ મળી જશે. સત્યનું તેજ ઝળહળશે અને કલંકની કાલિમા દૂર થશે.”


સાતેય ભાઈઓએ વનડિયાને મસ્તક નમાવીને પ્રણામ કર્યા. વનડિયો હસતો હસતો અંતર્ધ્યાન થઈ ગયો.


સવાર પડી એટલે સોનબાઈએ વનડિયાના કહેવા પ્રમાણે વાડને પાડુ, પાળને પુરી, લહેરને લાડુ અને રંકને રોટલો આપ્યો. પછી અત્યંત ભક્તિભાવથી વનડિયાની વાર્તા સાંભળી, તત્કાળ એ વનડિયાના દોષમાંથી મુક્તિને પામી.


કાંઠા ગોરમાં ની વાતૉ શ્રી પુરૂષોત્તમ કથા પ્રથમ અધ્યાય 


આ બાજુ મંદિરનું કાર્ય પૂર્ણ થતાં જ રાજાએ રાજ જ્યોતિષીને તેડાવ્યા અને પૂછવા લાગ્યા કે “હે મહારાજ! મંદિરનો કળશ ચઢાવવાનો છે તો એ માટે શું કરવું એ કૃપા કરીને કહો.”


રાજ જ્યોતિષીએ શાસ્ત્રમાં ગ્રહ નક્ષત્ર અને તિથિ-વાર જોયાં. પછી કહ્યું કે : “હે રાજન ! કળશ તો સતી સ્ત્રીના હાથે જ ચઢે, જે સ્ત્રી વાવમાંથી કાચા સૂતરના તાંતણે ચાળણીમાં નીર સિંચે અને એ જળ સુવર્ણ કળશને છાંટીને કળશને સ્પર્શ કરે તો કળશ આપોઆપ ચઢી જાય. પણ હે રાજન ! આ જગતમાં આવી સતી સ્ત્રી મળવી દુર્લભ છે. છતાં ઢંઢેરો પિટાવી જુઓ, કુળદેવીની કૃપા હશે તો અવશ્ય કોઈ સતી મળી જશે.”


તત્કાળ રાજાએ ઢંઢેરો પિટાવ્યો. ઢંઢેરો સાંભળીને બધી સ્ત્રીઓ એકબીજાનાં મોં સામે જોવા લાગી. આ તો સતનાં પારખાં કહેવાય. હસતા મુખે અગ્નિ પરીક્ષા આપવાની. જો કળશ ન ચઢે તો ગામ આખામાં ફજેતો થાય.


આ બાજુ સોનબાઈ  સાતેય ભાઈ-ભાભીઓ સાથે દરબારમાં આવી અને રાજાને કહેવા લાગી કે “ હું કળશ ચઢાવીને મારા સતીત્વનું પ્રમાણ આપીશ.” એની વાત સાંભળીને દરબારીઓ ખડખડાટ હસવા લાગ્યા પણ સોનબાઈ દ્ર્ઢ રહી.


બીજા દિવસે સોનબાઈનો ફજેતો અને તમાશો જોવા આખું નગર ભેગું થયું. બધા તાળી દઈ દઈને વાતો કરતા હતા કે આજ સોનબાઈના સતીત્વની પોલ ખુલી જશે. એનો ફજેતો થશે.


સોનબાઈએ પ્રભુનું સ્મરણ કર્યું અને વનડિયા દેવનું નામ લઈને ચાળણી સાથે કાચા સૂતરનો દોરો બાંધીને વાવમાં નાખી અને નીર સિંચવા લાગી. જોનાર તો અવાક થઈ ગયા. બધાની આંખો ફાટી ગઈ. સોનબાઈના સતીત્વનો જય જયકાર થવા લાગ્યો. સોનબાઈએ ચાળણીમાંથી જળ લઈને કળશ પર છાંટ્યું અને જમણા હાથ વડે સ્પર્શ કર્યો, તત્કાળ કળશ સડસડાટ કરતો શિખર પર ચડી ગયો.


આખું નગર સોનબાઈના ગુણગાન ગાવા લાગ્યું. સત્યનો જય જયકાર થવા લાગ્યો. સોનબાઈ સાતેય ભાભીઓ સાથે મળીને ગાવા લાગી :


વનડિયા તું વનડીશ મા;
ભાઈની બેનને કનડીશ મા;
કુડા કલંક ચઢાવીશ મા;
સતમાં વહેમ જગાડીશ મા;
રીઝે તો તું આપતો રાજ;
બગડેલાં સુધારતો કાજ;
તું ખિજાય તો વાળે દાટ;
ચો દિશ ગુંજે તારી હાક;
તારો વાસ પ્રભુની પાસ;
અમે તારા ચરણોના દાસ;
પુણ્ય ફળ્યાને પાતક ટળિયાં;
પુરૂષોત્તમ પ્રભુ આવી મળિયા.


          હે વનડિયા દેવ ! તમે જેવા સોનબાઈને ફળ્યા, એવા તમારી વાર્તા સાંભળનાર સૌને ફળજો.
|| જય વનડિયા દેવ ||


""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે  

 

સંતાન ગણપતિ સ્તોત્રમ્ ગુજરાતી લખાણ સાથે     

 

 "" શ્રી વિષ્ણુ ચાલીસા ""  ગુજરાતી લખાણ સાથે  

 

 """ શ્રી વિષ્ણુ સ્તુતિ """ ગુજરાતી લખાણ સાથે    

 

 """ શ્રી વિષ્ણ્વષ્ટકમ્   """ ગુજરાતી લખાણ સાથે  


 આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત 

 

દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી 


 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇