રવિવાર, 23 જુલાઈ, 2023

પુરુષોત્તમ માસ કથા અધ્યાય છઠ્ઠો | Purushottam Maas Katha Adhyay 6 in Gujarati | Adhyay 6 | | Adhik Mass 2023 | Okhaharan |

પુરુષોત્તમ માસ કથા અધ્યાય છઠ્ઠો |  Purushottam Maas Katha Adhyay 6 in Gujarati  | Adhyay 6 | | Adhik Mass 2023 | Okhaharan | 


purushottam-maas-katha-adhyay-6-in-gujarati
purushottam-maas-katha-adhyay-6-in-gujarati



શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂ આપણા ગુજરાતી ભક્તિ લેખમાં આજે આપણે જાણીશું પુરૂષોત્તમ માસની કથા અધ્યાય છઠ્ઠો પ્રભુ વિષ્ણુંની વિનંતી અને અમૃત ધારા જે વાતૉ કહેવાય ધનબાઈ મનબાઈની  વાર્તા.

પુરુષોત્તમ માસ કથા અધ્યાય પાચમો 


પ્રભુ વિષ્ણુંની વિનંતી


નારદ બોલ્યાં : “હે નિર્દોષ નારાયણ ! વૈકુંઠના અધિપતિ વિષ્ણુ ભગવાને ગોલોકમાં જઈ શું કર્યું હતું ? એ સાંભળવાનીમને ઈચ્છા છે તો કૃપા કરીને તે મને કહો.”


શ્રી નારાયણ બોલ્યાં : “હે નારદ ! વિષ્ણુ ભગવાન અધિક માસની સાથે ગોલોકમાં ગયા, ત્યાં જે બન્યું હતું  તે તમને કહું છું તે સાંભળો : “એ ગોલોકની વચ્ચે શ્રીકૃષ્ણ ભગવાનનું મંદિર છે. તે મણિમય થાંભલાઓથી શોભતું છે. શ્રી વિષ્ણુ ભગવાને તે દૂરથી જોયું, એના તેજથી અંજાઈ આંખો બંધ થઈ જવા લાગી. ધીમે ધીમે આંખો ઉઘાડી, ધીમા પગલે તે આગળ ચાલ્યા. અધિક માસને પાછળ રાખ્યો હતો. ભગવાનના મંદિરે પહોંચી અધિક માસ આનંદયુક્ત થયો. અંદર જઈને વિષ્ણુએ તરત જ શ્રીકૃષ્ણને નમસ્કાર કર્યા. લક્ષ્મીપતિ વિષ્ણુ ભગવાને બંને હાથ જોડી સ્તુતિ કરી.
શ્રી વિષ્ણુ બોલ્યાં : “વ્યાપક ગુણોથી પર, ભક્તો સમક્ષ પ્રગટ થનારા અને ગોવાળનો વેશ ધારણ કરતા આપ ગોવિંદને હું વંદન કરું છું. આપ વૃંદાવનની વચ્ચે રાસમંડળમાં રહો છો. આપની સુંદર આકૃતિ ત્રણે ઠેકાણે વાંકી ઊભેલી જણાય છે. આપ બે ભુજાવાળા, હાથમાં મુરલી ધારણ કરનાર તથા પીળાં વસ્ત્રો પહેરો છો. આપ અચ્યુત ભગવાનને હું વંદન કરું છું.” એમ સ્તુતિ કરી વિષ્ણુ ભગવાન શ્રીકૃષ્ણ પ્રભુની આજ્ઞાથી એમના પાર્ષદો દ્વારા સત્કાર પામી સિંહાસન પર બેઠા.


શ્રી પુરૂષોતમ સ્ત્રોત ગુજરાતી લખાણ સાથે


શ્રી નારાયણ બોલ્યાં : “હે નારદ ! શ્રી વિષ્ણુ ભગવાને કરેલ ઉપર્યુક્ત શ્રીકૃષ્ણ  સ્તોત્રનો પ્રાત:કાળે ઊઠીને જે પાઠ કરે છે, તેનાં સર્વે પાપો નાશ પામે છે, અપકીર્તિ નાશ પામે છે અને લાંબા કાળ સુધી સત્કીર્તિ રહે છે અને તે જીવનપર્યંત સુખ-સંપત્તિથી સમૃદ્ધ રહે છે.


શ્રી વિષ્ણુએ ત્યાં બેઠા પછી એ અધિક માસને શ્રીકૃષ્ણના ચરણકમળમાં નમન કરાવ્યું. તે વખતે શ્રીકૃષ્ણે પૂછ્યુંકે ”આ કોણ છે ? એ કેમ રડે છે ? ગોલોકમાં વસનારા બધાયે સદા આનંદથી વ્યાપ્ત રહે છે. છતાં હે લક્ષ્મીપતિ ! એને એવું તે ક્યું દુ:ખ છે કે તેની આંખોમાંથી આંસુઓ વહી રહ્યાં છે અને તે ધ્રુજીરહ્યો છે.”


નવા મેઘમંડળ જેવા મનોહર શ્રી ગોલોકનાથ શ્રીકૃષ્ણનું વચન સાંભળી સિંહાસન પરથી ઊભા થઈ શ્રી વિષ્ણુએ મળમાસનું સમગ્ર દુ:ખ કહેવા માંડ્યું.


શ્રી વિષ્ણુ બોલ્યાં : “હે વૃંદાવનને આનંદિત કરવામાં ચંદ્ર સમાન શ્રીકૃષ્ણ ! આપની સમક્ષ આ અધિકમાસનું દુ:ખ હું કહું છું. એ સ્વામી વગરનો છે, એને કોઈ અધિષ્ઠાતા નથી. બારે મહિનાઓએ, તિથિઓ, કાષ્ઠાઓ તથા લવ વગેરે કાળ અંશોએ આને તિરસ્કાર્યો છે. સર્વેપ્રાણીઓ, વનસ્પતિઓ, નદી-નાળા, સરોવરોવગેરે એને ધિક્કારે છે. આ સૂર્યની સંક્રાંતિથી રહિત છે અને આ નધણિયાતો મલિન મળમાસ સદા શુભ કર્મમાં ત્યાજ્યછે અને આ મહિનામાં સ્નાન કરવું નહીં તેવું સર્વ સ્વામીના ગર્વવાળા કહે છે અને તેને તિરસ્કારે છે. આથી તે મરવા તૈયાર થયો, પણ બીજાઓએ તેને મારી પાસે મોકલ્યોછે. તેથી આમારે શરણે આવ્યો છે. ખરેખર આનું દુ:ખ દૂર કરવું અશક્ય છે. આપનાં ચરણકમળને શરણે આવેલો કોઈ પ્રાણી કદી શોક કરતો નથી એ વચન મિથ્યા કેમ થાય? હું સર્વનો  ત્યાગ કરી અહીં આપની પાસે આવ્યો છું તો મારું આવવું સફળ કરો.” એમ પરમાત્માને વિનંતી કરી શ્રી વિષ્ણુ, ભગવાન શ્રીકૃષ્ણના મુખકમળને જોતાં એમની સાથે ઊભા રહ્યા.


 સાંભળવા ઉત્સુક બનેલા શૌનકાદિ વગેરે ઋષિઓ બોલ્યા : “ હે સૂતજી ! તમે ભગવતકથાનું દાન કરનાર છો. તે પછી ગોલોકવાસી શ્રીકૃષ્ણે શું કહ્યું હતું અને શું કર્યું હતું તે કહો. શ્રી વિષ્ણુ તથા શ્રીકૃષ્ણનો આ સંવાદ સર્વ લોકોનો ઉદ્ધાર કરનાર છે. હે સૂત ! બ્રહ્માના પુત્ર નારદજીએ ઋષિઓના ઈશ્વર શ્રી નારાયણને શું પૂછ્યું હતું તે કહો. એ નારદમુનિ ભગવાનના મહાન ભક્ત છે તેથી તેમનું એ પ્રશ્નવચન ઉત્તમ ઔષધ રૂપ જ કહેવું જોઈએ.”


“ શ્રી બૃહન્નારદીય પુરાણ” ના પુરૂષોત્તમ માહાત્મ્યનો
“પ્રભુ વિષ્ણુંની વિનંતી” નામનો છઠ્ઠો અધ્યાય સંપૂર્ણ.
 
ધનબાઈ મનબાઈની વાર્તા


ગીતાજી માં કહેલા શ્રી વિષ્ણુ ભગવાન ૧૦૮ નામ


ધારાનગરીમાં રાજા ભોજનું રાજ તપે. રાજા ઘણો દાની અને પ્રજાવત્સલ. પ્રજાના દુ:ખે દુ:ખી અને સુખે સુખી થાય એવો. આ નગરીમાં ધનબાઈ અને મનબાઈ નામની એ બાઈઓ રહે. બંને પડોશણ. સાથે જ વ્રત-તપ કરે. ધર્મ-ધ્યાન ધરે. એવામાં પુરૂષોત્તમ માસ આવ્યો. ધનબાઈ-મનબાઈએ વ્રત લીધાં. બંને રોજ ક્ષિપ્રા નદીમાં સ્નાન કરવા જાય. નાહીને પ્રાર્થના કરે. ધનબાઈ નાહીને બોલે કે “મને ફળજો ભોજ ભુપાળ.” જ્યારે મનબાઈ એમ બોલે કે “મને ફળજો નંદગોપાળ.”


એક વાર રાજની દાસી સ્નાન કરવા આવી. એણે ધનબાઈ-મનબાઈની પ્રાર્થના સાંભળી.જઈને રાજાને વાત કરી. રાજા ભોજને નવાઈ લાગી. બીજા દિવસે વેશપલટો કરીને જાતે નદીએ આવ્યો અને વાતની ખાત્રી કરી.
રાજા ભોજે નક્કી કર્યં કે નાહીને મારું સ્મરણ કરતી બાઈનું દારિદ્રય દૂર કરું તો જ હું રાજા સાચો. એણે તો તરત સેવકોમોકલી ધનબાઈને દરબારમાં તેડાવી. ધનબાઈ તો રાજીના રેડ થઈ ગઈ. હરખનો પાર ના રહ્યો. નક્કી દયાળુ રાજા સોનામહોર અને હીરામાણેક આપશે.


ધનબાઈ તો આવી દરબારમાં અને હાથ જોડીને ઊભી રહી. રાજા ભોજે એને અધમણનું કોળું આપ્યું. ધનબાઈની ભોંઠપનો પાર ના રહ્યો. એ તો મોટી આશા લઈને આવી હતી અને મળ્યું અધમણનું કોળું. આખા મહિનાની મહેનત માથે પડી. ફળિયામાં બધા જાણશે તો હાંસી કરશે એવા ડરથી ધનબાઈએ કોળું ચાર આનામાં કાછિયાને વેચી દીધું અને ઘરભેગી થઈ ગઈ.


આ બાજુ ધનબાઈ ગઈ અને મનબાઈ કાછિયાને ત્યાં આવી. મોટું કોળું જોઈને વિચાર કર્યો કે કોળું જ લઈ જાઉં. ફળિયાના છોકરા ખાશે તો રાજી થશે. એ તો છ આના આપીને કોળું લઈ ગઈ. છરીને લઈને જ્યાં કોળું કાપ્યું ત્યાં તો ખ…ણ…ણ કરતી હજાર સોનામહોર પડી. મનબાઈ તો રાજી રાજી થઈ ગઈ. નક્કી આ પુરૂષોત્તમ પ્રભુની જ કૃપા.


મનબાઈએ પાંચ સોનામહોર વટાવીને સીધું-સામાન ખરીદ્યાં. એકસો એક બ્રાહ્મણને નોતરી દીધા. જમાડીને મોં માગી દક્ષિણા દીધી. બ્રાહ્મણો તો મનબાઈનો જય જયકાર કરવા લાગ્યા. આ જય જયકાર વેશપલટો કરીને તમાશો જોવા આવેલા રાજા ભોજે સાંભળ્યો. ધનબાઈને બદલે મનબાઈનો જય જયકાર સાંભળીને એને નવાઈ લાગી.


ગાયને એક વસ્તુ ખવડાવવાથી 24 કલાક મા સવૅ મનોકામના પૂણૅ થાય  સાથે ઈચ્છાપૂર્તિ થાય


તપાસ કરતા જાણવા મળ્યું કે ધનબાઈએ તો કોળું ચાર આનામાં વેચી દીધું હતું. રાજા સમજી ગયો કે જેના ભાગ્યમાં ના હોય એને ભૂપ પણ ન આપી શકે.


ધનબાઈને આ વાતની ખબર પડી ત્યારે એની આંખ ઉઘડી ગઈ. ભગવાનને ભૂલીને ભૂપ ભજ્યા એનું જ આ પરિણામ હતું.


એમ કરતાં બીજો પુરૂષોત્તમ માસ આવ્યો. ત્યારે ધનબાઈએ પૂર્ણ શ્રદ્ધાથીપ્રભુને સેવ્યા. ભગવાનની કૃપા થઈ અને એનું દારિદ્ર ટળ્યું.
અમૃતમાસ અંતરથી ભજે, ધરે પુરૂષોત્તમનું ધ્યાન;


અંતરથી આરાધના કરે, અવશ્ય મળે ભગવાન.


 હે પુરૂષોત્તમ પ્રભુ ! તમે જેવા મનબાઈને ફળ્યા એવા સૌને ફળજો.


કાંઠા ગોરમાં ની વાતૉ શ્રી પુરૂષોત્તમ કથા પ્રથમ અધ્યાય 



""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે  

 

સંતાન ગણપતિ સ્તોત્રમ્ ગુજરાતી લખાણ સાથે     

 

 "" શ્રી વિષ્ણુ ચાલીસા ""  ગુજરાતી લખાણ સાથે  

 

 """ શ્રી વિષ્ણુ સ્તુતિ """ ગુજરાતી લખાણ સાથે    

 

 """ શ્રી વિષ્ણ્વષ્ટકમ્   """ ગુજરાતી લખાણ સાથે  


 આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત 

 

દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી 


 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇


શનિવાર, 22 જુલાઈ, 2023

પુરુષોત્તમ માસ કથા અધ્યાય પાચમો | Purushottam Maas Katha Adhyay 5 in Gujarati | Adhyay 5 | | Adhik Mass 2023 | Okhaharan |

પુરુષોત્તમ માસ કથા અધ્યાય પાચમો |  Purushottam Maas Katha Adhyay 5 in Gujarati  | Adhyay 5 | | Adhik Mass 2023 | Okhaharan | 

purushottam-maas-katha-adhyay-5-in-gujarati
purushottam-maas-katha-adhyay-5-in-gujarati



શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂ આપણા ગુજરાતી ભક્તિ લેખમાં આજે આપણે જાણીશું પુરૂષોત્તમ માસની કથા અધ્યાય પાંચમો શ્રી વિષ્ણુંનું ગોલોકમાં જવું અને અમૃત ધારા જે વાતૉ કહેવાય ભલી ભરવાડણની વાર્તા.

પુરુષોત્તમ માસ કથા અધ્યાય ચોથો 


પુરૂષોત્તમ માસની કથા અધ્યાય પાંચમો શ્રી વિષ્ણુંનું ગોલોકમાં જવું


નારદજીએ પૂછ્યું: “હે મહાભાગ્યશાળી ! મળમાસ ઢળી પડતા પ્રભુએ તેને શું કહ્યું ?”
શ્રી નારાયણ બોલ્યા : “હે નારદ ! મળમાસ બેભાન થઈ ઢળી પડ્યો એટલે શ્રીહરિએ ગરુડને આજ્ઞા કરી. આથી ગરુડ મળમાસને પોતાની પાંખો વડે શીતળ પવન નાખવા લાગ્યો. થોડી વારે કળ વળતાં મળમાસ ભાનમાં આવી ઊભો થયો ને ફરી કહેવા લાગ્યો : “હે પ્રભુ ! મારા ઉપર જે વિપત્તિ આવી પડી છે તેથી મને કાંઈ ગમતું નથી. આવું કષ્ટદાયક અને ઉપહાસ ભરેલું જીવન જીવવા કરતાં મને મૃત્યુ મળે તો હું મુક્તિ પામું.” એમ કહી તે ધ્રુજવા લાગ્યો ને વિલાપ કરવા લાગ્યો.


શ્રી વિષ્ણુએ મળમાસના મસ્તક પર હાથ મૂકી તેને આશ્વાસન આપી શાંત કર્યો અને બોલ્યાં : “હે પુત્ર ! ઊઠ, તારું કલ્યાણ થાઓ. હે નિરિશ્વર ! તારું દુ:ખ દૂર કરવું મને પણ કઠિન લાગે છે.” એમ કહી ક્ષણવાર પ્રભુએ તેના ઉપાયનો વિચાર કર્યા પછી મધુસુદન ભગવાન ફરી બોલ્યા.


“ હે પુત્ર ! તું ગોલોકમાં ચાલ, જ્યાં ગોપીઓના ટોળાની વચ્ચે પુરૂષોત્તમ શ્રીકૃષ્ણ ભગવાન રહે છે. રત્નોના સિંહાસન પર બેસે છે. સ્વર્ગના આધાર છે. પરથી પણ પર છે. ચાલ, આપણે ત્યાં જઈએ. એ તારું દુ:ખ દૂર કરશે.”
એ ગોલોક વિશે તને જણાવું છું. ગોલોક જે અજ્ઞાનરૂપ અંધકારનો નાશ કરનાર છે, જ્ઞાનરૂપી માર્ગ દેખાડવાવાળો છે. જ્યોતિસ્વરૂપ છે. ત્રણે લોક કરતાં સુંદર છે. એની લંબાઈ તથા પહોળાઈ ત્રણ કરોડ યોજનની છે. સર્વ કરતાં ઉત્તમ છે, ત્યાં મનનું કે શરીરનું દુ:ખ નથી અને ઉત્ત્મ રત્નોથી શણગારેલા અસંખ્ય મહેલોથી તે ચોપાસ શોભી રહ્યું છે.


એ ગોલોકની નીચે જમણી બાજુ પચાસ કરોડ યોજનના અંતરે વૈકુંઠલોક છે. અને ડાબી બાજુ તેટલા જ અંતરે શિવલોક છે. ત્યાં બધા વૈષ્ણવો વસે છે. એ બધા સુંદર પીળાં વસ્ત્રો પહેરનારા છે. શંખ, ચક્ર, ગદા અને કમળની શોભાવાળા ચાર બાહુથી યુક્ત છે. ત્યાં બધી સ્ત્રીઓ સુંદર છે. મહાભાગ્યશાળી શંકરના ગણો પણ ત્યાં રહે છે. તેઓ બધા જટાઓ ધારણ કરનાર, સર્પોની જનોઈ પહેરનાર, બધાય ગંગાધારી, શુરા, ત્રણ નેત્રોવાળા તથા જયથી શોભનારા છે.

શ્રી પુરૂષોતમ સ્ત્રોત ગુજરાતી લખાણ સાથે


ગોલોકની વચ્ચે ઘણી જ સુમનોહર જ્યોતિ છે. એ જ્યોતિની અંદર મનોહર સ્વરૂપે કૃષ્ણ બિરાજે છે. એમનો રંગ શ્યામ કમળની પાંખડી જેવો છે. હાથમાં મુરલી ધારણ કરે છે, છાતીમાં શ્રીએ વત્સનું ચિહ્ન છે. રત્નના સિંહાસન પર બિરાજમાન છે અને વનમાળાથી શણગારેલ છે. તેમની ઉંમર કિશોર (આઠ વર્ષની જ કાયમ) જણાય છે,તે ગોવાળનો વેશ ધારણ કરે છે. સર્વનાપ્રભુ છે. રાસમંડળની વચ્ચે બિરાજે છે. સર્વ મંગળોના પણ મંગળ છે. પરમાનંદથી પ્રકાશમાન છે. અવિનાશી તથા અવિકારી છે. નિર્ગુણ તથા નિત્ય સ્વરૂપ છે. આદ્ય પુરૂષ છે. શાંતિપરાયણ અને શાંત એવા તે શ્રીકૃષ્ણનું શાંત વૈષ્ણવો ધ્યાન કરે છે. આમ સર્વોત્કૃષ્ટ સ્વરૂપ ધારણ કરતાં એ જ એક માત્ર ‘પુરૂષોત્તમ ભગવાન’ છે.”


પછી શ્રી વિષ્ણુ ભગવાન એ મળા માસનો હાથ પકડી પોતાના વાહન ગરુડ ઉપર સવાર થઈ ગોલોકમાં ગયા કે જે રજોગુણ રહિત ભક્તોથી વ્યાપ્ત તથા સર્વશ્રેષ્ઠ છે.
“ શ્રી બૃહન્નારદીય પુરાણ” ના પુરૂષોત્તમ માહાત્મ્યનો
“શ્રી વિષ્ણુંનું ગોલોકમાં જવું” નામનો પાંચમો અધ્યાય સંપૂર્ણ.
 
ભલી  ભરવાડણની વાર્તા


ગંગાપુર ગામમાં એક ભલી ભરવાડણ રહે. પાવન પુરૂષોત્તમ માસ આવતાં સૌને વ્રત કરતા જોઈ ભલીને પણ વ્રત કરવાનું મન થયું. એ તો રોજ નદીએ નાહવા જાય. વાર્તા સાંભળે પછી આખો દિવસ બકરા ચારે અને ભગવાનનું નામ લે. એમ કરતાં ઉજવણાનો દિવસ આવ્યો. ભલી તો ઘણી ગરીબ. પહેરવા માટે વસ્ત્રોની બીજી જોડ નહિ અને ઘરમાં ખાવા લોટ નહિ ત્યાં જમાડે શું અને દાન શાનું કરે ?


ભલી તો મુંઝાણી ! બ્રાહ્મણ તો જમાડવાજ પડે. એ તો ગઈ બ્રાહ્મણને નોતરું દેવા. જઈને કહ્યું કે જુવારની ઘેંસ અને ખાટી છાશ જમવા પધારજો. બ્રાહ્મણ તો મોં બગાડવા લાગ્યા. લચપચતા લાડુ છોડીને ઘેંસ ખાવા કોણ આવે ? ગામમાં કોઈ બ્રાહ્મણે હા ન પાડી. ભલી તો નિરાશ થઈને રડવા લાગી.


ત્યારે ગોલોકમાં બિરાજેલા પુરૂષોત્તમ પ્રભુને ચિંતા થઈ. ભલીનું વ્રત અધૂરું રહે તો ભગવાનની લાજ જાય. પ્રભુ તો બાર વર્ષના બટુકનું રૂપ ધારણ કરીને આવ્યા ભલી પાસે અને કહેવા લાગ્યા :”માજી રડો છો શું કામ ? હું ય બ્રાહ્મણ છું. મને સીધુ આપી દો. હું જાતે રાંધીને જમી લઈશ.”


ગીતાજી માં કહેલા શ્રી વિષ્ણુ ભગવાન ૧૦૮ નામ


ભલી તો રાજીના રેડ થઈ ગઈ. તરત સીધું આપ્યું. પ્રભુએ ઘડીક વારમાં રાંધી નાખ્યું. જમી પરવારીને વિદાય માંગી. ભલી છેક પાદર સુધી વળાવવા આવી. પાદરે આંબળાનું ઝાડ હતું. પ્રભુ એ ઝાડ પર ચઢી ગયા અને આંબળા પાડવા લાગ્યા. કહ્યું : “માજી ! આંબળાની ગાંસડી બાંધીને ઘેર લઈ જાઓ. તમારું દારિદ્રય ટળી જશે.”
ભલીએ ગાંસડી બાંધી અને જ્યાં ઊંચે નજર કરી ત્યાં તો પ્રભુ ન મળે. ભલી તો ભગવાનની લીલાનો મહિમા ગાતી ઘેર આવી. ભૂખ કકડીને લાગી હતી. ખાવા બેઠી પણ જોયું તો ઘેંસ ગાયબ અને તેની જગ્યાએ બત્રીસ પકવાન પડ્યાં છે.”


ભલી તો અચંબામાં પડી ગઈ. ત્યાં જ એની નજર આંબળાની ગાંસડી પર પડી. એમાં અજવાળું જોઈ ગાંસડી ખોલી તો આંબળાં સોનાનાં થઈ ગયાં છે. ભલી સમજી ગઈ કે સાક્ષાત પ્રભુજી પોતેજ પધાર્યા હતા. ભલી તો વલોપાત કરવા લાગી. અરેરે, હું કેવી અભાગણી છું ! પ્રભુ મારા ઘેર પધાર્યા અને હું ઓળખી ન શકી. મેં પ્રભુના ચરણ પણ ન ધોયાં.મારો તો અવતાર એળે ગયો. હવે તો પ્રભુ દર્શન દે તો જ અન્ન-જળ લેવાં.


ભલીએ અન્નજળનો ત્યાગ કર્યો. ભલીનો દ્રઢ સંકલ્પ જોઈ પ્રભુ તરત દોડી આવ્યા અને ભલીને દર્શન આપ્યાં. ભલીનો અવતાર ધન્ય થઈ ગયો.


ભગવાન ભૂખ્યા ભાવના તણા, ન માંગે મિષ્ટાન પકવાન,
શ્રદ્ધા થકી જે કોઈ ભજે, તેને આપે દર્શનનાં દાન,
વિદૂર ઘેર ભાજી જમે છે, છોડે દુર્યોધનનાં મિષ્ટાન,
ભક્તની ભીડ ભાંગે ભૂદરો, કાયા થાય કુરબાન.


ગાયને એક વસ્તુ ખવડાવવાથી 24 કલાક મા સવૅ મનોકામના પૂણૅ થાય  સાથે ઈચ્છાપૂર્તિ થાય


          હે પુરૂષોત્તમ નાથ ! તમે જેવા ભલી ભરવાડણને ફળ્યા એવા સૌ ભાવિકને ફળજો.


 કાંઠા ગોરમાં ની વાતૉ શ્રી પુરૂષોત્તમ કથા પ્રથમ અધ્યાય 



""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે  

 

સંતાન ગણપતિ સ્તોત્રમ્ ગુજરાતી લખાણ સાથે     

 

 "" શ્રી વિષ્ણુ ચાલીસા ""  ગુજરાતી લખાણ સાથે  

 

 """ શ્રી વિષ્ણુ સ્તુતિ """ ગુજરાતી લખાણ સાથે    

 

 """ શ્રી વિષ્ણ્વષ્ટકમ્   """ ગુજરાતી લખાણ સાથે  


 આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત 

 

દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી 


 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇


શુક્રવાર, 21 જુલાઈ, 2023

પુરુષોત્તમ માસ કથા અધ્યાય ચોથો | Purushottam Maas Katha Adhyay 4 in Gujarati | Adhyay 4 | | Adhik Mass 2023 | Okhaharan |

પુરુષોત્તમ માસ કથા અધ્યાય ચોથો |  Purushottam Maas Katha Adhyay 4 in Gujarati  | Adhyay 4 | | Adhik Mass 2023 | Okhaharan | 


purushottam-maas-katha-adhyay-4-in-gujarati
purushottam-maas-katha-adhyay-4-in-gujarati


શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂ આપણા ગુજરાતી ભક્તિ લેખમાં આજે આપણે જાણીશું પુરૂષોત્તમ માસની કથા અધ્યાય ચોથો : મળમાસની પ્રભુપ્રાર્થના અને અમૃત ધારા જે વાતૉ કહેવાય મુગ્ધાની કથા.


પુરૂષોતમ માસ નિત્ય કરવામાં આવતો શ્રી પુરૂષોતમ સ્ત્રોત ગુજરાતી લખાણ સાથે


શ્રી નારાયણ બોલ્યા : “ હે નારદ ! લોકોના હિતની ઈચ્છાથી હું કહું છું તે તમે સાંભળો. અધિકમાસે શ્રીહરિની આગળ જે શુભવચન કહ્યું હતું તે આ છે : ‘ હે નાથ ! હે કૃપાના ભંડાર શ્રીહરિ ! હું આપને શરણે આવ્યો છું. મને મલિન ગણી દેવો સહિત સર્વ લોકોએ શુભ કર્મમાં મારો બહિષ્કાર કર્યો છે. મારા ત્રીસ દિવસ દરમ્યાન સૂર્યનું સંક્રમણ ન થવાને કારણે લોકો મને ધિક્કારે છે. સર્વથી તિરસ્કૃત થયેલો હું દુર્ભાગી છું,નિરાધાર છું. મારો કોઈ સ્વામી નથી. માટે આપ મારું રક્ષણ કરો. દુ:શાસનથી દ્રૌપદીનું, યમુનાનાં ઝેરી પાણીથી ગોવાળો તથા પશુનું અને ઝૂંડના મોઢામાંથી ગજેન્દ્રનું આપે જેમ રક્ષણ કર્યું હતું તેમ આજે આપના શરણે આવેલ મારું આપ કેમ રક્ષણકરતા નથી ? કેમ મને દુ:ખરહિત કરતા નથી ?” લક્ષ્મીપતિને એમ વિનંતી કરીને સ્વામી રહિત એ મળમાસ બોલતો બંધ થયો અને આંસું સારતો, પરમેશ્વરની આગળ ઊભો રહ્યો ત્યારે મળમાસને શ્રીહરિ વિષ્ણુએ આ પ્રમાણે કહ્યું :

“ હે વત્સ ! તું અતિશય દુ:ખમાં કેમ ડૂબી ગયો છે ? તારા મનમાં એવું ક્યું મોટું દુ:ખ છે ? શોક ન કર, હું તારો ઉદ્ધાર કરીશ. જેને મહાદુ:ખ હોય તે પણ મારી પાસે આવીને શોક કરતો નથી. આ વૈકુંઠ, શોક તથા વૃદ્ધાવસ્થાથી રહિત આનંદયુક્ત તથા મૃત્યુરહિત છે. છતાં આવા વૈકુંઠધામમાં આવી તું દુ:ખી કેમ થાય છે ? “ હે વત્સ ! તું મરવા કેમ ઈચ્છે છે ? તે હમણાં જ મને કહે.”


અધિક માસ બોલ્યો : “ હે ભગવાન ! આપનાથી કાંઈ ક અજાણ્યું નથી, કેમકે આકાશની પેઠે આખા વિશ્વમાં આપ વ્યાપી રહ્યા છો. સર્વવ્યાપી છતાં નિર્વિકાર અને સર્વ છો. આપ મુજ અભાગીનું દુ:ખ નથી જાણતા ? આપ બધું જાણો જ છો,છતાં મારુંદુ:ખ તમને કહું છું. આવું દુ:ખ આપે સાંભળ્યું નહી હોય અને જોયું પણ નહી હોય, ક્ષણ, લવ, મુહૂર્તો,પખવાડિયાં, મહિના, દિવસો તથા રાત્રિઓ બધા પોતપોતાના સ્વામીઓના અધિકારને લીધે સદા નિર્ભય તથા આનંદિત રહે છે. મારું તો કોઈ નામા નથી, મારો કોઈ સ્વામી નથી અને મારો કોઈ આશ્રય નથી એ કારણે દેવતાઓ સહિત સર્વ લોકોએ મને સારા કામમાંથી દૂર કર્યો છે. મળ માસ હોઈ સત્કર્મોમાં મારો નિષેધ કરાયો છે. આમ, દરેક મારું અપમાન કરે છે તેથી હંમેશા જેમ ખાડામાં પડ્યો રહેતો આંધળૉ માણસ મરવા ઈચ્છે છે તેમા હું પણ મરવા ઈચ્છું છું, મને જીવવાનો ઉત્સાહ રહ્યો નથી. પોતાના જ બંધુ-બાંધવોનો તિરસ્કાર સહન કરી દીન-હીન હાલતમાં જીવવું તેના કરતા મરી જવું વધારે સારું છે. બસ હે મહારાજ ! આથી વધારે કાંઈ પણ મારે  કહેવાનું બાકી રહેતું નથી.”


શ્રી પુરૂષોત્તમ સ્તુતિ ગુજરાતી અથૅ સહીત


“ આપ પારકું દુ:ખ સહન કરતા નથી અને પારકા ઉપર ઉપકાર કરવો એ આપને પ્રિય છે. એવા આપ મનાયા છો. વળી, વેદોમાં તથા પુરાણોમાં આપ ‘પુરૂષોત્તમ’ તરીકે પ્રસિદ્ધિ પામ્યા છો. તો પોતાનો ધર્મ વિચારી આપને શરણેઆવેલા મુજ પર દયા કરો. મારાં કષ્ટોનું નિવારણ કરો.કોઈ મારો તિરસ્કાર ના કરે, મારા સમયમાં શુભ કાર્યો થાય, અને મારો પણ કોઈ અધિષ્ઠાતા થાય તેવી કૃપા કરો. હે દયાળું ! મને આ મરણતુલ્ય કષ્ટથી ઉગારો. હે કરૂણાનિધાન ! મેં મારી વિપદા તમને જણાવી. હવે આપને જે ગમે તે કરો. હું પામર છું,આપ મહાન છો.હવે વારંવાર કહેવાનો અર્થ નથી. હું મરીશ. હવે હું મરીશ જ.”


એમ વારંવાર કહી એ મળમાસ બોલતો બંધ થયો અને પછી હે નારદ ! શ્રીલક્ષ્મીપતિ પ્રભુની સામે મૂર્છા પામી તેમના ચરણોમાં ઢળી પડ્યો. તેને મૂર્છા પામેલો જોઈ આખી સભા વિસ્મય પામી.


અધિક માસ આમ વિરામ પામ્યો એટલે શ્રી વિષ્ણુ ભગવાન અતિશય કૃપાથી વ્યાપ્ત બની પૂનમનાં ચંદ્રકિરણો જેવા શીતળ, શાંત અને મેઘના જેવા ગંભીર અવાજથી આવાં સુંદર વચનો બોલ્યાં.

નૈમિષારણ્યમાં સર્વ મુનિઓને કથા સંભળાવતા સુતપુરાણી બોલ્યાં : “હે મુનિશ્રેષ્ઠો ! સમગ્ર વેદશાસ્ત્રોની સમૃદ્ધિનું શ્રેષ્ઠ આશ્રયસ્થાન શ્રી નારાયણના મુખેથી પાપના સમુદાયરૂપ સમુદ્રનો નાશ કરવામાં વડવાનલ સરખું અને અતિશય શુદ્ધ એવું વચન સાંભળી નારદજીનું મન અતિશય હર્ષ પામ્યું અને પછી હે બ્રાહ્મણો ! એ નારદ મુનિ આદિ પુરૂષ શ્રી વિષ્ણુ ભગવાનનાં વચનો સાંભળવાની ઈચ્છાથી બોલ્યાં.”


“ શ્રી બૃહન્નારદીય પુરાણ” ના પુરૂષોત્તમ માહાત્મ્યનો

“મળમાસની પ્રભુપ્રાર્થના” નામનો ચોથો અધ્યાય સંપૂર્ણ.

 

હવે પતિતપાવન પુરૂષોત્તમ માસની કથાનું રસપાન કરીએ.


મુગ્ધાની કથા


સુંદર અવંતિ નગરીમાં વેદનો પાર પામેલો વિષ્ણુપ્રિય નામે બ્રાહ્મણ રહેતો હતો. તે સર્વ કામોમાં કુશળ, શાંત, શ્રીહરિનું વ્રત કરવામાં મુખ્ય હતો. તેને ત્યાં બે પુત્ર જન્મ્યા હતા. એકનું નામ દેવલ તથા બીજાનું નામ માધવા હતું. એક વખત કાળના યોગે તેઓના પિતા મરણ પામ્યા. તેથી એ બંને ચિંતાતુર થઈ પડ્યા. દેવલની પત્ની રૂપ તથા લાવણ્યથી યુક્ત હતી, તેથી તેનું નામ રૂપવતી રાખવામાં આવ્યું હતું. પણ તે કપટી અને ઈર્ષાળુ હતી.તે મોટી જેઠાણી એટલે કે જેઠની પત્ની હોઈ મુખ્ય અધિકારને પામી હતી. જ્યારે માધવની પત્ની ભલી, ભોળી, દયાળુ, ધાર્મિક વૃત્તિની અને સૌ પર સ્નેહ રાખનારી હતી. તેના સરળ સ્વભાવથી સૌ મુગ્ધ થઈ જતા, તેથી તેનું નામ મુગ્ધા રાખવામાં આવ્યું હતું. બંને ભાઈ સાથે જ રહેતા હતા. ઘણી મહેનત કરવા છતાં ભાગ્ય આડેનું પાંદડું ફર્યું નહી અને તેમના ઘરમાં દારિદ્રય આવ્યું. તેથી બંને ભાઈઓએ આ નગરી છોડી પરદેશ કમાવા જવાનો વિચાર કર્યો.  તેથી સગાવહાલાઓ સાથે ચર્ચા-વિચારણા કરી તેઓ કમાવા માટે પરદેશ જવા તૈયાર થયા.


ગીતાજી માં કહેલા શ્રી વિષ્ણુ ભગવાન ૧૦૮ નામ


તે વખતે દિયર માધવે પોતાના મોટા ભાઈની વહુ રૂપવતીને કહ્યું કે “ભાભી ! મારી ભોળી પત્નીનું નાની બહેનની જેમ રક્ષણ કરજો તથા પોતાની દીકરીની પેઠે તેની સંભાળ રાખજો.કારણકે આ દુરાચારી સંસારથી તે બિલકુલ અજાણ છે, તે નાના બાળક જેવી બુદ્ધિવાળી છે. સારું-નરસું તે જાણતી નથી તો તમારા ઉપર વિશ્વાસ રાખી હું પરદેશ જાઉં છું.”


કપટી રૂપવતીએ સારી રીતે આશ્વાસન આપી દિયરને વિદાય કર્યો.


બંને ભાઈ દ્રવ્યની ઈચ્છાથી પરદેશ ગયા. પાછળથી કપટી રૂપવતીએ પોતાની જાત બતાવતા ભોળી મુગ્ધાને કાઢી મૂકી : “ કમભાગી ! તું મારા ઘરમાંથી દૂર જતી રહે. ઓ અભાગણી ! તારા નસીબ યોગે જ મારો સ્વામી અતિશય દરિદ્રપણું પામ્યો છે. “


એમ કહી તેણે વ્યભિચાર કરવાની ઈચ્છાથી મુગ્ધાને ખૂબ માર મારી ઘરમાંથી કાઢી મૂકી. રોતી કકળતી મુગ્ધા ઘરમાંથી નીકળી ગઈ અને લોકોના ઘરનું કામ કરવા લાગી અને પેટ ભરવા લાગી. એ એટલા સરળ સ્વભાવની હતી કે પોતાને અન્યાય કરનાર રૂપવતીને ઘેર જઈને પણ તે તેનું કામ કરતી. પણ અભિમાની અને વ્યભિચારમાં રત રૂપવતીને તેની કદર ન હતી.


એવામાં પુરૂષોત્તમ મહિનો આવ્યો. લોકોમાં દેખાડો કરવા દંભી રૂપવતી પણ પોતાની સખીઓ સાથે સ્નાન કરવા તૈયાર થઈ. એણે ઘરમાં દેવની સ્થાપના કરી, પૂજા-પાઠ-ઉપવાસ કર્યા. મુગ્ધા આ બધું જોઈ વિસ્મયપામી. તેણે રૂપવતીને કહ્યું “ આ વ્રતમારે લાયક હોય તો મને પણ કહો તેથી હું પણ કરું.” ત્યારે રૂપવતીએ એમ કહી ઉલટો તેનો તિરસ્કાર કર્યો કે “ તું શું વ્રત કરવાની હતી ? તારા પાસે દોકડોય છે નહીં ને તું શું પૂજન-દાન-દક્ષિણા કરવાની હતી. જા નીકળ અહીંથી. ના જોઈ હોય મોટી વ્રત કરવાવાળી !”  આથી દુ:ખી થતી તે ચાલી નીકળી. રસ્તામાં તેને રૂપવતીની સખી ભામિની મળી. મુગ્ધાને નિરાશ અને દુ:ખી જોઈ તે બોલી : “અલી મુગ્ધા ! તને શું દુ:ખ છે તે આટલી ઉદાસ છે ?”

મુગ્ધાએ કહ્યું : “બધાને વ્રત કરતા જોઈ મને પણ વ્રત કરવાની ઈચ્છા થઈ અને તમારી સખીને વ્રત વિશે પૂછ્યું તો તેણે કારણ વિના મારો ઘણો જ તિરસ્કાર કર્યો અને મને ગાળો દીધી. જો હું આવું પવિત્ર વ્રત કરવા માટે લાયક નથી તો મારે જીવીનેશું કામ છે ?


આ સાંભળી કુટિલા ભામિની મુગ્ધાની મુંઝવણ સમજી ગઈ અને તેને હેરાન કરવાના આશયથી બોલી : “ એ વ્રત બે પ્રકારનું છે. એક તો પ્રસિદ્ધ અને બીજું ગુપ્ત. આ મળમાસમાં ગુપ્ત રીતે જ સ્નાન કરવું. મળૅમાસની પ્રસન્નતા માટે મેલા પાણીમાં સ્નાન કરવું. પાણીમાં જેટલો દુર્ગંધવાળો મેલ વધુ એટલા શ્રી હરિ જલદી પ્રસન્ન થાય છે. દિવસમાં ત્રણવાર ભોજન કરવું.  ભોજન પણ તીખા અને કડવા પદાર્થનું કરવું, પીપળાનું પૂજન કરવું અને પાંદડાના પાડિયાનું દાન કરવું. મેં રૂપવતીને પણ આ વ્રત કહ્યું છે માટે તું આ ગુપ્ત વ્રત જ કર. જેથી તારા પર શ્રીહરિ જલદી પ્રસન્ન થશે.”


ભામિનીએ ઠગેલી ભોળી મુગ્ધાએ તો અતિ પ્રસન્ન થઈ “ હું તમે જણાવ્યા પ્રમાણે જ વ્રતકરીશ.” એમ કહી દીધું. કેમકે તે કૂડ-કપટ કે કુટિલતાને તો જાણતી જ ન હતી. પછી તે બાળાએ ઘરે જઈ ભામિનીએ જણાવ્યા પ્રમાણે જ વ્રત કરવા માંડ્યું.


ગાયને એક વસ્તુ ખવડાવવાથી 24 કલાક મા સવૅ મનોકામના પૂણૅ થાય  સાથે ઈચ્છાપૂર્તિ થાય


તેણે તો ભામિનીના કહેવા પ્રમાણે વ્રતની શરૂઆત કરી. એ પોતે તો વિધિ કે નિષેધને કોઈ રીતે જાણતી જ ન હતી. કેવળ શ્રદ્ધાથી વ્રત કરવા માંડી. તે ગંદા પાણીથી નહાતી, ગંદા પાણીથી પૂજન કરતીઅને કડવા-તીખા પદાર્થોનું દિવસમાં ત્રણ વાર ભોજન કરતી. પછી છેલ્લે દિવસે તે બાળા ભામિનીને ઘેર ગઈ. તેણે કહ્યું : “હે સખી ! મેં તારા જણાવ્યા પ્રમાણે વ્રત કર્યું. હવે પ્રભુ મારા ઉપર પ્રસન્ન થશે ને ?”  ભામિનીએ કહ્યું : “એ વ્રતનું તારે ઉદ્યાપન કરવું જોઈએ.”  ત્યારે મુગ્ધાને કહ્યું : “હે સખી ! એ ઉદ્યાપન કેવી રીતે કરવું જોઈએ તે કહો.”


ભામિની બોલી : “પ્રથમ તો જે પીપળાની પૂજા કરી હોય ત્યાં ઊભા રહેવું. પછી તારે એ પુરૂષોત્તમ સ્વરૂપ પીપળાને પુછવું કે “હે દેવ ! મારું વ્રત જો પૂરું થયું હોય તો ઉદ્યાપનની વિધિ માટે મને આજ્ઞા આપો.” શ્રીહરિ ઉત્તર આપે તો તારે સમજવું કે વ્રત પૂર્ણ થયું છે અને ન આપે તો તારું વ્રત વ્યર્થ ગયું છે એમ મારું માનવું છે. જો પ્રભુ ઉદ્યાપન કરવાની આજ્ઞા આપે તો કહેવું કે આવતી કાલે રાધિકાની સાથે મારે ઘરે જમવા પધારજો. પછી સઘળી રસોઈ તૈયાર કરવી. શ્રી હરિની સાથે બ્રાહ્મણોને જમાડવા અને પાંદડાના બનાવેલા સંપુટોનું દાન કરવું.”


મુગ્ધાએ તો પીપળા પાસે જઈ તેનું પૂજન કર્યું. પછી ભામિનીએ કહેલા વચનો બોલવા લાગી છતાં


પીપળાએ કોઈ જ જવાબ ન આપ્યો ત્યારે તે અતિશય દુ:ખ પામી અને વિલાપ કરવા લાગી. “મેં વિધિ સહિત વ્રત કર્યું તો પણ શ્રી હરિ પ્રસન્ન થયા નથી. આ કારણે હવે મારે જીવવુ% નથી. જીવતરને હું શ્રેષ્ઠ માનતી નથી.”

ત્યારે શ્રીહરિએ મનમાં વિચાર કર્યો : “ દુષ્ટ ભામિનીએ તેને પ્રેરણા કરી છે. ભામિની જો કે કપટી છે તો પણ તેના વચનમાં આ વિશ્વાસ છોડતી નથી. આ સ્ત્રીને પીપળામાંથી પણ જો હું ઉત્તર નહીં આપુ તો આ મુગ્ધા મરી જશે તો મારું ‘ભક્તિપ્રિય’  એવું નામ લોકો કેમ માનશે ?”


આથી પ્રગટ થઈ શ્રીહરિ બોલ્યા : “હે મુગ્ધા ! તારું વ્રત જેવું પૂર્ણ થયું છે તેવું બીજા કોઈનું વ્રત પૂર્ણ થયું નથી. હું તારા ઉપર ઘણો જ પ્રસન્ન થયો છું. કાલે હું તારે ઘેર આવીશ. તને કોઈ પૂછે ત્યારે એમ કહેવું કે ‘દૂર દેશથી મારો ભાઈ મારે ઘેર આવવાનો છે, તેથી મારે પણ તેની સાથે મારા પિતાના ઘેર જવાનું છે. આ કારણે મને ઘણો જ હર્ષ છે.’ આમ તારે લોકોને કહેવું.”


પ્રભુનાં આવાં વચનો સાંભળી મુગ્ધા ઘણો હર્ષ પામતી હરખાતી હરખાતી ચાલી નીકળી.


પછી મુગ્ધા ભામિનીના ઘેર ઉદ્યાપનની વિધિ કેવી રીતે કરવી તે પૂછવા ગઈ. ત્યાં જઈ મુગ્ધાએ બનેલી વિગત કહી પણ ભામિનીએ તેની વાત સાચી માની નહી. અને તેની વધારે ઠેકડી કરવા કહ્યું : “તારે એકસો આઠ બ્રાહ્મણોને નોતરા આપવા. પછી શ્રીહરિનું ને પીપળાનું સવારે પૂજન કરવું. પછી તારા ભાઈ બની આવેલ પુરૂષોત્તમને કહેવું કે તમે આ બ્રાહ્મણોને જમાડી દો. પુરૂષોત્તમ ભગવાન એકસો આઠે બ્રાહ્મણોને જમાડશે અને એટલા લાડવામાંથી તારું વ્રત પૂર્ણ થઈ જશે. પરંતુ તારે આ વાત કોઈને કહેવી નહી.”


હરખાતી હરખાતી મુગ્ધા રૂપવતીને ત્યાં ગઈ અને બ્રાહ્મણોને નોતરવાની વાત કહી ત્યારે રૂપવતીએ તેનો તિરસ્કાર કર્યો. દુ:ખી મુગ્ધા જાતે જઈને એકસો આઠ બ્રાહ્મણોને નોતરી આવી.રૂપવતીએ પણ તેના પરના દ્વેષથી બ્રાહ્મણોને નોતરા આપી દીધા. બ્રહ્મભોજનનો દિવસ આવ્યો એટલે છયે રસવાળી રસોઈ તૈયાર કરાવી. બીજીબાજુ એક માણસ પણ માંડ તૃપ્તિ ન પામે તેટલી રસોઈ મુગ્ધાએ તૈયાર કરી.


"" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે


બપોરનો વખત થયો એટલે બંનેના ઘેર બ્રાહ્મણો જમવા આવ્યા.રૂપવતીના ઘેર સો બ્રાહ્મણોને આમંત્રણ મળ્યું હતું. તેઓ તો રસોઈ તૈયાર જોઈને મનમાં ખુશ થઈ ગયા. પરંતુ મુગ્ધાને ઘેર જે એકસો આઠ બ્રાહ્મણો આવીને બેઠા હતા, તેઓ તો રસોઈની કી તૈયારી ન જોઈ વિસ્મય પામ્યા ને કહેવા લાગ્યા : “ આ મુગ્ધા! મુર્ખી દુબળી આપણને શું જમાડશે? તેના કરતાં પેલી રૂપવતી ધન્યવાદને પાત્ર છે.’ આમ ,બ્રાહ્મણો ક્રોધથી જેમતેમ બોલતા હતા ત્યાં જ કૃપાનાથ શ્રી પુરૂષોત્તમ હરિ ત્યાં પધાર્યા. તે રથમાં બેઠા હતા અને બ્રાહ્મણના વેશમાં હતા. “માધવનું ઘર ક્યાં છે ?” તેમ પૂછવા લાગ્યા. ઘડી પહેલા ચણભણાટ કરતા બ્રાહ્મણો તેમના તેજથી મોહિત થઈ પોતાનાં આસનો તેમને આપવા લાગ્યા અને આપ કોણ છો ? ક્યાંથી આવો છો ? કેમ પધારવું થયું ? વગેરે પૂછવા લાગ્યા ? એટલે શ્રી હરિ કહે :”અમે બધા ઉત્તર દેશના છીએ, માધવના સાળા છીએ. અમારા બનેવી માધવ પરદેશ ગયા છે. બહેનનું દુ:ખ સાંભળીને અમે  આવ્યા છીએ અને હવે અમારી બહેનને લઈને, જેમ આવ્યા છીએ તેમ પાછા જઈશું.”


આમ બ્રાહ્મણોને કહ્યા પછી ભગવાને મુગ્ધાને કહ્યું : “ હું પુરૂષોત્તમ નામનો તારો ભાઈ છું. આ બ્રાહ્મણોને જમાડી દે અને તારું વ્રત સફળ કર.”


ત્યારે મુંઝાયેલી મુગ્ધાએ શ્રી પુરૂષોત્તમને કહ્યું : “તમે જ આ બધાને જમાડી દો. મારે હાલ અંગત સગો નથી જે અત્યારે મને મદદ કરે.”


આથી શ્રીહરિએ પોતે બધા બ્રાહ્મણોને સ્નાન કરાવી જમવા માટે બેસાડ્યા. શ્રીહરિરસોઈપાસે ગયા. જોયું તો ફક્ત એક જ બ્રાહ્મણ જમે તેટલું હતું. પ્રભુ વિસ્મય પામ્યા. મુગ્ધાનો મુંઝવણનો ભાવ સમજ્યા.


પ્રભુએ પાસે પડેલી પત્રાવલીના સો ટુકડા કર્યા તો તેમાંથી સોનાની સો થાળી તૈયાર થઈ ગઈ અને પ્રભુએ એક લાડવાના સો ભાગ કર્યા એટલે તેમાંથી તેટલી જાતનાં પકવાનો તૈયાર થઈ ગયાં.


પછી જે ભક્તો બ્રાહ્મણના રૂપે શ્રી હરિની સાથે જ આવેલા તે બધા શ્રીહરિ પુરૂષોત્તમની આજ્ઞાથી પંગતમાં પીરસવા લાગ્યા.એ રસોઈનો સ્વાદ ખરેખર અનુપ હતો ! અને હોય પણ કેમ નહીં. ત્રિલોકના નાથ શ્રીહરિએ મુકેલો તે સ્વાદ હતો. બધા વાહ વાહ બોલવા લાગ્યા. આ કોણ છે ? તેમ પૂછવાને કોઈ સમર્થરહ્યું નહી. બધા મોહિત બન્યા હતા.

આ રીતે બધા બ્રાહ્મણો મુગ્ધાને ઘેર તૃપ્ત થયા અને શ્રીહરિએ તેમને સોનાની થાળીઓઅને સોનાના પડિયા દાનમાં આપ્યા. બ્રાહ્મણો પણ પ્રસન્ન થયા. મુગ્ધાના વારંવાર વખાણ કરવા લાગ્યા અને સત્કાર ભાવ તથા રસોઈ સ્વાદથી તૃપ્ત થયેલા તથા દાનથી પ્રસન્ન થઈ મુગ્ધાને આશીર્વાદ આપતા સર્વ ઘેર ગયા.


આ બાજુ પેલી રૂપવતીને ત્યાં બ્રાહ્મણો જમવા બેઠા એટલામાં બધી રસોઈ અદ્રશ્ય થઈ ગઈ. આથી તે તથા તેની સખીઓ શોકાકુળ થઈ ગઈ. વિસ્મય પામી તેમનેભાન થવા લાગ્યું.આ તો મુગ્ધાની મશ્કરી કરવાથી શ્રીહરિક્રોધ પામ્યા છે. આ બાજુ નોતરેલા બ્રાહ્મણો જમ્યા વગર ઘરે ગયા અને તેઓ પણ તે પાપિણીની નીંદા કરવા લાગ્યા.


આ બાજુ શ્રીહરિ પુરૂષોત્તમ મુગ્ધાને કહેવા લાગ્યા: “મારી પ્રસાદી હવે તું જમી લે, એટલે તારું વ્રતપૂરું થશે.” શ્રી પ્રભુના કહેવાથી મુગ્ધાએ પ્રભુ પ્રસાદીનું ભોજન કરતાં જ તેનું ભોળપણ દૂર થઈ ગયું અને તેની બુદ્ધિ તેજવાન બની અને તેના ચહેરા ઉપર દિવ્ય તેજ પથરાઈ ગયું. તેણે સાક્ષાત લક્ષ્મીપતિ શ્રી પરમેશ્વરને ઓળખ્યા અને તેમના ચરણોમાં પડી હર્ષના આંસુથી ભીંજાતાં ગદગદ સ્વરે તેમની સ્તુતિ કરવા માંડી.


“અતિશય ઘણાં પાપોનો નાશ કરનારા આપનાં ચરણને નમન કરું છું. શુભ ઉત્તમ ભક્તિ તથા મુક્તિના દાતા લક્ષ્મીજીના સ્વામી, ભક્તો પર પરમ પ્રેમ વરસાવનારા, કૃપાનું સ્થાન, ગુણોના ધામ અને જગતના પરમેશ્વરને પ્રણામ કરું છું. હે પ્રભુ ! આપનું દિવ્ય રૂપ  મને બતાવો. મુજ અભાગણીની આટલી ઈચ્છા પૂરી કરો.” મુગ્ધાની આ સ્તુતિથી તે જ ક્ષણે શ્રીહરિ બે ભુજાધારી, હાથમાં મુરલીવાળા, વનમાળાથી સુશોભિત પ્રત્યક્ષ થયા.


 કાંઠા ગોરમાં ની વાતૉ શ્રી પુરૂષોત્તમ કથા પ્રથમ અધ્યાય 


શ્રીહરિ બોલ્યા : “ હે મુગ્ધા ! તે ભક્તિથી મારી આરાધના કરી છે તેથી હું તારા પર ઘણો જ પ્રસન્ન થયો છું. તારી ભક્તિના બળે તારો પતિ પરદેશથી ઘણું જ કમાઈને આવશે. તારે હવે કદી દુ:ખના દા’ડા જોવા નહીં પડે. તે જે ખાડામાં સ્નાન કર્યું છે તે ખાડો હવે મુગ્ધા સરોવર નામે પ્રખ્યાત થશે. જેમાં કોઈ પાપી પણ સ્નાન કરશે તો તેના પાપ બળી જશે અને તે મોક્ષને પામશે. અંતકાળે તારો ગોલોકમાં વાસ થશે.” આમ કહી પ્રભુ અંતર્ધ્યાન થઈ ગયા.


આમ, ભોળી મુગ્ધા પુરૂષોત્તમ પ્રભુની કૃપાથી સુખ-શાંતિ પામી અને લાંબુ આયુષ્ય ભોગવી પતિ સાથે ગોલોકમાં વાસ પામી અને અભિમાની રૂપવતી નિંદા કરવાથી નર્કે ગઈ.




""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે  

 

સંતાન ગણપતિ સ્તોત્રમ્ ગુજરાતી લખાણ સાથે     

 

 "" શ્રી વિષ્ણુ ચાલીસા ""  ગુજરાતી લખાણ સાથે  

 

 """ શ્રી વિષ્ણુ સ્તુતિ """ ગુજરાતી લખાણ સાથે    

 

 """ શ્રી વિષ્ણ્વષ્ટકમ્   """ ગુજરાતી લખાણ સાથે  


 આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત 

 

દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી 


 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

ગુરુવાર, 20 જુલાઈ, 2023

પુરુષોત્તમ માસ કથા અધ્યાય ત્રીજો Purushottam Maas Katha Adhyay 3 in Gujarati | Adhyay 3 | | Adhik Mass 2023 | Okhaharan |

પુરુષોત્તમ માસ કથા અધ્યાય ત્રીજો  Purushottam Maas Katha Adhyay 3 in Gujarati  | Adhyay 3 | | Adhik Mass 2023 | Okhaharan | 

purushottam-maas-katha-adhyay-3-in-gujarati
purushottam-maas-katha-adhyay-3-in-gujarati


શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂ આપણા ગુજરાતી ભક્તિ લેખમાં આજે આપણે જાણીશું પુરૂષોત્તમ માસની કથા ત્રીજો અધ્યાય મળમાસ કથાનો પ્રારંભ અને અમૃત ધારા જે વાતૉ કહેવાય મેનાવ્રતની વાર્તા.


 અધ્યાય ત્રીજો : મળમાસ કથાનો પ્રારંભ


શૌનકાદિ તથા અન્ય ઋષિઓ બોલ્યા : “ હે મહાભાગ્યશાળી સૂત ! નરના મિત્ર નારાયણે નારદને જે શુભ વચન કહ્યું હોય તે કહો.

શ્રી પુરૂષોત્તમ સ્તુતિ ગુજરાતી અથૅ સહીત


સૂત બોલ્યા : “ હે શ્રેષ્ઠ બ્રાહ્મણો ! નારાયણનું વચન તમે સાંભળો. નારદ આગળ તેમણે જે વચન કહ્યું હતું તે જેવું મેં સાંભળ્યું છે તે પ્રમાણે કહું છું.
શ્રી નારાયણે કહ્યું : “ હે દેવર્ષિ નારદ ! ભક્તોના દુ:ખને હરનારા મહાત્મા શ્રીકૃષ્ણે રાજા યુધિષ્ઠરને પૂર્વે જે કથા કહી હતી તે જા હું કહું છું. દુર્યોધને પાંડવોને દગાથી જુગારમાં હરાવી, અગ્નિથી ઉત્પન્ન થયેલી ધર્મપારાયણ સતી દ્રૌપદીને સભાની સમક્ષ ઘસડી લાવીને દુષ્ટ દુ:શાસને વાળ પકડી ખેંચી હતી તથા તેના વસ્ત્રો ઉતારવા માંડ્યાં હતા તે વેળા શ્રીકૃષ્ણે દ્રૌપદીને ચીર પૂરી રક્ષણ કર્યું હતું. પછીથી શરત પ્રમાણે રાજ્યનો ત્યાગ કરી પાંડવો કામ્યક વનમાં ગયા હતા.


ત્યાં સર્વ પાંડવો ઘણું જ દુ:ખ પામ્યા હતા, એ દુ:ખી પાંડવોને મળવા માટે ભગવાન દેવકીપુત્ર શ્રીકૃષ્ણ મુનિઓ સહિત કામ્યક વનમાં ગયા હતા. નકુલ તથા સહદેવે શ્રીકૃષ્ણનાં ચરણકમળમાં ભક્તિથી નમસ્કાર કર્યા. દુ:ખથી પીડીત દ્રૌપદીએ પણ સ્વસ્થ બની શ્રીકૃષ્ણને નમન કર્યં.


પાંડવોને દુ:ખી જોઈ શ્રીકૃષ્ણના શરીરમાં ક્રોધ ઉત્પન્ન થયો અને કૌરવોને બાળી નાખવાની તેમને ઇચ્છા થઈ. તેથી ભક્તવત્સલ ભગવાનનું મુખ કરોડો કાળના જેવું વિકરાળ થઈ ગયું. ત્રણે લોકને જાણે બાળી નાખવા માંગતા હોય તેમ આવેશથી બંને હોઠને દાંત વતી તે પીસવા લાગ્યા.
શ્રીકૃષ્ણનું આવું રૌદ્ર સ્વરૂપ જોઇ તે વખતે અર્જુન વીર હોવા છતાં ધ્રુજી ઊઠ્યો. ભયથી બે હાથ જોડી શ્રીકૃષ્ણની સ્તુતિ કરવા લાગ્યો.

પુરૂષોતમ માસ નિત્ય કરવામાં આવતો શ્રી પુરૂષોતમ સ્ત્રોત ગુજરાતી લખાણ સાથે


“હે શ્રીકૃષ્ણ ! આપ સર્વ કારણોના પણ કારણ અને વેદો તથા વેદોના અંગરૂપ સર્વ શાસ્ત્રોનાં બીજના પણ બીજરૂપ છો. આપ જ જીવમાત્રના પાલનકર્તા છો. એવા ઈશ્વર, તમને શ્રીકૃષ્ણને હું વંદન કરું છું. પોતે સર્જેલા સમગ્ર જગતનો નાશ કરવા કેમ તૈયાર થાઓ છો ? આપના ક્રોધને શાંત કરો. ઘરમાંના મચ્છરોને બાળી નાખવા પોતાનું ઘર કોણ બાળી નાખે ?” શત્રુવીરોનો નાશ કરનારા અર્જુને એ પ્રમાણે વિનંતી કરી. બે હાથ જોડી જનાર્દન શ્રીકૃષ્ણ ભગવાનને પ્રણામ કર્યા.


અર્જુનની સ્તુતિથી ભક્તોનું દુ:ખ હરનાર શ્રીકૃષ્ણ ભગવાન ચંદ્ર જેવા સૌમ્ય (શાંત સ્વરૂપ) થયા. પાંડવોએ શ્રીકૃષ્ણને પ્રણામ કર્યા અને વનના કંદમૂળ તથા ફળથી તેમનો સત્કાર કર્યો.


ભગવાન શ્રીકૃષ્ણ બોલ્યા : “ હે કૌંતેય ! હું સ્વયં પરમાત્મા હોવા છતાં સર્વે દુ:ખોને સહન કરી લઉં છું. પરંતુ મારા ભક્તો ઉપર રાઈના દાણા જેટલું પણ દુ:ખ આવે તે હું સહન કરી શકતો નથી. ભક્તોના દુ:ખને દૂર કરવા માટે જ હું અજન્મા હોવા છતાં યુગેયુગે અવતાર ધારણ કરું છું.”


ત્યારે અર્જુને પૂછ્યું : “હે પ્રભુ ! અમારા આ દુ:ખનો કોઈ ઉપાય છે ?


તે સાંભળી ભગવાન શ્રીકૃષ્ણે કહ્યું : “ દરેક મનુષ્યે પોતાના કર્મોનું ફળ ભોગવવું પડે છે. આ કર્મબંધનોમાંથી મુક્ત થવા માનવીએ જપ-તપ, વ્રત-ઉપવાસ, કથા-પઠન-શ્રવણ, દાન-ધર્મ આદિ પુણ્યનાં કામ કરવા જોઈએ. આથી તેનો આત્મા નિ:સ્પૃહ અને પવિત્ર બનશે અને તે પોતાના કર્મોના બંધનોને તોડીને મુક્ત થશે. થોડા સમયમાં અધિક માસ આવે છે. આ માસમાં તમે વ્રત-જપ-દાન-પુણ્ય વગેરે પૂર્ણ શ્રદ્ધાથી કરશો તો તેના પ્રભાવે તમારું ગયેલું  રાજ, સમૃદ્ધિ-વૈભવ, સુખ-ચેન તમને પાછા મળશે અને તમે સુખી થશો.”

ગીતાજી માં કહેલા શ્રી વિષ્ણુ ભગવાન ૧૦૮ નામ


ત્યારે અર્જુને પૂછ્યું : “હે પ્રભુ ! આ અધિક માસ વિશે અમે અજ્ઞાની છીએ અને તેના વિશે કાંઈ જાણતા નથી. આ માસ કેવી રીતે કરવો ? તેનું પૂજન કેમ કરવું ? તેનું માહાત્મ્ય શું છે અને તેનું શું ફળ છે તે અમને વિસ્તારથી જણાવો.”


શ્રીકૃષ્ણ બોલ્યા : “ હે યુધિષ્ઠિર ! અર્જુન ! મારું વચન ધ્યાનથી સાંભળો. હે ઉત્તમ વ્રતવાળા ! ચૈત્ર વગેરે જે મહિના, પખવાડિયા, ઘડીઓ, પ્રહરો, મુહૂર્તો, વર્ષો, યુગો તથા પરાર્ધ મહિના સુધીના જે કાળ વિભાગો છે તેમજ નદીઓ, સમુદ્રો, શહેરો, પર્વત તથા નગરો આ બધા પોતાના ગુણોને લીધે પૂજાય છે. હે અર્જુન ! આવા સંજોગોમાં એક વધારાના માસની ઉત્પત્તિ થઈ. અને તે મળમાસ (મેલો) કહેવાયો.  આ સમગ્ર માસમાં સૂર્ય એક જ રાશિમાં રહેતો હોવાથી લોકો આ માસમાં કોઈ સત્કર્મ કરતા નહી અને આ માસની ધૃણા કરવા લાગ્યા. લોકો પાસેથી પોતાની નિંદા સાંભળી એ મહિનો ઉદ્યોગ રહિત થા ઝંખવાણો પડી ગયો.”


જગત આખું આ મળમાસની નિંદા કરવા લાગ્યું. આ માસમાં કોઈ પણ શુભ કાર્ય થતું નહી. સહુ એને ધુત્કારતા અને અપમાનિત કરતા. જગત આખાના ધિક્કારઅને ધૃણાથી મળમાસ ત્રાસી ગયો. તે દુ:ખી દુ:ખી થઈ ગયો. તે દરેક દેવતાના શરણે ગયો પણ કોઈ દેવે તેને આશ્રય ના આપ્યો. આથી સર્વ જગ્યાએથી હડધૂત થયેલો નિરાશામાં ડૂબી ગયેલો મળમાસ છેવટે છેલ્લા ઉપાય તરીકે જીવમાત્રને પોષતા, શેષનાગની શૈયા પર બિરાજતા લક્ષ્મીપતિ શ્રી વિષ્ણુ ભગવાનના શરણે ગયો.
અમૂલ્ય રત્નજડિત સિંહાસન પર બેઠેલા વિષ્ણુ ભગવાનના દર્શન કરી તે વેળા પૃથ્વી પર દંડવત પ્રણામ કરી તેણે રડવા માંડ્યું. તે ગળગળી વાણીથી તેણે લક્ષ્મીપતિને પોતાનું દુ:ખ કહ્યું.


“ શ્રી બૃહન્નારદીય પુરાણ” ના પુરૂષોત્તમ માહાત્મ્યનો
“મળમાસ કથાનો પ્રારંભ” નામનો ત્રીજો અધ્યાય સંપૂર્ણ.


મેનાવ્રત


રાઘા શ્રી કૃષ્ણ ના ફોટો ખરીદી કરવા અહી ક્લિક કરો 


એક વાર બ્રહ્મર્ષિ વશિષ્ટનાં પત્ની સતિ અરુંધતી કૈલાસ શિખર પર આવ્યાં. પાર્વતીએ સતિને અતિ માનપાન દીધાં, જળપાન કરાવ્યા. એ પછી અરુંધતી પૂછવા લાગ્યા : “હે ભવાની ! આ પવિત્ર પાવન અધિક માસમાં મારે ક્યું વ્રત કરવું જોઈએ, જેથી કરીને અખંડ સૌભાગ્ય અને સંતતિની પ્રાપ્તિ થાય. આપ મને એ શ્રેષ્ઠ વ્રતની વિધિવિષે કૃપા કરીને કહો.


ત્યારે જગતજનનની પાર્વતી બોલ્યા : “ હે દેવી ! તમે પુરૂષોત્તમ માસમાં ક્યું વ્રત કરવું તે વિશે પૂછ્યું છે, તો સાંભળો, એવું વ્રત, મેના વ્રત છે.”
અરુંધતી બોલ્યા : “ હે માતાજી ! એ વ્રતનો મહિમા શું છે ? એ વ્રત કેવી રીતે કરવું ? એના વિધિ-વિધાન શું છે અને એ વ્રત કરવાથી શું ફળ મળે છે તે મને વિગતથી જણાવો.


પાર્વતીજી બોલ્યા : “એક વાર હું અને શિવજી સોગઠે રમતાં હતાં. ત્યારે મારા માતાજી મેનાવતી પધાર્યા. મેં તેમનું સારી રીતે સ્વાગત કર્યું. તેમના ખબર અંતર પૂછ્યા.


ત્યારે મારા માતાજી બોલ્યા : “ હે દીકરી ! તું જગત આખામાં પૂજાય છે.  દેવો, અસુરો, અને મનુષ્યો તારી પૂજા-આરાધના કરે છે. મને એ જોઈ ઘણો જ આનંદ થાય છે. જ્યારે હું તારી માતા હોવા છતાં પણ મને કોઈ ઓળખતું નથી. તો પૂજા-આરાધના કરવાની વાત જ ક્યાં આવી ? તું બારે માસ પૂજાય અને મારા માટે વર્ષમાં એક દિવસ પણ નહીં ! આ કેવું કહેવાય ?”


માતાજીની ફરિયાદ સાંભળી હે સતી ! મેં તેમને કહ્યું : “હે માતાજી ! પુરૂષોત્તમ મહિનાની શુક્લ પક્ષની ત્રીજ તમારી કહેવાશે. જે કોઈ નર-નારી પૂર્ણ શ્રદ્ધા અને ભક્તિથી તમારું વ્રત કરશે એના સંપૂર્ણ મનોરથો પૂર્ણ થશે અને તે સુસંતતિ અને શ્રેષ્ઠ સંપત્તિને પ્રાપ્ત કરશે. તેની જન્મોજન્મની દરિદ્રતા અને બાધાઓ નષ્ટ પામશે અને જે સ્ત્રીઆ વ્રત કરશે તેનો ચુડી-ચાંદલો અખંડ રહેશે અને તે અખંડ સૌભાગ્યને પ્રાપ્ત કરશે.”


ગાયને એક વસ્તુ ખવડાવવાથી 24 કલાક મા સવૅ મનોકામના પૂણૅ થાય  સાથે ઈચ્છાપૂર્તિ થાય


અરુંધતી બોલ્યા : “ હે જગદંબા ! હવે આ વ્રત કેમ કરવું તેનું વિધિવિધાન જણાવો ! ”


પાર્વતીજી બોલ્યા : “હે સતી ! પુરૂષોત્તમ મહિનાની શુક્લ પક્ષની ત્રીજના દિવસે વ્રત કરનારે સવારે વહેલા ઊઠી નિત્ય કર્મથી પરવારી ઘરમાં પવિત્ર જગ્યામાં એક બાજઠ પર લાલ વસ્ત્ર પાથરી, મારી માતા મેનાવતીની પુત્ર અને પતિ સાથે હાથી ઉપર બેઠાં હોય તેવી સોનાની કે ચાંદીની મૂર્તિ બનાવી સ્થાપિત કરવી. મૂર્તિ ઉપર ધતુરાનાં પાંચ ફૂલ ચઢાવવાં. ધૂપ-દીપ કરી નૈવેદ્ય ધરાવવું. મૂર્તિ ઉપર સુગંધિત દ્રવ્યો ચઢાવવાં. એકટાણું કરવું.
આ પ્રમાણે આખો પુરૂષોત્તમ મહિનો કરવો. મહિનો પૂરો થતાં વ્રતનુંઉજવણું કરવું. પાંચ દંપતિને સજોડે જમાડવા અને નવાં વસ્ત્રોતથા દાન-દક્ષિણા આપી તેમને રાજી કરવા. આ રીતે વ્રત કરવાથી મનુષ્યને કદી દુ:ખ, કષ્ટો પડતાં નથી. દુ:ખનો પડછાયો પણ તેનાથી દૂર રહે છે અને અંતકાળે વ્રતકરનાર દેહ ત્યાગીને વૈકુંઠની પ્રાપ્તિ કરે છે.”

 ગીતાજીમાં કહેલા શ્રી કૃષ્ણ ભગવાનના 108 નામ.


મેનાવ્રત જે કરે, તેના કોડ પુરણ થાય,
રિદ્ધિ-સિદ્ધિ રહે સેવામાં, દુ:ખ દારિદ્રય દૂર થાય.


કાંઠાગોરમાની કથા



""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે  

 

સંતાન ગણપતિ સ્તોત્રમ્ ગુજરાતી લખાણ સાથે     

 

 "" શ્રી વિષ્ણુ ચાલીસા ""  ગુજરાતી લખાણ સાથે  

 

 """ શ્રી વિષ્ણુ સ્તુતિ """ ગુજરાતી લખાણ સાથે    

 

 """ શ્રી વિષ્ણ્વષ્ટકમ્   """ ગુજરાતી લખાણ સાથે  


 આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત 

 

દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી 


 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇


બુધવાર, 19 જુલાઈ, 2023

પુરૂષોતમ માસ નિત્ય કરવામાં આવતો શ્રી પુરૂષોતમ સ્ત્રોત ગુજરાતી લખાણ સાથે | Purushottam Stotram in Gujarat Lyrics | Okhaharan

 પુરૂષોતમ માસ નિત્ય કરવામાં આવતો શ્રી પુરૂષોતમ સ્ત્રોત ગુજરાતી લખાણ સાથે  | Purushottam Stotram in Gujarat Lyrics | Okhaharan 

purushottam-stotram-in-gujarat-lyrics
purushottam-stotram-in-gujarat-lyrics


શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂ આપણા ગુજરાતી ભક્તિ લેખમાં આજે આપણે જાણીશું અધિક માસ એટલે કે પુરૂષોતમ માસ નિત્ય કરવામાં આવતો શ્રી પુરૂષોતમ સ્ત્રોત ગુજરાતી લખાણ સાથે આ સ્ત્રોત નો ઉલ્લેખ પદ્મપુરાણ મા કરેલ છે આ પરમ પાવન સ્તોત્રના નિત્ય ૧૧ પાઠ કરવાથી શ્રી પુરુષોત્તમપ્રભુની કૃપા થતાં મનનું ધાર્યું કાર્ય પૂર્ણથાય છે. 


શ્રી પુરુષોત્તમ સ્તોત્ર


નમઃ પુરુષોત્તમાખ્યાય નમસ્તે વિશ્વભાવન ।
નમસ્તેઽસ્તુ હૃષીકેશ મહાપુરુષ પૂર્વજ ||૧|| 


યેનેદમખિલં જાતં યત્ર સર્વ પ્રતિષ્ઠિતમ્ । 
લયમેષ્યતિ યત્રૈવત્ તં પ્રયતન્નોસ્મિ કેશવમ્ ॥૨॥


 પરેશઃ પરમાનંદઃ પરાત્પરતરઃ પ્રભુઃ
 ચિદ્રૂ પશ્ચિત્પરિજ્ઞેયો સ મે કૃષ્ણઃ પ્રસીદતુ ॥૩॥


 કૃષ્ણં કમલ પત્રાક્ષં રામ રઘુકુલોદ્ભભવમ્ ।
 નૃસિંહં વામનં વિષ્ણુ સ્મરન્ યાતિ પરાં ગતિમ્ ॥૪॥


 વાસુદેવં વરાહ  ં ચ કંશકેષિનિષૂદનમ ।
 પુરાણપુરુષં યજ્ઞપુરુષં પ્રણતોમ્યહમ્ ॥૫॥


 અનાદિનિધનં દેવં શંખચક્ર ગદાધરમ્
 ત્રિવિક્રમં હલધરે પ્રણતોઽસ્મિ સનાતનમ્ ॥૬॥ 


ય ઈદં કીર્યચેત્ નિત્યં સ્તોત્રાણામુત્તમોત્તમમ્ ।
સર્વપાપ વિનિમુક્તો વિષ્ણુલોકે મહીયતે ॥૭॥ 


ઈતિ શ્રી પદ્મપુરાણોક્ત પુરુષોત્તમ સ્તોત્રં સંપૂર્ણમ્

શ્રી પુરૂષોત્તમ સ્તુતિ ગુજરાતી અથૅ સહીત



ગાયને એક વસ્તુ ખવડાવવાથી 24 કલાક મા સવૅ મનોકામના પૂણૅ થાય  સાથે ઈચ્છાપૂર્તિ થાય

 

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે  

 

સંતાન ગણપતિ સ્તોત્રમ્ ગુજરાતી લખાણ સાથે     

 

 "" શ્રી વિષ્ણુ ચાલીસા ""  ગુજરાતી લખાણ સાથે  

 

 """ શ્રી વિષ્ણુ સ્તુતિ """ ગુજરાતી લખાણ સાથે    

 

 """ શ્રી વિષ્ણ્વષ્ટકમ્   """ ગુજરાતી લખાણ સાથે  


 આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત 

 

દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી 


 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇