શનિવાર, 29 જુલાઈ, 2023

અઘિક માસની સુદ પક્ષની પદ્મિની એકાદશી માહાત્મ્ય વ્રત કથા | Padmini Ekadashi Vrat Katha Gujarati | Okhaharan

 અઘિક માસની સુદ પક્ષની પદ્મિની એકાદશી માહાત્મ્ય વ્રત કથા | Padmini Ekadashi Vrat Katha Gujarati | Okhaharan 

padmini-ekadashi-vrat-katha-gujarati
padmini-ekadashi-vrat-katha-gujarati


શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખ માં આજે આપણે જાણીએ અઘિક માસની વદ પક્ષની પદ્મિની એકાદશી માહાત્મ્ય વ્રત કથા 


એકાદશી ના કેટલાક નિમ્નલિખિત કયો ના કરવા જોઈએ 


 ધર્મરાજા આગળ ભગવાન શ્રીકૃષ્ણ કહે છે કે હવે દર ત્રણ વર્ષે આવતા અધિક માસની બંને એકાદશીનાં માહાત્મ્યો કહી સંભળાવું છું. પવિત્ર અધિક માસની શુક્લ એકાદશીનું નામ પદ્મિની છે. આખો માસ વ્રત કરનારે આ એકાદશીનું વ્રત અવશ્ય કરવું જોઈએ. આ એકાદશીનું સંપૂર્ણ ફળ કહેવાની બ્રહ્માજીમાં પણ શક્તિ નથી.


દશમને દિવસે કાંસાના પાત્રમાં ભોજન, અડદ, મસૂર, ચણા, મધ અને પારકા ભોજનનો ત્યાગ કરીને એકટાણું કરવું અને એકાદશીના દિવસે સ્નાનાદિથી નિવૃત થઈને ભગવાન વિષ્ણુનું જ પૂજન કરવું, સ્નાન કરતી વખતે આમળાનું ચૂર્ણ ચોળવું, ભગવાન વારાહથી પવિત્ર થયેલી પૃથ્વીની રજ તથા ગોમય આદિથી પણ સ્નાન કરીને પવિત્ર બનવું. પવિત્ર સ્વચ્છ વસ્ત્રો પહેરીને તાંબા અથવા  માટીના કુંભની સ્થાપના કરી તેમાં ભગવાન નારાયણનું પૂજનપ્રતિષ્ઠા આદિ કરવું. નૈવેદ્ય આદિથી ભગવાનને પ્રસન્ન કરવા આ દિવસે પાપી મનુષ્યો સાથે સંભાષણ, અસત્ય, અન્ન અને અધર્મથી બચવું, બની શકે તો દૂધનો આહાર લઈને કે ફલાહાર કરીને ઉપવાસ કરવો, રાત્રે હરિકીર્તન, ભજન આદિ વડે જાગરણ કરવું. 
બારસને દિવસે કુંભ પર પધરાવેલ ભગવાન નારાયણનું ઉત્તમ ભોજન કરીને બ્રાહ્મણભોજન કરાવીને પારણું કરવું.


વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે


આ વ્રતના પ્રભાવથી મહાબળવાન લંકાપતિ કાર્તવીર્યના હાથે પરાજિત થયો હતો. તેનું આખ્યાન આ પ્રમાણે છે –


ત્રેતાયુગની આ કથા છે. માહિષ્મતિ નામની નગરીમાં હૈહય નામે એક રાજા રાજ્ય કરતો હતો. તેના વંશમાં એક કૃતવીર્ય નામે પુત્ર જન્મ્યો હતો; તેને એક હજાર સ્ત્રીઓ હતી, પરંતુ કોઈના ઉદરથી પુત્ર જન્મ થયો ન હતો. રાજાએ એના માટે અનેક તપો, વ્રતો અને નિયમો લેવડાવ્યા, પરંતુ કોઈ ફળ મળ્યું નહીં, નિરાશ થયેલા કૃતવીર્યને આખરે વૈરાગ્ય આવી ગયો. મંત્રીઓને રાજ્ય સોંપીને તે જંગલમાં ચાલી નીકળ્યો.


એક હજાર રાણીઓમાં વધારે માનીતી હરિશ્ચંદ્રની પુત્રી પદ્મિની પોતાના પતિની પાછળ પાછળ ચાલી. રાજ્ય સુખ-સંપત્તિનો તેણે પોતાના પતિની ખાતર ત્યાગ કર્યો. ગંધમાદન પર્વત પર પોતાના પતિની પાછળ પાછળ ફરવા લાગી. રાજાએ એ પર્વત પર બેસીને દશ હજાર વર્ષ સુધી તપ કર્યું. આ તપથી રાજાનું શરીર હાડપિંજર જેવું બની ગયું.


એક વાર પદ્મિનીએ મહાસતી અનસૂયાને પ્રશ્ન કર્યો :”હે માતા ! મારા પતિદેવ હજારો વર્ષોથી પુત્રસુખ માટે તપ કરી રહ્યા છે, છતાં એ તપના ફળદાતા ભગવાન કેમ પ્રસન્ન થતા નથી !


અનસૂયાએ કહ્યું : “હે પરમસાધ્વી ! પુત્રનું વરદાન મેળવવા ભગવાનને પ્રસન્ન કરવા અને તપ કરવાની જરૂર નથી, અધિક માસની શુક્લ એકાદશીનું વ્રત કર.” માતા અનસૂયાના કહેવાથી પદ્મિનીએ આ વ્રત કર્યું. વિધિપૂર્વક પૂજન અને જાગરણ પણ કર્યું. આથી ભગવાન તેના પર પ્રસન્ન થયા અને તેને દશે દિશામાં વિજય મેળવે તેવા પુત્રનું વરદાન આપ્યું. રાજા પણ પત્નીના આ વ્રતથી પ્રસન્ન થયેલા ભગવાન વિષ્ણુનાંચરણોમાંપડી ગયો.


 """ શ્રી વિષ્ણ્વષ્ટકમ્   """ ગુજરાતી લખાણ સાથે


તપશ્ચર્યા પૂર્ણ કરીને રાજા અને રાણી પોતાના રાજ્યમાં ગયા. થોડા સમયમાં રાજા-રાણી બંને પહેલાની જેમ તેજસ્વી બની ગયા. ભગવાનનાં વરદાનથી એને ત્યાં દશમે મહિને એક મહાબળવાન પુત્ર જન્મ્યો. તેનું નામ કાર્તવીર્ય પડ્યું. એ કાર્તવીર્યે  મહાપરાક્રમશાળી રાવણને પણ કેદ કર્યો હતો. પદ્મિની એકાદશીના પ્રભાવથી એ પુત્રનો પ્રભાવ ત્રણે લોકમાં વૃદ્ધિ પામ્યો.


જેને ત્યાંસંતાનસુખ ન હોય તેવાઓએ, પુત્ર, ધન કે યશની ઈચ્છાવાળાઓએ આ એકાદશીનું વ્રત અવશ્ય કરવું.



કાંઠા ગોરમાં ની વાતૉ શ્રી પુરૂષોત્તમ કથા પ્રથમ અધ્યાય


 "" શ્રી વિષ્ણુ ચાલીસા ""  ગુજરાતી લખાણ સાથે  

 

 """ શ્રી વિષ્ણુ સ્તુતિ """ ગુજરાતી લખાણ સાથે    

 

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે  

 

સંતાન ગણપતિ સ્તોત્રમ્ ગુજરાતી લખાણ સાથે     


 આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત 

 

દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી 


 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો