શનિવાર, 29 જુલાઈ, 2023

પુરુષોત્તમ માસ કથા અધ્યાય તેરમો | Purushottam Maas Katha Adhyay 13 in Gujarati | Adhyay 13 | | Adhik Mass 2023 | Okhaharan |

પુરુષોત્તમ માસ કથા અધ્યાય તેરમો |  Purushottam Maas Katha Adhyay 13 in Gujarati  | Adhyay 13 | | Adhik Mass 2023 | Okhaharan | 

purushottam-maas-katha-adhyay-13-in-gujarati
purushottam-maas-katha-adhyay-13-in-gujarati

શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂ આપણા ગુજરાતી ભક્તિ લેખમાં આજે આપણે જાણીશું પુરૂષોત્તમ માસની કથા અધ્યાય તેરમો : દ્દઢધન્વાની કથા અને અમૃત ધારા જે વાતૉ કહેવાય મૌન મહિમાની વાર્તા. 

પુરુષોત્તમ માસ કથા અધ્યાય બારમો 


અધ્યાય તેરમો : દ્દઢધન્વાની કથા


શૌનકાદિ ઋષિઓએ પૂછ્યું : “હે મહાભાગ્યશાળી સુત ! જેમ અમૃત પીતાં તૃપ્તિ થાય નહી તેમ અમને તૃપ્તિ જ થતી નથી. હવે અમને પૂર્વે સૂર્યવંશમાં ઉત્પન્ન થયેલા દ્રઢધન્વા રાજાને પુરૂષોત્તમ માસના સેવનથી પુત્ર-પૌત્ર અને પતિવ્રતા પત્ની કેવી રીતે મળી અને યોગીઓને પણ દુર્લભ એવા ભગવાનના લોકને કેવી રીતે પામ્યો તે કથા અમને વિસ્તારથી કહો.”
સુત બોલ્યા : “હે બ્રાહ્મણો ! હે મુનિઓ ! રાજા દ્રઢધન્વાનું ચરિત્ર પાપોનો નાશ ક્કરનાર છે. રાજા દ્રઢધન્વાની કથા ગંગાની પેઠે પવિત્ર કરનારી છે, તેથી ગુરુના મુખેથી હું જે પ્રમાણે ભણ્યો છું તે પ્રમાણે તમને કહું છું.”
હૈહય દેશનું રક્ષણ કરનાર ચિત્રધર્મા નામે પ્રખ્યાત રાજા હતો. તેને દ્રઢધન્વા નામે પ્રખ્યાત પુત્ર થયો હતો. તે સર્વ ગુણોથી યુક્ત, સત્ય બોલનારો, ધર્મને જાણનારો અને શૂરવીર હતો. વેદ-પુરાણો શાસ્ત્રોનો અભ્યાસ કરી વિદ્યાભ્યાસ પૂર્ણ થતાંતે ગુરુને દક્ષિણા આપી પોતાના નગરમાં પાછો આવ્યો. ચિત્રધર્મા પણ પોતાનાપુત્રને જોઈ પરમ હર્ષ પામ્યો.

તે પછી પોતાના એ યુવાન પુત્રને સર્વ ધર્મનો જાણકાર અને પ્રજાનું પાલન કરવા સમર્થ છે એમ જાણી ચિત્રધર્માના મનમાં સંસારપ્રત્યે વૈરાગ્ય ઊપજ્યો અને તેણે મનમાં વિચાર્યું કે “હવે આ સંસારમાં મારે શું કામ છે ? હવે હું નિરાંતે પ્રભુભક્તિ કરીશ.” એમ મનમાં નિશ્ચય કરી તેણે સમર્થ દ્રઢધન્વાને રાજ્યનો કારભાર સોંપી દીધો. પોતે વૈરાગ્ય પામી પુલહ ઋષિના આશ્રમમાં જતો રહ્યો અને શ્રીહરિની ભક્તિ કરતાં તે પ્રભુશરણ થયો. દ્રઢધન્વાએ પણ પોતાના પિતાને વૈષ્ણવ ધામની પ્રાપ્તિ થઈ છે એ વાત સાંભળી.


તેથી તેને હર્ષ અને શોક બંને થયા. તેણે યોગ્ય રીતે તેમનું શ્રાદ્ધકર્મ કર્યું અને બ્રાહ્મણૉને જમાડી દાન-પુણ્ય કર્યું. પોતે નીતિશાસ્ત્રમાં પ્રવીણ રાજા તરીકે પુષ્કરાવર્તક નામના પવિત્ર નગરમાં રાજ્ય કરવા લાગ્યો. સમય જતાં વિદર્ભ દેશની અતિ સુંદર રાજકુંવરી ગુણવંતી સાથે તેના વિવાહ થયા.તેણીએ ચાર પુત્રોને જન્મ આપ્યો.શુભ લક્ષણોવાળી પુત્રીને પણ તેણે જન્મ આપ્યો, જેનું નામ ચારુમતી હતું. ચાર પુત્રો પણ ચિત્રવાક, ચિત્રવાહ,મણિમાન તથા ચિત્રકુંડલ, એવા નામોથી પ્રખ્યાત હતા. બધાય વિવેકી, સુંદર તથા શુરા હતા.

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે


દ્રઢધન્વા અનેક ગુણોથી પ્રખ્યાત હતો. જાણે બીજા રામચંદ્ર હોય તેમ એક પત્નીવ્રતને તે ધારણ કરતો હતો. ઉત્તમ ધર્મપાલન કરતો હતો અને બીજા કાર્તિકવીર્ય (સહસ્ત્રાર્જુન) પેઠેઅતિશય ઉગ્ર પરાક્રમવાળો પણ હતો.
એક વખત રાત્રે દ્રઢધન્વા સૂતો હતો તે વેળા તેને વિચાર આવ્યો કે આ આશ્ચર્યકારક વૈભવ, આટલું બધું સુખ કયા મોટા પુણ્યથી મને પ્રાપ્ત થયું હશે ? ના મેં આ જન્મમાં કોઈ વ્રત કર્યું છે, ના કોઈ તપ કર્યું છે, ના જપ કર્યાછે, ના હોમ-હવન કર્યા છે, છતાં પણ મને આટલી બધી સમૃદ્ધિ ક્યા કારણે પ્રાપ્ત થઈ છે. મારા ભાગ્યનું આ રહસ્ય મારે કોને પૂછવું ? એમ વિચાર્યા કરતો હતો એટલામાં રાત્રિ સમાપ્ત થઈ.


ઉદય પામતા સૂર્યની પૂજા કરી, બ્રાહ્મણોને નમસ્કાર કરી દાન દીધાં. એ પછી તે ઘોડા પર સવાર થયો અને પોતાના રસાલા સાથે જંગલમાં શિકારે નીકળ્યો. ત્યાં તેણે ઘણા મૃગો માર્યાં. પણ એક મૃગની પાછળ દોડવા જતાં તે પોતાના સિપાહીઓથી છૂટો પડી ગયો. રાજાએ એ મૃગને શોધવા ઘણો પ્રયત્ન કર્યો, પણ મૃગ ક્યાંય જંગલમાં અદ્રશ્ય થઈ ગયું. એટલે થાકેલો રાજા એક સરોવરના કાંઠે આવીને ઊભો. ત્યાં એક મોટું ઝાડ જોયું, આથી થાકેલો રાજા એક વડવાઈએ ઘોડો બાંધીને સરોવરમાંથી પાણી પી પોતાની તરસ છીપાવી આરામ કરવા ત્યાં બેઠો.”


એટલામાં ત્યાં પોપટ આવ્યો. એ પોપટ ત્યાં બેઠેલા દ્રઢધન્વાને સંબોધી એક ઉત્તમ શ્ર્લોક બોલવા માંડ્યો.”હે રાજા ! તું પૃથ્વી ઉપર મળેલા સુખ-વૈભવમાં જ રચ્યોપચ્યો રહે છે, જીવનના સારરૂપ તત્વને તું ભીલી ગયો છે. જો તું એ તત્વનો વિચાર નહીં કરે તો તું ભવપાર કેવી રીતે થઈશ ? જીવનના સાચા સિદ્ધિરૂપ પરમાત્માને કેવી રીતે પ્રાપ્ત કરી શકીશ ?” પોપટનાં આવાં ઉપદેશાત્મક બોધવચનો સાંભળી રાજા નવાઈ પામ્યો. તેને લાગ્યું કે આ કોઈ સામાન્ય પોપટ નથી, પણ મુનિ શુકદેવજી પોતે તેને ઉપદેશ આપી રહ્યા છે. સંસારસાગરમાં ડૂબેલા મારાજેવા અજ્ઞાનીનો ઉદ્ધાર કરવા માટે ભગવાન શ્રીકૃષ્ણે જ મોકલ્યા લાગે છે. રાજા આવો વિચાર કરતો હતો એટલામાં રાજાના સિપાહીઓ પણ ત્યાં આવી પહોંચ્યા.”


પેલો પોપટ રાજાને બોધ આપી અદ્રશ્ય થઈ ગયો. વિચારોમાં ડૂબી ગયેલો રાજા સેના સાથે પોતાના રાજ્યમાં આવ્યો. રાજમહેલમાં આવ્યા પછી પણ તે પોપટના વિચારોમાં જ ડૂબેલો રહ્યો. તેને ખાવા ભાવ્યું નહીં. રાત્રે તેની ઊંઘ પણ જતી રહી. રાજાનેઆરીતે ચિંતામગ્ન જોઈ તેની રાણી એકાંતમાં પાસે આવી રાજાને પૂછવા લાગી.


 "" શ્રી વિષ્ણુ ચાલીસા ""  ગુજરાતી લખાણ સાથે  


ગુણસુંદરી બોલી : “ઓ પુરુષોત્તમ શ્રેષ્ઠ ! આ ઉદાસીનતા તમને ક્યાંથી આવી ! આટલા કેમ હતાશથઈ ગયા છો ? બધી ચિંતાઓ છોડી ભોગ ભોગવો અને આનંદિત થાઓ.” પરંતુ પત્નીના પ્રમ નિવેદનથી પણ રાજાની ચિંતા ઓછી થઈ નહીં. તે ઉદાસીમાં ડૂબી ગયો.


પતિના દુ:ખથી રાણીને ઘણું દુ:ખ થયું. રાજા દ્રઢધન્વા કઈ ચિંતામાં ડૂબી ગયો હશે તે જાણવાની તેણે ઘણી કોશિશ કરી, પણ રાજાને એ સંદેહરૂપ સમુદ્રમાંથી બહાર કાઢે તેવો કોઈ ઉપાય તેના જોવામાં ન આવ્યો.
રાજાને સતત ઘેરી વળેલી ઉદાસીથી મંત્રીઓ, સેનાપતિ,દાસ-દાસીઓ, નગરજનો પણ ચિંતામાં ડૂબી ગયા.


“ શ્રી બૃહન્નારદીય પુરાણ” ના પુરૂષોત્તમ માહાત્મ્યનો
“દ્દઢધન્વાની કથા” નામનો તેરમો અધ્યાય સંપૂર્ણ.
 
હવે પતિતપાવન પુરૂષોત્તમ માસની કથાનું રસપાન કરીએ.


મૌન મહિમાની વાર્તા


અવંતિ નગરીમાં ચાર વેદમાં નિપુણ એવો જ્ઞાની બ્રાહ્મણ રહે. તપ-જપ-વ્રતમાં સૌથી આગળ રહે. મહીના મહીનાના ઉપવાસ્સ કરે. પાંચ પાંચ વર્ષના ધારણા-પારના કરે. એમ કરતા એ સિત્તેર વર્ષનો થયો. ઉગ્ર તપના કારણે એની કાયા કૃશ થઈ ગઈ. અશક્તિ એટલી આવી ગઈ કે લાકડીના ટેકે માંડ પાંચ ડગલા ચાલી શકે.


એમ કરતાં પવિત્ર પુરૂષોત્તમ માસ આવ્યો. બ્રાહ્મણે આખો મહિનો ઉપવાસ કરવાનો સંકલ્પ લીધેલો પણ આ ઉંમરે મુશ્કેલી ઊભી થઈ. ચાલીને નદી સુધી તો જવું જ પડે.શરીરમાં એટલી શક્તિ તો હતી જ નહિ. છતાયબ્રાહ્મણે હિંમત કરી. મધરાતે લાકડીના ટેકે ચાલતો થયો, તે થાક ખાતો ખાતો છેક સવારે નદીએ પહોંચ્યો. સ્નાન કરી, વાર્તા સાંભળીને પાછો ફર્યો. ઘેર આવતા બપોર ઢળી ગયા. પાણી પીવાનાય હોશ ન રહ્યા. સિધો પડ્યો પથારીમાં, થાકના કારણે આંખ મળી ગઈ. સપનામાં પુરુષોત્તમ પ્રભુના દર્શન થયા.

રવિવારે કરો સૂર્ય નારાયણ દેવનો આદિત્ય સ્તોત્ર


પ્રભુ બોલ્યા : “હે ભક્ત ! તારા દુર્બળ દેહથી શક્ય ન હોવા છતાં તે તારો સંકલ્પ તુટવા ન દીધો તેથી હું ઘણો પ્રસન્ન થયો છું, પરંતુ એક જ દિવસના ઉપવાસે તારી આ હાલત કરી નાખી છે તો તું આખો મહિનો કઈ રીતે ટકીશ ? તારુ વ્રત તુટશે, તારો સંકલ્પ તુટશે; તેથી તું દોષમાં પડીશ. હે વત્સ ! તારી દ્રઢ શ્રદ્ધા અને ધર્મ પ્રત્યે તારી પ્રીતિ જોઈને હું તારા પર અતિ પ્રસન્ન થયો છું. તારો સંકલ્પ ન તુટે એવો રસ્તો ચીંધવા આવ્યો છું. હે ભક્ત, મૌનનો મહિમા અપાર છે. પુરૂષોત્તમમાસમાં જે મૌન પાળે છે તે ભોજન લે તો પણ તેનો બાધ નથી. તું મૌન વ્રત ધારણ કર. સુર્યોદય સુધી મૌન રાખવાનું. વળી જે નદીમાં સ્નાન કરતા મૌન ધારણ કરે છે તે પુત્રવાન અને આયુષ્યવાન બને છે. તેનું મુખમંડલ અતિ તેજસ્વી બને છે.
માર્ગ દેખાડીને પ્રભુ અંતર્ધ્યાન થઈ ગયા.


બ્રાહ્મણે તત્કાળ આખો મહિનો મૌન વ્રત ધારણ કરવાનો સંકલ્પ કર્યો. વ્રત પૂર્ણ થયે પ્રભુ પ્રગટ થયા અને બ્રાહ્મણને અખૂટ સમૃદ્ધિ આપી.
આયુષ્ય પૂર્ણ થતા6 બ્રાહ્મણ સદેહે ગોલોકમાં ગયો.


આમ, એકટાણા કરવા છતાં મૌનવ્રતના પ્રતાપે બ્રાહ્મણનું જીવન સાર્થક થયું. શાસ્ત્રો કહે છે કે એ બ્રાહ્મણના એક દિવસના મૌનવ્રતના ફળથી ઈન્દ્રરાજાએ વૃત્રાસુર રાક્ષસનો વધ કર્યો હતો.


ન બોલ્યામાં નવ ગુણ, બોલ્યે બગડી જાય;
મૌન તણો મહિમા ઘણો, પુરૂષોત્તમ પ્રસન્ન થાય.


          “પૂર્ણ પુરૂષોત્તમ પ્રભુ ! તમે જેવા મૌનવતી બ્રાહ્મણને ફળ્યા એવા સૌને ફળજો.”



Gujarati Bhakti Lekh on Whatsapp






ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો