જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખમાં આજે પાઠ કરીશું શ્રી ગણેશ ઋણહતૉ સ્તોત્ર જેના પઠન શ્રવણ માત્રથી જન્મ મરણ થી મુક્તિ મળે છે.
ઋણહતૉ ગણેશ સ્તોત્ર
સૃષ્ટપાદૌ બ્રહ્મણા સમ્યક્ પૂજિતઃ ફલસિદ્ધયે ।
સદૈવ પાર્વતીપુત્ર ઋણનાશં કરોતુ મે ||૧||
સૃષ્ટિના આરંભમાં બ્રહ્માજીએ સૃષ્ટિરૂપ ફળની સિદ્ધિ માટે
જેમનું બધી અને સારી રીતે યોગ્ય પૂજન કર્યું હતું, તે પાર્વતીપુત્ર સદાને માટે મારા ઋણનો નાશ કરે.
ત્રિપુરસ્ય વધાત્ પૂર્વ શમ્મૂના સમ્યગર્ચિતઃ ।
સદૈવ પાર્વતી પુત્ર ઋણનાશં કરોતુ મે ||૨||
ત્રિપુર દૈત્યનો વધ કરતાં પહેલાં ભગવાન શિવે જેમની પૂર્ણ રીતે આરાધના કરી હતી, તે પાર્વતી પુત્ર સદાને માટે મારા ઋણનો નાશ કરે.
હિરણ્યકશ્યપાદીનાં વધાર્થે વિષ્ણુનાર્ચિતઃ ।
સદેવ પાર્વતીપુત્ર ઋણનાશં કરોતુ મે ।।૩ ।।
ભગવાન વિષ્ણુએ હિરણ્યાકશ્યપ આદિ દૈત્યોના વધ માટે જેમની શ્રેષ્ઠ પૂજા કરી હતી, તે પાર્વતી પુત્ર સદાને માટે મારા ઋણનો નાશ કરે.
મહિષસ્ય વધે દેવ્યા ગણનાથઃ પ્રપૂજિતઃ ।
સદેવ પાર્વતીપુત્ર ઋણનાશં કરોતુ મે ||૪।।
દેવતાઓને રંજાડતા દૈત્ય મહિષાસુરના વધ માટે દેવી દુર્ગામાતાએ જે ગણનાથની પૂજા કરી હતી, એ જગજનની પાર્વતી પુત્ર ગણેશ મારા ઋણનો નાશ કરે.
તારકસ્ય વધાત્ પૂર્વ કુમારેણ પ્રપૂજિતઃ ।
સદૈવ પાર્વતીપુત્ર ઋણનાશં કરોતુ મે ॥૫॥
કુમાર કાર્તિકેયે તારકાસુરને હણવા માટે જેમની કૃપાપ્રાપ્તિ મેળવવા જેમનું યોગ્ય અને પૂર્ણ રીતે પૂજન કર્યું હતું, તે જગદંબા પાર્વતીપુત્ર ગણનાથ મારા ઋણનો સદાય નાશ કરે.
ભાસ્કરેણ ગણેશસ્તુ પૂજિતચ્છવિસિદ્ધયે ।
સદૈવ પાર્વતીપુત્ર ઋણનાશં કરોતુ મે ।।૬।।
સમગ્ર જગતને પોતાના પ્રકાશથી અજવાળતા ભગવાન સૂર્યદેવે પોતાના તેજની આભામંડળના રક્ષણ માટે જેની શ્રેષ્ઠ આરાધના કરી હતી, તે પાર્વતીપુત્ર ગજાનંદ સદાને માટે મારા ઋણનો નાશકરે.
શશિના કાન્તિસિદ્ધયર્થ પૂજીતો ગણનાયક: ।
સદેવ પાર્વતીપુત્ર ઋણનાશં કરોતુ મે ।।૭॥
શીતળ પ્રકાશ પાથરતા ચંદ્રમાએ પોતાની કાંતિની સિદ્ધિ અર્થે જેની વિધિ-વિધાનથી શ્રેષ્ઠ પૂજા કરી હતી, તે પાર્વતીપુત્ર ગણનાયક સદાને માટે મારા ઋણોનોનાશ કરે.
પાલનાય ચ તપસા વિશ્વામિત્રેણ પૂજિતઃ ।
સદૈવ પાર્વતીપુત્ર ઋણનાશં કરોતુ મે ।।૮ ॥
વિશ્વામિત્ર ઋષિએ પોતાની રક્ષા માટે જે એકદંતની યોગ્ય પૂજા કરી હતી, તે પાર્વતીપુત્ર ગણેશ મારા ઋણોનો સદાને માટે નાશ કરો.
ઈદં વૃણહરં સ્તોત્રં તીવ્રદારિદ્રયનાશનમ્ ||
એકવારં પઠેન્નિત્યં વર્ષમેકં સમાહિતઃ ||૯||
દારિદ્રયં દારુણં ત્યક્તવા કુબેરસમતાં વ્રજેત ।
આઋણહર્તા ગણેશ સ્તોત્ર દારુણ દરિદ્રતાનો નાશ કરવાવાળું છે. આ સ્તોત્રનો એક વર્ષ સુધી નિત્ય રોજ એકવાર સંપૂર્ણ શ્રદ્ધા અને ભક્તિભાવથી ચિત્તને ભગવાન ગણેશમાં પરોવી જે પાઠ કરે છે તેની અસહ્ય-કારમી દારિદ્રતા દૂર થઈ જાય છે અને તે કુબેરની જેમ ધનવાન બની જાય છે.
ફઽન્તોડચં મહામન્ત્રઃ સાર્ધપંચદશાક્ષરં: ||૧૦||
મંત્ર : ‘ૐ ગણેશ ઋણં છિધિ વરેણ્યું હું નમઃ ફટ |'
સ્તોત્રના અંતમાં ઋણહર્તા મંત્ર 'ૐ ગણેશ ઋણ છિન્ધી વરેણ્યું હું નમઃ ફટ્' જે સાડા પંદર અક્ષરનો છે, તેની એક માળા કરવી. આ ઋણહર્તા મહામંત્રનો ૧૦૮ વાર જાપ કરવાથી પાઠ કરનારનું અંતઃકરણ પવિત્ર થઈ જાય છે.
અયૈવાયુત સંખ્યાભિઃ પુરશ્ચરણમીરિતમ્ ।
સહસ્ત્રાવર્તના સઘો વાંછિતં લભતે ફલમ્ ।
ભૂત-પ્રેત-પિશાચાનાં નાશનં સ્મૃતિમાત્રતઃ ||૧૧ ॥
આ મંત્રનું એકવીસની સંખ્યામાં પુરશ્ચરણ કરવાનું કહેવામાં આવ્યું છે. છ મહિના સુધી નિત્ય આ મંત્રના એક હજાર જાપ કરવાથી પાઠ કરનાર મનુષ્ય ગણેશજીનો પ્રીતિપાત્ર બની જાય છે અને તે જ્ઞાનમાં દેવોના ગુરુ બૃહસ્પતિ જેવો અને ધનમાં કુબેર સમાન બની જાય છે. આ મંત્રનું પુનશ્ચરણ દસ હજાર જાપનું કહેવાયું છે. એક લાખ જાપ કરવાથી ઉપાસક ઋણમુક્ત થાય છે, ધનવાન બને છે અને તેના તમામ મનોરથો પૂર્ણ થાય છે, ભૂત-પ્રેત-પિશાચનો ભય દૂર થાય છે અને તે સર્વે સુખો ભોગવી જન્મ-મરણથી મુક્ત બની જાય છે.
ૐ ગં ગણપતેય નમઃ
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો