મંગળવાર, 14 ઑક્ટોબર, 2025

દિવાળી 2025 તહેવારોની યાદી | એકાદશીથી લાભ પાંચમ સુધી | Diwali Festival 2025 list date & Time | Okhaharan

દિવાળી 2025 તહેવારોની યાદી | એકાદશીથી લાભ પાંચમ સુધી | Diwali Festival 2025 list date & Time | Okhaharan


diwali-festival-2025-list-date-time
diwali-festival-2025-list-date-time

શ્રી ગણેશાય નમઃ સ્વાગત છે તમારૂ આપણા ગુજરાતી ભક્તિ લેખમાં. આજે લેખમાં જાણીશું દિવાળીના તહેવારની યાદી લઈને કેમ કે આપને ઘણી જગ્યાએથી આ દિવાળીના તહેવારની માહિતી મળતી હશે અને આપને કન્ફ્યુઝન થતું હશે તો આપનું આ કન્ફ્યુઝન દૂર કરવા માટે અમે આ લેખમાં લઈને આવી ગયા છીએ અને આ લેખમાં અમે આપને દિવાળીના દરેક તહેવારની ચોક્કસ અને સચોટ માહિતી આપવાના છીએ માત્ર 5 થી 10 મિનિટમાં લેખમાં આપણે સંપૂર્ણ માહિતી મળી જશે તથા દરેક તહેવારના મુહૂર્ત સમય પણ આપને મળી જશે.  


તો મિત્રો આમ જોવા જઈએ તો દિવાળીના તહેવારની શરૂઆત અગિયારસ એટલે કે એકાદશીથી થઈ જાય છે એટલે કે આસો વદ એકાદશી રમા એકાદશીથી થઈ જાય છે કે જે આ વર્ષે 17 ઓક્ટોબર 2025 એ શુક્રવારના દિવસે આવે છે એટલે અગિયારસ વ્રત 17 ઓક્ટોબરે કરવામાં આવશે.

બારસની તિથિની શરૂઆત થઈ જાય છે કે જે પૂર્ણ 18 ઓક્ટોબર 2025 બપોરે 12 વાગ 18 મિનિટે થાય છે એટલે વાઘબારસની પૂજા માં સરસ્વતીનું પૂજન 18 ઓક્ટોબર 2025 સવારના ભાગમાં કરવામાં આવશે અને એ પછી ધનતેરસની તિથિની શરૂઆત થઈ જાય છે જે 19 ઓક્ટોબર 2025 બપોરે 1 વાગ51 મિનિટ સુધી રહેવાની છે તો હવે ધનતેરસની પૂજા રાત્રિના સમયમાં કરવામાં આવે છે એટલે કે ધનતેરસમાં રાત્રિ પૂજાનું મહત્વ હોય છે અને 18 ઓક્ટોબર 2025 ને શનિવારે રાત્રે તેરસની તિથિ આવે છે એટલે 18 તારીખે ધનતેરસની પૂજા, દિપ દાન , યમ પૂજા, બિલી વૃક્ષ પૂજા કરવામાં આવશે જ્યારે ધનતેરસની ખરીદી 19 ઓક્ટોબર બપોરે 1 વાગ51 મિનિટ સુધી કરવામાં આવશે અથવા તો 18 તારીખે બપોરે 12 વાગ 18 મિનિટ પછી પણ આપ ધનતેરસની ખરીદી કરી શકો છો બંને સમય આ ધનતેરસની ખરીદી કરવા માટે અનુકૂળ રહેશે.


એ પછી હવે આપણે ચૌદસની તિથિની વાત કરીએ તો 19 ઓક્ટોબર બપોરે 1 વાગ૫1 મિનિટથી શરૂ થઈ 20 તારીખે બપોરે 3 વાગ 44 મિનિટ સુધી ચૌદસની તિથિ રહેવાની છે એટલે જે લોકોને રાત્રિના નિવેદ થતા હોય તેને 19 તારીખે રાત્રે નિવેદ , ખાલી પૂજા કે પછી હનુમાન પૂજા કરવાના રહેશે અને જે લોકોને બપોરના નિવેદ થતા હોય તે લોકોએ 20 તારીખે બપોરે કાળી ચૌદસના નિવેદ કરવાના રહેશે અને જે લોકો કાળી ચૌદસનો અડઘો બળઘો કે કકડાટ કાઢતા હોય ઘરમાંથી તે પણ 19 તારીખે રાત્રે કાઢવાનો રહેશે અને 20 તારીખે બપોરે 3 વાગ 44 મિનિટથી અમાસની તિથિની શરૂઆત થઈ જાય છે કે જે પૂર્ણ 21 તારીખે સાંજે 5 વાગ54 મિનિટે થાય છે એટલે દિવાળીનો તહેવાર 20 ઓક્ટોબરે ઉજવવામાં આવશે દિવાળીની જે પૂજા હોય તે પણ 20 તારીખે જ કરવામાં આવશે જે લોકો ચોપડા પૂજન કરતા હોય પોતાની દુકાનમાં ઓફિસ માં પૂજા કરતા હોય તે લોકોએ 20 તારીખે રાત્રે પૂજન કરવાનું રહેશે અને જો ઘરે કરતા હોય તો પણ 20 તારીખે રાત્રે જ પૂજા કરવાની રહેશે.


જે લોકો પ્રદોષકાળમાં પૂજા કરતા હોય તો તેનો સમય છે સાંજે 6 વાગ8 મિનિટથી રાત્રે 8 વાગ38 મિનિટ સુધીમાં અને ગૌધુલી સમયમાં પૂજા કરતા હોય તો સાંજે 6 વાગ8 મિનિટથી 6 વાગ 33 મિનિટ સુધીમાં આ પૂજા આપ કરી શકો છો તો વળી ઘણા લોકો નિશિત મુહૂર્તમાં માં પણ પૂજા કરતા હોય તો તેણે રાત્રે 11 વાગ57 મિથી મોડી રાત્રે 12 વાગ 47મિ સુધીમાં આ દિવાળીની પૂજા વિધિ કરી શકે છે એટલે આપની અનુકૂળતા અનુસાર આપ દિવાળીની પૂજા આ રીતે કરી શકો છો. 

એકમની તિથિની શરૂઆત 21 તારીખે સાંજે 5 વાગ54 મિનિટથી થાય છે કે જે 22 તારીખે રાત્રે 8 વાગ 16 મિનિટે પૂર્ણ થાય છે પરંતુ આપણામાં એવું કહેવાય કે ભાંગેલી તિથિ હોય અડધા દિવસની તિથિ હોય ત્યારથી નવા વર્ષની શરૂઆત ન થાય એટલા માટે 21 તારીખે ધોકો આવશે ત્યારે કોઈપણ તહેવાર ઉજવવામાં આવશે નહીં.


22 ઓક્ટોબર 2025 ના દિવસે બેસતું વર્ષ નવું વર્ષ ઉજવવામાં આવશે વિક્રમ સવંત 2082 ની શરૂઆત થશે અને આજ દિવસે ગોવર્ધન પૂજા અને અનકોટ ઉત્સવ પણ કરવામાં આવશે એ પછી બીજની તિથિની વાત કરીએ તો 22 ઓક્ટોબરે રાત્રે 8 વાગ 16 મિનિટથી શરૂ થઈને 23 ઓક્ટોબરે રાત્રે 10 વાગ 46 મિનિટ સુધી રહેવાની છે એટલે ભાઈબીજનો તહેવાર 23 ઓક્ટોબર 2025 ને ગુરુવારના દિવસે ઉજવવામાં આવશે આ દિવસે બપોરે અથવા રાત્રે ભાઈ તેના બહેનના ઘરે જમવા જઈ શકે છે. અને લાભપાચમની વાત કરીએ તો લાભપાચમ 26 ઓક્ટોબર 2025 ને રવિવારના દિવસે આવે છે એટલે લાભપાચમની પૂજા આજના દિવસે સવારના સમયમાં કરી શકો છો આપ નવા ધંધાની શરૂઆત કરી શકો છો અથવા તો દિવાળી પછી જે આપ લાભપાચમ અથવા તો દિવાળી પછી આપણે જે ધંધાની શરૂઆત કરીએ મુરત કરીએ ત્યાં લાભપાચમથી એટલે કે 26 તારીખથી કરી શકો છો.

દેવ દિવાળી એટલે કે કાર્તક મહિનાની પૂનમ 5 નવેમ્બર 2025 ને બુધવારના દિવસે ઉજવવામાં આવશે


આ સંપૂર્ણ લેખમાં ધનતેરસ 18 તારીખે કાળી ચૌદસ 19 તારીખે દિવાળી 20 તારીખે બેસતુ વર્ષ 22 તારીખે ભાઈબીજ 23 તારીખે લાભપાચમ 26 તારીખે ઉજવવામાં આવશે તો આશા છે કે હવે આપ સૌ લોકોને દિવાળીના તહેવારની માહિતી મળી ગઈ હશે.

આપ સૌ લોકોને દિવાળીના તહેવારની માહિતી મળી ગઈ હશે તો અત્યારે જ આપના મિત્રોને પણ આ લેખ શેર કરી દેજો અને તેનું કન્ફ્યુઝન પણ દૂર કરી દેજો.





દિવાળી સફાઈ વખતે આ વસ્તુઓ ફેંકી દો માતા લક્ષ્મીનું ધરમાં થશે આગમન અહી ક્લિક કરો.    


શ્રી ગણેશજી ના 12 નામ જાપ દરેક કાર્ય ના વિધ્ન દૂર થશે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.    

 આજે પાઠ કરો  ચિંતા રોગ બંધન માંથી મુક્તિ દેનાર ગણેશ મયુરેશ સ્તોત્ર  અહી ક્લિક કરો.     

 શ્રી ગણપતિના ""સિદ્રિદાયક મંત્રો"" એક અક્ષર થી સોળ અક્ષર મંત્રો અહી ક્લિક કરો. 

 

આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો. 

 

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

શ્રી હનુમાનજીનો આ પાઠ નિયમિત ઉપાસના કરવાથી સમસ્ત કષ્ટોનું સરળતાથી નિવારણ થાય અહી ક્લિક કરો.  

 

શ્રી મહાલક્ષ્મી નો આ પાઠ કરવાથી ગરીબ પણ કરોડપતિ બની જાય અહી ક્લિક કરો.      

 

 શુભ દિવસે શ્રી મહાલક્ષ્મી માં ના ૧૦૮ નામ જાપ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

 

Disclaimer: અહી ઉપરોક્ત કોઈપણ માહિતી અથવા આ કાયૅ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.આમાં Okhaharan.com તેની પુષ્ટિ કરતું નથી.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો