જીવંતિકા માં વ્રત કયારે છે ? જીવંતિકા માં વ્રત ઉજવણું કેવી રીતે કરવી ? | jivantika vrat date 2026 vrat ujavanu Gujarati | Okhaharan
 |
| jivantika-vrat-date-2026-vrat-ujavanu |
શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખ માં આજે આપણે જાણીશું 2026 જીવંતિકા માં વ્રત કયારે છે ? જીવંતિકા માં વ્રત ઉજવણું કેવી રીતે કરવી ?
સોહાગણ સ્ત્રીઓના સર્વ મનોરથ અને મનોકામના પૂર્ણ કરનાર આ વ્રત શાસ્ત્રોમાં ઉત્તમ ગણાયું છે. સર્વ રીતે મંગલ કરનાર, આધિ-વ્યાધિ અને ઉપાધિ હરનાર, દુ:ખ-શોક દૂર કરનાર અને સકળ શુભ મનોરથ સિદ્ધ કરનાર આ અતિ પવિત્ર જીવંતિકા વ્રત પવિત્ર શ્રાવણ માસના પ્રથમ શુક્રવારે કરાય છે. સોહાગણ સ્ત્રી પોતાનાં સંતાનોના દીર્ઘાયુષ્ય માટે તેમજ પોતાના સૌભાગ્યની રક્ષા માટે શ્રદ્ધાથી આ વ્રત કરે છે. આ વ્રત કરનાર સોહાગણ સ્ત્રીનાં સંતાનોની માં જીવંતકા સર્વ પ્રકારે રક્ષા કરે છે.
આ વ્રત શ્રદ્ધાથી કરનાર સોહાગણ સ્ત્રીના બાળકની દેશ-પરદેશમાં, શહેર-જંગલમાં, અજવાળે-અંધારે માં જીવંતિકા રક્ષા કરે છે. પુરાણોએ અતિ પવિત્ર માનેલા આ વ્રતનો પ્રભાવ એટલો બધો છે કે જેના બાળક જીવતા ન હોય એ જીવે છે અને વળી, દીર્ઘાયુષ્ય પામે છે. વાંઝણી ને સ્ત્રી પુત્રરત્ન પામે છે. માં જીવંતિકાના પ્રતાપે એનું વાંઝિયામેણું ટળે છે. વળી, આ વ્રતનું માહાત્મ્ય એવું છે કે વિધવા સ્ત્રી પણ પોતાનાં સંતાનોના દીર્ઘાયુષ્ય માટે તેમજ તેની રક્ષા માટે આ વ્રત કરી શકે છે.
મા જીવંતિકા વ્રતનું ઉજવણું
આ વ્રત પાંચ, સાત કે નવ વર્ષે ઉજવાય છે. આ વ્રતનું ઉજવણું પવિત્ર શ્રાવણ માસના પ્રથમ શુક્રવારે કરવું. પ્રથમ શુક્રવારે કોઈ અડચણ કે આવરણ હોય તો કોઈ પણ શુક્રવારે કરવામાં બાધ નથી. ઉજવણામાં એક સૌભાગ્યવતી સ્ત્રી,એક કુંવારિકા અને એક બટુક એમ ત્રણ જણાને ભાવપૂર્વક જમાડવા. જમણમાં મિષ્ટાન બનાવવા. વ્રત ઉજવનાર તથા ઘરના સર્વે જમી શકે છે. કારણ કે આ જમણ મા જીવંતિકાની પ્રસાદી ગણાય. માં જીવંતિકાનો પ્રસાદ લેનાર જીવમાત્રના આચાર-વિચાર અને વાણી-વર્તન શુદ્ધ થાય છે.
- સૌભાગ્યવતી સ્ત્રી, કુંવારિકા તથા બટુકને જમાડયા પહેલાં કંકુ, ચોખા અને પુષ્પથી એમનું પૂજન કરવું. યથાશક્તિ વસ્ત્રો આપવાં. શક્તિ ન હોય તો પણ સૌભાગ્યના શણગાર, જેમકે ચૂડી-ચાંદલો વગેરે તો આપવા જ. જમાડયા પછી યથાશક્તિ દક્ષિણા આપવી અને શ્રદ્ધાપૂર્વક વંદન કરવા. વ્રત ઊજવ્યા પછી પણ આ વ્રત આખી જિંદગી કરી શકાય. એનાથી મા જીવંતિકાની અમીદ્રષ્ટિ રહે છે. જોકે એક વાર વ્રત ઊજવી લીધા પછી ફરીવાર ઉજવણું ન કરવું.
જીવંતિકા વ્રત 5 શુક્રવાર
આ વષૅ 2026 માં જીવંતિકા વ્રત 5 શુક્રવાર છે જેની તારીખ આ પ્રમાણે છે.
પ્રથમ 14-8-2026
દ્રિતીય 21-8-2026
તૃતીયા 28-8-2026
ચતૃથ 4-9-2026
પંચમ – 11-9-2026
પરંતુ આ છેલ્લા શુક્રવાર અમાસ હોવાથી આ દિવસે વ્રત ના કરો
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો