શુક્રવાર, 18 માર્ચ, 2022

હોળી સ્પેશ્યલ ટોપ 5 રાઘા કૃષ્ણ ભજન ગુજરાતી લખાણ સાથે | Holi Bhajan Krishna Special Bhajan Gujarati Lyrics | Okhaharan

હોળી સ્પેશ્યલ ટોપ રાઘા કૃષ્ણ ભજન ગુજરાતી લખાણ સાથે | Holi Bhajan Krishna Special Bhajan Gujarati Lyrics | Top 5 Krishna Bhajan | Okhaharan

Holi-Bhajan-Krishna-Special-Bhajan-Gujarati-Lyrics
Holi-Bhajan-Krishna-Special-Bhajan-Gujarati-Lyrics

 

શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખ માં આજે આપણે જાણીશું  હોળી સ્પેશ્યલ ટોપ 5 રાઘા કૃષ્ણ ભજન ગુજરાતી લખાણ સાથે. Wish You Happly Holi to all.

નારાયણ નો આ કવચ નો પાઠ કરવાથી તમામ પ્રકારના ભય માંથી મુક્તિ મળે છે અહી ક્લિક કરો.  

બાંકે બિહારીલાલ રંગે રમે રે


રંગે રમે રંગે રમે, રંગે રમે રે.
બાંકે બિહારીલાલ રંગે રમે રે,
ગોકુળના ગ્વાલ બાલ સંગે રમે રે,
બાંકે બિહારીલાલ રંગે રમે રે... રંગે રમે...

કેસરીયાં વાઘા ને જરકસી કોર છે, (૨)
બાંકે બિહારીનો લટકો કાંઈ ઓર છે,(૨)
માથે-મુગુટ મોર પિંછ સોહે રે,
બાંકે બિહારીલાલ રંગે રમે રે.. રંગે રમે...

એક બાજુ ગોપી ને એક બાજુ ગ્વાલ છે, (૨)
ગોરી ગોરી રાધા સામે કારો કારો કાન છે (૨)
શ્યામથી રંગાઈ રાધા શ્યામ બને રે,
બાંકે બિહારીલાલ રંગે રમે રે... રંગે રમે...

તનડું રંગાયુ આજ મનડું રંગાય છે,(૨)
રંગના ઉમંગમાં હૈયું હરખાય છે,(૨)
ગોકુળ બરસાના સંગ સંગ રમે રે,
બાંકે બિહારીલાલ (આજ) રંગે રમે રે... રંગે રમે...

રંગે રમતો શામળો રંગ માં રંગવતો (૨)
ગોપ ગોપી રાધા સંગ નાચતો નચાવતો (૨)
''ભક્તિ આનંદ' છોળ હૈયે ઉડે રે,
બાંકે બિહારીલાલ રંગે રમે રે... રંગે રમે...


 શ્રી લક્ષ્મીનારાયણ દેવ આ પાઠ કરવાથી તમામ પાપોમાંથી મુક્તિ થઈ વિષ્ણુ લોક પ્રાપ્તિ થાય છે અહી ક્લિક કરો.  

બરસાના ખેલે હોળી


બરસાના ખેલે હોળી, ખેલે હોળી ચાલો - બરસાના
પાંચ વ૨સકા કુંવર કનૈયા
સાત વરસ રાધે ગોરી, રાધે ગોરી - ચાલો

યુવા યુવા ચંદન ઓર અરગજા
અબીલ ગુલાલકી ભર ઝોળીરે, ભર ઝોળી - ચાલો

ઈત ગોકુળ ઈત મથુરા નગરી
બીચ બહે યમુના ઘેરી રે, યમુના ઘેરી - ચાલો

હાથ મેં ગુલાલ - ગુલાબ ફેં ટમેં
લાલાજી કે હાથ ગુલાબ છડી રે, ગુલાબ છડી - ચાલો

સુરદાસ પ્રભુ તિહારે મિલનકો
રાધાકીશન ખેલે હોળી રે, ખેલે હોળી - ચાલો


હોળી આવી રે

 
હોળી તો વૃજવાસી ખેલે ખેલે વૃજ ની નાર... હોળી આવી રે
જમનાજી ના કાંઠે ખેલે ખેલે નંદજીનો લાલ... હોળી આવી રે
મોર મુગટ ને મુખડું મલકે
ઉડે અબીલ ગુલાલ... હોળી આવી રે
પીળા તે પીતાંબર પહેર્યો
પિચકારી તૈયાર... હોળી આવી રે
સામા સામી ભરી પિચકારી
મુખડું લાલ ગુલાલ... હોળી આવી રે
કેસુડાનો રંગ રૂપાળો
ખેલે માઝમ રાત... હોળી આવી રે
સાડી મારી કેસરભીની
જોબન ઘેલી નાર... હોળી આવી રે
વસંતના તો વાયુ વાયા


ગીતાજી માં કહેલા શ્રી વિષ્ણુ ભગવાન ૧૦૮ નામ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

 ચાલે ચટકતી ચાલ... હોળી આવી રે
બરસાના થી રાધા આવી
લઈને અબીલ ગુલાલ... હોળી આવી રે
ગોકુળ ગામ થી કાનજી આવ્યા
ભરી પીચકારી હાથ... હોળી આવી રે
ભક્ત મંડળ ના સ્વામી શામળિયા
ઉતારો ભવ પાર... હોળી આવી રે
હોળી તો વૃજવાસી ખેલે
ખેલે વૃજની નાર... હોળી આવી રે

હોળી ખેલવાને આવ્યો નંદજીનો લાલ


ગોકુળ કેરી ગલીયોમાં જામી છે ધમાલ,
 હોળી ખેલવાને આવ્યો નંદજીનો લાલ,
વૃન્દાવનની કુંજ ગલીમાં જામી છે ધમાલ,
હોળી ખેલવાને આવ્યો નંદજીનો લાલ...

બાંકેબિહારી આજે બન્યો છે મસ્તાનો,
પીળું પિતાંબર ને કેશરીયો જામો,
મોર-મુકુટ માથે તિલક છે લાલ.… હોળી...

ગોપીઓનાં ટોળે વ્હાલો રાધાને નિહાળે,
 કેસુડાની પીચકારી તન પર મારે,
ખોબલે, ખોબલે, ઉડાડે છે અબીલ ગુલાલ... હોળી...

વસંતનો ઉત્સવ જાણે, વ્રજમાં છવાયો,
 છાનો માનો છટકી જાય જશોદાનો જાયો,
ઘેરૈયાએ ઘેરી લીધા વૃજનાં વૃજલાલ... હોળી...

રંગ રસિયા રમવા આવ્યા છે આજે,
તનડામાં તાલાવેલી 'દર્શન' કાજે, રંગીલો બન્યો છે
આજે ગાયોનો ગોવાળ... હોળી...

ગીતાજીમાં કહેલા શ્રી કૃષ્ણ ભગવાનના 108 નામ ગુજરાતી લખાણ સાથે 

કાન હોળી રમવા આવે છે


આવે છે રે આવે છે, કાન હોળી રમવા આવે છે; (૨)
સાથે ગોવાળની ટોળીને લાવે છે...કાન હોળી...(૨)

ગોકુળ ગામડે ઘરે ઘરેથી (૨)
રંગે રમવાને બોલાવે છે...કાન...હોળી...(૨)

કેસુડાનાં રંગથી ભરી પીચકારીઓ (૨)
રસ્તે રમાતાંને રંગાવે છે...કાન...હોળી... ‍

અબીલ ગુલાલની રમઝટ ઉડતી (૨)
શેરીઓમાં ધુમ મચાવે છે...કાન...હોળી... (૨)

ઝાંઝ, પખાજ ને મૃદંગ વાગતાં (૨)
વૃજલોકોની નિંદર ઉડાવે છે... કાન... હોળી... (૨)

 ગોકુળ ગામથી, ઘેરૈયાં નીસરી (૨)
બરસાનો ગામે ગજવે છે..કાન...હોળી...(૨)

રાધા સાથે સહું, ગોપીઓરે નીસરી (૨)
જોવા જેવો રંગ જમાવે છે...કાન.. હોળી...(૨)

‘દીન બાળક’ એવાં, રંગને નીરખતાં (૨)
 હૈયાનાં ભાન ભુલાવે છે..કાન...હોળી...(૨)

એકાદશી ના દિવસે ગીતાજી નો આ સ્ત્રોત કરવાથી જ્ઞાન સિદ્ધિ મેળવી ને પરમ પદ પામે છે

એકાદશી ના કેટલાક નિમ્નલિખિત કયો ના કરવા જોઈએ તે વાંચવા અહીં ક્લિક કરો

શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય માહાત્મ્ય કથા | Geeta Adhyay   



In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission.

 

  જય શ્રી કૃષ્ણ  રુદ્રાભિષેક ,  લઘુરુદ્ર યજ્ઞ,મહારૂદ્રયજ્ઞ, ગૃહવાસ્તુ પુજન, નવગ્રહ શાંતિ , નવગ્રહ મંત્ર જાપ , કાલસપૅ દોષ , ચાંડાલ દોષ, અંગારક દોષ વગેરે જન્મ કુંડળી ના દરેક દોષોનું નિવારણ , નવચંડી યજ્ઞ, શતચંડી યજ્ઞ, પ્રાણપતિષ્ઠા વિધિ, કરનાર. તેમજ  આ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

ગુરુવાર, 17 માર્ચ, 2022

શ્રી નૃસિંહ વિષ્ણુ અવતાર 5 પાવરફુલ મંત્ર જે દરેક કાયૅ તથા શત્રુ સામે વિજય આપવે | Narsingh Powerful Mantra Gujarati Lyrics | Okhaharan

 શ્રી નૃસિંહ વિષ્ણુ અવતાર 5 પાવરફુલ મંત્ર જે દરેક કાયૅ તથા શત્રુ સામે વિજય આપવે | Narsingh Powerful Mantra Gujarati Lyrics | Okhaharan 

Narsingh-Powerful-Mantra-Gujarati-Lyrics
Narsingh-Powerful-Mantra-Gujarati-Lyrics

 

શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખ માં આજે આપણે જાણીશું શ્રી નૃસિંહ વિષ્ણુ અવતાર 5 પાવરફુલ મંત્ર જે દરેક કાયૅ તથા શત્રુ સામે વિજય આપવે.


નારાયણ નો આ કવચ નો પાઠ કરવાથી તમામ પ્રકારના ભય માંથી મુક્તિ મળે છે અહી ક્લિક કરો.  

શ્રી નૃસિંહ એ વિષ્ણુ ભગવાન ના દસ અવતાર માનો ચોથો અવતાર છે. જે પોતાના ભક્ત માટે કંઈ પણ કરવા તૈયાર હોય છે અને વિષ્ણુ ના દસ અવતાર માંથી સૌથી ભયંકર અવતાર નૃસિંહ છે જેમનું ઘડ સિંહ જેવું , શરીર માણસ જેવું છે. ભગવાન આ અવતાર તેમના પરમ ભક્ત માનો એક ભક્ત પ્રહલાદ ના રક્ષણ માટે લીધો હતો. ભક્ત પ્રહલાદ ના પિતા હરિણ્યાકશિપુ ભગવાન વિષ્ણુ ના દુશ્મન હતા અને એમની જે ભક્તિ તેને પણ એ સજા આપતા હતા પણ દિકરો ગુરૂ દક્ષિણા માં વિષ્ણુ ભક્તિ શિખ્યો હતો. ભક્ત પ્રહલાદ ને અનેક મારવા પ્રયાસ કર્યા પણ ના મારી શકયો એમાં એક હોળી નો પસંગ છે જે આપ જાણો જ છો તો ચાલો હવે આપણે જાણીએ શ્રી નૃસિંહ અવતાર 5 પાવરફુલ મંત્રો

1) બીજ મંત્ર
શ્રૌ ક્ષૌ 

342 વષૅ પછી બની રહેલા સંયોગ ના દિવસે હોળીની ભસ્મ કરો ઉપાય


2) સંકટમોચન નૃસિંહ મંત્ર
ધ્યાયેન્નૃસિહં તરૂણાકૅનેત્રં સિતામ્બુજાતં જ્વલિતાગ્રિવક્ત્રમ્
અનાદિમધ્યાન્તમજં  પુરાણમ્ પરાત્પરેશમ્ જગતામ્ નિધાનમ્ 


Vishnu-Sahastra-Path-In-Gujarati-Lyrics 

 
3) ૐ ‌‌‌ઉગ્રં વીરં મહાવિષ્ણુ જ્વલંતં સવૅતોમુખં

4) નૃસિંહ ભીષણમ્ ભદ્રમ્ મૃત્યુ  મૃત્યું નમામયહમ્

5) નૃમ નૃમ નૃમ નર સિંહાય નમઃ 

 


વાંચો ભક્ત પ્રહલાદ ની નૃસિંહ ઉદભવ કથા અહી ક્લિક કરો.  

 

નૃસિંહ ભગવાનનાં પૂજા કરતી વખતે કેટલાક મંત્રોનો જાપ કરવાથી ઈચ્છિત ફળ મળે છે.


એકાક્ષર નૃસિંહ મંત્રનો સિદ્ધ મંત્ર: "ક્ષૌં"

ત્ર્યક્ષરી નૃસિંહ મંત્ર: "ॐ ક્ષૌં ॐ "

ષડાક્ષર નૃસિંહ મંત્ર: "ॐ હ્રીં ક્ષૌં ક્રૌં હૂં ફટ્ "


નૃસિંહ ગાયત્રી: 

" ॐ ઉગ્ર નરસિંહાય વિદ્મહે વ્રજ નખાય ધીમહિ તન્નો નરસિંહઃ પ્રચોદયાત્ । 

નૃસિંહ ગાયત્રી: 

" ॐ વજ્ર-નાખાય વિદ્મહે તીક્ષ્ણ-દ્રષ્ટયા ધીમહિ. તન્નો નરસિંહઃ પ્રચોદયાત્ ।

 
મિત્રો આ 5 પાવરફુલ મંત્રો હું આશા રાખું આપને આ લેખ  પસંદ આવ્યો હશે તો મિત્રો સાથે શેર કરજો 

 


 

 શ્રી લક્ષ્મીનારાયણ દેવ આ પાઠ કરવાથી તમામ પાપોમાંથી મુક્તિ થઈ વિષ્ણુ લોક પ્રાપ્તિ થાય છે અહી ક્લિક કરો.  


ગીતાજી માં કહેલા શ્રી વિષ્ણુ ભગવાન ૧૦૮ નામ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     


ગીતાજીમાં કહેલા શ્રી કૃષ્ણ ભગવાનના 108 નામ ગુજરાતી લખાણ સાથે 


એકાદશી ના દિવસે ગીતાજી નો આ સ્ત્રોત કરવાથી જ્ઞાન સિદ્ધિ મેળવી ને પરમ પદ પામે છે


એકાદશી ના કેટલાક નિમ્નલિખિત કયો ના કરવા જોઈએ તે વાંચવા અહીં ક્લિક કરો


શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય માહાત્મ્ય કથા | Geeta Adhyay   



In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission.

 

  જય શ્રી કૃષ્ણ  રુદ્રાભિષેક ,  લઘુરુદ્ર યજ્ઞ,મહારૂદ્રયજ્ઞ, ગૃહવાસ્તુ પુજન, નવગ્રહ શાંતિ , નવગ્રહ મંત્ર જાપ , કાલસપૅ દોષ , ચાંડાલ દોષ, અંગારક દોષ વગેરે જન્મ કુંડળી ના દરેક દોષોનું નિવારણ , નવચંડી યજ્ઞ, શતચંડી યજ્ઞ, પ્રાણપતિષ્ઠા વિધિ, કરનાર. તેમજ  આ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

બુધવાર, 16 માર્ચ, 2022

342 વષૅ પછી બની રહેલા સંયોગ ના દિવસે હોળીની ભસ્મ કરો ઉપાય | Holika Dahan 2022 Gujarati Upay | Okhaharan

 342 વષૅ પછી બની રહેલા સંયોગ ના દિવસે હોળીની ભસ્મ કરો ઉપાય |  Holika Dahan 2022 Gujarati Upay | Okhaharan

Holika-Dahan-2022-Gujarati-Upay
Holika-Dahan-2022-Gujarati-Upay

 

શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખ માં આજે આપણે જાણીશું 342 વષૅ પછી બની રહેલા સંયોગ ના દિવસે કરો હોલીકા દહન ઉપાય ઘરની બધી પરેશાનીઓ દૂર થશે, મા લક્ષ્મીના આશીર્વાદ મળશે

 નારાયણ નો આ કવચ નો પાઠ કરવાથી તમામ પ્રકારના ભય માંથી મુક્તિ મળે છે અહી ક્લિક કરો.   

ફાગણ માસ ની પુર્ણિમા ને હોલીકા દહન તહેવાર ઉજવવામાં આવે છે. જે આ વષૅ 17 માચૅ 2022 ગુરૂવારે રોજ રહેશે આ દિવસે આમ તો સંધ્યા સમયે હોળી પ્રગટાવવામાં આવે છે પરંતુ આ વખતે ભદ્રા નક્ષત્ર મુજબ હોળી પ્રગટાવવામાં સમય રાત્રે 9:02 થી 10:14 સુધીનો સૌથી ઉત્તમ સમય છે અને આ વષૅ 342 વષૅ પછી ખાસ ગજકેસરી યોગ , વરિષ્ઠ , અને કેદાર યોગ બને છે આ દિવસે કરેલા ઉપાય શુભ ફળ આપે છે.હોલીકા દહનની ભસ્મ કેટલાક નાના ઉપાય કરવાથી ધરમાં શાંતિ , કુંડળી માં શાંતિ થતા અનેક રોગ માંથી મુક્તિ મળે છે અને સાથે માતા લક્ષ્મી ના આશીર્વાદ પણ રહે છે.


જીવનમાં રહેલી નકારાત્મકતા દૂર કરવા માટે ઉપાય


હોલિકા દહનની એ નકારાત્મક નષ્ટ કરે છે અને એની ભસ્મ ને અતિ શુભ માનવામાં આવે છે આ ભસ્મ ને બીજા દિવસે ધરમાં લાવીને ધરના આઠ ખુણામાં છાંટી દો આમ કરવાથી ધરમાં રહેલી તમામ પ્રકાર ની નકારાત્મક ઊર્જા નો નાશ થાય છે. ધરમાં સુખ સમૃદ્ધિ અને માતા લક્ષ્મી નું આગમન થાય છે.


જેને કુંડળીમાં રાહુ-કેતુ દોષથી મુક્તિ મેળવવા


જે લોકો ની કુંડળી માં રાહુ કેતુ દોષ અથવા કાલસર્પ ગ્રહ દોષ હોય તૈમને હોલીકા દહન ના બીજા દિવસે એ હોળીની ભસ્મ લઈ એને શુદ્ધ પાણીમાં મિક્સ કરીને મહાદેવ ના મંદિર માં વિધિ વધ રીતે શિવલિંગ પર અભિષેક કરવો આમ કરવાથી તમામ ગ્રહ દોષ મુક્ત થાય છે અને જીવનમાં પ્રગતિ ના રસ્તા ખુલે છે.   


રાત્રે સૂતા પહેલાં શ્રી ગણેશ ની આ સ્તુતિ કરી લેજો સવૅ પ્રકારના વિધ્નો નાશ પામશે અહી ક્લિક કરો. 

 હોળી ની ભસ્મ કપાળ પર લગાવાના ફાયદા


 હોળી દહન પછી હોળી ઠંડી પડે ત્યારે તેની ભસ્મ ને કપાળ પર લગાવવી શુભ માનવામાં આવે છે. તેનાથી આપણા શરીરમાં રહેલી તમામ પ્રકાર ની  નકારાત્મક ઉર્જા દૂર થાય છે. સાથે સાથે દરેક કાયૅ માં સકારાત્મક ઉર્જા નો સંચાર થાય છે.અને ગમે તેવા અટકેલા કાયૅ પણ પૂર્ણ થાય છે.  


જે લોકો લાબા સમય થી રોગમાંથી પીડાતા હોય તેમનો ઉપાય

 

જે લોકો લાંબા સમયથી નાની મોટી બીમાર રહેતી હોય તે લોકોએ હોળીની આગમાં ગાયના  ઘીમાં બે લવિંગ, એક પાતાસુ સાથે એક સોપારી નાખે છે. એવી જગ્યા નાખો જેથી તમે એને સરળતાથી તેની રાખ લઈ શકો પછી આ ભસ્મ ને એ બીમાર વ્યક્તિ ના શરીર પર લગાવો અને પછી થોડા હુંફાળા પાણીથી સ્નાન કરાવો આમ કાયૅ કરવાથી ઝડપથી બીમાર વ્યક્તિ બીમારીઓ દૂર થશે.  


મિત્રો આ હતી હોલીકા દહન ઉપાય ની માહિતી અને કેટલાક નાનાકડા ઉપાય હું આશા રાખું તમને જરૂર પસંદ આવ્યું હશે

 

વાંચો ભક્ત પ્રહલાદ ની નૃસિંહ ઉદભવ કથા અહી ક્લિક કરો. 

આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો. 

 ગીતાજી માં કહેલા શ્રી વિષ્ણુ ભગવાન ૧૦૮ નામ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

ગીતાજીમાં કહેલા શ્રી કૃષ્ણ ભગવાનના 108 નામ ગુજરાતી લખાણ સાથે 

એકાદશી ના દિવસે ગીતાજી નો આ સ્ત્રોત કરવાથી જ્ઞાન સિદ્ધિ મેળવી ને પરમ પદ પામે છે

એકાદશી ના કેટલાક નિમ્નલિખિત કયો ના કરવા જોઈએ તે વાંચવા અહીં ક્લિક કરો

શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય માહાત્મ્ય કથા | Geeta Adhyay   



In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission.

 

 

  જય શ્રી કૃષ્ણ  રુદ્રાભિષેક ,  લઘુરુદ્ર યજ્ઞ,મહારૂદ્રયજ્ઞ, ગૃહવાસ્તુ પુજન, નવગ્રહ શાંતિ , નવગ્રહ મંત્ર જાપ , કાલસપૅ દોષ , ચાંડાલ દોષ, અંગારક દોષ વગેરે જન્મ કુંડળી ના દરેક દોષોનું નિવારણ , નવચંડી યજ્ઞ, શતચંડી યજ્ઞ, પ્રાણપતિષ્ઠા વિધિ, કરનાર. તેમજ  આ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો.👇👇👇 

મંગળવાર, 15 માર્ચ, 2022

મંગળવાર અને પ્રદોષ એટલે ભૌમ પ્રદોષ માહાત્મય અને 9 નાનકડાં ઉપાય આખુ વષૅ ઘનવષૉ રહે | Bhom Pradosh 2026 Gujarati Upay | Okhaharan

 મંગળવાર અને પ્રદોષ એટલે ભૌમ પ્રદોષ માહાત્મય અને 9 નાનકડાં ઉપાય આખુ વષૅ ઘનવષૉ રહે | Bhom Pradosh 2026 Gujarati Upay | Okhaharn |

Bhom-Pradosh-2022-Gujarati-Upay
Bhom-Pradosh-2022-Gujarati-Upay

 

શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખ માં આજે આપણે જાણીશું ભૌમ પ્રદોષ પુજન સમય , કેટલાક નાનકડા ઉપાય કરવાથી ઋણ મુક્તિ, મંગળ સંબંધિત સમસ્યા, અને આખું વષૅ ધનવષૉ રહે એ આપણે જાણીએ. 

શ્રી ગણેશ 32 નામ સ્વરૂપ નામ પાઠ માત્રથી સવૅ પરેશાની નાશ થાય છે  અહી ક્લિક કરો. 


મંગળવાર નો દિવસ અને ત્રિયેદશી તિથિ બંને શુંભ સંયોગ ને ભૌમ પ્રદોષ કહેવાય છે. પ્રદોષ તિથિ ભગવાન શિવ ને અપણૅ છે.ભૌમ પ્રદોષ વ્રત સંપૂર્ણ શ્રદ્ધાથી કરવાથી જીવનમાં સુખ, સમૃદ્ધિ, ધન, અન્ન, સંતાન વગેરેની પ્રાપ્તિ થાય છે. એક માસ બે સુદ અને વદ પક્ષ ના પ્રદોષ હોય છે . આ વષૅ ફાગણ માસ બની રહેલા ખાસ સંયોગ કારણે બંને સુદ અને વદ પ્રદોષ મંગળવારે આવે છે. 


 પુજન સમય  સાંજે સૂર્યાસ્ત ના એક કલાક પહેલા શરૂ કરી સૂયૉસ્ત ના એક કલાક પછી પુજન નો ઉત્તમ સમય છે. આ પુજન માં શિવ પુજન કરવામાં આવે છે.શિવજી ને ખાસ પુજન માં તેમની પ્રિય વસ્તુઓ  ભાંગ, ધતુરા, બેલપત્ર, ગંગાજળ, સફેદ ચંદન, સફેદ ફૂલ ચઢાવવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે પ્રદોષ વ્રતના દિવસે શિવ મંત્રોનો જાપ કરવાથી ભગવાન પોતાના ભક્તોની તમામ મનોકામનાઓ પૂર્ણ કરે છે.



હવે આપણે જાણીએ ભૌમ પ્રદોષ  કેટલાક ઉપાય કરવાથી જીવનમાં રહેલી ધણી સમસ્યા નું નિવારણ થાય છે.


1. જે લોકોના લગ્ર થઈ ગયા હોય અને નાના નાના દરેક કાયૅ માં જો દુઃખ આવતા હોય એમને આ  પ્રદોષ વ્રતના દિવસે એક નાની વાટકીમાં સિંદુર લો તેમાં ચમેલી નું તેલ ઉમેરી મિક્સ કરો પછી એક શ્રી ફળ લો તેની ઉપર સ્વસ્તિક નું ચિન્હ બનાવો. હવે તે શ્રી ફળ ને પવનપુત્ર હનુમાનજીના ચરણોમાં ચઢાવો. આમ કરવાથી તમારા જીવનમાંથી દુઃખ દૂર થશે.



આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો. 


2. જો તમારા દરેક કાયૅ તમને નકારાત્મક વિચારો આવતા હોય અને તેને  તમને સકારાત્મક ઉર્જા ફેરવા ઈચ્છતા હોવ તો આ ભૌમ પ્રદોષ ના દિવસે સ્નાન આથી નિત્ય ક્રમ પરવારી સ્વચ્છ વસ્ત્રો પહેરીને, સૌથી પહેલા હનુમાનજીની પ્રાર્થના કરો  ત્યારબાદ હનુમાન ચાલીસાનો પાઠ ઓછામાં ઓછો સાત વખત કરો આમ કરવાથી સકારાત્મક ઉર્જા વધારો થશે.


3. જો તમારો કોઈ ધંધો હોય એમાં તમારે નુકસાની થતી હોય તો અને વ્યવસાયમાં સ્થિરતા જળવાઈ રહે એના માટે આ ભૌમ પ્રદોષ વ્રતના દિવસે  શિવજી નું ત્રણ મુખી રુદ્રાક્ષની શિવ મંદિર માં પૂજા કરો પછી તેને ગળામાં પોતાના ગળામાં વિધિ વાત રીતે ધારણ કરો આ ઉપાય કરવાથી વેપારમાં થતા  વ્યવસાયમાં સ્થિરતા રહેશે.


4. જો તમારે કોઈ પણ પ્રકાર ની લોન, કોઈ પણ પ્રકાર નું દેવું અને એમાં વહેલી તકે પતાવાવ માંગતા હોવ તો આ ભૌમ પ્રદોષના દિવસે સ્વચ્છ થઈને મંદિર પાસે બેસીને અગરબતી કે ધુપ કરીને ઋણ મોચન મંગલ સ્ત્રોતનો પાઠ કરો.


5. જો તમે ભવિષ્યમાં તમારે આર્થિક પરિસ્થિતિ નો મુશ્કેલીનો સામનો કરવો ન પડે, માટે આ ભૌમ પ્રદોષ સાંજે હનુમાન મંદિર અથવા ઘરે જાવ અને ની  દીવો પ્રગટાવીને તેમને બુંદીનો પ્રસાદ ચઢાવો. આને 5-7 વખત ચાલીસાનો પાઠ પણ કરો.


6. જો તમે કોઈ ને ઉધાર, કે લોન ના રૂપિયા હોય અને પાછા નથી આવતા આ ભૌમ પ્રદોષ ના દિવસે  હનુમાનજીને ગોળ અને ચણા ચઢાવો. પછી મંગળદેવ નો બીજો મંત્ર ૐ ક્રામ્  ક્રીમ્ ક્રૌં સ: ભૌમાય નમ:  એક માળા કરો આમ કરવાથી તમને તમારા રોકાયેલા પૈસા પાછા મળશે.


હનુમાનજી ના આ 5 મંત્ર હંમેશા કૃપા રહેશે અહી ક્લિક કરો. 


 7. જો તમારા જીવનમાં ખિલખિલાટ કરતું બાળક સંતાન ઈચ્છાતા હોવ તો આ ભૌમ પ્રદોષ ના દિવસે  હનુમાનજીના  મંદિરમાં મસૂરનું દાન કરવું જોઈએ. આમ કરવાથી તમારી સંતાનની ઈચ્છા જલ્દી પૂરી થશે.


8. જોતમારા જીવનમાં તમામ સારા નસીબ ઇચ્છતા હોવ, તો આ ભૌમ પ્રદોષ ના દિવસે   આવી વાળંદ અથવા દરજીને મીઠી વસ્તુ જેમ કે ચોકલેટ ભેટ આપો. આમ કરવાથી તમારા જીવનમાં બધું જ શુભ રહેશે.


શ્રી હનુમાન દાદા નો આ પાઠ ચુડેલ મેલી ડાકાણ જિન સામે રક્ષણ મળે છે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  


 9. જો તમારા દરેક કાયૅ માં સફળતા આમવા ઈચ્છાતા હોવ તો  આ દિવસે જરૂરિયાત મંદોમાં મીઠી રોટલી વહેંચવી જોઈએ.


10. જો તમારી નોકરીને લઈને અનેક પરેશાન હોય તો આ ભૌમ પ્રદોષ ના દિવસે  હનુમાન મંદિરમાં જઈને એક મધની બોટલ ચઢાવવી જોઈએ. આને .આજે પ્રાથૅના કરો કે  નોકરીમાં આવનારી મુશ્કેલીમાંથી મુક્તિ કરાવો દાદા.


મિત્રો આ હતી ફાગણ ભૌમ પ્રદોષ ની માહિતી અને કેટલાક નાનાકડા ઉપાય હું આશા રાખું તમને જરૂર પસંદ આવ્યું હશે સમય હોય તો આ પ્રદોષ કોમેન્ટ માં ૐ નમઃ શિવાય જરૂર લખો.



ધનુમૉસ માં કજૅ ઋણ માંથી મુક્તિ મેળવવા શ્રી વિષ્ણુ ભગવાન નો આ પાઠ કરો  ગુજરાતીમાં 

શ્રી ગણેશજી ના 12 નામ જાપ દરેક કાર્ય ના વિધ્ન દૂર થશે ગુજરાતી લખાણ સાથે 


 શ્રી ગણપતિના ""સિદ્રિદાયક મંત્રો"" એક અક્ષર થી સોળ અક્ષર મંત્રો

 

આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો. 

 

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

શ્રી હનુમાનજીનો આ પાઠ નિયમિત ઉપાસના કરવાથી સમસ્ત કષ્ટોનું સરળતાથી નિવારણ થાય અહી ક્લિક કરો.  

 

શ્રી મહાલક્ષ્મી નો આ પાઠ કરવાથી ગરીબ પણ કરોડપતિ બની જાય અહી ક્લિક કરો.      

 

 શુભ દિવસે શ્રી મહાલક્ષ્મી માં ના ૧૦૮ નામ જાપ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

 
Disclaimer: અહી ઉપરોક્ત કોઈપણ માહિતી અથવા આ કાયૅ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.આમાં Okhaharan.com તેની પુષ્ટિ કરતું નથી.

રવિવાર, 13 માર્ચ, 2022

શ્રી સૂયૅ દેવ નો આ કવચ નો પાઠ કરવાથી આરોગ્ય , ધન , સમૃદ્ધિ યશ ની પ્રાપ્તિ કરાવે છે | Surya Kavach Gujarati Lyrics with meaning | Okhaharan

 શ્રી સૂયૅ દેવ નો આ કવચ નો પાઠ કરવાથી આરોગ્ય , ધન , સમૃદ્ધિ યશ ની પ્રાપ્તિ કરાવે છે | Surya Kavach Gujarati Lyrics with meaning | Okhaharan

Surya-Kavach-Gujarati-Lyrics-with-meaning
Surya-Kavach-Gujarati-Lyrics-with-meaning

 

શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખ માં" શ્રી સુર્ય કવચ " ગુજરાતી લખાણ સાથે આ કવચ સ્વયં ભગવાન સૂર્ય દેવે મહાબલી સામ્બ ને કહેલું છે. જે ઉત્તમ છે.. આ કવચ રવિવારે સાંભળવાથી કે કરવાથી મનુષ્ય ને યશ, કીર્તિ, ધન, વૈભવ, સમૃદ્ધિ, આરોગ્ય ની પ્રાપ્તિ થાઈ છે. 

રવિવારે સૂયૅ દેવ નો આ પાઠ કરવાથી મનુષ્ય ની ગરીબી દૂર થઈ ધનવાન બને છે અહી ક્લિક કરો.  


શ્રીગણેશાય નમઃ

શ્રીસૂર્ય ઉવાચ

સામ્બ સામ્બ મહાબાહો શૃણુ મે કવચં શુભમ્ .

ત્રૈલોક્યમઙ્ગલં નામ કવચં પરમાદ્ભુતમ્ 1..


હે મહાબાહુ સામ્બ મારૂં શુભ અત્યંત આશ્ચર્ય કારક ત્રૈલોક્ય મંગળ નામનું કવચ (તું) સાભળ

 

યજ્જ્ઞાત્વા મન્ત્રવિત્સમ્યક્ ફલં પ્રાપ્નોતિ નિશ્ચિતમ્ .

યદ્ધૃત્વા ચ મહાદેવો ગણાનામધિપોભવત્ 2..


આ કવચ ને સારી રીતે જાણીને મંત્ર જાણનાર પુરુષ ચોક્કસ ફળ મળવે છે આ કવચ ધારણ કરીને મહાદેવ ગણોના અધિપતિ થયા

 

પઠનાદ્ધારણાદ્વિષ્ણુઃ સર્વેષાં પાલકઃ સદા .

એવમિન્દ્રાદયઃ સર્વે સર્વૈશ્ચર્યમવાપ્મુયુઃ 3..


હંમેશા પાઠ કરવાથી અને ધારણ કરવાથી વિષ્ણુ બધાં નું પાલન કરે છે આ પ્રમાણે ધારણ કરવાથી અને પાઠ કરવાથી બધા ઈન્દ્રાદિ દેવો બધું આશ્ર્ચયૅ પ્રાપ્ત કરે છે

 

કવચસ્ય ઋષિર્બ્રહ્મા છન્દોનુષ્ટુબુદાહૃતઃ .

શ્રીસૂર્યો દેવતા ચાત્ર સર્વદેવનમસ્કૃતઃ 4..

બ્રહ્મા આ કવચના ઋષિ છે આ કવચનો છંદ અનુષ્ટુપ છે અને આ કવચના દેવતા બધા દેવોથી વંદાયેલા શ્રી સૂર્ય છે.

 

યશ આરોગ્યમોક્ષેષુ વિનિયોગઃ પ્રકીર્તિતઃ .

પ્રણવો મે શિરઃ પાતુ ઘૃણિર્મે પાતુ ભાલકમ્ 5..


આ કવચનો વિનિયોગ યશ આરોગ્ય અને મોક્ષની પ્રાપ્તિ માટે કરેલો છે પ્રણવ ૐ કાર મારા મસ્તકનું રક્ષણ કરો ધૃણી સૂર્ય મારા કપાળનુ રક્ષણ કરો

 

સૂર્યોઽવ્યાન્નયનદ્વન્દ્વમાદિત્યઃ કર્ણયુગ્મકમ્ .

અષ્ટાક્ષરો મહામન્ત્રઃ સર્વાભીષ્ટફલપ્રદઃ 6..


સૂર્ય બે આંખોનું અને આદિત્ય બે કાનનું રક્ષણ કરો આઠ અક્ષર વાળો મહામંત્ર શ્રી ૐ આદિત્ય નમઃ બધી ઈચ્છિત વસ્તુઓ આપનાર છે.

 સૂર્યદય સમયે કરો આ સૂયૅ દેવના ૧૦૮ નામ જાપ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો 

હ્રીં બીજં મે મુખં પાતુ હૃદયં ભુવનેશ્વરી .

ચન્દ્રબિમ્બં વિંશદાદ્યં પાતુ મે ગુહ્યદેશકમ્ 7..


હ્રીં બીજ મારા મુખનું અને ભુવનેશ્વરી શક્તિ મારા હ્રદય નું રક્ષણ કરો સૂયૅમા પ્રથમ પ્રવેશ પામતું ચંદ્ર બિંબ મારા ગૃહ્ય ભાગનું રક્ષણ કરો

 

અક્ષરોઽસૌ મહામન્ત્રઃ સર્વતન્ત્રેષુ ગોપિતઃ .

શિવો વહ્નિસમાયુક્તો વામાક્ષીબિન્દુભૂષીતઃ 8..


આ અચળ અક્ષર કલ્યાણકારી તેજસ્વી સુંદર આંખ જેવા ટપકાથી વિભૂષિત મહાન મંત્ર બધાં તંત્રોમાં ગૃપ્ત રીતે રાખવામાં આવ્યો છે.


 એકાક્ષરો મહામન્ત્રઃ શ્રીસૂર્યસ્ય પ્રકીર્તિતઃ .

ગુહ્યાદ્ગુહ્યતરો મન્ત્રો વાઞ્છાચિન્તામણિઃ સ્મૃતઃ 9..


શ્રી સૂર્ય ના સંબંધમાં એક અક્ષર વાળો ૐ મહામંત્ર કહેવામાં આવ્યો છે તેમંત્ર અત્યંત ગૃપ્ત અને ઈચ્છાને સફળ કરનારો ગણવામાં આવ્યો છે.


શીર્ષાદિપાદપર્યન્તં સદા પાતુ મનૂત્તમઃ .

ઇતિ તે કથિતં દિવ્યં ત્રિષુ લોકેષુ દુર્લભમ્ 10..


ઉત્તમ મનુ જેના કુળમાં શ્રી સૂર્ય ની જન્મ છે હંમેશા મસ્તકની માંડી પગ સુધીનું રક્ષણ કરો આ પ્રમાણે ત્રણે લોકમાં દુર્લભ એવું દિવ્ય કવચ તને કહેવામાં આવ્યું છે.

 

શ્રીપ્રદં કાન્તિદં નિત્યં ધનારોગ્યવિવર્ધનમ્ .

કુષ્ઠાદિરોગશમન મહાવ્યાધિવિનાશનમ્ 11..


આ કવચ હંમેશા લક્ષ્મી શોભા ધન અને આરોગ્ય આપનારૂ છે કોઢ વગેરે રોગોનું શમન કરનારૂં અને મોટા રોગોનો નાશ કરનારૂં છે.

 

ત્રિસન્ધ્યં યઃ પઠેન્નિત્યમરોગી બલવાન્ભવેત્ .

બહુના કિમિહોક્તેન યદ્યન્મનસિ વર્તતે 12..


રોગ રહિત જે મનુષ્ય હંમેશા ત્રણ વાર આ કવચનો પાઠ કરશે તે બળવાન થશે આ સંબંધમાં વિશેષ કહેવું શું?

 

તતત્સર્વં ભવેત્તસ્ય કવચસ્ય ચ ધારણાત્ .

ભૂતપ્રેતપિશાચાશ્ર્ચ યક્ષગન્ધર્વરાક્ષસાઃ 13..


કવચ ધારણ કરવાથી કવચ ધારણ કરનાર મનમાં જે જે તે તે બધું તેને કવચ ધારણ કરનાર ને ભૂત પ્રેત પિશાચ યક્ષ  

 રવિવારે કરો સૂર્ય દેવનો દ્રાદશનામ સ્તોત્ર અને તેનું માહાત્મ્ય ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો 

બ્રહ્મરાક્ષસવેતાલા ન્ દ્રષ્ટુમપિ તં ક્ષમાઃ .

દૂરાદેવ પલાયન્તે તસ્ય સઙ્કીર્તણાદપિ 14..


ગંધવૅ રાક્ષસ બ્રહ્મરાક્ષસ વેતાળ વગેરે જોવાને પણ સમથૅ થતાં નથી તે કવચનો પાઠ કરવાથી પણ તે બધા દૂરથી નાશી જાય છે.


ભૂર્જપત્રે સમાલિખ્ય રોચનાગુરુકુઙ્કુમૈઃ .

રવિવારે ચ સઙ્ક્રાન્ત્યાં સપ્તમ્યાં ચ વિશેષતઃ .

ધારયેત્સાધકશ્રેષ્ઠઃ શ્રીસૂર્યસ્ય પ્રિયોભવેત્ 15..


ગોરોચન અગરૂ અને કુકમથી ભૂજપત્ર ઉપર આ કવચ લખીને રવિવારે સંકાતિ ને દિવસે અને ખાસ કરીને સાતમને દિવસે જે શ્રેષ્ઠ સાધક ધારણ કરશે તે શ્રીસૂયૅ ને પ્રિય થશે


 ત્રિલોહમધ્યગં કૃત્વા ધારયેદ્દક્ષિણે કરે .

શિખાયામથવા કણ્ઠે સોઽપિ સૂર્યો ન સંશયઃ 16..


સોનું રૂપું અને લોઢું આ ત્રણ ધાતુઓના પતંરાઓમા વચ્ચે જડીને જમણાં હાથમાં ચોટલીમા અથા ગળવામાં જે આ કવચ ધારણ કરશે તે પણ સૂયૅ સમાન થશે આ બાબતમાં શંકા નથી

 

ઇતિ તે કથિતં સામ્બ ત્રૈલોક્યમઙ્ગલાભિધમ્ .

કવચં દુર્લભં લોકે તવ સ્નેહાત્પ્રકાશિતમ્ 17..


હે સામ્બ આ પ્રમાણે તારા ઉપરના પ્રેમને લઈને ત્રૈલોક્ય મંગળ નામનું લોકમાં દુર્લભ કવચ તને કહ્યું છે


 અજ્ઞાત્વા કવચં દિવ્યં યો જપેત્સૂર્યમુત્તમમ્ .

સિદ્ધિર્ન જાયતે તસ્ય કલ્પકોટિશતૈરપિ 18..


જે પુરુષ આ દિવ્ય કવચ જાણ્યા વગર ઉત્તમ સૂયૅની ઉપાસના કરે તેને સિદ્ધિ સેકડો કરોડો કલ્પે પણ થતી નથી

ઇતિ શ્રીબ્રહ્મયામલે ત્રૈલોક્યમઙ્ગલં નામ સૂર્યકવચં સમ્પૂર્ણમ્

બોલીયે શ્રી સૂયૅ નારાયણ દેવની જય.

રવિવાર ના દિવસે કરો સૂર્ય દેવ નો આ સ્ત્રોત કરવાથી કોઢ જેવા ભયંકર રોગ નથી થતા  



શ્રી "" દેવીકવચ "" ગુજરાતી ભાષાંતર સાથે ગુજરાતી લખાણ સાથે

 

 સંઘ્યા સમયે એકવાર પાઠ કરો આ સ્તોત્ર દેવીની કૃપા રહેશે ગુજરાતી લખાણ સાથે 

 

 રાત્રે એકવાર શ્રી મહાલક્ષ્મીની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો

 

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે 

 


શ્રી મહાલક્ષ્મી નો આ પાઠ કરવાથી ગરીબ પણ કરોડપતિ બની જાય   

 

શુભ દિવસે શ્રી મહાલક્ષ્મી માં ના ૧૦૮ નામ જાપ ગુજરાતી લખાણ સાથે 

 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇