શુક્રવાર, 1 ઑક્ટોબર, 2021

પિતૃ એકાદશી કે ઈન્દિરા એકાદશી ક્યારે છે ? | એકાદશી પુજનવિઘિ મહત્વ | Indira Ekadashi 2021 date and time | Indira ekadashi 2021 | Okhaharan

પિતૃ એકાદશી કે ઈન્દિરા એકાદશી ક્યારે છે ? | એકાદશી પુજનવિઘિ મહત્વ |  Indira Ekadashi 2021 date and time | Indira ekadashi 2021 | Okhaharan

indira-Ekadashi-2021-pitru-ekadashi-2021-Ekadashi-kab-hai-gujarati
indira-Ekadashi-2021-pitru-ekadashi-2021-Ekadashi-kab-hai-gujarati

 

શ્રી ગણેશાય નમઃ સ્વાગત છે તમારૂ આપણા ગુજરાતી ભક્તિ લેખમાં આજે આપણે જાણીશું ભાદરવા માસના વદ પક્ષ ની શ્રાદ્ધ પક્ષમાં આવતી પિતૃ કે ઈન્દિરા એકાદશી વિશે સંપૂણૅ માહિતી. ઈન્દિરા , પિતૃ એકાદશી ક્યારે છે?  કોનું પુજન કરવું ? પુજન કેવી રીતે કરવું? આ પિતૃ પક્ષની એકાદશી નું મહત્વ શું અને શું ના કરવું?તમે ઉપવાસ કરો કે ના કરો આ વાતનું ધ્યાન રાખવું? તે બઘું લેખમાં જાણીશું.


 

Indira-Ekadashi-Vrat-Katha-Gujarati-2021-Pitru-Ekadashi-2021


જય શ્રી કૃષ્ણ ભાદરવા માસના વદ પક્ષ શરૂ થતાં શ્રાદ્ધ એટલે પિતૃ પુજન તપણૅ નો સમય શરૂ થઈ જાય અને ભાદરવા અમાસ સુધી પિતૃ પક્ષ ગણાય છે. ભાદરવા માસની વદ પક્ષની એકાદશી તિથિ ને ઈન્દિરા એકાદશી અને શ્રાદ્ધ પક્ષમાં આવતી આ એકાદશી ને પિતૃ એકાદશી પણ કહેવાય છે.

shradh-2021-tree-upay-gujarati

 

આ વષૅ એકાદશી તિથિ પ્રારંભ ૧ ઓક્ટોબર ૨૦૨૧ શુક્રવાર રાત્રે ૧૧:૦૩ મિનિટે શરૂ થાય

એકાદશી તિથિ સમાપ્ત ૨ ઓક્ટોબર ૨૦૨૧ શનિવાર રાત્રે ૧૧:૧૦ મિનિટે પતે છે .

હિન્દુ માન્યતા અનુસાર ઉપવાસ સૂયૅદયથી શરૂ થતો કરવો માટે એકાદશી નો ઉપવાસ ૨ ઓક્ટોબર શનિવારે કરવો.

પારણા નો સમય ૩ ઓક્ટોબર રવિવાર સવારે ૬:૧૫ થી ૮:૩૭ સુધી નો છે.

નોઘઃ- સ્થળ મુજબ સમય થોડો અલગ હોય.


દરેક એકાદશી તિથિ માં ભગવાન વિષ્ણુ ના અવતાર નું વિધિવધ રીતે પુજન કરવાનું હોય છે એ પછી શુક્લ પક્ષ હોય કે કૃષ્ણ પક્ષ. આ પિતૃ એકાદશી ના દિવસે ભગવાન વિષ્ણુ પુજન કરવાનું પુજન કેવી રીતે કરવુ એ મારી પાછળ સમજાવ્યું એની વાચવાં અહી કિલ્ક કરો.


 ત્યારે બાદ ખાસ કરીને પિતૃ એકાદશી ના દિવસે વિષ્ણુ ભગવાન ના શાલીગ્રામ નું પુજન કરવાનું અનેક ધણું મહત્વ છે. શાલીગ્રામ પુજન શુદ્ધ જળ, પંચામૃત, ચંદન , ચોખા ધુપ દિપ અને નૈવેદ્ય થી પુજન આરતી કરવી આ રીતે ભગવાન વિષ્ણુ અને શાલીગ્રામ બંને સવાર સાંજ પુજન કરવું અને રાત્રી શક્ય હોય ત્યાં સુધી જાગરણ કરી ભગવાન વિષ્ણુ ના અવતાર ભજન કીર્તન મંત્રો કરવાં.

Vishnu-Sahastra-Path-In-Gujarati-Lyrics


દસમ ના સંધ્યા એટલે ૧ ઓક્ટોબર થી તામસી ભોજન છોડી ફલાહાર કરવું ૨ ઓક્ટોબર સવારે સૂર્યદય પહેલાં ઉઠીને નિત્યક્રમ પરવારી આગળ જણાવ્યા મુજબ ભગવાન નું પુજન કરવું. ભગવાન સામે સંકલ્પ કરો કે- હું આજે સંપૂર્ણ ભોગનો ત્યાગ કરી નિરાહાર એકાદશીનું વ્રત કરીશ. હું તમારી શરણમાં છું, તમે મારું રક્ષણ કરો.અને જે રીતે ઉપવાસ કરવાના હોય એવો સંકલ્પ કરો.ભગવાન વિષ્ણુજીની પૂજા કરવાથી પિતૃ દેવતા સંતુષ્ટ થાય છે


આ તિથિએ તર્પણ, પિંડદાન અને બ્રાહ્મણ ભોજન , દાન કરાવવાથી પિતૃઓને  મોક્ષ મળે અને તેમના આશીર્વાદ પ્રાપ્ત થાય અને વંશવૃદ્ધિ વધે. ભગવાન શાલિગ્રામની પૂજા અને વ્રત કરવાનું ઉત્તમ માનવામાં આવે છે. આપણા કોઈ પૂર્વજ થી મનુષ્ય યોનિમાં જ્યારે હતાં ત્યારે જાણ્યે-અજાણ્યે એમનાથી કોઈ પાપના થયાં હોય એના કારણે યમરાજ પાસે દંડ ભોગવી રહ્યા હોય તો આ એકાદશી શ્રદ્રાપુવૅક વિધિ-વિધાનથી આ પિતૃ એકાદશીનું વ્રત કરીને તેમને મુક્તિ મળે અને તેમા આશીર્વાદ થી આપણે આનંદ રહે છે.


ઇન્દિરા એકાદશી વ્રતનું મહત્ત્વ-

ભાદરવા માસની વદ પક્ષ એટલે શ્રાદ્ધ પક્ષમાં આવતી આ એકાદશી વઘારે ખાસ એટલા માટે છે કે તે કરવાથી પિતૃઓનો ઉદ્ધાર, શાંતિ થાય છે. આપણા પૂર્વજો કે જેમનાથી જાણતા કે અજાણતા કોઈ ખોટુ કમૅ જે પાપ કહેવાય તે થયું હોય તેના કારણે તે યમલોકમાં કોઈપણ રીતે દંડ ભોગવતા હોય તો આ એકાદશી વ્રત કરવાથી તેમનો ભોગવટો તેમનો દંડ પૂરો થાય છે. તેથી તેમને આત્માને શાંતિ મળે છે. તેમના આશીર્વાદ પરિવારને મળે છે. સાથોસાથ વંશની વૃદ્ધિ થાય છે. આ એકાદશીનું વર્ત જો વિધિવિધાન પૂર્વક કરવામાં આવે તો પુણ્યની પ્રાપ્તિ થાય છે. આ અગિયારસે દાન આપવાનો વિશેષ મહિમા છે.


Shard-2021-Upay-Gujarati

આ એકાદશી ના દિવસે ભગવાન વિષ્ણુ ના ભજન કીર્તન મંત્રો, "શ્રીકૃષ્ણ શરણમ્ મમ:", "ઓમ નમો ભગવતે વાસુદેવાય"  વિષ્ણુ સહસ્ત્રનામ પાઠ , વિષ્ણુ સહસ્ત્રનામ નામાવલી , કૃષ્ણ નામાવલી, ભગવત્ ગીતા ના અધ્યાય ખાસ કરીને બીજો અને સાતમાં અધ્યાય નું પઠન કરો.


આ એકાદશી ના દિવસે તમે ઉપવાસ કરો કે ના કરો પણ ખાસ કરી નિમ્નલિખિત કાયૅ ના કરવા જોઈએ જેમકે ચોખા, ધંઉ, ભોજન, ચણા લસણ ડુંગળી, માંસાહાર મધપાન મદિરા, ના કરવું. આ દિવસે કોઈ પણ કોઈ પ્રકારે જુઠું બોલીને ખોટી માહિતી આપવી નહીં.  મૌન પાળવું, કોઈ ની પણ ચાડી ચુગલી ન કરવી, બ્રહ્મચર્ય નો નિયમ પાળવો.  નખ ન કાપવા, વાળ, દાઢી ન કપાવવા. ચામડાની કોઈ ચીજવસ્તુ પહેરવી નહીં અને કાળા કલરના કપડા પણ ન પહેરવા. બની શકે ભગવા અથવા શ્ર્વેત વસ્ત્ર પહેરી શકાય. કોઈનું દિલ દુભાય એવા વચનો બોલવા નહીં. 

 

ઘરનાં દરેક સભ્યો જેમકે ભાઈ-બંધુઓ, સ્ત્રી અને પુત્ર સાથે વ્રતીએ મૌન રહીને ભોજન કરવું. આ પ્રકારે વ્રત કરવાથી પિતૃઓને સ્વર્ગમાં સ્થાન પ્રાપ્ત થાય છે.

Krishna-chalisa-gujarati

લેખ સારો લાગ્યો હોય તો મિત્રો સાથે શેર કરો અને  

 દરરોજ આવા ભક્તિ લેખ વાંચવા અમારો બોલ્ગ ફોલો કરો 

અમારી સાથે સોસીયલ મીડિયા માં જોડાવો  👇👇👇

 

  

 

 

 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો