સોમવાર, 15 નવેમ્બર, 2021

તુલસી વિવાહ કથા | ગુજરાતીમાં કેમ શાલીગ્રામ જોડે લગ્ન થાય છે ? | Tulsi Vivah Katha Gujaratima | Okhaharan |

તુલસી વિવાહ કથા | ગુજરાતીમાં કેમ શાલીગ્રામ જોડે લગ્ન થાય છે ? | Tulsi Vivah Katha Gujaratima | Okhaharan | 

Tulsi-Vivah-Katha-Gujarati
Tulsi-Vivah-Katha-Gujarati

 

કારતક માસના સુદ પક્ષની અગિયારસ તિથિને દેવઉઠી, પ્રબોઘીની અને તુલસી વિવાહ એકાદશી કહેવામાં આવે છે અને સાથે તુલસી વિવાહ નો પર્વ ઉજવાય છે. આ અગિયારસના દિવસે હરસો ઉલ્લાસ ધૂમધામથી તુલસીજી ના વિવાહ ભગવાન શાલીગ્રામ સાથે કરવામાં આવે છે. આ વર્ષે તુલસી વિવાહ ઉત્સવ મંદિરો એટલે કે આજે ઉજવાસે. પણ સવાલ એવો થાય કે તુલસીજીના વિવાહ શાલીગ્રામ સાથે કેમ એ આપણે આગળ વિડીયો શિવપુરાણ નો એક ભાગ ની વાત કરીશું.  


Tulsi-chalisa-with-gujarati-lyrics

તુલસી વિવાહનું મહત્વ

તુલસી માતાને મા લક્ષ્મીનું એક સ્વરૂપ માનવામા આવે છે. તુલસી ના વિવાહ ભગવાન શાલીગ્રામ સાથે થયા હતા. શાલીગ્રામ કોણ ભગવાન શાલીગ્રામ ભગવાન વિષ્ણુના આઠમા અવતાર શ્રીકૃષ્ણના એક સ્વરૂપ છે. તુલસીજીને વિષ્ણુ પ્રિયા પણ કહેવામાં આવે છે. જે ઘરમાં તુલસીની પૂજા થાય છે, તે ઘરમાં ક્યારેય પણ ધન-ધાન્યની ઉણપ આવતી નથી જીવન સુખ શાંતિમય રહે છે. તુલસી વિવાહની સાથે વિવાહ અને માંગલિક કાર્યોની શરૂઆત થાય છે.


શિવપુરાણની કથાઓ અનુસાર, જલંધર નામના શક્તિશાળી અસુરના વિવાહ સુદંર અને પરમ વિષ્ણું ભકત વૃંદા નામની એક કન્યા સાથે થવાનો હતો. વૃંદાની ભક્તિ લીધે તથા એના  સતીત્વના બળ પર જલંધર અજેય અને દરેક નાના યુદ્રમાં વિજય બનતો. બધા દેવતા તેનાથી કંટાળી ચૂક્યા હતા. એકવાર તેણે પાર્વતી માતા પર કુદૃષ્ટિ નાખી તો ત્રિદેવોએ તેના વધની યોજના બનાવી. ભગવાન શિવે તેની સાથે યુદ્ધ કર્યુ જેમાં તેઓ હારી ગયા. કારણ કે જલંધર શિવના ત્રીજા નેત્ર ની જવાળા માંથી ઉત્પન થયો હતો.


tulsi-mata-stuti-lyrics-in-gujarati

આ જોઈને સવૅ દેવતા દુ:ખી થઈને ભગવાન વિષ્ણુની શરણમાં ગયાં. વિષ્ણુએ પોતાની માયાથી જલંધરનો રૂપ ધારણ કરી લીધુ. અને તેમણે વૃંદા જે જલઘંરની પત્ની થવાની હતી તેનું  સતીત્વને ભંગ કરી નાખ્યું તો જલંધરની શક્તિ ધીરે-ધીરે ક્ષીણ થઈ અને તે દેવતાઓ સાથેના યુદ્ધમાં મરણ પામ્યો. આ બાજું ત્યાં સુધી વૃંદા શ્રી વિષ્ણુ ભગવાનના છળને સમજી ચૂકી હતી. અને પોતાના તનાર પતિના મુત્યુ ના સમાચાર સાભળીને દુ:ખી વૃંદાએ ભગવાન વિષ્ણુને પથ્થર બની જવાનો શ્રાપ આપી દીધો. બઘા દેવી - દેવતાઓની વિનંતી અને માતા લક્ષ્મીની જોઈને વૃંદાએ પોતાનો શ્રાપ પાછો લઈ લીધો. પણ તેની ભક્તિ લીઘે તેના શ્રાપ માં ઘણું સત્ય હતું પરંતુ ભગવાન વિષ્ણુ તેમના કર્યાનું પ્રાયશ્ચિત કરવા માગતા હતા. તેમણે વૃંદાના શ્રાપને જીવિત રાખવા માટે પોતાની જાતને એક શાલિગ્રામ સ્વરૂપમાં પ્રકટ કર્યો જે શાલિગ્રામ કહેવાયું.


દુ:ખી વૃંદા પોતાના પતિ જલંધરની યાદમાં તેજ ક્ષણે સાથે જ સતી થઈ ગઈ. વૃંદાની રાખથી તુલસીનો છોડ ઉત્પન્ન થયો. વૃંદાનું માન જાળવવા માટે દેવતાઓએ શાલિગ્રામ સ્વરૂપી વિષ્ણુ ભગવાનનો વિવાહ તુલસી સાથે કરાવ્યો. તેને સમય કારતક માસની સુદ પક્ષની એકાદશી દેવઊઠી અગિયારસ કહેવાય છે.


ત્યાર પછી ભગવાન વિષ્ણુએ વૃંદાને કહ્યું હતું કે, ‘આવતા જન્મમાં તમે એક છોડ સ્વરુપે પ્રકટ થશો. જેનું નામ હશે તુલસી. તમે મને લક્ષ્મી કરતા વધારે પ્રિય હશો, તમારું સ્થાન મારા દરેક શુભ કાયૅમાં હશે . આટલું જ નહીં હું તમારી વગર કોઈ જ પ્રકારનું ભોજન પણ નહીં કરું.’ તેથી જ ભગવાન વિષ્ણુ કે તેમના તમામ અવતારની પૂજાના પ્રસાદમાં તુલસી હોવી અનિવાર્ય છે.

એકાદશી કેટલાક નિમ્લિખિત કામ ના કરવા જોઈએ વાચવાં અહી ક્લિક કરો.  

 



શ્રી "" દેવીકવચ "" ગુજરાતી ભાષાંતર સાથે ગુજરાતી લખાણ સાથે

 

 સંઘ્યા સમયે એકવાર પાઠ કરો આ સ્તોત્ર દેવીની કૃપા રહેશે ગુજરાતી લખાણ સાથે 

 

 રાત્રે એકવાર શ્રી મહાલક્ષ્મીની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો

 

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે 

 


શ્રી મહાલક્ષ્મી નો આ પાઠ કરવાથી ગરીબ પણ કરોડપતિ બની જાય   

 

શુભ દિવસે શ્રી મહાલક્ષ્મી માં ના ૧૦૮ નામ જાપ ગુજરાતી લખાણ સાથે 

 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો