શુક્રવાર, 4 ઑગસ્ટ, 2023

પુરુષોત્તમ માસ કથા અધ્યાય અઢારમો | Purushottam Maas Katha Adhyay 18 in Gujarati | Adhyay 18 | Adhik Mass 2026 | Okhaharan |

પુરુષોત્તમ માસ કથા અધ્યાય સત્તરમો |  Purushottam Maas Katha Adhyay 18 in Gujarati  | Adhyay 18 | Adhik Mass 2026 | Okhaharan | 


purushottam-maas-katha-adhyay-18-in-gujarati
purushottam-maas-katha-adhyay-18-in-gujarati


શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂ આપણા ગુજરાતી ભક્તિ લેખમાં આજે આપણે જાણીશું પુરૂષોત્તમ માસની કથા અધ્યાય અઢારમો પુરૂષોત્તમ વ્રતનું મહાફળ અને અમૃત ધારા જે વાતૉ કહેવાય ચમત્કારિક પ્રસાદની વાર્તા. 

પુરુષોત્તમ માસ કથા અધ્યાય સત્તરમો 


અધ્યાય અઢારમો પુરૂષોત્તમ વ્રતનું મહાફળ 


નારદે પૂછ્યું : “ હે તપના ભંડાર શ્રી નારાયણ ! તે પછી સાક્ષાત ભગવાન વાલ્મીકિ ઋષિએ દ્રઢધન્વાને શું કહ્યું હતું તે આપ કહો.”


વાલ્મીકિ બોલ્યા : “હે રાજા ! બ્રાહ્મણ સુદેવ વિલાપ કરી રહ્યો હતો. તેવામાં પૃથ્વી ઉપર અંધકાર છવાઈ ગયો, વીજળી થવા લાગી અને ચોમાસાનો સમય ના હતો છતાં એક મહિના સુધી મુશળધાર વરસાદ વરસ્યા જ કર્યો. આખી પૃથ્વી ઉપર જળબંબાકાર થઈ ગયો. છતાંય પુત્રના શોકરૂપ અગ્નિથી તપી ગયેલા સુદેવને કંઈ જ ખબર પડી નહી. એ તો અન્ન-જળ લીધા વગર ઓ પુત્ર ! પુત્ર ! એમ બોલતો વિલાપ કરતો હતો. એમ તે વેળા જે મહિનો વીતી ગયો તે શ્રીકૃષ્ણ ભગવાનને પ્રિય શ્રી પુરૂષોત્તમ માસ હતો તેથી અજાણતાં નિરાહાર રહેવાથી અને સતત વરસાદમાં ભીંજાવાથી તેનાથી પુરૂષોત્તમનું વ્રત સેવન થઈ ગયું.”


એના એ વ્રતથી એ મહિનાના અધિષ્ઠાતા ભગવાન પુરૂષોત્તમ પ્રસન્ન થયા અને તેમની સમક્ષ પ્રગટ થયા. પુરૂષોત્તમ શ્રીકૃષ્ણનાં દર્શન થતાં તે બ્રાહ્મણે ખોળામાં રાખેલા પુત્રનું મડદું જમીન પર મૂકી દીધું અને પત્નીસાથે હર્ષથી શ્રીહરિને પ્રણામ કરી, ‘શ્રીકૃષ્ણ શરણં મમ’ મંત્રથી તેમની પ્રાર્થના કરી. ભગવાન પણ પુરૂષોત્તમ માસના તેના સેવનથી પ્રસન્ન થયા હતા તેથી શ્રેષ્ઠ અમૃત વરસતી મધુર વાણી બોલ્યા.


“હે સુદેવ ! તારા ભાગ્યનું વર્ણનકરવા ત્રણે ભુવનમાં કોણ સમર્થ છે ? હે બ્રાહ્મણ ! તારો આ પુત્ર બાર હજાર વર્ષના આયુષ્યવાળો થશે. મારી કૃપાથી તારું પુત્રસુખ જોઈ દેવો, ગાંધર્વો તથા મનુષ્યો એવા સુખ માટે લલચાશે. માટે હવે તું શોકનો ત્યાગ કર.”


“હઠથી પુત્ર મેળવનારની શું દશા થાય છે તેની કથા જણાવું છું. પૂર્વે માર્કન્ડ મુનિએઆ કથા રઘુરાજાને કહી હતી. પૂર્વે ધનુ:શર્મા નામના એક મુનિશ્વર હતા. તેમણે અમરપુત્રની ઈચ્છા રાખી અતિ કઠિનતમ તપ કરવા માંડ્યું. એક હજાર વર્ષનો સમય વીતી ગયો ત્યારે દેવતાઓએ તે મુનિને કહ્યું : “હે મુનિશ્રેષ્ઠ ! તમારું કલ્યાણ થાઓ. અમે તમારા તીવ્ર તપથી પ્રસન્ન થયા છીએ, એટલે તમે વરદાન માંગો.”


દેવોનું એ અમૃત જેવું વચન સાંભળી તપોધન ધનુ:શર્મા અતિશય ખુશ થયા. તેમણે બુદ્ધિશાળી અમરપુત્રનું વરદાન માંગ્યું. ત્યારે દેવતાઓએ વિસ્મય પામીકહ્યું : “હે મુનિ ! તમે માંગો છો એવું તો પૃથ્વી ઉપર આજ સુધી ક્યારેય બન્યું નથી. અમરત્વ કોઈને પ્રાપ્ત થતું નથી માટે તમે વિચારીને બીજું કાંઈ માંગો.” ત્યારે ધનુ:શર્મા મુંનિએ કહ્યું : સામે જે પેલો મોટો પર્વત દેખાય છે તે જ્યાં સુધી રહે ત્યાં સુધીના આયુષ્યવાળો પુત્ર તમે આપો.” આથી સર્વ દેવો ‘તથાસ્તુ’ કહી વરદાન આપી ઈન્દ્ર સહિત સ્વર્ગમાં ચાલ્યા ગયા. અને ધનુ:શર્માએ પણ થોડા સમયમાં બુદ્ધિશાળી અને સુંદર પુત્રપ્રાપ્ત કર્યો.


વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" 


આકાશમાં જેમ ચંદ્ર વધે તેમ એ પુત્ર વધવા લાગ્યો. જ્યારે તે સોળ વર્ષનો થયો ત્યારે ઋષિઓના અધિપતિ બ્રાહ્મણે કહ્યું : “હે પુત્ર ! તારે કોઈ પણ મુનિનું અપમાન કરવું નહીં.” આવી શિખામણ મળવા છતાં તે અમરતા પ્રાપ્ત કરેલ પુત્ર પોતાના બળના મદમાં બ્રાહ્મણોનું અપમાન કરવા લાગ્યો. એક વખત અત્યંત ક્રોધી મહર્ષિ નામના મુનિ શાલિગ્રામનું પૂજન કરતાં હતા ત્યારે તેણે શાલિગ્રામને  પાણીના કુંડમાં નાખીદીધો. 


તેની આ ઉદ્ધતાઈથી રુદ્રની જેમ ક્રોધ કરવાવાળા મહર્ષિએ તેને શ્રાપઆપ્યો કે “તું હમણાં જ મરી જા. છતાં તે નહીં મરતાં તેમણે સમાધિ લગાવી કારણ જોયું. તેમણે જાણ્યું કે દેવોએ ધનુ:શર્માના આ છોકરાને અમર બનાવ્યો છે. એથી તે મુનિએ મોટો નિ:સાસો મૂક્યો એટલે તેમાંથી કરોડો પાડા ઉત્પન્ન થયા અને તેઓએ પર્વતના ટુકડા કરી નાખ્યા. એ સાથે જ મુનિપુત્ર પણ મરણ પામ્યો. હે તપોધન ! એમ જેઓએ હઠથી પુત્ર મેળવ્યો છે તેઓ કદી સુખ પામતા નથી.”


“છતાં હે તપોધન ! ગરુડે તને જે પુત્ર આપ્યોછે તેથીલોકમાં તું ઈચ્છવા યોગ્ય પુત્રવાળો થઈશ. તું બ્રહ્મલોકમાં જઈશ અને ત્યાં દેવતાઈ એક હજાર વર્ષ સુધી મોટું સુખ ભોગવી પાછો પૃથ્વી પર આવીશ. તે વખતે તારું બળા તથા ઐશ્વર્ય, અખંડ રહી ઈન્દ્રપદ કરતાં પણ અધિક થશે અને તારી આ ગૌતમી તારી રાણી થશે. તેનું નામ ગુણસુંદરી પડશે. તેને ચાર પુત્રો થશે. તે ઉપરાંત એક કન્યા થશે. તે મહાભાગ્યશાળી અને સુંદર મુખવાળી થશે. પછી વિષય સુખમાં રત તું તારા ઉદ્ધારક ભગવાન વિષ્ણુને ભૂલી જઈશ ત્યારે તારો આ શુકદેવ નામનો પુત્ર તને વનમાં વૈરાગ્ય વિશે બોધ આપશે ત્યારે તું બધા વૈભવનો ત્યાગ કરી ચિંતારૂપ સમુદ્રમાં ડૂબી જઈષ.ત્યારે હે બ્રાહ્મણ ! વાલ્મીકિ ઋષિ તારી પાસે આવી બોધ કરશે. તેમનાં વાક્યોથી તારો સંદેહ દૂર થશે અને લિંગ શરીરનો પણ ત્યાગકરી પત્ની સાથે પુનર્જન્મ રહિત શ્રીહરિના પદને તું પ્રાપ્ત કરીશ.”


મહાવિષ્ણુ એમ કહી રહ્યા હતા તે જ સમયે મૃત્યુ પામેલ બ્રાહ્મણ પુત્ર સજીવન થઈ ઊભો થઈ ગયો.પુત્રને જોઈ એ બંને સ્ત્રી-પુરુષ ઘણો જ આનંદ પામ્યા અને દેવોએ પણ સંતુષ્ટ થઈ અતિ પ્રસન્નતાથી આકાશમાંથી પુષ્પોનીવૃષ્ટિ કરી.


વાંચો  આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત 


બ્રાહ્મણ પુત્ર શુકદેવે શ્રીહરિને નમસ્કાર કર્યા : “હે શ્રીહરિ ! મેં ચાર હજાર વર્ષ સુધી નિરંતર દુષ્કર તપ કર્યું હતું. તે સમયે આપે મને કઠોર વચન કહ્યું હતું. તેમાં તારા ભાગ્યમાં પુત્ર નથી જ અને આજે એ વાક્યનું ઉલ્લંઘન કરી મારામરેલા પુત્રને ઉઠાડ્યો તેનું શું કારણ છે તે મને જણાવો.


“ શ્રી બૃહન્નારદીય પુરાણ” ના પુરૂષોત્તમ માહાત્મ્યનો
“પુરૂષોત્તમ વ્રતનું મહાફળ” નામનો અઢારમો અધ્યાય સંપૂર્ણ.


હવે પતિતપાવન પુરૂષોત્તમ માસની કથાનું રસપાન કરીએ.


ચમત્કારિક પ્રસાદની વાર્તા


રામનગરનો રાજા જાલિમસિંહ નામ પ્રમાણે ઘણો જ ક્રૂર અને ઘાતકી હતો. તેના દિલમાં દયા નામની ચીજ જ નહોતી. જિંદગી આખી એણે પાપ જ કર્યા. પુણ્યનું એકેય કામ ન કર્યું. જ્યારે એની રાણી ઘણી ધર્મિષ્ઠ અને દયાળુ તથા વ્રત-તપ-જપ કરનારી હતી. રાજા જેટલાં પાપ કરે તેનાથી બમણું એ પુણ્ય કરે. આમ, પાપી જીવન ગુજારતાં તે પ્રૌઢાવસ્થાએ પહોંચ્યો. પાછલી ઉંમરે રાજાને એનાં પાપ પીડવા લાગ્યા. રાતે ઊંઘ ન આવતી. દિવસે ખાવું ન ભાવતું. રાજાએ વિચાર કર્યો કે આખી જિંદગી પાપ કરવામાં વિતાવી. આ હાથથી પુણ્યનું એક પણ કામ ના થયું. મોતનો ભરોસો નહીં. ક્યારે આવી જાય. માટે પ્રભુ-ભક્તિ કરી થોડું પુણ્ય મેળવી લઉં. આમ વિચારી રાજા તો વનમાં જવા તૈયાર થયો. કુંવરને રાજપાટ સોંપી રાજા રાણી વનમાં જવા નીકળ્યા.


વનમાં પ્રવેશતાં જએક ચાર હાથવાળો માણસ સામે મળ્યો. રાજા તો એને દેવ માનીને પગમાં પડી ગયો અને પોતાને બચાવવા પ્રાર્થના કરવા લાગ્યો. ત્યારે એ માણસ બોલ્યો : “ભાઈ ! હું કોઈ દેવ નથી. હું તો બ્રાહ્મણ છું. આ આંબાની ઘટા પાછળ કનકનો પહાડ છે. એ પહાડના શિખર પર પુરૂષોત્તમ પ્રભુનુ મંદિર છે. ત્યાં જે પ્રસાદ લે તેના સર્વે પાપોનો ક્ષય થાય છેઅને એના હાથ ચાર થઈ જાય છે. ત્યાં ઘણા ચાર હાથવાળા માણસો રહે છે.”


રાજા તો ગળગળો થઈને બ્રાહ્મણને વીનવવા લાગ્યો કે મને કનકના પહાડના દર્શન કરાવો. બ્રાહ્મણ રાજા-રાનીને આંબાની ઘટા પાછળ લઈ ગયો.પણ ત્યાં પહાડ ન હતો. કનક પહાડના દર્શન ન થતાં રાજા રુદન કરવા લાગ્યો ત્યારે બ્રાહ્મણ બોલ્યો : “ભાઈ ! એ પહાડના દર્શન પુણ્યશાળીને જ થાય. જેણે જીંદગીમાં પુણ્યનું એક પણ કામ ન કર્યું હોય એને પહાડના દર્શન નથી થતા.”


રાજા તો અતિશય રુદન કરતો કરતો પોતાની જાતને ધિક્કારવા લાગ્યો. તેણે બ્રાહ્મણને કહ્યું : “ભાઈ ! તમારી વાત સાચી છે. મેં આખી જિંદગી પાપ જ કર્યા છે અને એ પાપ આજ મને નડી રહ્યા છે.” એમ કહી રાજા હૈયાફાટ વિલાપ કરવા લાગ્યો. એનો પશ્ચાતાપ જોઈ બ્રાહ્મણ બોલ્યો : “હે રાજા ! આવાં ઘોર પાપોથી મુક્તિ અપાવે તેવુંએકજ વ્રત છે અને તે છે પુરૂષોત્તમ માસનું વ્રત. એ વ્રત કરવાથી ગમે તેવાં મોટાં પાપોનો પણ ક્ષય થાય છે. અને તારા સદભાગ્યે અત્યારે પાવન પુરૂષોત્તમ માસ ચાલે છે. છેલ્લા આઠ દિવસ બાકી છે. જો અહીં પાંચ જણ બેસીને ઉપવાસ કરે અને પુરૂષોત્તમ પ્રભુના ગુણગાન ગાય તો અવશ્ય કનક પહાડના દર્શન થાય.”

હનુમાન ચાલીસા ની 9 ચોપાઈનું પઠન 🙏 મળશે 100% ફળ


રાજા તો તરત નગરમાં ગયો, જઈને સેનાપતિને અને પ્રધાનને લઈ આવ્યો. પછી રાજા-રાણી, બ્રાહ્મણ, પ્રધાન અને સેનાપતિએ વ્રત આદર્યા. આઠ દિવસના ઉપવાસ કર્યા. નવમા દિવસના પ્રભાતે કનક પહાડના દર્શન થતા જ રાજાની આંખમાં હર્ષના આંસુ આવી ગયા. બધા શિખર પર ગયા. ત્યાં સ્વયં પુરૂષોત્તમ પ્રભુ બિરાજ્યા હતા. પાંચેય પ્રભુનાચરણે પડ્યા. પ્રભુએ ઉઠાડીને તેમને પ્રસાદ આપ્યો. પ્રસાદ ખાતાં જ પાંચેય ચાર ભુજાવાળા થઈ ગયા. પછી વિમાને બેસી સદેહે વૈકુંઠમાં ગયા.


હે પુરૂષોત્તમ પ્રભુ ! તમે જેવા મહાપાતકી રાજાને ફળ્યા એવા સૌને ફળજો.

Gujarati Bhakti Lekh on Whatsapp


 શુભ દિવસે શ્રી મહાલક્ષ્મી નો આ પાઠ કરવાથી ગરીબ પણ કરોડપતિ બની જાય અહી ક્લિક કરો.    


નારાયણ નો આ કવચ નો પાઠ કરવાથી તમામ પ્રકારના ભય માંથી મુક્તિ મળે છે અહી ક્લિક કરો.   






દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી 


 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

ગુરુવાર, 3 ઑગસ્ટ, 2023

અઘિક શ્રાવણ માસની સંકષ્ટી ચતુર્થી કયારે છે ? 4 કે 5 ઓગસ્ટ ઉપવાસ ક્યારે કરવો? ચંદ્ર દશૅન નો સમય શુ છે ? | Adhik shrvan Sankashti Chaturthi 2023 | Okhaharan

અઘિક શ્રાવણ માસની સંકષ્ટી ચતુર્થી કયારે છે ?  4 કે 5 ઓગસ્ટ ઉપવાસ ક્યારે કરવો?  ચંદ્ર દશૅન નો સમય શુ છે ? | Adhik shrvan Sankashti Chaturthi 2023  | Okhaharan 


adhik-shrvan-sankashti-chaturthi-2023
adhik-shrvan-sankashti-chaturthi-2023

શ્રી ગણેશાય નમઃ સ્વાગત છે તમારૂ આપણા ગુજરાતી ભક્તિ લેખમાં. આજે લેખમાં જાણીશું અઘિક શ્રાવણ માસની સંકષ્ટી ચતુર્થી કયારે છે ?  4 કે 5 ઓગસ્ટ ઉપવાસ ક્યારે કરવો? આ દિવસે શ્રી ગણેશ ના ક્યા સ્વરૂપ નું પુજન કરવું ? અને ચંદ્ર દશૅન નો સમય શુ છે ? કેમ આ ચતુર્થી  ખાસ છે તે બધું આજે આપણે જાણીશું   

શ્રી ગણેશ નો  "" ઋણમુક્તિ ગણેશ સ્ત્રોત ""  ગુજરાતી લખાણ સાથે


દરેક મહિનામાં આવતી વદ પક્ષની ચતુર્થીને સંકષ્ટી ચતુર્થી કહે છે  હિંદુ ધર્મમાં શ્રી ગણેશ ની સંકષ્ટી ચતુર્થી વ્રતને તમામ ઉત્તમ માનવામાં આવે છે. અધિકામાસના કૃષ્ણ પક્ષની ચતુર્થી પર વિભુવન સંકષ્ટી ચતુર્થી વ્રત રાખવામાં આવે છે. આ વ્રત 3 વર્ષમાં એકવાર આવે છે. આ જ કારણ છે કે અધિકમાસમાં ગણપતિની પૂજાનું વિશેષ મહત્વ છે.


 આ દિવસે શ્રી ગણેશ ના પુજન સાથે ચંદ્રદેવનું પુજન કરવામાં આવે છે. શ્રી ગણેશજી એ પ્રથમ ઉપાસક છે અને તે શુભતાના પ્રતીક પણ છે. ભગવાન ગણેશને માતા ગૌરી અને શંકર ના વરદાન થી પ્રથમ પૂજનીય દેવ માનવામાં આવે છે. ગણેશજીને વિઘ્નોદૂર કરનાર દેવ પણ કહેવામાં આવે છે. આ દિવસે ગણપતિની પૂજા કરી ઉપવાસ કરવાથી જ્ઞાન અને ઐશ્વર્યની પ્રાપ્તિ થાય છે. 

આ દિવસે શ્રી ગણેશ ના પુજન સાથે રિદ્રિ સિદ્રિ નું પુજન દરેક કાયૅ માં સિદ્રિ પ્રાપ્ત થાય. તેમાં આ વષૅ જુલાઈ મહિનાની ચતુર્થી અઘિક શ્રાવણ માસની હોવાથી તેનુ માહાત્મ્ય અનેક ઘણુ વઘી જાય છે 
દરેક તિથિ દરેક વાર અલગ અલગ ભગવાન અને માતાજી અપણૅ છે જેમ સોમવાર મહાદેવ , એકાદશી તિથિ નારાયણ અષ્ટમી તિથિ માતાજી ને તેમ જ ચતુર્થી તિથિ એ વિધ્નહર્તા ભગવાન શ્રી ગણેશ ને અપણૅ છે એ પછી સુદ પક્ષની વિનાયક ચતુર્થી  હોય કે વદ પક્ષની સંકષ્ટી ચતુર્થી હોય . 


તેમાં કેટલીક વખત વિનાયક ચતુર્થી મહત્વ વઘારે હોય તો કેટલીક વખત સંકષ્ટી ચતુર્થી મહત્વ વઘારે હોય . દર માસે બે ચતુર્થી આવે છે આમ દર માસે ની બે અને આ ત્રણ વર્ષે આવતા અધિક માસ ની બે એમ કુલ ૨૬ ચતુર્થી નો ઉલ્લેખ ગણેશ પુરાણમાં થયો છે. અઘિક શ્રાવણ માસની સંકષ્ટી ચતુર્થી ની વધું માહિતી જાણીયે. 


 શ્રી ગણેશ આ કવચ નો પાઠ કરવાથી આસુરી તત્વો થી રક્ષા કરનારું નું છે
 
કોઈ પણ માસ ની વદ પક્ષની સંકષ્ટી ચતુર્થી નો ઉપવાસ પૂર્ણ શ્રદ્ધા અને સાચા હૃદયથી ભગવાનની પૂજા કરવાથી ભક્તોના તમામના પ્રકાર વિધ્નો દૂર કરી ભગવાન શ્રી ગણેશ સૌવ સારા વાના થાય છે . ધાર્મિક ગ્રંથો મુજબ ભગવાન શ્રી ગણેશની પૂજા કરવાથી જીવનમાં કીર્તિ, ધન, વૈભવ અને સારા સ્વાસ્થ્યની પ્રાપ્તિ થાય છે. 


આ વષૅ અઘિક શ્રાવણ માસ ની સંકષ્ટી ચતુર્થી  
 તિથિ પ્રારંભ  4 ઓગસ્ટ 2023 શુક્રવાર બપોરે 12:45
તિથિ સમાપ્તી 5 ઓગસ્ટ 2023 શનિવાર સવારે 9:49
ચતુર્થી નો ઉપવાસ ચંદ્રદોય પ્રમાણે માટે
ચતુર્થી તિથિ નો ઉપવાસ 4 ઓગસ્ટ 2023 શુક્રવાર
પુજન નો શુભ સમય સવારે 7:25 થી 9:05
ચંદ્ર દશૅન સમય રાત્રે 9:37 મિનિટ છે.


ચતુર્થી તિથિ ચંદ્રની પૂજા વિના અધૂરી માન
વામાં આવે છે. માટે રાત્રીના ચંદ્રદય એ ચંદ્રદશૅન પછી ચંદ્ર દેવને ફુલ ચોખા વડે વઘાવી જળ અપણૅ કરી ઉપવાસ છોડવો. આ ચતુર્થી ના દિવસે શ્રી ગણેશ ના ગણપતિ સ્વરૂપ નું પુજન કરવામાં આવે છે.

 

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

 

"" શ્રી ગણેશ ચાલીસા "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

 

સંતાન ગણપતિ સ્તોત્રમ્ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.    

 

 "" શ્રી વિષ્ણુ ચાલીસા ""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

ગીતાજી માં કહેલા શ્રી વિષ્ણુ ભગવાન ૧૦૮ નામ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

 

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

  

 """ શ્રી વિષ્ણુ સ્તુતિ """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

 

 """ શ્રી વિષ્ણ્વષ્ટકમ્   """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.   


 આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો.  

 

દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી અહી ક્લિક કરો.  


 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

બુધવાર, 2 ઑગસ્ટ, 2023

પુરુષોત્તમ માસ કથા અધ્યાય સત્તરમો | Purushottam Maas Katha Adhyay 17 in Gujarati | Adhyay 17 | Adhik Mass 2026 | Okhaharan |

પુરુષોત્તમ માસ કથા અધ્યાય સત્તરમો |  Purushottam Maas Katha Adhyay 17 in Gujarati  | Adhyay 17 | Adhik Mass 2026 | Okhaharan | 


purushottam-maas-katha-adhyay-17-in-gujarati
purushottam-maas-katha-adhyay-17-in-gujarati


શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂ આપણા ગુજરાતી ભક્તિ લેખમાં આજે આપણે જાણીશું પુરૂષોત્તમ માસની કથા અધ્યાય સત્તરમો સુદેવનો વિલાપ અને અમૃત ધારા જે વાતૉ કહેવાય  દાનફળની વાર્તા. 

પુરુષોત્તમ માસ કથા અધ્યાય સોળમો 


અધ્યાય સત્તરમો સુદેવનો વિલાપ 


શ્રી નારદે પૂછ્યું : “હે કૃપાના સમુદ્ર શ્રી નારાયણ ! તપનો ભંડાર એ સુદેવ ખૂબ બોધ પામ્યો. સાંભળનારના પાપનો નાશ કરનાર એ ચરિત્ર મને કહો.”


શ્રી નારાયણ બોલ્યા : “ પોતાનું એ પૂર્વજન્મનું ચરિત્ર સાંભળી રાજા દ્રઢધન્વાનું મોઢું આશ્ચર્યચકિત થઈ ગયું. વાલ્મીકિએફરી આગળ કહ્યું.”
વાલ્મીકિ બોલ્યા : “પત્નીના મોંઢેથી એવી શીતળ વાણી સાંભળી સુદેવે ધૈર્ય ધર્યું ને શ્રીહરિમાં ચિત્ત લગાડી દીધું. એમ પોતાની નિત્ય ક્રિયા કરતાં તેનો કેટલોક સમય વીતી ગયો. તેનો પુત્ર બાર વર્ષનો થયો હતો.


એક સમયે યજ્ઞ માટે કાષ્ઠ, દર્ભ તથા ફળ વગેરે માટે તે વનમાં ગયો. તે જ દિવસે તેનો પુત્ર મિત્રોની સાથે વાવ પર ગયો. બધા છોકરા પ્રેમપૂર્વક સંતાકૂકડી રમતા હતા. શુકદેવે પોતાના મિત્રોને છેતરવા, તથા તેઓ તેને શોધી ન શકે તે માટે કૂવામાં ઊતરી તેના ઊંડા જળમાં પોતાનો શ્વાસ રોકી ડૂબકી મારી. પણ પાણી ઘણું ઊંડું હતું તેથી તેણે બહાર નીકળવા ઘણા પ્રયત્નો કર્યા પણ બધા વ્યર્થ ગયા અને પાણીમાં જ ગુંગળાઈ જઈને તે મરણ પામ્યો.


ઘણા સમય સુધી તેના મિત્રોએ તેની રાહ જોઈ પણ પાણીમાંથી બહાર ન આવતાં બાળકોએ આ વાત તેની માતાને જણાવી. બાળકોની વાત સાંભળી પુત્ર પર પ્રેમવાળી ગૌતમી તરત બેભાન બની જમીન પર ઢળી પડી. એ જ સમયે બ્રાહ્મણ સુદેવ પણ વનમાંથી આવી પહોંચ્યો અને પુત્રનું મૃત્યું થયું છે તે જાણી તે પણ બેભાન થઈ પૃથ્વી પર ઢળી પડ્યો. થોડી વારે ભાનમાં આવતાં તેઓ બંને પેલી વાવ પર ગયાં. ત્યાં મરેલા પુત્રને ભેટી પડી સુદેવ પુત્રના મુખ પર વારંવાર ચુંબન કરવા લાગ્યો. મરેલા પુત્રના શરીર ઉપર તે વારંવાર હાથ ફેરવવા લાગ્યો ને વિલાપ કરી રડતો આમ કહેવા લાગ્યો.


વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" 


સુદેવ બોલ્યો : “ઓ પુત્ર ! મારા શોકનો નાશ કરનારી સંદર વાણી તું બોલ ! હે પુત્ર ! ઘરડા માતા-પિતાને અહીં છોડી દઈ તારે જતા રહેવું યોગ્ય નથી. તારા મિત્રો તને વેદાધ્યાન કરવા બોલાવે છે. હું તને છોડીને ઘેર જવાનો નથી. અરે રે ! મારા ક્યા પાપકર્મના પરિણામથી મારો પુત્ર અકાળે મરણ પામ્યો છે ! ઓ નિર્દય વિધાતા ! હું ગરીબ છું. મારા પુત્રને ખંચવી લેતાતને કંઈ શરમ નથી આવતી ? મારા ભાગ્યને લીધે જ આમ બન્યું છે. બેટા ! દયા કરી એક વાર તો તારી મીઠી વાણી સંભળાવ ! બેટા ! તને અમારા પ્રત્યે દયા કેમ ઊપજતી નથી ? આજે અમને પૂછ્યા વિના જ મરણના લાંબા માર્ગે તું કેમ જતો રહ્યો છે ! ખરેખર રાજા દશરથને અતિ ધન્યવાદને પાત્ર હું માનું છું કે તેમણે શ્રી રામચંદ્ર વનમાં પધાર્યા ત્યારે પુત્ર વિયોગના તાપથી બળી જઈ પ્રાણ છોડી દીધા, પણ મારો પુત્ર તો મરી ગયો છે છતાં હું હજી જીવી રહ્યો છું તો મને ધિક્કાર હો.”


એમ વિલાપ કરી સુદેવે ભગવાનને સંબોધી કહેવા માંડ્યું : “હે ગોવિંદ ! હે ભગવાન ! હે દયાળું ! પુત્રના વિરહરૂપ અગ્નિના તાપથી બળતાં આપ મારું રક્ષણ કરો. હે ગોપીઓના ઈશ્વર! હે યમુનાના ઝેરનો દોષ દૂર કરનાર, પુત્રના વિયોગરૂપ અગ્નિના તાપથી બળતાં આપ મારું રક્ષણ કરો. ખરેખર ! મારા જેવો બીજો કોઈ લુચ્ચો નહી હોય કે જેણે દેવકીનંદન પરમેશ્વરના વચનનો અનાદર કરી પુત્ર માટેની દુષ્ટ આશા કરી ! પ્રભુ શ્રીહરિએ મને સ્પષ્ટ ના પાડી હતી કે તારા ભાગ્યમાં પુત્રસુખ નથી છતાં મેં હઠ કરીને મારા ભાગ્યમાં જે નહોતું તે માંગ્યું, પરંતુ દૈવે નષ્ટ કરેલી વસ્તુને ક્યો અભાગિયો માણસ મેળવી શકે છે ?”


“ શ્રી બૃહન્નારદીય પુરાણ” ના પુરૂષોત્તમ માહાત્મ્યનો
“સુદેવનો વિલાપ” નામનો સત્તરમો અધ્યાય સંપૂર્ણ.


હવે પતિતપાવન પુરૂષોત્તમ માસની કથાનું રસપાન કરીએ.


દાનફળની વાર્તા


એક ગામમાં પટેલ-પટલાણી રહે. બેય ઘણાં ધર્મિષ્ઠ. કોઈને ખવરાવીને રાજી થાય. મન-કર્મ-વચનથી પવિત્ર રહે. કોઈના પ્રત્યે દ્વેષ નહી કે કદી કોઈનું બુરું ઈચ્છે નહીં. સંતાનમાં એક દીકરો. એ પણ મા-બાપ જેવો પરગજુઅને પરોપકારી. પ્રભુથી ડરીને ચાલનારો. દિવસે બાપ-દીકરો ખેતી કરે અને રાત્રે ત્રણે ભેગા થઈને પ્રભુનું ભજન કરે.


પાવન પુરૂષોત્તમ માસ નજીક આવતાં પટેલી વિચાર કર્યો કે આ વખતે તો વ્રત ગંગા કિનારે કરવું. રોજ ગંગાસ્નાનનું પુણ્ય મળે. તરત બે ગાડાં તૈયાર કરી એમાં ઘરવખરી ભરી એકમાં પટેલ બેઠા, બીજામાં મા-દીકરો બેઠાં અને પ્રયાણ કર્યું.

વાંચો  આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત 


મારગ કપાતો જાય અને ભજન-કીર્તન થતાં રહે. આ બાજુ વૈકુંઠમાં પ્રભુ પુરૂષોત્તમે વિચાર કર્યો કે ભક્તની પરીક્ષા તો લેવી જ. પ્રભુ તો સાધુનું સ્વરૂપ ધારણ કરીને આવ્યા પટેલ પાસે. રોંઢા વેળા થઈ છે. પટેલ-પટલાણી અને દીકરો ત્રણે રોંઢો કરવા બેઠાં છે.


સાધુને જોઈ પટેલે આસન આપ્યું. પ્રણામ કરીને જમવા પધારવાનુંભાવથી કહ્યું ત્યારે સાધુ બોલ્યા : “હું તો સદા ઉપવાસી છું. તારે આપવું હોય તો ગાડું આપ. મારે ગંગાસ્નાન કરવા જવું છે. ચાલીને જાઉં તો દિવસો વીતી જાય અને મને ગંગા કિનારે પહોંચવાની ઉતાવળ છે.” પટેલ તો જરાય વિચાર કરવા ન રોકાયા. ઘરવખરી પણ ન ઉતારી. સીધી બળદની રાસ સાધુના હાથમાં આપી દીધી. સાધુ તો ગાડુ લઈને રવાના થયા. પટેલ પગપાળા ચાલવા લાગ્યા.


મા-દીકરો પટેલને સમજાવવા લાગ્યા કે અમારા ગાડામાં બેસી જાવ પણ પટેલે ના પાડી, બોલ્યા કે “તમતમારે આગળ વધો. હું તમારી પાછળ જ આવું છું.”

પુરુષોત્તમ માસ સ્પેશિયલ ભજન | આંબુડું જાંબુડું ગીત ગુજરાતીમાં


મા-દીકરો ગાડું લઈને આગળ વધ્યાં. પટેલ પાછળ ચાલ્યા આવે છે. ચાલતાં ચાલતાં પ્રભુના ગુણગાન ગાય છે. એમાં એવા ડૂબી ગયા કે રસ્તો ભૂલી ગયા. પટેલ ભૂલા પડ્યા. જઈ ચડ્યા અઘોર જંગલમાં. ત્યાં નથી પાણી કે નથી ફળ. તોય પટેલ હિંમત હાર્યા વગર ચાલતા જ રહ્યા. અન્ન-જળ વગર ત્રણ દિવસ વીતી ગયા. ચાલવાની શક્તિ ન રહી. ત્યારે પટેલ એક વૃક્ષ નીચે થાક ખાવા બેઠા. ત્યાં તો ધબાક કરતું એક મોટું ફળ પડ્યું. પટેલે તો જિંદગીમાં કદી આવું ફળ જોયું ન હતું. ભૂખ લાગી છે પણ અજાણ્યું ફળ ખવાય કેવી રીતે અને અઘોર જંગલમાં આ ફળ વિશે પૂછવું કોને ?
પટેલે તો ફળ પછેડીના છેડે બાંધ્યું અને આગળ વધ્યા.આગળ જતાં જીર્ણશીર્ણ શિવાલય આવ્યું. પટેલે વિચાર કર્યો કે ભોળાનાથને જ પૂછી લઉં . પટેલ તો શિવાલયમાં જઈને બેસી ગયા. ત્રણ દિવસ ભૂખ્યા-તરસ્યા શિવજીને યાદ કરતા રહ્યા ત્યારે શિવજી પ્રગટ થયા. પટેલ તો શિવજીના ચરણોમાં ઢળી પડ્યાં. શિવજીએ વરદાન 
માંગવા કહ્યું ત્યારે પટેલ બોલ્યા કે “આ ફળ ખવાય કે નહી ?” ભોળાનાથ હસીને બોલ્યા : “આ ફળ વિશે તો હું પણ કાંઈ જાણતો નથી.ચાલો વિષ્ણુને જઈને પૂછીએ.”


શિવજીની ઈચ્છા આ બહાને પટેલને વિષ્ણુલોકના દર્શન કરાવવાની હતી. શિવજી તો પટેલને લઈને વિષ્ણૂલોકમાં આવ્યા. પુરૂષોત્તમ પ્રભુના દર્શન થતાં જ પટેલની આંખમાંથી દડ દડ આંસુ વહેવા લાગ્યા. પ્રભુના ચરણોમાં ઢળી પડ્યા. પછી બોલ્યા કે “હે નાથ ! છ દિવસનો ભૂખ્યો છું. આ ફળ ખાઉં કે ન ખાઉં ?” ભગવાન પટેલના આ ભોળપણ પર હસી પડ્યા અને બોલ્યા : “હે મારા ભોળિયા ભક્ત ! આ તો દાનફળ છે. મહાપુણ્યશાળીને જ મળે. તમ તમારે મોજથી ખાવ.” પટેલે ફળ ખાધું. ફળ ખાતાં જ બત્રીસ કોઠે દીવા થયા. ત્યાં જ પટેલની નજર પોતાના ગાડા પર પડી. પાસે બીજું ગાડું પડ્યું છે. એમાં પટલાણી અને દીકરો બેઠાં છે. પટેલે પ્રભુ સામે જોયું ત્યારે ત્રિભુવન તારણ બોલ્યા કે “હે ભક્ત ! તેં જરાય ખચકાટ વગર રાજીખુશીથી ગાડું આપી દીધું તેના પુણ્યફળ રૂપે તને અને તારા પરિવારને વૈકુંઠ દર્શનનો લાભ મળ્યો. હવે બોલ, તારે અહીં વૈકુંઠમાં રહેવું છે કે પૃથ્વી પર પાછા જવું છે ?”

હનુમાન ચાલીસા ની 9 ચોપાઈનું પઠન 🙏 મળશે 100% ફળ


પટેલ બોલ્યા : “વૈકુંઠ પ્રાપ્ત થયા પછી ક્યો મૂર્ખો પૃથ્વી પર પાછો જાય ? હવે અમે તો વૈકુંઠમાં તમારી સાથે જ રહીશું.”


અમૃત માસે સ્નાન-ધ્યાન કરી, કરે જે દાન
વૈકુંઠ સદેહે ભોગવે, રહે સાથ ભગવાન.


          હે પુરૂષોત્તમરાય ! તમે જેવા પટેલ અને એના પરિવારને ફળ્યા એવા સૌને ફળજો.


 Gujarati Bhakti Lekh on Whatsapp


 શુભ દિવસે શ્રી મહાલક્ષ્મી નો આ પાઠ કરવાથી ગરીબ પણ કરોડપતિ બની જાય અહી ક્લિક કરો.    


નારાયણ નો આ કવચ નો પાઠ કરવાથી તમામ પ્રકારના ભય માંથી મુક્તિ મળે છે અહી ક્લિક કરો.   






દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી 


 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

પુરુષોત્તમ માસ કથા અધ્યાય સોળમો | Purushottam Maas Katha Adhyay 16 in Gujarati | Adhyay 16 | Adhik Mass 2026 | Okhaharan |

પુરુષોત્તમ માસ કથા અધ્યાય સોળમો |  Purushottam Maas Katha Adhyay 16 in Gujarati  | Adhyay 16 |  Adhik Mass 2026 | Okhaharan | 

purushottam-maas-katha-adhyay-16-in-gujarati
purushottam-maas-katha-adhyay-16-in-gujarati


શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂ આપણા ગુજરાતી ભક્તિ લેખમાં આજે આપણે જાણીશું પુરૂષોત્તમ માસની કથા અધ્યાય સોળમો સુદેવને બોધકથા અને અમૃત ધારા જે વાતૉ કહેવાય મૃગલા મૃગલીની વાર્તા. 


પુરુષોત્તમ માસ કથા અધ્યાય પંદરમો


અધ્યાય સોળમો સુદેવને બોધકથા 


વાલ્મીકિ બોલ્યા : “હે મહારાજ દ્રઢધન્વા ! એમ ગરુડજી દ્વારા અતિ ઉત્તમ વરદાન મેળવી તે પછી સુદેવ પણ પત્ની સાથે ઘેર પાછો ફર્યો. થોડા સમય પછી એની પત્ની ગૌતમીને ગર્ભ રહ્યો અને દશમો મહિનો આવતાં ગૌતમીએ ઉત્તમ પુત્રને જન્મ આપ્યો. તેણે બ્રાહ્મણોને બોલાવીને પુત્રના જ્ન્મ સંસ્કારનું કર્મ કરાવ્યું. બ્રાહ્મણોને દાન-દક્ષિણા આપી સ્વજનોની સાથે રહી પુત્રનું નામ પાડવાની તૈયારી કરી. બ્રાહ્મણોએ કહ્યું કે આ પુત્ર ગરુડજીના વરદાનથી પેદા થયેલો છે, જે શરદઋતુનાચંદ્ર જેવો ઉદય પામતાં તેજવાળો શુકદેવજીના સરખો છે, માટે આ વહાલા પુત્રનું નામ ‘શુકદેવ’ રાખો.”


પછી જેમ જેમ અજવાળિયામાં ચંદ્રમાં વૃદ્ધિ પામે તેમ એ પુત્ર પિતાના મનોરથોની સાથે જલદી વધવા લાગ્યો. તેણે વેદાધ્યયન શરૂ કર્યું. પોતાની શ્રેષ્ઠ બુદ્ધિ વડે પોતાના ગુરુને ઘણાં જ પ્રસન્ન કર્યા. ગુરુના એક જ વાર કહેવાથી તેણે સઘળી વિદ્યા પ્રાપ્ત કરી લીધી.


પુરુષોત્તમ માસ સ્પેશિયલ ભજન | આંબુડું જાંબુડું ગીત ગુજરાતીમાં


“એક વખત કરોડો સૂર્યના જેવી કાંતિવાળા દેવમુનિ સુદેવને ત્યાં આવી ચડ્યા. તે વખતે પોતાના પગમાં પડેલા કુમારને જોઈ દેવલે કહ્યું : “હે સુદેવ ! તું ધન્યવાદને પાત્ર છે. આવો પુત્ર કદાચ કોઈનો પણ મેં જોયો નથી.” ત્યારપછી તેમણે તે બાળકનો હાથ જોયો અને આશ્ચર્યમાં પડી ગયા.


વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  


તેમણે સુદેવને કહ્યું : “તારો પુત્ર સર્વ ગુણોથી સંપન્ન અને સૌભાગ્યનો સાગર છે. એના હાથમાં ઉત્તમ છત્ર, બે ચામરો અને જળની સાથે કમળ છે અને મધ્ય ભાગ ત્રિવલ્લીથી સુશોભિત છે. તારો પુત્ર ગુણોનો સમુદ્ર છે, પરંતુ એક મોટો દોષ છે.” એમ કહી માથું ધુણાવતાં મુનિ દેવલ મોટો નિ:સાસો નાખી બોલ્યા : “કુમારનું આયુષ્ય લાંબું નથી. તારો પુત્ર બારમે વર્ષે પાણીમાં ડૂબી જઈ મરણ પામશે. માટે મનમાં તું શોક કરીશ મા. જેમ મરવાની અણી પર પહોંચેલા માટે ઔષધ વ્યર્થ છે, તેમ એ માટે કોઈ ઉપાય નથી. જન્મ અને મરણ ઈશ્વરની ઈચ્છાને આધીન છે.”


આમ કહી દેવલ મુનિ બ્રહ્મલોકમાં જતા રહ્યા અને સુદેવ ભવિષ્યમાં થનારા પુત્ર વિયોગથી આઘાત પામી બેભાન થઈ પટકાઈ પડ્યો. ગૌતમી પુત્રને ખોળામાં લઈને પ્રેમથી તેના મોઢાને ચુમવા લાગી. પછી તેણે પતિને સાંત્વના આપવા કહેવા માંડ્યું.”


ગૌતમી બોલી : “હે ઉત્તમ બ્રાહ્મણ ! ધીરજ રાખો. વિધાતાએ લલાટમાં જે લખ્યું છે તે મિથ્યા થતું નથી. એ ભોગવવું જ પડે છે. રાજા નળ, ધર્માત્મા યુધિષ્ઠિર, ભગવાન રામને પણ દુ:ખ ભોગવવું પડ્યું છે. એટલે ભવિષ્યમાં જે થવાનું છે તેનો ભય ન કરવો જોઈએ. માટે ઊઠો, હે નાથ ! સનાતન ભગવાન શ્રી હરિનું ભજન કરો. એ જ પ્રભુ સર્વ જીવોને શરણ લેવા લાયક તથા મોક્ષપદ આપનાર છે. પ્રભુએ જ પુત્ર આપ્યો છે અને એ જ આ દુ:ખને ટાળશે.”


પોતાઈ પત્નીનાં એવાં વચન સાંભળી બ્રાહ્મણ સુદેવ સ્વસ્થ થયો. તેણે તરત જ હૃદયમાં શ્રીહરિનાં ચરણકમળ સ્થાપી દઈ ભવિષ્યમાં થનારો પુત્રનો શોક છોડી દીધો.”


“ શ્રી બૃહન્નારદીય પુરાણ” ના પુરૂષોત્તમ માહાત્મ્યનો

“સુદેવને બોધ” નામનો સોળમો અધ્યાય સંપૂર્ણ.


વાંચો  આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત 


 
હવે પતિતપાવન પુરૂષોત્તમ માસની કથાનું રસપાન કરીએ.


મૃગલા મૃગલીની વાર્તા


એક નદીના કિનારે ગીચ ઝાડીમાં એક મૃગલો-મૃગલી રહે, બંને પશુ હોવા છતાં ઘણાં સંતોષી જીવ. પાવન પુરૂષોત્તમ માસ આવતાં લોકોના ટોળે ટોળા નદીએ નહાવા આવવા લાગ્યા. કાંઠાગોરની વાર્તા સાંભળે, દાન-દક્ષિણા આપે. આ જોઈને મૃગલા-મૃગલીને પણ વ્રત કરવાની ઈચ્છા થઈ. બંનેએ સંકલ્પ કર્યો. પણ નદીએ નહાવું કઈ રીતે ? છેવટે ઉપાય ખોળી કાઢ્યો કે નદીએ સ્નાન કરવા આવતાં નર-નારી સ્નાન કરીને ભીનાં વસ્ત્ર પાટ પર મૂકે ત્યારે એની નીચે ઊભા રહેવું. એટલે સ્નાન થઈ ગયું ગણાય. આ રીતે મૃગલો-મૃગલી પાટ નીચે ઊભા રહે. ભીના વસ્ત્રમાંથી જે પાણી નીતરે એના વડે સ્નાન કરે. પુરૂષોત્તમ મહિનામાં દાન કરવું પડે એટલે પછી વનમાંથી કુણુ કુણુ ઘાસ લઈ આવે અને ગાયને ખવડાવે.


એમ કરતાં પુરૂષોત્તમ માસ પૂર્ણ થવા આવ્યો. છેલ્લા દિવસે ગાયને વાચા ફૂટી અને એ કહેવા લાગી કે “હે મૃગલા-મૃગલી ! તમે મારી ઘણી સેવા કરી છે. પુરૂષોત્તમ વ્રતના પ્રભાવે તમને આ જનમે જ માનવા અવતાર મળશે. આજે છેલ્લો દિવસ છે. રાતે સ્વયં પુરૂષોત્તમ પ્રભુ કદંબના વૃક્ષ નીચે પ્રગટ થશે. એ સમયે તમે બંને ગળે ફાંસો ખાજો, પ્રભુ તમને મૃગોમાંથી મનુષ્ય બનાવશે.


મૃગલા-મૃગલીની આંખમાં ઝળહળિયાં આવી ગયાં. પ્રભુના દર્શનની સાથે મુક્તિ મળે એ કોને ન ગમે ?


રાતે ભગવાન પુરૂષોત્તમ અચૂક સમયે પ્રગટ થયા. ચોપાસ ઝળહળતો પ્રકાશ છવાઈ ગયો. તરત મૃગલા-મૃગલીએ ગળામાં ગાળિયો નાખ્યો, પણ પ્રભુએ હાથ લંબાવીને બંનેને રોક્યા અને બોલ્યા : “આ તમે શું કરો છો ? તમે અબોલ મુંગા પશુ હોવા છતાં મારું જે શ્રદ્ધા-ભક્તિથી વ્રત કર્યું છે તેથી હું તમારા ઉપર પ્રસન્ન થયો છું. એટલે તમને આ યોનિમાંથી તારવા આવ્યો છું.” આમ કહી પ્રસન્ન થયેલા પુરૂષોત્તમ ભગવાને અમીના છાંટણાં નાખ્યાં કે તરત મૃગલો સ્વરૂપવાન રાજા બની ગયો અને મૃગલી રૂપાળી રાણી બની ગઈ.


બંને હર્ષાશ્રુ વડે પ્રભુના ચરણ પખાળવા લાગ્યાં.

હનુમાન ચાલીસા ની 9 ચોપાઈનું પઠન 🙏 મળશે 100% ફળ


આમ, વ્રતના પ્રભાવે મૃગલા-મૃગલીને મહામૂલો મનુષ્ય અવતારમળ્યો. રાજપાટ મળ્યા. જીવનભર સુખ ભોગવી બંને અંતકાળે સદેહે ગોલોકમાં ગયા.


જોઈજાણીને જીવ વ્રત કરે કે અજાણ્યે થાય
ફળ તેનું અવશ્ય મળે, પ્રસન્ન પુરૂષોત્તમ થાય.

    Gujarati Bhakti Lekh on Whatsapp


 શુભ દિવસે શ્રી મહાલક્ષ્મી નો આ પાઠ કરવાથી ગરીબ પણ કરોડપતિ બની જાય અહી ક્લિક કરો.    


નારાયણ નો આ કવચ નો પાઠ કરવાથી તમામ પ્રકારના ભય માંથી મુક્તિ મળે છે અહી ક્લિક કરો.   






દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી 


 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

મંગળવાર, 1 ઑગસ્ટ, 2023

પુરુષોત્તમ માસ કથા અધ્યાય પંદરમો | Purushottam Maas Katha Adhyay 15 in Gujarati | Adhyay 15 | | Adhik Mass 2026 | Okhaharan |

પુરુષોત્તમ માસ કથા અધ્યાય પંદરમો |  Purushottam Maas Katha Adhyay 15 in Gujarati  | Adhyay 15 | | Adhik Mass 2026 | Okhaharan | 


purushottam-maas-katha-adhyay-15-in-gujarati
purushottam-maas-katha-adhyay-15-in-gujarati


શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂ આપણા ગુજરાતી ભક્તિ લેખમાં આજે આપણે જાણીશું પુરૂષોત્તમ માસની કથા અધ્યાય પંદરમો સુદેવને વરદાન કથા અને અમૃત ધારા જે વાતૉ કહેવાય દોઢિયાની દક્ષિણા ની વાર્તા. 

પુરુષોત્તમ માસ કથા અધ્યાય ચૌદમો


અધ્યાય પંદરમો સુદેવને વરદાન કથા 


ભગવાન શ્રી નારાયણે કહ્યું : “ હે મહર્ષિ નારદ ! તે પછી સુદેવ બે હાથ જોડી ગળગળા અવાજે ભક્તવત્સલ શ્રી વિષ્ણુ ભગવાનની આ પ્રમાણે સ્તુતિ કરવા લાગ્યો :


“હે દેવ ! હે દેવોના ઈશ્વર ! આપને નમસ્કાર હો. હું આપના શરણે આવ્યો છું. આપ મારું રક્ષણ કરો. આપ સર્વ કર્મ ફળના બીજ રૂપ, તેજ સ્વરૂપ તેજ આપનાર અને સર્વ તેજસ્વીઓમાં શ્રેષ્ઠ છો. હે પ્રભો ! હું અત્યંત દુ:ખી છું. આપનો ભક્ત છું, છતાં આપ મારાદુ:ખને દૂર કરવા કશું કરતાં કેમ નથી, તો લોકમાં આપને લોકબંધુ કહે છે તે એળે જશે ?”


તે સાંભળીને શ્રીહરિ મેઘ જેવા ગંભીર અવાજે બોલ્યા : “હે પુત્ર! તેં ઘોર તપ કર્યું છે, તું શું ઈચ્છે છે ? તારા તપથી હું સંતુષ્ટ થયો છું. આવું મહાન કર્મ પહેલા કોઈએ પણ કર્યું નથી.”


સુદેવ બોલ્યો : “હે વિષ્ણો ! આપ પ્રસન્ન થયા હો તો મને શ્રેષ્ઠ પુત્ર આપો. પુત્ર વગરનું મારું જીવન નિરસ થઈ ગયું છે. મને જીવવાનો આધાર આપો.” બ્રાહ્મણનું આ વચન સાંભળી ઈશ્વર શ્રીહરિ બોલ્યા :


“હે બ્રાહ્મણ ! પુત્ર વિના બાકી બધું જે ન આપવા જેવું છે તે પણ હું તને આપીશ. તારા લલાટમાં જે અક્ષરો છે, તે બધા મેં જોઈ લીધાંછે; તેમાં સાતે જન્મમાં તને પુત્રસુખ નથી.”


શ્રીહરિનું વ્રજના કડાકા જેવું કઠોર વાક્ય સાંભળી બ્રાહ્મણ સુદેવ કપાયેલા મુખવાળા વૃક્ષની પેઠે પૃથ્વી પર પછડાઈ પદ્યો. પોતાના સ્વામીને પુત્રની ઈચ્છાથી બેભાન પડેલો જોઈ પત્ની દુ:ખી થઈ રડવા લાગી. પછી ધૈર્ય ધરી તે સ્ત્રી પોતાના પતિને કહેવા લાગી.


ગૌતમી બોલી : “હે નાથ ઊઠો ! મારું વચન તમે કેમ યાદ કરતા નથી ? વિધિના લેખને ટાળી શકાતા નથી. ભાગ્ય આગળ કોઈનું ચાલતું નથી.જેને દૈવ અનુકૂળ હોતું નથી તેનું બધુંય વ્યર્થ થાય છે તો હે બ્રાહ્મણ ! બધા પર વિશ્વાસ છોડી કેવળ પ્રભુની ભક્તિ જ કરો. સર્વ પ્રકારના શોકને છોડી માત્ર શ્રી હરિની સેવા કરો.

પુનમ દિવસે વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  


તીવ્ર શોકવાળાં ગૌતમીનાં એ વચન સાંભળી ગરુડજીને ઘણું દુ:ખ થયું ને તે ક્રોધથી કાંપવા લાગ્યા. તેમણે વિષ્ણુ ભગવાનને પ્રાર્થના કરતાં કહ્યું.
ગરુડજી બોલ્યા : “હે શ્રીહરિ ! આ બ્રાહ્મણી શોકસાગરમાં ડૂબી રહી છે અને આ બ્રાહ્મણ પણ આંખમાંથી આંસુ સારતાં બેભાન થઈ પડ્યો છે.લોકો આપને દયાના સાગર, દુ:ખીઓના દીનબંધુ કહે છે. કારણકે તમે ભક્તોનાં દુ:ખ સહન કરી શકતા નથી. તો આપની દયા આજે ક્યાં ગઈ છે ? આપ આને જો પુત્ર નહી આપો તો હવે પછી આપનાં ચરણકમળને કોઈ સેવશે નહી. આ બંને સ્ત્રી-પુરુષ પુત્ર્ની ઈચ્છાથી આપને શરણે આવ્યા છે.”
ગરુડજીના આવાં વચનો સાંભળી શ્રી વિષ્ણુ ભગવાનના ચહેરા ઉપર મંદ મંદ હાસ્ય પથરાઈ ગયું. તેમણે ગરુડજીને અમૃત જેવી વાણીમાં કહ્યું : “હે ગરુડજી ! તમને આ બ્રાહ્મણ દંપતિ પ્રત્યે આટલો સ્નેહ હોય તો ભલે આ બ્રાહ્મણને તમે જ એક મનગમતો શ્રેષ્ઠ પુત્ર આપો અને તેની ઈચ્છા પૂર્ણ કરો.તમને મારા આશીર્વાદ છે.”


શ્રીહરિનું પોતાને અનુકૂળ આવું વચન સાંભળી ગરુડજી મનમાં અતિ પ્રસન્નતા પામ્યા અને ગરુડજીએ શ્રી કેશવ ભગવાનના આદેશથી મનમાં અતિશય ખેદ પામેલા બ્રાહ્મણ શ્રેષ્ઠ સુદેવને આ પ્રમાણે કહ્યું : “હે શ્રેષ્ઠ બ્રાહ્મણ ! સાત જન્મોમાં પણ તારે પુત્રસુખ નથી, પરંતુ મારા સ્વામીની આજ્ઞાથી અને તેમના આશીર્વાદથી હું તને એક સુંદર અને સુયોગ્ય પુત્ર થાય તેવું વરદાન આપું છું. હે શ્રેષ્ઠ બ્રાહ્મણ ! તું ધન્યવાદને પાત્ર છે. શ્રીહરિની કૃપાથી જ તને પુત્ર પ્રાપ્તિ થશે. પુત્રપ્રાપ્તિથી તારો સંસાર સુખમય બનશે. માટે હવે બધો શોક છોડી દે અને કોઈ જાતની આસક્તિ રાખ્યા વગર આ સંસારને ભોગવ.”


આવી રીતે ઉત્તમ વરદાન આપીને ગરુડજી પોતાના સ્વામી શ્રીહરિ વિષ્ણુને પોતાની પીઠ ઉપર બેસાડી પોતાના ધામ વૈકુંઠલોકમાં ગયા.


“ શ્રી બૃહન્નારદીય પુરાણ” ના પુરૂષોત્તમ માહાત્મ્યનો
“સુદેવને વરદાન” નામનો પંદરમો અધ્યાય સંપૂર્ણ.
 
હવે પતિતપાવન પુરૂષોત્તમ માસની કથાનું રસપાન કરીએ.


દોઢિયાની દક્ષિણા 


ત્રંબાવટી નગરીનો રાજા ધર્મસેન ઘણો ધર્મિષ્ઠ હતો. બારે માસ વ્રત-તપ કરી દાન-પુણ્ય કરે. રાણી પણ ધર્મનું આચરણ કરવાવાળી. રાજાને બધી વાતે સુખ, પણ શેર માટીની ખોટ. પાછળ કોઈ વારસદાર નહીં. એવામાં પાવન પુરૂષોત્તમ માસ આવ્યો. રાજા-રાણીએ વ્રત શરૂ કર્યું. રોજ નદીએ નહાવા જાય, કથા-વાર્તા સાંભળે અને નિત્ય બ્રાહ્મણોને દાન-દક્ષિણા આપે. બધા બ્રાહ્મણો દક્ષિણા સ્વીકારે, પરંતુ એક બ્રાહ્મણ દક્ષિણા ન લે. રાજા બહુ આગ્રહ કરે તો કહે કે છેલ્લા દિવસ્સે લઈશ. બ્રાહ્મણ સાવ કંગાળ હતો. ખાવાનાય સાંસા હોય એવી એની કાયા કૃશ હતી. રાજાએ નક્કી કર્યું કે છેલ્લા દિવસે આ બ્રાહ્મણને પાંચ સોનામહોર આપવી.

પુનમ દિવસે વાંચો  આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત 


નક્કી કર્યા પ્રમાણે રાજાએ પાંચ સોનામહોર આપી, પણ બ્રાહ્મણે ન લીધી. એટલે રાજાએ પચાસ આપી ત્યારે બ્રાહ્મણ બોલ્યો કે “આ તો ખજાનાનું ધન છે, મને એ ના ખપે. મારે તો પરસેવાની કમાણી જોઈએ.” રાજાએ થોડો વિચાર કરી એને બીજા દિવસે બોલાવ્યો.


આ બાજુ બ્રાહ્મણી કાગના ડોળે પતિની રાહ જુએ છે. પતિએ ઘેર જઈને વાત કરી કે રાજા કાલે દક્ષિણા આપશે ત્યારે બ્રાહ્મણી હરખાવા લાગી કે રાજા ખાતા ન ખૂટે એટલું ધન તો અવશ્ય આપશે.


રાજા સાંજે ફાટ્યાં-તૂટ્યાં વસ્ત્રો પહેરી મજુરનો વેશ ધરી મહેલના બારણેથી નીકળ્યો અને કામ શોધવા લાગ્યો. પણ એને કાંઈ કામ આવડતું ન હતું. એને રાખે કોણ ? ફરતો ફરતો એ લુહારની કોઢે આવ્યો. બહુ કરગર્યો ત્યારે લુહારે એને ધમણ ફુંકવા અને ધણના ઘા મારવા રાખ્યો. આખી રાતની મજુરી ચાર આના નક્કી થઈ, પણ રાજાએ જિંદગીમાં કદી મહેનત કરી ન હતી, તેથી એક ઘડીમાં તો હાંફીગયો. પરસેવે રેબઝેબ થઈ ગયો. હાથમાં છાલા પડી ગયા. હથોડો ઉંચકવાના પણ હોંશ ન રહ્યા. લુહારે ખીજાઈને એને દોઢિયું (બે પૈસા) આપીને કાઢી મૂક્યો. રાજા લથડિયા ખાતો મહેલે આવ્યો. પરસેવો પાડીને પૈસો કમાવો કેટલો દોહ્યલો છે એનું એને ભાન થયું. પલંગમાં પડતાવેંત ઊંઘ આવી ગઈ.


સવારે બ્રાહ્મણ આવ્યો. રાજાએ પ્રણામ કરીને દક્ષિણામાં દોઢિયું આપ્યું. બ્રાહ્મણે પ્રેમથી દક્ષિણા સ્વીકારી અને રાજાને આશીર્વાદ આપ્યા કે “ ધન્ય છે રાજા તમને ! તમે મને તમારા પરસેવાની કમાણી આપી. ભગવાન તમારી સર્વ કામના પૂરી કરશે. ભગવાન પુરૂષોત્તમની કૃપાથી ટૂંક સમયમાં જ તમારે ત્યાં રાજનો વારસદાર જન્મશે.” રાહ જોતી બ્રાહ્મણીના હાથમાં દોઢિયું મૂક્યું. બ્રાહ્મણી તો દોઢિયું જોતાં જ ભડકી ઊઠી અને રોષે ભરાઇ દોઢિયાનો ઘા કરીને પતિને ભાંડવા લાગી. મૂરખ, વેદિયો કહીને ઘર ગજાવી મૂક્યું, પણ બ્રાહ્મણનું રૂંવાડુંય ન ફરક્યું.


બન્યું એવું કે એ દોઢિયું જઈને તુલસીક્યારામાં પડ્યું. બીજા દિવસે ત્યાં છોડ ઊગ્યો. થોડા સમય પછી છોડને શીંગો આવી. વિચિત્ર છોડને જોઈને બ્રાહ્મણીને નવાઈ લાગી. તેણે શીંગ તોડી જોયું તો અંદર દાણાને બદલે સાચા મોતી હતા ! બ્રાહ્મણી તો હરખાતી હરખાતી પતિ પાસે દોડી ગઈ. બ્રાહ્મણ સમજી ગયો કે આ તો રાજાના પરસેવાની કમાણી ઊગી છે. તે પુરૂષોત્તમ પ્રભુની કૃપા માનીને સ્તુતિ કરવા લાગ્યો.

હનુમાન ચાલીસા ની 9 ચોપાઈનું પઠન 🙏 મળશે 100% ફળ


          બ્રાહ્મણ એક મોતી લઈને બજારમાં વેચી આવ્યો. રોકડા બે હજાર રૂપિયા મળ્યા. પછી તો જોતજોતામાં બ્રાહ્મણ ધનવાન થઈ ગયો. જેના ઘરમાં ધનનું ઝાડ હોય એને શું મણા ? બ્રાહ્મણે સદાવ્રત બાંધ્યું. અન્નદાન-વસ્ત્રદાન કરવા લાગ્યો. જેમ જેમ લોકોને ખબર પડી તેમ તેમ બધા ધનનો છોડ જોવા આવવા લાગ્યા.


વાત રાજાના પ્રધાને સાંભળી. પ્રધાન પાકો બદમાશ હતો. તેણે આ છોડને પચાવી પાડવાનો દ્રઢ નિર્ધાર કર્યો અને એ દસ માણસોને લઈને આવ્યો બ્રાહ્મણના ઘેર ! આવીને બોલ્યો : “હે બ્રાહ્મણ ! અમે સાંભળ્યું છે કે તારે ત્યાંરોજ મોતી ઊગે તેવો છોડ છે, સાચી વાત છે ?” બ્રાહ્મણ તો સાચો જીવા હતો. તેણે સાચી વાત જણાવી દીધી કે આ તો રાજાએ દક્ષિણામાં આપેલા દોઢિયાનો છોડ છે. પ્રધાનની મુરાદ મેલી હતી. એ છોડ પોતાના ઘેર લઈ જવા ઈચ્છતો હતો. બોલ્યો કે, “આ છોડના મૂળિયા તપાસવા પડશે. જો દોઢિયું નીકળે તો છોડ તારો, નહિતર રાજની માલિકીનો.”


પ્રધાને તો માણસોને હુકમ કર્યો કે છોડના મૂળિયા ખોદી નાખો.માણસો કામે લાગી ગયા. નાનકડા છોડના મૂળિયા ખોદતાં વાર કેટલી ? પણ આ તો ધર્મનો છોડ હતો. એના મૂળ તો છેક પાતાળે પહોંચે. દસે માણસો થાકીને લોથ થઈ ગયા, પણ મૂળ ન મળ્યા.


કોઈએ જઈને આ વાત રાજાને કરી. રાજા તો દોડતો આવ્યો. પહેલાં તો પ્રધાનને બરાબરનો ધમકાવી તેની ખબર લઈ નાખી. પછી બંને હાથ જોડીને બ્રાહ્મણ-બ્રાહ્મણીની માફી માંગી. બ્રાહ્મણે રાજાને સાચાં મોતી ભેટ ધર્યાં.


બ્રાહ્મણના આશીર્વાદના પ્રતાપે રાજાના ઘેર પારણું બંધાયું ને સૌ સારાં વાનાં થયાં.


હે પૂર્ણ પુરૂષોત્તમ પ્રભુ ! તમે જેવા બ્રાહ્મણ-બ્રાહ્મણીને ફળ્યા એવા સૌને ફળજો.

પુરુષોત્તમ માસ સ્પેશિયલ ભજન | આંબુડું જાંબુડું ગીત ગુજરાતીમાં

                                  Gujarati Bhakti Lekh on Whatsapp


 શુભ દિવસે શ્રી મહાલક્ષ્મી નો આ પાઠ કરવાથી ગરીબ પણ કરોડપતિ બની જાય અહી ક્લિક કરો.    


નારાયણ નો આ કવચ નો પાઠ કરવાથી તમામ પ્રકારના ભય માંથી મુક્તિ મળે છે અહી ક્લિક કરો.   






દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી 


 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇