ગુરુવાર, 10 ઑગસ્ટ, 2023

પુરુષોત્તમ માસ કથા અધ્યાય ચોવીસમો | Purushottam Maas Katha Adhyay 24 in Gujarati | Adhyay 24 | Adhik Mass 2026 | Okhaharan |

પુરુષોત્તમ માસ કથા અધ્યાય ચોવીસમો |  Purushottam Maas Katha Adhyay 24 in Gujarati  | Adhyay 24 | Adhik Mass 2026 | Okhaharan | 


purushottam-maas-katha-adhyay-24-in-gujarati
purushottam-maas-katha-adhyay-24-in-gujarati


શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂ આપણા ગુજરાતી ભક્તિ લેખમાં આજે આપણે જાણીશું પુરૂષોત્તમ માસની કથા અધ્યાય ચોવીસમો દીપદાનનું માહાત્મ્ય અને અમૃત ધારા જે વાતૉ કહેવાય ગૌસેવાનું ફળ નામની વાર્તા. 

પુરુષોત્તમ માસ કથા અધ્યાય ત્રેવીસમો 


અધ્યાય ચોવીસમો દીપદાનનું માહાત્મ્ય 


મણિગ્રીવ બોલ્યો : “ હે મુનિશ્રેષ્ઠ ! ચમત્કારપુર નામે સુંદર શહેર છે. ત્યાં હું મારી પત્ની સાથે રહેતો હતો. રાજાએ મારું ઘર લૂંટી લીધું. ધન પણ મારા કુટુંબીઓએ લઈ લીધું. સર્વ લોકોએ મારો તિરસ્કાર કર્યો તેથી હું આ એકાંત જંગલમાં વસવાટ કરું છું. હે બ્રાહ્મણ ! મારા જેવા પાપી પર હવે આપ કૃપા કરો જેથી મારું દારિદ્ર નાશ પામે અને અતુલ વૈભવ મેળવી હું સુખપૂર્વક જીવન ગાળું.”


ઋષિ ઉગ્રદેવ બોલ્યા: “હે મહાભાગ્યશાળી ! તેં મારો અતિથિ સત્કાર કર્યો છે. ભૂખ-તરસથી પીડાતા મને તેં નવજીવન આપ્યું છે. હું તારા પર ઘણો જ પ્રસન્ન થયો છું. હું તને આશીર્વાદ આપું છે કે તારું તારી પત્ની સહિત કલ્યાણ થશે. કોઈ પણ સમયે ભગવાન સામે જો દીવો કરવામાં આવે તો તે મનુષ્યની લક્ષ્મી વધારનાર થાય છે. તો પુરૂષોત્તમ માસમાં જો વિધિપૂર્વક દીવો કરવામાં આવે તો એમાં કહેવાનું શું ?એટલું જ નહીં, પણ કુરુ વગેરે ઉત્તમ ક્ષેત્રો તથા દંડકાદિ વનો પણ શ્રી પુરૂષોત્તમ ભગવાન સમક્ષ કરેલા દીવાની સોળમી યોગ્યતાને પ્રાપ્ત થતા નથી. 

માટે તમે આવનારા પુરૂષોત્તમ મહિનામાં પુરૂષોત્તમ વ્રત-પૂજા કરજો. ઘીનો દીવો કરજો, ઘી ના હોય તો તલના તેલનો કે ઈઁગોરિયાના તેલનો દીવો કરજો.”


“હે પુત્ર ! આ વ્રત અતિશય ગુપ્ત છે અને તે જેને તેને કહેવા જેવું પણ નથી. દીપદાનનો મહિમા ઘણો મોટો છે. અને તે સર્વ પ્રકારની સંપત્તિ, ધન, પુત્ર, પૌત્ર તથા યશને આપનાર છે. કુમારિકાને યોગ્ય વર આપનાર, સ્ત્રીને સૌભાગ્ય આપનાર, વાંઝણી સ્ત્રીના વાંઝિયાપણાને દૂર કરનાર છે. આ સાધના તીવ્ર દારિદ્રયનો નાશ કરનારી છે અને તે આજે મેં તને જણાવી છે.” આમ, બંને પતિ-પત્નીને આશીર્વાદ આપી મુનિ ચાલી નીકળ્યા.
પુરૂષોત્તમ માસ આવતાં બંને પતિ-પત્નીએ પૂર્ણ ભક્તિથી પુરૂષોત્તમ વ્રત કર્યું અને વૈભવપ્રાપ્તિ માટે ઈઁગોરિયાના તેલથી ભગવાન સામે દીવો કરવા માંડ્યો. ઉગ્રદેવની કૃપાથી અને દીપદાનના પ્રભાવથી તેમનાં સર્વ પાપો નાશ પામ્યાં અને ત્યાંના ભોગો ભોગવીને જ બંને સ્ત્રી-પુરૂષ આ ભારત ક્ષેત્રની ભૂમિ પર પાછા જન્મ પામ્યા.

 શ્રી મહાલક્ષ્મી માં આ પાઠ કરવાથી દુઃખ કષ્ટ દુર થઈ ઘન સંપત્તિ પ્રાપ્ત થાય


પૂર્વજન્મના મણિગ્રીવ તથા સુંદરી, એ જ ચિત્રબાહુ અને ચંદ્રકળા થયા. જે મણિગ્રીવ પૂર્વ જન્મમાં મૃગોની હિંસા કરવા તત્પર રહેતો હતો તે જ વીરબાહુનો પુત્ર ચિત્રબાહુ નામે પ્રખ્યાત થયો છે. તારી જે પત્ની હતી તે જ હમણાં ચંદ્રકળા નામની તારી રાણી થઈ છે.


શ્રી પુરૂષોત્તમ માસમાં ઈઁગોરિયાના તેલનો દીવો ભગવાન સામે કરવાથી તેને નિષ્કંટક રાજ્યની જો પ્રાપ્તિ થઈ તો જે મનુષ્ય શ્રી પુરૂષોત્તમ માસમાં ઘી કે તલના તેલનો અખંડ દીવો જો કરે તો શું પ્રાપ્ત ન થાય ? તો પછી ઉપવાસ વગેરેથી જે કોઈ મનુષ્ય પુરૂષોત્તમ માસનું સેવન કરે, તેના ફળની તો વાત જ શી કરવી ?


અગસ્ત્ય ઋષિએ એ પ્રમાણે ચિત્રબાહુનો પૂર્વજન્મનો વૃતાંત કહ્યો અને પછી તે રાજાએ કરેલો સત્કાર સ્વીકારી તેને અક્ષય આશીર્વાદ આપી ત્યાંથી વિદાય લીધી.”


“ શ્રી બૃહન્નારદીય પુરાણ” ના પુરૂષોત્તમ માહાત્મ્યનો
“દીપદાનનું માહાત્મ્ય” નામનો ચોવીસમો અધ્યાય સંપૂર્ણ.
 
હવે પતિતપાવન પુરૂષોત્તમ માસની કથાનું રસપાન કરીએ.


ગૌસેવાનું ફળ


એક નગરમાં એક વિધવા સોનારણ રહે. એકલી ને અટૂલી. નહી દીકરો કે દીકરી. દળણા દળે, પ્રભુનું નામ લે અને જીવતરના દા’ડા વીતાવે.
એક દિવસ ગામમાં કથા બેઠી. સોનારણ રોજ કથા સાંભળવા જાય. એક દિવસ કથાકારે યજ્ઞનું માહાત્મ્ય સમજાવ્યું. સોનારણને યજ્ઞ કરવાની ઘણી ઈચ્છા થઈ પણ ઘરમાં ખાવા લોટ નહી ત્યાં યજ્ઞ શાનો કરવો ? એક બપોરે એ કથાકાર પાસેગઈ અને પોતાની ઈચ્છા જણાવી. કથાકાર જ્ઞાની હતો.  એ બોલ્યો કે જેની પાસે ધન ન હોય એ જો સેવાયજ્ઞ અને શ્રમયજ્ઞ કરે તો એનું જીવન સફળ થઈ જાય. સોનારણે ત્યાં ને ત્યાં સેવા યજ્ઞનો સંકલ્પ કર્યો.
ગામને પાદર એક વૃદ્ધ મહાત્મા ઝૂંપડી બાંધીને રહે. સોનારણ તો બ્રાહ્મમુહૂર્તે ત્યાં પહોંચી જાય. મહાત્મા નદીએ સ્નાન કરવા ગયા હોય. સોનારણ ઝૂંપડી વાળે, આંગણામાં પાણી છાંટે, રંગોળી પૂરે, આસોપાલવનાં તોરણ બાંધે, જળ ભરી દે.


વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" 


મહાત્મા રોજ વિચાર કરે કે રોજ કોણ આવીને આ બધું કરી જાય છે ? એક દિવસ મહાત્મા સંતાઈને ઊભા રહ્યા. સોનારણ બધું કામ આટોપીને જવા લાગી ત્યારે મહાત્માએ એને રોકીઅને પૂછ્યું કે “તું કોણ છે ? શા હેતુથી મારી સેવા કરે છે ?”


સોનારણે પોતાની ઓળખાણ આપીને પોતે કરેલા સંકલ્પની વાત જણાવી ત્યારે મહાત્મા બોલ્યા કે “કાલથી પવિત્ર પુરૂષોત્તમ શરૂ થાય છે. તું વ્રત કરજે અને ગાયની સેવા કરજે. તને ત્રીસ અશ્વમેઘ યજ્ઞનું ફળ પ્રાપ્ત થશે.”
સોનારણ તો રાજી થતી ઘેર આવી. વ્રતનો સંકલ્પ કર્યો. પૂર્ણ શ્રદ્ધાથી વ્રત કર્યું અને આખો મહિનો ગાયની સેવા-પૂજા કરી. યથાશક્તિ દાન કર્યું. વ્રત પૂર્ણ થતાં ઉજવણું કર્યું.


હવે બન્યું એવું કે એ નગરના રાજાનો સોળ વર્ષનો કુંવર માંદો પડ્યો. આખા શરીરે દાહ ઊઠ્યો. લાય બળવા લાગી. રાજાએ વૈદ્ય-હકીમ બોલાવ્યા. ભુવા-ભરાડી બોલાવ્યા પણ કુંવર સાજો થતો નથી. પીડા વધતી જાય છે. ખાઈ-પી શકતો નથી. રાજાથી કુંવરની હાલત જોઈ જતી નથી.
એક દિવસ રાજાના મહેલે એક સિધ્ધ આવ્યા. રાજાએ સિધ્ધની ખૂબ સેવા કરી. રાજાની સેવા-ભક્તિથી સિદ્ધા રાજા  ઉપર પ્રસન્ન થયા. પછી કુંવરની પીડાની વાત કરી. સિધ્ધ પોતાના યોગબળથી બધું જાણી ગયા અને બોલ્યા:”હે રાજા ! તારો પુત્ર પુર્વજન્મનાં કર્મોના લીધે પીડા ભોગવે છે. તારા પુત્રની પીડા દૂર કરનારી કોઈ દવા જગતમાં નથી. હા, જે કોઈ એને પાંચ અશ્વમેઘ યજ્ઞનું પુણ્ય આપે તો જ એ સાજો થાય.


રસ્તો દેખાડીને સિધ્ધ તો ચાલ્યા ગયા. રાજા મુંઝાયો. ચક્રવર્તી રાજા પણ એકાદ અશ્વમેઘ યજ્ઞ માંડ કરી શકે ત્યાં પાંચ અશ્વમેઘ યજ્ઞકર્યા હોય તેવો પુણ્યશાળી ક્યાંથી મળશે ? પણ ડૂબતો માણસ તણખલું પકડે.પુત્રની પીડા જોવાતી નથી. રાજાએ ઢંઢેરો પીટાવ્યો કે જો કોઈ પાંચ અશ્વમેઘ યજ્ઞનું પુણ્ય આપીને કુંવરનો દાહ મટાડશે એને સવા લાખ સોનામહોરોનું ઈનામ મળશે.


સતત ત્રણ દિવસ સુધી ઢંઢેરો પિટાવ્યો પણ કોઈ આવતું નથી. રાજા હતાશ થઈ ગયો. પુત્રના મોતના ભણકારા થવા લાગ્યા. આ ઢંઢેરો સોનારણે પણ સાંભળ્યો. તેને મહાત્માની વાત યાદ આવી. લાવ હું જઈને ખાતરી કરું કે મહાત્માની વાત સાચી કે ખોટી. એટલે ચોથા દિવસે સોનારણ આવી. એનો વેશ જોઈ પહેરગીરે અંદર ન આવવા દીધી. સોનારણે ઘણી આજીજી કરી ત્યારે માંડ અંદર આવી શકી. રાજાને વાત કરી કે હું પાંચ અશ્વમેઘનું પુણ્ય આપવા આવી છું ત્યારે રાજા વિચારમાં પડી ગયો. પાંચ પૈસાની દક્ષિણા આપવાનોય વેંત ન હોય એવા આ બાઈના દરહણ હતા, ત્યાં પાંચ અશ્વમેઘ ક્યાંથી કરવાની હતી ?

 વાંચો "" હનુમાનજી વડવાનલ સ્ત્રોત ""  


રાજાને વિચારમાં પડેલા જોઈ સોનારણે મહાત્માની વાત કરી અને હાથમાં જળ લઈ સંકલ્પ કર્યો. જળ છાંટતાં જ કુંવરનો દાહ મટી ગયો. ઉંહ … હાશ… કરતો કુંવર ખિલખિલાટ હસવા લાગ્યો. રાજા રાની અને કુંવર સોનારણના પગમાં પડી ગયાં અને સોનારણને સવા લાખ સોનામહોર આપી.


સોનારણે મળેલું ધન ધર્મકાર્યોમાં વાપર્યું. આજીવન વ્રત કર્યું અને ગૌ સેવા કરી. વ્રત તથા ગૌ સેવાના પુણ્યબળે એ સદેહે વૈકુંઠમાં ગઈ.


હે પુરૂષોત્તમ રાય  ! તમે જેવા સોનારણને ફળ્યા એવા સૌને ફળજો.

Gujarati Bhakti Lekh on Whatsapp


નારાયણ નો આ કવચ નો પાઠ કરવાથી તમામ પ્રકારના ભય માંથી મુક્તિ મળે છે અહી ક્લિક કરો.   






દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી 


 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

બુધવાર, 9 ઑગસ્ટ, 2023

અધિક માસ માં ના છેલ્લા 7 દિવસ બાકી છે કરીલો 12 રાશિ મુજબ દાન કરવાથી અધિક ફળ પ્રાપ્તિ થાય છે | Adhik Mass 12 Rashi Dan Gujarati | Okhaharan |

અધિક માસ માં ના છેલ્લા 7 દિવસ બાકી છે કરીલો 12 રાશિ મુજબ દાન કરવાથી અધિક ફળ પ્રાપ્તિ થાય છે | Adhik Mass 12 Rashi Dan Gujarati | Okhaharan |

adhik-mass-12-rashi-dan-gujarati
adhik-mass-12-rashi-dan-gujarati

શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂ આપણા ગુજરાતી ભક્તિ લેખમાં આજે આપણે જાણીશું અધિક માસ માં ના છેલ્લા 7 દિવસ બાકી છે કરીલો 12 રાશિ મુજબ દાન કરવાથી અધિક ફળ પ્રાપ્તિ થાય છે. 


પુરુષોત્તમ માસ કથા અધ્યાય બાવીસમો


દર વષૅ તિથિ વધ-ધટ પ્રમાણે અધિક માસ આવે છે જે  આ વષૅ 2026 મા તારીખ 17 મે, 2026 (રવિવાર) થી તારીખ 15 જૂન, 2026 (સોમવાર) અધિક માસ જેઠ તરીકે ઓળખાય છે  અને ત્યાર પછી જેઠમાસ શરૂ થાય છે. આ અધિક માસ અધિક ફળ આપનાર પુણ્યશાળી મહિનો છે આ મહિનામાં જપ તપ દાન કરવાનો મહિમા છે.

 દાન દક્ષિણા કરવાથી અનેક ધણું પુણ્ય ફળ મળે છે. આ અધિક માસમાં કોઈ પણ શુભ કાયૅ કરવામાં આવતા નથી. આ માસમાં શ્રીમદ્ ભાગવત કથા પુરુષોત્તમ માસ ની કથા તથા ખાસ કરીને ગીતાજી નો પુરુષોત્તમ યોગ નામનો 15 અધ્યાય પઠન શ્રવણ કરવાનો મહિમા છે. 


આ માસ અનેક વાર એવા શુભ સંયોગ રચાતા હોય છે જે ધણા વખત પછી આવતા હશે આ શ્રાવણ માસ અને અધિક માસનો સંયોગ તો 19 વષૅ પછી આવે છે. આ સમયમાં દાન દક્ષિણા ધાન વગેરે જરૂરિયાત લોકોને, બ્રહ્માણ કે કોઈ મંદિર મા દાન કરી શકો છો. હવે આપણે જાણીએ 12 રાશિ મુજબ દાન માહિતી. 


મેષ -  આ રાશિ ના લોકોએ માલપુઆ, ઘી, ઘોડો, ચાંદી, લાલ કાપડ, કેળા, દાડમ, સોનું, તાંબુ, જમીન, ઘઉ વગેરે દાન કરવાથી પુણ્ય ફળ મળે છે. 


વૃષભ - આ રાશિ ના લોકોએ સફેદ વસ્ત્ર, ચાંદી, માલપુઆ, માવા, ખાંડ, ચોખા, કેળા, ગાય, મોતી, વગેરે દાન કરવાથી પુણ્ય ફળ મળે 


મિથુન - આ રાશિના લોકોએ નીલમણિ, મગ, સોનું, તેલ, સફરજન, માલપુઆ, ગાય વગેરે દાન કરવાથી પુણ્ય ફળ મળે છે. 


વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" 


કર્ક - આ રાશિના લોકોએ મોતી, ચાંદી, પાણી, તલ, સફેદ વસ્ત્ર, જમીન, માલપુઆ,  દૂધ, ખાંડ, ચોખા વગેરે દાન કરવાથી પુણ્ય ફળ મળે. 


સિંહ - આ રાશિના લોકોએ લાલ કપડું, તાંબુ, પિત્તળ, સોનું, ચાંદી, ઘઉં, દાળ, ધાર્મિક પુસ્તકો, દાડમ, સફરજન, માલપુઆ વગેરે દાન કરવાથી પુણ્ય ફળ મળે


કન્યા- આ રાશિના લોકોએ નીલમણિ, મગની દાળ, કેળા, સફરજન, માલપુઆ, સ્ત્રીઓની સુંદરતાની વસ્તુઓ વગેરે દાન કરવાથી પુણ્ય ફળ મળે


તુલા - આ રાશિના લોકોએ સફેદ વસ્ત્ર, ચાંદી, માલપુઆ, માવા, ખાંડ, ચોખા, કેળા, બળદ, ગાય, હીરા, મોતી, વાહન વગેરે દાન કરવાથી પુણ્ય ફળ મળે


વૃશ્ચિક -આ રાશિના લોકોએ માલપુઆ, ઘી, ઘોડો, ચાંદી, લાલ કાપડ, કેળા, દાડમ, સોનું, તાંબુ, જમીન, ઘઉં , ધન વગેરે દાન કરવાથી પુણ્ય ફળ મળે છે


વાંચો  આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત 


ધનુ- આ રાશિના લોકોએ પીળા વસ્ત્રો, ચણાની દાળ, ઘોડો, લાકડાની વસ્તુઓ, ઘી, તલ, અનાજ, દૂધ, અભ્યાસને લગતી વસ્તુઓ વગેરે દાન કરવાથી પુણ્ય ફળ મળે


મકર - આ રાશિના લોકોએ તેલ, વાદળી કાપડ, કેળા, માલપુઆ, ઓજારો, લોખંડથી બનેલી ઘર માટે જરૂરી વસ્તુઓ વગેરે દાન કરવાથી પુણ્ય ફળ મળે


કુંભ - આ રાશિના લોકોએ દવાઓ, ગાય, વાદળી વસ્ત્ર, ચાંદી, કેળા, માલપુઆ, મોસમી ફળો વગેરે દાન કરવાથી પુણ્ય ફળ મળે છે


મીન - આ રાશિના લોકોએ પીળા કપડાં, ચણાની દાળ, ઘોડો, લાકડાની વસ્તુઓ, ઘી, તલ, અનાજ, વગેરે દાન કરવાથી પુણ્ય ફળ મળે છે. 

Gujarati Bhakti Lekh on Whatsapp


નારાયણ નો આ કવચ નો પાઠ કરવાથી તમામ પ્રકારના ભય માંથી મુક્તિ મળે છે અહી ક્લિક કરો.   






દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી 


 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

મંગળવાર, 8 ઑગસ્ટ, 2023

પુરુષોત્તમ માસ કથા અધ્યાય ત્રેવીસમો | Purushottam Maas Katha Adhyay 23 in Gujarati | Adhyay 23 | Adhik Mass 2026 | Okhaharan |

પુરુષોત્તમ માસ કથા અધ્યાય ત્રેવીસમો  |  Purushottam Maas Katha Adhyay 23 in Gujarati  | Adhyay 23 | Adhik Mass 2026 | Okhaharan | 


purushottam-maas-katha-adhyay-23-in-gujarati


શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂ આપણા ગુજરાતી ભક્તિ લેખમાં આજે આપણે જાણીશું પુરૂષોત્તમ માસની કથા અધ્યાય ત્રેવીસમો ચિત્રબાહુ રાજાનું આખ્યાન અને અમૃત ધારા જે વાતૉ કહેવાય ગંગાસ્નાનનું ફળ નામની વાર્તા. 

પુરુષોત્તમ માસ કથા અધ્યાય બાવીસમો


અધ્યાય ત્રેવીસમો ચિત્રબાહુ રાજાનું આખ્યાન 


દ્રઢધન્વા રાજાએ વાલ્મીકિને પૂછ્યું : “હે દીન વત્સલ ! શ્રી પુરૂષોત્તમ માસમાં દીવાનું દાન કરવાથી શું ફળ મળે છે ? આપ કૃપા કરી એ મને કહો.”


વાલ્મીકિ બોલ્યા : “હે રાજાઓમાં સિંહ સમાન રાજા ! દીપદાનના ફળને જાણવા માટે એક કથા કહું છું. પાપનો નાશ કરનારી કથા તમે સાંભળો. તેનાથી પાંચ પ્રકારનું મહાપાપ પણ નાશ પામે છે.”


સૌભાગ્ય નગરમાં ચિત્રબાહુ નામે પ્રખ્યાત રાજા હતો. બ્રાહ્મણો તરફ સદવર્તન રાખનાર, કથા સાંભળવામાં તત્પર, પોતાની પત્નીમાં જ નિત્ય કામક્રીડા કરનાર, સમૃદ્ધિમાં કુબેર જેવો હતો. તેની પત્નીનું નામ ચિત્રકળા હતું. રાજા ચિત્રબાહુ યુવાન હોઈ એ રાણી સાથે પૃથ્વીને ભોગવતો હતો અને શ્રીકૃષ્ણ સિવાય બીજા દેવને (શ્રેષ્ઠ તરીકે) જાણતો જ ન હતો.


એક દિવસ રાજા ચિત્રબાહુએ દૂરથી આવતા મુનિશ્રેષ્ઠ અગસ્ત્યને જોયા. વિધિ પ્રમાણે પૂજા કરી બેસવા આસન આપ્યું અને પછી વિનયથી નમ્ર થઈ તેણે એ ઉત્તમ મુનિને આ પ્રમાણે કહ્યું :


“આજે મારો જન્મ સફળ થયો છે. રથો સહિત મારું રાજ્ય હું આપને અર્પણ કરું છું. આપ એનો સ્વીકાર કરો. મારી ઈચ્છા વનમાં જઈ પ્રભુ સ્મરણ કરી જન્મારો સુધારવાની છે. તો આપ મારા પર કૃપા કરો.”


અગસ્ત્ય બોલ્યા : “હે ચિત્રબાહુ ! તું ધન્યવાદને પાત્ર છે. તારી પ્રજા ભાગ્યશાળી છે, જેઓનું તું વૈષ્ણવ રાજા રક્ષણ કરે છે. હે રાજન ! હું તને આજ્ઞા આપું છું તેથી આ રાજ્ય તારે જ કરવું જોઈએ. મેં રાજ્ય પર તારી પ્રતિષ્ઠા કરી. બસ હવે હું જાઉં છું, તારું કલ્યાણ થાઓ.” ઋષિએ તેની પત્ની ચંદ્રકળાને પણ આશીર્વાદ આપ્યા.”તારું સૌભાગ્ય સદા અખંડ રહો. શ્રીકૃષ્ણ પ્રભુમાં તારી ભક્તિ સદા દ્રઢ થાઓ.”


 શ્રી મહાલક્ષ્મી માં આ પાઠ કરવાથી દુઃખ કષ્ટ દુર થઈ ઘન સંપત્તિ પ્રાપ્ત થાય


ત્યારે ચિત્રબાહુ બોલ્યો : “હે મહર્ષિ ! આપ ત્રિકાળજ્ઞાની છો. તો મને જણાવો કે આ વૈભવ, ધન-સંપત્તિ, પતિવ્રતા નારી કયા પુણ્યબળે પ્રાપ્ત થયા ?”


અગસ્ત્ય બોલ્યા : “હે રાજન ! તારું પૂર્વજન્મનું બધું ચરિત્ર મેં જોઈ લીધું છે. તું પૂર્વ જન્મમાં મણિગ્રીવના નામે શુદ્રજાતિમાં જન્મેલ. તારી પત્ની જે અત્યારે છે તે સુંદરી મન, વચન, કર્મથી પતિ સેવામાં જ તત્પર ધર્મનિષ્ઠ અને ઉત્તમ મનવાળી હતી. તું તો પાપકર્મો કર્યા જ કરતો હતો. તેથી તારાં સગાંસંબંધીઓએ તને છોડી દીધો હતો અને તારા પર ક્રોધે ભરાયેલા રાજાએ તારું સર્વ ધન લઈ લીધું. જેથી નિર્જન જંગલમાં જઈ ત્યાં અનેક જીવોને મારી નાખી તું પોતાનું પોષણ કરતો અને હે રાજા ! પોતાની રાણી સાથે એમ આજીવિકા ચલાવતો હતો.”


એક વખત તે નિર્જન વગડામાં ઉગ્રદેવ નામના પ્રસિદ્ધ મુનિ સૂર્યના તાપથી અકળાઈને તરસથી પીડાતાં બેભાન થઈ ઢળી પડ્યા. તેં એમને જોયા એટલે તું એમને ઉપાડીને તારા આવાસે લઈ આવ્યો.તમે બંને પતિ-પત્નીએરાતભરજાગી તે મુનિની સેવા કરી.


બ્રાહ્મણ ઉગ્રદેવ જ્યારે ભાનમાં આવ્યા ત્યારે પત્ની સહિત મણિગ્રીવે એ શ્રેષ્ઠ મુનિને નમન કર્યું અને તેમનો અતિથિ સત્કાર કરતાં વિનયપૂર્વક કહ્યું :”હે બ્રાહ્મણ ! આપનાં દર્શનથી જ મારાં પાપ નાશ પામ્યા છે. મારા પર કૃપા કરી આ ફળનો આપ સ્વીકાર કરો અને અમને પતિ-પત્નીને આપ કૃતાર્થ કરો.”


વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" 


ઉગ્રદેવ બોલ્યા : “હું તને ઓળખતો નથી.”


“હું મણિગ્રીવ નામે શુદ્ર છું. કુટુંબીઓએ મારો ત્યાગ કર્યો છે.” એમ કહી તેણે એ મુનિગ્રીવને વિનવીને પોતનાં કર્મોના ઉગ્ર પરિણામ રૂપ પોતાનું વૃતાંત કહેવા માંડ્યું.


“ શ્રી બૃહન્નારદીય પુરાણ” ના પુરૂષોત્તમ માહાત્મ્યનો
“ચિત્રબાહુ રાજાનું આખ્યાન” નામનો ત્રેવીસમો અધ્યાય સંપૂર્ણ.


હવે પતિતપાવન પુરૂષોત્તમ માસની કથાનું રસપાન કરીએ.


ગંગાસ્નાનનું ફળ


ગંગા કિનારે એક ગામમાં એક બ્રાહ્મણ રહે. કર્મકાંડ કરે અને જરૂરિયાતવાળાને વ્યાજે પૈસા પણ ધીરે. એને એક દીકરો. દીકરાનું નામ દેવશર્મા. દીકરાના લગન થઈ ગયેલાં પણ વહુ મોટે ભાગે પિયરમાં જ રહે. એમ કરતાં પાવન પુરૂષોત્તમ માસ આવ્યો. બ્રાહ્મણે દીકરાને કહ્યું : “બેટા ! હવે પુરૂષોત્તમ માસ ચાલુ થશે, આ આખો મહિનો મારે કર્મકાંડ, કથા-વાર્તા કરવા પડશે. આથી મારે મોડા સુધી નદીએ રોકાવું પડશે. 

આથી મારે મોડા સુધી નદીએ રોકાવુ પડશે. એટલે તું વહુને એના પિયરથી તેડી લાવ. પુરૂષોત્તમ માસમાં હાથે રાંધવાની કડાકુટ ન રહે અને નિરાંતે ધર્મધ્યાન થાય.” દીકરો તો ઊપડ્યો સાસરે. રસ્તામાં એક પટેલનું ખેતર આવ્યું. ખેતરમાં સરસ મજાનો પાક ઊભો હતો. ઊભા પાકને જોઈ તેની આંખો ઠરી. ત્યાં જ તેની નજર ખેતરમાં ઊભો પાક ચરતી એક ગાય ઉપર પડી. આ ખેડૂતને તેના પિતાએ વ્યાજે પૈસા ધીરેલા. એટલે દેવશર્માએ વિચાર કર્યો કે આ ગાય રોજ આવતી હશે અને ઊભો મોલ ખાઈ જતી હશે. આવી રીતે જો એ ચરી જાય તો ખેડૂત નુકસાનીમાં જાય. ખેડૂત મારા પિતાજીના પૈસા કેમ કરીને પાછા આપશે ?


દેવશર્માએ તરત ખેડૂતને બોલાવ્યો અને એને ઠપકો આપ્યો. રોષે ભરાયેલો ખેડૂત તો ગાયને જોતાં જ ધોકો લઈને તૂટી પડ્યો. એવી મારી એવી મારી કે ગાય ધરતી પર ઢળી પડી. મોઢે ફીણ આવી ગયા. ડોળા ઊંચે ચડી ગયા. મરતાં પહેલાં ગાયે દેવશર્માને શ્રાપ આપ્યો કે “બ્રાહ્મણ હોવા છતાં તે ગૌ હત્યા કરાવી તેથી તું ગધેડો બનીને ભટકીશ.” શ્રાપ સાંભળતાં જ દેવશર્મા ગભરાયો અને ગાયના પગમાં પડીને આજીજી કરવા લાગ્યો. 

 વાંચો "" હનુમાનજી વડવાનલ સ્ત્રોત ""  


ત્યારે ગાય બોલી : “તારી વહુ પુરૂષોત્તમ પ્રભુનું વ્રત કરે, પોતે ગંગાસ્નાન કરે એ પહેલાં તને સ્નાન કરાવે, તને ખવડાવીને ખાય તો તારી મુક્તિ થાય.”


આટલું બોલીને ગાય તો મરી ગઈ. દેવશર્મા ભાંગેલા પગે સાસરે આવ્યો. વહુને વાત કરી.વાત પૂરી થતાં જ એ ગધેડો બની ગયો. વહુ પતિવ્રતા અને ધર્મનિષ્ઠ નારી હતી. એણે પુરૂષોત્તમ વ્રતનો સંકલ્પ કર્યો. રોજ ગધેડાને ગંગા નદીમાં સ્નાન કરાવે. પછી પોતે સ્નાન કરે. કથાવાર્તા સાંભળે પછી ગધેડાને ખવડાવીને પોતે ખાય. ગામ આખું દાંત કાઢે. વહુની ઠઠ્ઠા-મશ્કરી કરે, પણ વહુને તો એ ભલી અને એનો ગધેડો ભલો.


લોક-લાજ છોડીને વહુએ વ્રત પૂર્ણ કર્યુ. પવિત્ર પાવન પુરૂષોત્તમ માસ પૂર્ણ થયો એટલે વહુએ પુરૂષોત્તમ પ્રભુને સાચા દિલથી પ્રાર્થના કરી અને ગંગાજળ હાથમાં લઈ ગધેડા ઉપર છાંટ્યું. એ પવિત્ર વ્રત તથા ગંગાસ્નાનના પ્રભાવે દેવશર્મા ગધેડામાંથી ફરી માણસ બન્યો.
ત્યારબાદ પતિ-પત્ની સુખેથી જીવન વિતાવી અંતે વૈકુંઠમાં ગયા.


ગંગાજળ સમાન જળ નહીં, ધુએ સર્વના પાપ,

પાપી પણ પુણ્યશાળી બને, મટે મનના દ્વેષ રાગ.

          હે પૂર્ણ પુરૂષોત્તમ પ્રભુ ! તમે જેવા વહુને ફળ્યા એવા પતિત પાવની ભગીરથીમાં સ્નાન કરનાર સૌને ફળજો.

Gujarati Bhakti Lekh on Whatsapp


નારાયણ નો આ કવચ નો પાઠ કરવાથી તમામ પ્રકારના ભય માંથી મુક્તિ મળે છે અહી ક્લિક કરો.   






દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી 


 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

પુરુષોત્તમ માસ કથા અધ્યાય બાવીસમો | Purushottam Maas Katha Adhyay 22 in Gujarati | Adhyay 22 | Adhik Mass 2026 | Okhaharan |

પુરુષોત્તમ માસ કથા અધ્યાય બાવીસમો |  Purushottam Maas Katha Adhyay 22 in Gujarati  | Adhyay 22 | Adhik Mass 2026 | Okhaharan | 



purushottam-maas-katha-adhyay-22-in-gujarati
purushottam-maas-katha-adhyay-22-in-gujarati


શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂ આપણા ગુજરાતી ભક્તિ લેખમાં આજે આપણે જાણીશું પુરૂષોત્તમ માસની કથા અધ્યાય બાવીસમો પુરૂષોત્તમ માસનાં વ્રત નિયમો અને અમૃત ધારા જે વાતૉ કહેવાય ઉમા માની વાર્તા. 

પુરુષોત્તમ માસ કથા અધ્યાય એકવીસમો


અધ્યાય બાવીસમો પુરૂષોત્તમ માસનાં વ્રત નિયમો 


મહર્ષિ વાલ્મીકિને હાથ જોડીને દ્રઢધન્વા રાજાએ પૂછ્યું : “હે મુનિ ! આ પુરૂષોત્તમ માસમાં વ્રત કરનારે ક્યા ક્યા નિયમો પાળવાના છે ? એ બતાવો.”


ઋષિ બોલ્યા : “હે રાજન ! પુરૂષોત્તમ માસમાં ઘઉં, મગ, ઘી, ખાંડ, ચોખા, સફેદ અનાજ, જવ, તલ, વટાણા, કાંગ, કંદમૂળ, કાકડી, કેળાં, સિંધવ, દહીં, ફણસ, આંબો, હરડે, જીરૂ, સૂંઠ, આમલી, સોપારી, આંબળા અને ગોળ વગેરે હવિષ્યાન્ન તથા ફળોનું ભક્ષણ કરવું. માંસ, મધ, અડદ, બે દાળ થાય તેવું ધાન્ય, રાઈ, તેલ આદિ પદાર્થોનો ત્યાગ કરવો. પારકું અન્ન, ઝેર-કાંકરાથી દૂષિત થયેલું, ક્રિયાથી દૂષિત થયેલું, વાણીથી દૂષિત થયેલું અન્ન લેવું નહીં. પરદ્રોહ ન કરવો. પરસ્ત્રીનું ગમન કરવું નહીં અને તીર્થ સિવાયની બીજી મુસાફરી છોડી દેવી. આ માસમાં દેવ, બ્રાહ્મણ, ગુરુ, ગાય, સ્ત્રી, મહાત્મા તથા વ્રત કરનારની નિંદા કરવી નહીં, જાયફળ, મસુર, વાસી અન્ન, બકરી, ગાય કે ભેંસના દૂધ સિવાય બીજા કોઈ પ્રાણીનું દૂધ, જે માંસ ગણાય છે તથા તાંબાના વાસણમાં રહેલું દૂધ અને ચામડામાં રાખેલું પાણી એ બધાનો ત્યાગ કરવો.


પ્રત્યેક સ્ત્રી-પુરૂષે વ્રતમાં બ્રહ્મચર્ય પાળવું. પતરાળીમાં જમવું, ચોથે પહોરે જમવું, રજસ્વલા સ્ત્રીથી દૂર રહેવું, અત્યંત, મ્લેચ્છ, પતિત, નાસ્તિક અને વેદની નિંદા કરનાર સંસ્કારહીનો સાથે બોલવું નહીં, કાગડાએ એંઠું કરેલું અન્ન કે જળ, સૂતકીનું, બીજી વાર રાંધેલું કે દાઝેલું અન્ન ખાવું નહીં, કાંદા, લસણ, ગાજર, અળવીના પાંદડાં, મૂળો અને સરગવાની શીંગો ખાવી નહી. આ બધા પદાર્થ તજી દેવા.


ભગવાન વિષ્ણુની પ્રસન્નતા માટે ચાંદ્રાયણ આદિ વ્રતો કરવાં. પડવાને દિવસે કોળું, બીજને દિવસે રંગણ, ત્રીજે પુષ્પનું શાક, ચોથે મૂળા, પાંચમે નિલું, છઠે તરબૂચ, સાતમે સર્વ ફળોનું શાક, આઠમે આંબળા, નોમે નાળિયેર, દશમે દૂધી, અગિયારસે પંડોળું, બારશે બોર, તેરસે કાળાં રીંગણ, ચૌદશે વેલાનું શાક, પૂનમે પાણીમાં થનારા શાક લેવાં નહીં. રવિવારે આમળા ખાવા નહીં. જે પદાર્થોનો ત્યાગ કર્યો હોય તે પદાર્થો બ્રાહ્મણોને દાન કર્યા પછી જ ખાવાં. આ પ્રમાણે કરનારને ઉત્તમ ફળ મળે છે. બની શકે તો આખો પુરૂષોત્તમ માસ ઉપવાસ કરવો. તેમ નબને તો માગ્યાવિનાના ઘી કે દૂધ ઉપર કે ફળાહાર ઉપર રહેવું. 


 શ્રી મહાલક્ષ્મી માં આ પાઠ કરવાથી દુઃખ કષ્ટ દુર થઈ ઘન સંપત્તિ પ્રાપ્ત થાય


વ્રતનો આરંભ થયાને દિવસે સવારમાં વહેલા ઊઠીને સ્નાનાદિથી પરવારી શ્રીકૃષ્ણ ભગવાનનું સ્મરણ કરવું અને નિયમ પાળવાનો સંકલ્પ કરવો અને નિયમપૂર્વક આખો માસ વૃતાચરણ કરવું. આ માસમાં ભક્તિપૂર્વક શ્રીમદભાગવત સાંભળવું. બની શકે તો એક લાખ તુલસીદલથી શાલિગ્રામની પૂજા કરવી. તેનું પુણ્ય અનંત છે. આ માસમાં વ્રત કરનારને સો યજ્ઞ કરવાનું ફળ મળે છે. જે આ વ્રત કરે છે તેને, હાથીઓ જેમ સિંહને જોઈ નાસી જાય છે તેમ યમના દૂતો નાસી જાય છે. આ વ્રત કરનારને કોઈ જાતની આધિવ્યાધિ કે ઉપાધિ નડતી નથી. દરિદ્રતા દૂર થાય છે, સુખ,સંપતિમાં વૃદ્ધિ થાય છે અને સંતાન તથા અમર કીર્તિ પ્રાપ્ત થાય છે. ભૂત, પ્રેતકે પિશાચ તેને પીડી શકતા નથી. “હે રાજન ! આવા હરિભક્તનું ઈન્દ્રાદિ દેવતાઓ તેનું સર્વ વિધ્નોથી રક્ષણ કરે છે. 

જે વિધિપૂર્વક પુરૂષોત્તમ માસનું વ્રત કરે છે, તેનું ફળ કહેવા બ્રહ્માજી, શારદા કે સાક્ષાત હજાર મુખવાળા શેષનાગ પણ સમર્થ નથી.જે ભક્ત પૂર્ણ શ્રદ્ધાથી ભગવાન રાસિકેશ્વરનું આ ઉત્તમ વ્રત કરે છે, અંતે તે અનેક સુખો ભોગવીને શ્રી વિષ્ણુ ભગવાનના લોકમાં જાય છે.


 “ શ્રી બૃહન્નારદીય પુરાણ” ના પુરૂષોત્તમ માહાત્મ્યનો
“પુરૂષોત્તમ માસનાં વ્રત નિયમો” નામનો બાવીસમો અધ્યાય સંપૂર્ણ.


 
વાંચો "" હનુમાનજી વડવાનલ સ્ત્રોત ""  


હવે પતિતપાવન પુરૂષોત્તમ માસની કથાનું રસપાન કરીએ.


ઉમા માની વાર્તા


પવિત્ર પુરૂષોત્તમ માસ ચાલતો હતો ત્યારે એક દિવસ શિવ-પાર્વતી મૃત્યુલોકમાં ફરવા નીકળ્યા. ફરતાં ફરતાં એક ગામમાં આવ્યાં. એક ખેતર પાસેથી પસાર થતાં એક બાજરીયું પાર્વતીજીના ઝાંઝરમાં ભરાઈ ગયું. લીલોછમ મીઠો-કૂણો બાજરો જોઈ, પાર્વતીજીથી રહેવાયું નહીં અને એ તો બાજરીયું મસળીને લીલોછમ બાજરો ખાવા લાગ્યા. થોડોક ખાધો ત્યાં શિવજી બોલ્યા : “હે દેવી ! માલિકને પૂછ્યા વગર ખાવું એ ચોરી ગણાય. તમે પાપમાં પડ્યાં.” ત્યારે પાર્વતીજીને પણ શિવજીની વાત સાચી લાગી. તેમણે પૂછ્યું : “તમારી વાત તદ્દન સાચી છે. હું દોષમાં પડી છું. પણ એનો કોઈ ઉપાય તો હશે ને ?” શિવજી બોલ્યા : “ હવે આ દોષમાંથી મુક્ત થવું હોય તો બાજરાના જેટલા દાણા ખાધા એટલા દિવસ આ ખેતરના માલિકના ઘેર રહીને કામ કરો.”


પાર્વતીજીએ તો હસીને સજા સ્વીકારી લીધી. શિવજી ગયા કૈલાસ અને પાર્વતી આવ્યા ખેડૂતના ઘેર. પુરૂષોત્તમ મહિનો હતો એટલે ખેડૂત અને એની પત્ની નદીએ નહાવા અને દેવદર્શને ગયા હતાં. નવ વર્ષની દીકરીએ મીઠો આવકાર આપી પાણી પાયું. ખેડૂત આવ્યો એટલે પાર્વતીએ વાત કરી : “મને કામે રાખો. જગતમાં એકલી છું. એક ટંક ખાઈશ અને કહેશો એ કામ કરીશ.”


ખેડૂત ગરીબ હતો, પણ ઘણો દયાળુ હતો. એ તો બોલ્યો : “ભલે બહેન ! ખુશીથી રહો. થાય એ કામ કરજો. તમારું શું નામ છે ?”
“ભાઈ ! લોકો મને ઉમાના નામથી બોલાવે છે.”


જગતજનનીનાં પગલાં થતાં જ ખેડૂતના ભાગ્ય સોળે કળાએ ખીલી ઊઠ્યાં. સો ગણો પાક થયો. ગામમાંથી રોગ-દોગ-શોક ચાલ્યા ગયા. પાર્વતી દેવી તો ખેડૂતના નાનકડા કુટુંબ સાથે એવા હળીમળી ગયાં કે ઉમા મા… ઉમા મા… કર્તાં સૌના મુખ શોભવા લાગ્યાં.


શ્રી લક્ષ્મીનારાયણ દેવ આ પાઠ કરવાથી તમામ પાપોમાંથી મુક્તિ થઈ વિષ્ણુ લોક પ્રાપ્તિ થાય છે  


પાવન પુરૂષોત્તમ માસ પૂર્ણ થતાં ખેડૂતે ધામધૂમથી વ્રત ઊજવ્યું, બ્રાહ્મણ જમાડ્યા. પાર્વતી દેવી રાંધે અને સૌ ખાય. એમ કરતાં ત્રણસો દિવસ પૂરા થયા. પાંસઠ દિવસ બાકી રહ્યા ત્યારે ગામે સંઘ કાઢી કાશીની જાતરા કરવાનું નક્કી કર્યું. ખેડૂત અને એની પત્નીને પણ સંઘમાં કાશીએ જવાની ઈચ્છા થઈ, પણ દીકરી નાની હતી એટલે એને ઘેર રાખવી પડે તેમ હતી અને તેની સંભાળ કોણ રાખે ? ઉમામા ખેડૂતની મૂંઝવણ સમજી ગયાં અને બોલ્યા : “ભાઈ ! તમ તમારે નિરાંતે ભાભીને લઈ કાશીએ જાવ, હું દીકરીની અને ઘરની સંભાળ રાખીશ.” મૂંઝવણ ટળતાં નચિંત બની ગયેલા ખેડૂત દંપતી દીકરી અને ઘર ઉમા માને ભળાવી સંઘમાં જોડાયા.


 સંઘ ઊપડ્યો ત્યારે ઉમા માએ ખેડૂતને લાલ રંગનું કપડું આપતાં કહ્યું કે “ભાઈ !ગંગાને કહેજો કે ઉમા માએ મોકલ્યું છે. હાથોહાથ લેતો જ આપજો.” ખેડૂત મનમાં દાંત કાઢવા લાગ્યો, પણ બહેનનું દિલ ન દુભાય એટલા ખાતર કપડું લઈ લીધું.


રસ્તામાં આવતાં તીર્થોના દર્શન કરતો સંઘ કાશીએ પહોંચ્યો. પાંચ દિવસ સૌ રોકાયા.ગંગાસ્નાન કર્યું. ખૂબ દર્શન કર્યા. પછી સંઘ પાછો ફર્યો. અર્ધા રસ્તે ખેડૂતને યાદ આવ્યું કે ઉમાબેનનું કપડું તો રહી ગયું. ખેડૂતનો જીવ બળવા લાગ્યો. એ તો ગયો સંઘપતિ પાસે. જઈને વિનંતી કરી કે જો સંઘ પાંચ દિવસ અહીં રોકાય તો હું કપડું દેતો આવું. સંઘપતિએ જંગલમાં રોકાવાની ના પાડી દીધી એટલે ખેડૂત અને તેની પત્ની એકલા પાછા કાશી ગયા.


આ બાજુ સવાર પડતાં સંઘપતિએ તંબુઓ ને રાવટી સંકેલી લીધી. બધો સામાન ગાડામાં લાદી આગળ વધવાનો આદેશ આપ્યો. પણ બળદ ઊભા ન થયા. ખૂબ કોશિશ કરી, પણ બળદ ડગલુંય ન ખસ્યા. માંદા પડી ગયેલા બળદ સાજા ન થાય ત્યાં સુધી ફરજિયાત રોકાણ કરવું પડ્યું.


દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી અહી ક્લિક કરો.  


પેલી બાજુ ખેડૂત અને તેની પત્ની કાશીએ પહોંચ્યા. ગંગામાં સ્નાન કર્યું. પછી ગંગાને પ્રાર્થના કરી : “ઉમા આએ કપડું મોકલ્યું છે. હાથોહાથ સ્વીકારો તો જ આપવાનું છે.” ત્યાં જ ચમત્કાર થયો. જળમાંથી બે રત્નકંકણ પહેરેલા હાથ બહાર આવ્યા.કપડું સ્વીકારીને અદ્રશ્ય થઈ ગયા. આવું સત જોઈ ખેડૂત ગદગદ થઈ ગયો.


ખેડૂત અને તેની પત્ની પાછા ફર્યા. જોયું તો સંઘ હતો ત્યાંનો ત્યાં. ખેડૂતે બધી વાત જાણી અને જઈને બળદ પર હાથ ફેરવ્યો, ત્યાં તો માંદા બળદ સાજા થઈને ચાલવા લાગ્યા. બધા ખેડૂતની ભક્તિના વખાણ કરવા લાગ્યા. સંઘ ગામમાં પાછો ફર્યો. વાજતે ગાજતે સામૈયા થયા. ખેડૂતે સંઘ જમણ કર્યું.


આમ કરતાં ત્રણસો ને સાંઈઠ દિવસ વીતી ગયા. પાંચ દિવસ રહ્યા. છેલ્લા દિવસની સવારે પાર્વતી બોલ્યા : “ ભાભી ! આજે તો ભાઈને ભાત દેવા હું જઈશ. કોઈ દિ’ ગઈ નથી. આજ તો જવું છે.” ઉમા મા તો ભાત લઈને ગયા તે ગયા. ખેડૂત ભાતની રાહ જુએ છે, પણ સાંજ સુધી કોઈ ભાત લઈને ન આવ્યું. સાંજે ઘેર આવીને પત્નીને પૂછ્યું કે “આજ ભાત દેવા કેમ ના આવી ?” ત્યારે પત્ની બોલી કે “ભાત દેવા તો ઉમા મા સવારના નીકળ્યા છે, તે તમને મળ્યાં નથી ?”


ખેડૂતને ચિંતા થઈ. આખા ગામમાં ઘેર ઘેર તપાસ કરી. ખેતરે ખેતરે શોધ કરી.પણ ઉમા મા ન મળ્યાં. ત્યારે ખેડૂતે સંકલ્પ કર્યો કે “હવે તો ઉમાબેન આવીને થાળી પીરસે તો જ જમવું, નહિતર ભૂખ્યા પ્રાણ તજવા.” ચાર દિવસ વીતી ગયા. ખેડૂત નથી અન્ન લેતો નથી જળ લેતો. પત્નીએ પણ અન્નજળ ત્યાગ્યાં. 

શ્રી હનુમાન દાદા નો આ પાઠ ચુડેલ મેલી ડાકાણ જિન સામે રક્ષણ મળે છે


ખેડૂતની આવી અગાધ ભક્તિ જોઈ પાંચમા દિવસે પાર્વતી પ્રગટ થયાં. ખેડૂત દંપતિ ભાવવિભોર થઈ પાર્વતીના પગમાં પડી ગયું. તત્કાળ પાર્વતીએ આદ્યશક્તિનું રૂપ ધારણ કર્યું અને પતિ-પત્નીને આશીર્વાદ આપીને દેવી જવા લાગ્યાં ત્યારે ખેડૂતની પુત્રી બોલી કે “મા ! મારે એકેય ભાઈ નથી. હું રાખડી કોને બાંધું ?” દેવીએ આશીર્વાદ દીધા કે નવા માસે પુત્ર જન્મશે.આદ્યશક્તિ અંતર્ધ્યાન થયાં. ખેડૂત દંપતિ આનંદ પામ્યાં. અવતાર ધન્ય થઈ ગયો. પાર્વતીના આશીર્વાદથી ખેડૂતની પત્નીએ પૂરા નવ માસે દેવના ચક્કર જેવા દીકરાને જન્મ આપ્યો. પુરૂષોત્તમ વ્રતના પુણ્ય પ્રભાવે ખેડૂતદંપતિ મહાફળ પામ્યા.


Gujarati Bhakti Lekh on Whatsapp


નારાયણ નો આ કવચ નો પાઠ કરવાથી તમામ પ્રકારના ભય માંથી મુક્તિ મળે છે અહી ક્લિક કરો.   




દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી 


 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇


રવિવાર, 6 ઑગસ્ટ, 2023

પુરુષોત્તમ માસ કથા અધ્યાય એકવીસમો | Purushottam Maas Katha Adhyay 21 in Gujarati | Adhyay 21 | Adhik Mass 2026 | Okhaharan |

પુરુષોત્તમ માસ કથા અધ્યાય એકવીસમો |  Purushottam Maas Katha Adhyay 21 in Gujarati  | Adhyay 21 | Adhik Mass 2026 | Okhaharan | 


purushottam-maas-katha-adhyay-21-in-gujarati
purushottam-maas-katha-adhyay-21-in-gujarati


શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂ આપણા ગુજરાતી ભક્તિ લેખમાં આજે આપણે જાણીશું પુરૂષોત્તમ માસની કથા અધ્યાય એકવીસમો પુરૂષોત્તમની પૂજનવિધિ અને અમૃત ધારા જે વાતૉ કહેવાય ભગવાને ભૂખ ભાંગી નામની વાર્તા. 

પુરુષોત્તમ માસ કથા અધ્યાય વીસમો 


અધ્યાય એકવીસમો પુરૂષોત્તમની પૂજનવિધિ 


વાલ્મીકિ કહે છે કે “હે રાજા ! મેં તારા આગળ પુરૂષોત્તમ માસનો વ્રતવિધિ કહી સંભળાવ્યો. હવે એનો પૂજાવિધિ કહું છું. સુવર્ણની પ્રતિમાને અગ્નિમાં તપાવ્યા પછી તેની પ્રાણ પ્રતિષ્ઠા કરવી જોઈએ. તે સિવાય તેમાં દેવતાનો વાસ થતો નથી. જમણા હાથથી પ્રતિમાના બે ગાલનો સ્પર્શ કરવો. તે પછી તેમાં શ્રી પુરૂષોત્તમ ભગવાનનું ધ્યાન કરવું. પવિત્ર બનીને ષોડશોપચારથી પૂજન કરી એ પ્રતિમા સામે હાથ જોડીને કહેવું કે “હે પ્રભો !  મારે આપની પૂજા કરવી છે, આપ પધારો !” ત્યાર પછી તેમને આસન આપવું; જળથી આચમની મૂકવી અને કહેવું કે “પ્રભો! ગંગા અને યમુનાનું પવિત્ર જળ હું આપને આચમનમાં સમર્પું છું.” ત્યાર પછી ઈચ્છાઓ પૂર્ણ થવાની ભાવના સાથે તેમને દૂધ, દહીં, ઘી, મધ અને સાકરથી સ્નાન કરાવી તીર્થના જળથી સ્નાન કરાવવું,સ્વચ્છ પીતાંબર અર્પણ કરવું; ચંદન, અક્ષત અને તુલસી સમર્પણ કરવાં અને અબીલ તથા ગુલાલ આદિ સુગંધિત દ્રવ્યો ચઢાવવા.

 પછી ‘નંદનંદનને હું નમસ્કાર કરું છું’એમ કહીને ધૂપ, નૈવેદ્ય, જળ, મુખવાસ આદિ ધરાવવા અને પછી પ્રતિમાના દરેક અંગ પર એક એક પુષ્પ ચઢાવતાં દરેક અંગની પૂજા કરવી અને કહેવું : “હે દેવાધિદેવ ! ઉત્તમ ફળની પ્રાપ્તિ માટે હું આપની પૂજા કરું છું, માટે મારા પર કૃપા કરો.” ત્યાર પછી યથાશક્તિ દક્ષિણા મૂકવી અને આરતી ઉતારવી. પ્રદક્ષિણા કરવી. મંત્ર પુષ્પાંજલિ આપીને બે હાથ જોડીને પ્રભુની પ્રાર્થના કરવી.


મંત્રહીન ક્રીયાહીનં ભક્તિહીનં સુરેશ્વર,

યત પૂજિતં મયા દેવ પરિપૂર્ણ તદસ્તુ મેં.


          અર્થાત “હે પ્રભો ! આપની પૂજામાં કાંઈ ખામી રહી ગઈ હોય તો મારા ભક્તિપૂર્વક પૂજનથી તેને પૂર્ણ માની સ્વીકારી લેજો.” આખો પુરૂષોત્તમ મહિનો પ્રભુની પ્રસન્નતા માટે અખંડ દીવો બળતો રાખવો અને “પુરૂષોત્તમ સ્વાહા” એ નામમંત્રથી દરરોજ તલનો હોમ કરવો. આ પ્રકારે પૂજા કરનાર સંસારમાં અનેક સુખો ભોગવીને અંતે વૈકુંઠમાં જાય છે.


વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" 


“ શ્રી બૃહન્નારદીય પુરાણ” ના પુરૂષોત્તમ માહાત્મ્યનો

“પુરૂષોત્તમની પૂજનવિધિ” નામનો એકવીસમો અધ્યાય સંપૂર્ણ.
 
હવે પતિતપાવન પુરૂષોત્તમ માસની કથાનું રસપાન કરીએ.


ભગવાને ભૂખ ભાંગી


એક નાનકડા ગામમાં એક ડોશી રહે. ડોશીને એક રૂપાળો દીકરો. શરીરે સાજો-નરવો. ભણવામાં હોંશિયાર, પણ એક વાતનું ભારે દુ:ખ. દીકરો થોડા સમયથી ખાય નહી. પીવે નહી. કોળિયો ધાન ગળે ન ઊતરે. દીકરાની આવી હાલત જોઈ ડોશી ચિંતામાં પડી ગઈ અને એ ચિંતામાં તે બિચારી પણ ભૂખી રહે. છતાં ધાને ભૂખ વેઠવી પડે. ખાધા-પીધા વગર દીકરો દિવસે દિવસે દુબળો થતો જાય છે. વૈદ્ય-હકીમને બતાવ્યું પણ કાંઈ ફેર પડ્યો નહી. ડોશી તો મંદિરનાં પગથિયાં ઘસે. પથ્થર એટલા દેવ કરે. બધાય ભગવાનને એક જ આજીજી કરે કે મારા દીકરાને ખાતો કરો.
એક દિવસ પ્રભુએ ડોશીની પ્રાર્થના સાંભળી. દીકરો ખાતો થઈ ગયો. પણ એવો ખાતો થઈ ગયો કે રાંધ્યું હોય એટલું બધું ખાઈ જાય. તપેલાં ને કડાયાં સાફ કરી દે. દસ માણસનું એકલો ખાઈ જાય. તોય એની ભૂખ ના મટે. આખો દિ’ ખા ખા જ કરે. ડોશી તો મુંઝાણી. દાણાની કોઠી ખાલી થવા માંડી. પાઈ પાઈ કરીને બચાવેલા પૈસા વપરાઈ ગયા. ગમે તેટલું રાંધે તોય દીકરો ખાઉં ખાઉં જ કરે.


ડોશી તો પાછી દોડી ગઈ મંદિરમાં અને પ્રભુને વીનવવા લાગી કે “હે પ્રભુ ! આ નહોતો ખાતો ત્યારેય હું દુ:ખી હતી અને આજે ખાય છે તો પણ દુ:ખી છું. હવે આને અકરાંતિયાની જેમ ખાતો બંધ કરો અને માફકસર ખાય તેવું કરો.” મંદિરનો પુજારી બધો તાલ જોતો હતો. તે ઘણો જ્ઞાની હતો, વિદ્વાન હતો. ડોશીની મુસીબત જોઈ એણે સલાહ આપી કે “માજી ! પુરૂષોત્તમ માસ કાલથી શરૂ થાય છે. તમે પુરૂષોત્તમ માસનું વ્રત કરો. દીકરાને પણ વ્રત કરવાનુંકહો. પ્રભુની દયાથી સૌ સારાં વાનાં થશે.”


ડોશીએ પૂર્ણ શ્રદ્ધાથી પુરૂષોત્તમ માસનું વ્રત કર્યું. દીકરાને પણ ઘણો સમજાવી-પટાવી વ્રત કરાવ્યું. મા-દીકરો રોજ વહેલી સવારે ઊઠે અને નદીએ નહાવા જાય, કથા-વાર્તા સાંભળે, એકટાણું કરે અને યથાશક્તિ દાન કરે. એમ પુરૂષોત્તમ માસ પૂર્ણ થયો. ડોશીએ બ્રાહ્મણોને જમાડ્યા અને યથાશક્તિ દાન-દક્ષિણા આપ્યાં. એ વ્રતના પુણ્ય પ્રતાપે ડોશીના દીકરાની મૂઢતા નાશ પામી અને તેની બુદ્ધિમાં ચેતન આવ્યું અને તેનું ખાઉંધરાપણું દૂર થયું અને તે પ્રમાણસર ખાતો થયો. ત્યારે ડોશીને હૈયે નિરાંત થઈ. ડોશીએ કરૂણાપૂર્ણ સ્વરે ભગવાન પુરૂષોત્તમનો આભાર માન્યો.

વાંચો  આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત 


હે પૂર્ણ પુરૂષોત્તમ પ્રભુ ! તમે જેવા ડોશીને ફળ્યા એવા શ્રદ્ધાથી તમારું વ્રત કરનાર સૌને ફળજો.



Gujarati Bhakti Lekh on Whatsapp


નારાયણ નો આ કવચ નો પાઠ કરવાથી તમામ પ્રકારના ભય માંથી મુક્તિ મળે છે અહી ક્લિક કરો.   






દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી 


 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇